________________
૫૧
શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ થયેલે જીવ તે તે કમેને તે તે પ્રકારે અથવા તેનાથી વધારે પ્રમાણમાં ભેગવે છે. તેમનું અવધિજ્ઞાન તેમને માટે અત્યંત દુઃખદાયી બનવા પામે છે. તે જ્ઞાન દ્વારા તે જાણી શકે છે કે, ‘સામેથી આવતે બીજે નારક મારે દુશ્મન હતું, મારી ચાડી ખાતે હતા, મારા વ્યાપારને હાનિ કરતે હતે, ગયા ભવમાં આ મારી જેઠાણી હતી, સાસુ હતી, અને મારા ઉપર આટલો ત્રાસ ગુજારતી હતી.” ઈત્યાદિ તે ભવની મિનિટ મિનિટની હકીકતે અવધિજ્ઞાન દ્વારા યાદ આવે છે અને પરસ્પર બંને નારકે લાકડી, બરછી, ભાલા, તલવાર, ગોફણ, પત્થર આદિવડે લડી મરે છે, અને અસુર ગતિને પ્રાપ્ત થયેલા પરમા ધામીઓ તેમનાં કરેલાં પાપને યાદ દેવડાવીને તે નારકને ગરમાગરમ સીસું પીવડાવે છે, કુહાડીથી લાકડાની છાલ ઉખાડે તેમ ચામડી ઉતારે છે, કાકડી અને બીજા શાકની જેમ તેમને ચીરે છે, પછી તેમાં મીઠું મરચું નાંખે છે, ચણા આદિની જેમ ભઠ્ઠીમાં શેકે છે, ત્યાંથી બહાર કાઢીને ગરમાગરમ તેલની કડાઈમાં નાંખે છે, હાથ-પગ કાપે છે, આંખ-નાક છેદે છે. આંગળીના નખ આખાને આખા કાઢી નાંખે છે. મોટા મોટા સર્પો, વિંછીઓ, દીપડાઓ, બિલાડાઓ કૂતરાઓ આદિ દ્વારા ભયંકર જીવલેણુ વેદનાઓ આપે છે. ઈત્યાદિ સર્વથા અસહ્યા વેદનાને ભેગવતાં નારક જીવે ત્યાં લાંબા કાળ સુધી રહે છે. ભાગવતમાં નારકનું વર્ણન:
જીવ માત્રને પાપને ભય રહે તે માટે ભાગવત(વૈષ્ણનું શાસ્ત્રોમાં આવેલ નારકનાં દુખેનું વર્ણન પણ જાણું લઈએ. ત્યાં ૨૧ અને પ્રકારાન્તરે ૨૮ નારકનું વર્ણન છે, તેનાં નામે આ પ્રમાણે છે: તામિસ, અંધતામિસ, રૌરવ,