Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005473/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ان کا دل ما را این است ... . است . . اور کتا۔ ( ر : ( ( ار( اب و تست تست تست تست انت ۔ ج ت ست مان بیت ( ( ) ( ) ( ) ( ) ) ( ) . ) ( ) ( ت -- دیا دن ان ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ ۔ } ( For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ | ૐ . શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ-૧૧મું પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય श्रीभ६ यशोविश्य विरथित જ્ઞાનસાર અનુવાદ અને વિશેષાર્થ • ડો. રમણલાલ ચી. શાહ સાયલા ૦ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા - ૩૬૩ ૪૩૦ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક છે. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા પ્રથમ આવૃત્તિ : સંવત ૨૦૬૧ ઈ.સ. ૨૦૦૫ પ્રત : ૧ooo બીજી આવૃત્તિ: સંવત ૨૦૬૩ ઈ.સ. ૨૦૦૬ પ્રત : ૧૦૦૦ (NO COPY RIGHT જે સાયલા છે શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ | શ્રી રાજ-સોભાગ આશ્રમ સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦. (જિ. સુરેન્દ્રનગર) ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ ટેલિ-ફેક્સ : ૨૮૦૭૯૧ Website : www.rajsaubhag.org E-mail: rajsaubhag@yahoo.com * પ્રાપ્તિસ્થાન છે જે અમદાવાદ જે જયેશભાઈ જે. શાહ શિવા એન્ટરપ્રાઈઝ ૨૫, એવરેસ્ટ ટાવર, નારણપુરા, અમદાવાદ-૧૩. ફોન : (૦૭૯) ૨૭૪૭૫૧૧૧ ટેલિ-ફેક્સ : ૨૭૪૮૩૪૩૬ shivaenterprise@yahoo.com જે મુંબઈ જે વિનાયક કે. શાહ ૨૨, શાંતિનિકેતન, ૩જા માળે, ૯૫-એ, મરીન ડ્રાઈવ, મુંબઈ - ૪૦૦૦૦૨. ફોનઃ ૨૨૮૧૩૬૧૮/૧૯ ટાઈપ સેટિંગ. મુદ્રાંકન ડી-૫૭, ગૌતમનગર, એસ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૨. | તે મુદ્રક - નૈષધ પ્રિન્ટર્સ મ્યુનિસિપલ સ્કૂલ પાસે, નારણપુરા ગામ, અમદાવાદ- ૩૮૦ ૦૧૩. ફોન : ૨૦૪૯ ૧૬ ૨૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ) શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા તરફથી પ.પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત “જ્ઞાનસાર' નામનો આ દળદાર ગ્રંથ પ્રકાશિત થાય છે એથી અત્યંત હર્ષ અનુભવું છું. આ શુભ અવસરે આશ્રમના પ્રણેતા પ.પૂ. બાપુજી(શ્રી લાડકચંદભાઈ વોરા)ના પુણ્યાત્માને વંદન કરું છું કે જેમણે મને ‘અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર” જેવા કઠિન ગ્રંથોના અનુવાદ–વિશેષાર્થ લખવા માટે પ્રેરણા કરી હતી. આજે આ પ્રકાશન જોવા તેઓ હયાત હોત તો એમને કેટલી બધી પ્રસન્નતા થઈ હોત ! સાયલા આશ્રમ સાથે સોળ વર્ષથી એક મીઠી મમતા અમારે બંધાઈ ગઈ છે. ત્યાં પહેલી વાર જવાનું થયું. ઈ.સ. ૧૯૯૦માં. એનું નિમિત્ત તો પૂ. બાપુજીનો ‘શિક્ષામૃત' ગ્રંથ છે. મુંબઈમાં દાંતના દાક્તર મારા મિત્ર ડૉ. જિતુભાઈ નાગડાએ ભલામણ કરી અને બહેનશ્રી મીનળબહેન રોહિતભાઈ શાહે આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું કે મારે આશ્રમમાં આવીને શિક્ષામૃત’નું કાર્ય કરવું. એથી સાયલામાં આવતાં પૂ.બાપુજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું બન્યું એમની સરળ, સહજ, નિર્મળ પ્રકૃતિએ, એમના વાત્સલ્યસભર સ્વભાવે અને એમની આધ્યાત્મિક સિદ્ધિઓએ મારું હૃદય જીતી લીધું. “શિક્ષામૃત'નું કાર્ય પૂરું થતાં એમણે મને “અધ્યાત્મસાર”નો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું સોંપ્યું. “અધ્યાત્મસાર'નો પહેલો ભાગ પ્રકાશિત થયો ત્યારે પૂ. બાપુજીએ એને સ્વાધ્યાય-ક્રમમાં ચાલુ કરાવી દીધો. ત્યાર પછી બાપુજીનો દેહવિલય થયો. “અધ્યાત્મસાર'ના બીજા અને ત્રીજા ભાગનું પ્રકાશન ત્યાર પછી થયું. (વળી સંપૂર્ણ એક ગ્રંથમાં એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ.) તે અવસરે પૂ. બાપુજીના ઉત્તરાધિકારી પૂ. ભાઈશ્રી (શ્રી નલિનભાઈ કોઠારી) અને પૂજ્ય ગુરુમૈયા (શ્રી સગુણાબહેન સી. યુ. શાહ) તથા શ્રી વિક્રમભાઈ અને શ્રી મીનળબહેને એવી ભાવના વ્યક્ત કરી કે “જ્ઞાનસાર'નું કાર્ય પણ મારે કરી આપવું. આ કાર્ય મેં સહર્ષ સ્વીકાર્યું અને ત્રણેક વર્ષના ગાળામાં પૂરું થતાં તે હવે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે. દરમિયાન પૂ. ગુરુમૈયાનો પણ દેહવિલય થયો. આ ગ્રંથનું પ્રકાશન જોવા તેઓ વિદ્યમાન હોત તો કેટલો બધો આનંદ થાત ! એમના પુણ્યાત્માને ભાવપૂર્વક પ્રણામ કરું છું. - પ.પૂ.શ્રી યશોવિજયજી મહારાજનો “જ્ઞાનસાર' ગ્રંથ યથાર્થનામ છે. જેને તત્ત્વદર્શનનો નિચોડ એમાં આવી જાય છે. કેટલાક એને જૈન દર્શનના “ગીતાગ્રંથ' તરીકે ઓળખાવે છે. આ ગ્રંથનો મહિમા એવો છે કે કેટલાયને આ પવિત્ર ગ્રંથનું રોજેરોજ પઠન કરવાનો નિયમ હોય છે. કેટલાયે સાધુસાધ્વીઓને આ ગ્રંથ કંઠસ્થ હોય છે. કેટલાક ગૃહસ્થોને પણ એ કંઠસ્થ હોય છે. જેમના પરિચયમાં હું આવ્યો છું એવા પ.પૂ. શ્રી પ્રતાપસૂરિજી મહારાજ (પ.પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજના ગુરુ ભગવંત અને પ.પૂ.શ્રી યશોદેવસૂરિજીના દાદાગુરુ)ને રોજ “જ્ઞાનસાર'નું પઠન ન થાય ત્યાં સુધી કશું વાપરવું નહિ એવો નિયમ હતો. આવો નિયમ તો બીજાં ઘણાંને હશે. આ ગ્રંથના લેખનકાર્ય માટે મેં સૌ પ્રથમ પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ પોતે સિદ્ધપુરમાં શેઠ શાન્તિદાસની વિનંતીથી લખેલા બાલાવબોધ-(ટબો)નો આધાર લીધો છે. તેમણે “જ્ઞાનસાર' ઉપર અવચૂર્ણિ પણ લખી હતી પણ તે હાલ અપ્રાપ્ય છે.) તદુપરાંત પ.પૂ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી મહારાજની “જ્ઞાનમંજરી' નામની ટીકા, પંડિત ભગવાનદાસ હરખચંદ દોશી, પ.પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ તથા પ.પૂ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજના “જ્ઞાનસાર' વિશેના ગ્રંથોનો આધાર લીધો છે. એ માટે તેઓ સર્વનો હું અત્યંત ઋણી છું. આ ગ્રંથ મુખ્યત્વે આશ્રમના મુમુક્ષુઓને લક્ષમાં રાખીને લખાયો છે. આ “જ્ઞાનસાર' ગ્રંથનું મારું લખાણ જોઈ આપી ઉપયોગી સૂચન કરવા બદલ આશ્રમના પૂ.ભાઈશ્રી, શ્રી રસિકભાઈ, શ્રી વિક્રમભાઈ, શ્રી મીનળબહેન તથા અન્ય બ્રહ્મનિષ્ઠો તેમજ મારા વડીલ મિત્ર ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા, પ્રૉ. ચંદ્રિકાબહેન પંચાલી, આચાર્ય ડૉ. ઉપેન્દ્રભાઈ દવે, શ્રી નરેશચંદ્ર ડાહ્યાભાઈ શાહ અને મારાં ધર્મપત્ની પ્રૉ. તારાબહેન શાહ–આ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી વિનંતીને માન આપી પ.પૂ. શ્રી ઓમકારસૂરિજીના સમુદાયના પ.પૂ. શ્રી મુનિચંદ્રસૂરિજીએ પણ સમય કાઢીને આ લખાણ જોઈ આપ્યું છે એ બદલ એમનો ઋણી છું અને કૃતજ્ઞભાવે એમને વંદન કરું છું. | અમારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ સુખલાલ મહેતા અને એમનાં ધર્મપત્ની સૌ. મંગળાબહેને તથા એમના પરિવારે આ “જ્ઞાનસાર' ગ્રંથના પ્રકાશનખર્ચની તમામ જવાબદારી ઉપાડી લીધી છે. એ માટે એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને એમના ઉદારતાભર્યા સતત સહયોગની સરાહના કરું છું. એમની સદ્ભાવશીલ ઉત્સુકતા અને ચીવટભરી તત્પરતા વગર આ ગ્રંથનું લેખન પ્રકાશન શક્ય ન બન્યું હોત ! “મુદ્રાંકન'ના શ્રી જવાહરભાઈ તથા શ્લોકસૂચી તૈયાર કરી આપવામાં અમારા શ્રી અશોક પલસમકરે ઘણી મદદ કરી છે એ માટે તેઓનો પણ આભારી છું. “જ્ઞાનસાર'ના લેખનકાર્ય માટે મુંબઈથી સાયલા આશ્રમમાં જવા-આવવા માટે દરેક વખતે ચીવટપૂર્વક વ્યવસ્થા કરી આપનાર બહેન શ્રી મીનળબહેનને કેમ ભુલાય? આશ્રમના અમારા નિવાસ દરમિયાન જેમના તરફથી વિવિધ પ્રકારનો સહકાર સાંપડ્યો છે તે લંડનનિવાસી શ્રી વિનુભાઈ તથા સૌ. સુધાબહેનને યાદ કરીએ છીએ. આશ્રમનાં અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનોનું સ્મરણ તાજું થાય છે. આશ્રમમાં અમારી વ્યવસ્થા માટે દેખરેખ રાખનાર શ્રી દિલીપભાઈ વોરા (પૂ. બાપુજીના સુપુત્ર), મેનેજર શ્રી માવજીભાઈ તથા અન્ય કર્મચારીગણ વગેરે સર્વ પ્રત્યે પ્રેમ આભારની લાગણી દર્શાવું છું. “જ્ઞાનસાર” જેવા તત્ત્વસભર, ગહનગંભીર, શાસ્ત્રીય ગ્રંથના શબ્દાર્થ, અનુવાદ, વિશેષાર્થના લેખનકાર્યમાં મારી મતિમંદતા કે અનવધાનદોષને કારણે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, અર્થફેર થયો હોય, મુદ્રણદોષ રહી ગયા હોય અથવા કર્તાને અભિપ્રેત ન હોય એવું કંઈ લખાયું હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું. આ ગ્રંથ મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની રહો એ જ અભ્યર્થના ! સદ્ગુરુદેવશ્રી પ.પૂ.બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નું જન્મ શતાબ્દી વર્ષ – પૂર્ણાહુતિ. ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૬૧, તા. ૧૨મી માર્ચ, ૨૦૦૫ – રમણલાલ ચી. શાહ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી સદ્ગુરુદેવાય નમઃ વિરક્ત માનવોનું ભીતર બદલાયેલું હોય છે. જે દેખાઈ રહ્યું છે એ બધું સ્વપ્નવત્ છે, મૃગતૃષ્ણાના જળની પેઠે છે, પણ જેનાથી દેખાઈ રહ્યું છે તે આત્મા જ સત્ય છે. આત્મયોગ પામવો એટલે તે સત્યમાં વિશ્રાન્તિ પામવી. પોતાના આત્મામાં વિરામ પામેલા, આત્મસ્વભાવમાં જાગેલા પ. પૂ. બાપુજી સદગુરુદેવ શ્રી લાડકચંદ માણેકચંદ વોરાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીના અંતરગત આ શ્રેષ્ઠ અધ્યાત્મગ્રંથ “જ્ઞાનસાર પ્રકાશિત કરવાનો આનંદ તથા સંતોષ અનુભવીએ છીએ.' - પ. પૂ. બાપુજીના અધ્યાત્મ વારસદાર, આત્મલીન પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારીની નિશ્રામાં સમ્યગુજ્ઞાન પ્રચારનો અપૂર્વ લાભ શ્રી રાજ-સોભાગ આશ્રમને મળ્યો તેનો અપાર હર્ષ છે. જન્મશતાબ્દીના આરંભે ન્યાયાચાર્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રચેલા અધ્યાત્મસાર' ગ્રંથનું મંગલ પ્રકાશન થયું અને વર્ષની પૂર્ણાહુતિએ “જ્ઞાનસાર'-આમ આ બન્ને મહાગ્રંથોના પ્રકાશનથી આ યોગાશ્રમ સમગ્ર જૈન સમાજ સાથે ઐક્ય થઈ શ્રુતઉપાસકોની અધ્યાત્મપિપાસાને તૃપ્ત કરવા સહભાગી થયો છે. જ્ઞાનસાર' નામના આ દળદાર ગ્રંથ દ્વારા જ્ઞાનસાગર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું વૈચારિક ધર્મસાન્નિધ્ય પ્રાપ્ત થયું છે. જ્ઞાની ગુરુની આજ્ઞા સહિત આ ગ્રંથનું ચિત્તની એકાગ્રતાપૂર્વક વાંચન આપણી ચેતનાને સ્વરૂપાનુયાયી બનાવવા ચોક્કસ મદદરૂપ થશે. શ્રદ્ધાભક્તિ સાથે વિચારવાથી મોક્ષમાર્ગનાં તાત્ત્વિક રહસ્યો પ્રત્યક્ષપણે જણાઈ આવશે. પ.પૂ. બાપુજીએ આચાર્ય ભગવંત શ્રી માણિક્યસાગરસૂરિશ્વરજીની વિશિષ્ટપ્રજ્ઞાના સહારે ગુરુવર્ય પ.પૂ. છોટાભાઈ દેસાઈની સાથે સાયલા ગામના ઉપાશ્રયમાં “જ્ઞાનસાર' તથા અધ્યાત્મસાર' ગ્રંથોનું સૂક્ષ્મ તલસ્પર્શી અધ્યયન કર્યું. ન્યાયવિશારદ મહોપાધ્યાયજીના આત્માનુભવની પ્રસાદીસ્વરૂપ આ શાસ્ત્રગ્રંથના આધારથી પ. પૂ. બાપુજીના અધ્યાત્મ પુરુષાર્થને વેગ મળ્યો હતો. - પ.પૂ. બાપુજી આશ્રમના સ્વાધ્યાય ક્રમમાં નિત્યમેવ પ્રથમ “જ્ઞાનસારનું વાંચન કરતા હતા. ચક્રવર્તીનું ભોજન જો સાધારણ માનવી ખાય તો અજીર્ણના રોગથી પીડાય માટે પ.પૂ. બાપુજીએ મુમુક્ષુઓની યોગ્યતા અર્થે પોતાના ઉત્તરાધિકારી આત્મનિષ્ઠ ડૉ. શ્રીમતી સદ્ગુણાબેન સી. યુ. શાહના સૂચનથી જ્ઞાનસારની સાથોસાથ અધ્યાત્મસારનું વાંચન શરૂ કરાવ્યું. પ.પૂ. બાપુજી “જ્ઞાનસાર” તથા “અધ્યાત્મસાર'ના વાંચનની શરૂઆત પૂર્વે હમેશાં ઉપાધ્યાયજી પ્રત્યેનો For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અહોભાવ વ્યક્ત કરતા. પોતાની લાક્ષણિક શૈલીથી મુમુક્ષુ શ્રોતાવર્ગનું હૃદય પવિત્ર કરી, સતુશ્રુતને ઝીલવા માટે તેઓને અધિકારી બનાવતા. ડૉ. રમણભાઈ શાહ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. વિદ્વાન તત્ત્વચિંતક હોવા છતાં ખૂબ જ વિનમ્ર અને સરળસ્વભાવી છે. જૈનધર્મની સંવેદના સહિતનું ડૉ. રમણભાઈનું ઉચ્ચ વિચારો સાથેનું સાદગીભર્યું પ્રામાણિક જીવન સહુને આદર જાગે તથા સ્નેહપૂર્ણ વ્યક્તિત્વ પ્રત્યે સહુને વ્હાલ ઉભરાય. સાયેલા આશ્રમમાં રહી ગ્રંથલેખનનું ભગીરથ કાર્ય તેઓએ જે સહજતાથી પૂર્ણ કર્યું તેનો વિશેષ આનંદ છે. આવા જૈન સમાજના ગૌરવ સમા, પરમ આદરણીય ડૉ. રમણભાઈ ચી. શાહે અત્યંત અધિકૃત રીતે સરળ ભાષામાં આ ગ્રંથનો અનુવાદ તથા વિશેષાર્થ ભરી આપ્યો છે. પૂર્વ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા ધનને આત્માર્થે સદુપયોગ કરી આ ગ્રંથને પ્રકાશિત કરવામાં આર્થિક સહાય આપનાર સતુધર્મપ્રેમી લંડન નિવાસી શ્રીમતી મંગળાબેન અને અભયભાઈ મહેતાની તથા તેમના પરિવારની ધર્મભાવના વિશેષ વિશેષ વૃદ્ધિ પામે તથા દરેકને સન્માર્ગ પ્રત્યે પ્રેરે. આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં સત્યનિષ્ઠા તથા ધર્મભાવનાથી પ્રયત્ન કરનાર સર્વેનું ઋણ સ્વીકારી તેઓને ધન્યવાદ આપી આભાર માનીએ છીએ. આ શાસ્ત્રગ્રંથના નિદિધ્યાસનથી આત્મહિતેચ્છુ વિચારશીલ વાચકવૃંદમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય, તેઓમાં માધ્યસ્થતા તથા ધીરજ કેળવાય, આત્મવિચારણામાં પોષણ મળે અને સહેજે આત્મલાભ પામે એ જ શુભ ભાવના. પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજસાહેબના શ્રત કેવલ્ય અને અનુભવજ્ઞાનનું ખાસ કરીને અધ્યાત્મ સાધકો પર જે અમૂલ્ય ઋણ છે તેને માટે અમો તેઓશ્રીના પાદપંકજમાં અનન્ય આત્મભાવે વંદન કરીએ છીએ. ફરી ફરી આવાં સત્કાર્યયોગપ્રાપ્તિની ભાવના સાથે વિરમીએ છીએ. સદ્ગુરુદેવશ્રી પ.પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૬ ૧, તા.૧૨મી માર્ચ, ૨૦૦૫ પ્રકાશન સમિતિ વતી, સંતચરણસેવક શ્રી વી. કે. શાહ (ટ્રસ્ટી) શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિનું નિવેદન પરમાર્થ લક્ષે થતાં સ્વપરહિતકારી કાર્યો જ્યારે ધર્મ પુરુષાર્થ કરનારા આત્માઓની અધ્યાત્મ ભાવનાઓને ઉન્નત કરવા સફળ બને છે ત્યારે અંતરમાં આફ્લાદક પરિતોષપણું વેદાય છે. મહોપાધ્યાય પ.પૂ.શ્રી યશોવિજયજી રચિત "જ્ઞાનસાર"ને પ્રકાશિત થયે ૧ વર્ષ પણ હજુ પૂરું થયું નથી ત્યાં આ બીજી આવૃત્તિ છાપવાની જરૂર પડી તે જ તેની માંગણી અને ઉપયોગિતા દર્શાવે છે. ધીર, ગંભીર, સચ્ચિદાનંદમાં સ્થિર થયેલા આત્મજ્ઞાની મહાત્માઓ સ્વયં સહુશ્રુતના મહાસાગર હોય છે. આવા જ્ઞાની પુરુષના અંતરમાં રહેલા ચૈતન્યના મહાસાગરમાં જ્યારે કરુણાનો હિલોળો આવે ત્યારે એક જ્ઞાનનું મોટું મોજું ઉભરાય અને સશાસ્ત્ર સ્વરૂપે તે ઠલવાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ચૈતન્યમાંથી ઉભરાયેલું તે જ્ઞાનનું મોજું જ્ઞાનસારના ૩ર અષ્ટકમાં સમાઈ ગયું, કે જે મહા પુણ્યોદયે આપણા કરકમળમાં પ્રત્યક્ષ છે. જ્ઞાનસારની બીજી આવૃત્તિના પ્રકાશન વેળાએ તેનો વિશેષાર્થ ભરી આપનાર પરમ આદરણીય કૃતોપાસક સ્વ. ડૉ. રમણભાઈ શાહની ગેરહાજરી ખૂબ સાલે છે. જો કે જેમ જેમ આ ગ્રંથનું એકાગ્રતાપૂર્વક વાંચન કરીએ, તેમ તેમ બધા જ અર્થ અને આશયને આવરી લેતી તેઓની સરળ ભાષા વડે તેઓ કેમ જાણે રૂબરૂ બોલતા હોય એવું વદન થાય છે. પૂર્વ પુણ્યયોગે ધન પ્રાપ્ત કરવું એના કરતાં એનો આત્માર્થે ઉપયોગ કરી જાણવો વિશેષ દુષ્કર છે. લંડનનિવાસી શ્રી અભયભાઈ તથા મંગળાબેન મહેતાએ પહેલી આવૃત્તિ તથા બીજી બંને આવૃત્તિનો આર્થિક ભાર ઉપાડી તેમાં રહેલ સન્માર્ગ પ્રભાવના તથા સદ્ભુત ભક્તિભાવનો પરિચય આપ્યો છે. સંસ્કૃતનાં પ્રોફેસર બોટાદનિવાસી આત્માર્થી ચંદ્રિકાબેન પંચાલીએ પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી ભૂલોને સુધારી આપવાનો પરિશ્રમ લીધો તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં સત્યનિષ્ઠા તથા ધર્મભાવનાથી પ્રયત્ન કરનાર સર્વેનું ઋણ સ્વીકારી તેઓને ધન્યવાદ આપી આભાર માનીએ છીએ. સત્યાર્થ માર્ગનો પ્રભાવ પ્રગટ કરતા ભવ્ય જીવોના હૃદયમાં ધર્મનો મહિમા સ્થાપિત કરતો આત્માને ઉજવાળનારા આ ધર્મગ્રંથનું સદ્ગુરુની આજ્ઞાએ વાંચન, મનન, ચિંતન અને નિદિધ્યાસન કરી સાધક મુમુક્ષુ આત્માઓનો અધ્યાત્મભાવ પુષ્ટ થાય અને આત્મહિત સધાય એવી મંગળ ભાવના. પ્રકાશન સમિતિ વતી, તા. ૨૪-૧૧-૨૦૦૬ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, પૂ.ભાઈશ્રીનો જન્મદિવસ સાયલા 7 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.” તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા :'संबुज्झहा जंतवो माणुसत्तं, दळु भयं बालिसेणं अलंभो, एगंतदुक्खे जरिए व लोए, सक्कमणा विप्परियासुवेइ.' હે જીવો ! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ’ પોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (સૂયગડાંગ – અધ્યયન) * * * હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર અધ્યયન – શ્રી ભગવતીસૂત્ર) * * * ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ // જ છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય : શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અમર્પણ ભારતની પુણ્યભૂમિ ધન્ય છે કે તે પ્રેમસ્વરૂપ પ્રભાવિક આત્મજ્ઞ પુરુષોને જન્મ આપી ધર્મદીપની જ્યોત પ્રકાશમય રાખ્યા કરે છે. સદગુરુદેવશ્રી પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) આવા અલૌકિક મહાપુરુષ હતા. ૫.પૂ. બાપુજીએ વીતરાગ પ્રભુની પ્રશમરસનિમગ્ન પરમશાંત મુદ્રાનો લક્ષ કરાવ્યો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગને ઓળખવા માટે પ. પૂ. બાપુજીએ શ્રી સોભાગભાઈની દૃષ્ટિ પ્રદાન કરી તેમજ શ્રીમદ્જીના હૃદયમાં બિરાજેલા શ્રી સોભાગભાઈની આંતરિક દશા, નિશ્ચળ મુમુક્ષતા, સરળતા તથા પરમાર્થ પ્રત્યેના અખંડ નિશ્ચયનો સમ્યપરિચય આપ્યો. પ. પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષે તેઓશ્રીને, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથ “જ્ઞાનસાર’ સમર્પિત કરતાં અમસો મુમુક્ષુજનો અપાર હર્ષ તથા દિવ્યાનંદ અનુભવીએ છીએ. આ ઉત્તમ અધ્યાત્મગ્રંથના વાંચન થકી સાધકવર્ગના આત્મામાં ઉભરાતા સમકુભાવો વડે પ. પૂ. બાપુજીની પૂજા કરવાનો જે લાભ મળ્યો તે અમારું સૌભાગ્ય છે. પ્રેમસ્વરૂપ બાપુજીએ પ્રથમ મુમુક્ષુઓમાં સત્યધર્મનું બીજ વાવ્યું, વૈરાગ્યના જળ તથા યથાર્થબોધનાં કિરણો વડે તેનું સિંચન કર્યું. શુદ્ધ નિષ્કામ પ્રેમના સહારે તથા ભેદજ્ઞાનની યુક્તિ દ્વારા અનેક મુમુક્ષુ સાધકોના અંતચક્ષુને ખોલી આપ્યાં. પ. પૂ. બાપુજીની સર્વોત્તમ પ્રજ્ઞાએ અનેક શાસ્ત્રોનાં રહસ્યોને પ્રગટ કર્યા. વર્ષો સુધી શ્રી રાજસોભાગ આશ્રમના સ્વાધ્યાય ક્રમમાં પ. પૂ. બાપુજીએ આત્મઅનુભવના ઓજસ વડે ‘જ્ઞાનસાર’ તથા ‘અધ્યાત્મસાર’ આ બન્ને ગ્રંથોનું સ્વમુખે વાંચન કર્યું. ‘અધ્યાત્મસાર’ ગ્રંથમાંથી જ્યારે “મમતાત્યાગ’ અધિકાર પ. પૂ. બાપુજી સમજાવતા ત્યારે અચૂક મહોપાધ્યાય યશોવિજયજીકત ‘જ્ઞાનસાર’નાં ‘મોહત્યાગ અષ્ટક'ના પ્રથમ શ્લોકનો ઉલ્લેખ કરી કહેતા, ‘મોહરાજાના બે સેનાધિપતિઓ છે. તે સેનાધિપતિના નામ છે : “અહં” અને “મ”. અહં એટલે હું અને મમ્ એટલે મારું, બોલો જોઈએ, આપણામાં હું અને મારું છે ? આ ‘અહં’ અને ‘મમ્’ હોય ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં અને મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી ધર્મને નામે આખો હિમાલય ખોદી નાખીએ એટલી મહેનત કરીએ, અગર તો વૃક્ષ ઉપર ઊંધે માથે ટીંગાઈને આપણું શરીર ગાળી નાખીએ, તો પણ જન્મ-મરણના ફેરા મટે નહીં. એમ ‘જ્ઞાનસાર’ના આ અષ્ટકમાં કહ્યું છે.' ઉચ્ચકોટિના આ અધ્યાત્મગ્રંથનું ફરી ફરી વાંચન, મનન, ચિંતન તથા નિદિધ્યાસન કરવાથી મોક્ષમાર્ગ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની યથાર્થ સમજણ પ. પૂ. બાપુજી દ્વારા પ્રાપ્ત થઈ છે જેથી આવા ઋણી મહાત્માનું ઋણ સ્વીકારી તેઓશ્રીના ચરણકમળમાં આ ગ્રંથ સમર્પિત કરીએ છીએ. 11 સપુરૂષોનું યોગબળ જાતનું કલ્યાણ કરો 11 Jain Education Interational For Personal & Private Use only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉર્ફે અર્પણ ) - 02 G ZCT સદગુરુદેવશ્રી પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) belionek For persoalan Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુમા (શ્રીમતિ ડૉ. સદગુણાબેન સી.યુ.શાહ) - Fer Personal Private Use Only w ainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ Georooroorooroonruonnorooroonroe concordo સ્વ. વ્રજકુંવરબહેન સુખલાલભાઈ મહેતા સ્વ. સુખલાલભાઈ કેશવજી મહેતા જન્મ : ૧૯૧૭ જન્મ : ૧૯૧૦ હરિપર (જામનગર) માળિયા (જામનગર) સ્વર્ગવાસ : ૨૦૦૪, લંડન સ્વર્ગવાસ : ૧૯૮૫, મુંબઈ | આપના પરિવારના સભ્યો શ્રી જયંતિલાલ સુ. મહેતા અને શ્રીમતી રંજનબહેન, શ્રી લાભચંદ્ર સુ. મહેતા અને શ્રીમતી કુમુદબહેન, શ્રી અભયભાઈ સુ. મહેતા અને શ્રીમતી મંગળાબહેન તથા બહેન શ્રી ચંદનબહેન અને શ્રી રમેશચંદ્ર તરફથી c વાત્સલ્યસભર, ધર્મપરાયણ અને સેવાભાવી માતાપિતાએ આપેલા સંસ્કારવારસા બદલ આપને કૃતજ્ઞતાપૂર્વક નતમસ્તકે વંદન ! on For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રામજીભાઈ ધરમશી શાહ જન્મ : ઈ. સ. ૧૯૦૦ દુનિયા (જામનગર) સ્વર્ગવાસ : ૧૦-૮-૧૯૬૪ નૈરોબી સ્વ. લક્ષ્મીબહેન રામજીભાઈ શાહ જન્મ : ઈ. સ. ૧૯૦૨ દુનિયા (જામનગર) સ્વર્ગવાસ : ૨૧-૧૧-૧૯૮૯ નૈરોબી વાત્સલ્યસભર, ધર્મપરાયણ અને સેવાભાવી માતાપિતા આપે આપેલા ઉચ્ચ ધર્મસંસ્કાર બદલ આપને કૃતજ્ઞતાપૂર્વક નતમસ્તકે વંદન શ્રીમતી મંગળાબહેન અભયભાઈ મહેતા શ્રીમતી સુધાબહેન વિનુભાઈ શાહ શ્રીમતી મીનાબહેન નટવરલાલ ગુડકા Page #16 -------------------------------------------------------------------------- ________________ જ ૬૬ કે દકિકક ક૬૬૬૪ જકકકક ૬૬ ૩ થી સદ્ભત ઉઠસક ડૉ. રમણભ૮ઈ . ૮૮૭ કે “ “ “ “ “ “ MOROXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOGO જ = = = = પર છે સ્વતંત્રપણે સહજરૂપે શેયોને જાણવાની જે શક્તિ તે જ જ્ઞાન છે તે શક્તિ જ્યારે શાંત, ધીર, ગંભીર, સ્વસ્થ નિરપેક્ષપણે મહાપુરુષોએ રચેલા સંતશાસ્ત્રોનું તલસ્પર્શી અવલોકન કરે ત્યારે નિર્મળ મતિમાં દિવ્ય તત્ત્વની સત્યતા પ્રગટ થાય. પરમ આદરણીય ડૉ. રમણભાઈની નિર્મળ પ્રજ્ઞાએ આવો સાત્ત્વિક ઉદ્યમ અનેકવાર કર્યો અને તેની સમ્રભાવનાનો સુઅવસર શ્રી રાજ-સોભાગ આશ્રમને પ્રાપ્ત થયો તે પરસ્પરનો પુણ્યાનુબંધ પુણ્યોદય છે. શ્રુતોપાસક ડૉ. રમણભાઈ મુંબઈની સુપ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તથા એન.સી.સી.ના ઑફિસર રહીને, પછી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ બનનાર ડૉ. રમણભાઈ ચી. શાહ એક ઉત્તમ અધ્યાપક હોવા ઉપરાંત વિદ્વાન વિવેચક, સંશોધક, સંપાદક તથા પી.એચ. ડી.ના માર્ગદર્શક પણ હતા. તેમના હાથ નીચે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ પ્રાપ્ત થઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તથા ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે દાયકાઓ સુધી સેવા આપનાર રમણભાઈએ સંઘ દ્વારા પ્રાયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન સંભાળી જૈન સાહિત્ય સમારોહમાં સક્રિય રહી લોકોને જૈન ધર્મ-તત્ત્વ-સાહિત્ય પ્રતિ અભિમુખ કર્યા. અધ્યયન, અધ્યાપન તથા જ્ઞાન તેમજ સેવામૂલક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને પણ તેમણે વિશ્વભરના દેશોના પ્રવાસ ખેડ્યા, જેના અનુભવને તેમણે અનેક ગ્રંથોમાં શબ્દસ્થ કર્યા. તેમના એકસોથી પણ અધિક પુસ્તકોમાં તેમની બહુશ્રુત-બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. તત્ત્વસમજણની સૌરભમાં શ્રુતોપાસક ડૉ. રમણભાઈનો આત્મા સમાધિષ્ઠ ભાવે સ્થિર થઈ સમાઈ જાય એજ શુભ ભાવના સાથેની શ્રદ્ધાંજલિ. Jain Education Intematonal For Personal & Private use only Page #17 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ન્યાયáિારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ Jan Education international For pero vales Only W inelancong Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી I ડૉ. રમણલાલ ચી. શાહ વિક્રમના સત્તરમાં શતકના અંતમાં અને અઢારમા શતકમાં ગુજરાતમાં મુસલમાનોનું રાજ્ય હતું. અકબર–પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિનો ગુજરાતના જીવન ઉપર અને વિશેષતઃ જેનો ઉપર ત્યારે ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પછી જેને સાધુ ભગવંતોને હાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો સતત ચાલ્યા કરતી હતી, પરંતુ પાંચેક સૈકા સુધી એવી કોઈ અદ્વિતીય પ્રતિભા ગુજરાતને જોવા નહોતી મળી કે જે શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે. પરંતુ શ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં, એમના શિષ્યો-પ્રશિષ્યોમાંથી સાહિત્યના ક્ષેત્રે એક એવા જ્યોતિર્ધરનો ઉદય થયો કે જેમણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એવું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. એ મહાન જ્યોતિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. ‘લઘુ હરિભદ્રસૂરિ', “દ્વિતીય હેમચંદ્રારાચાર્ય', “સ્મારિત શ્રુતકેવલી', “કુર્ચાલી શારદ', “મહાન તાર્કિક', “વાચકવર્ય”, “ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમી-અઢારમા શતકની અને સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અભુત પ્રભુત્વ ધરાવતી એક મહાન ભારતીય વિભૂતિ છે. એમના કાળધર્મને ત્રણસો વર્ષ થયાં, પરંતુ ત્યારથી તે વર્તમાન સમય સુધી બીજા કોઈ કવિ-લેખકે એમના જેવું સામર્થ્ય દાખવ્યું નથી. શ્રી યશોવિજયજીનું જીવન અને સાહિત્ય અનેકને માટે અત્યંત પ્રેરક અને માર્ગદર્શક રહ્યું છે. એમના ઉપલબ્ધ સાહિત્યનું જેમ જેમ ઊંડું અધ્યયન 17 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્વત્પ્રતિભા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે. સુજસવેલી ભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ. સં. ૧૯૫૭ની આસપાસ પાટણમાં પ. પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન-વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન કવિ મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી ‘સુજસવેલી ભાસ' નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત “સુજસવેલી ભાસ' નામની રચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે. | વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્યિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના “કણસાગર' નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જસવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નવિજયજી તે સમયે ગણિ 18 For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી યશોવિજયજીનો પણ તેમાં “ગણિ” તરીકે ઉલ્લેખ છે. હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજી ગણિ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી ઓછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષે પણ ગણિપદ અપાય છે.) તે મુજબ સં. ૧૬૬૩માં જ જો શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬૫૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની શકાય. જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪૫ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઇએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪૫ થી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માનવું રહ્યું. બીજી બાજુ “સુજસવેલી ભાસ'માં લખ્યું છેઃ સંવત સોલ અદ્યાસિયેંજી, રહી કુણગિરિ ચોમાસી; શ્રી નવિજય પંડિતવરુજી, આવ્યા કહોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે: વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સોલ અડ્યાસિયેજી, કરતાં યોગ અભ્યાસ. આમ “સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નયવિજયજી કન્ઝોડુ પધારે છે. એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે દીક્ષા અને વડી દીક્ષા એક જ વમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી દીક્ષા સમયે એમની ઉંમર નાની હતી. એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળોજી નામે કુંવર જસવંત એ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ; જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. તેમનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. જો 19 For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હશે એમ માનવું પડે. આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ અને સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નવિજયજીના હાથે તેયાર થયેલી મૂળ વસ્તુ જ આપણને મળે છે. (એ કાળે શ્રી નવિજયજી અને શ્રી જશવિજયજી એ બીજા કોઈ ગુરુ-શિષ્ય હોય એવી કોઈ જાણકારી મળે તો વધુ પ્રકાશ પડે.) “સુજસવેલી ભાસ'ની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે દીક્ષા ની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી ‘સુજસવેલી ભાસ'ના રચયિતા શ્રી યશોવિજયજીના સમકાલીન હતા અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જ્યારે શ્રી નયવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું આયુષ્ય કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા, બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતારસથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા “સુજસવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગર (કુમારગિરિ)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કનોડું (કનોડા) ગામમાં પધાર્યા. 20 For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષના ચરણોમાં વંદન કર્યું. સદ્ગુરુના ધર્મોપદેશથી જશવંતકુમારને વૈરાગ્યનો ભાવ થયો. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જશવિજય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું. વળી, સોભાગદેના બીજા પુત્ર (મોટા પુત્ર) પાસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. સુજસવેલી ભાસ'માં લખ્યું છેઃ “અણહિલપુર પાટણ જઈજી, ભૂઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. પદમસિંહ બીજો વલીજી, તસ બાંધવ ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયોજી, તે પણ થયો વ્રતવંત, વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; બહું તે સોલ અઠિયાસિયૅજી કરતાં યોગ અભ્યાસ.” અહીં ભાસકારે યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુના સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કનોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કનોડુંમાં રહેતા હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કોઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું છે. બાળપણ વિશે દંતકથા શ્રી યશોવિજયજી મહારાજના બાળપણ વિશે આપણને વિશેષ કાંઈ માહિતી 21 For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મળતી નથી. એમના બાળપણના દિવસો વિષે માત્ર એક દંતકથા નોંધાયેલી મળે છે. એ દંતકથા પ્રમાણે એમની માતા સોભાગ્યદેવીએ એવો નિયમ લીધો હતો કે રોજ સવારે ‘ભક્તામર સ્તોત્ર સાંભળ્યા પછી જ ભોજન કરવું. પોતાને એ સંસ્કૃત સ્તોત્ર આવડતું નહિ, એટલે બીજા પાસેથી તેઓ સાંભળતા. ચાતુર્માસમાં તેઓ રોજ ઉપાશ્રયમાં જઈ ગુરુમહારાજ પાસે આખું “ભક્તામર સ્તોત્ર' સાંભળતાં. તેઓ પોતાની સાથે નાના બાળક જશવંતને પણ ઉપાશ્રયે લઈ જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષા ચાલ્યા કરી. રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં, તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ “ભક્તામર સ્તોત્ર' સાંભળી શક્યા નહિ. એવી રીતે એક દિવસ નહિ પણ ત્રણ ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો. એથી સૌભાગ્યદેવીને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે સવારે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે કશું ખાધુ નહિ ત્યારે બાળક જશવંતે કુતૂહલવશ સહજ એનું કારણ પૂછ્યું. માતાએ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ ભોજન લેવાના પોતાના નિયમની વાત કરી. એ વખતે જશવંતે માતાને કહ્યું કે પોતાને “ભક્તામર સ્તોત્ર' આવડે છે, એ જાણી માતાને આશ્ચર્ય થયું. બાળક જશવંતે જરા પણ ભૂલ વગર માતાને ‘ભક્તામર સ્તોત્ર' સંભળાવ્યું. એથી માતા સૌભાગ્યદેવીને અપાર હર્ષ થયો. એમણે અઠ્ઠમનું પારણું કર્યું. બાળક જશવંત રોજ માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને “ભક્તામર સ્તોત્ર' સાંભળતો તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદ્ભુત સ્મરણશક્તિની વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમણે પણ બાળક જશવંતની શક્તિ અને તેજસ્વિતા માટે પોતાનો આનંદ દર્શાવ્યો. વિદ્યાભ્યાસ માટે કાશીમાં દીક્ષા લીધા પછી પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી ગણિ પાસે મુનિશ્રી યશોવિજયજીએ અગિયાર વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, વ્યાકરણ, છંદ, અલંકાર તથા કોષની અને કર્મગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રગ્રંથોનો સતત અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ-પ્રતિભા તેજસ્વી હતી જ અને તેમની સ્મૃતિશક્તિ પણ એટલી 22 For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જ બળવાન હતી. વિ. સં. ૧૬૯૯માં પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી સાથે મુનિ શ્રી યશોવિજયજી રાજનગર-અમદાવાદ નગરમાં પધાર્યા હતા. ત્યાં આવીને તેમણે અમદાવાદના સંઘ સમક્ષ, ગુરુ મહારાજની હાજરીમાં, આઠ મોટાં અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. આ અવધાનમાં આઠ સભાજનોની દરેકે કહેલી કે બતાવેલી આઠ આઠ વસ્તુઓ યાદ રાખી લઈને પછી અનુક્રમે એ ૬૪ વસ્તુઓ કહી બતાવવાની હોય છે. એમના આ અદ્ભુત પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા ચોતરફ થવા લાગી. એમાંના ધનજી સૂરા નામના એક શ્રેષ્ઠીને શ્રીયશોવિજયજીની આવી આશ્ચર્યજનક અભુત સ્મરણશક્તિ પ્રત્યે અહોભાવ થયો. તેમણે ગુરુમહારાજશ્રી નયવિજયજીને વિનંતી કરતાં કહ્યું, “ગુરુદેવ ! શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તેઓ બીજા હેમચંદ્રાચાર્ય થાય. જો કાશી જઈ છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉજ્જવળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “ભાઈ ! કાશી જઈ અભ્યાસ કરવાની વાત ઘણી સારી છે અને અમારી પણ એવી ભાવના છે, પરંતુ તે માટે ધનની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર કોઈને ભણાવતા નથી.” ધનજી સૂરાએ તરત ઉત્સાહપૂર્વક કહ્યું, “ગુરુમહારાજ ! એ માટે આપ ચિંતા ન કરશો. વિદ્યાભ્યાસ માટે ચાંદીના બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય સત્કાર કરીશ.” “સુજસવેલી ભાસ'માં લખ્યું છે : ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ. આણી મન દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ. આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં અને વ્યવસ્થા | થતાં ગુરુમહારાજ શ્રી નવિજયજીએ પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી 23 - For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તથા શ્રી વિનયવિજયજી વગેરે અન્ય સાધુઓ સહિત કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે હુંડી લખી આપી, જે કાશી મોકલવામાં આવી. શ્રી નયવિજયજી પોતાના મુનિવૃન્દ સાથે વિહાર કરીને ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા. ગંગાતટે સરસ્વતીદેવીની આરાધના પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રી યશોવિજયજીએ પણ તપ-જપના અનુષ્ઠાન સહિત માતા શારદાદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું હતું. કાશી તરફ એમણે પોતાના ગુરુમહારાજ સાથે જ્યારે વિહાર કર્યો ત્યારે ઉત્તરપ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. શ્રુતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો જે નમ: I ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબૂસ્વામી રાસ'માં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક-કાવ્યનો તઈં તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ-શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નયવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી-કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વપ્ન પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે ષદર્શનના સર્વોચ્ચ પંડિત અને નન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો 24 For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં. પરંતુ શ્રી યશોવિજયજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો. ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો. પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નવ્ય ન્યાયના કઠિન વિષયના તત્ત્વચિંતામણિ” નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ ઘણી સારી રીતે કરી લીધો હતો. એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશ્મીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા. તેઓ ભારતના વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશ્મીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું. તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય, કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મૃતિ, તર્કશક્તિ, વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મુંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયને આશીર્વાદ આપ્યા. કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશ્મીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ?' આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.' સભા શરૂ થતાં પંડિતે પોતાનો 25 For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પક્ષ બુલંદ વાણીથી રજૂ કર્યો. સભામાં બેઠેલા સો પંડિતો, નિર્ણાયકો, શ્રોતાઓ એથી અંજાઈ ગયા. હવે શ્રી યશોવિજયજી એનો પ્રતિવાદ કેવો કરે છે તે જોવા-સાંભળવા માટે સો અધીરા બની ગયા. શ્રી યશોવિજયજીએ એટલી જ સ્વસ્થતાથી અને પૂરી મક્કમતાથી એટલા જ બુલંદ અવાજ સાથે વાદીને સણસણતો જવાબ આપ્યો. પંડિતને લાગ્યું કે ધાર્યું હતું તેના કરતાં આ તો બહુ ચતુર અને તેજસ્વી યુવાન નીકળ્યો. વાદવિવાદ બરાબર જામ્યો. પંડિત હવે ગભરાવા લાગ્યો. પછી શ્રી યશોવિજયજીના એક પછી એક એવા પ્રશ્નો આવતા ગયા કે વાદી પંડિત તેનો જવાબ ન આપી શક્યો. છેવટે એણે પરાજય સ્વીકાર્યો અને તરત કાશી છોડી નાસી ગયો. આમ શ્રી યશોવિજયજીએ વાદમાં વિજય મેળવીને કાશીના પંડિતોનું, કાશી નગરીનું અને પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્યનું માન બચાવી લીધું. આથી કાશીના બધા હિન્દુ પંડિતોએ ભેગા મળીને, શ્રી યશોવિજયજીના સત્કારપૂર્વક, નગરમાં વિજયની શોભાયાત્રા કાઢી અને આ વાદવિજયનો પ્રસંગ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઊજવ્યો. એ પ્રસંગે બધા હિન્દુ પંડિતોએ સર્વાનુમતે ઉલ્લાસપૂર્વક શ્રી યશોવિજયજીને “ન્યાયવિશારદ' અને “તાર્કિક શિરોમણિ' એવાં બિરુદો આપ્યાં. એથી શ્રી યશોવિજયજીની વાદી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ. કાશીમાં અભ્યાસ પૂરો કરી શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. ત્યાં તેમણે ચાર વર્ષ રહીને એક ન્યાયાચાર્ય પાસે તર્કસિદ્ધાન્ત વગેરેનો વિશેષ અભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા. શ્રી યશોવિજયજી ઉત્તર પ્રદેશમાં જ્યારે આગ્રા પધાર્યા ત્યારે આગ્રામાં અને ત્યાર પછી કેટલેક સ્થળે યોજાયેલી વાદસભાઓમાં તેમણે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો એવો ઉલ્લેખ “સુજસવેલી ભાસ'માં થયો છે. એક દંતકથા પ્રમાણે આગ્રામાં દિગમ્બર નિશ્ચયનયવાદી કવિ બનારસીદાસ 26 For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજયજીએ ત્યારપછી એ વિવાદને અનુસરીને અધ્યાત્મમત ખંડન અથવા “અધ્યાત્મમત પરીક્ષા' નામનો ગ્રંથ લખ્યો હતો એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગુર્જર સાહિત્ય-રચના વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિઠ્ઠલ્મોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સક્ઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું, “મને કોઈ સક્ઝાય કંઠસ્થ નથી.” એ સાંnળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, “ત્યારે શું ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું ?' શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા, માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે. તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમક્તિના ૬૭ બોલની સક્ઝાયની રચના કરી અને તે માટે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સક્ઝાય બોલવી તેમણે શરૂ કરી. સક્ઝાય ઘણી લાંબી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, “હવે કેટલી બાકી રહી ?' એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે 27 For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજીએ કહ્યું, “ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?' શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ આગ્રાથી વિહાર કરી શ્રી નયવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર (અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ કર્યો. એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર (અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સુબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જેન શ્રેષ્ઠીઓ તેના સંપર્કમાં હતા. એક વખત મહોબતખાનની રાજસભામાં શ્રી યશોવિજયજીના અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદ્ભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિ મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ, તેણે ધનજી સૂરા વગેરે જૈન સંઘના અગ્રણીઓને વાત કરી અને તેમના દ્વારા શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી. ગુરુમહારાજ શ્રી નવિજયજીની આજ્ઞા મળતાં શ્રી યશોવિજયજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો. એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિ મહારાજ માટે બેસવાની અલગ અલગ યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ, અન્ય સાધુઓ તથા અગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં પધાર્યા. ત્યાં વિશાળ સભા સમક્ષ એમણે અઢાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. અઢાર અવધાનના આવા પ્રયોગમાં અઢાર જુદી જુદી વ્યક્તિઓ જે કહે તે પછીથી ક્રમાનુસાર કહેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારની ઘણી બાબતો આવે. 28 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ તરીકે વાક્યના આડાઅવળા શબ્દો કહ્યા હોય તે યાદ રાખી તે શબ્દો બરાબર ગોઠવીને વાક્ય કહેવાનું હોય છે; પાદપૂર્તિઓ કરી આપવાની હોય છે અને આપેલા વિષય ઉપર તરત જ સંસ્કૃતમાં શ્લોકરચના પણ કરી આપવાની હોય છે. એટલે આવા અવધાનના પ્રયોગો કરનાર પાસે માત્ર સ્મૃતિશક્તિ જ નહિ, કવિત્વશક્તિ હોવી પણ જરૂરી છે. શ્રી યશોવિજયજીએ એવી સજ્જતા મેળવી લીધી હતી. આવા અવધાનના પ્રયોગો સોની સંખ્યા કે હજારની સંખ્યા સુધી થયાના ઉલ્લેખો મળે છે. એ પ્રયોગો કરનાર શતાવધાની કે સહસ્ત્રાવધાની કહેવાય છે. પરંતુ વધુ સંખ્યા એટલે વધુ ચડિયાતા પ્રયોગો એવું હંમેશાં નથી હોતું. પ્રયોગો કેટલાં અઘરા છે, સમાંતર કેટલા વિષયો ચાલે છે અને એના ઉત્તરોનો ક્રમ કેવા પ્રકારનો છે એના ઉપર એ પ્રયોગની મૂલ્યવત્તાનો આધાર છે. શ્રી યશોવિજયજીએ પહેલા આઠ મહા અવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમાં ૬૪ વસ્તુઓ યાદ રાખવાની હતી. એટલે ત્યારપછી કરેલો આ અઢાર અવધાનનો પ્રયોગ સંભવ છે કે એથી પણ વધુ કઠિન હોય. કદાચ શતાવધાનના ચાલુ પ્રયોગો કરતાં પણ તે વધુ કઠિન હોય. શ્રી યશોવિજયજીની સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિદ્વતાથી મહોબતખાન બહુ જ પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. પોતાના રાજ્યમાં જૈન મહાજનમાં રત્ન જેવા મહાન તેજસ્વી વિદ્વાન મુનિઓ છે એની તેને ખાતરી થઈ. ઉપાધ્યાયની ખાતરી કાશી અને આગ્રામાં કરેલા વિદ્યાભ્યાસથી, વાદમાં વિજય મેળવવાથી અને અઢાર અવધાનના પ્રયોગથી શ્રી યશોવિજયજીની ખ્યાતિ ચોમેર ઘણી વધી ગઈ હતી. તેમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર ખીલતી જતી હતી. એમનો શાસ્ત્રાભ્યાસ પણ વધતો જતો હતો. એમણે વીસ સ્થાનક તપની આરાધના પણ ચાલુ કરી હતી. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિને 29. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના શ્રેષ્ઠી ધનજી સૂરાએ અને શ્રી સંઘે વિનંતી કરી હતી કે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે. પરંતુ વિજયદેવસૂરિ થોડા સમયમાં કાળધર્મ પામ્યા અને ગચ્છનો ભાર શ્રી વિજયપ્રભસૂરિને માથે આવ્યો હતો. ત્યાર પછી સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં લઈ તથા શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જોઈ વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું જાહેર કર્યું. તે પ્રમાણે વિ. સં. ૧૭૧૮માં શ્રી યશોવિજયજીને મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ દિવસોમાં આચાર્યની પદવી ઘણુંખરું ગચ્છાધિપતિની રહેતી. બીજાઓને વલ્લેજ અપાતી. ઉપાધ્યાયની પદવી અપાય તે પણ ઘણી મોટી વાત હતી. પરંતુ આચાર્યના પદને પાત્ર, ભાવાચાર્ય એવા શ્રી યશોવિજયજીએ પોતાને મળેલી ઉપાધ્યાયની પદવીને એવી દીપાવી કે ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ એવી લોકોક્તિ થઈ ગઈ. ત્યારથી વર્તમાન સમય સુધી “ઉપાધ્યાય' શબ્દ એમને માટે માત્ર પદવીરૂપ ન રહેતાં નામના પર્યાયરૂપ બની ગયો છે. આજે પણ “ઉપાધ્યાયજી મહારાજ' એમ કહીએ તો તે શ્રી યશોવિજયજીને માટે જ છે એમ પ્રચલિત બની ગયું છે. ખંભાતમાં પંડિતોનો પરાજય એક દંતકથા પ્રમાણે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી અપાઈ તે પછી તેઓ પોતાના ગુરુમહારાજ અને શિષ્યો સાથે ખંભાત પધાર્યા હતા. એ વખતે ખંભાતમાં કેટલાક હિન્દુ પંડિતોનું જોર બહુ હતું. ખંભાત આવીને થોડો વખત શ્રી યશોવિજયજી પોતાના લેખનમાં અને સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા હતા. એટલે વ્યાખ્યાન આપવાનું કામ બીજા એક યુવાન સાધુમહારાજને સોંપવામાં આવ્યું હતું. પેલા પંડિતો વ્યાખ્યાનમાં આવી વચ્ચે વચ્ચે ભાષા, વ્યાકરણ, સિદ્ધાંત વગેરે વિશે વિવાદ ઊભો કરી જોરશોરથી સાધુમહારાજને પ્રશ્નો કરતા અને વ્યાખ્યાનને ડહોળી નાખતા. આ વાત ઉપાધ્યાય મહારાજ પાસે આવી. એટલે બીજે દિવસે શ્રી યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘના એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહીસિંદુર તૈયાર કરીને મંગાવ્યું 30 For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું. એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એક શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા ૫. ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઇપણ વ્યક્તિ બોલતી વખતે ઓસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.' શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ; ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ.” શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઇશે. તમે બધા એમાંથી મુક્ત છો.' એ સાંભળી પંડિતોએ પોતાને માટે નિરાંત અનુભવી, પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે તેઓ શંકાશીલ હતા. ત્યારપછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા. પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અખ્ખલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ ગયા. (31 For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાર્થ કરવામાં પણ તેઓ બહુ ફાવી શક્યા નહિ. તેઓએ પોતાની હાર કબૂલ કરી. શ્રી યશોવિજયજીએ તેમને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મહાનુભાવો ! હજુ પણ તમને જ્યારે પણ જેને દર્શન, બૌદ્ધ દર્શન કે હિંદુ પડ્રદર્શન વિશે કંઈ પણ પ્રશ્ન થાય તો જરૂર મારી પાસે આવજો. પરંતુ આ જુવાન નાના સાધુને વ્યાખ્યાનમાં સતાવવાનો પ્રયત્ન મહેરબાની કરીને કરશો નહિ.” ત્યાર પછી બધા પંડિતો પોતાની મર્યાદા સમજી ગયા અને સાનુકૂળ બની ગયા. શ્રી યશોવિજયજીની બહુશ્રુત તેજસ્વી પ્રતિભાનો એ પ્રતાપ હતો. શ્રી વિજયસિંહસૂરીશ્વરજીનો ઉપકાર બાળવયે દીક્ષા ગ્રહણ કરનાર તેજસ્વી બાળમુનિના સાહિત્ય સહિતના આધ્યાત્મિક જીવનઘડતરમાં શિષ્યવત્સલ વડીલ આચાર્યો અને અન્ય સાધુભગવંતોનો ઘણો મોટો ફાળો હોય છે. શ્રી યશોવિજયજીએ કિશોર અને યુવાનવયે ઘણી મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. તેમાં તેમના ગુરુ શ્રી નવિજયજી તથા જિતવિજયજી ઉપરાંત શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ (કાળધર્મ સં. ૧૭૦૯-અમદાવાદ)નો પણ ઘણો મોટો ઉપકાર હતો. વિદ્વાન કવિ શ્રી યશોવિજયજીને વિદ્વતાનો અહંકાર ન આવી જાય અને મેળવેલા જ્ઞાનની પરિણતિ આત્મિક દૃષ્ટિએ થાય એ માટે હિતશિક્ષા આપીને યોગ્ય દિશામાં એમને વાળનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ હતા. શ્રી યશોવિજયજી સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં અંતે લખે છેઃ તસ પાટે વિજયદેવસૂરિ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટળી કુમતિ ચોરી. પોતાના ઉપર આવો આધ્યાત્મિક અનુગ્રહ કરનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના જીવન અને કાર્ય વિશે શ્રી યશોવિજયજીએ સંસ્કૃતમાં “વિજયોલ્લાસ' નામના મહાકાવ્યની રચના શરૂ કરી હતી, પણ તે બીજા સર્ગથી અધૂરી રહી હતી. 32 For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનો શાસ્ત્રરસ સંવત ૧૭૨૨નું ચાતુર્માસ ઉપાધ્યાયજી મહારાજે સુરતમાં કર્યું હતું. એ ચાતુર્માસ દરમિયાન એમણે બે મહત્ત્વની સઝાયની રચના કરી છે : (૧) પ્રતિક્રમણ હતુગર્ભિત સક્ઝાય અને (૨) અગિયાર અંગની સઝાય. સુરતમાં એ રીતે એમને અને અધ્યાત્મરસિક શ્રાવકોને સ્વાધ્યાયની સારી તક મળી હશે એમ લાગે છે. શ્રી યશોવિજયજીની કૃતિઓના અંતભાગમાં ગૃહસ્થોનાં નામોનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અગિયાર અંગની સઝાયમાં રૂપચંદભાઈ, માણિક શ્રાવિકા વગેરેએ “સાંભલ્યાં વિધિસ્ય અંગ ઇગ્યાર' એવો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી જણાય છે કે તે સમયે એમના જેવા શાસ્ત્રજ્ઞ પાસેથી અગિયાર અંગ સાંભળવાની પાત્રતા ધરાવનાર શાસ્ત્રરસિક ગૃહસ્થો સુરતમાં હશે ! ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગૃહસ્થ વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છેઃ એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્ય ન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.’ એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી. શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા. (33 For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદઘનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો ઘટના એતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ રચેલી “અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘જસવિજય કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', “જસ કહે સોહી આનંદઘન પાવત, અંતરજ્યોત જગાવે”, “આનંદ કી ગત આનંદઘન જાણે', “એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર', “સોહી આનંદઘન પિછાને', “એહી આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ' ઇત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી માટે કેટલો બધો આદર હતો તે દર્શાવે છે. આનંદઘનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છેઃ આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ, તબ આનંદસમ ભયો સુજસ; પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ.' ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુમડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને અધ્યાત્મવિદ્યામાં પણ ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ-મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતાં રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી 34 For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ એક વૃદ્ધ સાધુ પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું વ્યાખ્યાન સાંભળીને જ્યારે પોતાના ચહેરા પર સૌ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા, ત્યારે એ જીર્ણ વેશધારી વૃદ્ધ સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પાટ ઉપરથી પૂછયું, “અરે, સ્થવિર સાધુ ! તમને મારા વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહિ ?' પરંતુ તેમની સાથે થોડી વાતચીત કરતાં જ આ કોઈ બહુ જ્ઞાની અને અનુભવી સાધુ મહાત્મા છે એમ સમજાયું. અનુમાનથી શ્રી યશોવિજયજીને ખબર પડી ગઈ કે તેઓ તો શ્રી આનંદઘનજી મહારાજ જ છે, એટલે ઉપાધ્યાયજી તરત પાટ ઉપરથી ઊતરી તેમની પાસે ગયા અને પોતે જે શ્લોકનું વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે શ્રી આનંદઘનજીને આગ્રહપૂર્વક વિનંતી કરી. શ્રી આનંદઘનજીએ એ એક શ્લોક પર એકધારું સરસ વ્યાખ્યાન આપ્યું. શ્રી યશોવિજયજી બહુશ્રુત પંડિત હતા, પરંતુ આનંદઘનજી તો આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર અવધૂત હતા. એમનું વ્યાખ્યાન સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા. શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નતા અનુભવી. આ પ્રસંગથી શ્રી આનંદઘનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો હતો. આ પછી દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા શ્રી યશોવિજયજીને થઈ હતી. બાવાઓને પૂછતાં પૂછતાં આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા. “મેરે નિરંજન યાર તું કેસે મિલેંગે' નામનું સ્વરચિત આધ્યાત્મિક પદ મધુર કંઠે ગાયા પછી ‘અગ્નિ સહ મેરી દેહી જલે” એ પદ ગાવું તેમણે શરૂ કર્યું હતું. એવામાં સામેથી શ્રી યશોવિજયજીને આવતા જોઈને તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. અને પોતાનું પદ પૂરું કરતાં ગાયું હતું આનંદઘન કહે “જસ” સુનો બાતાં; એહી મિલે તો મેરો ફેરો ટળે.' કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ 35 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ “અષ્ટપદી'ની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડીઃ મારગ ચલત ગાત, આનંદઘન પ્યારે ! રહત આનંદ ભરપૂર !' ‘સવિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર.” શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ જૈન સાહિત્યમાં લોકપ્રકાશ”, “શાંત સુધારસ', “પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉમરે મોટા હતા. તેઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી, થોડા સમયમાં તો રાસના બે ખંડ પૂરા થઈ ગયા. ત્રીજા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિશાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનના એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી 36. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજયજીને કહ્યું, “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.” એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ જ્યાંથી બાકી હતો ત્યાંથી શ્રીપાળ રાસ' પૂરો કર્યો. મધ્યકાલીન જૈન સાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમય વાણીમાં તેમાં કોઈ જૂદું જ રૂપ ધારણ કરે છે. આ “શ્રીપાળ રાસ” ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી છે. ગુરુ-શિષ્ય પરંપરા શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર–પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને શ્રી નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના મોટા ભાઈશ્રી પદ્મવિજયજીએ પણ શ્રી નવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજયગણિ અને શ્રી લક્ષ્મીવિજયગણિ હતા. શ્રી ગુણવિજયગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજયગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજયગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજયગણિ હતા. [37 For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી-(ડભોઈ)માં કર્યું હતું. હવે એમની કાયા ક્ષીણ થવા લાગી હતી. એમની લેખિની ચાલતી નહોતી. પરંતુ એમની ધર્મારાધના તો બરાબર ચાલતી હતી. એમને પોતાના અંતિમ કાળની ખબર પડી ગઈ હતી. એમણે અનશનવ્રત સ્વીકારી લીધું હતું. અંતિમ આરાધના સારી રીતે કરીને એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાતમાં અને ગુજરાત બહાર વેગથી પ્રસરી ગયા. એક મહાન વિભૂતિનો નશ્વર દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો, પરંતુ એમના નશ્વરદેહની જ્યોતિ એટલી જ પ્રકાશતી રહી છે. શ્રી યશોવિજયજીનો કાળધર્મ ડભોઈમાં થયો હતો તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના કાળધર્મનો નિશ્ચિત સમય આપણને જાણવા મળતો નથી. એમાં માસ અને તિથિ વિશે કશી જ માહિતી હાલ ઉપલબ્ધ નથી અને વર્ષની બાબતમાં મતભેદ માત્ર એક વર્ષ જેટલો જ અત્યારે તો છે. ઘણાં વર્ષ સુધી, સં. ૧૭૪૫ (શકે ૧૬ ૧૧)ના માગસર સુદ ૧૧, એ મૌન એકાદશીનો દિવસ શ્રી યશોવિજયજીની કાળધર્મની તિથિ છે એમ મનાતું હતું અને કેટલાંક પંચાંગોમાં એ પ્રમાણે એ તિથિ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં ભૂલ હતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે પરંતુ એ પાદુકામાં આપેલાં સાલ-તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મના નથી, પરંતુ પાદુકાની પ્રતિષ્ઠાનાં છે. ઘણા વર્ષો પૂર્વે પ્રાપ્ત થયેલ સુજસવેલી ભાસ'ની નીચેની કડીએ તે વિશે સ્પષ્ટ પ્રકાશ પાડ્યો છે : “સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે; તિહાં સુરપદવી અણસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે.” આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી કાળધર્મ પામ્યા. આમાં, અલબત્ત ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જેન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪ થી શરૂ થઈ કાર્તિક 38 For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧૪ના દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું વરસ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચાતુર્માસ દરમિયાન થયો કે ચાતુર્માસ પછી, અને ચાતુર્માસમાં હોય તો તે સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચના-સાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાતમાં “જંબુસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલ “પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની રચનાતાલ “યુગ યુગ મુનિ વિધુવત્સર’’ એ પ્રમાણે જણાવી છે. તેમાં “યુગ' એટલે ચાર-એમ જો લઈએ તો સં. ૧૭૪૪ થાય અને યુગ” એટલે બે એમ જો લઈએ તો સં. ૧૭૨૨ થાય. પરંતુ અહીં સંવત ૧૭૪૪ લેવી સુસંગત જણાતી નથી, કારણ કે સં. ૧૭૪૩નું ડભોઈનું ચાતુર્માસ એમનું છેલ્લું ચાતુર્માસ હતું, જ્યારે એ બે મોટી સક્ઝાયોની રચના સુરતમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી. એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો એમ માનવું વધુ યોગ્ય લેખાશે. ઉપાધ્યાયજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી એમના દેહને જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ સ્થળે સ્મારક તરીકે એક ઘૂંભનીતૂપની રચના કરવામાં આવી. એમાંથી “ન્યાય'નો દિવ્યધ્વનિ સતત નીકળ્યા કરતો હતો એમ “સુજસવેલી ભાસ'માં એના કર્તા શ્રી કાંતિવિજયજીએ લખ્યું છે. સ્વહસ્તે લખેલી પ્રતિઓ અને નયચક્ર મધ્યકાલીન સમયમાં મુદ્રણકળાની શોધ નહોતી થઈ ત્યારે, કાગળ ઉપર શાહીથી લખીને હસ્તપ્રત તૈયાર કરવાનું કામ ઘણું કઠિન ગણાતું હતું. સરસ, મરોડદાર, એકસરખા અક્ષરે હસ્તપ્રતો લહિયાઓ લખી આપતા. ગ્રંથરચના કર્યા પછી સારા 39 For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ લહિયા પાસે હસ્તપ્રત લખાવવાનો પ્રશ્ન ગંભીર હતો. અનેક કવિલેખકોમાંથી કોઈક જ પોતે સારા લહિયા હોય અને પોતાની કૃતિની હસ્તપ્રત પોતે તૈયાર કરી શકે એવા હોય. એમાં સમય પણ ઘણો જતો. એટલે નવી કૃતિની રચના કરવી કે પોતાની કૃતિની હસ્તપ્રત તૈયાર કરવામાં સમયનો વ્યય કરવો એવો પ્રશ્ન રહેતો. શ્રી યશોવિજયજી કુશળ લહિયા પણ હતા. એમની સ્વહસ્તલિખિત એવી ઘણી કૃતિઓ સાંપડે છે. શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજી પણ સારા લહિયા હતા. એમણે શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો લખી આપી છે. ગુરુમહારાજ પોતાના શિષ્યની કૃતિની હસ્તપ્રતો તૈયાર કરી આપે એવું અન્ય કોઈ ઉદાહરણ જાણવામાં નથી. એ ઉપરથી શ્રી નવિજયજી મહારાજની શિષ્યવત્સલતા કેટલી બધી હશે અને ગુરુ-શિષ્યનો સંબંધ પરસ્પર કેટલો સ્નેહાદરવાળો હશે તે જણાય છે. શ્રી યશોવિજયજીએ તર્ક અને ન્યાયનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમના જેવા સમર્થ તાર્કિકને મલ્લવાદીસૂરિકત “દ્વાદશાર નયચક્ર' જેવો ગ્રંથ વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ ગ્રંથ નષ્ટ થઈ ગયો હોવાનું મનાતું હતું. શ્રી યશોવિજયજીએ પોતાના વિહારમાં આવતાં બધાં ગામોમાં અને અન્યત્ર તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિહંવાદીગણિએ નયચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મુળ ગ્રંથ તો મળતો નથી, પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી ટીકા પણ જો નષ્ટ થઈ જશે તો બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એકલે હાથે ઓછા દિવસમાં એ કેમ થાય ? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નયવિજયજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિજય મહારાજ, શ્રી કીર્તિરત્નમણિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિત–એમ સાત 40 For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તેયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદાહરણ એમની શ્રુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦ શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. (આ હસ્તપ્રત પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી, પરંતુ સદ્ભાગ્યે તિબેટમાં ભાષા સંસ્કૃત પણ તિબેટી લિપિમાં એ ગ્રંથ સચવાયેલો છે. એના ઉપરથી પૂ. જંબૂવિજયજી મહારાજે તિબેટી લિપિ–ભાષા શીખી સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.) શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છેઃ ૧. આર્ષીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ (અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામણક વિજ્ઞપ્તિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ), ૬. જંબુસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી-સ્વોપજ્ઞટીકા સહ, ૮. અધ્યાત્મસાર, ૯. પ્રમેયમાલા (અપૂર્ણ), ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ–બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વોપજ્ઞ ટીકામાં ઉમેરણ ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪. નરહસ્ય, ૧૫. ભાષારહસ્ય, ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદ્વાદરહસ્ય ૧૮. માર્ગ પરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલતા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧.યોગદષ્ટિ સમુચ્ચય અવચૂરી (અપૂર્ણ), ૨૨. સ્વાદુવાદ રહસ્ય–બહદુ (અપૂર્ણ), ૨૩. 41. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થવૃત્તિ, ૨૪. વૈરાગ્યરતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭. ન્યાયાલોક, ૨૮. યોગવિંશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦. સ્તોત્રાવલી-સ્તોત્રત્રિક, ૩૧. અષ્ટસહસી, ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈનષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો “યોગવિંશિકાવૃતિ' ગ્રંથ મળી આવ્યો છે. શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપરથી જણાય છે. સાહિત્યસર્જન મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવ્ય ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ તત્ત્વજ્ઞાન , આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કતિઓ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી હદે રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છેઃ ૧. અધ્યાત્મ મત પરીક્ષા-આ ગ્રંથનું બીજું નામ “અધ્યાત્મ મત ખંડન' છે. 42 For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્તાએ મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવળી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવળીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની બીજી માન્યતા કે તીર્થકરોનું પરમોદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે. ૨. અધ્યાત્મસાર સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૯૪૯ શ્લોક પ્રમાણે આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. ૩. અધ્યાત્મોપનિષદ સંસ્કૃતમાં અનુષુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. જૈન તર્ક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે. ૭. ગુરુત્ત્વવિનિશ્ચય કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૦૫ શ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોક-પ્રમાણ ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યર્થાથસ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. કાન્નિશદ્ કાત્રિશિકાઃ આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના માર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સમ્યગ્દષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ 43 For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલક્ષણ સમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. ૧૦. નરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ૧૧. નયપ્રદીપ : સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન અને નયસમર્થન' એ નામના બે સર્ગમાં વહેંચાયેલો છે. ૧૨. નયોપદેશઃ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. જ્ઞાનબિંદુ : સાડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસાર આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ બાલાવબોધ (ટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે તે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડનખંડખાદ્ય : ૫૫૦૦ શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નવ્ય ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે. કર્તાના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયાલોક : આ ગ્રંથમાં ન્યાયષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭. પ્રતિમાશતક : કર્તાએ મૂળ એકસો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યારપછી તેના ઉપર પોતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. 44. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથો ઉપરાંત, ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-નિરાધકચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશ ગતિવાદ, પંચનિગ્રંથિપ્રકરણ, પરમજ્યોતિ–પંચવિશિકા, પરમાત્મ-પંચવિશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્શ્વ સ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વરપાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઇત્યાદિ મૌલિક ગ્રંથોની રચના શ્રી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમંત ભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહ ટીકા, કર્મપ્રકૃતિ લધુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્વપરિજ્ઞા પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથોની રચના કરી છે. શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ ટીકા, ન્યાયબિંદુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ટીકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વતા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમંત ભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી', પતંજલિકત યોગસૂત્ર', મમ્મટકૃત કાવ્યપ્રકાશ', જાનકીનાથ શર્માકૃત “ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે. તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ્, શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી આધારો આપ્યા છે, જે તેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દૃષ્ટિનો પરિચય કરાવે છે. ગુર્જર ભાષામાં રચનાઓ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે 45 For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સક્ઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. રાસકૃતિઓ શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે જંબૂસ્વામીરાસી છે. પાંચ અધિકારની બધીમળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર”ના પરિશિષ્ટપર્વમાં આપેલી જંબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે. શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં-કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૮ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દૃષ્ટાંતો તથા આધાર ગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજીએ સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગ તર્કણા' નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે. “જંબૂસ્વામી રાસ’ અને ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ બે સમર્થ રાસકતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયજીકૃત “શ્રીપાળ રાજાનો રાસ પૂરો કરવામાં શ્રી 46 For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે. સ્તવનો સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતા સાહિત્યમાં ચોવીસી (ચોવીસ તીર્થંકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીસી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીસી લખી છે. ત્રણ ચોવીસી ઉપરાંત એમણે એક વસી (વીસ વિહરમાન જિનેશ્વરોનાં વીસ સ્તવનો)ની રચના કરી છે. તદુપરાંત એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડા ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે નીચે પ્રમાણે છેઃ શ્રી સીમંધરસ્વામીની વિનંતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હુંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતા બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન-બાર ઢાળની ૬૩ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન છે. ત્રણ ચોવીસીઓમાંની એકમાં કવિએ તીર્થકરોનાં માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિતાશક્તિનાં દર્શન થાય છે. એમનાં સ્તવનો આજે પણ ભાવોલ્લાસપૂર્વક ગવાય છે. વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોના 47 For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે. કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળ-વિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે. તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્વરૂપનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે. શ્રી વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાંતો આપ્યાં છે. શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના જીવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધાચારે ચાલી રહ્યા છે અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છે : જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડા પાડી કવિએ ઉત્તમ મુનિઓનું 48 For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પણ દોર્યું છે. વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓના આચરણો, ભ્રમભર્યા વિચારો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈપણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો શ્રી યશોવિજયજીએ સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સક્ઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સઝાય, પાંચ કુગુરુની સક્ઝાય (નાની મોટી), જિન પ્રતિમા સ્થાન સક્ઝાય, અમૃતવેલની સઝાય (નાની તથા મોટી), ચાર આહારની સક્ઝાય, સંયમ શ્રેણિવિચાર સક્ઝાય, ગુણસ્થાનક સઝાય ઇત્યાદિ સક્ઝાયોની રચના કરી છે. સક્ઝાયનો (સ્વાધ્યાયનો) રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સક્ઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સક્ઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓ, ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ', “સમતાશતક', “સમાધિશતક”, “પંચ પરમેષ્ઠિ ગીતા”, “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ', “જંબૂસ્વામી બ્રહ્મગીત', દિકપટ ચોરાશી બોલ', “યતિધર્મ 49 For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ બત્રીસી', “આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), “ઉપદેશમાલા', “અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', “તત્ત્વાર્થ સૂત્રનો ટબો', વિચારબિંદુ અને તેનો ટબો', “શઠ-પ્રકરણ બાલાવબોધ', “લોકનાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', “સાધુવંદના”, “ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે. સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. “સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે : સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હોય, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે : સિદ્ધ ઓષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ; જ્યુ મિટ જાયે મોહધર, વિષય ક્રોધ જવર રોગ. ક્ષમા ચંદન રસે, સિંચો ચિત્ત પવિત્ત. દયાવેલ મંડપ તલે, રહો હો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદૃષ્ટિ બહિરાત્મભાવમાંથી નીકળવા 50 For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ માટે કેવી ઉપકારક થાય છે ઇત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છે: આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મનમેલ. ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ; ચારપાંચ દિન ખુશ લગે, અંત મૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં અધ્યાત્મનાં પાંત્રીસેક પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે. આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે. એ વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે “શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ : વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી જી.” ઉપસંહાર શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાલ્મયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમતા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણ સૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી. ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનોને નબન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ 51 For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વગુરુઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીરગંભીરતા, ઉદારતા, ત્યાગ, વૈરાગ્ય, સરળતા, લઘુતા ઇત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે. આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રોમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તેમને તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, “ઍ બીજમંત્રી પદના પ્રસ્થાપક, “કુર્ચાલી શારદ'નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર વૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંધી જનાર ઇત્યાદિ શબ્દો વડે બિરદાવવામાં આવે છે. એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે ! 52 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ-સોભાગ આશ્રમ - સાયલા સંક્ષિપ્ત પરિચય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. સમર્થ આત્મજ્ઞાની, પરમજ્ઞાન-નિધાન શ્રીમદ્જીનું અધ્યાત્મજીવન અને તઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. પોતાના હૃદયસખા, ભગતના ગામ સાયલા સુસ્થિત શ્રી સોભાગભાઈ ઉપર લખેલા પત્રોમાં તેઓએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મળે કેળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. તેમણે વીતરાગ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉદ્ઘોધ્યો છે. શ્રીમદ્જીને સોભાગભાઈ માટે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ હતો, તેમજ શ્રી સોભાગભાઈના રોમેરોમ અને પ્રદેશ-પ્રદેશ શ્રીમદ્જીના સસમાગમ માટે આતુર રહેતા, શ્રીમદ્જીનું અનન્ય શરણ પામતા શ્રી સોભાગભાઈને પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કાર થયો હતો. - શ્રી સોભાગભાઈના નિમિત્તે જ્ઞાનદિવાકર શ્રીમદ્જીએ જગતને અધ્યાત્મની, પરમાર્થની લહાણી કરી, સોભાગભાઈની કેડીએ અધ્યાત્મના શિખરસમા, પરમ ઉદાસીન શ્રીમદ્જીના આત્મઅમિરાતને પામવાને મુમુક્ષુઓ પુરુષાર્થી બને એ હેતુએ સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા(પૂ. બાપુજી)એ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ. વીતરાગ ભગવાન મહાવીરે પ્રબોધેલા અને પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રરૂપેલા મૂળ સનાતન આત્મધર્મનું આરાધન પ્રત્યક્ષ સપુરુષના સાનિધ્યમાં જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓ કરી શકે એ જ આ સંસ્થાનું મુખ્ય લક્ષ ને ધ્યેય છે. આ સંસ્થાના મૂળાધાર અને પ્રણેતા અધ્યાત્મનિષ્ઠ પૂ. ગુરુદેવ પ.પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી)એ જ્ઞાન અને ભક્તિમાર્ગનો સુંદર સમન્વય સાધીને, ઉત્તમ આત્મલક્ષી મોક્ષપુરુષાર્થમાં મુમુક્ષુ આત્માઓને સ્થિર કર્યા. પૂ. બાપુજીનું વિશ્વવાત્સલ્ય, અંતરંગ ચારિત્ર, વિશાળ અને માધ્યસ્થ ધર્મભાવના તથા તેવા અગણિત ગુણોએ સાધક મુમુક્ષુ આત્માઓને સંસ્કારિત કર્યા. આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત | વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો 53 For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવાં હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. ભગવાન મહાવીરે પ્રરુપેલા મૂળમાર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો દ્વારા અહીં અપાય છે. વિશાળષ્ટિ અને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. પૂ. બાપુજીએ અન્ય મહાત્માઓએ રચેલા અધ્યાત્મ ગ્રંથોને, સ્તવનોને, પદોને બહુમાનપૂર્વક આશ્રમમાં થતા સ્વાધ્યાય અને ભક્તિમાં સ્થાન આપ્યું છે. “સો સંતોનો એક સુર’ આશ્રમના દેવવિમાન સમા કલ્યાણ હોલમાં ગૂંજી ઊઠ્યો. પ્રત્યક્ષ ગુરુના અનુભવસ્વરે પૂર્વે થયેલા યોગીઓના સત્યાત્મક બોધનું વિશ્લેષણથી દિવ્ય વાતાવરણ સર્જાયું છે. સહજતાએ સુરતાને સાધી પ્રભુમય એકલક્ષ થઈ સાધકો તન્મય બને છે. - સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., રાજકોટથી ૮૫ કિ.મી. અને અમદાવાદથી ૧૩પ કિ.મી. પર આવેલ સાયલાના આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે. તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, ધ્યાનખંડ, વાંચનાલય, સૌભાગ્ય સ્મૃતિઘર, પૂ. બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ અને મુખ્ય સ્વાધ્યાય ખંડ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ-અલગ સ્થળેથી આવેલા સાધકો શ્રી સદ્ગુરુના સાંનિધ્યમાં એક મોટો અધ્યાત્મ પરિવાર બન્યો છે. - પરમ કૃપાળુ શ્રીમદ્જીનું બોધવચન છે : “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. પૂ. બાપુજી માનતા કે દુઃખી મનુષ્યની સેવામાં રહીશું તો આપણો ત્યાગભાવ ને વૈરાગ્યભાવ હમેશાં ટકી રહેશે. સંવેદનશીલ, ઉમિપ્રધાન, કોમળહૃદયી પૂ. બાપુજી જ્યારે દુઃખી દરિદ્ર અને અશિક્ષિત સમાજને જોતા ત્યારે તેઓનું હૈયું કરુણાથી ઉભરાઈ આવતું. દેશ પરદેશથી આવેલા સુખી મુમુક્ષુઓને પ્રેરતા અને સુમાર્ગે તેઓની સંપત્તિનો ઉપયોગ કરાવતા. માત્ર નાણું આપી છૂટી જવું એમ નહિ, પણ ચોકસાઈપૂર્વક, હરેક કાર્ય મુમુક્ષુઓની સ્વયં દેખરેખ નીચે થતું. આમ ત્યાગ ને વૈરાગ્યથી પ્રેરિત સાધક મુમુક્ષુવર્ગ આશ્રમમાં રહી આંતરવિશુદ્ધિની સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ સાધવા લાગ્યો. પરિણામે જનહિતની અનેક પ્રવૃત્તિઓ આરંભિત થઈ. જે નીચે મુજબ છે : ૧. ઉનાળામાં છાશ કેન્દ્રો. ૨. શિયાળામાં ગરમ કપડાં ને ધાબળા. 54 For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્રચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતનાં સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્રો(Cattle camps)ને સહાય કરવી. જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરુમૈયા શ્રી સગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઈ ગયા. શાંત, સૌમ્ય, આગવી સૂજ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો. પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમા પ્રચંડ રીતે જળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બીમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને, પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪000 ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ થયું છે. સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે “પૂ. લાડકચંદ માણેકચંદ વોરા ગર્લ્સ હાઈસ્કૂલ” ધોરણ ૮ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી. - ૨૬મી જાન્યુઆરી 2000ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. સાયલાની બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના 55 For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકોપને પડકાર ગણી હિમ્મતથી ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. (૧) ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસા પહેલાં જ મરામત કરી આપ્યાં. (૨) જમીનદોસ્ત બનેલ નિનામા ગામની બાજુમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો તથા સંપૂર્ણ જરૂરિયાત સાથે સુંદર ગામ ઊભું કર્યું અને તેનું નામ “લાડકપુર” આપવામાં આવ્યું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદ બુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળાની શરૂઆત થઈ હતી. તે જગ્યા નાની પડવાથી આ પ્રવૃત્તિ માટે આશ્રમની બાજુમાં નવી જગ્યા ખરીદવામાં આવી કે જ્યાં ૧૦,૦૦૦ ચો.ફૂટ મોટું અધ્યતન મકાન બાંધવામાં આવ્યું. આખાય ગુજરાતમાં સૌથી આધુનિક, સાધન તેમજ સુવિધાઓ સાથેનું આ નવું વિકલાંગ કેન્દ્ર અત્યારે અનેકને સહાય આપી રહ્યું છે. આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના નામે આ સેવાકાર્ય ચાલી રહ્યું છે. ૧૯૮૭ થી "શિવાનંદ મિશન ટ્રસ્ટ - વીરનગર"ના સથવારે નેત્રયજ્ઞની પ્રવૃત્તિની શરૂઆત થઈ. તા. ૧૫-૧-૨૦૦૬ના રોજ "માતૃશ્રી કાશીબેન હરજીવનદાસ સંઘરાજકા" ના નામે સાયલામાં જ ૪૦૦૦ ચો. ફૂટની ફેકો મશીન તથા ન્યૂનતમ સાધનો સાથેની Eye Hospital ની સ્થાપના આશ્રમ દ્વારા થઈ. દર મહિને ૧૦૦ જેટલાં ઑપરેશન તથા અનેક દર્દીઓ નેત્ર ચિકિત્સાનો લાભ નિઃશુલ્ક પણે લઈ રહ્યા છે. ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના(પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ થયો. સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે. પરિવર્તનકારી આધ્યાત્મિક શક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે. 56 પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી વિરચિતા જ્ઞાનસાર અષ્ટક વિષયાનુક્રમો ક્રમાંક વિષય શ્લોક સંખ્યાંક પૃષ્ઠ ૧ થી ૮ ૯ થી ૧૬ પૂર્ણાષ્ટક મગ્નાષ્ટક સ્થિરતાષ્ટક મોહત્યાગાષ્ટક ૧૭ થી ૨૪ ૩૪ જ્ઞાનાષ્ટક શમાષ્ટક ૮૧ ઇજિયજયાષ્ટક ૨૫ થી ૩૨ ૩૩ થી ૪૦ ૪૧ થી ૪૮ ૪૯ થી ૫૭ થી ૬૪ ૬૫ થી ૭૨ ૭૩ થી ૮૦ ૯૫ ધ ધ ધ : 8 જ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ત્યાગાષ્ટક ૧૧૧ ક્રિયાષ્ટક ૧૨૪ ૧૩૭ ૮૧ થી ૮૮ ૧૫૩ તૃષ્યષ્ટક નિર્લેપાષ્ટક નિઃસ્પૃહાષ્ટક મીનાષ્ટક વિદ્યાષ્ટક ૧૬૫ ૮૯ થી ૯૬ ૯૭ થી ૧૦૪ ૧૦૫ થી ૧૧૨ ૧૮૧ ૧૯૪ 57 For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય શ્લોક સંખ્યાંક પૃષ્ઠ ૨૦૬ ૨૧૮ ૨૩ ૨. ૨૪ ૨ વિવેકાષ્ટક મધ્યસ્થાષ્ટક નિર્ભયાષ્ટક અનાત્મશંસાષ્ટક તત્ત્વદષ્ટિ અષ્ટક સર્વસમૃદ્ધિ અષ્ટક કર્મવિપાકચિંતનાષ્ટક ભવોઢેગાષ્ટક લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૨૫૩ ૨૬૫ ૨૭૬ ૨૯૨ ૩૦૨ શાસ્ત્રાષ્ટક ૧૧૩ થી ૧૨૦ ૧૨૧ થી ૧૨૮ ૧૨૯ થી ૧૩૬ ૧૩૭ થી ૧૪૪ ૧૪૫ થી ૧૫૨ ૧૫૩ થી ૧૬૦ ૧૬ ૧ થી ૧૬૮ ૧૬૯ થી ૧૭૬ ૧૭૭ થી ૧૮૪ ૧૮૫ થી ૧૯૨ ૧૯૩ થી ૨૦૦ ૨૦૧ થી ૨૦૮ ૨૦૯ થી ૨ ૧૬ ૨૧૭ થી ૨૨૪ ૨૨૫ થી ૨૩૨ ૨૩૩ થી ૨૪૦ ૨૪૧ થી ૨૪૮ ૨૪૯ થી ૨૫૬ ૨૫૭ થી ૨૭૬ ૩૧૭ પરિગ્રહાષ્ટક ૩૩૧ ૩૪૩ અનુભવાષ્ટક યોગાષ્ટક નિયાગાષ્ટક ૩૫૭ ૩૭૧ પૂજાષ્ટક ૩૮૩ ધ્યાનાષ્ટક ૩૯૫ તપાષ્ટક ४०८ ૪૨ ૨ સર્વનયાશ્રયણાષ્ટક ઉપસંહાર ૪૩૫ 58 For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી વિરચિત જ્ઞાનસાર 59 For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ केषाञ्चिद्विषयज्वरातुरमहो चित्तं परेषां - विषावेगोदर्ककुतर्क मूर्च्छितमथान्येषां कुवैराग्यतः। लग्नालर्कमवोधकूपपतितं चास्ते परेषामपि स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ॥ - ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી – (જ્ઞાનસાર-ઉપસંહાર) [અહો ! કેટલાકનું ચિત્ત વિષયરૂપ જ્વરથી પીડિત છે, બીજા કેટલાકનું ચિત્ત વિષના આવેગરૂપ અને તેથી તેના પરિણામરૂપ કુતર્કથી મૂર્છિત થયેલું છે, વળી કેટલાકનું ચિત્ત ખોટા વૈરાગ્યરૂપ હડકવા થયો હોય તેવું છે અને બીજા કેટલાકનું ચિત્ત અજ્ઞાનરૂપી કૂવામાં પડેલું છે, પરંતુ થોડાઓનું ચિત્ત જ્ઞાનસારને આશ્રિત હોવાથી વિકારના ભારથી રહિત છે.] 60 For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક ૧. પૂર્ણાષ્ટક [૧] પેન્દ્ર શ્રી સુમન નીનાનવિવિનમ્ | સધ્યિાનન્દપૂન પૂર્ણા નદવેક્ષ્યતે | II ? / [ શબ્દાર્થ રેન્દ્ર =ઇન્દ્ર સંબંધી, શ્રી=લક્ષ્મી, સુમાનેન સુખમાં મગ્ન થયેલા વડે; તીતાનં= સુખમાં મગ્ન થયેલા; અવિનં=સર્વ, આખું; દૃવ=જેમ; સષ્યિવાનન્વપૂર્ણન=સત્ (સત્તા, નિત્યતા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પૂર્ણ એવા યોગી, જ્ઞાની વડે; પૂf=પૂર્ણ-જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ; ન–વિશ્વ; વેસ્યતેદેખાય છે.] અનુવાદ-જેમ ઇન્ડસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન બનેલા પુરુષ વડે સર્વ જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે, તેમ સત્ (સત્તા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પૂર્ણ એવા જ્ઞાનીઓ વડે જગત પૂર્ણ (જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ) દેખાય છે. (૧) વિશેષાર્થઃ માતા સરસ્વતી દેવીની આરાધના માટેના જુદા જુદા મંત્રોમાં છે નમ: એ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો. કાશીમાં ગંગાકિનારે એકાંતમાં બેસીને એમણે આ મંત્રનો જાપ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કર્યા હતાં. (તું તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ-જંબૂસ્વામી રાસ) આથી શ્રી ઉપાધ્યાયજી મહારાજના કેટલાક ગ્રંથોમાં પ્રથમ શ્લોકનો પહેલો શબ્દ શું હોય છે. આ “જ્ઞાનસાર અષ્ટકમાં પણ એમણે પ્રથમ શ્લોકમાં પહેલો “ પ્રયોજ્યો છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ “જ્ઞાનસાર' ગ્રંથની રચના મુખ્યત્વે મુનિઓને લક્ષમાં રાખીને, એમને સંબોધીને કરી છે. જૈન દર્શનમાં તો કેટલા બધા વિષયોની કેટલી બધી તાત્વિક, પારિભાષિક, તલસ્પર્શી મીમાંસા કરવામાં આવી છે! આ ગ્રંથમાં એવી પારિભાષિક જટિલતા નથી. અહીં જુદા જુદા વિષયો ઉપર સંક્ષેપમાં સારગ્રાહી વિચારણા વિશદતાથી રજૂ થઈ છે. આ બધા વિષયોની સંકલના પણ ક્રમબદ્ધ, શૃંખલાબદ્ધ રીતે કરવામાં આવી છે. એટલે જ ગ્રંથનું “જ્ઞાનસાર' એવું નામ પણ યથાર્થ છે. સકલ શાસ્ત્રોમાં પારંગત એવા ન્યાયવિશારદ ઉપાધ્યાયજી મહારાજ આવા ગ્રંથની રચના કરવા માટે સવિશેષ અધિકારી છે. એમણે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે આ ગ્રંથની રચના પૂર્ણ કરી હતી. વળી એમણે આ ગ્રંથ ઉપર સિદ્ધપુરના શ્રેષ્ઠી સૂરજીના પુત્ર શાન્તિદાસ માટે બાલાવબોધની-ટબાની રચના કરી હતી એવો નિર્દેશ બાલાવબોધમાં કર્યો છે. બત્રીસ અષ્ટકના આ ગ્રંથના પહેલા અષ્ટકનું નામ છે “પૂર્ણતા.” બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો જગતમાં અપૂર્ણતા છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે મથામણ છે. કેટલાકને બાહ્ય ભૌતિક દૃષ્ટિએ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અર્થાતુ પોતાની ઇચ્છાઓ પાર પડે છે. પણ એ પૂર્ણતા બીજાની દૃષ્ટિએ અપૂર્ણતા હોઈ શકે છે. આધ્યાત્મિક સુખની દૃષ્ટિએ જોઈએ તો સંસારમાં અપૂર્ણતા છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે. કેટલાકને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિએ પગલિક એટલે કે ભૌતિક સુખની અને આત્મિક સુખની વિભાવના અહીં રજૂ કરવામાં આવી છે. આ પ્રથમ શ્લોકનું તાત્પર્ય એ છે કે જેમ સુખી માણસ સર્વને સુખી જાણે છે તેમ જ્ઞાની મહાત્માઓ નિશ્ચય નયથી જગતના સર્વ જીવોમાં રહેલા શુદ્ધાત્માને સત્, ચિત અને આનંદથી પરિપૂર્ણ જાણે છે. વાસ્તવિક રીતે જોઈએ તો જગતમાં બધા જ જીવો પોદ્ગલિક સુખમાં પરિપૂર્ણ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નથી, તેવી રીતે બધા જ જીવો આત્માનું પરિપૂર્ણ સુખ અનુભવતા નથી. એટલે જ અહીં સાપેક્ષ દૃષ્ટિએ રજૂઆત કરવામાં આવી છે અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનું લક્ષ્યાર્થ દર્શાવવામાં આવ્યું છે. જે જીવ જે કક્ષાનો હોય તે પોતાની કક્ષા અનુસાર બીજા જીવોના પૌદ્ગલિક સુખનો વિચાર સામાન્ય રીતે કરે છે. તિર્યંચ ગતિના જીવોનું, પશુપંખીઓનું પૌદ્ગલિક સુખ અમુક મર્યાદાવાળું છે. એના કરતાં મનુષ્યનું પૌદ્ગલિક સુખ, પંચેન્દ્રિયની પરિપૂર્ણતાને લીધે, ચડિયાતું છે. મનુષ્યોમાં સાધારણ ગરીબ માણસોના સુખ કરતાં શ્રીમંતોનું ભૌતિક સુખ ચડિયાતું છે. શ્રીમંતો કરતાં રાજાનું, સત્તાધીશોનું સુખ ચડિયાતું છે અને રાજાઓમાં ચક્રવર્તીનું સુખ મનુષ્યોમાં ઉચ્ચતમ ગણાય છે. ચક્રવર્તી કરતાં વૈક્રિય લબ્ધિવાળા દેવોનું સુખ ચડિયાતું છે અને દેવોમાં પણ ઇન્દ્રનું પૌદ્ગલિક સુખ સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ઇન્દ્ર પોતે એવા પૌદ્ગલિક સુખથી પોતાની જાતને પરિપૂર્ણ માને છે અને એને એમ લાગે છે કે આખું જગત પોતાના જેવું પૂર્ણ સુખ ભોગવી રહ્યું છે. જ્યાં સુધી બીજાની સ્થિતિનો વાસ્તવિક વિચા૨ કે અનુભવ ન હોય ત્યાં સુધી આવો ભ્રમ રહેવાનો. ફ્રાન્સની રાણી મેરીએ રસ્તામાં ગરીબ દુઃખી લોકોને જોઈને પોતાના નોકરને પૂછ્યું કે ‘આ લોકો કેમ દુઃખી છે?' નોકરે કહ્યું, ‘કારણકે એમની પાસે ખાવાને પાઉં નથી.’ તો, રાણીએ કહ્યું, ‘પાઉં ન હોય તો કેક ખાય.’ પણ રાણીને ક્યાં ખબર હતી કે પાઉં કરતાં કેક ઘણી મોંઘી આવે છે. જેને પાઉં ન પરવડે તેને કેક તો ક્યાંથી પરવડે ? (જેને દાળભાત ન મળતાં હોય તે શીરોપૂરી ખાય એમ કેવી રીતે કહેવાય ?) એવી રીતે ઇન્દ્રને પણ આખું જગત પોતાની જેમ પૌદ્ગલિક સુખથી પરિપૂર્ણ દેખાય છે. જ્ઞાની મહાત્માઓ કે જેઓએ સચ્ચિદાનંદની પરિપૂર્ણતા અનુભવી હોય અને જેઓને સર્વ જીવોમાં કેવળ શુદ્ધાત્માનું જ દર્શન થતું હોય તેઓને સમગ્ર જગત એવું પરિપૂર્ણ ભાસે એ સ્વાભાવિક છે. કોઈ પ્રશ્ન કરે તો કે જગતના જીવો For Personal & Private Use Only 8 Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર મિથ્યાત્વરૂપી અંધકારમાં અટવાયેલા હોય તેઓને પૂર્ણતાવાળા કહેવા એ એક પ્રકારની શું ભ્રાન્તિ ન કહેવાય ? પરંતુ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતે જ “જ્ઞાનસાર” ઉપર લખેલા ટબામાં કહ્યું છે કે આમાં નિશ્ચયનયની દૃષ્ટિએ ભ્રાન્તિ નથી. નિશ્ચયનય સર્વ જીવોમાં રહેલા શુદ્ધાત્માને, સત્, ચિત્ત અને આનંદથી પરિપૂર્ણ એવા આત્માને નિહાળે છે. એથી જ એવા જ્ઞાની મહાત્માઓ ચક્રવર્તી કરતાં અને ઇન્દ્ર કરતાં પણ વધુ સુખ અનુભવે છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજે બાલાવબોધમાં “પ્રશમરતિ પ્રકરણ'નો નીચેનો શ્લોક ટાંક્યો છેઃ नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य । तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। [ રાજરાજ અર્થાતુ રાજાના રાજા ચક્રવર્તીને અને દેવરાજ અર્થાત્ ઇન્દ્રને પણ જે સુખ અનુભવવા મળતું નથી તે લોકવ્યાપારથી રહિત અર્થાત્ લોકેષણાથી રહિત સાધુ મહાત્માને હોય છે.] એક છેડે સંસારનું ભૌતિક સુખ છે અને બીજે છેડે પૂર્ણ પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ આત્માના સચ્ચિદાનંદરૂપી ગુણોના પૂર્ણ પ્રાગટ્યનું સુખ છે. જ્ઞાની મહાત્માઓ એ આધ્યાત્મિક સુખ અનુભવી શકે છે કે જ્યારે તેઓ પોતાના આત્માના ગુણોને પ્રગટાવે છે. આત્મા અનંત ગુણોથી ભરેલો છે. પરંતુ સંસારી આત્મા અનંત દોષોથી આવરાયેલો છે કે જે ગુણોને પ્રગટ થવા દેતો નથી. સાધકે પોતાની સાધના વડે દોષોને દૂર કરતાં જવું જોઈએ. જેમ જેમ જે જે દોષ દૂર થતો જશે તેમ તેમ એનો પ્રતિપક્ષી એવો ગુણ પ્રગટ થતો જશે. આ રીતે સાધકે પૂર્ણતાને પ્રાપ્ત કરવાની છે. આત્મામાં સચ્ચિદાનંદરૂપ જે પૂર્ણતા રહેલી છે તેને પ્રકાશિત કરવાની છે. [૨] પૂર્ણાત યા પરોપાશેઃ સ યતવમાઉનમ્ | યાતુ સ્વામીવિલી સૈવ જ્ઞાત્યરત્નવિમાનમાં i ? ૨ || For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક [શબ્દાર્થઃ પૂર્ણતા=પૂર્ણતા, પૂર્ણપણું, યા=જે, પરોપા =પર+ઉપાધિથી, પર વસ્તુના નિમિત્તથી; સ=; યાવિત=માગી લાવેલાં, મધ્વન–સુશોભન, અલંકારો, ઘરેણાં યા=જે; તુ=પરંતુસ્વામવિક્કી=સ્વભાવથી સિદ્ધ સ્વાભાવિક પૂર્ણતા; સૈવ સાવ=તે જ; નાટ્યરત્ન=જાતિવાન રત્ન, ઉત્તમ રત્ન; વિમાનિમા=કાન્તિ જેવી.] અનુવાદ-પર વસ્તુના નિમિત્તથી જે પૂર્ણતા થાય છે તે માગી લાવેલાં ઘરેણાં જેવી છે; પરંતુ જે સ્વાભાવિક પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાનિ જેવી છે. (૨) વિશેષાર્થઃ પ્રથમ શ્લોકમાં બતાવ્યું તેમ કેટલાક લોકો પોદ્ગલિક સુખમાં પોતાની પરિપૂર્ણતા માને છે, પરંતુ આ માનેલી પરિપૂર્ણતા ભ્રામક અને અલ્પકાલીન છે. આ તથ્યને દર્શાવવા માટે ગ્રંથકારશ્રીએ અહીં એક સચોટ ઉદાહરણ આપ્યું છે. લગ્નાદિ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કોઈનાં ઉછીનાં માંગી આણેલાં ઘરેણાં પહેરીને માણસ એ પ્રસંગે મહાલે છે. પરંતુ પ્રસંગ પતી ગયા પછી એ ઘરેણાં પાછાં આપી દેવાં પડે છે. ઘરેણાં પહેરી માણસ થોડો વખત શ્રીમંત દેખાય છે. આ વાતની ખબર ન હોય એવા લોકો એની શ્રીમંતાઈનાં-આભૂષણોનાં વખાણ કરે છે. આભૂષણો પહેરનાર પોતે પણ થોડો વખત એવા ભ્રમમાં રહે છે કે પોતે કેવો શોભી રહ્યો છે. એ વખતની પોતાની પૂર્ણતા એ માત્ર કાલ્પનિક અથવા માની લીધેલી હોય છે. કદાચ સાચી છે એવો પોતાને ભ્રમ રહે તો પણ તે ભ્રમ થોડા વખત પૂરતો જ છે. પછી વાસ્તવિક અપૂર્ણતા સ્પષ્ટ ભાસે છે. સામાન્ય માણસોને શ્રીમંતાઈના સુખનું એક સ્વપ્ન હોય છે. સુંદર, સુદઢ શરીર, ભરપૂર ધનધાન્ય, વિશાળ ઘર, રાચરચીલું, સ્વજનો, યશકીર્તિ ઈત્યાદિ પોતાની ધારણા પ્રમાણે મળે એટલે જીવનની એક પ્રકારની પરિપૂર્ણતા સમજાય છે. આવો ખ્યાલ દરેકને પોતપોતાની કક્ષા અનુસાર હોય છે. ચક્રવર્તીને અને ઇન્દ્રોને પણ એવો અનુભવ થાય છે. પરંતુ પુગલ પર આધારિત આવું સુખ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર અક્ષય નથી હોતું. એવી માનેલી પૂર્ણતા સમય થતાં નષ્ટ થઈ જાય છે. પૂર્વકૃત પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી એ પ્રાપ્ત થાય છે. પુણ્યનો ક્ષય થતાં બધું જ સમેટાઈ જાય છે. તત્ત્વરસિક સાધકોને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી આત્મસ્વભાવમાં રમણતારૂપી જે પૂર્ણતાનો અનુભવ થાય છે તે ઉત્તમ કોટિના જાત્યરત્નની કાંતિ જેવો છે. એ રત્નના તેજમાં જે સ્થિરતા અને શુદ્ધિ હોય છે એમાં વધઘટ થતી નથી. એની કાન્તિ તાત્વિક છે, સ્વાભાવિક છે અને કાયમની છે. સાધક મુનિઓએ આવા જાત્યરત્નની કાન્તિ જેવી આત્મસ્વભાવની પૂર્ણતા પ્રગટ કરવાની છે. [3] વાસ્તવી વિક્ષ: યાત્ પૂર્ણીતાડવ્યેરિવોમિ: પૂનત્તુ માવા તિમિતથિન્નિમ: || 2 3 | [શબ્દાર્થ અવાસ્તવી=અવાસ્તવિક, કલ્પિત વિન્ધ=વિકલ્પો વડે, કલ્પનાઓ વડે; યાત=હોય; પૂર્ણતા=પૂર્ણતા; મળે =સમુદ્રના =જેમ; મિ =ઊર્મિઓ, મોજાંઓ, તરંગો વડે; પૂર્ણાનઃ=પૂર્ણ આનંદવાળો; તુ=પરંતુ, મળવા=વિશુદ્ધ આત્મા સ્તિમિત સ્થિર, નિકળ; યિ=સમુદ્ર ત્રિમ =જેવો.] અનુવાદ-જેમ મોજાંઓ વડે સમુદ્રની પૂર્ણતા (વાસ્તવિક નથી), તેમ વિકલ્પો વડે થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદમય ભગવાન (શુદ્ધાત્મા) સમુદ્ર જેવા નિશ્ચળ છે. (૩) વિશેષાર્થ એક બાજુ પોદ્ગલિક સુખોની પૂર્ણતા અને બીજી બાજુ આત્માના ગુણોની પૂર્ણતા એ બેને સમજાવવા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં સાગરમાં જોવા મળતી બે પ્રકારની પૂર્ણતાનું ઉદાહરણ આપ્યું છે. સમુદ્રતટે ભરતીના સમયે જો આપણે ઊભા હોઈએ તો એક પછી એક ઘૂઘવાતાં મોજાંઓ આવીને કિનારે અથડાતાં હોય અને પાણીમાં જાણે ઉભરો આવ્યો હોય For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક તે દ્દશ્ય કેટલું મનોહર લાગે છે ! પાણીના તરંગો એટલે કે મોજાંઓ જાણે ખૂટતાં જ ન હોય એવું લાગે ! આટલાં બધાં મોજાંઓ ઉપરાઉપરી ક્યાંથી આવે છે એની પણ ખબર પડતી નથી. દરિયો ભરેલો ભરેલો લાગે છે! સાગર પૂર્ણતાથી ઉભરાતો દેખાય છે ! એ જ સમુદ્રકિનારે થોડા કલાક વધુ ઊભા રહીએ તો ઊછળતાં એ મોજાં ધીમે ધીમે શમી જાય છે અને પછી તો ઓટ ચાલુ થતાં પાણી ઓછું અને ઓછું થાય છે અને આઘું ખસતું જાય છે. દરિયો જાણે ખાલી થવા ન બેઠો હોય ! પાછો સમય થતાં ભરતી અને ફરી પાછી ઓટ એમ સાગરકિનારે પૂર્ણતા અને અપૂર્ણતાનું ચક્ર ચાલ્યા જ કરે છે. એ જ મહાસાગરમાં મધદરિયે સહેલગાહ કરતા હોઈએ તો મહાસાગર કેવો ભરેલો અને શાન્ત, સ્થિર, સ્વસ્થ લાગે છે. ત્યાં પૂર્ણતા એટલે પૂર્ણતા, પછી ખાલી થવાપણું નહિ. પૌદ્ગલિક સુખો કે સુખોના વિચારો કે વિકલ્પો એ સમુદ્રકિનારે થતાં ભરતીનાં દર્શન જેવાં છે. માણસ ધનધાન્ય, સ્ત્રીપરિવાર, વાડીબંગલા, મોટરગાડી, વસ્ત્રો, ઉ૫ક૨ણો અને અલંકારો, એરપોર્ટથી એ૨પોર્ટ ઉડાઉડ, ભોજનાદિના જલસા એ બધાથી પોતાની જાતને કેટલો બધો ભરેલો ભરેલો, પરિપૂર્ણ સમજે છે. ઇચ્છા પ્રમાણે બધી ચીજવસ્તુઓ એને મળતી જાય છે. એક મોજું પૂરું થયું ત્યાં બીજું મોજું આવીને ઊભું રહ્યું જ હોય. પરંતુ આ ભૌતિક, વૈકલ્પિક સુખને ખૂટતાં વાર નથી લાગતી. એક ભવમાં નહિ, તો અન્ય ભવમાં એનો હ્રાસ થયા વગર રહેતો નથી. એક ભવમાં પણ વૃદ્ધાવસ્થા આવતાં તે ભોગવવાની શક્તિ પણ રહેતી નથી. રોગાદિને કારણે એવી સમૃદ્ધિને જોઈને ઉદ્વેગ પણ થાય છે. ભરતીનાં મોજાઓમાં સાથે કચરો પણ ક્યાં નથી આવતો ? વળી તરંગો વડે સર્જાતી સમુદ્રની પૂર્ણતા જૂઠી, અવાસ્તવિક, કાલ્પનિક હોય છે, માયાવી હોય છે. પરંતુ શાન્ત સાગરની પૂર્ણતા For Personal & Private Use Only જી Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર રત્નો વડે છે. સમુદ્ર તો રત્નાકર, રત્નોની ખાણ કહેવાય છે. ગમે તેટલાં રત્નો એમાંથી કાઢો, એ ક્યારેય ખૂટે નહિ. આવી રીતે પરવસ્તુના સંયોગથી પ્રાપ્ત થયેલી પૂર્ણતામાં રાગદ્વેષાદિના વિકલ્પો રહેલા હોય છે. એવી વૈભાવિક પૂર્ણતા અલ્પકાલીન અને મલિન હોય છે. આત્માના ગુણરત્નોથી સભર એવી પૂર્ણતા સ્થિર, નિર્મળ, નિર્વિકલ્પ અને શાશ્વત હોય છે. પ્રાપ્ત કરવા જેવી પૂર્ણતા એ જ છે! [४] जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजामुली । पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना ।। १ ।। ४ ।। [શબ્દાર્થ ના =જાગે છે, પ્રગટ થાય છે; જ્ઞાનવૃષ્ટિ =જ્ઞાનરૂપી દષ્ટિ; વેજો; તૃ-તૃષ્ણા, તૃષ્ણારૂપ; વૃM=કાળો; દિ=સાપ; નાથુલ્લી=સાપનું ઝેર ઉતારવા માટેનો મંત્ર, ગારૂડી મંત્ર, પૂર્ણાન =પૂર્ણ આનંદવાળાને; તત્રતો; =કેમ; સ્વાતંત્ર હોય; વૈચ=દીનતા, દીનતારૂપી; વૃશ્ચિ= વીંછી; વેદના=પીડા] અનુવાદ-જો તૃષ્ણારૂપી કાળા સર્પના ઝેરને ઉતારનારી જાંગુલી વિદ્યા સમાન શાનદષ્ટિનો ઉઘાડ થયો છે, તો પૂર્ણા નદમય આત્માને દીનતારૂપી વીંછીની વેદના કેમ હોઈ શકે ? (૪). વિશેષાર્થ જીવનમાં જ્યાં સુધી તૃષ્ણાઓ છે ત્યાં સુધી માણસને ગમે તેટલું ભૌતિક સુખ પ્રાપ્ત થાય તો પણ તે ઓછું પડે છે. જેમ જેમ ઇચ્છાઓ તૃપ્ત થતી જાય છે તેમ તેમ નવી નવી ઇચ્છાઓ પ્રદીપ્ત થતી જાય છે. ધનદોલત, સત્તા, યશકીર્તિ, પરિવાર વગેરેના સુખ માટે માણસની દોટ અવિરત ચાલ્યા કરે છે, કારણ કે મૃગજળ જેવા એ સુખનું સ્વરૂપ જ એવું છે. તૃષ્ણા માણસને દીન બનાવે છે. જે લાલસા જાગે છે તે પૂર્ણ કરવા માટે બીજા For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક આગળ હાથ લંબાવવો પડે છે, એની ખુશામત કરવી પડે છે. માણસ જો પોતાના અંતરમાં પડેલી ભૌતિક પદાર્થો માટેની આકાંક્ષાઓ દૂર કરી શકે તો પછી એને કોઈની આગળ પોતાની દીનતા પ્રગટ કરવાની જરૂર નહિ રહે. જીવને સ્વાધીન થતાં અને રહેતાં આવડવું જોઈએ. આ સંસારમાં આત્માથી ચડિયાતી કોઈ વસ્તુ નથી. મને મારો આત્મા મળી ગયો છે, મારા આત્માના ગુણોમાં મને રસ પડ્યો છે. એ માટે સ્વાધીન છે. તો હવે મારે કોઈકની પાસે કંઈક માગીને મારા આત્માને હલકો પાડવો નથી. આ ભાવ આવે તો દીનતા જાય. પણ દીનતાને જવા માટે અંતરમાં પડેલી તૃષ્ણાઓને દેશવટો આપવો પડશે. તૃષ્ણા છે તો દીનતા છે. તૃષ્ણા નથી તો દીનતા નથી. પરંતુ તણાઓને દૂર કેવી રીતે કરવી ? જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહધર્મો પણ છે અને એ દેહધર્મો માટે તૃષ્ણાઓ જાગે છે. આ અનાદિકાળના સંસ્કાર છે. એવા સંસ્કાર ઉપર વિજય મેળવવો હોય તો દેહ પરથી દષ્ટિ ખસેડી આત્મા પર લાવવી જોઈશે. અનંત ગુણોથી સભર એવો આત્મા કેટલો બધો સમૃદ્ધ છે ! એ સમૃદ્ધિ તરફ નજર રાખીએ, આત્મિક ગુણોને વિકસાવવાનું લક્ષ્ય રાખીએ તો દેહિક વાસનાઓ, તૃષ્ણાઓ મંદ પડવા લાગશે. સમય જતાં નિર્મળ થઈ શકશે. એક વખત સ્વભાવમાં રમણતાનો સ્વાદ ચાખવા મળશે એટલે ભૌતિક વાસનાઓ, તૃષ્ણાઓ ઓછી થતી જશે. અલબત્ત, આ બધું કહીએ એટલું સરળ નથી, કારણ કે અવળા સંસ્કાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે. એનું જોર ઘણું મોટું છે. પરંતુ એક વખત તૃષ્ણાઓ ઉપર વિજય મેળવીએ, પછી દીનતાને દૂર કરતાં વાર નહિ લાગે. જ્ઞાની મહાત્માઓએ સાંસારિક સુખો પ્રાપ્ત કરવા માટેની તૃષ્ણા ઉપર વિજય મેળવ્યો હોય છે. અસાર સંસારના યથાર્થ સ્વરૂપનું એમને દર્શન થયું હોય છે. એટલે તૃષ્ણા કે દીનતા એમને સતાવતાં નથી. ગ્રંથકારશ્રીએ આ શ્લોકમાં તુણા માટે સર્પના ડંખનું અને દીનતા માટે વીંછીના ડંખનું રૂપક પ્રયોજયું છે. તૃષ્ણા અર્થાત્ લાલસા એ સર્પના ડંખ જેવી ભારે છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ચંચલવૃત્તિનો, ભોગબુદ્ધિવાળો જીવ તૃષ્ણાપીડિત હોય છે. ભોગોપભોગની વિશાળ દુનિયા છે. અનેક પ્રકારનું વૈવિધ્ય એમાં છે. એટલે જ માણસની ભોગલાલસા ઓછી થતી નથી. એ મેળવવા માટે તે ગમે તેવું હલકું કામ કરનાર, દીનતાથી યાચનાર બને છે. તૃષ્ણારૂપી સર્પના ડંખની વેદના અસહ્ય, ભયંકર અને જીવલેણ હોય છે. દીનતારૂપી વીંછીના ડંખની વેદના અસહ્ય હોય છે, પણ એકંદરે તે જીવલેણ હોતી નથી. જાંગુલી વિદ્યાના સાધક જાણકારો મંત્રોપચારથી કાળોતરા નાગનું ઝેર પણ ઉતારી શકે છે. જેઓની પાસે જાંગુલી વિદ્યા હોય તેઓને પછી વીંછીના ડંખની વેદનાને ઉતારતાં વાર કેટલી લાગે ? એવી રીતે એક વાર તૃષ્ણા ઉપર વિજય મેળવાય, પછી દીનતાને જતાં વાર કેટલી? [૫] પૂર્વ ચેન પUસ્તક્ષેત્ર પૂર્ણતા पूर्णानन्दसुधास्निग्धा दृष्टिरेषा मनीषीणाम् ।। १ ।। ५ ।। [શબ્દાર્થ પૂર્યન્તઃપુરાય છે, પૂર્ણ બને છે; યેન=જેના વડે, ધનાદિ પરિગ્રહ વડે; પIT:=કંજૂસ, લોભી, તદુપેક્ષા–તેની ઉપેક્ષા; પવ=જ; પૂર્ણતા-સ્વાભાવિક પરિપૂર્ણતા; પૂર્વાનન્દસુધા=પૂર્ણાનંદરૂપી અમૃત; નિધ=સ્નિગ્ધ, આર્દૂ થયેલી; દૃષ્ટિ:=જ્ઞાનરૂપી દૃષ્ટિ; પણ આ મનીષામનીષીઓની; તત્ત્વજ્ઞાનીઓની.] અનુવાદ-જે (ધનાદિ પરિગ્રહ) વડે પણ માણસો પૂર્ણ બને છે તેની ઉપેક્ષા એ જ પૂર્ણતા છે. પૂર્ણાનન્દરૂપી અમૃતથી આર્દ્ર બનેલી આ દષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે. (૫) વિશેષાર્થ અહીં તત્ત્વદષ્ટિએ કૃપણ અને મનીષી વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. કૃપણ એટલે અહીં માત્ર લોભી કે કંજૂસ નહિ, પણ શુદ્ર, તુચ્છ, હિનસત્ત્વ સંસારરસિક જીવ. મનીષી એટલે જ્ઞાની, ધ્યાની, આત્મરમણતામાં મગ્ન એવા પ્રાજ્ઞ પુરુષ. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક કૃપણ માણસને જીવનની પૂર્ણતા શામાં લાગે છે? માલમિલકત વગેરે પરિગ્રહ એકત્ર કરવામાં. તે ભોગાસક્ત છે. તે એનાથી પૂરાય છે એટલે કે સ્થૂલ પૂર્ણતા પામે છે. જો કે એની પૂર્ણતા પણ ક્ષણજીવી હોય છે, કેમ કે માલમિલકત વગેરે માટેનું એનું લક્ષ્યાંક પૂર્ણ થતાં તે રાજી થાય છે, ધરાય છે, જીવનમાં ઇચ્છાનુસાર કશીક પ્રાપ્તિ કર્યાનો અને આનંદ થાય છે, પરંતુ થોડો વખત જતાં જ એનું લક્ષ્ય બદલાય છે, મોટું થાય છે અને ફરી પાછી એની દોટ ચાલુ થઈ જાય છે. એટલે જ કૃપણ માણસ પોગલિક પ્રાપ્તિથી ક્યારેય કાયમની પૂર્ણતા અનુભવી નહિ શકે. જેઓ ડાહ્યા માણસો છે, તત્ત્વરસિક છે, મોક્ષાભિલાષી છે તેઓ ક્યારેય આવા કૃપણ માણસને પોતાના આદર્શ તરીકે નજર સમક્ષ નહિ રાખે. તેઓ તો કહેશે કે કૃપણની ઉપેક્ષા કરીશું, એનાથી વિમુખ થઈશું તો જ આત્મગુણોની પૂર્ણતાના પોતાના લક્ષ્ય તરફ ગતિ કરી શકીશું. એમ થશે તો જ પૂર્ણતાના અમૃતાનંદથી પોતાની દૃષ્ટિ આર્ટ બનશે. કૃપણ માણસોની મોહનીય કર્મને આધીન એવી ભૌતિક સુખો માટેની પૂર્ણતા ઉપાધિજન્ય છે, આરોપિત છે, ઔપચારિક છે, સવિકલ્પરૂપ છે, માનવસ્થિત છે, માટે તે અસ્વીકાર્ય છે. તે અનુસરવા જેવી નહિ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. નશ્વર ચીજવસ્તુઓ સંગ્રહ કરવા લાયક નહિ, પણ ત્યાગ કરવા લાયક કે તરછોડવા લાયક છે. મનીષીઓની આવી દૃષ્ટિ હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોને યથાર્થ બોધ હોવા છતાં ભૌતિક ઇન્દ્રિયાર્થ વિષયોની ઉપેક્ષારૂપ પૂર્ણતા તેમનામાં હજુ પૂરેપૂરી આવી નથી હોતી, પરંતુ જેઓ મનીષી છે, જ્ઞાની છે, એમની દૃષ્ટિ આત્મતત્ત્વ પ્રતિ, ગુણો તરફ વળી હોય છે. એમનામાં એક ઊંચા પ્રકારનું દૃષ્ટિપરિવર્તન આવી ગયું હોય છે. એમના મનમાં પીગલિક પદાર્થો ગમે તેટલા સોહામણા હોય તો પણ તેનો મહિમા હવે રહ્યો નથી. તેમનામાં કેવળ ઉદાસીન વૃત્તિ અને અંતર્મુખતા આવી ગઈ હોય છે. તેમની સુધાસિક્ત દૃષ્ટિ હવે અજર, For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમ૨, અવિનાશી, પૂર્ણાનંદમય આત્મતત્ત્વ તરફ વળી હોય છે. [૬] પૂર્ણ: પૂર્ણતામેતિ પૂર્યમાળસ્તુ ઢીયતે । પૂર્ણનન્વસ્વમાવોડયું નાવદ્યુતવાય: ।। ? ।। ૬ ।। [શબ્દાર્થઃ અપૂર્ણ:=ખાલી, રહિત, પરિગ્રહ, વિનાનો; પૂર્ણતાં=પૂર્ણતા, સભરતા, જ્ઞાનાદિની પરિપૂર્ણતાને; તિ=પામે છે; પૂર્યમાળ:=ધનધાન્યાદિ પરિગ્રહથી પૂરાતો, પૂર્ણ થતો; દીયતે=હાનિ પામે છે, અપૂર્ણ થાય છે; પૂન૬સ્વમાવ:=પૂર્ણાનંદમય આત્માનો સ્વભાવ; અયં=આ; નાવદ્યુતવાય:= જગતને આશ્ચર્ય કરનાર.] જ્ઞાનસાર અનુવાદ-જે (ધનધાન્યાદિથી) અપૂર્ણ છે તે (જ્ઞાનાદિ ગુણોની) પૂર્ણતા પામે છે અને (ધનધાન્યાદિથી) પૂર્ણ થતો (જ્ઞાનાદિ ગુણોની) હાનિ પામે છે. પૂર્ણાનંદમય (આત્મા)નો આ સ્વભાવ જગતને આશ્ચર્ય કરનારો છે. (૬) વિશેષાર્થ : પૂર્ણતાની વિભાવના બધા જીવોની એકસ૨ખી હોતી નથી. બધાનું ધ્યેય પણ સમાન હોતું નથી. કોઈ બાહ્ય પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિથી પોતાની જાતને પરિપૂર્ણ બનાવવા અને મનાવવા ઇચ્છે છે, તો કોઈક પોતાના આત્માના ક્ષમા, આર્જવ, માર્દવ ઈત્યાદિ ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે. એટલું તો નિશ્ચિત છે કે પૌદ્ગલિક પદાર્થોની પૂર્ણતા અને આત્માના ગુણોની પૂર્ણતા એ બંને સામસામા છેડે આવેલાં છે. પૌદ્ગલિક પદાર્થોની પૂર્ણતા સાધનારને આત્મિક ગુણોનો ભોગ આપવો પડે છે. (કેટલાકને તો એવા ભોગની ખબર પણ નથી હોતી.) બીજી બાજુ જેઓ આત્મિક ગુણોની પૂર્ણતા માટે પુરુષાર્થ કરે છે તેઓનો પૌદ્ગલિક પદાર્થ માટેનો મોહ સહજ રીતે છૂટી જાય છે. સ્વભાવસુખ અને વિભાવસુખ સાથે સાથે રહી શકતાં નથી. અહીં કહ્યું છે કે જે અપૂર્ણ છે તે પૂર્ણતા પામે છે. જે જીવો ધનવૈભવ, સ્ત્રીપરિવાર For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક ૧૩ ઇત્યાદિ બાબતમાં ત્યાગવૈરાગ્યને કારણે અપૂર્ણ હોય છે તેઓ આત્મગુણોની અનુક્રમે પૂર્ણતા પામે છે. અન્ય પક્ષે જે જીવો ધનવૈભવ, માલમિલકત, પુત્રપરિવાર ઇત્યાદિ વિષયમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણો ગુમાવે છે એટલે કે હાનિ પામે છે. આમ જે અપૂર્ણ છે તે પૂર્ણ થાય છે અને જે પૂર્ણ છે તે અપૂર્ણ થાય છે. જે જીવ ધનવૈભવની બાબતમાં અપૂર્ણ રહેવા ઇચ્છે છે, એટલું જ નહિ જે ધનવૈભવ પોતાની પાસે છે એનો પણ સમજપૂર્વક ત્યાગ કરવાની ભાવના સેવે છે તે જીવ આત્મગુણો પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે. ધનવૈભવ માટે આસક્તિ પહેલાં તુટવી જોઈએ એ આ વિષયમાં એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં મહત્ત્વની વાત છે. કેટલાયે ગરીબ માણસો પાસે ખાસ કશો ધનવૈભવ હોતો નથી. તેઓ અપૂર્ણ છે. પરંતુ એમના દિલમાં તો ધનવૈભવ મેળવવાની તીવ્ર અભિલાષા કે ઝંખના પડેલી હોય છે. ભૌતિક દૃષ્ટિએ એવા અપૂર્ણ માણસોના જીવનમાં એમની અપૂર્ણતાને કારણે આત્મિક ગુણો પ્રગટતા નથી. ઇન્દ્રિયોના ભૌતિક સુખ પ્રત્યે જીવ વિમુખ થઈ શકતો નથી. જીવોને ભૌતિક સુખ ભોગવાતું દેખાય છે. આત્મિક સુખ સૂક્ષ્મ અને સ્વાનુભવથી સમજાય એવું છે. સંસારના જીવો અનાદિકાળથી ભૌતિક પ્રવૃત્તિમાં રાચનારા છે, એમાં જ તેઓ સુખ અનુભવનારા છે. પરંતુ એમનું આ સુખ ક્ષણિક, અપૂર્ણ અને અતાત્વિક છે. વસ્તુતઃ તે એક પ્રકારનો ભ્રમ છે. એવા જીવો સમક્ષ તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચ ઇત્યાદિ દ્વારા અનુભવાતા પૂર્ણાનંદની વાત કરવામાં આવે તો જો ન સમજાય તો તેઓ હસી કાઢે છે અને જો સમજાય તો તેથી તેમને આશ્ચર્ય થાય છે. જે આત્મા પરભાવ અને પરપુગલથી મુક્ત થાય છે તે આત્માના જ્ઞાનાદિ ગુણો પુરુષાર્થથી ક્રમે ક્રમે પૂર્ણ સ્વરૂપે ખીલે છે. જ્યાં સુધી પુદ્ગલભાવોનો ત્યાગ થતો નથી ત્યાં સુધી આત્મગુણોની અપૂર્ણતા રહેવાની અને વિશુદ્ધ ઉચ્ચતર આત્માનંદનો અનુભવ થવાનો નહિ. એટલે આનંદ પ્રાપ્ત કરવા માટે પોદ્ગલિક For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જ્ઞાનસાર સુખ માટેની રુચિ-અભિલાષા જવાં જોઈએ. પરંતુ જીવને અનાદિ કાળથી પુગલની માયા લાગેલી છે. આત્મદ્રવ્ય પુદ્ગલની અડોઅડ આવેલું છે. જીવ અને પુદ્ગલ બંને એક ક્ષેત્રાવગાહે રહેલાં છે. બંને વચ્ચે અનાદિકાળથી માયા-મૈત્રી ચાલી આવે છે. જીવે એમાંથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. આ કાર્ય ધારીએ એટલું સરળ નથી. પણ મુક્તિની પ્રાપ્તિ જોઈતી હોય તો એ કર્યા વગર છૂટકો નથી. પુગલની ભ્રમયુક્ત પૂર્ણતા, જે વાસ્તવિક દૃષ્ટિએ અપૂર્ણતા છે તેનો ત્યાગ કરી આત્મગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ આદરી દેવો જોઈએ. પૂર્ણાનંદસ્વરૂપ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય પમાડે છે. [૭] પરસ્વત્વતોનાથ મૂનાથા ન્યૂનત્તેક્ષિ: I स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। १ ।। ७ ।। [શબ્દાર્થ પર=પરમાં, પરવ્યમાં, સ્વર્વે=આત્મપણાની બુદ્ધિથી; તોનાથ વ્યાકુળતા કરી છે; મૂનાથા:=રાજાઓ; ચૂક્ષણ:=ન્યૂનતાને જોનારા અલ્પતાને અનુભવનારા; સ્વર્વત્ર આત્મામાં જ આત્મપણાના; સુરવપૂણ્ય સુખથી પૂર્ણ થયેલાને; ન્યૂનતા=અપૂર્ણતા, ઓછાપણું; ન=નથી; ઢોરપિહર, ઇન્દ્ર, કરતાં પણ] અનુવાદ-પરવસ્તુમાં પોતાપણાની બુદ્ધિથી વ્યાકુળ બનેલા રાજાઓ અલ્પતાને અનુભવનારા છે. આત્મામાં જ આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને ઇન્દ્ર કરતાં પણ ઓછાપણું નથી. (૭) વિશેષાર્થ: આ સંસારની કેવી વિચિત્રતા છે કે બાહ્ય દૃષ્ટિએ જેની પાસે બધું જ છે અને તે હજુ ઓછું લાગે છે અને જેની પાસે કશું જ નથી એને એમ લાગે છે કે પોતાની પાસે બધું જ છે. પોદ્ગલિક સુખસમૃદ્ધિ અને આત્મિક ગુણસમૃદ્ધિ વચ્ચેનો ભેદ અહીં સરસ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક ન રીતે દર્શાવાયો છે. કોઈ રાજા હોય, એનું મોટું રાજ્ય હોય, પ્રજા સુખી હોય, રાજાનો ભંડાર ભર્યોભર્યો હોય, રાજાને રાણી અથવા રાણીઓ, દાસદાસીઓ હોય, ભાવતાં ભોજનના થાળ સમયે સમયે માગતાંની સાથે હાજર હોય, મનોરંજનનાં વિવિધ સાધનો હોય, સવારી નીકળે ત્યારે આખું નગર જોવા ઉમટતું હોય, કિંમતી વસ્ત્રોની કોઈ ખોટ હોય નહિ, તે બનાવવા માટે, પહેરાવવા માટે, ધોવરાવવા માટે ખાસ માણસો હોય. આમ કોઈ વાતે કશી ખામી ન હોય તો પણ એ રાજાને લાગશે કે પોતાની પાસે ઓછું છે. બીજા રાજાના જેટલો રાજ્યવિસ્તાર નથી, એટલી સેના નથી, એવા હોંશિયાર મંત્રીઓ નથી, એટલાં દાસદાસી નથી, પંડિતો, ભાટચારણો પેલાનાં જેટલાં ગુણગાન ગાય છે એટલાં પોતાનાં કોઈ ગાતું નથી. ભૌતિક સમૃદ્ધિમાં બીજાની સાથે સરખામણી કરો એટલે કશુંક ઓછું લાગવાનું જ. પછી તો જે છે એનું સુખ નથી, પણ જે નથી એનું દુઃખ છે એમ જ લાગવાનું. એટલે જ તેઓ એક પ્રકારની વ્યાકુળતા અનુભવે છે. પરદ્રવ્યમાં સ્વત્વનું-પોતાપણાનું આરોપણ કરો એટલે ઉપાધિ ચાલુ થવાની. ‘હું' અને ‘મારું' એ બે શબ્દો આર્ત્તધ્યાનનાં મોટાં નિમિત્ત બની શકે છે. પરંતુ ‘હું’ અને ‘મારું’ થી જો પોતાની જાતને છૂટી પાડી દેવામાં આવે તો બંને વચ્ચે મોટું અંત૨ દેખાવાનું. હું એટલે મારો આત્મા અને મારું એટલે મારો પરિગ્રહ વગેરે. એ પ્રમાણે જો અર્થ ઘટાવવામાં આવે તો ‘હું’માં એક ફક્ત પોતાનો આત્મા છે અને ‘મારું’ માં અનેક ચીજવસ્તુઓ, સંબંધો વગેરે આવશે, કે જેની કોઈ મર્યાદા નથી. મર્યાદા નથી માટે જે છે તે ઓછું જ લાગવાનું. ભૌતિક વાસનાઓ, ઇચ્છાઓનો કોઈ અંત નથી. જ્ઞાની મહાત્માઓ પાસે કશું નથી, છતાં એમને કશું જોઈતું નથી. કોઈએ કશું આપ્યું હોય તો તેમાંથી છૂટવા તેઓ યત્નશીલ રહે છે. ૫૨૫દાર્થોમાં તેઓ સ્વત્વની બુદ્ધિ કરતા નથી. તેઓ સ્વત્વથી-આત્મગુણોથી સભર છે. કોઈ વાતે તેમને ન્યૂનતા નથી. તેઓ એ અપેક્ષાએ ઇન્દ્ર કરતાં પણ ચડિયાતું સુખ અનુભવે છે. એ ૧૫ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનસાર સાચું સુખ છે. એ કેટલું લોકોત્તર છે, કેવું અનન્ય છે તે તો અનુભવે જ સમજાય એવું છે. રાજાઓને પોતાની રાજ્યસમૃદ્ધિ અપાર હોવા છતાં તૃષ્ણા, મહેચ્છા, વાસના ઇત્યાદિને કારણે અથવા ઠેષ, મત્સર આદિને કારણે તે સમૃદ્ધિ ઓછી લાગે છે. તદુપરાંત જ્યારે પૂર્વબદ્ધ પુણ્યકર્મના ઉદયે મળેલી રાજ્યસમૃદ્ધિ પુણ્ય પરવારી જતાં તથા અશાતાવેદનીય કર્મના ઉદયને કારણે, વૃદ્ધાવસ્થા અને શારીરિક લાચારી તથા પરાધીનતાને કારણે તે ભોગવવા મળતી નથી, ત્યારે તેનો જીવ બળે છે. તે દુઃખી દુઃખી થઈ જાય છે અને ભૂતકાળના સુખના દિવસોનાં સંસ્મરણો વાગોળીને ચિત્તની અસમાધિમાં મૃત્યુ પામે છે. જ્ઞાની મહાત્માઓનું સુખ પદ્રવ્ય પર નિર્ભર નથી હોતું. પરદ્રવ્યો ઇન્દ્રિયોની નજીક જ હોવા છતાં અથવા આત્માની અડોઅડ હોવા છતાં તેઓ એ પ્રત્યે ઉદાસીન હોય છે. એમનો સુખાનંદનો અનુભવ તો અંદરથી પ્રગટ થાય છે. પરંતુ એમના ફક્ત દેહરૂપી પરિગ્રહમાં પણ જ્યારે અશાતાવેદનીય કર્મનો ઉદય હોય છે ત્યારે પણ તેઓ એને સાક્ષી ભાવે નિહાળે છે અને નિજાનંદમાં મસ્ત રહે છે. ક્યારેક સંથારો કરી સ્વેચ્છાએ મહોત્સવપૂર્વક ઉલ્લાસથી દેહનું વિસર્જન કરે છે. જેઓ ભૌતિક, પૌગલિક ઇન્ટિયાર્થ સુખોમાં રાચે છે, તેમાં ભોગવવાના પદાર્થો પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ હોવાથી પોતાના આત્માને પણ અનુકૂળ છે એવા ભ્રમમાં રહે છે. એ માત્ર સાંયોગિક સુખાભાસ છે. વળી સંસારમાં ભોગવવાના પદાર્થો અનંત છે, એટલે એવા પૌદ્ગલિક સુખમાં પણ ઘણી તરતમતા રહેવાની. બીજી બાજુ દરેકને આત્મા એક જ હોય છે અને બધાંના આત્મા પણ સ્વરૂપે એકસરખા છે. એટલે આત્મસંવેદનનો પ્રકાર પણ એક સરખો જ રહેવાનો. આવા સ્વરૂપસંવેદનનો અંશ માત્ર પણ અમૃત સમાન લાગે છે; બીજી બાજુ પાંચે ઇન્દ્રિયોથી ભોગવાતા અસંખ્ય પદાર્થોનું સુખ પરિણામે ભયંકર દુઃખ સમાન નીવડે છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક [2] જે પક્ષે પક્ષીઓને શુક્લે ચ સમુદ્રગ્ધતિ . द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधो: कलाः ।। १ ।। ८ ।। [શબ્દાર્થ ને પક્ષે પરિક્ષી=જ્યારે કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે ત્યારે; શુક્લે શુકલ પક્ષનો; =અને સમુદ્રષ્યતિ=બરાબર ઉદય થાય છે ત્યારે, ઘોર=પ્રકાશે છે; સત્તાધ્યક્ષા:=સર્વને પ્રત્યક્ષ; પૂર્ણાનવિયો:=પૂર્ણાનંદરૂપી ચન્દ્રની, આત્મસ્વરૂપ ચન્દ્રની; ની:=અંશ (ચંદ્રના અર્થમાં), ચેતન્ય પર્યાય (આત્માના અર્થમાં.] અનુવાદ-કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે અને શુકલ પક્ષનો ઉદય થાય છે ત્યારે સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનન્દરૂપી ચન્દ્રની કળા પ્રકાશમાન થાય છે. (૮) વિશેષાર્થ સમગ્ર સંસાર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોથી ભરેલો છે. આપણી નજર સમક્ષ કેટલાંયે જીવોનું મૃત્યુ થતું જોઈએ છીએ અને તેવી જ રીતે કેટલાંયે નવા જીવોને જન્મતા જોઈએ છીએ. જન્મમરણનું ચક્ર સદેવ, સતત ચાલતું રહે છે. શું બધા જ જીવોને આ રીતે અનંત કાળ સદેવ જન્મમરણના ચક્રમાં રખડ્યા કરવાનું છે ? એમાંથી કોઇનો છૂટકારો થવાનો નથી ? આવો પ્રશ્ન ઘણાંને થવાનો સંભવ છે. તીર્થકર ભગવાને કહ્યું છે કે જીવો પોતાના પુરુષાર્થથી જન્મમરણનું ચક્ર છેદીને પૂર્ણ સ્વરૂપ પામી શકે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે કે જ્યાંથી એમને પાછું સંસારમાં રખડવાનું હોતું નથી. નિગોદમાંથી નીકળીને જીવ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીના કાળનું વિભાજન અંધકાર અને પ્રકાશ એમ બે વિભાગમાં શાસ્ત્રકારોએ કર્યું છે. રાત્રે પ્રકાશતા ચંદ્રમાના કારણે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ એમ બે ભાગ જોવા મળે છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે ઘટતી જાય છે, ક્ષીણ થતી જાય છે અને અમાવસ્યાની રાત્રિએ તો નિબિડ અંધકાર ચોતરફ વ્યાપી જાય છે. શુકલ પક્ષમાં For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રિસાનસાર બીજની ચંદ્રકલા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય છે અને પૂર્ણિમાને દિવસે તો ચંદ્ર સોળે કળાએ પરિપૂર્ણ પ્રકાશે છે. આ વાત સંસારના તમામ જીવોને જો લાગુ પાડીએ તો જે જીવોમાં સમ્યગદર્શનરૂપી બીજની કલા પ્રગટ થાય છે તેઓ તે કલાને પૂર્ણતાએ પહોંચાડી શકે છે. આવા જીવોને શુકલ પક્ષવાળા અથવા શુકલ પાક્ષિક કહી શકાય. જે જીવોમાં તીવ્ર પાપ કરવાની હવે રુચિ કે વૃત્તિ થતી નથી અને ધર્મ વિશે સાંભળવાની રુચિ પ્રગટ થાય છે, પરંતુ હજુ જેમનામાં સમ્યગદર્શન પ્રગટ થયું નથી એવા જીવો કૃષ્ણ પક્ષવાળા અથવા કૃષ્ણપાક્ષિક કહેવાય છે. પરંતુ સંસારના પરિભ્રમણમાં કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષનો વિચાર યુગલ પરાવર્તની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે. જે જીવોનો અર્ધ પુગલ પરાવર્તથી કંઈક ન્યૂન કાળ બાકી હોય તે જીવો શુકલ પાક્ષિક કહેવાય છે અને જે જીવોનો અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક કાળ બાકી હોય તે જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય છે. શ્રી દેવચંદ્રજી મહારાજે આ “જ્ઞાનસાર' ગ્રંથ ઉપરની પોતાની “જ્ઞાનમંજરી” નામની ટીકા લખી છે તેમાં દશાશ્રુતસ્કંધની નીચેની ગાથાઓ આ સંદર્ભમાં ટાંકી છે; जेसिमवठ्ठो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो। ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ।। જિઓને અર્ધ (કંઈક ન્યૂન) પુદ્ગલ પરાવર્ત કાળ જેટલો સંસાર બાકી છે તે શુકલપાક્ષિક છે અને બીજા (તેથી વધુ કાળ સંસારમાં રહેનાર) તે કૃષ્ણ પાક્ષિક છે.]. जो जो किरियावाई सो भव्वो णियमा सुक्कपक्खिओ। अंतो पुग्गलपरिअट्टस्सु सिज्झइ ।। [જ જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને નિયમા (નિયમ તરીકે અવશ્ય) શુકલપાક્ષિક છે. તે એક પુદ્ગલ પરાવર્તની અંદર સિદ્ધ થાય છે.] પુગલ પરાવર્ત એ પારિભાષિક ગહન વિષય છે. અહીં તદ્દન સંક્ષેપમાં એનો For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂર્ણાષ્ટક માત્ર પરિચય આપ્યો છે. જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, વિશ્વનાં તમામ પુદ્ગલ પરમાણુઓને ક્રમથી અને વ્યુત્ક્રમથી સ્પર્શી લે ત્યારે એક પુદ્ગલ પરાવર્ત જેટલો કાળ થયો ગણાય. એવા અનંત પુગલ પરાવર્ત કરતો કરતો જીવ જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં, અર્થાત્ ચરમાવર્તમાં આવે છે ત્યારે અને ત્યાર પછી અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો એનો કાળ બાકી રહે છે ત્યારે મોક્ષગતિ માટેનો એનો કાળ નિશ્ચિત થઈ જાય છે. એમાં કોઈકને ઓછા ભવ બાકી હોય અને કોઇકને હજુ કદાચ અસંખ્ય કે અનંત ભવ કરવાના બાકી હોય, તો પણ ભવભ્રમણનો એનો કાળ મર્યાદિત થઈ જાય છે. જીવને સમ્યગુદર્શન થયું છે એની પ્રતીતિ કેવી રીતે થાય એવો પ્રશ્ન કેટલાકને થાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનાં કોઇ બાહ્ય પ્રગટ ઓળખચિન નથી હોતાં, પણ શાસ્ત્રકારો બતાવે છે કે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમ્યગુદૃષ્ટિ જીવનાં પાંચે લક્ષણો છે. એના આધારે એવા જીવને ઓળખી શકાય. અલબત્ત, જીવના અંતરમાં પરિણતિ કેવી છે એ જાણવાનું કઠિન છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જ્ઞાનસાર ૨. મનાષ્ટક [૯] પ્રત્યવ્રુદ્રિયભૂર્વ સમાય મનો વિનમ્ સઘશ્વિનાત્રવાતિ મન રૂલ્યમથીયતે | ૨ ૨ | [શબ્દાર્થ પ્રત્યાહત્વ=પ્રત્યાહાર કરીને, વિષયોથી નિવૃત્ત કરીને; ન્દ્રિયભૂદં=ઇન્દ્રિયોના સમૂહને; સમાધાય=(આત્મદ્રવ્યમાં) સારી રીતે એકાગ્ર કરીને; મનોનિગમ પોતાના મનને; =ધારણ કરતો; વિન્માત્ર=ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાવિંત=સ્થિરતાને; માન=મગ્ન થયેલો, લીન બનેલો; તિ=એમ; મિથી તે=કહેવાય છે.] અનુવાદ-ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને, પોતાના મનને (આત્મદ્રવ્યમાં) સારી રીતે એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા ધારણ કરતો આત્મા મગ્ન કહેવાય છે. (૧) વિશેષાર્થ: મગ્નાષ્ટક શરૂ કરતાં પહેલાં ગ્રંથકારશ્રી મગ્નતાની વ્યાખ્યા આપે છે. જેમાં ઇન્દ્રિયોના સમૂહનો પ્રત્યાહાર છે એટલે કે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે, પોતાના મનને સમતામાં સ્થિર કરાય છે અને માત્ર ચૈતન્યમાં વિશ્રાન્તિ ધારણ કરાય છે તે મગ્નતા છે. આત્મસ્વરૂપમાં મગ્નતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. મગ્નતા પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની–પ્રત્યાહારની જરૂર છે. પ્રત્યાહારની વ્યાખ્યા આપવામાં આવી છે: પ્રત્યાદીક્વિન્દ્રિયાગ વિષમ્યોસમાત: વિષયોમાંથી ઇન્દ્રિયોને સારી રીતે નિવૃત્ત કિરવી તે પ્રત્યાહાર છે. અષ્ટાંગ યોગમાં પાંચમું અંગ તે પ્રત્યાહાર છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨. મુનાષ્ટક સંશી પંચેન્દ્રિય જીવોમાં ઇન્દ્રિયોને મન સાથે ગાઢ સંબંધ છે. દ્રવ્ય મન ન હોય તો દ્રવ્ય ઇન્દ્રિયો અક્રિય થઈ જાય છે. દ્રવ્ય ઇન્દ્રિયો માધ્યમ તરીકે કાર્ય કરે છે. દ્રવ્ય મનનું ભાવ મન સાથે અને ભાવ મનનું આત્મા સાથે જોડાણ છે. ૨૧ જ્યાં સુધી ઇન્દ્રિયો વિષયોમાંથી નિવૃત્ત થતી નથી ત્યાં સુધી સાચી મન્નતા સધાતી નથી. પરંતુ ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરવાની પ્રક્રિયા ઘણી સૂક્ષ્મ અને અટપટી છે. ક્યારેક તે સાધકને ભ્રમમાં નાખી દે છે. આટલું સ્પષ્ટ સમજી લેવું જોઇએ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ઇન્દ્રિયો રહેવાની. અને ઇન્દ્રિયો દ્વારા કેટલીક ક્રિયાઓ અવશ્ય થવાની. જ્ઞાની મહાત્માઓ આહા૨ લે કે ન લે ? આહારમાં અમુક દ્રવ્ય ખારાં, ખાટાં, તીખાં, ગળ્યા કે કડવાં છે એની ખબર જ્ઞાનીને પડે કે ન પડે ? તો એનો ઉત્તર એ છે કે જ્ઞાની મહાત્માઓ આહાર લે છે અને એમાં અમુક દ્રવ્ય ખાટાં, ગળ્યાં છે એની પણ એમને ખબર પડે જ. જો આવી કશી ખબર ન પડે તો એમની સ્વાદેન્દ્રિય જડ અને બુઠ્ઠી થઈ ગઈ છે એમ માનવું પડે, પણ એમ નથી હોતું. જ્ઞાનીને એની ખબર પડે, પરંતુ તેઓ તે પ્રત્યે ઉદાસીન હોય છે. તેમને ગમાનો કે અણગમાનો, ઇષ્ટ–અનિષ્ટનો કશો જ ભાવ થતો નથી. તે જાણવા માટે તેમને કોઈ ઉત્સુકતા કે જિજ્ઞાસા હોતાં નથી. તેમણે ઇન્દ્રિયોમાંથી મનને નિવૃત્ત કરી દીધું હોય છે. એટલે જ તેઓ જોતા હોવા છતાં જોતા નથી. તેઓ ખાતા હોવા છતાં કોઈ રસમાં આસક્તિ અનુભવતા નથી. તેઓ મધુર કે કર્કશ શબ્દ સાંભળતા હોવા છતાં કે સુગંધ અથવા દુર્ગંધનો અનુભવ કરતા હોવા છતાં તેમના મનમાં કોઈ પ્રતિક્રિયા ઊઠતી નથી. હવે બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત થયેલા મનને ક્યાં વાળવું ? મન નિષ્ક્રિય તો રહેવાનું નથી. ચંચળતા એનો સ્વભાવ છે. આવા મનને ચૈતન્યમાં, આત્મસ્વરૂપમાં વિશ્રાન્ત કરી દેવું જોઈએ. જીવ બાહ્ય પદાર્થોમાં, ઇન્દ્રિયોના વિષયોમાં બાહ્ય સ્થૂલ વિશ્રાન્તિ ઘણી વાર અનુભવે છે. પરંતુ એ વિશ્રાન્તિ અલ્પકાલીન, ભ્રામક અને અંતે દારૂણ, કષ્ટદાયક For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ જ્ઞાનસાર નીવડે છે. ઇન્દ્રિયોના ભોગવટામાં સુખશાન્તિ છે એવો ભ્રમ વધુ વખત ટકતો નથી. ઇન્દ્રિયો ક્ષીણ થતાં જીવ થાકી જાય છે, હારી જાય છે. એક વાર ચૈતન્યમાં વિશ્રાન્તિ કરવાનો અનુભવ થાય તો એવો અનુભવ કરવાનું વારંવાર મન થશે જ. પ્રબળ પુરુષાર્થે એમાં મગ્નતા પ્રાપ્ત થાય છે, પણ અંતે તો એ જ કરવા યોગ્ય છે એવી પ્રતીતિ થાય છે. [૧૦] યસ્ય જ્ઞાનસુઘાસિભ્ય પરબ્રહ મનાતા | વિષયા તરસંચારસ્તસ્ય ફાતીહત્નોપમ: | ૨ | ૨ | [શબ્દાર્થ =જેને; જ્ઞાનસુધાસભ્યો=જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં; પરબ્રહણિ પરમાત્મામાં માનતા મગ્નતા, લીનતા, વિષયાન્તર=બીજા વિષયમાં; સંવર:= પ્રવૃત્તિ કરવી; તસ્વ=તેને; હતા=હલાહલ ઝેર; ૩૫૫:=જેવી] અનુવાદ-જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની મગ્નતા છે તેને બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી તે ઝેર સમાન લાગે છે. (૨) વિશેષાર્થ પરબ્રહ્મ એટલે પરમાત્મસ્વરૂપ જેઓને પોતાના જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા શુદ્ધ આત્મસ્વરૂપમાં મગ્નતા અનુભવાય છે, આત્મા એ જ પરમાત્મા છે એવી ઉચ્ચ કોટિની અનુભૂતિ થાય છે ત્યારે તેઓને વિષયાન્તરસંચાર એટલે કે બીજા વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે હલાહલ ઝેર જેવી લાગે છે. અહીં બે અંતિમ કોટિની, પરસ્પર વિરુદ્ધ એવી દશા બતાવવામાં આવી છે–એક અમૃતના આસ્વાદ જેવી અને બીજી ઝેરના અનુભવ જેવી. જ્ઞાનને સુધા-સિંધુ એટલે કે અમૃતના સમુદ્રનું રૂપક આપવામાં આવ્યું છે. આવા સમુદ્રમાં તરવા પડેલા અને એ પ્રવૃત્તિમાં મગ્ન બનેલા જીવને એમાંથી બહાર નીકળવું ગમતું નથી. બહારની સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે એને અણગમો, અભાવ થાય છે. વિષયાન્તર એને હલાહલ ઝેર સમાન લાગે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨. મનાષ્ટક સમ્યક્ શ્રુતજ્ઞાન મહાસાગર જેવું છે. એમાં નિમજ્જન કરનાર સમ્યગ્દષ્ટિ મહાત્માઓને અમૃતાનુભવ થાય છે. વળી જ્ઞાન આત્માનો ગુણ છે. આત્માનો જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાન અમૃતમય છે. આત્મસ્વભાવની રમણતામાં મગ્નતા આવે ત્યારે આવો અમૃતાનુભવ થાય છે. જેમ માલતીના ફૂલના રસમાં મગ્ન બનેલા ભ્રમરને કેરડાના કે બાવળના વૃક્ષ પર બેસવું ગમતું નથી, તેવી રીતે જ્ઞાનામૃતના અનુભવી મહાત્માઓને બીજી કોઈ સાંસારિક પ્રવૃત્તિઓમાં રસ પડતો નથી. પૌદ્ગલિક રસો નીરસ લાગે છે. મિષ્ટ ભોજન, મધુર સંગીત, અત્તરનો મઘમઘાટ, સકામ સ્પર્શ, વિવિધ પ્રકારની ક્રીડાઓ કે સંસારની અન્ય કોઈ પ્રવૃત્તિ કે એવું કશું જ કરવું ગમતું નથી. તેઓ ખાતાપીતા કે હરતાફરતા હોય તો પણ તેમાંથી તેમનો કર્તાભાવ કે ભોકતાભાવ નીકળી ગયો હોય છે. સામાન્ય માણસને આવી વાત અતિશયોક્તિ ભરેલી લાગે, પરંતુ જેઓએ જાતે આવી મન્નતાનો અનુભવ કર્યો હોય છે તેઓને આ વાત એકદમ યથાર્થ લાગે છે. [૧૧] સ્વમાવસુદ્ધમનસ્ય જ્ઞાત્તત્ત્વાવલોહિન:। ૨૩ ર્તૃત્વ નાન્યમાવાનું સાક્ષિત્વમવશિષ્યતે ।। ૨ ।। રૂ।। [શબ્દાર્થઃ સ્વમાવ=આત્મભાવ; સુહમનસ્ય=આનંદમાં મગ્ન થયેલાને; जगतत्त्वावलोकिनः 1:=જગતના તત્ત્વને (સ્વરૂપને) જોનારને; તૃત્વ=કર્તાપણું; ન=નથી; અન્યમાવાના=અન્ય ભાવોનું; સાક્ષિત્વમ્=સાક્ષીપણું, દૃષ્ટાભાવ; અવશિષ્યતે=શેષ, બાકી રહે છે.] અનુવાદ-આત્મભાવના સુખમાં મગ્ન થયેલા અને જગતના સ્વરૂપનું અવલોકન કરનારને અન્ય ભાવોનું કર્તાપણું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે. (૩) વિશેષાર્થ : શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગાયું છેઃ સયલ સંસા૨ી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. આખો સંસાર ઇન્દ્રિયસુખમાં રચ્યોપચ્યો છે, પરંતુ મુનિઓ આત્મામાં રમણતા કરે છે. સંસારના જીવોમાં મિથ્યાત્વ ભારોભાર પડેલું છે. જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓમાંથી પણ સર્વવિરતિધર તો કેટલા બધા ઓછા છે ! જ્યાં સુધી સર્વવિરતિધરપણું અથવા મુનિપણું આવતું નથી ત્યાં સુધી ગૃહસ્થપણામાં કોઇક વિરલા જ સાક્ષીભાવથી જીવન જીવી શકે, પરંતુ બીજા એ દિશામાં પુરુષાર્થ અવશ્ય કરી શકે. વ્યવહારમાં અનેક કાર્યો ક૨વાં પડે છે, સંબંધો સાચવવા પડે છે, કર્તવ્યો બજાવવાં પડે છે. એવે વખતે વ્યવહારની ભાષા પ્રયોજાય છે અને વ્યવહારથી કર્તુત્વભાવ વ્યક્ત થઈ જાય છે. જ્ઞાનસાર મુનિપણું આવે એટલે પોતાનાં ઘ૨-મકાન હોય નહિ, સાંસારિક સંબંધો હોય નહિ, લગ્નાદિ વ્યાવહારિક પ્રસંગો સાચવવાના હોય નહિ, ચીજવસ્તુઓનું માલિકીપણું હોય નહિ. સ્વાધ્યાય, ધ્યાન વગેરે માટે એકાંત ઘણું મળે. અસંગપણું પણ કેળવાય. એવે વખતે સાધક મુનિને આત્મરમણતા માટે અવકાશ મળતાં સ્વભાવનું-આત્મભાવનું સુખ કેવું હોય છે તે અનુભવવા મળે. આ અલૌકિક આનંદની અનુભૂતિ એવી હોય છે કે જે એને એ દિશામાં વારંવાર વાળે છે. ન મુનિઓને બીજાં કોઈ ઉપકરણો કે સંબંધો ન હોય તો પણ દેહધર્મો તો હોય છે, હર્ષ વગેરે ભાવો રહે છે. એટલે એમાં કર્તૃત્વનો ભાવ આવવાનો સંભવ છે. પોતાનો દેહ તો નિમિત્ત માત્ર છે અને દેહ પણ પુદ્ગલ સ્વરૂપ છે એવા ભાવમાં સ્થિર રહેવાય તો કર્તૃત્વભાવ નીકળી જાય છે. શાસ્ત્રના અભ્યાસથી અને તત્ત્વના અવલોકનથી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થતાં દેહનાં કાર્યો કરવા છતાં કર્તાભાવ નીકળી જાય છે. જેમ જેમ બાહ્ય સ્થૂલ કાર્યોમાંથી કર્તૃત્વભાવ નિષ્ઠાપૂર્વક કાઢી નાખવાનો મહાવરો વધતો જશે તેમ તેમ પોતે માત્ર નિમિત્ત છે, ઘટના તો એ પ્રમાણે જ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨. મનાષ્ટક થવાની હતી એવા ભાવ આવશે. આ મહાવરો વધતાં સૂક્ષ્મ ક્રિયાઓમાંથી પણ કર્તૃત્વ ભાવ નીકળવા લાગશે. દ્રવ્યકર્તૃત્વનો ઇન્કાર કરવાનું કદાચ સરળ ગણાય, પણ ભાવકતૃત્વમાંથી નીકળી જવાનું એટલું સરળ નથી. તો પણ તે અશક્ય નથી, એવી દશા જેમ જેમ આવતી જશે તેમ તેમ જગતને તથા જગતના સર્વ વ્યવહારોને સાક્ષી ભાવથી જોવાનું પ્રાપ્ત થશે. [૧૨] પરબ્રહ્મળ મનસ્ય ઋથા પૌદ્ગનિળી થા । ૨૫ સ્વામી ધામીરોન્માવા: ારા દ્વારાવા: વર્ષેર્ ॥૪॥ [શબ્દાર્થ: પરબ્રહ્મ[િ=પરબ્રહ્મમાં, પરમાત્મામાં; મનસ્વ=મગ્ન થયેલાને; řથા=ની૨સ; પૌદ્ગતિ=પુદ્ગલ સંબંધી; જ્યા=વાત; વન=ક્યાં; અમી=આ; વામી =સુવર્ણ, ધનસંપત્તિ; ૐન્માવા:=અભિમાન; RĪ=ચિત્તને આંજી નાખે એવા; વારા=સ્ત્રી; આવરા:=(સ્ત્રીના) આદરો; વ=ક્યાં; ==અને.] અનુવાદ-પરમાત્મ સ્વરૂપમાં તન્મય થયેલાને પુદ્ગલ વિશેની વાતો નીરસ લાગે છે. તો પછી તેને ધનનું અભિમાન અને સ્ત્રીઓનો આદર ક્યાંથી હોય ? (૪) વિશેષાર્થ : જે યોગીમહાત્માઓ પરબ્રહ્મમાં મગ્ન થયેલા છે તેઓને હવે પુદ્ગલ સંબંધી કથામાં રસ પડતો નથી. જે વાતોમાં સંસારી ભોગીજનોને અતિશય રસ પડે છે અને એ સાંભળવા માટે કે અનુભવવા માટે ચટકો લાગે છે એવી વાતોમાં આવા મુનિઓને નીરસતા લાગે છે, કંટાળો આવે છે. એવી વાતો પ્રત્યે તેમનું ચિત્ત ઉદાસીન રહે છે કે નિવૃત થઈ જાય છે. સામાન્ય સંસારી યુવાન માણસને પોતાના જીવનને સાર્થક ક૨વા માટે મુખ્ય બે વસ્તુ મેળવવા જેવી જણાય છે. એક તે ચામીકર એટલે સુવર્ણ અર્થાત્ ધનની કમાણી અને બીજું તે રૂપવતી રમણીની પ્રાપ્તિ. સાંસારિક ભોગો ભોગવવા માટેનાં આ બે મોટાં આલંબનો છે. ધન, સુવર્ણાદિ સંપત્તિ મોટા પ્રમાણમાં For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર પ્રાપ્ત થતાં તે માટેનું એનું અભિમાન પણ વધતું જાય છે. બાહ્ય દૃષ્ટિએ તે વિનયપૂર્વક વર્તતો હોવા છતાં અને લઘુતાનો ભાવ પ્રદર્શિત કરતો હોવા છતાં એના અંતરના ખૂણે આવી ધનસંપત્તિ માટે ગર્વની વૃત્તિ પડેલી હોય છે. જેમ જેમ વેપારઉદ્યોગ, માલમિલકત, ઝરઝવેરાત, વસ્ત્રપરિધાન, વાહનો, નવાં નવાં કિંમતી ઉપકરણો ઇત્યાદિમાં પોતાને આગળ વધવા મળે તેમ તેમ માણસને ભોગવિલાસ વધુ માણવાનું મન થાય છે. પછીથી તો પોતાના મિત્રવર્તુળમાં વાતો પણ એ વિશેની જ ચાલે છે. પરંતુ યોગી-મુનિઓએ આવી બધી બાહ્ય ભૌતિક સામગ્રીનો સ્વેચ્છાએ સમજણપૂર્વક ત્યાગ કર્યો હોય છે. આત્મા સિવાય અન્ય વાતોમાં એમને રસ પડતો નથી. હવે બાહ્ય સંયોગો અને ચીજવસ્તુઓની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, અનુકૂળતા કે પ્રતિકૂળતા કે એના સંકલ્પ-વિકલ્પો એમને સ્પર્શી શકતા નથી. એ તરફ એમનું મન ખેંચાતું નથી. બાહ્ય પદાર્થો તેમને ગ્રહણ કરવા યોગ્ય કે ભોગવવા યોગ્ય જણાતા નથી. એવા પદાર્થો કે ભોગવિલાસ માટે પોતાને કોઈ આદર-અહોભાવ રહેતાં નથી અને બીજી બાજુ એવો આદર-અહોભાવ ધરાવનાર વ્યક્તિ પ્રત્યે તેમને તિરસ્કાર નથી હોતો, પણ કરુણાયુક્ત સાક્ષીભાવની ઉદાસીનતા હોય છે. ભૌતિક પદાર્થોના ઇન્દ્રિયાર્થ સુખ કરતાં જ્ઞાનીઓને સ્વરૂપ રમણતાનો, સ્વરૂપ મગ્નતાનો આનંદ અધિક ચડિયાતો, સ્થિર અને નિરુપાધિક લાગે છે. [૧૩] તેગોત્રેશ્યવિવૃદ્વિર્યા સાથો: પર્યાયવૃદ્ધિત: ભાષિતા માવાવૌ સેલ્યમૂત યુજેતે !૨ ૧ / [શબ્દાર્થ તેનોત્તેશ્યા=અહીં જ્ઞાનાનંદરૂપ ચિત્તસુખના અર્થમાં તેજોલેશ્યા શબ્દ છે; વિવૃદ્ધિ=વિશેષ વૃદ્ધિ થા=જે; સાથો:=સાધુને; પર્યાયવૃદ્ધિત:= ચારિત્રપર્યાયની વૃદ્ધિ થતાં; માષિતા કહેલી છે; માવત્યા ભગવતી-સૂત્ર વગેરે ગ્રંથોમાં સ=2; For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨. મુનાષ્ટક સ્થંભૂતમ્ય=આવા પ્રકારનાને, જ્ઞાનમગ્નને; યુન્યતે=ઘટે છે.] અનુવાદ-ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં સાધુને ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી જે તેજોલેશ્યાની (ચિત્તસુખલાભની) વિશેષ વૃદ્ધિ કહેલી છે તે આવા પ્રકારના જ્ઞાનમગ્નને ઘટે છે. (૫) ૨૭ વિશેષાર્થ : જ્ઞાનમગ્ન મહાત્માઓને સુખનો કેવો અનુભવ થાય છે એ વિશે શ્રી ભગવતીસૂત્ર વગેરે શાસ્ત્રોના આધાર સાથે અહીં દર્શાવવામાં આવ્યું છે. ‘તેજોલેશ્યા’ શબ્દ અહીં પ્રયોજાયો છે. ‘તેજોલેશ્યા' શબ્દ ત્રણ જુદા જુદા અર્થમાં વપરાય છે. ચિત્તના શુભાશુભ અધ્યવસાયો માટે છ પ્રકારની જે લેશ્યા છે તેમાં પીત પ્રકારની લેશ્યાને તેજોલેશ્યા કહેવામાં આવે છે. તદુપરાંત ઉગ્ર તપશ્ચર્યાથી પ્રાપ્ત થતી વિશિષ્ટ પ્રકારની લબ્ધિને તેજોલેશ્યા કહેવામાં આવે છે. શીત અને ઉષ્ણ એમ બે પ્રકારની તે હોય છે. એમાં ઉષ્ણ તેજોલેશ્યા જેના ૫૨ ફેંકવામાં આવે તેને તે બાળી નાખી શકે છે. અહીં ત્રીજા પ્રકારની તેજોલેશ્યાનો ઉલ્લેખ છે. એનો અર્થ થાય છે ‘ચિત્તસુખ’, ‘ધર્મબિન્દુ’ની ટીકામાં કહ્યું છે: તેનશ્ચિત્તસુવનામલક્ષળમ્ । અર્થાત્ તેજોલેશ્યા એટલે ચિત્તસુખનો લાભ. તેજોલેશ્યા એટલે ચારિત્રશુદ્ધિથી પ્રાપ્ત થતો વિશિષ્ટ કોટિનો ઉચ્ચત્તર આનંદ. શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી કહે છે, ‘હે ગૌતમ ! એક માસ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ વાણવ્યંતર દેવોના સુખને ઓળંગી જાય છે.' આ રીતે બે માસ, ત્રણ માસ, યાવત્ બાર માસના દીક્ષાપર્યાયવાળા મુનિવરો અનુક્રમે કયા કયા દેવો કરતાં વધુ સુખ અનુભવે છે તે ભગવાને બતાવ્યું છે. બાર માસના દીક્ષાપર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવોથી પણ અધિક સુખ હોય છે. આમ દીક્ષાપર્યાયની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે. એક સંવત્સર પછી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તે નિરતિચાર ચારિત્રવાળા અકિંચન મહાત્મા વિશુદ્ધ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮ થઈને સિદ્ધબુદ્ધ થાય છે, નિર્વાણ પામે છે. આ તેજોલેશ્યાની વૃદ્ધિ ફક્ત સાધુઓને જ હોય છે અને તેમાં પણ બધા જ સાધુઓને તે નથી હોતી. જેઓ આત્મજ્ઞાનમાં ઉત્તરોત્તર વધુ મગ્ન હોય તેમને વિશે એ ઘટે છે. જેઓ મંદ સંવેગી હોય તેવા સાધુઓને આવા ભાવ કે આનંદનો અનુભવ થતો નથી. એક વર્ષ કે તેથી અધિક ચારિત્રપર્યાયવાળા મહાત્માઓ અમત્સરી, કૃતજ્ઞ, સદારંભી, હિતાનુબંધી, અકિંચન, સદાગમથી વિશુદ્ધ, પરમ શુકલ પરિણામવાળા, પરભાવમાંથી નિવૃત્ત, પૌદ્ગલિક વિષયો પ્રત્યે અનાસક્ત, ઇન્દ્રિયવિજેતા, આત્મમગ્ન હોય છે. કહ્યું છે : आकिंञ्चन्यं मुख्यं ब्रह्मातिपरं सदागमविशुद्धम् । सर्वं शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् ।। [મુખ્ય અકિંચનપણું, બ્રહ્મને વિશે અત્યંત તત્પરતા, સદાગમ વડે વિશુદ્ધ એ શુક્લ છે અને તે એક વર્ષના ચારિત્ર પછી અવશ્ય હોય છે.] સર્વ જ્ઞાનમગ્ન મહાત્માઓની આવી ઉચ્ચ આધ્યાત્મિક દશા હોય છે. [૧૪] જ્ઞાનમનસ્ય યષ્કર્મ તનૂનું નૈવ શક્યતે નોજ્ઞેયં પ્રિયાશ્ર્લેષનપિ તન્તનદ્રવૈઃ ।।૨। ૬ ।। જ્ઞાનસાર [શબ્દાર્થઃ જ્ઞાનમનસ્ય=જ્ઞાનમાં મગ્ન થયેલાને; યત્=જેઃ શર્મ=સુખ, આનંદ, ત—તે; વવતુ=કહેવાને; નૈવ=ના+વ નહિ જ; શઘ્યતે=શકાય; 7=ના, નથી; ૩૫મેયં=સરખાવવા યોગ્ય; પ્રિયા=પ્રિય સ્ત્રી; આજ્ઞેષ:=આલિંગન વડે; ન=નથી; અવિ=પણ; તત્—તે; ચન્દ્રનદ્રવૈ:=ચંદનના વિલેપન વડે.] અનુવાદ-જ્ઞાનમાં મગ્ન થયેલાનું જે સુખ છે તે કહી (વર્ણવી) શકાય એવું નથી. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨. મગ્નાષ્ટક પ્રિયાના આલિંગનના કે ચંદનના વિલેપનના સુખ સાથે તેની સરખામણી થઈ શકે એમ નથી. (૬) વિશેષાર્થ કોઈપણ વાતમાં જીવ જ્યારે અતિશય મગ્ન થઈ જાય છે ત્યારે તે આસપાસનું બધું ભૂલી જાય છે. ક્યારેક ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. સ્થળ અને કાલનું એને કંઈ ભાન રહેતું નથી. જો સામાન્ય વાતમાં આમ બનતું હોય તો જ્ઞાનની બાબતમાં તો એ સવિશેષ બને છે. એટલે જ અહીં કહ્યું છે કે જ્ઞાનમગ્ન માણસના સુખાનુભવને ભાષામાં વર્ણવી શકાય એમ નથી, કારણ કે એ અનુભવ ઇન્દ્રિયોથી પર હોય છે. એ એવો અદ્વિતીય હોય છે કે એને માટે કોઈ ઉપમા આપી શકાતી નથી. બાહ્ય ભૌતિક જગતમાં પ્રિય સ્ત્રીનું આલિંગન, બાવનાચંદનનું વિલેપન ઇત્યાદિનો આનંદ કેટલાકને માટે ચડિયાતો ગણાય છે, પણ આ પીગલિક આનંદની સાથે જ્ઞાનાનંદને સરખાવી શકાય એમ નથી. એના કરતાં પણ એ અતિશય, અકચ્છ ચડિયાતો છે. ભૌતિક પદાર્થોના ઉપભોગના આનંદને મર્યાદા હોય છે. તે અલ્પકાલીન હોય છે. તે પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે અને તે ભોગવ્યા પછી થાક, અરુચિ, ગ્લાનિ વગેરે અનુભવાય છે. તેનો અતિભોગ થઈ શકતો નથી. જ્ઞાનમગ્નતાનો આનંદ શુદ્ધ, ઉપાધિ વિનાનો, અખંડ, ઉત્તરોત્તર વિશેષ ચમત્કૃતિ ભરેલો હોય છે. ભૌતિક પદાર્થો ક્યારેક સુખનો અનુભવ કરાવવાને બદલે દુઃખરૂપ નીવડે છે. પ્રિયા, પુત્ર, પૌદ્ગલિક પદાર્થો સંકટ કે મૃત્યુનાં નિમિત્ત પણ ક્યારેક બની જાય છે અથવા તે આરંભમાં સુખરૂપ અને પ્રાન્ત દુ:ખરૂપ બને છે. જ્ઞાનાનંદ ક્યારેય દુઃખમાં પરિણમતો નથી. પુદ્ગલાનંદની પ્રાપ્તિ માટે પાપારંભ કરવા પડે છે, જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે. જ્ઞાનાનંદની પ્રાપ્તિમાં પાપારંભ હોતા નથી, પરંતુ જ્ઞાનાનંદથી કર્મની નિર્જરાનો લાભ મળે છે. સંસારનાં ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક સુખ એ દુઃખનો પ્રતિકાર છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૦. જ્ઞાનસાર વિશેષાવશ્યકભાષ્યમાં નીચેની બે ગાથામાં કહ્યું છેઃ विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ व्व । तं सुहमुवयाराओ न उवयारो विणा तच्चं ।। [વિષયસુખ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ચિકિત્સાની જેમ વસ્તુતઃ દુઃખ જ છે. પરંતુ તે ઉપચારથી સુખ છે. ઉપચાર પણ તેના વિના હોતો નથી. અર્થાત્ પારમાર્થિક સુખનો વિષયસુખમાં આરોપ કરવામાં આવે છે.] सायासायं दुक्खं तव्विरहम्मि य सुहं जओ तेणं । देहिदिएसुदुक्खं सोक्खं देहिंदियाभावे ।। [શતાવેદનીય અને અશાતાવેદનીય બંને દુઃખ જ છે. તેના વિરહમાં-અભાવમાં સુખ છે. તે શાતા-અશાતા દેહ અને ઇન્દ્રિયોના આધારે થતું હોવાથી દુઃખ છે. શરીર અને ઇન્દ્રિયોના અભાવમાં સુખ છે.] જગતનાં ઘણાખરા જીવો પદ્ગલિક સુખ માણે છે. એના કરતાં ચડિયાતું એવું આધ્યાત્મિક સુખ છે એવી તેમને ખબર જ નથી હોતી. કેટલાકને એની ખબર હોય છે, પણ એ માટે રુચિ કે સમયાવકાશ હોતાં નથી. કેટલાકને એ પણ હોય છે, તો એવો અનુભવ નથી હોતો. સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે. [૧૫] શમશૈત્યપુષો વચ્ચે વિભુષોડપિ મહાથા: | હિં તુમો જ્ઞાનપીયૂષે તત્ર સર્વામનતામ્ II ૨ | ૭ | શબ્દાર્થ શમશૈત્યપુષ:=શમ (ઉપશમ) રૂપી શીતળતાને પોષનારી; =જેના For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨. મગ્નાષ્ટક ૩૧ (જ્ઞાનામૃતના), વિપુષ:=બિન્દુ; પિકપણ; માથા:=મોટી કથાઓ; —િશી રીતે?; તુમ =સ્તુતિ કરીએ; જ્ઞાનપીયૂષે=જ્ઞાનરૂપી અમૃતમાં; તત્ર ત્યાં; સામનતામ=સર્વ અંગે મગ્નપણાની.] અનુવાદ-ઉપશમરૂપી શીતળતાની પુષ્ટિ કરનાર જેના (જ્ઞાનામૃતના) બિંદુની પણ મહાકથા છે, તે જ્ઞાનામૃતમાં સર્વાગે મગ્નતાની અમે શી સ્તુતિ કરીએ ? (૭) વિશેષાર્થઃ વિમુષ એટલે બિન્દુ. ઉપશમની શીતળતાને પુષ્ટ કરનાર જ્ઞાનમગ્નતાના આનંદરૂપી અમૃતના એક બિંદુની વાત પણ મહાકથા જેવી છે. શમ અથવા ઉપશમ એટલે ક્રોધાદિ કષાયોનું શાન્ત થઈ જવું, ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિશે રાગદ્વેષની પરિણતિ મંદ થઈ જવી. જેઓ સમતામાં સ્થિર થઈ સ્વભાવદશાનો આનંદ અનુભવે છે એવા સમ્યજ્ઞાની મહાત્માઓના સંપર્કમાં આવ્યા પછી પોતાને થયેલા અનુભવોની વાત એક મહાકથાની જેમ ચારે બાજુ પ્રસરે છે. જગતમાં પુદ્ગલાનંદની, ભૌતિક સુખસમૃદ્ધિની, ઈનામ-લોટરીની વાતો પણ તરત પ્રચલિત થવા માંડે છે. સંસારના ઘણાખરા જીવો આવા પુદ્ગલાનંદની પાછળ પડ્યા હોય છે. ઇન્દ્રિયોના બાહ્ય સુખ પાછળ દોટ મૂકનાર જીવોને એથી જે સુખ મળે છે તે અલ્પકાલીન અને પરાવલંબી હોય છે. જ્યાં સુધી આત્મિક સુખનો અનુભવ થયો નથી ત્યાં સુધી જ એનો મહિમા એમને લાગે છે. પરંતુ ભૌતિક પદાર્થો અને અનુકૂળતાઓનું સુખ, જ્યાં સુધી હીરો જોયો ન હોય ત્યાં સુધી કાચનો ટુકડો વહાલો લાગે એના જેવું છે. ઉપશમ એટલે ક્રોધાદિ કષાયો જેમના શાન્ત થઈ ગયા છે, રાગદ્વેષની પરિણતિ જેમની મંદ થઈ ગઈ છે, જેઓ સમતામાં સ્થિર થઈ એનો આનંદ અનુભવે છે, એવા સમ્યગુજ્ઞાની મહાત્માઓની સ્વભાવદશા. ઉપશમની શીતળતાના અંશ માત્રનો, બિન્દુમાત્રનો આસ્વાદ એક મહાકથા જેવો બની જાય છે, એમના સંપર્કમાં For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ્ઞાનસાર આવ્યા પછી થયેલા અનુભવોની વાતો ચારે બાજુ મહાકથાની જેમ પ્રસરે છે. ગ્રંથકારશ્રી કહે છે કે આત્મજ્ઞાનમાં અંશે જેમણે મગ્નતા અનુભવી છે એમની જો આવી વાતો હોય, તો જેમણે સર્વાગ મગ્નતા અનુભવી હોય એવા મહાત્માની સ્તુતિ અમે કયા શબ્દોમાં કરી શકીએ ? મતલબ કે એમની સ્તુતિ કરવા માટે અમારી પાસે પૂરતા શબ્દો નથી. [૧૬] યસ્થ વ્રુષ્ટિ પાવૃષ્ટિ : શમસુધારિ: | तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ।। २ ।। ८ ।। [શબ્દાર્થ =જેની વૃષ્ટિ દષ્ટિ, ચલુ, પવૃષ્ટિ કૃપાનીવૃષ્ટિ : =વાણી; મારિ :=શમરૂપી અમૃતનો છંટકાવ કરનારી, તમૅ તેને; નમ:=નમસ્કાર હો; મજ્ઞાનધ્યાનમનાય શુભ (પ્રશસ્ત) જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન એવાને; થોને યોગીને.] અનુવાદજેમની દષ્ટિ કૃપાની વૃષ્ટિ કરનારી છે અને જેમની વાણી ઉપશમરૂપી અમૃતનો છંટકાવ કરનારી છે, તે શુભ જ્ઞાન ધ્યાનમાં મગ્ન બનેલા યોગીને નમસ્કાર હો ! (૮) વિશેષાર્થ જ્ઞાનમગ્નતાનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અષ્ટકને અંતે ગ્રંથકારશ્રી એવા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન યોગીને નમસ્કાર કરે છે. જ્ઞાનયોગીનાં ઘણાં શુભલક્ષણો હોય છે. એમાંથી ઉદાહરણરૂપ બે મહત્ત્વનાં લક્ષણોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છેઃ (૧) જેમની દૃષ્ટિ કૃપા વરસાવનારી હોય છે અને (૨) જેમની વાણી ઉપશમરૂપી સુધાનો છંટકાવ કરનારી હોય છે. જેમ જેમ સાધક આત્માની જ્ઞાન અને ધ્યાનમાં મગ્નતા વધતી જાય છે તેમ તેમ તેમની દૃષ્ટિમાં અને વાણીમાં શુભ પરિવર્તન આવતું જાય છે. તેમની દૃષ્ટિમાં જગતના જીવો પ્રત્યે કરુણા વહેવા લાગે છે. જગતના સર્વ જીવોનો આત્મા એમને For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨. મનાષ્ટક પોતાના આત્મા સમાન લાગે છે. સર્વ જીવોનું કલ્યાણ થાય, સર્વ જીવો મુક્તિસુખ પામે એવી ભાવના નિરંતર તેમના અંતરમાં રહે છે. સર્વ જીવો ૫૨ એમની કૃપાદ્દષ્ટિ રહેલી હોય છે. સંસારમાં કોઈનું પણ અહિત ક૨વાનું તેમને મન થતું નથી અથવા કોઈનું, અરે પાપીનું પણ અહિત થાય એવો ભાવ એમના મનમાં રહેતો નથી. આવા યોગી મહાત્માઓની વાણી ક્રોધાદિ કષાયો કે રાગદ્વેષાદિ દોષોથી રહિત ઉપશમરસથી સભર હોય છે. ચંદ્રના શીતલ કિરણોની જેમ એમની મધુર વાણી સુધા વરસાવતી રહે છે. સર્વ જીવો સાથે એમનો વાણીવ્યવહા૨ મૃદુતા અને મધુરતાથી ભરેલો હોય છે. એમની કરુણાર્દ્ર વાણી સાંભળતાં જ માણસને પોતાના કોઈ હિતેચ્છુના તે શબ્દો હોય એવો અનુભવ થાય છે. આવા યોગી મહાત્માને ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની જેમ આપણે પણ ભાવપૂર્વક નમસ્કા૨ કરીએ છીએ. ૩૩ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ્ઞાનસાર ૩. સ્થિરતાષ્ટક [૧૭] વ! વં ચશ્વત્નસ્વાના બ્રાન્ડ્રા બ્રાન્ડ્રા વિષત્તિ નિધિ સ્વસન્નિશાવેવ સ્થિરતા વયિષ્યતિ | રૂ . ૨ | શબ્દાર્થ: વહે વત્સ !; =િકેમ; વંવદ્વાન્ત =ચંચળ અંતઃકરણવાળો; બ્રાન્વી બ્રાન્ધીભમી ભમીને; વિડીય=ખેદ પામે છે; નિધિ=નિધાન, ખજાનો, ભંડાર; સ્વાંનિધી=પોતાની પાસે; =જ; સ્થિરતા સ્થિરતા; વયિષ્યતિ–બતાવશે.] અનુવાદ-હે વત્સ ! ચંચળ ચિત્તવાળો થઇને, ભટકી ભટકીને તું ખેદ કેમ પામે છે ? સ્થિરતા તારી પાસે જ રહેલા ખજાનાને બતાવશે. (૧) | વિશેષાર્થ : સ્થિરતા વિશેના આ અષ્ટકનો આરંભ ગ્રંથકારશ્રીએ સાધકને “વત્સ શબ્દના સંબોધનથી કર્યો છે. ગુરુ મહારાજ વાત્સલ્ય અને કરુણાના ભાવથી પોતાના શિષ્યને “વત્સ” કહીને સંબોધે છે. તેઓ તેને કહે છે કે “હે વત્સ! તું ચંચળ ચિત્તવાળો બનીને કેમ અહીં તહીં ભટકી રહ્યો છે? ભટકી ભટકીને તું દુઃખી થઈ રહ્યો છે. તને થાક અને ખેદ લાગ્યો છે. માટે તું હવે સ્થિર થા !” ચિત્તની સ્થિરતા વિના આધ્યાત્મિક શાન્તિ નથી. જીવ ચૌદ રાજલોકમાં અને ચોર્યાશી લાખ યોનિમાં ભટકતો રખડતો હવે મનુષ્ય ગતિમાં આવ્યો છે. પરંતુ મનુષ્ય ગતિમાં તે બાહ્ય પદાર્થોમાં સુખ શોધવા મથે છે. તે એક વસ્તુને સુખબુદ્ધિથી ગ્રહણ કરે છે અને તેમાં સુખ પ્રાપ્ત ન થતાં તેનો ત્યાગ કરીને બીજી વસ્તુ ગ્રહણ કરે છે. એમ કરતાં કરતાં તેને થાક, નિરાશા અને વિષાદનો અનુભવ થાય છે એથી તેની ચંચળતા વધતી જાય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક જ્યાં શાશ્વત સુખ નથી ત્યાં જીવ સુખની શોધ માટે દોડે છે. ભૌતિક પદાર્થોમાં કાયમને માટે પૂર્ણ સુખ આપવાની શક્તિ નથી. ભૌતિક પદાર્થનો ભોગવટો તત્કાલ ગમે છે, પણ એ ગમવાનો ભાવ સ્થૂલ છે અને તે વધુ ટકતો નથી. બાહ્ય પદાર્થો દરેક જીવને પોતાની ઇચ્છા પ્રમાણે મળતા નથી અને કોઈકને મળે છે તો તે પૂર્ણ હોતા નથી. એથી કોઈને કાયમનો સંતોષ થતો નથી. એટલે જીવને બીજા બીજા પદાર્થોની ઇચ્છા થાય છે. આમ વિષયો-પદાર્થોના સ્થૂલ ભોગવટાનું અને એ માટે ભટકવાનું ચંચળ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલા માટે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ ! જે સુખ તું બહાર શોધે છે એ તારા પોતાનામાં જ છે. તારા અંતરંગ ગુણોમાં, આત્મસ્વરૂપમાં તું સ્થિર થઈ જા. તને ત્યાં સુખનો નિધિ, સુખનો ભંડાર મળશે. પછી તારે બીજે જવું નહિ પડે. આ ખજાનો અક્ષય છે. અંધારી જગ્યામાં ખોવાયેલી વસ્તુ પ્રકાશવાળી જગ્યામાં શોધવાનો વૃથા પ્રયત્ન કરનારી પેલી ડોસીની જેમ તું વૃથા પ્રયત્ન ન કર. તું યોગ્ય સ્થળે જ સ્વગુણોની સંપત્તિના ખજાનાની શોધ કર. એ માટે તું જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતારૂપ સ્થિરતા માટે પુરુષાર્થ કર. હે વત્સ ! તું ચિત્તની તારી અસ્થિરતાને કારણે જ કષ્ટ પામતો રહ્યો છે. મહાન પુણ્યોદયે તને હવે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. આ અવસરને સાધી લઈને તું ચંચળતાનો ત્યાગ કરી, સ્થિરતાને ભજી, મનુષ્યભવને સફળ બનાવી લે. તારા પોતાનામાં રહેલા આત્મિક ગુણોના ભંડારને પ્રાપ્ત કરી લે. [૧૮] જ્ઞાનવુĖ વિનયેત નોવિક્ષોમવંત:। अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ।। ३ ।। २ ।। [શબ્દાર્થ: જ્ઞાનવુÜ=જ્ઞાનરૂપી દૂધ; વિનયેત=વિનાશ પામે, બગડી જાય; તોમવિક્ષોમ=લોભના વિકારરૂપ; ર્વ =કૂચા વડે; અન્ત=ખાટા; દ્રવ્યાત્ =પદાર્થથી; વ=જેમ; અથૈર્થાત્ અસ્થિરતાથી; કૃતિ=એમ; મત્વ=માનીને; : ૩૫ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જ્ઞાનસાર સ્થિર =સ્થિર, સ્થિરતાવાળો ભવ થા.] અનુવાદ-જ્ઞાનરૂપી દૂધ અસ્થિરતારૂપી ખાટા પદાર્થથી લોભના વિકારરૂપ કૂચા થવા વડે નાશ પામે છે, એમ જાણીને સ્થિર થા! (૨) વિશેષાર્થ અસ્થિરતા સાધકને કેવી રીતે સાધનાભ્રષ્ટ કરે છે તે સમજાવવા માટે અહીં બીજું એક રૂપક પ્રયોજાયું છે. જ્ઞાન એ દૂધ છે અને અસ્થિરતા એ ખાટો પદાર્થ છે. દૂધ ગમે તેટલી સારી ગુણવત્તાવાળું હોય અને ઘણાં મોટા પાત્રમાં ભરેલું હોય, પરંતુ એમાં ખટાશનું એક ટીપું પડે તો એ બધા દૂધને ફાડી નાખે છે. દૂધ ફોદા ફોદા થઈ જાય છે. ખટાશમાં કેટલી બધી શક્તિ છે કે આટલા મોટા દૂધના જથ્થાને તે નિરર્થક કૂચા કૂચા કરી નાખે છે ! એવી રીતે લોભરૂપી વિક્ષોભ અર્થાત્ અસ્થિરતારૂપી ખટાશ જ્ઞાનરૂપી દૂધના વિશાળ જથ્થાને નિરર્થક કરી નાખે છે. તાકાતની દૃષ્ટિએ કોણ ચડે ? જ્ઞાન કે ચંચળતા ? દેખીતું જ છે કે જ્ઞાનમાં બહુ મોટી શક્તિ રહેલી છે, પરંતુ ઉપદ્રવ કરવાની અસ્થિરતાની શક્તિ પણ ઓછી નથી. સમર્થ જ્ઞાની મહાત્માઓનું સાચું જ્ઞાન અસ્થિરતાને, ચંચળતાને પોતાની પાસે આવવા દેતું નથી. તેઓ એને બરાબર ઓળખે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અથવા આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સમ્યગૂજ્ઞાની મહાત્માઓ શ્વાસોચ્છવાસમાં પોતાનાં કર્મનો ક્ષય કરી શકે છે, જે કર્મોનો ક્ષય કરતાં અજ્ઞાનીને કરાડો વર્ષ લાગે. આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરતા સાધકનું ચિત્ત જો બાહ્ય મોહક પદાર્થોમાં લપટાઈ જાય, તેનું ચર્ચાળ ચિત્ત પરભાવને વશ થઈ જાય તો તે ઘણું બધું ગુમાવી દે છે. એની જ્ઞાનસાધના સ્થગિત થઈ જાય છે. ધર્મક્રિયા, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિમાં એનું ચિત્ત ચોટતું નથી. સ્વભાવરમણતાને બદલે પીગલિક પદાર્થોની મોહકતા, અનુકૂળતા, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા ઇત્યાદિનો સંસારમાં મહિમા જોઈને એ મેળવવા એનું મન જ્યારે પ્રલોભાય છે, ત્યારે લોભ કષાય બળવાન બને છે અને ચિત્તને ડગાવી દે છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક લોલુપતા, ઇચ્છા, મૂછ, આકાંક્ષા, અપેક્ષા, તૃષ્ણા, ગૃદ્ધિ, વાસના ઇત્યાદિ બધા લોભના જ પર્યાયો છે, સ્વરૂપો છે. આવા લોભથી આત્મસ્વરૂપમાં રમણતા કરવામાં અસ્થિરતા આવી જાય છે. લોભજન્ય વિકલ્પો નિર્મળ જ્ઞાનને ડહોળી નાખે છે. સંવલનના પ્રકારનો અતિસૂક્ષ્મ લોભકષાય ઊંચે ચડેલા મોટા મહાત્માઓને પણ દુર્ગતિમાં ધકેલી દે છે. માટે તે જીવ ! આ બધું સમજીને તું અસ્થિરતાનો ત્યાગ કરી સ્થિરતામાં દઢ થા! [૧૯] સ્થિરે યે ત્રિા વીત્રારોપના ! પૃથ્રત્યા રૂવ ત્યાગવારિણી પ્રકીર્તિતા ! રૂ / રૂ I શબ્દાર્થ અસ્થિરે હૃ=હ્રદય (ચિત્ત) અસ્થિર હોય ત્યારે, ચિત્રા=વિચિત્ર, સુંદર, વિવિધ પ્રકાર, વાત્રી વાણી, નેત્ર અને આકાર; ગોપના ગોપન કરવું, છૂપાવવું; jશ્ચા :કપં શ્વલી, ફુલટા, અસતી સ્ત્રીની; રૂ=જેમ; ત્યાણારી કલ્યાણ કરનારી; ન=નથી; કીર્તિતા કહેલી.] અનુવાદ-ચિત્ત અસ્થિર હોય તો વિચિત્ર વાણી, નેત્ર આકાર (વેષાદિક)ને ગોપન કરવારૂપ ક્રિયા, કુલટા સ્ત્રીની જેમ, કલ્યાણકારી કહી નથી. (૩) વિશેષાર્થ અસ્થિરતા કેવી હોય છે એ ઉપમા આપીને સમજાવ્યા પછી સ્થિરતાનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે. અસ્થિરતા એટલે ચંચળતા અર્થાત્ એક છોડીને બીજા પર જવું અને ત્યાં સ્થિર ન રહેતાં ત્રીજા પર જવું અને એમ કરતાં રહેવું. અસતી સ્ત્રી ચંચળ હોય છે. તેને એક પુરુષ સાથે સ્થિર રહેવું ગમતું નથી. તે બીજા પુરુષને સેવવા લાગે છે. સંસ્કૃતમાં ફક્ત બે પુરુષને સેવનારી, ત્રણ પુરુષને સેવનારી એમ ચાર, પાંચ પુરુષને સેવનારી સ્ત્રી માટે જુદા જુદા શબ્દો છે. એમાં પાંચ પુરુષને સેવનારી સ્ત્રીને માટે પુંશલ્યા અથવા પુલી શબ્દ વપરાય છે. એથી વધારે પુરુષને સેવનારી For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ३८ સ્ત્રીને વેશ્યા કહેવામાં આવે છે. કેટલાક દંભી મનુષ્યોનું ચિત્ત એક વિષય પરથી બીજા એક જ વિષય પર કૂદતું નથી, તે તો એક સાથે સતત ચારપાંચ કે વધુ વિષયો પર કૂદાકૂદ કરતું હોય છે. એમની ચંચળતા પેલી પુંચલા સ્ત્રી જેવી હોય છે. જ્ઞાનસાર પરંતુ પુથલા શું કરે છે ? તે તો પોતાની ચંચળતા પકડાઈ ન જાય એટલા માટે એના પતિની સાથે મીઠા શબ્દો બોલી, માથું, હાથપગ દબાવી આપી એવો બાહ્ય વ્યવહાર કરે છે કે જેથી જોનાર તો એને ઊંચી જાતની સતી સ્ત્રી માને છે. આમ નજરે પડે એવું બાહ્ય આચરણ જુદું અને અંદરની ગુપ્ત વૃત્તિ અને પ્રવૃત્તિ જુદી. બાહ્ય દૃષ્ટિએ એની આંખો ઢળેલી, લજ્જામય, એની વાણી વિનયનો દંભ કરનારી, એના હાવભાવ પણ એવા જ સારા, મતલબ કે નેત્ર, વાણી અને કાયાના હાવભાવને એવી રીતે ગોપવે છે કે કોઈને એના ચારિત્રની શંકા ન આવે. કોઈ એને કુલટા માને નહિ. સાધનાના ક્ષેત્રમાં આવ્યા પછી પણ કેટલાક માણસોને પૌદ્ગલિક સુખમાં બહુ રસ પડે છે, એની ઝંખના રહે છે, રાગદ્વેષના અને વિષયકષાયોના અનેક વિકલ્પો એમના ચિત્તમાં રમતા રહે છે, પણ તેઓ બહારથી નેત્ર, વાણી અને કાયા દ્વારા પોતે એ વાતને ગોપવે છે અને પોતે ઊંચી જાતના સારા સાધક છે એવો દેખાવ કરે છે. ઉદાહરણ તરીકે મનમાં કામવાસના ભરેલી પડી હોય, પણ મૌન ધારણ કરે, ચાલે ત્યારે એવી નીચી નજરે ચાલે અને લોકોમાં એવો ભ્રમ ઊભો કરે કે એ મહાત્મા તો સ્ત્રીની સામે નજર સુદ્ધાં નથી કરતા. પોતે મનભાવતાં ભાતભાતનાં સ્વાદિષ્ટ ભોજન કરે અને દેખાવ એવો કરે કે પોતે માત્ર લૂખો રોટલો અને છાશ જ ખાય છે. એક દિવસ આયંબિલ કર્યું હોય તો પોતાની વાતને એવી ગજવી મૂકે છે કે જાણે તેઓ કેટલીયે વા૨ આયંબિલ ક૨ે છે. સાધક પોતાના અંતરમાં સ્થિરતા લાવ્યા વિના કપટરૂપે જે કંઈ ધર્મક્રિયા કરે તો તે એને માટે કલ્યાણકારી થતી નથી. ભાવધર્મ વગરની દ્રવ્યક્રિયા બહુ હિતકારી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક નથી. દ્રવ્યક્રિયાની સાથે સ્થિરતાપૂર્વકનો ભાવધર્મ જોડાયેલો હોવો જોઈએ. હવે એવું બને કે આરંભદશાના કોઈ સાધકમાં ચિત્તની એટલી સ્થિરતા ન આવી હોય, પરંતુ બાહ્ય દ્રવ્યક્રિયા તેઓ બરાબર કરતા હોય. તો એવા કેટલાક સાધકને દ્રવ્યક્રિયા ૫રં૫રાએ શુદ્ધ ભાવધર્મના બાહ્ય શુદ્ધ હેતુરૂપ થઈ શકે, કારણ કે આરંભકાળમાં બાહ્ય ક્રિયાઓ ચિત્તને શુદ્ધ કરે છે. પછી શુદ્ધ ચિત્ત ક્રિયાઓની શુદ્ધિવૃદ્ધિ કરે છે. દેવગતિનાં સુખોની આશાથી કરાતી કે લોકોની વાહવાહ માટે લોકસંજ્ઞાના હેતુથી કરાતી કપટયુક્ત બાહ્ય ધર્મક્રિયાઓ છોડી દઈને સાધકે સ્થિરતા પ્રાપ્ત ક૨વી જોઈએ કે જે પોતાનું કલ્યાણ કરે. જે સાધકો ઊંચા સ્થાને હોય અને જેમને અનુસરનારા અનુયાયીનો વર્ગ બહોળો હોય તેઓએ તો પોતાના મનના ખૂણામાં ગુપ્ત રીતે પડેલી પૌદ્ગલિક સુખોની આસક્તિને, વાસનાઓને, પરભાવમાં રમવાની વૃત્તિઓને વહેલી તકે તિલાંજલિ આપવી ઘટે, અન્યથા અનેકને ઉન્માર્ગે લઈ જવાનો તેમના ૫૨ દોષ આવે. ', [૨૦] અન્તર્યાત મહાશત્યમથૈર્ય વિ નોધૃતમ્ । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।। ३ ॥ ४ ॥ ૩૯ [શબ્દાર્થ: મન્તfi=અંદર (હ્રદયમાં) રહેલું; મહાશi=મોટું શલ્ય; થૈર્ય=અસ્થિરતા; ય=િજો; ન=નથી; ધૃતં=બહાર કાઢેલું; યિૌષધમ્ય=ક્રિયારૂપી ઔષધનો; જો=શો; રોષ:=દોષ; તવ=તો; ગુ=ગુણ, લાભ, ફાયદો; અયઋત:=નહિ આપના૨, નહિ કરનાર.] અનુવાદ–જો હ્રદયમાં રહેલી મહાશલ્ય જેવી અસ્થિરતાને બહાર કાઢી નાખી ન હોય તો પછી ધર્મક્રિયારૂપી ઔષધિ ગુણ ન કરે એમાં એનો (ક્રિયાનો) શો દોષ ? (૪) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ४० જ્ઞાનસાર વિશેષાર્થ : મુનિ ભગવંતે પોતાની સંયમક્રિયાઓમાં સ્થિરતા સાધવી હોય તો તે માટે અહીં આયુર્વેદની પરિભાષામાં ઉપાય દર્શાવ્યો છે. આયુર્વેદમાં કોઈ મોટા રોગના ઉપચાર પહેલાં મળશુદ્ધિ કરાવવામાં આવે છે અને ત્યાર પછી પથ્યાપથ્ય બતાવવામાં આવે છે અને સાથે ઔષધોપચાર ચાલુ થાય છે. મળ એ એક પ્રકારનું શલ્ય છે, કાંટો છે. કાંટો વાગે અને સખત દુઃખતું હોય, અસહ્ય પીડા થતી હોય તો દવા લગાડતાં પહેલાં કાંટો કાઢવો જોઈએ. કાંટો રહેવા દઈએ, કાઢીએ નહિ અને દવા લગાડીએ તો તેથી પીડા ઓછી થશે નહિ. ઉપચારમાં શલ્યમુક્તિ એ પહેલી શરત છે. પેટનાં દર્દોમાં મળશુદ્ધિ એ પહેલી શરત છે. તેવી રીતે સાધુજીવનમાં પીગલિક સુખોની અભિલાષા, પરભાવમાં રમણતા શલ્ય છે. એ જો દૂર ન થાય તો સ્વભાવમાં રમણતારૂપી સુખશાન્તિ ક્યાંથી પ્રાપ્ત થાય ? પણ જીવને અનાદિ કાળથી પરભાવમાં રમવાના, પીગલિક સુખ માણવાના અનિષ્ટ સંસ્કાર પડેલા છે. આહારાદિ સંજ્ઞાઓ બળવાન છે. આ સંજ્ઞાઓ તોડવાની જરૂર છે. પોગલિક ઇન્દ્રિયાર્થ સુખોની લાલસા છોડવાની છે અને આત્માને સ્વસ્વરૂપમાં જોડવાનો છે. જેમ શલ્યરહિત થવાથી ઉપચાર કારગત નીવડે છે તેમ સંયમસાધનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શલ્યરહિત થવાનું છે. મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય, નિદાનશલ્યથી મુક્ત થવાનું છે. નિઃશલ્ય થવાનું છે. વાચક ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે વ્રતધારી શ્રાવકે અને મુનિભગવંતે ભગવાને બતાવેલી ધર્મક્રિયારૂપી ઔષધનું સેવન કરવા માટે નિઃશલ્ય થવાનું છે. તો જ વ્રતની સારી રીતે આરાધના થઈ શકે. જ્યાં સુધી આ આત્યંતર શલ્ય છે ત્યાં સુધી ચેતનાની પરિણતિમાં સ્થિરતા આવવાની નહિ. પરભાવમાં કર્તાપણારૂપી અસ્થિરતા દૂર ન થાય તો તેમાં ધર્મક્રિયારૂપી ઔષધનો દોષ નથી. ઉપશમાદિ અંતરંગ ગુણોરૂપી ભાવસ્થિરતા આવતી નથી ત્યાં સુધી બાહ્યક્રિયાઓ ગમે તેટલી સારી દેખાતી હોય તો પણ તે ગુણકારી બનતી નથી. માટે બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ ભાવસ્થિરતા માટે પુરુષાર્થ કરવો જોઈએ. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક [૨૧] સ્થિરતા વામનઃજાયૈર્યેષામ,કિતાં થતા । યોશિન: સમશીતાસ્તે પ્રામેડરળ્યે વિવા નિશિ । રૂ ૫ધ્ [શબ્દાર્થઃ સ્થિરતા=સ્થિરતા; વાડ્મન:ાય:=વાણી, મન અને કાયા વડે; માકિતાં=અંગરૂપ, એકરૂપ, તન્મયતા; રાતા=પ્રાપ્ત થયેલ છે; યોશિન: =યોગીઓ; સમીના:-સમભાવવાળા; તે=તે; મે=ગામમાં; મળ્યે=જંગલમાં, વનમાં; વિવા=દિવસે; નિશિ=રાત્રે.] ૪૧ અનુવાદ–જેમને સ્થિરતા મન, વચન અને કાયાથી એકરૂપ થઈ ગઈ છે તે યોગીઓ ગામમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે સમભાવવાળા હોય છે. (૫) વિશેષાર્થ : યોગીજનોની સ્થિરતાની સાધના ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ બનતી જાય છે. એક બાજુ બાહ્ય પ્રવૃત્તિઓમાં સંયમ અને બીજી બાજુ સંસારના પદાર્થો, વિષયો પ્રત્યે અંતરંગ ઉદાસીનતા એમ ઉભય પ્રકારે એમની સાધના વધુ શુદ્ધ અને તીવ્ર બનતી જાય છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ એ ત્રણેમાં એમની સ્થિરતા અંગભૂત બની જાય છે. એક વખત સાંસારિક રસમાંથી નિવૃત્ત થઈ જવાય પછી તેઓને પ્રયોજન વગ૨ કાયયોગ, વચનયોગ કે મનોયોગને પ્રવર્તાવવાનું રુચતું નથી. એવો ભાવ થતો નથી. એથી ઉત્તરોત્તર એમનું સમત્વ, સમશીલત્વ સ્થિર થતું જાય છે. અમુક આહાર સારો અને પ્રિય, અમુક વસ્ત્ર, રહેઠાણ વગેરે પ્રિય અને અનુકૂળ ઇત્યાદિ પક્ષપાત સંસારી માણસોને જેવો હોય છે તેવો પક્ષપાત તેમને હોતો નથી. તેવી જ રીતે સંસારી લોકોની જેમ તેઓને કોઈ આહાર, વસ્ત્ર, રહેઠાણ ઇત્યાદિ પ્રત્યે અરુચિ, અણગમો ઇત્યાદિ પણ હોતાં નથી. યોગી મહાત્માઓને એમના નિર્મળ જ્ઞાનોપયોગને કા૨ણે કશું અપ્રિય, કશું પ્રતિકૂળ હોતું નથી. પછી તેઓ ગામમાં વિચરતા હોય, કોઈ મોટા મનોહર નગરમાં વિચરતા હોય કે ભયંકર અરણ્યમાં વિચરતા હોય. બધે જ તેમની સ્વાભાવિક સમદૃષ્ટિ રહ્યા કરે છે. એમને ક્યાંય ફરિયાદ કરવાનું કે વિપરીત અભિપ્રાય For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉચ્ચારવાનું મન થતું નથી. અંતરમાં એવો ભાવ જ ઉદ્ભવતો નથી. જેમ ગ્રામ કે અરણ્ય વચ્ચે તેમ દિવસ કે રાત્રિ વચ્ચે પણ તેમને ફરક રહેતો નથી. સૂર્યપ્રકાશથી તેઓ ઉલ્લાસિત થાય અને અંધકારથી તેઓ ઉદ્વિગ્ન બને એવું થતું નથી. ગમે તેવા બાહ્ય સંજોગો હોય, એની સાથે એમને નિસ્બત નથી હોતી. તેઓ સમશીલવાળા, સમચિત્તવાળા, સ્થિરતાવાળા હોય છે. તેઓ નિજાનંદમાં મસ્ત હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધામાં તેમની દૃષ્ટિ સમ બની જાય છે. જ્ઞાનસાર અલબત્ત એનો અર્થ એ નથી કે યોગી મહાત્માઓને વ્યવહારજગતની દૃષ્ટિએ આ સુંદર કહેવાય, આ કુરૂપ કહેવાય, આ સુગંધ કહેવાય, આ દુર્ગંધ કહેવાય, આ શીત કહેવાય અને આ ઉષ્ણ કહેવાય એવી કશી ખબર જ પડતી નથી. એવું તો બુદ્ધિહીન જડ માણસોને, મંદબુદ્ધિવાળાને પણ હોઈ શકે છે. યોગી મહાત્માઓને એવી બધી જ સમજ હોવા છતાં તેઓએ પોતાના ઉપયોગને અંદર વાળી લીધો હોય છે. એટલે બાહ્ય પદાર્થો, વિષયો, વ્યક્તિઓ ઇત્યાદિના સંસર્ગમાં આવવા છતાં તેઓની તે પ્રત્યેની રાગદ્વેષની પરિણતિ શમી ગઈ હોય છે. તેઓના મન, વચન અને કાયા એ ત્રણેના યોગમાં સ્થિરતા આવી ગઈ હોય છે. [૨૨] ધૈર્યરત્નપ્રવીપશ્ચર્ય્ વીપ્ર: સંપરીપî:/ તદ્રિત્ત્પરતં ઘૂમરબંધૂમૈસ્તથાઽસ્ત્રવૈ: ।। રૂ ।। ૬ ।। [શબ્દાર્થઃ સ્વૈર્યરત્નપ્રવીq:=સ્થિરતારૂપી રત્નનો દીવો; ચે—જો; વીત્ર:–દેદીપ્યમાન, પ્રકાશમાન; સંપવીપનૈ:=સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થયેલા; ત=તો; વિì:=વિકલ્પોરૂપ, અનં=બસ, જરૂર નથી; ધૂમૈ:=ધૂમાડાઓનું; સત્સંધૂમૈ:=અત્યંત ધૂમ, મલિન; તથા=વળી; આસવૈ:=આસ્રવો, કર્મબંધના હેતુઓનું.] અનુવાદ–જો સ્થિરતારૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તો સંકલ્પરૂપ દીવાથી For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમાડાનું શું કામ છે ? તથા અત્યંત મલિન એવા આસ્રવો (પ્રાણાતિપાતાદિ કર્મબંધના હેતુઓ)નું શું કામ છે ? (૬) વિશેષાર્થ : સ્વભાવ-રમણતામાં સ્થિરતાને માટે રત્નની જ્યોતિનું અને સંકલ્પ-વિકલ્પ માટે દીપજ્યોતિનું રૂપક અહીં પ્રયોજવામાં આવ્યું છે. ૪૩ જૂના વખતમાં જ્યારે વીજળી (Electricity) ની શોધ નહોતી થઈ ત્યારે અંધારામાં પ્રકાશ માટે લાકડાની સળગતી સળી, તેલ-ઘીનો દીવો વગેરે કામ લાગતાં. પરંતુ સળગતી સળી થોડીવારમાં ઓલવાઈ જતી. ઘી કે તેલના દીવામાં ઘી કે તેલ પૂરતા રહેવું પડતું. એની જ્યોત નાની મોટી થયા કરે અને ધૂમાડાથી ઘર ભરાઈ જાય. દીવાનો પ્રકાશ સ્થિર ન રહે. પવનથી દીવાને બચાવવો પડે. જૂના વખતમાં એવાં કેટલાંક કીમતી દેદીપ્યમાન (દીપ્ર) રત્નો મળતાં કે જે રાજામહારાજા કે મોટા શ્રેષ્ઠી વસાવતાં. એ રત્ન અંધારું થતાં ઝગમગે અને એનો પ્રકાશ સ્થિર રહ્યા કરે. એમાં કશું પૂરવાનું નહિ અને એનો ધૂમાડો હોય નહિ. એમાં કોઈ જીવહિંસા થાય નહિ અને એના પ્રકાશમાં વાંચીલખી પણ શકાય. (શ્રી હરિભદ્રસૂરિજીને એવું રત્ન એક શ્રેષ્ઠીએ આપેલું કે જેથી અંધારામાં પણ તેઓ લેખનવાંચનનું ઘણું કાર્ય કરી શક્યા હતા.) જીવનની એષણાઓનો કોઈ અંત નથી અને બહિર્મુખ જીવને માટે સંસારમાં પ્રલોભનોનો કોઈ પાર નથી. ધનસંપત્તિ, માનપાન અને યશકીર્તિ, સત્તાનાં સિંહાસનો, ભોગવિલાસના પદાર્થોની પ્રાપ્તિ, વિજાતીય સંબંધો, કુટુંબ પરિવારમાં લગ્નાદિ પ્રસંગો અને એવા બધાંમાંથી વિકલ્પોની પરંપરા સર્જાય છે. અહંકાર અને મમત્વ એને વેગ આપે છે. સંકલ્પો જો પાર પડે તો વધુ નવા સંકલ્પો ઉદ્ભવે છે અને ન પાર પડે તો નિરાશા અને એમાંથી ઉદ્ભવતા અનર્થો ચાલુ થાય છે. વિવિધ પ્રકારના સંકલ્પો આર્ત્તધ્યાન કરાવે છે અને વિકલ્પો કેટલીક વાર રોદ્રધ્યાન પણ કરાવે છે. વિકલ્પોરૂપી ધૂમાડો જીવને ગુંગળાવે છે. જ્યાં જ્યાં સંકલ્પ છે ત્યાં ત્યાં વિકલ્પો આવ્યા વગર રહેતા નથી, કારણ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ४४ જ્ઞાનસાર સંસારમાં સંકલ્પને સિદ્ધ કરવા માટે લાંબાટૂંકા, સરળ-કઠિન માર્ગ ઘણા હોય છે એ બધામાંથી કયો માર્ગ પોતે અપનાવે તો સંકલ્પ જલદી સારી રીતે સિદ્ધ થાય એ વિશે મનમાં ભાતભાતના વિકલ્પો ઊડ્યા વગર રહેતા નથી. વળી સાંસારિક સંકલ્પો સિદ્ધ કરવાની જરૂર પડે છે.માટે વિવિધ પ્રકારનાં પાપાશ્રવોનો આશ્રય લેવો પડે છે. દ્રવ્ય અને ભાવરૂપ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, અને પરિગ્રહ વગેરે મોટા આશ્રવોનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. વિકલ્પો પાપારંભ માટે નિમિત્ત બને છે. પરંતુ જો આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પરૂપ શુદ્ધ, સ્થિર, આત્મપ્રકાશ પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી મહારાજે “કારક' સમુદાયને પ્રવર્તાવવાના પુરુષાર્થની ભલામણ કરી છે. સાધક વ્યાકરણમાં બતાવેલી છ વિભક્તિ (ષકારક) જો આત્માને લાગુ પાડીને પ્રવર્તાવે છે તો એ પ્રમાણે સ્વરૂપમાં પરિણમેલાને આસવો હોતા નથી. [૨૩] લીયિષ્યતિ સ્વાર્થી પવનં હિ . समाधेर्धर्ममेघस्य घटां विघटयिष्यसि ।। ३ ।। ७ ।। [શબ્દાર્થઃ ક્વીરયિષ્યતિ–ઉત્પન્ન કરીશ, પ્રેરીશ; સ્વીતા=અંતઃકરણથી; મર્થર્ય=અસ્થિરતાઃ પવન=પવનને; યહિ જો; સમાધે: સમાધિન; ધર્મસ્ય =ધર્મમેઘ' નામની; ધટાંsઘટાને; વિષટીયર્થસિ વિખેરી નાખીશ.] અનુવાદ-જો તું અંતઃકરણથી અસ્થિરતારૂપી પવન ઉત્પન્ન કરીશ તો “ધર્મમેઘ નામની સમાધિની ઘટાને વિખેરી નાખીશ. (૭) વિશેષાર્થ ચિત્તની ચંચળતા સાધકની સમાધિને કેવી રીતે નષ્ટ કરી નાખે છે તે અહીં વાદળો અને પવનના રૂપક વડે સમજાવવામાં આવ્યું છે. જ્યારે સખત ગરમી પડે ત્યારે આકાશમાં વાદળો બંધાય છે. આ વાદળાં ઘનઘોર ભારે થઈ વૃષ્ટિ કરે છે. વૃષ્ટિ તળાવ, નદી સરોવરને ભરાવા માટે, ખેતી માટે આવશ્યક For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક અને ઉપયોગી છે, નહિ તો દુકાળ પડે. વૃષ્ટિના આધારે જીવન ટકી રહે છે. પરંતુ ઘનઘો૨ વાદળાં વરસવાની તૈયારીમાં હોય. બરાબર તે જ વખતે જો જોરદાર પવન ફુંકાય તો વાદળાં વિખરાઈ જાય છે. વૃષ્ટિ થતી નથી. ચંચળતા અથવા અસ્થિરતા એ પવનનું લક્ષણ છે. એ મેઘને વિખેરી નાખે છે. જ્યારે ધર્મમેઘરૂપી સમાધિની પ્રારંભદશા પ્રગટ થવા લાગે, બરાબર તે જ વખતે જીવ જો અસ્થિરતારૂપી પવનની ઉદીરણા કરે તો સ્થિરતાના બળથી પ્રગટ થવા જતી ધર્મમેઘની ઘટાનું વિઘટન થાય છે. એવું વિઘટન ન કરવાની સાધકને ગ્રંથકારશ્રીએ અહીં ભલામણ કરી છે. અહીં ‘ઉદીરણા’ શબ્દ પ્રયોજાયો છે. કર્મનો વિપાકોદય એ સાધકના હાથની વાત નથી, પણ કર્મની ઉદીરણા એ સાધકના પોતાના હાથની વાત છે. એટલા માટે સાધકે પોતાના ચિત્તની સ્થિરતારૂપી સમાધિને ડહોળી નાખે એવી અસ્થિરતાને ઉદ્ભવતી અટકાવવી જોઈએ અને પોતાની એ સમાધિને કેવળજ્ઞાન સુધી હેમખેમ પહોંચાડવી જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે અહીં પાતંજલ યોગદર્શનનો ‘ધર્મમેઘ' શબ્દ જૈન તત્ત્વદર્શનની દ્રષ્ટિએ ઘટાવ્યો છે. મહાત્મા પતંજલિએ અષ્ટાંગયોગમાં સમાધિના બે પ્રકાર બતાવ્યા છેઃ સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. ચિત્તની માત્ર સંક્લિષ્ટ એટલે કે અશુદ્ધ વૃત્તિઓનો નિરોધ અથવા અભાવ એ સંપ્રજ્ઞાત સમાધિ છે અને ચિત્તની સંક્લિષ્ટ તથા અસંક્લિષ્ટ એવી સર્વ વૃત્તિઓનો નિરોધ અથવા અભાવ એ અસંપ્રજ્ઞાત સમાધિ છે. ધર્મમેઘ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ. જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ અસંપ્રજ્ઞાત સમાધિરૂપી ધર્મમેઘ એટલે ક્ષપકશ્રેણીવાળાનું કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શુક્લધ્યાન. ધર્મમેઘની ઘટાઓને વિખેરી નાખવી એટલે કેવળજ્ઞાન પ્રગટ થતું અટકાવવું. ઘનઘટા વિખરાઈ જાય એટલે મેઘ વરસે નહિ. ધર્મમેઘ વરસે નહિ એટલે શુક્લધ્યાન પ્રગટ થાય નહિ, એટલે કેવળજ્ઞાન પણ થાય નહિ. તાત્પર્ય એ કે ચિત્તની અસ્થિરતા એ ધર્મમેઘનાં વાદળો એકત્ર થતાં અટકાવનાર, એને વિખેરી નાખનાર ભારે અશુભ પરિબળ ૪૫ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬ જ્ઞાનસાર છે. સાધકે એવા અશુભ પરિબળથી દૂર રહેવું જોઈએ. ભૂતકાળમાં ધન, સ્ત્રી, યશકીર્તિ, સત્તા, પોદ્ગલિક સુખો વગેરેની પ્રાપ્તિ માટે ચંચળ વૃત્તિના કેટલાયે મહાત્માઓએ પોતાની સમાધિરૂપી લક્ષ્મી ગુમાવી દીધી છે. એમનાં ઉદાહરણોમાંથી બોધ લેવો જોઈએ. [૨૪] ચરિત્ર સ્થિરતાપમ: સિદ્ધેશ્વરીષ્યતે | यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ३ ।। ८ ।। [શબ્દાર્થ વારિત્ર=ચારિત્ર સ્થિરતાપ સ્થિરતારૂપી; અત:=એટલે; આથી; સિદ્ધેષ સિદ્ધોમાં; આપ પણ; ધ્યતે ઇચ્છાય છે; માનવામાં આવે છે; ઘટે છે; વતન્તા=યત્ન કરો; યતય:=હે યતિઓ; નવ અવશ્ય; મા=એની, સ્થિરતાની વ=જ; પ્રસિદ્ધ પરિપૂર્ણ સિદ્ધિને માટે.] અનુવાદ-ચારિત્ર સ્થિરતારૂપ છે એટલે સિદ્ધોને વિશે પણ એ ઘટે છે. માટે તે યતિઓ ! એની સ્થિરતાની) પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરો. (૮) | વિશેષાર્થ: મોક્ષાભિલાષી જીવની સર્વોત્કૃષ્ટ સ્થિરતા તે સિદ્ધ પરમાત્માની સ્થિરતા છે. ત્યાં મન, વચન અને કાયાના યોગો હોતા નથી. આઠ પ્રકારના કર્મોની રજથી સર્વથા તેઓ મુક્ત હોય છે. તેઓ કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ હોય છે. સિદ્ધોના અસંખ્ય આત્મપ્રદેશો સર્વથા સ્થિર, અચલ, સ્પંદનરહિત, નિશ્ચલ, નિષ્કપ, સાદિ-અનંતના ભાગે હોય છે. ત્યાં જે આનંદ છે તે શુદ્ધ સ્વરૂપરમણતાનો છે. આ સર્વોત્કૃષ્ટ સ્થિરતાને સિદ્ધ ભગવંતોના ભાવચારિત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. જીવનો એ પરમ આદર્શ છે. ચારિત્ર સ્થિરતારૂપ કહેવાય છે. નિશ્ચયનયથી સકલ કર્મથી મુક્ત એવા સિદ્ધોને પણ ચારિત્ર હોય છે. ભગવતીસૂત્રમાં સિદ્ધોને ચારિત્રનો અભાવ કહ્યો છે તે ક્રિયારૂપ કે પ્રવૃત્તિરૂપ ચારિત્રના અર્થમાં કહ્યો છે, કારણ કે સિદ્ધોને મન, વચન For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિરતાષ્ટક ૪૭. અને કાયાના યોગ જો ન હોય તો એમને દ્રવ્ય ક્રિયારૂપ સ્થિરતાનો પ્રશ્ન ક્યાંથી હોય ? પણ તેઓને વસ્તુના ધર્મરૂપી, આત્માના સ્વભાવરૂપી ભાવસ્થિરતા અવશ્ય હોય છે. સિદ્ધિ ગતિમાં જન્મ, જરા, મરણાદિ કે આધિ, વ્યાધિ, ઉપાધિ હોતાં નથી. ત્યાં શાશ્વત કાળ માટે આત્માનો વાસ થાય છે. ત્યાં અવ્યાબાધ, અક્ષય, અનંત સુખનો અનુભવ હોય છે. ત્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય-એ અનંત ચતુષ્ટયમાં રમણતા હોય છે. સંસારી જીવો મોહનીય કર્મમાંથી મુક્ત થવા સંયમ ધારણ કરે છે. મુનિજનો, યોગીજનો, સમ્યગુદર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા પ્રાપ્ત કરે છે. સમ્યગુજ્ઞાન વડે સ્વરૂપની એકાગ્રતારૂપી સ્થિરતા પ્રાપ્ત કરે છે અને સમ્યક્ ચારિત્ર વડે સર્વ પ્રકારની ચંચલતાનો ત્યાગ કરી, જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવારૂપ સ્થિરતા પ્રાપ્ત કરે છે. સંસારમાં ચારિત્રરૂપી સ્થિરતા પ્રાપ્ત કરનાર યોગીજનોનો આદર્શ સિદ્ધ પરમાત્માની આત્મ-સ્વરૂપની અચલ સ્થિરતા પ્રાપ્ત કરવાનો છે. એ માટે તેઓ પ્રચંડ પુરુષાર્થ કરે છે. વ્યવહારનયથી જોઈએ તો મુનિ ભગવંતો સમિતિ-ગુતિરૂપી જે દ્રવ્ય ચારિત્રનું પાલન કરે છે, આવશ્યકાદિ દ્રવ્યક્રિયારૂપી પ્રવૃત્તિ કરે છે એમાં મન, વચન અને કાયાના યોગોની શુદ્ધિ હોય છે, પણ આત્માના પ્રદેશોની સ્થિરતા ઓછી હોય છે. પરંતુ દ્રવ્યચારિત્ર દ્વારા પ્રાપ્ત થતી ભાવચારિત્રની સ્થિરતા વધતી જાય છે. આ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જીવ આરંભમાં પાપપ્રવૃત્તિરૂપી અશુભ કર્મોમાંથી પણ નિવૃત્ત થઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં વધુ અને વધુ લીન બનતો જાય. આ રીતે ભાવચારિત્રરૂપી સ્થિરતા અને મોક્ષગતિમાં અનંત ચતુષ્ટયરૂપી સ્થિરતા, આત્મપ્રદેશોની સ્થિરતા પ્રાપ્ત કરાવે છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ४८ પાનસાર ૪. મોહત્યાગાષ્ટક રિ૫] મહં-મતિ મત્રોડ્યું મોદી ગતિથ્યન્ अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।। ४ ।। १ ।। શબ્દાર્થ: મહં-મમ તિ=“હું” અને “મારું' એવો; મંત્ર: મંત્ર; વિદ્યા; મયં આ; મોદ=મોહનો; નવા =જગતને અંધ કરનાર; યમેવ દિ=અને આ (મંત્રોજ, નપૂર્વ=નકારપૂર્વક પ્રતિમંત્ર: વિરોધી મંત્ર; પિ=પણ; મોનિ=મોહને જીતનાર.] અનુવાદ–“હું” અને “મારું” એ મોહરાજાનો મંત્ર છે. તે જગતને આંધળું કરનાર છે અને નકારપૂર્વક આ જ પ્રતિમંત્ર તે મોહને જીતનાર પણ છે. (૧) વિશેષાર્થ : ગ્રંથકાર શ્રી પૂ. ઉપાધ્યાયજી મહારાજે પૂર્ણતા, મગ્નતા અને સ્થિરતાનું મહત્ત્વ સમજાવ્યા પછી હવે બતાવે છે કે આત્માની સ્થિરતાનો ભંગ કરનારું સંસારમાં મોટામાં મોટું પરિબળ હોય તો તે મોહ છે. જેઓ સ્થિરતા પ્રાપ્ત કરવા ઇચ્છે તેઓએ મોહ ઉપર અવશ્ય વિજય મેળવવો જોઈએ. એ વિજય મેળવવાની મુખ્ય બે ચાવી અથવા પ્રયુક્તિ છે. તેઓ આ શ્લોકમાં એ ચાવી બતાવે આપણી પ્રાચીન ભારતીય પરંપરામાં જે વિવિધ પ્રકારની વિદ્યાઓનો વિકાસ થયો તેમાં યુદ્ધકલા પણ છે. શત્રુ સામે યુદ્ધ ખેલનારની પાસે આક્રમણ અને સ્વરક્ષણ એમ બંને પ્રકારની વિદ્યાઓની જાણકારી હોવી જોઈએ. શત્રુને, વિપક્ષને મહાત કરવાની કલામાં પારંગત બનવા માટેની શિક્ષા એ કાળે અપાતી. રાજકીય સ્તરે, સામાજિક સ્તરે અને વ્યક્તિગત કક્ષાએ પણ રિપુમર્દન કરવાનું એવી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક વ્યક્તિને, યોદ્ધાને આવડવું જોઈએ. પોતાના કરતાં વધુ બળવાન દુશ્મનને પણ પોતાનામાં ઓછી શક્તિ હોવા છતાં પણ ગુપ્ત વિદ્યાથી, યુક્તિપ્રયુક્તિથી જીતી શકાય છે. સ્થૂલ શસ્ત્રો ઉપરાંત મારણ, ટ્રમણ, ઉચ્ચાટન, વશીકરણ ઇત્યાદિ માટે પણ આપણે ત્યાં વિવિધ વિદ્યાઓ છે અને મંત્રપ્રયોગો પણ છે. બીજી બાજુ એનો પ્રતિકાર કરવા માટેની વિદ્યાઓ અને મંત્રો પણ છે અને તે પણ આવડવાં જોઈએ. ભગવાન મહાવીરના જીવનમાં ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિકાર કરવા માટે એની સામે શીત તેજોવેશ્યા છોડવા અંગેનો ઉલ્લેખ છે. આમ મંત્રની સામે પ્રતિમંત્ર આવડતો હોય તો કોઈએ કરેલા મંત્રપ્રયોગની અસર પોતાના ઉપર ન થાય, એટલું જ નહિ, છોડેલો મંત્ર પાછો પડે અને છોડનારને જ વિવશ કરી નાખી શકે છે કે મારી નાખી શકે છે. આપણે મોહાંધ' શબ્દ પ્રયોજીએ છીએ. મોહમાં માણસને આંધળો બનાવવાની શક્તિ છે. એક વખત માણસ અંધ બને એટલે સ્વેચ્છાએ ગમનાગમન ન કરી શકે. પછીથી મોહ દોરી જાય એમ એને દોરાવું પડે, ખેંચાવું પડે, ઘસડાવું પડે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આખા જગતને અંધ બનાવવાની મંત્રશક્તિ મોહ પાસે છે, કારણ કે એની પાસે બે શક્તિશાળી મંત્રો છે. એક મંત્ર છે ‘’ એટલે “હું અને બીજો મંત્ર છે મમ એટલે મારું. આવો અહંકાર જીવ પાસે વિવિધ પ્રકારના સંકલ્પો કરાવે છે અને “મમકાર' તરેહ તરેહના વિકલ્પો કરાવે છે. એને લીધે જીવ પોતાની જાતને ભૂલી, બહિર્મુખ બનાવી સતત દોટ મૂકતો રહે છે અને અંતે થાકીને પસ્તાય છે, દુઃખી થાય છે, ભવભ્રમણમાં ભટક્યા કરે છે. તે પોતાની જાતને, પોતાના સ્વરૂપ અને શક્તિને ઓળખી શકતો નથી. મોહનીય કર્મના ઉદયથી આત્માના પરિણામોમાં ચંચળતા ઉદ્ભવે છે, સ્થિરતા હણાય છે અને એથી સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર અવરોધાય છે. એથી આત્માના સહજ જ્ઞાનાદિ ગુણોનો વિપર્યાસ થાય છે. પુદ્ગલો પ્રત્યે આસક્તિ થાય છે અને વિભાવમાં, પરભાવમાં આત્મા ઘસડાય છે અને એમાં જ રાચે છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જ્ઞાનસાર મોહરાજાનું પ્રાબલ્ય કેટલું બધું છે એ આપણા આગમગ્રંથોમાં અને અન્ય શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર દર્શાવવામાં આવ્યું છે. મોહની અસર કેવી અને કેટલી મોટી છે તે અંગે પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' નામની ટીકામાં ટાંકેલી નીચેની કેટલીક ગાથાઓમાં જોઈ શકાશે. आया नाणसहावी दंसणसीलो विसुद्धसुहरूवो। जो संसारे भमई एसो दोसो खु मोहस्स ।। [જ્ઞાનસ્વભાવવાળો, દર્શનસ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપવાળો એવો આત્મા જે સંસારમાં ભમે છે તેમાં વસ્તુતઃ મોહનો જ દોષ છે.] जो उ अमुत्ति अकत्ता असंग-निम्मल सहावपरिणामी । जो कम्मकवयबद्धो दीणो सो मोहवसगत्ते ।। [જે અમૂર્ત, અકર્તા, સંગરહિત, નિર્મલ અને સ્વભાવપરિણામી આત્મા છે તે કર્મરૂપ કવચથી બંધાયેલો, દીન અને મોહની પરવશતાથી દુઃખી છે.] ही दुक्खं आयभवं मोहमप्पाणमेव धंसेइ । जस्सुदए णियभावं सुद्धं सव्वं पि नो सरइ ।। [આત્માથી ઉત્પન્ન થયેલો મોહ આત્માનો જ પરાભવ કરે છે એ જ દુઃખની વાત છે. એના ઉદયથી આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવનું પણ સ્મરણ કરતો નથી.] મોહનીય કર્મની આવી પરિસ્થિતિમાંથી પાછા હઠવું હોય તો બીજા પ્રકીર્ણ ઉપાયો કરવા સાથે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મોહરાજાના મંત્રની સામે પ્રતિમંત્ર અજમાવવાથી કાર્ય સરળ બને છે. એમાં બહુ વિચારવાની જરૂર નથી. મોહરાજાના એ મંત્રોને ઉલટાવવાથી, એટલે કે એમાં આગળ માત્ર “ન” મૂકી દેવાથી એ મંત્રો ધર્મરાજાના મંત્રો બની જશે. એટલે કે હું અને મમ' એ બે મંત્રો મોહરાજાના મંત્રોને નિર્બળ, નિષ્ફળ બનાવી દેનાર છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક ૫૧ ઉપાધ્યાયજી મહારાજે અહીં બહુ સરસ અને સચોટ રીતે સંક્ષિપ્ત મંત્રો આપીને સમગ્ર આત્મસાધનાની ચાવી બતાવી દીધી છે. હું આત્મા છું, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી આત્મા છું. આ સંસારમાં કોઈ પણ પદાર્થ મારો નથી. હું એકલો છું, જ્ઞાનદર્શનયુક્ત છું. બાકી બધું સંજોગોને આધીન છે. પરપુદ્ગલ કે પરભાવ સાથે મારે કોઈ નિસ્બત નથી અને મારે એમાં આસક્ત થવું નથી, રમવું નથી. આ પ્રકારનું ચિંતન, મનન, અનુભાવન મોહને જીતવાનું બળ આપે છે. આગમની નીચેની ગાથાઓનું વારંવાર રટણ, ભાવન એ દિશામાં આપણને લઈ જાય છે. एगो हं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ।। હિં એક છું (શુદ્ધ આત્મસ્વરૂપ છું.) મારુ કોઈ નથી કે હું અન્ય કોઇનો નથી. એ પ્રમાણે દીનતારહિત મનવાળો થઈને પોતાના આત્માને ઉપદેશ કરે.] एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । સેસા મે વાહિયા માવા સત્રે સંનો નવરd | એક મારો શાશ્વત આત્મા જ્ઞાનદર્શનથી યુક્ત છે. બાકીના બધા મારાથી બાહ્ય ભાવો (પદાર્થો) છે. તે સર્વે સંયોગલક્ષણવાળા છે.] संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ।। [જીવ દ્વારા સંયોગના કારણથી દુઃખની પરંપરા પ્રાપ્ત કરેલી છે. એટલે સર્વ પ્રકારના સંજોગસંબંધો ત્રિવિધ ત્રિવિધ-(મન, વચન, કાયાથી) ત્યાગ કરવા જોઈએ.] આમ કરવાથી પ્રતિમંત્ર સાધી શકાય છે. એની ઉત્કૃષ્ટ સાધના કરીને અનેક મહાત્માઓ મોહનીય કર્મમાંથી મુક્ત થઈને મુક્તિસુખને વર્યા છે. પ્રતિમંત્રો For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર નાના છે, પણ ઘણા શક્તિશાળી છે. આ મંત્રસાધના ઘણી દુષ્કર હોવા છતાં જીવને માટે કર્તવ્યરૂપ છે. [૨૬] શુદ્ધત્મિદ્રવ્યમેવદિં શુદ્ધા ગુણો મમ . નાચો દંગમમાચે રેત્યો મોહીન્નમુત્તામ્ | ૪ || ૨ | [શબ્દાર્થ શુદ્ધાત્મદ્રવ્યં=શુદ્ધ આત્મદ્રવ્ય =જ; મહું શુદ્ધજ્ઞાનં=શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન; પુન: ગુણ; મમ=મારો; ન=નથી; મચ=અન્ય, તેથી ભિન્ન; મહં હું; ન=નથી; મમ=મારા; અન્ય બીજા (પદાર્થો); ઘ અને; તિ=એ પ્રમાણે; સવ =આ; મોદીર્ધ્વ=મોહને નાશ કરનારું શસ્ત્ર; ૩ત્વ=તીવ્ર.. અનુવાદ–“હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. તેથી હું ભિન્ન નથી. અન્ય પદાર્થો મારા નથી.'-આ મોહને હણનારું તીવ્ર શસ્ત્ર છે. (૨) વિશેષાર્થ: મોહરાજાના “અહમ્” અને “મમ' રૂપી મંત્રોને નિષ્ફળ કરવા માટે ર ઝરમ્' અને મમ' એ બે પ્રતિમંત્રો બતાવ્યા પછી ગ્રંથકાર શ્રી મોહરાજાને પરાજિત કરવા માટે બળવાન શસ્ત્ર બતાવે છે. આ શસ્ત્ર તે આત્મ ચિંતનસ્વરૂપ છે. એ માટે અહીં ચાર સૂત્રો આપવામાં આવ્યાં છેઃ (૧) હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, (૨) શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે, (૩) હું તેનાથી (જ્ઞાનથી) ભિન્ન નથી, (૪) અન્ય પદાર્થો મારા નથી. આ ચારે સૂત્રો પરસ્પર સંલગ્ન છે. શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો બધા જીવો શુદ્ધ છે. એ રીતે “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું' એવું ધ્યાન માણસ ધરવા લાગે તો કદ્રવ્યમાંથી બાકીનાં પાંચ દ્રવ્યો-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય. આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય-મારાં નથી એવી આંતર-પ્રતીતિ થવી જોઇએ. આ પાંચ દ્રવ્યોમાંથી પણ મુખ્યત્વે પુદ્ગલાસ્તિકાય તે હું નહિ એમ સ્પષ્ટપણે લાગવું જોઈએ. એમાંથી For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક ૫ ૩ એ ફલિત થાય છે કે “આ ઘર મારું નથી, માલ મિલકત મારાં નથી, સ્વજનો મારાં નથી, અરે મારું કહેવાતું શરીર તે પણ મારું નથી. આ સર્વ અનિત્ય છે. માત્ર મારો શુદ્ધ આત્મા તે મારો છે. હું શુદ્ધ આત્મસ્વરૂપ છું.” આ ચિંતનમાંથી ચિંતનધારા આગળ ચાલશે કે “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું એટલે કે હું શ્રીમંત નથી કે ગરીબ નથી, નાનો નથી કે મોટો નથી, હું પિતા નથી કે માતા નથી, પુત્ર નથી કે પુત્રી નથી, વેપારી નથી કે નોકર નથી, હું ડૉક્ટર નથી કે એન્જિનિયર નથી, હું પંડિત નથી કે અધ્યાપક નથી, હું ગુરુ નથી કે શિષ્ય નથી.” આ પ્રકારનું ચિંતન જીવને પોતાના જ્ઞાનગુણ તરફ, આત્માના જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જાય છે. “હું જ્ઞાનગુણથી અન્ય નથી” અને “પરપદાર્થ અને પરભાવ તે મારા નથી' એવી ભાવના જીવને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરાવે છે. આમ સ્વસ્વરૂપને વિશે સ્વપણું અને પરસ્વરૂપને વિશે પરપણું ચિત્તમાં વસી જાય અને ચિંતન, ભાવના ઇત્યાદિ દ્વારા અનુભવમાં આવી જાય તો તેવું ભેદજ્ઞાન મોહને હણે છે. પરપુગલ અને પરભાવમાંથી આસક્તિ છૂટી જાય એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવાય. એમ કરવાથી મોહને હણી શકાય છે. વસ્તુતઃ આ ચાર શસ્ત્રો એવાં છે કે જેથી મોહ હણાઈ જાય છે અથવા એમ કહી શકાય કે મોહને હણવાની જરૂર પણ પડતી નથી, એ શસ્ત્રો જોઈને જ મોહ પોતાની મેળે ભાગી જાય છે. અલબત્ત, ઘણી ઊંચી આત્મદશા હોય તો જ આ થઈ શકે. આવા જ્ઞાની મહાત્માઓ કર્મના ઉદય સમયે ઉદાસીન રહે છે અને આસવોનો, કર્મબંધના નિમિત્તોનો ત્યાગ કરે છે. [૨૭] યો ન મુતિ તનેy માધ્વયિતિપુ ! आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ।। ४ ।। ३ ।। [શબ્દાર્થ =જે; ન મુક્ષ્યતિ મૂંઝાતો નથી; તમેષ લાગેલા માવેષ=ભાવોમાં; For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જ્ઞાનસાર મૌયિવિષ ઓદયિક વગેરે, છાશ આકાશન; =જેમ; પન=કાદવથી ન=નથી; સૌ=/; આ; પાન=પાપ વડે; તિથd=લપાતો.] અનુવાદ–જે વળગેલા ઓદયિક વગેરે ભાવોમાં મૂંઝાતો નથી, તે જેમ આકાશ કાદવથી લેપતું નથી તેમ પાપથી લપાતો નથી. (૩) વિશેષાર્થ : ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાની મહાત્માઓ કે એવા ઊંચી કક્ષાના સાધક જીવો પોતાને લાગેલા ઔદયિક આદિ ભાવમાં મૂંઝાતા નથી. અહીં દયિક વગેરે ભાવોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આત્માના મુખ્ય પાંચ ભાવ છેઃ ઓપશમિક ભાવ, લાયોપથમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને પરિણામિક ભાવ. ઔદયિકભાવ જીવના ગુણોનો વિકારી ભાવ છે. સર્વ સંસારી જીવોને અનાદિ કાળથી ઔદયિક ભાવ હોય છે અને તે નિર્વાણ સુધી રહે છે. સમર્થ મહાત્માઓ પુરુષાર્થ વડે વિકારી ભાવોના ઉદયને નિષ્ફળ બનાવી દે છે. અનાદિ કાળથી જીવ કર્મની સત્તામાં દબાયેલો રહે છે. જૂનાં કર્મો ઉદયમાં આવી નિર્જરી જાય છે. પણ ઉદય વખતે સુખદુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, રાગદ્વેષ ઇત્યાદિના અશુદ્ધ ભાવોને કારણે ફરી પાછાં નવાં કર્મો તે બાંધે છે અને એમ કર્મની પરંપરા ચાલ્યા કરે છે. જીવ જેટલો કાળ, વિભાવમાંથી પાછો હઠી સ્વભાવમાં આવી જાય એટલો કાળ એને કર્મબંધ થાય નહિ. જીવ કર્મના ઉદયમાં જોડાય નહિ તો કર્મને યોગ્ય નિમિત્ત ન મળવાથી તે નિર્જરી જાય છે. દયિક ભાવનાં એકવીસ અંગ છે અથવા તેના એકવીસ પ્રકાર છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, છ વેશ્યા, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. મોહના ત્યાગવાળા જે જ્ઞાની મહાત્મા પોતાના વિશે લાગેલા ઓદયિક ભાવમાં એટલે કે શુભાશુભ કર્મના ઉદયરૂપી વિપાક વખતે તેમાં જોડાતા નથી, નિર્લેપ રહે છે, ઉદાસીન રહે છે. તેઓ નવાં કર્મ બાંધતા નથી. ઔદયિક ભાવ ઉપરાંત For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક ક્ષાયોપશમિક ભાવમાં કે અશુદ્ધ પારિણામિક ભાવમાં પણ તેઓ લેપાતા નથી. અહીં આકાશ અને કાદવની સરસ સમુચિત ઉપમા આપવામાં આવી છે. કોઈ વ્યક્તિ આકાશ તરફ કાદવ ઉછાળે તો તેથી આકાશ લેપાતું કે ખરડાતું નથી અને કાદવ પાછો નીચે પડી જાય છે. તેમ જ્ઞાની ઉદયમાં આવેલા શુભાશુભ કર્મફળમાં લેપાતા નથી. મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સમર્થ સાધકો પણ ઘણીવા એની સામે ટકી શકતા નથી. ધન, સત્તા, કીર્તિ, સ્ત્રીપરિવાર, ભોગોપભોગની વિવિધ પ્રકારની સામગ્રી જ્યારે સામેથી આવતી હોય, સુલભ અને સ્વાધીન હોય ત્યારે મોહાસક્ત બની જીવ તે ભોગવી લેવા લલચાય છે. સામાજિક વ્યવહારુ દૃષ્ટિએ તેમાં કશું અયોગ્ય, અનીતિમય કે ટીકાપાત્ર ન હોય ત્યારે તો જીવ એના ભોગવટામાં ક્યારે લપસી પડે છે એનું પણ એને ભાન રહેતું નથી. પોતે કેવા નસીબદાર છે, પોતાના પુણ્યનો કેવો પ્રબળ ઉદય થયો છે એમ સમજીને તે બધું ભોગવવા લાગે છે, એવી જ રીતે મોહાસક્ત જીવ અશુભ કર્મના ઉદયે દુઃખના પ્રસંગોમાં દુઃખી થઈ જાય છે અને ઉગ્ર રાગદ્વેષ કરે છે. પરંતુ પરભાવમાં ન રમના૨ મહાત્મા એવે વખતે કર્મફળમાં તન્મય થતા નથી, લેપાતા નથી. તેઓ પરભાવનો જ પરાભવ કરે છે. [૨૮] પશ્યન્નેવ પરદ્રવ્યનાટń પ્રતિપાદનમ્ । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति ।। ४ ।। ४॥ ૫૫ [શબ્દાર્થઃ પશ્યન્=જોતો; વ્=જ; પરદ્રવ્ય=જન્મ, જરા મરણાદિરૂપ ૫૨દ્રવ્યના, પુદ્ગલ દ્રવ્યના; નાટ=નાટકને; પ્રતિપાટÇ=પોળે પોળે, શેરીએ શેરીએ; મવનપુરÆ:=‘ભવચક્ર' નામના નગરમાં રહેતો; અવિ=પણ; 7=નથી; અમૂ॰:=અમૂઢ, મોહરહિત; પરિવિદ્યતિ=ખેદ પામે.] For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર અનુવાદ–“ભવચક્ર' નામના નગરમાં રહેવા છતાં, અને પોળે પોળે પરદ્રવ્યનું નાટક જોવા છતાં પણ મોહરહિત (આત્મા) ખેદ પામતો નથી. (૪) વિશેષાર્થ આ શ્લોકમાં સંસારતે નાટક અને જીવ તે પ્રેક્ષક એવું રૂપક યોજવામાં આવ્યું છે. પરંતુ જીવરૂપી પ્રેક્ષકે આ નાટકમાં ભાગ પણ ભજવવાનો છે. ત્રણે લોકમાં, ત્રણે કાળ ચાલનારા આ વિરાટ નાટકમાં મુખ્ય પાત્ર તે રાજા છે. આ રાજા તે અનાદિ-અનંત કર્મસત્તારૂપ-કર્મ-પરિણામરૂપ રાજા છે. ભવચક્ર નામનું નગર એની રાજધાની છે. આ નાટક પ્રતિ પાટકમાં એટલે પોળે પોળ, શેરીએ શેરીએ ભજવાઈ રહ્યું છે. આ નાટક એટલું લાંબું છે કે હજુય એનો અંત આવ્યો નથી અને ક્યારેય આવશે પણ નહિ. આ નાટકમાં પાત્રો પ્રવેશે છે, પોતાનો ભાગ ભજવે છે અને ચાલ્યાં જાય છે. ફરી નવાં નવાં પાત્રો આવે છે અને એ જ રીતે ખેલ ચાલ્યા કરે છે. નાટક એટલું બધું રસિક અને આબેહૂબ છે કે ભજવનાર પાત્રો પણ ભૂલી જાય છે કે આ તો માત્ર નાટક છે અને એ સાચું હોય એમ હર્ષશોકાદિ અનુભવે છે. આ નાટકમાં સંસાર રૂપી નગરમાં મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચાર ગતિરૂપ ચાર મુખ્ય રાજમાર્ગ છે અને જન્મમરણ વગેરે એની નાની નાની શેરીઓ આ શેરી-મહોલ્લાઓમાં, અરે ઘરે ઘરે પરદ્રવ્યનું નાટક ચાલી રહ્યું છે. પરદ્રવ્યનું નાટક એટલે જન્મ, જરા, વ્યાધિ, મરણ વગેરેનું નાટક. પરદ્રવ્યનું નાટક એટલે સડણ, પડણ તથા વિધ્વંસનરૂપી ઘટનાઓનું નાટક. આ નાટક ભજવનાર પાત્રો અને જોનાર પ્રેક્ષકો જો અમૂઢ જ્ઞાની હોય તો તેઓ નાટકમાંથી બોધ લે છે. સારાં પાત્રો કે સારી ઘટનાઓ જોઈને તે માટે તેઓ રાગ કરતા નથી અને દુષ્ટ પાત્રો અને દુષ્ટ ઘટનાઓ જોઈને તેઓ તે માટે દ્વેષ કરતા નથી. પોતે સાક્ષીભાવે સંસારની લીલાને નિહાળે છે અને એથી જ એમને કોઈ હર્ષ-શોક, ક્લેશ-ખેદ વગેરે થતાં નથી. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક [૨૯] વિ7-૨ષરાત્મા પીતમોદીવોટ્યયમ્ . भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति ।। ४ ।। ५ ।। [શબ્દાર્થ વિત્પષ =વિકલ્પરૂપી મદિરા પીવાના પાત્રો વડે; માત્મા=જીવ, પીત પીધો છે; મોદાવ=મોહરૂપી આસવ, મોહમદિરા; હિં=ખરેખર ગયે=આ; મહોબ્બેતાતં=ભવરૂપી દારૂના પીઠાનો; સત્તાન પંચં હાથ ઊંચા કરી તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા; ધતિષ્ઠતિ આશ્રય કરે છે.] અનુવાદ-વિકલ્પરૂપી મદિરા-પાત્રથી મોહરૂપી મદિરાનું પાન કરનાર આ (આત્મા) જ્યાં હાથ ઊંચા કરી તાળીઓ પાડવામાં આવે છે એવા સંસારરૂપી દારૂના પીઠાનો આશ્રય કરે છે. (૫). વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે મોહમય સંસારને માટે દારૂના એક પીઠાનું રૂપક પ્રયોજ્યું છે. મોહ એ આસવ અથવા મદિરા છે. વિકલ્પો એ પીવા માટેનું પાત્ર-ચષક અર્થાત્ જામ છે. આપણી સામાન્ય માણસોની દૃષ્ટિએ સંસાર બરાબર ચાલતો લાગે છે, પરંતુ કોઈ જ્ઞાની પોતાની દિવ્યદૃષ્ટિથી આ સંસારને નિહાળે તો એને એ કેટલો બધો વિષમ, વિચિત્ર લાગે ! જાણે સુરાપાન કરનારા, નશો ચડેલા માણસોનું પીઠું. જેઓએ કોઈ માણસને પહેલાં સ્વસ્થ અને ડાહ્યો અને પછી હાથમાં ખાલી લઈ ધીમે ધીમે બાટલીમાંથી દારૂ લઈને પીતાં અને પછી જેમ એને એ દારૂનો નશો ચડે તેમ એને હાહાખીખી કરતાં, અસભ્ય કે અસંબદ્ધ શબ્દો બોલતાં અને પછી બરાડા પાડતાં નિહાળ્યો હોય તેમને દારૂડિયા માણસના બદલાતા જતા વર્તન-વ્યવહારની વાત સમજાવવી નહિ પડે. દારૂનો ભયંકર નશો ચડે છે ત્યારે આખો માણસ જ બદલાઈ જાય છે. એમાં વળી તે માણસ મિત્રો સાથે દારૂના પીઠામાં કે ક્લબમાં હોય ત્યારે તે વધુ ચગે છે. તે અકારણ અટ્ટહાસ્ય કરે છે, For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જ્ઞાનસાર એની આંખો પહોળી થઈ જાય છે, તે જોરથી હાથ પછાડે છે અથવા બીજા દારૂડિયા સાથે ઊંચા હાથ કરીને તાળીઓ પાડે છે, પોતે જાણે ઘણો ચબરાક હોય એમ વર્તે છે. (પરંતુ સ્વસ્થ માણસને એ મૂર્ખ છે એમ સમજાઈ જાય છે.) તે ક્યારેક તો કંઈક તોડફોડ કરી બેસે છે. એના વ્યવહારમાં કોઈ સમતુલા રહેતી નથી. તે અભદ્ર, અશિષ્ટ વર્તન કરે છે. તે ઉન્મત્ત બની જાય છે એટલે વિવેકમર્યાદા ગુમાવી દે છે. છેવટે એ થાકીને લોથ થઈ જાય છે અને ગમે ત્યાં આળોટીને ઊંઘી જાય છે. સંસારના જીવો પણ જાણે મોહરૂપી મદિરા પીધી હોય એવા દેખાય છે. તેઓ વિકલ્પોની વિભાવદશામાં કૂદકા મારે છે. કેટલાયનાં વાણી-વર્તનમાં સંગતતા જોવા નથી મળતી. ક્યારેક સંબંધોમાં બે અંતિમ કોટિનાં પરિણામ જોવા મળે છે. બાપે દીકરાને લાડથી ઉછેર્યો હોય એ જ દીકરો યુવાન થતાં ધન વગેરેને કારણે પિતાને ઘરની બહાર કાઢે છે. યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોય છે, પણ થોડાં વર્ષમાં જ છૂટાછેડા લઈ મિલકત માટે અદાલતનો આશ્રય લે છે. ભાઈ-ભાઈ ગરીબીમાંથી ઊંચે આવી સાથે મોટો ઉદ્યોગ વિકસાવે છે, પણ પછી ક્લેશકંકાસ થતાં એકબીજા સામે રિવોલ્વર તાકે છે. આ તો થોડાક નમૂનારૂપ કિસ્સા છે. અખબારોમાં તો રોજ અવનવી ઘટનાઓ વિશે વાંચવા મળે છે ત્યારે થાય છે કે કેવો વિચિત્ર છે સંસાર ! આવો સંસાર જોઈને જ્ઞાની મહાત્માને કરુણાયુક્ત હસવું આવ્યા વગર રહે નહિ! આ તો દશ્યમાન ઘટનાઓ વિશેની વાત છે. પરંતુ જ્ઞાની મહાત્માને કોઈ જીવોના પૂર્વ ભવોની ઘટના વિશે પોતાના જ્ઞાનના ઉપયોગમાં જોવા મળે તો તેઓને તો સંસારનો વ્યવહાર વધુ વિચિત્ર, વિસંગત અને હાસ્યાસ્પદ લાગે. જીવ વિવિધ પ્રકારની એષણાઓને કારણે વિકલ્પોની મોહજાળમાં ફસાઈને, કષાયોનો આશ્રય લઈને કર્મો બાંધે છે અને પોતાની ભવપરંપરા વધારે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સંસારરૂપી પીઠામાં ભાન ભૂલેલા દારૂડિયાઓને સાક્ષીભાવથી નિહાળે છે અને કોઈક યોગ્ય જીવને સવળે માર્ગે વાળે છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક ૫૯ [૩૦] નિર્મનં ટિસ્થવ સહર્ષ સ્વપમત્મિનઃ | ૩અધ્યક્તોપાળસંવન્યો પત્ર વિમુઢાતિ . ૪ ૫ ૬ , [શબ્દાર્થઃ નિર્મનં નિર્મળ, મેલરહિત; ટિસ્થ સ્ફટિકના; વ=જેવું; સગં=સહજ, સ્વાભાવિક રૂપ વરૂપ; માત્મા =આત્માનું; મધ્યસ્ત આરોપ્યો છે; ૩પથસંવંધ:=ઉપાધિરૂપ સંબંધ; નડ:=જડ, અવિવેકી; તત્ર=તેમાં; વિમુક્ષ્યતિ=મૂંઝાય છે.] અનુવાદ-આત્માનું સહજ સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મળ છે. મૂઢ જીવ એમાં ઉપાધિના સંબંધનો આરોપ કરીને મૂંઝાય છે. (૬). વિશેષાર્થઃ કિંમતી પથ્થરોમાં સ્ફટિકની ખાસિયત જુદી જ છે. તેને ઘસીને લીસો, સુશોભિત બનાવવામાં આવે તો તે પારદર્શક બને છે. સ્ફટિક નિર્મળ છે, નિર્દોષ છે, ઉપાધિરહિત છે. પરંતુ સ્ફટિકની પાછળ જો ફૂલ, કાગળ કે એવી કંઈક રંગીન ચીજવસ્તુ મૂકવામાં આવે, તો સ્ફટિક તેવા રંગનો દેખાય છે. જોનારને જો કહેવામાં ન આવે તો અજાણ્યો માણસ એમ જ કહેશે કે આ પથ્થરનો રંગ લાલ છે, ઈત્યાદિ. પણ એની નજર સામે જ પાછળની વસ્તુ ખસેડી લેવામાં આવે તો એને દેખાશે કે સ્ફટિક તો તદ્દન નિર્મળ છે. જ્યાં સુધી સ્ફટિક ઉપાધિસહિત છે ત્યાં સુધી એનું સ્વરૂપ એવું ઉપાધિરૂપ દેખાવાનું. જોનાર કે અનુભવનારને એવો ભ્રમ રહેવાનો. તે મૂંઝવણ અનુભવવાનો. એમ થવાનું કારણ જોનારમાં સ્ફટિક અને ઉપાધિ વચ્ચેનો ભેદ પારખવાની વિવેકશક્તિ નથી. જો તે સ્ફટિકના સ્વરૂપનો જાણકાર હોય તો તરત જ એની વિવેકશક્તિ એને સમજાવે છે કે સ્ફટિક પોતે તો નિર્મળ, વિશુદ્ધ, દોષરહિત, ઉપાધિરહિત છે. જેમ સ્ફટિકના વિષયમાં તેમ આત્માના વિષયમાં બને છે. જ્યાં સુધી જીવમાં For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વસ્તુસ્વરૂપનું જ્ઞાન નથી, જ્યાં સુધી મોહદૃષ્ટિ છે ત્યાં સુધી તે આત્મદ્રવ્ય સાથે એકરૂપ દેખાતાં પુદ્ગલ દ્રવ્યને કારણે આત્માને એવો જ માને છે. નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ દેહ પ્રમાણે તે પોતાને પણ, હું ગોરો છું, હું કાળો છું, હું ઊંચો છું, હું નીચો છું, હું વિકલેન્દ્રિય છું, હું પંચેન્દ્રિય છું, ઈત્યાદિ માને છે. તેવી રીતે અન્યને માટે પણ એ એમ જ ધારે છે. તત્ત્વદૃષ્ટિ અને વિવેકના અભાવને કા૨ણે તે આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને અભિન્ન માને છે. પરંતુ જેમ રત્નના પારખુ એવા ઝવેરીને ખાણમાંથી નીકળેલું રત્ન માટીવાળું, આવરણવાળું, મલિન, ખરબચડું હોવા છતાં તેનું મૂલ્ય તે તરત સમજી જાય છે, તેમ તત્ત્વદષ્ટિવાળા જ્ઞાની મહાત્માઓ જીવના ઉપાધિયુક્ત બાહ્ય દેખાવથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપને પારખી લે છે. સંસારમાં મોટા ભાગના જીવો બાહ્ય દૃશ્યમાન પરભાવમાં આત્મભાવનું આરોપણ કરે છે અને મિથ્યાત્વને કારણે તેઓ તેમાં સુખદુઃખ માને છે, પણ એવું સુખદુઃખ સાચું નથી, મિથ્યા છે. જ્ઞાની મહાત્માઓ દેહની અંદર રહેલા જ્યોતિરૂપ શુદ્ધ, પૂર્ણાનંદસ્વરૂપ, સ્વાભાવિક, આનંદઘનરૂપ આત્મદ્રવ્યને નિહાળે છે અને સંસર્ગથી ઉપાધિદોષ હોવા છતાં તેને પદ્રવ્યથી ભિન્ન માને છે. [૩૧] નારોપમુદ્ધ મોહત્યાાનનુભવત્તિ । જ્ઞાનસાર आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।। ४ ।। ७ ।। [શબ્દાર્થઃ અનારોપ=આરોપ વગરનું, સહજ; સુવં=સુખ; મોહત્યા=મોહનો ત્યાગ કરવાથી; અનુભવન્=અનુભવતો; અવિ=પણ; આરોપપ્રિય:=જેને આરોપ, અસત્ય પ્રિય છે; તોğ=લોકોમાં; વસ્તુ=કહેવાને; આશ્ચર્યવાન=આશ્ચર્યવાળા; મવેત્ થાય છે.] અનુવાદ–મોહના ત્યાગથી આરોપરહિત (સહજ) સુખ અનુભવતા હોવા છતાં For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક જ્ઞાની-મહાત્મા, આરોપિત (અસત્ય) સુખ જે મને પ્રિય છે એવા લોકોને એ (સુખાનુભવ) વિશે કહેતાં જોઈને આશ્ચર્યવાળા થાય છે. (૭) વિશેષાર્થ સુખદુઃખની વ્યાખ્યા સંસારી જીવોની દૃષ્ટિએ અને જ્ઞાની-મહાત્માની દૃષ્ટિએ જુદી જુદી હોય છે. સંસારી જીવો હંમેશા બહુમતીમાં અને જ્ઞાનીઓ હંમેશાં લઘુમતીમાં રહેવાના. કોનું સુખ સાચું ? સંસારીઓ કહેશે કે તેઓનું સુખ સાચું છે. જ્ઞાની કહેશે કે પોતે અનુભવેલું આત્મસુખ સાચું છે. સંસારી જીવોને એક જ પ્રકારના સુખનો અનુભવ છે. જ્ઞાનીને બંને પ્રકારનાં સુખનો અનુભવ છે એટલે તેઓ એવા નિષ્કર્ષ પર આવેલા હોય છે કે સંસારીનું સુખ તે આરોપિત સુખ છે, મિથ્યા ભ્રાન્તિવાળું સુખ છે અને પોતાનું સુખ અનારોપિત છે. કોઈપણ જીવને આત્મિક સુખનો અનુભવ એ જ્યારે વિચાર કરે કે તરત થાય એવું નથી. ચરમાવર્તમાં આવેલા ભવ્ય જીવને ભારે પાપ કરવાં ગમતાં નથી. ઇન્ટિયાર્થ ભોગવિલાસ કરતાં પણ કશુંક ચડિયાતું સુખ છે એવો એને ભાસ થાય છે અને એમ ઉત્તરોત્તર આગળ વધતાં, મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં આત્મિક સુખ જેવું કંઈક છે એવી પ્રતીતિ થાય છે. બાહ્ય પદાર્થોમાં એની સુખબુદ્ધિ ઓછી થતી જાય છે. સંસારનું સુખ એને આરોપિત સુખ જણાય છે. એમ કરતાં ઉપશમભાવના સુખનો અને અનુભવ થાય છે અને એની દિશા બદલાઈ જાય છે. આત્માના સહજ જ્ઞાનમય રૂપ સુખનું એને જ્યારે સંવેદન થાય છે ત્યારે એ અનુભવજન્ય પ્રતીતિ એને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. આત્મિક સુખનો અનુભવ કરનાર આવા કોઈ જ્ઞાની મહાત્માને પોતાના સુખની વાત સંસારનાં સુખને જ સર્વસ્વ માનવાવાળા જીવો આગળ કરવાનું ગમતું નથી. સંસારી જીવો એવી વાતનો ઉપહાસ જ કરવાના. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવે વખતે આશ્ચર્યવાન બને છે અર્થાત્ એમને અયોગ્ય પાત્ર આગળ આવી વાત કરવાનું નિરર્થક લાગે છે. એમને થાય છે કે આવા પૌગલિક સુખમાં મગ્ન એવા જીવો સમક્ષ આત્મજ્ઞાન અને સ્વરૂપરમણતાના સુખની વાત તો ભેંસ આગળ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨. જ્ઞાનસાર ભાગવત બરાબર થશે. સંસારી જીવોનું સુખ જ્ઞાનીને માત્ર શાતાવેદનીયના ઉદયરૂપ, કર્મજન્ય અવસ્થારૂપ ભાસે છે, એ સાચું સુખ નથી, પણ વસ્તુતઃ દુઃખ જ છે એમ તેઓ સમજે છે. અલબત્ત, સંસારી જીવો આવા સાચા સુખના સાચા સ્વરૂપને ન સમજે એથી જ્ઞાની ઉદાસ, ઉદ્વિગ્ન કે આક્રોશવાળા થતા નથી, પણ ભવસ્થિતિ આવી જ હોય છે એમ સમજીને તેઓ કરુણાદિ ભાવના સેવે છે. અનંત કાળે પણ આવી જ પરિસ્થિતિ રહેવાની એમ તેઓ સમજે છે. [૩૨] –વિસ્તક્ષમતાવારંવાથી: I क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ।। ४ ।। ८ ।। [શબ્દાર્થ =જે; વિ =ચિત્ (જ્ઞાન) રૂપી દર્પણ વિચસ્ત:=સ્થાપન થયેલ; સમસ્ત =સમસ્ત, સમગ્રસાવરવાથી =આચારવડે સુંદર બુદ્ધિવાળા વેવ નામ શા માટે; સ =તે; પરદ્રવ્ય પદ્રવ્યમાં, પુદ્ગલ દ્રવ્યમાં; અનુપયોનિ=અનુપયોગી, ઉપયોગ રહિત, કામ ન લાગે એવી; મુક્ષ્યતિ=મૂંઝાય, મોહ પામે.] અનુવાદજે જ્ઞાનરૂપી દર્પણમાં સ્થાપન કરેલા સમસ્ત આચાર વડે સુંદર બુદ્ધિવાળો છે તે ઉપયોગમાં ન આવે એવા પરદ્રવ્યને વિશે શા માટે મૂંઝાય? (૮) વિશેષાર્થ : અહીં દર્પણમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાની ક્રિયા માટે રૂપક પ્રયોજવામાં આવ્યું છે. સંસારી જીવો કાચના દર્પણમાં પોતાના સ્થૂલ પ્રતિબિંબને નિહાળે છે. જ્ઞાની મહાત્માઓ પોતાના જ્ઞાનરૂપી અરીસામાં પોતાના જ્ઞાનાચાર વગેરે આચારોનું સૂક્ષ્મ પ્રતિબિંબ નિહાળે છે. સંસારી જીવને અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાનું ગમે છે. એમાં જોઈને તે પોતાનાં સૌન્દર્યની, રૂપલાવણ્યની વૃદ્ધિ માટે વધુ પ્રયાસો કરે છે. દર્પણમાં જોવાથી પોતાનામાં ક્યાં ત્રુટિ છે તેનો ખ્યાલ આવે છે અને એ નિવારવાનો તે પ્રયાસ કરે છે. પરંતુ સંસારીનું દર્પણમાં For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪. મોહત્યાગાષ્ટક પડેલું પોતાના ચહેરાનું પ્રતિબિંબ ઉંમર વધતાં પ્લાન, કરચલીઓવાળું દેખાય છે. જ્ઞાની મહાત્માઓને પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં જ્ઞાનાચાર વગેરે આચારોનું ઉત્તરોત્તર વધુ સુંદર, ઉજ્જવળ પ્રતિબિંબ દેખાય છે. સંસારીનું પ્રતિબિંબ સ્થૂળ છે, જ્ઞાનીનું પ્રતિબિંબ સૂક્ષ્મ છે. સંસારી માણસ ગમે તેવો કદરૂપો હોય તો પણ તેને પોતાનું પ્રતિબિંબ જોવું ગમે છે. પોતાની કદરૂપતા દૂર કરવા અને સુંદરતા વધારવા તે બાહ્ય ભૌતિક પદાર્થોનો આશ્રય લે છે. ક્યારેક મોંઘાદાટ પદાર્થો તે ખરીદે છે અને ઉપચારો કરાવે છે. જ્ઞાની મહાત્માને પોતાના પ્રતિબિંબને સુધારવા, વધુ સુંદર કરવા બાહ્ય ઉપચારોની આવશ્યકતા હોતી નથી. તેઓનો પુરુષાર્થ અંતરંગ સુધારા માટે હોય છે. જૈન દર્શન પ્રમાણે મુખ્ય પાંચ આચાર છેઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ અંતરંગ દેહના અવયવો છે. જ્ઞાની મહાત્મા જ્યારે પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં પોતાના આચારરૂપી પ્રતિબિંબને નિહાળે છે ત્યારે તેઓ હર્ષોલ્લાસ અનુભવે છે. ત્યારે તેઓને ભૌતિક સાંસારિક પ્રતિબિંબ અને પદાર્થો ફિક્કા લાગે છે. એથી એ પ્રત્યેની તેઓની આસક્તિ નીકળી જાય છે. આ બાહ્ય પદાર્થો તેઓને અનુપયોગી અર્થાત્ કોઈપણ રીતે કામ ન લાગે એવા નિરર્થક લાગે છે. મિથ્યાદષ્ટિ, અસંયમી, તત્ત્વજ્ઞાનથી રહિત, આત્માનુભવથી વંચિત એવા સંસારી આત્માઓને પરદ્રવ્યમાં જે સુખ ભાસે છે તે વસ્તુતઃ તેમની ભ્રાન્તિ છે. જ્યાં સુધી સ્વરૂપરમણતાનું સુખ તેઓએ ચાખ્યું નથી હોતું ત્યાં સુધી તેઓ આવી ભ્રમણામાં જ રહેવાના. એક વખત આત્મસ્વરૂપનો આનંદ ચાખ્યા પછી પરદ્રવ્યનો સંબંધ તેઓને અશુચિમય લાગવાનો. તેઓની તે માટેની આસક્તિ અનુક્રમે નીકળી જવાની. એ દિશાનો એટલે કે મોહના ત્યાગનો પુરુષાર્થ એ જ સાચો પુરુષાર્થ છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ૫. જ્ઞાનાષ્ટક [૩૩] મન્નત્યજ્ઞ: વિનાજ્ઞાને વિષ્ટાયામિવ શૂર: | જ્ઞાની નિમતિ જ્ઞાને મ+ાન રૂઢ માનસે | ૨ [શબ્દાર્થ: મન્નતિ ડૂબકી મારે છેઃ મગ્ન થાય છે; અજ્ઞા=અજ્ઞાની; તિ=ખરેખર; અજ્ઞાને અજ્ઞાનમાં, વિષ્ટીયા=વિષ્ટામાં, અશુચિમાં; ફુવ=જેમ; શૂર:=ભૂંડ, ડુક્કર; જ્ઞાની= જ્ઞાની, નિમન્નતિ–નિમગ્ન થાય છે; જ્ઞાને=જ્ઞાનમાં, મરી =હંસ; =જેમ; માન=માનસરોવરમાં.] અનુવાદ-જેમ ભૂંડ વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની જ્ઞાનમાં નિમગ્ન થાય છે. (૧) વિશેષાર્થ: મોહના ત્યાગ વિના આત્મજ્ઞાન નથી. સંસારી અજ્ઞાની જીવો અને આત્મજ્ઞાની મહાત્માઓ વચ્ચે કેટલો મોટો તફાવત છે એ સમજાવવા અહીં શૂકર એટલે કે ડુક્કરનું અને માનસરોવરના મરાલ એટલે કે હંસનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કાળુ ભૂખરું ડુક્કર વિષ્ટામાં, કાદવમાં, ગંદકીમાં આળોટે છે, રહે છે અને કચરામાંથી પોતાનો આહાર લે છે. દુનિયામાં ગંદકીનું ક્ષેત્ર વ્યાપક છે અને ડુક્કરો એમાં ભમતાં હોય છે. તેમનામાં સારાસારનો વિવેક હોતો નથી. તેઓ હલકી વસ્તુમાં રાચે છે. હંસોમાં પણ જે માનસરોવરના હંસો હોય છે તે કોઈપણ જાતના ડાઘ વગરના, શ્વેત, ઉજ્જવળ હોય છે. તેમનામાં નીરક્ષીરનો વિવેક હોય છે. તેમની આગળ દૂધ અને પાણી ભેગું કરીને આપ્યાં હોય તો તે પોતાની ચાંચથી દૂધ પી જશે અને પાણી પડ્યું રહેશે. તેમનામાં સારાસારની વિવેકશક્તિ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક હોય છે. આત્મજ્ઞાની મહાત્મા આવા હંસ જેવા હોય છે. દુનિયામાં જેમ ડુક્કરો અનેક હોય છે અને હંસ થોડા હોય છે તેમ અજ્ઞાનીઓ ઘણા હોય છે અને જ્ઞાનીઓ થોડા હોય છે. શાસ્ત્રજ્ઞાનીઓમાં પણ જે શાસ્ત્રોનો અભ્યાસ કરવાવાળા હોય છે, પરંતુ જેમની સંસાર પ્રત્યે ઉદાસીનતા પ્રગટી નથી, જેઓ સંસારના પ્રવાહમાં ખેંચાઈ જાય છે એવા જ્ઞાનીઓ કરતાં પણ જેઓ સંસાર પ્રત્યે ઉદાસીન છે, ભૌતિક પદાર્થોમાં રાચતા નથી, વિષયકષાયથી વિમુખ છે અને તત્ત્વસંવેદનરૂપ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરે છે અથવા પ્રાપ્ત કર્યું છે એવા આત્મજ્ઞાનીઓ અલ્પ સંખ્યામાં હોય છે. સંસારમાં ચારે બાજુ ભોગોપભોગની જ વાતો થતી હોય છે. મોટા ભાગના જીવો બહિર્મુખ છે. તેમના રસ અને આનંદના વિષયો અને પ્રવૃત્તિઓ અર્થોપાર્જન, સુખસગવડનાં સાધનો, ધનવૈભવ, કામભોગ ઇત્યાદિનાં હોય છે. આત્મજ્ઞાની દેહધારી છે, સંસારમાં રહે છે અને ચારે બાજુથી ભોગોપભોગની પ્રવૃત્તિઓથી ઘેરાયેલા છે તેમ છતાં તેઓ હંસની જેમ વિચરે છે. તેઓ એવી વાતોથી, પ્રવૃત્તિઓથી લેપાતા નથી. તેઓ એમાં આસક્ત બનતા નથી. [૩૪] નિર્વાણપત્રમાણે માવ્યતે યમુહુર્મુહુઃ તવ જ્ઞાનમુત્કૃષ્ટ નિર્વજો નાતિ મૂયરી || ૧ | ૨ | [શબ્દાર્થઃ નિર્વાણપદં=મોક્ષપદ; પ=પણ; પર્વ=એક; માવ્યતે=ભાવન થાય છે, વિચારાય છે; =જે; મુહુ =વારંવાર; તવ=તે જ; જ્ઞાનમન્ત્રજ્ઞાન; ૩ષ્ટ–ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ, નિર્જન્ય: આગ્રહ; નાસ્તિ=નથી; મૂયસા=ઘણા (જ્ઞાન) વડે, બહુ માટે.] અનુવાદ-કોઈ પણ એક મોક્ષપદનું ભાવન વારંવાર કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર છે. ઘણા માટે બહુ ગ્રંથો ભણવા માટે) આગ્રહ નથી. (૨) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે સાધકને માટે એક અત્યંત મહત્ત્વની વાત અહીં કરી છે. સાધક સાચો મોક્ષાર્થી હોય તો મોક્ષપ્રાપ્તિ માટે એમણે એક સરસ ચાવી અહીં બતાવી છે. સાંસારિક જ્ઞાનની તો અનેક વિદ્યાઓ હોય છે અને વિષયો હોય છે અને તે તે વિષયમાં વખતોવખત નવાં નવાં સંશોધનો થાય છે અને નવા નવા ગ્રંથો પ્રકાશિત થતા રહે છે.એન્જિનિયરિંગ હોય, તબીબી વિજ્ઞાન હોય, ઇલેકટ્રોનિક્સ હોય, કમ્યુટર હોય-આજની વાત આવતી કાલે કાલગ્રસ્ત થઈ જાય છે. સો વર્ષ પહેલાં લશ્કરના જવાનોને જે જાતનાં શસ્ત્રો અપાતાં હતાં અને યુદ્ધ નીતિ શીખવવામાં આવતી હતી તે આજે હવે ન ચાલે. સમય ઝડપથી બદલાય છે અને તેની સાથે સાધનો અને શૈલી બદલાતાં જાય છે. માણસે યુવાનીમાં જે કંઈ વ્યવહારું જ્ઞાન મેળવ્યું હોય તો તે એની પાછલી જિંદગીમાં કદાચ કામ લાગે તો લાગે. પરંતુ અધ્યાત્મ ક્ષેત્રની વાત જુદી છે. દેહ અને આત્મા વિશે હજારો-લાખો વર્ષ પૂર્વે તીર્થંકર ભગવાને, ગણધર ભગવંતોએ જે કંઈ કહ્યું છે તેમાં ફરક પડવાનો નથી. સર્વ જીવોનું એક જ લક્ષ્ય છે, અને તે છે સંસારમાંથી મુક્તિ અર્થાત્ નિર્વાણ પ્રાપ્તિ. સાધના પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે, કોઈ એક વાત પર વધુ કે ઓછો ભાર મૂકવામાં આવે, ક્યાંક મતાન્તર પણ થાય. પરંતુ સંસારમુક્તિના લક્ષ્યમાં ફેરફાર ન જ હોઈ શકે. પૂર્વાચાર્યોએ આત્મશુદ્ધિ માટે, કર્મક્ષય માટે, ગુણસ્થાનના ક્રમારોહણ માટે, પદ્રવ્ય અને નવ તત્ત્વની સમજણ માટે જે જે અભુત ગ્રંથો લખ્યા છે એના સ્વાધ્યાય અને પરિશીલનથી જ્ઞાનપ્રકાશ વધતો જાય છે અને શ્રદ્ધા દઢ થતી જાય છે. જીવને અનેક રીતે આ બધી તત્ત્વચર્ચા ઉપયોગી છે. પૂર્વાચાર્યોએ જે કોઈ ગ્રંથો લખ્યા છે તેનો અનાદર ન થઈ શકે. પરંતુ એક જ જિંદગીમાં આ બધા ગ્રંથો વાંચી શકાતા નથી. વળી જે માણસો For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક જીવનની ઉત્તરાવસ્થામાં ધર્મમાર્ગ તરફ વળ્યા હોય તેઓ તો ઇચ્છે તો પણ શેષ જીવનમાં મહત્ત્વના બધા ગ્રંથોનો અભ્યાસ પૂરો ન કરી શકે. વળી કેટલાક મહાત્માઓની સ્મૃતિ, બુદ્ધિ શક્તિ ઇત્યાદિ ઓછાં પણ હોય. તો શું તેઓનું ધર્મમાર્ગે વળવું વ્યર્થ ગણાય ? ના, તેઓને માટે પણ શાસ્ત્રકારોએ ઉપાયો બતાવ્યા છે. ચૌદ પૂર્વધર મહાત્માઓ વૃદ્ધાવસ્થામાં જ્યારે સ્મૃતિ બહુ ઘસાઈ જાય અને પૂર્વોનું જ્ઞાન વિસ્તૃત થવા માંડે ત્યારે તેઓ એક નવકારમંત્રનું રટણ, સ્મરણ, ભાવન અહોરાત્ર કરતા રહે છે. ૬૭ કોઇક મહાવ્રતધારી મહાત્માની બુદ્ધિશક્તિ મંદ હોય તો તેથી કંઈ બાજી હારી જવાતી નથી. આપણે ત્યાં શ્રી માતુષ મુનિનું દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. ‘મા રુષ, મા તુષ’ (રાગ ન કર અને દ્વેષ ન ક૨) એ બે પદોનું ભાવન કરતાં કરતાં કેવળજ્ઞાન પામી નિર્વાણ પદ એમણે પ્રાપ્ત કર્યું હતું. એટલે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ઘાતી કર્મોનો ક્ષય કરાવે એવા કોઈ એક જ પદનું આત્મામાં તન્મય થઈને વારંવા૨ ભાવન કરવું, સ્વરૂપમાં એકત્વનો અનુભવ કરવો, આત્મસુખનો અનુભવ કરવો એનું મહત્ત્વ સવિશેષ છે. કેવળ હકીકતોના સંગ્રહરૂપ કે વાણીના વિસ્તારરૂપ જે જ્ઞાન છે તેનો બહુ આગ્રહ નથી. આત્માની અંદરની પરિણતિ વગરનું શાસ્ત્રજ્ઞાન તો માત્ર શુકપાઠ જેવું થઈ જાય, પરંતુ જો કોઈ એમ કહે કે શાસ્ત્રજ્ઞાન નિરર્થક છે, અનાવશ્યક છે તો તે બરાબર નથી. આત્મજ્ઞાન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજવા માટે પણ શાસ્ત્રજ્ઞાનની ઉપકારકતા છે. વસ્તુતઃ જે કંઈ શાસ્ત્રાભ્યાસ કર્યો હોય તેમાંથી પોતાની રુચિશક્તિ અનુસાર પોતાને પ્રિય એવું એકાદ પદનું, કોઈ પંક્તિનું, એકાદ તત્ત્વવિચારનું, એકાદ સ્તવન-સજ્ઝાયનું એવી રીતે ઉલ્લાસપૂર્વક પરિશીલન, ભાવન, ઘોલન થવું જોઈએ કે જેથી તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો વગેરે પ્રત્યેના બહુમાનપૂર્વક રાગદ્વેષાદિ કષાયોની મંદતા સાથે, ઘાતિ કર્મોનો ક્ષય થતો રહેવો જોઈએ. આ રીતે એકાદ પદનું વારંવા૨ ભાવન પણ નિર્વાણસાધક થઈ શકે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [૩૫] સ્વાવલામ–સંાનારાં જ્ઞાનમિત્તે । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।। ५ ।। ३ ।। [શબ્દાર્થઃ સ્વમાવતામ=સ્વભાવની(સ્વસ્વરૂપની) પ્રાપ્તિ; સંસ્કાર ારö=સંસ્કારનું કારણ; જ્ઞાનં=જ્ઞાન; દૃષ્યતે–ઇચ્છાય છે, ઇચ્છા રખાય છે; ધ્યાö=બુદ્ધિનું આંધળાપણું; માત્ર=માત્ર; અત:=એથી; તુ=વળી; અન્યત્=બીજું; તથા=તે પ્રમાણે; ==અને; સ્તં=કહ્યું છે; મહાત્મના=મહાત્માએ, મહાપુરુષોએ. જ્ઞાનસાર અનુવાદ-આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બને એવું જ્ઞાન ઇષ્ટ છે, તે સિવાયનું બીજું (જ્ઞાન) માત્ર બુદ્ધિનું અંધત્વ છે. તે જ પ્રમાણે મહાત્માઓએ પણ કહ્યું છે. (૩) વિશેષાર્થ : ‘જે જ્ઞાન જીવને સ્વભાવનો લાભ કરાવે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે લગની લગાડે, રાત-દિવસ એના જ વિચારોમાં મગ્ન રાખે એવું જ્ઞાન અમે ઇચ્છીએ છીએ.’ આવું સાધકોને લાગવું જોઈએ, કારણ કે એથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાર્ગ ઉપર આગળ પ્રયાણ થાય છે. જે જ્ઞાનના અભ્યાસથી પુદ્ગલાનંદી બનાય, વિષયકષાયની પ્રવૃત્તિઓમાં રસ પડે એવું જ્ઞાન તો જીવને આત્મસ્વભાવથી વિમુખ કરનાર થાય છે. દૃષ્ટિવિહીન બનાવનાર એવા વૈભાવિક જ્ઞાનની સાધકને ઇચ્છા ન થવી જોઇએ. જે જ્ઞાન માત્ર વાણીના વિલાસરૂપ હોય, જે સ્વ-૫૨નો વિવેક ન કરાવતું હોય, જે પરપદાર્થનો ત્યાગ કરવાની ભાવના ન પ્રેરતું હોય, જે ચિત્તમાં વિકલ્પો અને વ્યગ્રતા જગાડતું હોય, જે આહારાદિ સંજ્ઞાઓને પોષતું હોય, જે ત્યાગવૈરાગ્યરૂપી સંયમ તરફ ન દોરી જતું હોય એવા બાહ્ય જ્ઞાનને બુદ્ધિના અંધપણા તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં વતં મહત્વના એવા શબ્દો મૂકીને યોગસૂત્રના For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક રચયિતા મહર્ષિ પતંજલિનો સાક્ષીપાઠ આપ્યો છે. વળી શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે કે અત્યાસંયોં ના સુમાડુિત્રવિયં અર્થાત્ અસંયમ માટે જેને જુગુપ્સા ન હોય એટલે કે સંયમ માટે જેમને પ્રેમ ન હોય એવી વ્યક્તિનું શ્રુતજ્ઞાન તે શુકપાઠ જેવું જાણવું. એક વખત આત્મજ્ઞાનની મસ્તી લાગે છે, સ્વસ્વરૂપમાં રમણ કરવાનું થાય છે પછી સાંસારિક બાબતોમાં રસ પડતો નથી. સાંસારિક બાહ્ય ઉપાધિઓ પ્રત્યે ઉદાસીન થઈ જવાય છે. પછી તે ઉપાધિરૂપ લાગતી નથી. પરીષહો અને ઉપસર્ગો સહજ ભાવે સહી લેવાય છે. એ તરફ લક્ષ જતું નથી. આવા ઉપસર્ગો સહન કરનાર મહાત્માઓના એવા અનેક દૃષ્ટાન્તો આપણને જાણવા મળે છે. એટલા માટે આત્મજ્ઞાન તરફ વળવું જોઈએ. કહ્યું છેઃ आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते । अभ्यस्तं तत् तथा तेन येनात्मा ज्ञानमयो भवेत् ।। [આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્માના જ્ઞાનથી નાશ પામે છે. તેથી આત્મજ્ઞાનનો એ રીતે અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી આત્મા જ્ઞાનમય થાય.] स्वल्पज्ञानेन नो शान्तिं याति हप्तात्मनां मनः । स्तोकवृष्ट्या यथा तप्तभूमिसुष्मायतेतराम् ।। [અલ્પ જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલા જીવોનું મન શાંતિ પામતું નથી, જેમ થોડાક વરસાદથી તપેલી ભૂમિ વધારે ગરમ થાય છે તેમ.] શ્રી યશોવિજયજી મહારાજે આ જ શ્લોકના ભાવાર્થરૂપ કડી શ્રી સીમંધરસ્વામીના સ્તવનમાં લખી છેઃ આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહિયે, આતમજ્ઞાને તે ટળે, એમ મન સદ્દહિયે. આતમતત્ત્વ વિચારીએ. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ GO જ્ઞાનસાર શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' ટીકામાં અનુયોગદ્વાર’નું વચન ટાંક્યું છે. તેમાં કહ્યું છે કે શિખવાયેલું, સ્થિર થયેલું, વારંવાર યાદ કરેલું અને ગુરુની વાચના દ્વારા પ્રાપ્ત થયેલું શ્રુતજ્ઞાન હોય, અને શિષ્ય તે વિશે વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથા કરતો હોય પરંતુ, તેની અનુપ્રેક્ષા ન કરતો હોય એટલે કે તે શ્રુતજ્ઞાનનું ભાવન ન કરતો હોય તો તે દ્રવ્યશ્રત છે.” એટલા માટે જ્ઞાનના વિષયમાં અનુપ્રેક્ષા સૌથી મહત્ત્વની છે. [૩૬] વાવાં પ્રતિવાવાશ્ચવતોડનિશ્ચિતસ્તથા તે तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।। ५ ।। ४ ।। [શબ્દાર્થ: વીવાત્રવાદને, પૂર્વપક્ષને; વ=અને; પ્રતિવવાન—ઉત્તરપક્ષને; વન્તઃ=કહેનારા; નિશ્ચિત-અનિશ્ચિત, તત્ત્વના નિર્ણય વિનાના; તથા=તે પ્રમાણે; તસ્વીનાં તત્ત્વના પારને; નૈવે છ7=પામતા નથી જ; તિ–પીત્તવ=તલ પીલવાવાળાની જેમ, ઘાંચીના બળદની જેમ; તૌ=ગમન કરવામાં.] અનુવાદ–અનિશ્ચિત અર્થવાળા વાદ (પૂર્વપક્ષ) અને પ્રતિવાદ (ઉત્તર પક્ષ) કહેનારા અને તે પ્રમાણે ગમન કરનારા ઘાંચીના બળદની જેમ, તત્ત્વનો પાર પામતા નથી. (૪). વિશેષાર્થ : મનુષ્યનું મન ફળદ્રુપ છે. કોઈ પણ વાતમાં બુદ્ધિ દોડાવતાં એને વાર નથી લાગતી. કેટલાક ચતુર માણસો યુક્તિપ્રયુક્તિ કરવામાં, દલીલબાજી કરવામાં અત્યંત કુશળ હોય છે. કુતર્કથી સાચાને ખોટા અને ખોટાને સાચા કહી બતાવતાં તેઓને આવડતું હોય છે. શાસ્ત્રગ્રંથો વિવિધ વિષયના છે. એનો સુયોગ્ય વ્યવસ્થિત અભ્યાસ વ્યક્તિના ચિંતનને વિશદ બનાવે છે. પરંતુ દરેક વસ્તુમાં વિવિધ દૃષ્ટિકોણ હોય છે. એટલે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક ૭ ૧ વાદવિવાદની પ્રથા પરાપૂર્વથી ચાલી આવે છે. જૂના વખતમાં કેટલાક વાદ-વિવાદ રાજ્યાશ્રયે થતા. ક્યારેક એક ધર્મવાળા બીજા ધર્મવાળાને પડકાર ફેંકતા. આવી વાદસભાઓ મહિનાઓ સુધી ચાલતી. જે હારે તે કાં તો વિજયી વાદીનો શિષ્ય બની જાય અથવા રાજા એને દેશનિકાલની સજા કરે. જેમ વધુ અભ્યાસ થાય. તીક્ષ્ણ અને પ્રત્યુત્પન્ન મતિ હોય તેમ વાદ-વિવાદ કરવામાં નિપુણતા કેળવાય. આવા વાદી થવાની પણ એક પ્રકારની મઝા હોય છે એને પ્રતિષ્ઠા મળે તથા પોતાનો મત સાબિત કરવાના સામર્થ્યની પ્રતીતિ થાય છે. પરંતુ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વાદવિવાદ જ્યારે કરવામાં આવે ત્યારે કેટલીક બાબતો અનિશ્ચિત, અનિર્મીત જ રહે. કેટલાંક પદો (શબ્દો) કે વાક્યોના બે કે ત્રણ અર્થ થતા. વળી વાક્યના અન્વયમાં ફેરફાર થાય તો અર્થમાં ફેરફાર થાય. શબ્દશ્લેષની રચનાઓ પણ થતી. આથી વાદ-વિવાદમાં ગૂંચવણ થતી અને ક્યારેક છેલ્લે હાથોહાથની મારામારી કરી જીત મેળવાતી. કેટલીક વાદસભાઓ સાચી, નિર્દોષ, પ્રામાણિક અને ધ્યેયલક્ષી રહેતી અને એનું ગૌરવ પણ થતું. સમર્થ વાદવિજેતાને ‘વાદી'નું બિરુદ પણ અપાતું. આપણા કેટલાક પૂર્વાચાર્યો ‘વાદી' તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરંતુ કેટલાક વાદવિવાદો માત્ર જયપરાજય માટે જ થાય છે. કેટલાક વાદ, વાદી કે પ્રતિવાદીને યશ અપાવવા અને સામા પક્ષને અપયશ અપાવવા માટે જ થાય છે. કોઈ વાદી આવા આશયથી શાસ્ત્રોનો અભ્યાસ કરે તો તે એની રાગદ્વેષની પરિણતિ વધારનાર થાય છે. એવા વિવાદમાં વસ્તુ-તત્ત્વનો નિર્ણય થતો નથી, કારણ કે કેટલાય શાસ્ત્રવાક્યોના અર્થ અનિશ્ચિત હોય છે. કેટલાક વિવાદમાં બંને પક્ષને છેલ્લે કહેવું પડે કે તત્ત્વ વનીકાળ્યું. કેટલાક વાદમાં જ્ઞાનનો સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. વળી આવી શુષ્ક ચર્ચાથી કંઠશોષ થાય, પણ આત્માનુભૂતિ ન થાય. તો પછી આવા વાદ-વિવાદો કરવાનું પ્રયોજન શું? જે વિવાદો છેલ્લે પાછા હતા ત્યાં જ આવીને અટકી જવાના હોય એવા વાદવિવાદો તો ઘાંચીના બળદની જેમ હતા ત્યાં ને ત્યાં જ રહે છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાધકે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ શુષ્ક વાદવિવાદ કરવાને બદલે સ્વરૂપાનુભવ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવો હિતાવહ છે. [૩૭] સ્વદ્રવ્યમુળપર્યાયચર્ચા વર્યા પાડન્યથા । इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुने: ।। ५ ।। ५ ।। જ્ઞાનસાર [શબ્દાર્થ: સ્વદ્રવ્યમુળપર્યાય=પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં; ચર્યા=પરિણતિ; વર્યા=શ્રેષ્ઠ; પરા=અન્ય પરિણતિ; અન્યથા અન્ય પ્રકારે; કૃતિ=એમ; વત્ત =આપ્યો છે; આત્મસંતુષ્ટિ:=આત્માને સંતોષ જેણે; મુષ્ટિજ્ઞાનસ્થિતિ:=મૂઠીમાં સમાય એવા જ્ઞાનની સ્થિતિ, સંક્ષેપમાં રહસ્યજ્ઞાનની મર્યાદા; મુદ્દે =મુનિની.] અનુવાદ-સ્વદ્રવ્યગુણપર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ છે; પરમાં (પર દ્રવ્યગુણ પર્યાયમાં પરિણતિ) શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે મુનિના જ્ઞાનનો સંક્ષિપ્ત સાર છે. એણે એના આત્માને સંતોષ આપ્યો છે. (૫) વિશેષાર્થ : અહીં મુષ્ટિજ્ઞાનની વાત કરવામાં આવી છે. મુષ્ટિ એટલે મૂઠી. મનુષ્યના શરીરમાં એવી જો કોઈ રચના હોય કે જેમાં તે પોતાને મળેલી વસ્તુ વધુ વખત સાચવી શકે તો તે મૂઠી છે. નાના બાળકને કંઈ આપ્યું હોય તો તે મૂઠીમાં, ક્યારેક બેય હાથની મૂઠીમાં લે છે. શરીરના પ્રમાણમાં મૂઠી નાની છે. પરંતુ નાની હોવા છતાં કિંમતી વસ્તુ સાચવવામાં એ વિશેષ કામ લાગે છે. પોતાની મૂઠી દિવસરાત પોતાની પાસે જ હોવાથી સાચવવાની જે કોઈ વસ્તુ હોય તે બીજાને આપવાની કે બીજે મૂકવાની જરૂર નથી રહેતી. વળી મૂઠી સુલભ હોવાથી અંદર રાખેલી વસ્તુ ગમે ત્યારે, ગમે તેટલી વાર જોઈ શકાય છે. મૂઠીની વસ્તુ એટલે હાજરાહજૂર. વળી, કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો બંધ મૂઠીનો સંકેત કામ લાગે છે. શાસ્ત્રકારો એટલા માટે અહર્નિશ યાદ રાખવા માટે, પાસે રાખવા માટે સંક્ષિપ્ત For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક અર્થગર્ભ, રહસ્યપૂર્ણ સૂત્રોને ‘મુષ્ટિજ્ઞાન' તરીકે ઓળખાવે છે. બીજું બધું ભૂલાઈ જાય તો પણ મૂઠીમાં રાખેલું સૂત્રાત્મક જ્ઞાન છેવટ સુધી પાસે ને પાસે જ રહે છે. મૂઠી સદ્યસુલભ છે. [એટલા માટે જૂના વખતમાં રમત રમનારાઓમાં કહેવત હતી કે ઓટીમાંનો (વસ્ત્રમાં કેડે રાખેલો) હારે અને મૂઠીમાંનો જીતે.] ઉપાધ્યાયજી મહારાજ અહીં આત્મજ્ઞાનના સાધક મુનિઓને કહે છે કે પોતાના આત્મદ્રવ્યના ગુણપર્યાયમાં રમણતા એ જ સર્વશ્રેષ્ઠ સાધના છે. પરદ્રવ્યના ગુણપર્યાયમાં રમણતા એ ઇષ્ટ નથી. 26 જડ પદાર્થોના સુખ પાછળ દોડી જવું એ જીવનો અજ્ઞાનવશ સ્વભાવ છે. ભવાભિનંદી જીવો પૌદ્ગલિક સુખને જ સર્વશ્રેષ્ઠ માને છે. પરંતુ એવાં સુખો તે સુખાભાસ છે, અનિત્ય છે અને સંસારમાં રખડાવના૨ છે. એની આસક્તિ રાખવી તે મિથ્યા છે. પોતાનો દેહ, ઘર, પત્ની, પુત્ર, પરિવાર, માલમિલકત, ધનવૈભવ, યશકીર્તિ ઇત્યાદિ બધાં જ પ૨-દ્રવ્ય છે, પર-ગુણ છે, પર-પર્યાય છે. એનું પરિણમન ભવભ્રમણનું કારણ બને છે. કહ્યું છેઃ पर संगेण बंधो मुक्खो परभावचायणे होइ । सव्वदोसाण मूलं परभावाणुभवपरिणामो || [૫૨ભાવના સંગથી બંધ થાય છે, પરભાવના ત્યાગથી મોક્ષ થાય છે. પરભાવના અનુભવનું પરિણામ સર્વ દોષોનું મૂળ છે.] પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણમાં પરિણતિ શ્રેષ્ઠ છે. મુનિને માટે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ આત્મા છે. સ્વદ્રવ્ય એટલે પોતાનું આત્મદ્રવ્ય. એના ગુણો એટલે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર ઇત્યાદિ. પર્યાય એટલે ક્રમિક પ્રગટતી અને નાશ પામતી અવસ્થા. આત્મા અશુદ્ધ પર્યાયોથી આવૃત્ત થાય છે, એટલે કે આવ૨ાય છે અને શુદ્ધ પર્યાયથી પ્રગટ થાય છે. પરભાવમાં રમણતા એ અશુદ્ધ પર્યાય છે અને આત્મામાં, સ્વસ્વરૂપમાં ચર્યા એટલે કે રમણતા એ શુદ્ધ પર્યાય છે અને તે જ શ્રેષ્ઠ ચર્યા છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જ્ઞાનસાર શુદ્ધ પર્યાયના પણ બે પ્રકાર બતાવવામાં આવે છે. અર્થપર્યાય અને વ્યંજન પર્યાય. વર્તમાનકાળના પર્યાય તે અર્થપર્યાય અને àકાલિક પર્યાય તે વ્યંજન પર્યાય. (ઉ. ત. ઘડો તે અર્થપર્યાય અને માટી તે વ્યંજન પર્યાય) અથવા વ્યંજન એટલે અક્ષરો-શબ્દોનો વાચ્યાર્થ અને અર્થ એટલે ભાવાર્થ એમ લઈએ તો આત્મસ્વરૂપ વિશેની યથાર્થ સમજણ તે વ્યંજન પર્યાય અને તેની શુદ્ધ પર્યાયોનું પરિણમન તે અર્થપર્યાય. આથી જ સાધકો સર્વસંગપરિત્યાગી થઈને, એકાકી વિચરતા હોય છે. તેઓ આત્માના ગુણપર્યાયમાં રમણતા કરે છે. પોતાના દ્રવ્યમાં, ગુણોમાં અને પર્યાયમાં વિચરવું અર્થાત્ એમાં રમણતાનો અનુભવ કરવો એવા આ મુષ્ટિજ્ઞાન દ્વારા તેઓ આત્માને સંતુષ્ટ કરે છે. [૩૮] ગતિ વેત્ સ્થિમજ્ઞાનં વિં વિસ્તર્યાત્રા પ્રવીપાક વવોપયુજેનો તમોદની દૃષ્ટિદેવ વેત્ ા ા વ્ | [શબ્દાર્થ અસ્તિ=છે; વે=જો; સ્થિમજ્ઞાન=ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન; fi=શું કામ છે ? ચિત્ર =વિવિધ પ્રકારનાં; તંત્રયંત્ર: શાસ્ત્રના બંધનોનું; પ્રવી: =દીવાઓ; વેવ ક્યાં; ૩પયુન્ત–ઉપયોગી થાય; તમોખી અંધકારને હણનારી; વૃષ્ટિ દષ્ટિ, ચક્ષુ, વ=જ; વે=જો.] અનુવાદ-જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તો વિવિધ પ્રકારનાં શાસ્ત્રોનાં બંધનોનું શું કામ છે ? જો અંધકારને હણનારી દષ્ટિ છે, તો દીપકો ક્યાં ઉપયોગી થાય ? (૬) વિશેષાર્થ : અહીં ઉચ્ચ પ્રકારના જ્ઞાનની વાત છે. એ જ્ઞાન તે ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. એ જ્ઞાન આત્મધર્મના સંવેદનરૂપ, તત્ત્વસંવેદનરૂપ છે. એ સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી ભાવપરિણતિવાળું જ્ઞાન છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે છે. અહીં ગ્રંથિભેદ-જ્ઞાન જે કહ્યું છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું છે. ગ્રંથિને ભેદનારું જ્ઞાન તે કારણ છે અને આત્મપરિણતિવાળું જ્ઞાન તે એનું કાર્ય છે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયમાં ચર્ચા કરવી તે આત્મપરિણતિવાળું જ્ઞાન. ગ્રંથિભેદવાળું એટલે કે આત્મપરિણતિવાળું આ જ્ઞાન વિષયપ્રતિભાસ જ્ઞાનથી રહિત હોય છે. શાસ્ત્રોમાં જ્ઞાનના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ શ્લોકના સંદર્ભમાં નીચેના ત્રણ પ્રકારો સમજવા જોઈએ. (૧) વિષય પ્રતિભાસ જ્ઞાન-માત્ર વિષયને જણાવનારું જ્ઞાન. અર્થાત્ સામાન્ય જાણકારી. એમાં હેય અને ઉપાદેયનો વિવેક હોતો નથી. મિથ્યાત્વીનું જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે. (૨) આત્મપરિણતિવાળું જ્ઞાન–આ જ્ઞાનમાં વિવેક પ્રગટે છે. હેય-ઉપાદેયની સમજણ આવે છે. પરંતુ વિવેક અનુસાર આચરણ થઈ શકતું નથી. ચોથા ગુણસ્થાનકવાળા જીવોને આ જ્ઞાન હોય છે. તેઓ અવિરતિ સમ્યગુદૃષ્ટિ જીવો હોય છે. (૩) તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન-આ જ્ઞાન પ્રાપ્ત થતાં હેય-ઉપાદેયનો વિવેક તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત તે જ્ઞાન ધરાવનાર એ પ્રમાણે આચરણ પણ કરે છે. જે હેય છે, ત્યાજ્ય છે એનો તેઓ અવશ્ય ત્યાગ કરે છે અને જે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે તેને તેઓ આચરણમાં મૂકે છે. આ પ્રકારનું જ્ઞાન મુખ્યત્વે નિર્મળ ભાવ ચારિત્રવાળા મુનિઓને હોય છે. અહીં જે એમ કહેવાયું છે કે ગ્રંથિભેદ જ્ઞાન થયા પછી વિવિધ પ્રકારનાં શાસ્ત્રોના અભ્યાસનું શું પ્રયોજન છે ? મતલબ કે ગ્રંથિભેદ જ્ઞાન થાય, દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ રહ્યા કરે, સ્વરૂપ રમણતા રહે ત્યારપછી શાસ્ત્રજ્ઞાનની કોઈ આવશ્યકતા રહેતી નથી. તંત્રયંત્રણાનો અર્થ શાસ્ત્રાભ્યાસ અને તદનુસાર ક્રિયા-અનુષ્ઠાન એવો પણ કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર વસ્તુતઃ એક વખત આત્મરમણતા અને તત્ત્વસંવેદનરૂપ ભેદજ્ઞાન થાય પછી શાસ્ત્રજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. પરંતુ કેટલાક સામાન્ય કે પ્રાથમિક કક્ષાના સાધકો જ્યારે મરુદેવા માતાનું ઉદાહરણ આપીને જો શાસ્ત્રજ્ઞાનની અવગણના કરે તો તે યોગ્ય નથી. વસ્તુત : શાસ્ત્રજ્ઞાન જ સમ્યગૂજ્ઞાનનો રસ્તો ચીંધે છે. એટલે આરંભદશામાં શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા રહે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું સમ્યગુજ્ઞાન શાસ્ત્ર દ્વારા મળે છે. આત્મપરિણતિવાળું જ્ઞાન અભ્યાસના પરિપાકથી તત્ત્વસંવેદનરૂપ થાય છે. એટલે સ્વરૂપમાં રમણતા ન પ્રગટે ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન અને વિવિધ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો ઉપયોગી છે. વળી ગ્રંથિભેદ થયા પછી પણ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનની શુદ્ધિ-વૃદ્ધિ માટે પણ શાસ્ત્રાભ્યાસ ઉપયોગી છે. વળી તે જીવને સ્વરૂપ રમણતામાંથી પડતા અટકાવે છે. એટલે અહીં શાસ્ત્રજ્ઞાનની અનાવશ્યકતા જે કહી છે તે એ જ્ઞાની મહાત્માઓ માટે છે કે જેમની બહિર્મુખતા હવે બિલકુલ રહી નથી. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે રાત્રિના અંધકાર અને દીપકનું. સામાન્ય રીતે અંધારામાં દેખાતું નથી, પણ સાથે દીવો હોય તો દેખાય છે અને ગતિ કરી શકાય છે. અંધારાને સાપેક્ષ દૃષ્ટિથી લેવાનું છે. ઘુવડ અને અન્ય નિશાચર પ્રાણીઓ અંધારામાં જ જોઈ શકે છે. દિવસે એમને દેખાતું નથી. કેટલાક જીવો અંધકાર અને પ્રકાશ બંનેમાં સારી રીતે જોઈ શકે છે. માણસ અંધારામાં પાસેની વસ્તુ જોઈ શકતો નથી પણ કરોડો માઈલ દૂર રહેલા તારા-નક્ષત્રો જોઈ શકે છે. જે અંધકારમાં પાસેની કે દૂરની બધી જ વસ્તુઓ જોઈ શકતો હોય તેને દીપકની આવશ્યકતા રહેતી નથી. એવી જ રીતે જેમણે તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેમને શાસ્ત્રજ્ઞાનની કોઈ અપેક્ષા રહેતી નથી. ગ્રંથિને ભેદનારું જ્ઞાન પહેલી વાર તો અપુનબંધક અવસ્થામાં મિથ્યાત્વને ભેદનારું હોય છે. એ પહેલું અપૂર્વકરણ છે. પણ એ અહીં લેવાનું નથી. અહીં તો નિર્મળ ભાવચારિત્રવાળા મુનિઓનું ગ્રંથિને ભેદનારું તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક લેવાનું છે. [૩૯] મિથ્યાત્વચૈતપક્ષછિદ્ જ્ઞાનસ્પતિશfમત: | નિર્ણય: વિત્યોની નન્દત્યનન્દનન્દને . પ . ૭ || [શબ્દાર્થ: મિથ્યાત્વરીત–મિથ્યાત્વરૂપી પર્વત; પક્ષ =પાંખને; છિદ્ છેદનાર; જ્ઞાનમોનિશfમત =જ્ઞાનરૂપી વજથી શોભિત; નિર્મય:=નિર્ભય, ભયરહિત; શ =ઇન્દ્રની જેમ; યોગી યોગી, યોગવાળો; નન્દતિ આનંદ અનુભવે છે; માનંન્દ્રને આનંદરૂપી નંદનવનમાં.] અનુવાદમિથ્યાત્વરૂપી પર્વતની પાંખો છેદનાર અને જ્ઞાનરૂપી વજૂ વડે શોભતા એવા નિર્ભય યોગી ઇન્દ્રની જેમ આનંદરૂપી નંદનવનમાં આનંદ અનુભવે છે. (૭) વિશેષાર્થ : આ શ્લોકમાં મુનિના સમ્યગુજ્ઞાન માટે ઇન્દ્ર મહારાજના વજનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આપણી ભારતીય પૌરાણિક કલ્પના પ્રમાણે વજ એ ઇન્દ્રનું હથિયાર છે. એ વડે એ મોટા મોટા પર્વતોની પાંખોને તોડી નાખી શકે છે. સમ્યગુજ્ઞાન મિથ્યાત્વને તોડે છે. એટલે મિથ્યાત્વને માટે અહીં પર્વતનું રૂપક અપાયું છે. પર્વતની પાંખોને તોડવાની ક્રિયા ઇન્દ્ર મહારાજ કરે છે. એટલે મુનિને કે યોગીને ઇન્દ્ર મહારાજની ઉપમા આપવામાં આવી છે. ઇન્દ્ર મહારાજ જેમ પર્વતને પોતાના વજ વડે ભેદી નાખે છે અને તેની પાંખોને છેદી નાખે છે કે જેથી પછી પર્વત ઊડીને ક્યાંય ઉત્પાત મચાવે નહિ અને ઇન્દ્ર મહારાજ પોતે નંદનવનમાં આનંદથી વિચારી શકે છે, તેવી રીતે જે મુનિઓ પોતાના જ્ઞાનરૂપી વજ વડે મિથ્યાત્વરૂપી પર્વતની પાંખો છેદી નાખે છે તેઓ સચ્ચિદાનંદ રૂપી નંદનવનમાં ક્રીડા કરી શકે છે. જગત આખું પ્રગાઢ મિથ્યાત્વથી ભરેલું છે. આવા મિથ્યાત્વને છેદવાનું કાર્ય For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ઘણું કપરું છે. પરંતુ જેમની પાસે એ છેદવા માટે ધારદાર શસ્ત્ર હોય અને તેવું બળ હોય અને તેની આવડત હોય તે જ એ મિથ્યાત્વને છેદી શકે છે. યોગી મહાત્માઓ પાસે સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રરૂપી રત્નત્રયીનું એવું બળ હોય છે કે એ વડે મિથ્યાત્વ છેદાઈ જાય છે. ઇન્દ્ર મહારાજા હંમેશાં પોતાના શસ્ત્ર સાથે જ વિચરે છે અને સદાય સતર્ક, અપ્રમત્ત (Alert) રહે છે. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ઇન્દ્ર મહારાજા પોતાનું શસ્ત્ર ભૂલી ગયા અથવા તે ખોવાઈ ગયું અને એથી દેવલોકના નંદનવનમાં અસુરોનો ઉત્પાત્ત મચી ગયો હોય, તેવી રીતે સાચા યોગી મહાત્માઓ સદાય પોતાના જ્ઞાનરૂપી શસ્ત્રથી સજ્જ અને અપ્રમત્ત રહે છે કે જેથી એક વખત પરાજિત કરેલું મિથ્યાત્વ ફરીથી આક્રમણ કરીને પુદ્ગલાનંદમાં ઘસડી જવાની હિંમત કરી શકે નહિ. જેઓ આવા નિર્ભય હોય તેઓ જ જ્ઞાનાનંદનું સાચું સુખ અનુભવી શકે છે. [૪૦] યૂપમસમુદ્રોë રસાયનમનીષઘમ્ ! अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ।। ५ ।। ८ ।। [શબ્દાર્થઃ પીયૂષ=અમૃત; સમુદ્રોત્યં=સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું; રસાયન=રસાયન, રસાયણ, વ્યાધિ, વૃદ્ધાવસ્થામાંથી બચાવનાર દ્રવ્ય જે ઓષધિઓમાંથી બનાવવામાં આવે છે. અનૌષધં=ખધ વિનાનું; અનન્યાપેક્ષ=બીજાની અપેક્ષા વિનાનું, શર્વ=પ્રભુતા; શા=જ્ઞાનને માદુ =કહે છે; મનીષિણ =મનીષીઓ, પંડિતો, જ્ઞાનીઓ.] અનુવાદજ્ઞાન અમૃત છે, પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી, રસાયણ છે છતાં ઔષધ નથી, ઐશ્વર્ય છે છતાં બીજાની અપેક્ષા વિનાનું છે એમ મનીષીઓ કહે છે. (૮) For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્ઞાનાષ્ટક વિશેષાર્થ આલંકારિક શૈલીએ જ્ઞાનનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે. બે વસ્તુ વચ્ચે એટલે કે ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણું બતાવવાની સાથે પછીથી બેમાંથી એકને ચડિયાતું કે ઊતરતું બતાવવું એને કાવ્યાલંકારશાસ્ત્રમાં વ્યતિરેક અલંકાર કહે છે. અહીં અમૃત, રસાયન અને ઐશ્વર્ય એ ત્રણ ગુણલક્ષણો લેવામાં આવ્યાં છે. આત્મજ્ઞાન અમૃત તુલ્ય છે અથવા સાક્ષાત્ અમૃત જ છે. આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્રમંથન થયું અને એમાંથી જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે અમૃત હતું. બીજી બાજુ જ્ઞાન પણ અમૃત છે, પરંતુ એને સમુદ્રમાંથી નીકળવાની જરૂર પડી નથી. વળી સમુદ્રમાંથી નીકળેલું અમૃત મનુષ્યને અમર ન બનાવી શકે. હજુ સુધી એવો કોઈ મનુષ્ય હરતો ફરતો નજર સામે જોવા મળ્યો નથી કે જે અમર હોય. મનુષ્યના કે દેવોના, વસ્તુતઃ સર્વ પ્રકારના જીવોના જીવનનો અંત અવશ્ય આવે જ છે. આત્મજ્ઞાનરૂપી અમૃત યોગ્ય પુરુષાર્થ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ અપાવે છે. એટલે કે સિદ્ધાવસ્થા અર્થાત્ અમરત્વ અપાવે જ છે. એટલે સમુદ્રમાંથી નીકળેલા અમૃત કરતાં જ્ઞાનામૃત ચડિયાતું છે. તે પરમ તૃપ્તિ આપનારું આરોગ્ય માટે ઔષધો વિવિધ પ્રકારનાં હોય છે જેમ કે ચૂર્ણ, વટી, ધનવટી, આસવ, રસાયન, ભસ્મ વગેરે. તે દરેક પ્રકાર અને એની માત્રા વૈદની સલાહ અનુસાર લેવાય તો આરોગ્યમાં સુધારો થાય છે. એમાં પણ રસાયન સૌથી મહત્ત્વનું છે. આરોગ્યની જાળવણીમાં અને વૃદ્ધાવસ્થામાં એનું સેવન ગુણકારી ગણાય છે. આમ છતાં રસાયન કેટલાક રોગો મટાડી શકતું નથી અને મૃત્યુથી બચાવવા અસમર્થ નીવડે છે. જ્ઞાનરૂપી રસાયન વૈદકિય રસાયન કરતાં ચડિયાતું છે. તે માણસને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત કરીને અનંતકાળ માટે અમરત્વ અપાવી શકે છે. સંસારમાં ઐશ્વર્ય વિવિધ પ્રકારનું હોય છે. ભોતિક સમૃદ્ધિથી માણસોનો વૈભવ-પ્રભાવ વધે છે. સોનું, ચાંદી, રત્નો વગેરે અને તેનાં મુગટ, આભૂષણો For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જ્ઞાનસાર વગેરે ઐશ્વર્યનો ખ્યાલ આપે છે. મોટા શ્રેષ્ઠીઓ અને રાજાઓ પાસે આવું એશ્વર્ય હોય છે. જડ પદાર્થો ઉપરાંત નોકર-ચાકર અને હાથી, ઘોડા તથા ચતુરંગ સેના દ્વારા રાજાઓનું ઐશ્વર્ય સામાન્ય જનતા પર પ્રભાવ પાડે છે. દેવોનું ઐશ્વર્ય તો અપાર હોય છે. પરંતુ આ બધું ઐશ્વર્ય પરાધીન અને અપેક્ષાવાળું હોય છે અને એને લૂંટાઈ જવાનો ભય રહે છે. વળી એનો કાલાન્તરે ક્ષય થાય છે. મોટા મોટા રાજાઓના રાજપાટ ચાલ્યાં ગયાં છે. પરંતુ જ્ઞાનરૂપી ઐશ્વર્ય સ્વાધીન અને અપેક્ષા રહિત હોય છે. એ માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. વળી એને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, કે ઝાંખા પડી જવાનો ભય હોતો નથી. તે સદાય નિર્ભય અને પ્રકાશમાન રહે છે. વળી કાલાન્તરે એનો ક્ષય થતો નથી. આમ લૌકિક અમૃત, રસાયન અને ઐશ્વર્ય કરતાં જ્ઞાનરૂપી અલૌકિક અમૃત, રસાયન અને ઐશ્વર્ય ઉત્કૃષ્ટ છે. યથાર્થના બોધસ્વરૂપ, પરભાવોના ત્યાગસ્વરૂપ, આવા જ્ઞાનનો મહિમા અપરંપાર છે. આ શ્લોકમાં કાવ્યાલંકાર વડે વિષયને સચોટ અને પ્રતીતિકર રીતે રજૂ કરવાની ઉપાધ્યાયજી મહારાજની વિશિષ્ટ કાવ્યશક્તિનાં સુભગ દર્શન પણ થાય છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક ૧ ૬. શમાષ્ટક [૪૧] વિન્યવિષયોત્તી: 4માવીનખનઃ સા .. જ્ઞાનસ્થ પરિપાય: સશ૫: પરિવર્તિતઃ || ૬ || 8 || [શબ્દાર્થ વિવિજયોત્તીર્ણ =વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ; માવાનંવન:= આત્મસ્વભાવનું આલંબન જેને છે; સવા=હંમેશા, નિરંતર; જ્ઞાનચ=જ્ઞાનનો; પરિપા=પરિપાક, પરિણામ; =જે; સ:=0; શમ: ઉપશમ, સમભાવ; પરીતિત =કહેલો છે, કહેવાય છે.] અનુવાદ-વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ અને સદા સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિપાક તે “શમ' કહેવાય છે. (૧). વિશેષાર્થ : શમ વિશેના આ અષ્ટકના આરંભમાં જ ગ્રંથકારશ્રીએ શમની વ્યાખ્યા આપી છે. એમાં શમનાં મુખ્ય ત્રણ લક્ષણ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છેઃ (૧) વિકલ્પના વિષયથી નિવૃત્તિ (૨) નિરંતર સ્વભાવનું આલંબન (૩) એવા જ્ઞાનનો પરિપાક જ્ઞાનાષ્ટક પછી શમાષ્ટક આપવામાં આવ્યું છે, કારણ કે જ્ઞાન હોય તો ઉપશાન્ત થવાય છે. જ્ઞાનથી ક્રોધાદિ કષાયો સારી રીતે શાન્ત થાય છે. કષાયોના લયોપશમથી આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક થાય છે. જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એવું પરિપક્વ જ્ઞાન એટલે શમ. શમ એટલે સમતા. સમતા એટલે શુભાશુભ વિકલ્પોમાંથી નિવૃત્તિ. સમતા એ એક પ્રકારની For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર યોગસાધના છે. એ માટે “સમતાયોગ'નાં લક્ષણો સમજવાં જરૂરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના યોગબિંદુ' ગ્રંથમાં યોગના પાંચ ભેદ બતાવ્યા છે : (૧) અધ્યાત્મયોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ અને (પ) વૃત્તિસંક્ષયયોગ. એનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) અધ્યાત્મયોગ-ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક શાસ્ત્રાનુસાર જીવ, અજીવ વગેરે તત્ત્વોનું ચિંતન કરે છે. એ ચિંતન પણ મૈત્રી વગેરે ચાર ભાવનાથી યુક્ત હોય છે. એને પરિણામે અશુભ કર્મોનો ક્ષય થાય છે, ગુણોનો વિકાસ થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે અને શુદ્ધ બોધ પ્રાપ્ત થાય છે. (૨) ભાવનાયોગ–અધ્યાત્મયોગનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ સાધક ભાવનાયોગમાં પ્રવેશે છે અને સ્થિર થાય છે. અધ્યાત્મયોગમાં જો તત્ત્વચિંતન મંદ થાય તો રાગદ્વેષની પરિણતિ વધે. પરંતુ ભાવનાયોગમાં સ્કૂલ કે સૂક્ષ્મ પદાર્થોનું અનિત્યાદિ ભાવનાયુક્ત તત્ત્વચિંતન વૃદ્ધિ પામે છે. એથી ચિત્તવૃત્તિનો નિરોધ વધતો જાય છે. ક્રોધાદિ કષાયોની નિવૃત્તિ થવા લાગે છે. ગુણવૃદ્ધિ થાય છે અને આત્મા વધારે વિશુદ્ધ બને છે. (૩) ધ્યાનયોગ-ધ્યાનયોગમાં સાધક પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાનના પરિણામવાળો, ચિત્તની સ્થિરતાવાળો અને આત્મસ્વરૂપમાં તન્મયતાવાળો થાય છે. (૪) સમતાયોગ-અનાદિકાળથી જીવને વળગેલી અવિદ્યા ઇષ્ટ અને અનિષ્ટના ભાવ કરાવે છે. આ સમતાયો ગમાં સાધક ઇષ્ટ અને અનિષ્ટના ભાવોનો-કલ્પનાનો વિવેકથી પરિહાર કરે છે અને ધ્યાનના બળથી મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. તે સર્વ પદાર્થો, વિષયો પ્રત્યે ચિત્તની તુલ્યતા એટલે કે સમાન વૃત્તિ ધરાવે છે. આ સમતા એટલે શમ. (૫) વૃત્તિસંક્ષયયોગ-આમાં સાધક કર્મના ઉદયથી અનાદિકાળની વૃત્તિના અભાવવાળો થાય છે. તે માનસિક ચિંચળતા અને શારીરિક ક્રિયાઓનો નિરોધ કરે છે. વૃત્તિસંક્ષયયોગીને કેવળજ્ઞાન, શેલેશીકરણ અને નિર્વાણ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક ૮ ૩ આ પાંચ પ્રકારના યોગીમાંથી સમતાયોગી આત્મસાધનામાં તન્મય હોય છે. આત્માના અનંત જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ અને આત્મપરિણતિરૂપી જ્ઞાનનો પરિપાક એ શમ છે. શમની પ્રાપ્તિ પછી બાહ્ય કોઈ પદાર્થોની એષણા-અપેક્ષા રહેતી નથી. [૪૨] નિષ્ણન્ કર્મવૈષમ્ય બ્રહ્માંશેન સમં નાન્ ! રાત્માન ય: પચ્ચેનો મોક્ષ અમી શમી | ૬ | ૨ | [શબ્દાર્થઃ અનિચ્છન=નહિ ઇચ્છતો; વૈષચં કર્મની વિષમતાને, કર્મથી થતા ભેદોને; બ્રહ્માંશ=બ્રહ્મના અંશ વડે; સમ=સરખા, એક સ્વરૂપવાળા; ન= જગતને; માત્મામેવેન=માત્મા+મેન આત્માથી અભિન્નપણે; =જે; પષે જુએ; એ; મોક્ષ પામી=મોક્ષગામી હોય છે; શમી ઉપશમવાળો.] અનુવાદ-કર્મકૃત ભેદોને નહિ ઇચ્છતો (વિચારતો), બ્રહ્માના અંશ વડે (ચૈતન્ય સત્તા વડે) એક સ્વરૂપવાળા જગતને અભિન્નરૂપે જે જુએ છે તે ઉપશમવાળો આત્મા મોક્ષગામી હોય છે. વિશેષાર્થ કેવળ આત્મતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો જીવ માત્રમાં સમાન આત્મા રહેલો છે. પરંતુ સંસારમાં ગતિ, જાતિ, વર્ણ, આકૃતિ ઇત્યાદિની દૃષ્ટિએ જીવોમાં કેટલું બધું વૈવિધ્ય જોવા મળે છે ! વર્ણાશ્રમ વગેરેના ભેદો ઉપરાંત બુદ્ધિ, શક્તિ, પ્રતિભા, આવડત ઇત્યાદિ વિશે પણ મનુષ્યોમાં પાર વગરના ભેદો છે ! પરંતુ એ બધા ભેદો પોતપોતાનાં કર્મને કારણે છે એમ વિચારીને જ્ઞાની મહાત્માઓ બધા જીવોમાં રહેલા શુદ્ધાત્માને નિહાળે છે. તેઓ દ્રવ્યાસ્તિક (દ્રવ્યાર્થિક) નયથી આ બધા જીવોમાં રહેલા ચૈતન્ય તત્ત્વને અભેદભાવે નિહાળે છે. તેઓને અમૂર્ત, અસંખ્યપ્રદેશરૂપ, અગુરુલઘુ એવા આત્માનાં દર્શન થાય છે. એથી જ તેઓ કર્મકૃત વૈષમ્યને લક્ષમાં રાખવા છતાં દરેકમાં રહેલા શુદ્ધ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ८४ જ્ઞાનસાર ચૈતન્યરૂપ આત્માને સમત્વભાવથી નિહાળે છે. સર્વ જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર રાખતા હોવા છતાં તેમનામાં રહેલ વિશુદ્ધ આત્માને સમત્વભાવથી નિહાળે છે. સમદર્શી પંડિતો માટે શ્રીમદ્ ભગવદ્ગીતાનો નીચેનો શ્લોક જાણીતો છે. विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ।। [વિદ્યા અને વિનયથી (વિવેકથી) સંપન્ન એવો બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરું હોય કે ચંડાળ હોય-એમાં પંડિતો-જ્ઞાની પુરુષો સમદર્શી હોય છે એટલે કે કોઈ ભેદ જોતા નથી.] આમ સમતા યુક્ત જ્ઞાની પુરુષો કર્મના વિપાકને કારણે જીવની જુદી જુદી દશાને ન જોતાં તેમનામાં રહેલા વિશુદ્ધ આત્માને જુએ છે. એ આત્મા બધામાં એક સરખો જ હોય છે. વળી શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે ? इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ।। જિઓનું મન સમભાવમાં રહેલું છે તેઓએ અહીં જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિર્દોષ છે અને સમ અર્થાત્ સમભાવી છે. તેથી બ્રહ્મમાં (પરમાત્મામાં) તેઓ રહેલા છે.] આમ શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે સર્વ જીવોમાં જ્ઞાની મહાત્મા એક સરખા આત્માને નિહાળે છે. અલબત્ત શ્રીમદ્ ભગવદ્ગીતાના આ શ્લોકોમાં માત્ર દ્રવ્યાસ્તિક નયથી કથન થયું છે. એટલે એમાં એકાન્ત અભેદથી આત્મદ્રવ્યની વાત કરવામાં આવી છે. જૈન ધર્મ દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય એમ બંને નયથી વિચારણા કરે છે. એટલે કર્મકૃત વિભિન્નતાને પણ લક્ષમાં રાખવા તે કહે છે. સર્વ જીવોમાં એક સરખો આત્મા છે એ માન્યતા દઢ થઈ જવી જોઈએ, પરંતુ સાથે સાથે પર્યાયને લક્ષમાં રાખીને ઉચિત વ્યવહાર કરવો જરૂરી છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ઉચિત હોય તે પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. મનુષ્ય અને કૂતરામાં એક સરખો આત્મા રહેલો છે એમ સમજી કોઈ જે રીતે મુનિ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક ૮૫ મહારાજને ખમાસમણાં દેવાપૂર્વક વંદન કરે એ રીતે રસ્તામાં કૂતરું જોતાં એને પણ ખમાસમણાં દેવા લગી જાય તો તે યોગ્ય નથી. બધાંમાં પરબ્રહ્મ–પરમાત્મા એકસરખો છે એમ કહીને કોઈ સ્વસ્ત્રી જેવો વ્યવહાર પરસ્ત્રી સાથે કરવા લાગે તો તે ઉચિત ન ગણાય. કોઈ શેઠ નોકરને પોતાની ગાદી પર બેસાડે તે યોગ્ય ન ગણાય. તીર્થંકર ભગવાનના જીવને કેવળજ્ઞાન થાય છે અને સામાન્ય કેવલીના જીવને પણ કેવળજ્ઞાન થાય છે. પરંતુ દેવો સમવસરણની રચના તીર્થકર ભગવાન માટે કરે છે, સામાન્ય કેવળી માટે કરતા નથી. આમ, ઉચિત વ્યવહાર કરવાની આવશ્યકતા છે. એમાં મહત્ત્વની વાત એ છે કે સર્વ જીવો પ્રત્યે વ્યવહાર કરતી વખતે આપણામાં રાગદ્વેષની પરિણતિ ન થવી જોઇએ. એ જો થાય તો સમતાનો ભાવ આપણામાં સ્થિર થયો નથી એમ સમજવું જોઈએ. [૪૩] સાક્ષુષુનિર્યો ત્વહિક્રિયામપિ . યોજાઢ: શમાદેવ શુધ્યાતશ્ચિય: I ૬ / રૂા. [શબ્દાર્થઃ મારુરુક્ષુ =આરોહણ કરવાની (ચડવાની) ઇચ્છાવાળો; મુનિ=સાધુ યોગ સમાધિયોગ ઉપર; શ સેવે, આચરે; વીટ્યક્સિયાં બાહ્ય ક્રિયાને; બાહ્યાચારને; મણિ=પણ; યોગાઢ: યોગ ઉપર ચડેલો; શશિમથી, સમભાવથી; પવ=જ; શુષ્પતિ શુદ્ધ થાય છે; કાતયિ: અત્યંતર ક્રિયાવાળો. અનુવાદસમાધિ યોગ પર ચડવાને ઇચ્છતો મુનિ બાહ્ય આચારને પણ સેવે છે. યોગ ઉપર ચડેલો મુનિ અભ્યતર ક્રિયાવાળો હોય છે અને “શમ'થી જ શુદ્ધ થાય છે. (૩) વિશેષાર્થ : અહીં સાધક મુનિની બે અવસ્થાનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. (૧) સમાધિયોગ ઉપર ચઢવાની ઇચ્છા ધરાવનાર મુનિ અને (૨) સમાધિયોગ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ઉપર આરૂઢ થઈ ગયેલા મુનિ. શમ અર્થાત્ સમતાયોગ પર ચઢવાની ઇચ્છા ધરાવનારા મુનિએ દેવવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓનો એટલે કે અનુષ્ઠાનોનો આશ્રય લેવો જોઇએ. એ એમને માટે જરૂરી પણ છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક', યોગવિંશિકા વગેરે ગ્રંથોમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં અનુષ્ઠાન ક્રમાનુસાર બતાવ્યાં છેઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન. આ ચાર અનુષ્ઠાનમાંથી પહેલાં ત્રણ અનુષ્ઠાનોનો, સમતાયોગની સાધના કરવાની ઇચ્છા ધરાવનાર મુનિએ આશ્રય લેવો જોઈએ. શુભ ક્રિયામાં અતિશય પ્રીતિ હોય અને બીજાં કાર્યોનો ત્યાગ કરી તેમાં જ સાધક એકનિષ્ઠાથી પ્રયત્ન કરે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. આ જ પ્રકારની ક્રિયા અત્યંત ભક્તિપૂર્વક અને બહુમાનપૂર્વક કરવામાં આવે તો તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય. વળી શાસ્ત્રવચન અનુસાર તે ક્રિયા ઉચિતપણે કરાય તો તે વચન અનુષ્ઠાન કહેવાય. આ શુભ સંકલ્પરૂપ ક્રિયાઓ કરવાથી મલિન અશુભ સંકલ્પો અને વૃત્તિઓનું નિવારણ થાય છે. પરિણામે શમ-સમતા પ્રગટ થાય છે. આ સમતાયોગ ચંદનની સુગંધ જેવો છે. આ યોગ પર જ્યારે મુનિ આરોહણ કરે છે ત્યારે તેને અસંગ અનુષ્ઠાન કહેવામાં આવે છે. હવે સાધક સિદ્ધયોગી બને છે. તે શમ વડે, રાગદ્વેષના અભાવથી નિર્મળ થાય છે. હવે તે અત્યંતર ક્રિયાવાળો થાય છે. એની બાહ્ય ક્રિયાઓ છૂટી જાય છે. જેમ નાનું બાળક માતાની આંગળી પકડી ચાલે છે ત્યારે એને માતામાં પૂરી શ્રદ્ધા છે અને માતાના વચનને તે અનુસરે છે. પણ પછી મોટું થતાં તે માતાની આંગળી છોડી દે છે. તે પોતાની મેળે વિશ્વાસપૂર્વક સ્વતંત્ર ચાલે છે. જેમ પર્વત પર આરોહણ કરનાર આરોહક આરંભમાં ભોમિયાની મદદથી ઉપર ચડે છે, પણ ઉપર ગયા પછી એને ભોમિયાની જરૂર રહેતી નથી, તેમ સમતાયોગ પર આરૂઢ થનાર યોગીને હવે બાહ્ય ક્રિયાઓની For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક આવશ્યકતા રહેતી નથી. [૪૪] ધ્યાનવૃદ્ધયાનદા: શમપૂરે પ્રસર્પતિ | विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् ।। ६ ।। ४ ।। [શબ્દાર્થઃ ધ્યાનવૃષ્ટ =ધ્યાનરૂપી વૃષ્ટિથી, યાન:=દયારૂપી નદીનું; શમપૂરે=ઉપશમરૂપી પૂર; પ્રતિ=વધે છે ત્યારે વિરતીરવૃક્ષાણ =વિકારરૂપી કાંઠાનાં વૃક્ષોનું, મૂતા=મૂળથી; ભૂતનંsઉમૂલન, ઉખડી જવું, મ=થાય અનુવાદ-ધ્યાનરૂપી વૃષ્ટિથી દયારૂપી નદીનું શમરૂપી પૂર વધે છે ત્યારે વિકાર રૂપી કાંઠાના વૃક્ષોનું મૂળથી ઉજૂલન થાય છે. (૪) વિશેષાર્થ સાધકના જીવનમાં સમતારૂપી શમ કેવી રીતે, કેવું કાર્ય કરે છે તે રૂપક દ્વારા આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે. ધ્યાનમાં આરૂઢ થયેલો સાધક ધ્યાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે ત્યારે તેનામાં શમ પ્રગટે છે. અહીં ધ્યાનને વૃષ્ટિ તરીકે, દયાને નદી તરીકે, અમને પૂર તરીકે અને રાગદ્વેષાદિ વિકારોને કિનારા પરનાં તોતિંગ વૃક્ષો તરીકે બતાવવામાં આવ્યાં નદીના કિનારે જબરજસ્ત મોટા મોટાં વૃક્ષો ઊગે છે. એને કાપી નાખવા કે ઉખેડી નાખવા માટે ઘણો બધો પરિશ્રમ કરવો પડે. એવા પરિશ્રમ પછી એકબે વૃક્ષો તૂટે તો તૂટે. પણ મોટી નદીમાં જ્યારે અણધાર્યું બહુ મોટું પૂર આવે છે ત્યારે કિનારા પરનાં એ બધાં વૃક્ષો ઘડીકમાં ઉખડી જાય છે અને નદીના પ્રવાહમાં તણાઈને ક્યાંનાં ક્યાં ફેંકાઈ જાય છે. એવી રીતે દયારૂપી નદીમાં શમરૂપી એટલે કે સમતારૂપી પૂર જ્યારે આવે છે ત્યારે ક્રોધાદિ કષાયો રૂપી, વાસનારૂપી, કે વિકારરૂપી વૃક્ષો ઊખડી જાય છે અને તણાઈ જાય છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ८८ જ્ઞાનસાર અલબત્ત, દયારૂપી નદીમાં સમતારૂપી પૂરતો ત્યારે જ આવે છે જ્યારે ધર્મધ્યાન દ્વારા ભાવકરુણાની વૃદ્ધિ થાય છે. તે વખતે સંસારના સર્વ જીવો પ્રત્યેના સમતાના ભાવમાં વૃદ્ધિ થાય છે. અહીં ધ્યાન એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી અશુભ ધ્યાન નહિ પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી શુભ ધ્યાન સમજવાનું છે. એમાં વિશેષતઃ ધર્મધ્યાન અહીં અપેક્ષિત છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે અન્તર્મુહૂર્ત સુધી એક વસ્તુમાં ચિત્તનું રહેવું એ ધ્યાન છદ્મસ્થોને હોય છે. એમાં દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં ચિત્તની તન્મયતા હોય છે. આ ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એવા ચાર પ્રકારો છે. ધર્મધ્યાનની ગહનતામાં દ્રવ્યદયામાંથી ભાવદયાની વૃદ્ધિ થાય છે. ધ્યાનયોગથી કરૂણારૂપી નદી વહેવા લાગે છે અને સર્વ જીવો પ્રત્યે સમતારૂપી શમનું પૂર આવેગથી આવે છે. એ પૂર આવતાં કિનારાનાં વિકારરૂપી વૃક્ષો ઉખડી જાય છે. શમમાં એટલું મોટું બળ હોય છે. [૪૫] જ્ઞાન-ધ્યાન-તપ: શીત્ર-સભ્યત્વરિતોડદો ! તં નાખોતિ ગુvi સાધુર્યમા ખોતિ સમન્વિત: ૫ ૬ / ૧ / [શબ્દાર્થ જ્ઞાનધ્ધાનતપ: શીનવત્વસહિત=જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વસહિત; પિ=પણ; મહો=અહો ! તંત્રતે; નાનોતિ નાખોતિ પ્રાપ્ત કરતો નથી; ગુi=ગુણને; સાધુ સાધુ; ય—જે; મનોતિ (પા. પ્રાનોતિ)=પ્રાપ્ત કરે છે; સમન્વિત: શમયુક્ત.] અનુવાદ-જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વસહિત (પરંતુ શમરહિત) સાધુ પણ અહો! તે ગુણને પ્રાપ્ત કરતો નથી, જે શમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે. (૫) વિશેષાર્થ: શમ અર્થાત્ ઉપશાન્તતા કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ દર્શાવવા માટે અહીં કહ્યું છે કે સમકિતી મુનિમાં જ્ઞાન, ધ્યાન, તપ અને શીલ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક હોય પણ જો સાથે શમ અર્થાત્ સમતા એટલે કે રાગદ્વેષરહિતપણું ન હોય તો એ જ્ઞાન, ધ્યાન, તપ અને શીલ દ્વારા અમુક મર્યાદા સુધી જ આત્મવિકાસ થાય છે. વીતરાગતા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં શમ મહત્ત્વનું કાર્ય કરે છે. જ્ઞાનાદિ ગુણો નિરાવરણ અને નિર્મળ એવા કેવળજ્ઞાનને પ્રગટ થવામાં પરંપરાએ કારણરૂપ છે, પરંતુ કષાયના અભાવરૂપ શમ તો નિકટવર્તી કારણ છે, જે તરત ફળ અપાવે છે. એટલે ક્ષાયોપશમિક જ્ઞાની જે ગુણોને પ્રાપ્ત કરતો નથી તે ગુણોને શમયુક્ત યોગી પ્રાપ્ત કરે છે. જ્ઞાન એટલે તત્ત્વોનો બોધ, ધ્યાન એટલે કોઈ પણ પ્રશસ્ત વિષયમાં સજાતીય પરિણામની ધારા, તપશ્ચર્યા એટલે ઇચ્છાઓનો નિરોધ, શીલ એટલે નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન અને સમ્યક્ત્વ એટલે જિનોક્ત તત્ત્વનું શ્રદ્ધાન અને તેમાં રુચિ-આ બધા ગુણો સહિત રત્નત્રયીની આરાધના કરનાર મુનિ પણ જો શમવાળા એટલે કે સમભાવરૂપ ચારિત્રવાળા ન હોય તો કેવળજ્ઞાન સુધી પહોંચી શકતા નથી. વાચક ઉમાસ્વાતિએ એમના ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહ્યું છે : सम्यग्दृष्टिर्ज्ञानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः । तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ।। ૮૯ [પ્રશમ ગુણવાળા જે મેળવે છે તે સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, વિરતિધર, તપોબલયુક્ત એવા મુનિ પણ મેળવતા નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધી સાધનામાં પ્રશમ ગુણની મહત્તા ઘણી છે. જો પોતાનામાં પ્રશમ ગુણ નથી પ્રગટયો તો કેટલીક વાર સમ્યગ્દષ્ટિવાળા સાધકો મિથ્યાત્વી લોકો પ્રત્યે નીચી નજરે જુએ છે, પોતે જ્ઞાની હોય તો અજ્ઞાનીની હાંસી ઉડાવે છે, પોતે વિરતિધર સાધુ કે શ્રાવક હોય તો અવિરતિધરને ઉતારી પાડે છે, પોતે તપસ્વી હોય તો તપ નહિ કરનારની અવહેલના કરે છે. વસ્તુતઃ તપસ્વી હોય, જ્ઞાની હોય કે અન્ય કંઈ સાધના કરતા હોય તો પણ તેઓને બીજા ક્ષતિવાળા, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર અશક્ત જીવો પ્રત્યે સહાનુભૂતિ અને સમભાવ હોવો જોઈએ. અરે, અભવ્ય જીવ પ્રત્યે પણ ધૃણા કરી શકાય નહિ. પ્રશમ ગુણનો મહિમા આટલો બધો છે. [४६] स्वयंभूरमणस्पर्द्धिवर्धिष्णुसमतारसः । મુનિર્વેનોપમીત ડપિ ની સૌ વારે ૬ | દ II [શબ્દાર્થ સ્વયંમૂરમાસ્પદ્ધ સ્વયંભૂરમણ નામના સમુદ્રની સ્પર્ધા કરનાર; વર્ધળુ વૃદ્ધિ પામતો; સમતાર=સમતા રૂપી રસ જેનો; મુનિ =સાધુ; વેન=જેનાથી; ૩પમીત ઉપમા અપાય, સરખાવાય; જોડપિ કોઇપણ; ન નથી; સૌ=એ; વરરે ચરાચરમાં, જગતમાં.] અનુવાદ-સ્વયંભૂરમણ નામના સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારૂપી રસ જેનો છે એવા મુનિની જેના વડે સરખામણી કરી શકાય એવો ચરાચરમાં કોઈ પણ નથી. (૬) વિશેષાર્થ : બીજાને સમજાવવા માટે અથવા કોઈ વાત સચોટ રીતે કહેવી હોય તો તે માટે ઉપમા, રૂપક વગેરે અલંકારોનો ઉપયોગ થાય છે. કવિઓ કવિતામાં ચમત્કૃતિ લાવવા આવા અલંકારો પ્રયોજે છે. વિશ્વમાં મોટામાં મોટી, ઊંચામાં ઊંચી, સુંદરમાં સુંદર વસ્તુ માટે તેવા પ્રકારની ઉપમાઓ પ્રયોજાય છે. અહીં સાક્ષાત્ મોક્ષસુખ અનુભવાતું હોય એવા સમતારસ માટે શાની ઉપમા આપી શકાય? એ માટે ચૌદ રાજલોકમાં મોટામાં મોટા સમુદ્ર એવા સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી શકાય. તિથ્ય લોકને છેડે આવેલો અર્ધ રજૂપ્રમાણ, અસંખ્યાત યોજન પહોળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. ચરાચર વિશ્વમાં એનાથી મોટો બીજો કોઈ સમુદ્ર નથી. પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે મુનિઓના સમતારસ માટે આ સમુદ્રની ઉપમા પૂરતી નથી, કારણ કે સમુદ્ર ગમે તેટલો મોટો હોય પણ તેની એક મર્યાદા છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક ૯૧ તેમાં પૂર આવતું નથી. નદીમાં પૂર આવી શકે. સમુદ્રમાં ભરતીઓટ થાય, પણ તેમાં પૂર ન આવે. મુનિઓનો ઉપશમરસ–સમતારસ સતત વધતો જ રહે છે. એમાં પૂર આવે છે. એટલે મુનિઓના સમતારસની સ્વયંભૂરમણ સમુદ્રની સાથે કોઈ સરખામણી થઈ શકે એમ નથી. સરખામણી થાય એવો કોઈ પદાર્થ ચરાચર વિશ્વમાં નથી. આ સમતારસ અનિર્વચનીય છે, ઉપમાતીત છે. સમતારસમાં ઝીલતા મુનિવરો ત્રણે કાળના ઇન્દ્રિયાર્થ રમ્ય વિષયો વિશે સ્પૃહારહિત છે. તેઓ જગતના સર્વ પદાર્થો અને ભાવો પ્રત્યે ઉદાસીન હોય છે. અરે, તેઓને પોતાની અંતરંગ ગુણસંપત્તિ માટે પણ પક્ષપાત રહ્યો હોતો નથી, કારણ કે તેઓ હવે રાગરહિત હોય છે. આથી જ તેઓનો સમતારસ સ્થિર નહિ પણ વધવાના સ્વભાવવાળો હોય છે. આવા ઉપશાન્ત મુનિવરોનો મહિમા ઘણા શાસ્ત્રગ્રંથોમાં વર્ણવાયો છે. પ્રશમરતિ ગ્રંથમાં વાચક શ્રી ઉમાસ્વાતિજીએ મુનિઓના મોક્ષસુખ માટે કહ્યું છેઃ निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।। [મદન (કામદેવ)ના મદથી જે અજિત છે, મન, વચન અને કાયાના વિકારોથી જે રહિત છે, પારકી આશાથી જેઓ સારી પેઠે નિવૃત્ત છે તે મહાત્માઓનો અહીં જ મોક્ષ છે.] આવશ્યક નિર્યુક્તિમાં ઉપશાન્ત મુનિઓ માટે કહ્યું છેઃ दंतेण चित्तेन चरंति धीरा मुणी समुग्धाइय रागदोसा ।। [જેમણે રાગદ્વેષનો સારી રીતે નાશ કર્યો છે એવા ધીર મુનિઓ દાન્ત (ઉપશાન) થયેલા ચિત્ત વડે વિચરે છે.] [४७] शमसूक्तसुधासिक्तं येषां नक्तंदिनं मनः । ___ कदाऽपि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः ।। ६ ।। ७ ।। For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર શબ્દાર્થ સમસૂત=શમના સુભાષિત; સુધાસિક્ત=સુધા એટલે અમૃત વડે સિંચાયેલું છે; યેષાં જેઓનું; નતંતિ=રાત દિવસ મન: મન; વાગપિ=કદી પણ; તે તેઓ; ન વાન્ત=બળતા નથી; રાગરા=રા+પરા=રાગરૂપી સર્પની; વિષfમ=વિષની લહરીઓ વડે.] અનુવાદ-ઉપશમ રસનાં વર્ણન કરતાં) સુભાષિતોરૂપી અમૃત વડે જેઓનું મન રાત દિવસ સિંચાયેલું છે તેઓ કદી પણ રાગરૂપી સર્પના વિષની લહરીઓ વડે બળતા નથી. (૭) વિશેષાર્થ શબ્દ તો એક જ છેઃ શમ. એનો ભાવ પણ એક જ છે. પણ એના સમાનાર્થ બીજા શબ્દો છે અને સમાન ભાવો પણ છે. જ્ઞાની મહાત્માઓ પોતાના અનુભવના નિચોડરૂપે એમાં કલ્પના, તર્ક, અલંકારો ઇત્યાદિના ઉમેરણ સાથે એને વિવિધ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. એવી કેટલીયે ઉક્તિઓ સંક્ષિપ્ત અને તરત હૈયામાં વસી જાય એવી સચોટ હોય છે. એને સુભાષિત અથવા સૂકિત કહેવામાં આવે છે. આવી અનેક સૂક્તિઓમાં પૂર્વે થઈ ગયેલા જ્ઞાની મહાત્માઓનો અનુભવરૂપી ખજાનો છે. સૂક્તિઓમાં અનુભવામૃત પીરસાયું છે. આવી અમૂલ્ય એવી સૂક્તિઓ વાંચવાનું, સાંભળવાનું, કંઠસ્થ કરવાનું, એના ઉપર મનન, ચિંતન, ભાવન કરવાનું પ્રિય લાગે છે. એવી કેટલીયે સૂક્તિઓ હંમેશને માટે યાદ રહી જાય છે. આવી સૂક્તિઓના સંગ્રહો પણ કાયમને માટે વખતોવખત પ્રકાશિત થાય છે. એક જ સૂક્તિ પણ જો હૃદયમાં સચોટ રીતે વસી જાય તો સમગ્ર જીવનને બદલાવી શકે છે. જેઓને સંસાર પ્રત્યે સાચો નિર્વેદ પ્રગટ થયો છે, જેઓનું જીવન ત્યાગવેરાગ્યની સુવાસથી મઘમઘે છે, જેઓ આત્મસ્વરૂપની રમણતામાં લીન રહે છે તેઓનું જીવન રાતદિવસ આવી પ્રિય સૂક્તિઓથી સિંચાયેલું રહે છે. એવી થોડીક મનપસંદ સૂક્તિઓ કંઠાગ્રે, ચિત્તાગ્રે વસાવી દેવામાં આવે તો કસોટીના કાળને પણ જીતી શકાય છે. એવી સૂક્તિઓ જીવનમાં મોટું For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૬. શમાષ્ટક ૯૩ આલંબન, ભાથું બની જાય છે. ઉપશમરૂપી, સમતારૂપી આ અમૃત જેઓને પ્રાપ્ત થયું છે તેમને રાગરૂપી ઝેર કશું કરી શકતું નથી. સર્પ દંશ થાય તો એનું ઝેર શરીરમાં દાહ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યાં અમૃત હોય ત્યાં ઝેરનું કશું ચાલતું નથી. વિષ પણ અમૃત બની જાય શમ-ઉપશમ એટલે ક્રોધાદિ કષાયોનો અભાવ. શમ એટલે સમતારૂપ ચારિત્રપરિણામ. એ પ્રાપ્ત કરવું ઘણું કઠિન છે. થોડા વીરલા એ પ્રાપ્ત કરી શકે છે. એકંદરે જગતના જીવો પોદુગલિક સુખની પાછળ દોટ મૂકે છે. ધનવૈભવ જીવને જે બાહ્ય અનુકૂળતા કરી આપે છે તેને તેઓ સુખ માને છે. એની પ્રાપ્તિ માટે જીવન વેડફી નાખે છે અને મરણાન્ત સંસાપ્રવાહમાં ફરી પાછા ધકેલાય છે. જ્ઞાની મહાત્માઓએ પોતાની જાતને પદ્ગલિક સુખમાંથી પાછી વાળી લીધેલી હોય છે. હવે સમતાયુક્ત સૂક્તિઓમાં, એવા ગ્રંથોમાં જ તેઓ મગ્ન હોય છે. એથી તેઓ જ્યારે સ્વભાવસુખનો અમૃતમય અનુભવ કરે છે ત્યારે સંસારની વાસનારૂપી વિષ તેમનો સ્પર્શ કરી શકતું નથી. [૪૮] જર્ન જ્ઞાન ગોતું રંગીચાનતુરંગમાં: I जयन्ति मुनिराजस्य शमसाम्राज्यसंपदः ।। ६ ।। ८ ।। [શબ્દાર્થ પર્વજ્ઞાનના=ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ; કાંપારંપચિન=ઊંચા, નૃત્ય કરતા (ખેલતા) ધ્યાનરૂપ; તુરીમા:=ઘોડાઓ; નત્તિ જયવંતી વર્તે છે; મુનિરાગટ્ય મુનિરાજની, મુનિરૂપ રાજાની, શમસામ્રાજ્ય શમરૂપી સામ્રાજ્યની; સંપર્વ સંપત્તિ.] અનુવાદ–જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ છે અને ખેલતા ધ્યાનરૂપી ઘોડાઓ છે એવી મુનિરૂપી રાજાના ઉપશમરૂપી સામ્રાજ્યની સંપત્તિ જયવંતી For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જ્ઞાન સાથે વર્તે છે. (૮) વિશેષાર્થ ઃ શમ એટલે કે સમતાનો મહિમા સમજાવ્યા પછી ગ્રંથકારશ્રીએ શમયુક્ત મુનિરાજનું ગૌરવ કરવા માટે એક સરસ રૂપક પ્રયોજ્યું છે. આવા મુનિરાજને બિરદાવવા હોય તો રાજાના પદ સાથે તેમની તુલના કરવી જોઈએ. જૂના વખતમાં કોઈ પણ શક્તિશાળી રાજાનું સામર્થ્ય કેટલું છે એ દર્શાવવા માટે એમની પાસે કેટલું પાયદળ છે, તથા અશ્વસેના અને હસ્તિસેના કેટલી છે એની ગણના થતી. જેમની પાસે અશ્વસેના અને હસ્તિસેના વધારે હોય તો તે રાજા યુદ્ધમાં અવશ્ય વિજય મેળવી શકે. મુનિ ભગવંતને જો મહારાજા તરીકે ઓળખાવીએ તો એમની પાસે, મોહરાજારૂપી શત્રુ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી હાથીઓ છે. એમની ગર્જનાથી દુશ્મનોનાં ગાત્ર શિથિલ થઈ જાય. વળી આ મહારાજા પાસે ધ્યાનરૂપી અશ્વસેના છે. આ ઘોડાઓ દુશ્મન ઉપર ત્રાટકવા માટે હણહણી રહ્યા છે અને વિજય મેળવવાના ઉલ્લાસમાં તેઓ થનગની રહ્યા છે. અશ્વસેના અને ગજસેના એ રાજ્યની સંપત્તિ છે. સારામાં સારા હાથી અને ઘોડા વસાવવા માટે રાજા પાસે નાણાં તો જોઈએ જ. એટલે સેનાને રાજ્યની સંપત્તિ તરીકે ગણાવવામાં આવે છે. મુનિ મહારાજ પાસે અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી ગજસેના અને ધ્યાનરૂપી અશ્વસેનાની વિશાળ સંપત્તિ છે. એટલે એમનો વિજય નિશ્ચિત છે. આવા મુનિ મહારાજાનાં શાસનનો જય હો! For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક ૭. ઈન્દ્રિયજયાષ્ટક [૪૯] વિભષિ યદિ સંસાર મોક્ષપ્રાપ્તિ ૨ સિા . तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। ७ ।। १ ।। શિબ્દાર્થઃ વિવિ=તું ભય પામે છે; યવિ=જો; સંસાર =સંસારથી, ભવભ્રમણથી; મોક્ષપ્રાતિં=મોક્ષપ્રાપ્તિને; =અને; ક્ષતિ=ઇચ્છે છે; તવા તો; ક્રિયાયં ઇન્દ્રિયોનો જય; તું કરવાને; wોરય પ્રવર્તાવ; ફોરવ; =દેદીપ્યમાન, પ્રકાશમાન, તેજસ્વી; પૌરુષ—પુરુષાર્થને, પરાક્રમને.. અનુવાદ-જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષની પ્રાપ્તિની અભિલાષા રાખે છે, તો ઇન્દ્રિયોને જીતવા માટે ભવ્ય પુરુષાર્થ ફોરવ ! (૧) | વિશેષાર્થ : સંસારમાં ચારે બાજું અવલોકન કરીએ તો જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ વગેરે પ્રકારનું દુઃખ દેખાય છે, સ્વજન-પરિવારમાં પણ હિંસક અથડામણો થાય છે, કૌટુંબિક સંબંધોમાં વેરઝેરનાં બી વવાય છે, વેરનો બદલો વેરથી લેવાય, હત્યાઓ થાય છે, સામાજિક અને રાજકીય સ્તરે આટલી બધી અરાજકતા પ્રવર્તે છે-સંક્ષેપમાં આટલું બધું દુઃખ સંસારમાં હોવા છતાં એકંદરે કોઈને સંસારનો ડર લાગતો નથી. સંસારમાંથી છૂટવાની વાત બહુ જ ઓછાને ગમે છે. એમાંથી કેવી રીતે છૂટી શકાય એ જાણવાની ઇચ્છા પણ કેટલા ઓછા લોકોમાં હોય છે ! લોકોને તો સારું સારું ખાવાપીવાનું, હરવા ફરવાનું, સુખસગવડનાં સાધનો વસાવી મોજશોખમાં રહેવાનું ગમે છે, કારણ કે તેઓનું સંસારનું અવલોકન સપાટી પરનું હોય છે. સંસારના વાસ્તવિક, તાત્ત્વિક સ્વરૂપનું યથાર્થ દર્શન તેઓને હોતું નથી. એથી એવા લોકોને સંસાર ક્યારેય બિહામણો લાગતો નથી. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આમ છતાં જગતમાં પ્રત્યેક કાળે અમુક લોકો એવા રહેવાના કે જેઓને કડવા અનુભવોને કા૨ણે સંસાર પ્રત્યે અભાવ, અરુચિ, નિર્વેદ, વૈરાગ્ય ઇત્યાદિ થાય છે. વળી કેટલાક લોકો એવા પણ રહેવાના કે જેઓને સંસારનું સાચું સ્વરૂપ સમજાય છે તેઓને સંસાર બિહામણો લાગે છે અને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની અભિલાષા થાય છે. જેઓને તાત્ત્વિક સમજણ પછી સંસારનો સાચો ડર લાગે છે એવા લોકોએ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે ભારે પુરુષાર્થ ક૨વો જોઇએ. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ઇન્દ્ર' ધાતુનો અર્થ થાય છે એશ્વર્યવાળો. ઇન્દ્રિય શબ્દ ‘ઇન્દ્ર’ ઉ૫૨થી બન્યો છે. ઇન્દ્રનો એક અર્થ થાય છે જીવ. ઇન્દ્રિય એટલે જીવનું લિંગ અથવા લક્ષણ. ઇન્દ્રિયો એ જીવનું ચિહ્ન અથવા લક્ષણ છે. ઇન્દ્રિય વિના કોઈ સંસારી જીવ સંભવી ન શકે. (સિદ્ધાત્માને ઇન્દ્રિયો-મન, વચન અને કાયા હોતાં નથી.) ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો સંસારી જીવને હોય જ છે. જે ઇન્દ્રિયો દ્વા૨ા જીવ વિષયોને જાણે છે, કારણ કે જીવમાં જ્ઞાયકપણું છે. ઇન્દ્રિયોના બે પ્રકાર બતાવવામાં આવે છે-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય પુદ્ગલ સ્વરૂપ છે અને ભાવેન્દ્રિય આત્માના પરિણામ સ્વરૂપ છે. દ્રવ્યેન્દ્રિયના બે પ્રકા૨ છે-નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ પ્રકારની ઇન્દ્રિયના પણ બે પ્રકાર છે–બાહ્ય નિવૃત્તિ અને આત્યંતર નિવૃત્તિ. બાહ્ય નિવૃત્તિ એટલે અંગોપાંગ-નામકર્મથી થયેલા શરીરના ભાગો, જેમ કે આંખ, નાક, કાન વગેરે. આત્યંતર નિવૃત્તિ એટલે વિષય ગ્રહણ કરવા માટે પુદ્ગલોથી બનેલો અંદરનો આકાર. ઉપકરણ ઇન્દ્રિય એટલે પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિરૂપી ઈન્દ્રિય. જ્ઞાનસાર ભાવેન્દ્રિયના બે પ્રકાર છે-લબ્ધિ અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને વીર્યાન્તરાય-એ કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરનારી આત્માની શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇકિયયાષ્ટક ૯ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન તે ઉપયોગ અથવા લબ્ધિનું જ્ઞાનરૂપ ફળ તે ઉપયોગ. ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમાં ઇષ્ટપણું-સારાપણું, અનિષ્ટપણું, ખરાબ પણું વગેરે પ્રકારના જે ભાવો થાય છે તે મોહની પરિણતિ રૂપે હોય છે. આવા ભાવોને અટકાવવા એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતા વિષયોના જ્ઞાનમાં ઇષ્ટ-અનિષ્ટ રૂપે પરિણમનને અટકાવવું. એ ઇન્દ્રિય ઉપરનો જય કહેવાય છે. એમાં દ્રવ્યજય એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઓછી કરવી, સંકોચવી તે અને ભાવજય એટલે આત્માના ધર્મોનું પરિણમન. એમ ઉભય પ્રકારના ઇન્દ્રિયજય માટે સાધકે અભ્યાસ કરવો જોઇએ. [૫૦] વૃદ્ધાતૃMIળતાપૂરાdવાર્ત: શિનેન્દ્રિયૈ: | मूर्छामतुच्छां यच्छन्ति विकारविषपादपाः ।। ७ ।। २ ।। શબ્દાર્થ વૃદ્ધા =વૃદ્ધિ પામેલા, મોટા થયેલા તૃનતપૂર્વો =તૃષ્ણારૂપી જળથી ભરેલા વાસ્તે =ક્યારા વડે; નિં=ખરેખર; બ્દિ =ઇન્દ્રિયો વડે; મૂચ્છ= મમતાને; ઘેનની અવસ્થાને; મૂર્છાને; મનુષ્ઠાં નાની નહિ એવી, મોટી, ઘણી; યુચ્છન્તિઃ=આપે છે, ઉત્પન્ન કરે છે; વિવાર વિષ-પાપા =વિકારરૂપી ઝેરી વૃક્ષો.] અનુવાદ-તૃષ્ણાના જળ વડે ભરેલા, ઇન્દ્રિયો રૂપી ક્યારાઓથી મોટા થયેલા વિકારના ઝેરી વૃક્ષો ગાઢ મૂર્છા આપે છે. (૨) વિશેષાર્થ : અહીં ઇન્દ્રિયોની તૃષ્ણા માટે એક રૂપક પ્રયોજવામાં આવ્યું છે કે જેથી ઇન્દ્રિયો ઉપરના વિજયની વાત મનમાં ઠસી જાય. (૧) વિકારરૂપી વૃક્ષ છે અને તે પણ ઝેરી છે. (૨) એ વૃક્ષનું બીજ વાવીને એની આસપાસ જે ક્યારો બનાવાવમાં આવ્યો છે તે ઇન્દ્રિયોરૂપી ક્યારો છે. (૩) બીજ વાવ્યા પછી ક્યારામાં પાણીનું જે સિંચન થાય છે તે તૃષ્ણા For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર લાલસારૂપી પાણી છે. આ ક્યારામાં તૃષ્ણારૂપી જલનું સિંચન જો ન કરવામાં આવે તો વિષયવાસનારૂપી વિષવૃક્ષનું બીજ પડ્યું પડ્યું સૂકાઈ જશે. તે અંકુરિત નહિ થઈ શકે. પણ જો તૃષ્ણારૂપી જળનું સિંચન ચાલુ રહેશે તો વિકારરૂપી વૃક્ષ ઉત્તરોત્તર મોટું થતું જશે. ઇન્દ્રિયોરૂપી ક્યારો જલસિંચનમાં સહાયરૂપ થશે. પણ જો જલસિંચન નહિ થાય તો ક્યારો પણ નિરર્થક બની જશે. પરંતુ આ બધું કહીએ એટલું સહેલું નથી. વિકારરૂપી વૃક્ષો મોહને ઉત્પન્ન કરે છે અને મોહ જીવને વિષયાંધ બનાવે છે. માટે મોહને ઓળખવાની અને એને નાથવાની પ્રથમ આવશ્યકતા છે. ઇન્દ્રિયોને એનો ખોરાક જો ન આપવામાં આવે તો મોહનું જોર નબળું પડતું જાય. માણસે એવા ભ્રમમાં ન રહેવું જોઇએ કે એક વખત ઇન્દ્રિયોને એના વિષયો આપી શાંત કરી દઇએ પછી નિશ્ચિત થઈ જવાય. વસ્તુતઃ ઇચ્છાઓ સંતોષવાથી વધતી જાય છે. કહ્યું છે કે ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. ઉત્તરાધ્યયનસૂત્ર (૯-૪૮) માં કહ્યું છે: सुवन्नरूप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स विलुद्धस्स न हुन्ति किंचि, इच्छा हु आगाससमा अणंतया ।। (સોનાના અને રૂપાના કૈલાસ પર્વત જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ અત્યંત લોભી માણસને પોતાની પાસે તો કંઈ જ નથી' એમ લાગે છે, કારણ કે ઇચ્છા આકાશ જેવી અનંત છે.) वारमणंतं भुत्ता वंता चत्ता य धीरपुरिसेहिं । ते भोगा पुण इच्छइ भोत्तुं तिण्हाउलो जीवो ।। (જે ભોગોને જીવે અનંત વાર ભોગવીને વસી નાખ્યા છે અર્થાત્ છોડી દીધા છે અને જેનો ધીર પુરુષોએ ત્યાગ કરેલો છે તે ભોગોને તૃષ્ણાથી વ્યાકુળ થયેલો For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક જીવ ફરી ભોગવવા ઇચ્છે છે.) જીવને આહાર વગેરેની સંજ્ઞાઓ અનાદિ કાળથી વળગેલી છે. એટલે સંજ્ઞા અનુસાર એને વિવિધ વિષયોના ભોગોપભોગની તૃષ્ણા સતત રહ્યા કરે છે. પરંતુ તૃષ્ણા તૃપ્ત કરવાથી શાન્ત થતી નથી, પણ તે પાછી વધારે અનુપ્ત થઈને ભોગસામગ્રીની ઉગ્ર લાલસા ધરાવવા લાગે છે. તૃષ્ણા જ્યારે બળવાન બને છે ત્યારે જેમને સંયમની ભાવનાનો ક્યારેય સ્પર્શ થયો નથી હોતો એવા જીવોને વશ કરી દે છે. એવા જીવો અત્યંત વ્યાકુળ અને બહાવરા બની જાય છે. એટલા માટે જે જીવો ધર્મ તરફ વળે છે, અધ્યાત્મરુચિ ધરાવે છે તેવા જીવોએ તૃષ્ણાને જીતવા માટે ત્યાગ-વૈરાગ્યનો અભ્યાસ વધારતા જવું જોઈએ અને સંયમમાં દઢ રહેવું જોઈએ. [૫૧] સરિત્સહસ્ત્રફુગ્ગરસમુદ્રોસોવર: | તૃપ્તિમાન નેન્દ્રિયગ્રામો ભવ તૃપ્તોડનારાભના ૭ / રૂ II [શબ્દાર્થ સરિ=નદી; સત્ર=હજારો; કુબૂર=ન પૂરાઈ શકે, ન ભરાઈ શકે એવા સમુદ્રોવર=સમુદ્રનું પેટ, સોવર: સમાન, જેવા; તૃપ્તિમાન =તૃપ્ત; ન=નથી; ન્દ્રિયામ:=ઇન્દ્રિયોનો સમૂહ; મ=થા; તૃપ્ત તૃપ્ત, સંતોષી; અંતરાત્મના અંતરાત્મા વડે.] અનુવાદ-હજારો નદીઓ વડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદર જેવો ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી. માટે અંતરાત્મા વડે તૃપ્ત થા ! (૩) વિશેષાર્થ : ઇન્દ્રિયોના સમૂહ માટે અહીં સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રનું પેટ કેટલું મોટું છે ! અનંત કાળથી હજારો નદીઓ રોજે રોજ નિરંતર પોતાનું બધું પાણી સમુદ્રના ઉદરમાં ઠાલવે છે, છતાં સમુદ્ર ક્યારેય એવું કહ્યું નથી અને કહેવાનો નથી કે “બસ, હવે મારું પેટ ભરાઈ ગયું છે. તમે હવેથી મને For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જ્ઞાનસાર વધુ જલ આપવાનું બંધ કરો.” આપણી પાંચ ઇન્દ્રિયોની પ્રકૃતિ પણ સમુદ્ર જેવી જ અતલ ઉંડાણવાળી છે. ઇન્દ્રિયો અનંતકાળથી ભોગો ભોગવવા છતાં ક્યારેય એમ નહિ કહે કે અમે તપ્ત થઈ ગઈ છીએ અને અમારે હવે નવા કોઈ ઉપભોગની જરૂર નથી, કે અપેક્ષા નથી. ઇન્દ્રિયોને વર્તમાનમાં ભોગવાતા વિષયો માટે આસક્તિ, મમતા, આકર્ષણ, લગની ઇત્યાદિ રહે છે. નહિ ભોગવેલા એવા નવા નવા વિષયો ભવિષ્યમાં ભોગવવા માટે ઉત્કંઠતા, ઉત્સુકતા, આકાંક્ષા, સ્વપ્નાં ઇત્યાદિ રહે છે અને ભૂતકાળમાં ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ થાય છે. ઇન્દ્રિયો ક્યારેય નવરી પડતી નથી. એની પ્રવૃત્તિઓ ત્રણે કાળ અવિરત ચાલતી રહે છે. તે સદાય ભૂખી અને ભૂખી રહે છે. પરંતુ ઇન્દ્રિયોને ભોગો વડે તૃપ્ત કરવાનો વૃથા પ્રયત્ન કરવાને બદલે સંતોષ, સંયમ, ત્યાગ વગેરેથી શાન્ત કરી શકાય છે. વસ્તુતઃ આત્માનું, આત્મસ્વરૂપનું આલંબન લેવાથી ઇન્દ્રિયોની પરાધીનતા મટી જાય છે, ક્રમે ક્રમે તૃષ્ણાનો ક્ષય થાય છે. જ્યાં સુધી શરીર એ જ આત્મા છે એવી ભ્રાન્તિ રહ્યા કરે ત્યાં સુધી ઇન્દ્રિયો બળવાન જ રહેવાની. ખાવાપીવામાં, હરવાફરવામાં અને કામભોગોમાં રસ પડવાનો. પણ સાચું સુખ ઇન્દ્રિયોનું નહિ, પણ આત્માનું છે, આત્મસ્વરૂપની રમણતાનું છે એવી સમજ આવે અને એવો અનુભવ થવા લાગે ત્યારે ચિત્ત ઇન્દ્રિયોના વિષયોમાંથી નિવૃત્ત થઈ તપ, જપ, જિનભક્તિ, ગુરુસેવા, શાસ્ત્રાભ્યાસ, ધ્યાન ઇત્યાદિમાં વધુ રસ લેવા લાગે છે. ત્યારે ઇન્દ્રિયોના વિષયો એને એંઠવાડ જેવા લાગે છે. એમાંથી રૂચિ નીકળી જાય છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીની આરાધનાની પ્રવૃત્તિ જ્યારે જોર પકડે છે ત્યારે પરભાવો અને પરપુદ્ગલ તરફનું એનું ખેંચાણ ઘટી જાય છે. ઇન્દ્રિયોના વિષયો ગમે તેટલા રસિક અને આકર્ષક હોય પણ અંતે તો એ દુર્ગતિ તરફ લઈ જનારા છે એવી શ્રદ્ધા દઢ થતાં જીવ અંતર્મુખ બને છે. એની યાત્રાની For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક ૧૦૧ દિશા હવે બદલાઈ જાય છે. તે આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગે છે. . એટલા માટે જીવે ઇન્દ્રિયોની તૃપ્તિ તરફ નહિ પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તરફ લક્ષ રાખી તદનુસાર પુરુષાર્થ કરતા રહેવું જોઇએ. શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી” ટીકામાં ઉપદેશમાલા'ની નીચેની ગાથા ટાંકી છે. विसयाविसं हालाहलं, विसयविसं उक्कडं पीयंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ।। [વિષયરૂપી વિષ (સંયમરૂપી જીવિતનો નાશ કરનાર હોવાથી) હાલાહલ ઝેર છે. વિષયરૂપી વિષનું (અથવા નિર્ભેળ વિષનું) ઉત્કટપણે પાન કરનારને વિષયરૂપી વિષથી અજીર્ણ થાય છે (એટલે ન પચવાથી મૃત્યુ થાય છે, અને કાં તો વિષયવિષથી વિસૂચિકા (ઝાડા-ઉલટી) થાય છે.]. વળી કહ્યું છે. कामभोग ग्रहो दुष्टः कालकूटविषोपमः । तव्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः ।। [કામભોગ દુષ્ટ ગ્રહ જેવા અને કાળકૂટ વિષ સમાન છે. તેનો વ્યામોહ (બ્રાન્તિ) દૂર કરવા માટે આત્મભાવ અમૃત સમાન છે.] આમ, જીવ જ્યારે વિષયોને કાળકૂટ ઝેર સમાન લેખે છે ત્યારે જ આત્માના અમૃતપાન તરફ તે અભિમુખ થાય છે. એ માટે આરંભમાં ઇન્દ્રિયોને વિષયાંતર કરાવવાની, અશુભ કે અપ્રશસ્ત વિષયોમાંથી શુભ કે પ્રશસ્ત વિષયો તરફ વાળવાની જરૂર છે. નયનોનો ઉપયોગ હવે જિનેશ્વર પરમાત્મા, ગુરુ ભગવંત વગેરેનાં દર્શનમાં કરવો જોઈએ. શ્રવણેન્દ્રિયનો ઉપયોગ હવે શ્રુતજ્ઞાનના શ્રવણમાં થવો જોઈએ. જિદ્વાનો ઉપયોગ સ્તવન-સક્ઝાય લલકારવામાં, સ્તોત્રોના રટણમાં થવો જોઈએ. તેની સાથે સાથે મનને પરમાત્માના સ્વરૂપના અને આત્મસ્વરૂપના For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨ જ્ઞાનસાર ચિંતનમાં, ધ્યાનમાં લગાડી દેવું જોઈએ. એનો મહાવરો થતાં સાચી તૃપ્તિ તરફ જીવ ગતિ કરતો જશે. [૫૨] યાત્માનં વિષયૂ: પાશ્ચર્મવવાસપ૨ાતમુરમ્ | इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किंकराः ।। ७ ।। ४ ।। [શબ્દાર્થઃ માત્માનં=આત્માને; વિષયૅ: પારો:=વિષયોરૂપ બંધનો વડે ભવવા=સંસારવાસ, ભવભ્રમણ પર મુવ=પરાડુમુખ થયેલા વિમુખ બનેલા, મઢું ફેરવી ગયેલા, ઉદ્વિગ્ન બનેલા ક્રિયાબિ=ઇન્દ્રિયો; નિખનિત=બાંધે છે; મોદરાનસ્થ મોહરાજાના, ફિર :=દાસ-દાસી, નોકરો] અનુવાદ–મોહરાજાની દાસીરૂપ ઇન્દ્રિયો સંસારવાસથી વિમુખ થયેલા આત્માને વિષયોરૂપી પાશથી બાંધે છે. (૪) વિશેષાર્થ : અહીં સંસારને એક સામ્રાજ્યનું રૂપક આપવામાં આવ્યું છે. આ સામ્રાજ્યનો સમ્રાટ છે મોહરાજા. ઇન્દ્રિયો તેની કિંકરા એટલે કે નોકરાણીઓ, સેવિકાઓ છે. “ઉપમિતિ ભવપ્રપંચ'માં આવું જ રૂપક આપ્યું છે. ત્યાં રાજાનો પુત્ર છે રાગકેસરી અને પ્રધાન છે વિષયાભિલાષ. તેઓ જગતને પોતાને વશ રાખે છે. મોહરાજા જગતના જીવોને ઇન્દ્રિયોના બાંધે છે અથવા પાશથી બંધાવે છે. પાશ એટલે દોરડું. સજા પામેલા કેદીને હાથે પગે દોરડું બાંધવામાં આવે છે. (હવે સાંકળ પણ બંધાય છે.) પાશ એ દોરડામાંથી બનાવેલો ફાંસો (ગાળિયો) છે. જૂના વખતમાં પાશ નાખવાની તાલીમ અપાતી. ભાગી જતા માણસને દોરડાનો ફાંસો ઉછાળી એના ગળામાં નાખીને પાછો ખેંચી લેવાતો. ઇન્દ્રિયોનો ગાળિયો ભલભલા માણસોને બંધનમાં નાખી દે છે. ઇન્દ્રિયો જીવોને ભ્રમણામાં નાખી દે છે. તેઓ માણસ પાસે અવળી મતિ કરાવી For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક ૧૦૩ પોતાના બંધનમાં જકડી લે છે. માણસ સંસારથી ઉદ્વેગ પામેલો હોય, ત્યાગ વૈરાગ્ય તરફ વળેલો હોય, તપ જપ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, ધ્યાન ધરતો હોય તો પણ ઇન્દ્રિયો એને લોભામણી વાતો કરે છે અને કુતર્કથી સમજાવે છે કે જેથી મુંઝાયેલા જીવને એમ લાગે છે કે શરીર સારું હશે તો ભવિષ્યમાં ધર્મ સારી રીતે કરી શકાશે, કારણ કે ધર્મ સાધનાનું પહેલું પગથિયું છે શરીરની સુદઢતા. એટલે જીવ શરીરને સુદઢ કરવા માટે એવા પ્રકારના ગરીષ્ઠ ખાનપાન તરફ વળી જાય છે. એમ કરતાં તે રસલોલુપ બને છે અને ધર્મની મૂળ વાતને ભૂલી જાય છે. જીવને ખબર નથી પડતી કે વસ્તુતઃ પોતે વધુ ગાઢ બંધનમાં બંધાતો જાય છે. સંસારની આવી વિષમ પરિસ્થિતિનો વિચાર કરી જાગૃત જીવે મોહરાજાની જાળમાં ફસાવું ન જોઈએ. ફસાયા હોઈએ તો વહેલી તકે એમાંથી બહાર નીકળી જવું જોઈએ. [૫૩] ઉરિમૃત્ન નં પશ્યન્ થાવતિ ઝિયમોહિત अनादिनिधनं ज्ञानधनं पार्श्वे न पश्यति ।। ७ ।। ५ ।। [શબ્દાર્થ ગિરિમૃત્ના પર્વતની માટીને, ધનં=ધનરૂપે; પશ્ચ=જોતો; ધાવતિ=દોડે છે; ન્દ્રિયોહિત =ઇન્દ્રિયોના વિષયમાં મોહિત થયેલો; અનાવિનિધનં અનાદિ અનન્ત; જ્ઞાનં=જ્ઞાનરૂપ; ધનં=ધનને; પાર્શ્વ=પાસે રહેલા; ન=નથી; પતિ જોતો.] અનુવાદ–ઇન્દ્રિયોથી મોહિત થયેલો જીવ પર્વતની માટીને ધનરૂપે જોઈને દોડે છે, પરંતુ પાસે રહેલા અનાદિ-અનંત જ્ઞાનધનને જોતો નથી. (૫) વિશેષાર્થ : એક બાજુ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ અને બીજી બાજુ આત્મસ્વરૂપની પ્રવૃત્તિઓ એ વચ્ચેનો ભેદ સરસ દૃષ્ટાન્ત વડે અહીં સમજાવવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ્ઞાનસાર સામાન્ય વેપારમાં કંઈ કશ નથી, પણ કંઈક શ્રમ કરીને ઘણું બધું ધન મેળવવું હોય તો એક કષ્ટભર્યો ઉપાય છે. તો જૂના વખતમાં એ માટે જે ડુંગરોમાં સોનું, રૂપું કે હીરામાણેકના કાચા અંશો જ્યાં જણાતા હોય ત્યાં ખોદકામ કરવું, ખાણ બનાવવી અને માટીમાંથી નીકળતા સુવર્ણાદિના કાચા પથ્થરો એકઠા કરી, સાફ કરી, ઓગાળવા. એમાંથી સુવર્ણ, ચાંદી વગેરે જો મેળવાય તો એની સારી કિંમત ઊપજે. એ રીતે માણસ ધનવાન બની શકે છે. પ્રાચીન સમયમાં ધન મેળવવા લોકો દૂરના ડુંગરોમાં પહોંચી જતા, પરંતુ એ માટે મહેનત ઘણી કરવી પડે છે. એ માટે બહાર તડકામાં દૂર દૂર સુધી રખડવું પડે છે. આખો દિવસ કાળી મજૂરી કરવી પડે છે. કોઈવાર એમાંથી કશું પણ ન મળે. મહેનત માથે પડે. પરંતુ એવી રીતે પુરુષાર્થ કરવાથી શ્રીમંત બની શકાય છે. અલબત્ત, એ રીતે જે ધન મળે તે નાશવંત છે, ચોરાઈ જવાનો ભય છે. ઘરાક ન હોય તો મહેનત માથે પડે છે. બીજી બાજુ જીવ જો ચિંતન કરે તો પોતાના આત્મામાં પોતાની પાસે જ ધન રહેલું જણાશે. એ જ્ઞાનરૂપી ધન છે. એ મેળવવા માટે બહાર ભટકવું નથી પડતું. જે પુરુષાર્થ કરવાનો છે તે અંદરનો છે. એ ધન નિશ્ચિત રૂપે છે, અવિનાશી અનાદિ કાળથી એ પડેલું છે. જીવ નિગોદમાં હતો ત્યારે પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલો ઉઘાડ ધરાવતું એ જ્ઞાન સત્તામાં રહેલું હતું. કર્મરૂપી ડુંગરોમાં એ દટાયેલું પડ્યું છે. એ ખોદીને બહાર કાઢવાનું છે. જ્ઞાનરૂપી એ ધનને જેમ જેમ વિશુદ્ધ કરતા જઈએ તેમ તેમ એ સમ્યગુજ્ઞાન રૂપે પ્રગટ થાય છે અને છેવટે કેવળજ્ઞાનરૂપે પ્રકાશિત થાય છે. જીવમાં સત્તાગત કેવળજ્ઞાન રહેલું છે. મોહનીય વગેરે કર્મોના આવરણને લીધે એ દેખાતું નથી. તત્ત્વના અવબોધરૂપ એ જ્ઞાન માટે જરૂર છે પુરુષાર્થ કરવાની. કહ્યું છેઃ कैवलनाणमणंते जीवसरूपं तयं निरावरणं । એટલે કે “અનન્ત અને આવરણરહિત કેવળજ્ઞાન જીવના સ્વરૂપભૂત છે. આમ કેવળજ્ઞાન અનાદિ અનંત છે. સિદ્ધાવસ્થામાં પણ તેનો નાશ નથી. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક ૧૦૫ એટલા માટે જીવે ઇન્દ્રિયોના બાહ્ય વિષયો રૂપી સોનું, ચાંદી મેળવવાનો પુરુષાર્થ છોડી દઈ, વિષયોથી મોહિત થયા વિના, પોતાના અંતરાત્મામાં દટાયેલા અવિનાશી જ્ઞાનધનને મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. [૫૪] પુર: પુર: રતૃM મૃતૃધ્ધનુરિપુ ! ક્રિયા થૈષ ઘાવતિ ત્યવસ્વ જ્ઞાનામૃતં ગરી: | ૭ | દ II. [શબ્દાર્થ પુર: પુર:=આગળ આગળ, ઉત્તરોત્તર; મુરત્ તૃMT:=વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા; મૃતૃષ્ણા ઝાંઝવાનાં જળ જેવી તૃષ્ણા, મનુરિપુ =એના જેવા; ન્દ્રિયાર્થીષ ઇન્દ્રિયોના વિષયોમાં; ધવનિત દોડે છે; જ્હા છોડીને; જ્ઞાનામૃતં=જ્ઞાનરૂપી અમૃતને; નડી:=જડ લોકો, મૂર્ખ, અજ્ઞાની.] અનુવાદ–ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા જડ માણસો જ્ઞાનરૂપી અમૃતને છોડીને ઝાંઝવાનાં નીર જેવા ઇન્દ્રિયોના વિષયોમાં દોડે છે. (૬) વિશેષાર્થ : ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ કરવાનો પ્રયાસ કરવાથી વસ્તુતઃ તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો તો મોટી સળગતી ભઠ્ઠી સમાન છે. એમાં ગમે તેવા ભોગસુખો નાખો, તો તે ભસ્મ થઈ જશે અને ભઠ્ઠી નવા સુખભોગ માગશે. ઉદાહરણ તરીકે ભોજનનો વિષય લઈએ. માણસને સારું સ્વાદિષ્ટ ખાવું ગમે છે, પણ ભોજનનો આનંદ માણી લીધા પછી થોડી વારમાં પેટ ખાલી થઈ જાય છે અને ફરી તે ભોજન માગે છે. પરંતુ કોઈ માણસ એમ ખાધા કરે તો એને અજીર્ણાદિ રોગો થાય છે. ભોજનની પણ એક મર્યાદા છે. એનો અતિભોગ નથી થઈ શકતો અને છતાં જો અતિભોગ કરવામાં આવે તો એનાં માઠાં પરિણામ ભોગવવાનો વખત આવે છે. આવું જ કામભોગના વિષયમાં છે. માણસની ભોગોપભોગ માટેની લાલસા ઉત્તરોત્તર મૃગતૃષ્ણાની જેમ વધતી જાય છે. સૂર્યના તેજને કારણે રેતી ચળકતી જોઈને એ પાણી છે એમ સમજીને For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જ્ઞાનસાર પાણી પીવા મૃગ દોડે છે. જેમ દોડે છે તેમ મૃગજળ આવું થતું જાય છે અને છેવટે તરસ્યું હરણ થાકીને મૃત્યુ પામે છે. મનુષ્યની ભોગોપભોગ માટેની વાસનાઓ પણ આમ ઉત્તરોત્તર વધતી રહે છે. ધન, માલમિલકત, સ્વજન પરિવાર, યશકીર્તિ વગેરે માટેની માણસની તૃષ્ણા ક્યારેય સંતોષાતી નથી. ઉત્તરોત્તર તે વધતી જ જાય છે. પરિણામે નિરાશા, કુલેશ, ઉદ્વેગ, ખેદ વગેરે ઉત્પન્ન થાય છે અને વધતાં જાય છે. આમ છતાં માણસોની આંખ જો ન ઊઘડતી હોય તો એ એમની મૂર્ખતા છે, જડતા છે. એવા માણસો પૂંછડા વિનાના પશુ જેવા ગણાય છે. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિ'માં કહ્યું છેઃ __येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् । (જેઓને વિષયોમાં આસક્તિ છે તેઓને મનુષ્ય ન ગણવા.) ચાર ગતિમાં માત્ર મનુષ્ય ભવમાં જ ઇન્દ્રિયોના ભોગોપભોગ તુચ્છ અને અસાર છે એ વિશે સાચી સમજ આવે છે અને તે બહુ જ થોડા લોકોને. ઇન્દ્રિયોના આનંદ કરતાં જ્ઞાનરૂપી અમૃતના પાનનો આનંદ ઘણો ચડિયાતો છે એ તો યોગ્ય અધિકારી માણસને જ સમજાય છે અને સમજાયા પછી પણ બહુ જ થોડા એનો અમલ-અનુભવ કરી શકે છે. પરંતુ એક વખત જ્ઞાનામૃતનો આનંદ જેમણે ચાખ્યો છે અને માણ્યો છે તેમને પછી સંસારનાં સર્વ સુખો તુચ્છ લાગે છે. આ અવિનાશી જ્ઞાનામૃત ઉત્તરોત્તર એને મોક્ષસુખ તરફ લઈ જાય છે. [૫૫] પતામૃમીનેમ-સર યાતિ લુશામ્ एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ।। ७ ।।७।। [શબ્દાર્થ પત=પતંગિયું; મૃ=ભમરો; મીન=માછલી; રૂમ=હાથી; સાર: હરણ; યાન્તિ પામે છે; ઉર્વશાદુર્દશાને; પર્વ =એક એક; For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇજિયજયાષ્ટક ૧૦૭ ન્દ્રિયોષા–ઇન્દ્રિયના દોષથી, વેજો, દુષ્ટ =દુષ્ટવડે, દોષવાળી વડે; તૈ=તે વડે; નિ–શું ન થાય? પડ્યૂમિ=પાંચ વડે.] અનુવાદ-જો પતંગિયું, ભમરો, માછલી, હાથી અને હરણ એક એક ઇન્દ્રિયના દોષથી દુર્દશાને પામે છે, તો દોષવાળી પાંચ ઇન્દ્રિયોથી તો શું ન થાય ? (૭) વિશેષાર્થ સંસારમાં એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના અનંતાનંત જીવો છે. જેમ ઇન્દ્રિય વધારે તેમ જીવનો ઉઘાડ વધુ. પણ એ જ ઇન્દ્રિયો જીવને મૃત્યુને ભેટવામાં પણ નિમિત્ત બની શકે છે. સ્થૂલ ઇન્દ્રિયોના ભૌતિક રસમાં જીવે લુબ્ધ ન થવું જોઈએ. જેમ ઇન્દ્રિયો વધારે તેમ ઉપભોગનાં સાધનો વધારે અને અવકાશ પણ વધારે. માણસ ઇન્દ્રિય-લુબ્ધ બને તો એનું પતન નિશ્ચિત થઈ જાય છે. અહીં એક એક ઇન્દ્રિયમાં લુબ્ધ બનેલા જીવો કેવી રીતે મૃત્યુને ભેટે છે તેનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. ( પતંગિયું કેટલું સુંદર હોય છે. રંગો અને એની સુંદર ભાતનું કેટલું બધું વૈવિધ્ય પતંગિયામાં જોવા મળે છે. પણ એ પતંગિયું દીવાને જોતાં એની તરફ ધસી જાય છે. એ રૂપમાં આસક્ત બને છે. દીવો જોવો એ પતંગિયા માટે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. દીવાની આસપાસ ઘૂમતાં અને છેવટે દીવા પર ધસી જતાં પતંગિયું બળીને ખાક થઈ જાય છે. ભમરો સુગંધનો લુબ્ધ છે. ફૂલની સુગંધ એનાથી ખમાતી નથી. એને એમ થાય છે કે કેવી રીતે બધી સુગંધ એક સાથે ભોગવી લઉં ! એ કમળ પર બેસે છે. આ એવું કમળ છે કે જે સૂર્યના ઊગવા સાથે ઊઘડે છે અને આથમવા સાથે બિડાય છે. ભ્રમર કમળની સુગંધમાં એટલો બધો પરવશ બની જાય છે, ભાન ભૂલી જાય છે કે સૂર્યાસ્ત સમયે કમળ બિડાઈ જાય તે પહેલાં પોતે ઊડી જવું જોઈએ. પણ એ ઊડતો નથી અને કમળમાં આખી રાત પુરાઈ રહે છે અને એથી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નાનસાર તે ગુંગળાઇને પ્રાણ ગુમાવે છે. વળી બીજે દિવસે બીજો ભ્રમર આવે છે. એક ભ્રમરને મરેલો નજર સામે જોવા છતાં તે ચેતતો નથી, કારણ કે એ પણ ગંધમાં લુબ્ધ છે. મીન એટલે કે માછલી. એ સ્વાદમાં લુબ્ધ છે. માછીમારના કાંટામાં ભરાયેલી વાનગી ખાવા જતાં તે કાંટામાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે. હાથી ઉનાળામાં ઠંડક મેળવવા, સ્પર્શેન્દ્રિયનું સુખ માણવા કાદવવાળા તળાવમાં સ્નાન કરવા પડે છે. પાણી અને કાદવની શીતળતા એને સરસ આનંદનો અનુભવ કરાવે છે. પણ પછી પોતાના જ વજનથી એ કાદવમાં ઊંડે એટલો ખૂંપતો જાય છે કે પછી તે નીકળી શકતો નથી. ભારે હાથીને બહાર કાઢવાનું પણ સહેલું નથી. વળી પાસે કોઈ ન હોય તો તો હાથી કાદવમાં જ ગરક થઈ જઈને મૃત્યુ પામે છે. જે ઇન્દ્રિયે એને આનંદ કરાવ્યો એ જ ઇન્દ્રિયે એને મોત ભેટમાં આપ્યું. હરણને સંગીત અત્યંત પ્રિય હોય છે. પરંતુ એની એ નબળાઈ પારધિ જાણે છે. ઝડપી દોડી જતા હરણનો બાણથી શિકાર કરવાનું સરળ નથી. પારધિ બાણ ચૂકી જાય છે. પરંતુ પારધિ સંગીતના શ્રવણમધુર સુરો રેલાવી પહેલાં હરણને સ્તબ્ધ કરી દે છે. એક જ સ્થળે સ્થિર ઊભેલા સંગીતમગ્ન હરણને પછી પારધિ બાણનો શિકાર બનાવી દે છે. આમ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય-એક એક ઇન્દ્રિયના વિષયમાં લુબ્ધ બનનાર જીવોની કેવી દુર્દશા થાય છે અને કેવી રીતે મૃત્યુને ભેટે છે તેનાં ઉદાહરણો જોવા મળે છે. મનુષ્ય પાસે પાંચ ઇન્દ્રિયો છે અને તે દરેક ઇન્દ્રિયમાં તે આસક્ત રહે છે. એક વિષયવાસના-કામવાસનાને કારણે પણ માણસની હત્યા થતી હોય અથવા તે આપઘાત કરતો હોય એવા બનાવો વિશે વારંવાર સાંભળવા મળે છે. માત્ર સામાન્ય માણસો જ નહિ, મોટા મોટા સત્તાધીશોને પણ વ્યભિચારને કારણે ગાદી છોડવી પડી છે. વાસુદેવ, ચક્રવર્તીને પણ ઇન્દ્રિયલુબ્ધતા-વિષયોના અમર્યાદ ભોગવટાને For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૭. ઇન્દ્રિયજયાષ્ટક ૧૦૯ કારણે નરક ગતિનાં દુઃખો ભોગવવાનો વખત આવ્યો છે. એટલા માટે સાધકે ઇન્દ્રિયોથી પરાજિત થવું ન જોઈએ; ઇન્દ્રિયોના વિષયો એટલા બધા છે અને અવસરો પણ એટલા બધા પ્રાપ્ત થાય છે કે એના ઉપર સંયમ મેળવવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે મનથી ભારે પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. [૫] વિવેઢીપદક્ષે સમાનતા इन्द्रियैर्यो न जितोऽसौ धीराणां धुरि गण्यते ।। ७ ।। ८ ।। [ શબ્દાર્થઃ વિવેવ દીપ=વિવે કરૂપી હાથી; રર્થક્ષે:=સિંહ સમાન; સમાધિન=સમાધિરૂપી ધન તરે ચોરો જેવી; મૈિ ઇન્દ્રિયો વડે; ય =જે; ને નિત =જિતાયો નથી; :=; ધીરા ધીર પુરુષોની, ધીર પુરુષોમાં; ધુરિ=મુખ્ય; ખ્યતેગણાય છે.] અનુવાદ-વિવેકરૂપી હાથીને હણવામાં સિંહ સમાન, સમાધિરૂપી ધનને લૂંટવામાં ચોરો જેવી ઇન્દ્રિયો વડે જે જિતાયો નથી તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે. (૮). વિશેષાર્થ અહીં ઇન્દ્રિયો માટે બે રૂપક યોજવામાં આવ્યાં છે. (૧) ઇન્દ્રિયો સિંહ છે અને (૨) ઇન્દ્રિયો તસ્કર એટલે કે ચોર છે. સિંહ દિવસે સામી છાતીએ આક્રમણ કરે છે અને ચોર ઘણુંખરું રાતને વખતે ચૂપચાપ પોતાની પ્રવૃત્તિ આદરે છે. ઇન્દ્રિયો રૂપી સિંહ સાધકના વિવેકરૂપી હાથી ઉપર આક્રમણ કરે છે. વળી ઇન્દ્રિયોરૂપી ચોર સાધકના સમાધિરૂપી ધનને ચોરી જવા આવે છે. પરંતુ જે ધીર, સ્વસ્થ, સમર્થ સાધકો છે તે દિવસે એટલા ચકોર હોય છે અને રાત્રે પણ એટલા જાગૃત હોય છે કે તેઓ લૂંટાતા નથી કે પરાજિત થતા નથી. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જ્ઞાનસાર પશુઓમાં કદની દૃષ્ટિએ મોટામાં મોટું તે હાથી છે. તે શાકાહારી છે, શાન્ત છે, સમજદાર છે અને શોભારૂપ છે. સિંહ ક્રૂર, હિંસક અને આક્રમક છે. સિંહ જો છલાંગ મારી હાથીની પીઠ પર ચડી જવામાં ફાવી ગયો તો તે હાથીને ફાડી ખાય છે. પણ હાથી જો સાવધ હોય તો સિંહને ફાવવા દેતો નથી અને પોતાની સૂંઢ વડે પકડીને અને મજબૂત પગ વડે કચડીને સિંહને પરાજિત કરી ભગાડી દે છે કે મારી નાખે છે. ઇન્દ્રિયોરૂપી સિંહ પ્રમાદી સાધકના વિવેકરૂપી હાથીને હણી નાખે છે, પરંતુ ધીરપુરુષોમાં મુખ્ય એવા અપ્રમત્ત, સમર્થ, સ્વસ્થ સાધકના વિવેકરૂપી હાથીને હણી શકતો નથી. તે જ પ્રમાણે ઇન્દ્રિયોરૂપી ચોર જાગતા ધીરપુરુષના ધ્યાનરૂપી ધનને ઉઠાવી જઈ શકતો નથી. એટલે કે સાધકનું ધ્યાન ખંડિત થતું નથી. | વિવેક એટલે જુદું પાડવાની શક્તિ. સાર શું છે અને અસાર શું છે તે પારખવાની શક્તિ. સાધક માટે વિવેક એટલે દેહ અને આત્માને ભિન્નરૂપે જોવાનું જ્ઞાન, એટલે કે ભેદજ્ઞાન. વિવેક એટલે શુભ કર્મ અને અશુભ કર્મ સમજવાની દૃષ્ટિ. સાધક મહાત્માઓ જ્યારે સ્વરૂપાનુભવના ધ્યાનમાં આરૂઢ થાય છે ત્યારે તે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય છે. મોટા ઉપસર્ગો થાય તો પણ તેઓ ધ્યાનથી ચલિત થતા નથી. નમિરાજર્ષિ, મેતારજમુનિ, ગજસુકુમાલ મુનિ વગેરે મહાત્માઓ ઇન્દ્રિયોના ઉપસર્ગોથી જિતાયા નથી. સાધકે ઉત્તરોત્તર એવું આત્મિક બળ કેળવવું જોઈએ કે જેથી ઇન્દ્રિયો તેમને પરાજિત ન કરી શકે. જે સાધકો ઇન્દ્રિયોથી પરાજિત થતા નથી એમને ઇન્દ્રાદિ દેવો પણ વંદન કરવા આવે છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧ ૧ ૧ ૮. ત્યાગાષ્ટક [૫૭] સંયેતાત્મા શ્ર શુદ્ધોપાં પિતર નિમ્ धृतिमम्बां च पितरौ तन्मां विसृजतं ध्रुवम् ।। ८ ।। १ ।। [શબ્દાર્થ સંયતાત્મા=સંયમ પ્રત્યે અભિમુખ થયેલો; =હું આશ્રય કરું છું; શુદ્ધોપયો શુદ્ધ ઉપયોગરૂપ; પિતર–પિતાનો; નિગમ=પોતાના; ધૃતિમ=ધૃતિ, વૈર્ય, આત્મરતિ; અન્વ=માતાનો; =અને; પિતર=માતાપિતા; તનતો માં=મને; વિનતં–છોડો; ધુવમ=અવશ્ય] અનુવાદ–સંયમ પ્રત્યે અભિમુખ થયેલો હું શુદ્ધોપયોગરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું. માટે હે (સાંસારિક) માતાપિતા ! મને અવશ્ય છોડો. (૧) વિશેષાર્થ ત્યાગ નામના આ અષ્ટકમાં દીક્ષાર્થીએ માતા પિતા, બંધુ, પત્ની એમ ઉત્તરોત્તર બધાનો ત્યાગ કરતાં કરતાં મુનિ થઇને છેવટે પોતાના નિર્મળ આત્માને કેવી રીતે પ્રગટાવવાનો છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દીક્ષાર્થીએ સૌથી પહેલાં માતાપિતાનો (જે હોય તેનો) ત્યાગ કરવાનો હોય છે અને એ માટે એમની અનુમતિ લેવાની હોય છે. આ બહુ નાજુક ક્ષણ હોય છે. કાચા માણસો ડગી જાય છે કે અસ્વસ્થ થઈ જાય છે. એ સમયે દીક્ષાર્થીમાં ધૈર્ય જોઈએ. પોતાને વહાલથી ઉછેરનાર માતાપિતાની આંખમાં આંસું જોતાં વિવળ બની જવાય છે. કોઈ વાર પોતાના ગૃહત્યાગના નિર્ણયને તાત્કાલિક મુલતવી રાખવો પડે છે. સાચો ભાગ્યશાળી દીક્ષાર્થી માતા પિતાને દુભવતો નથી. એમને પ્રેમથી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ જ્ઞાનસાર સમજાવે છે. એમની સેવાભક્તિ કરે છે. એમના ઉપકારને યાદ કરે છે. એમને સાચી સમજણ આપે છે કે જેથી માતાપિતા પ્રેમથી દીક્ષા માટે અનુમતિ આપે અને અતિશય હર્ષ તથા ગૌરવ અનુભવે. ગ્રંથકારશ્રીએ આ અષ્ટકના પ્રથમ ત્રણ શ્લોકમાં પ્રાચીન પરંપરા અનુસાર અંતરમાં રહેલા તાત્ત્વિક સગુણો માટે પારિવારિક રૂપકની યોજના કરી છે. એમાં શુદ્ધોપયોગને પિતા, ધૃતિને માતા, શીલ વગેરેને બંધુઓ અને સમતાને પત્ની તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. આ રીતે જેમ બાહ્ય કુટુંબ હોય છે તેમ એક આત્યંતર કુટુંબ પણ હોય છે. દીક્ષાર્થી બાહ્ય કુટુંબનો ત્યાગ કરે તો જ આત્યંતર કુટુંબને યથાર્થ રીતે પામી શકે છે. આત્યંતર કુટુંબમાં દીક્ષાર્થીએ પોતે મોહ, મમતા, માન, લોભ જેવા દુષ્ટ પાત્રોના હાથમાં સપડાઈ ન જાય એની સાવધાની રાખવાની હોય છે. સંયમ ધારણ કરવા માટે અભિમુખ થયેલો જીવ શુદ્ધ ઉપયોગરૂપી પોતાના પિતાનો અને ધૃતિ અર્થાત્ આત્મરતિ રૂપી માતાનો આશ્રય કરે છે. એથી તે લોકિક માતાપિતાને વિનંતી કરતાં કહે છે કે, “હે માતા પિતા ! તમે હવે મને છોડો, મને છૂટી જવા દો, કારણ કે પરમાર્થથી જોતાં તમે મારાં માતાપિતા નથી. આપણો આ સંબંધ ભ્રાન્તિરૂપ છે, કારણ કે અનાદિ કાળથી ચાલ્યા આવતા આપણા આ સંબંધોમાં પરસ્પર ક્યારેક માતા, ક્યારેક પિતા, કયારેક મિત્ર, ક્યારેક શત્રુ એવાં એવાં રૂપ પૂર્વે આપણે ધારણ કર્યા હશે. એ ભ્રાન્તિમય સંબંધો છોડીને હું હવે તાત્ત્વિક સનાતન સંબંધો બાંધવા ઇચ્છું છું. માટે તમે મને રજા આપો.” આ રીતે માતાપિતાના ત્યાગથી સાધકનું ત્યાગનું પ્રથમ સોપાન શરૂ થાય છે. [૫૮] યુખાવં સંમોડનાવિન્યવોનિયતાત્મનામ્ | ध्रुवैकरूपान्शीलादिबन्धूनित्यधुना श्रये ।। ८ ।।२।। For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧૧૩ [શબ્દાર્થ પુષ્પ = તમારો; સંમ:=સંગમ, મેળાપ; નાવિ =અનાદિ કાળનો; વિંધવ =હે બંધુઓ ! નિયતાત્મના=અનિયત (અનિશ્ચિત) છે આત્મપર્યાય જેનો એવા; ધુવૈવરૂપન નિશ્ચિત જ સ્વરૂપવાળા; શીતાવિ-વધૂન શીલાદિ બંધુઓનો; તિ=એ માટે, એ હેતુથી; મધુના=હવે; થયે=આશ્રય કરું છું.] અનુવાદ-હે બંધુઓ ! અનિશ્ચિત આત્મપર્યાય છે જેનો એવા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિ છે. એટલે જેનું સ્વરૂપ ધ્રુવ (નિયત) છે એવા શીલ વગેરે બંધુઓનો હું હવે આશ્રય કરું છું. (૨) વિશેષાર્થ : માતાપિતાને વિનંતી કર્યા પછી દીક્ષાર્થી હવે પોતાનાં બંધુઓને વિનંતી કરે છે. તે કહે છે કે “હે બંધુઓ !; તમારી સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિ છે અને અનિશ્ચિત સ્વરૂપવાળો છે. આ જન્મના ભાઈઓ તે ગયા જન્મમાં કે એની પૂર્વેના સંબંધમાં ભાઈઓ જ હતા કે નહિ એની કોને ખબર છે ? કદાચ ભાઈઓ ન પણ હોઇએ. તેવી જ રીતે આવતા ભવમાં કે ભવોમાં આવો જ સંબંધ રહેશે એની શી ખાતરી ? વળી ક્યારેક તો ભાઈઓ તરીકે જન્મ્યા પછી પણ સ્વાર્થના ઘર્ષણને કારણે એ જ ભવમાં જીવનભરના શત્રુઓ બની જવાય છે. ક્યારેક શત્રુતાની પરંપરા બેચાર ભવ સુધી, ભાઈ-ભાઈ તરીકે કે અન્ય સ્વરૂપે જન્મ લીધા પછી પણ ચાલુ રહે છે.” આથી દીક્ષાર્થી કહે છે કે હે ભાઈઓ, ભાંડુઓ ! હવે હું એવા આત્યંતર ભાઈભાંડુનો સંગાથ કરું છું કે જે જન્મજન્માન્તર સુધી, અરે નિર્વાણ સુધી એવો જ શુભ અને શુદ્ધ રહ્યા કરે. મારા આ આત્યંતર બંધુઓ છે શીલ, શમ, ક્ષમા, સરળતા, નિર્લોભતા, સત્ય, સંતોષ, નમ્રતા વગેરે. એ એટલા બધા છે કે ગણાવતાં પાર ન આવે. હવે હું એમનો આશ્રય કરું છું.' સંયમના આરાધકે ગૃહજીવનના સંબંધો પ્રત્યેની આસક્તિ છોડવી જોઈએ. એ વિના અભ્યતર ગુણો જેવા ખીલવા જોઈએ એવા ખીલતા નથી. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [૫૯] હ્રાન્તા મે સમલૈવૈળા જ્ઞાતયો મે સમક્રિયા: । જ્ઞાનસાર बाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् ।। ८ ।। ३ ।। [શબ્દાર્થ: હ્રાન્તા=વહાલી સ્ત્રી; મે=મારે; સમતા=સમતા, સમત્વ, સમભાવ, રાગદ્વેષરહિતપણું; વ્=જ; હ્રા=એક; જ્ઞાતય:=જ્ઞાતિબંધુઓ, સગાવહાલાં; મે=મારે; સમયિા:=સરખી ક્રિયાવાળા, સરખા આચારવાળા (સાધુઓ); વાઘવf=બાહ્ય વર્ગને; ત્યવત્વા=છોડીને; ધર્મસંન્યાસવાન્=ધર્મસંન્યાસવાળો; ભવેત્ થાય. અનુવાદ–‘સમતા એ જ એક મારી વહાલી પત્ની છે; સમાન આચારવાળા (સાધુઓ) મારા જ્ઞાતિબંધુઓ છે.’-આ પ્રમાણે બાહ્યવર્ગને છોડીને ધર્મસંન્યાસવાળો થાય. (૩) વિશેષાર્થ : કુટુંબપરિવારવાળો ગૃહસ્થ જ્યારે ગુરુ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે પોતાની પ્રિય પત્નીનો ત્યાગ કરે છે. સાથે સાથે માતાપિતા, બંધુ ભગિની, સગાંસંબંધી, જ્ઞાતિજનો ઇત્યાદિ બધાંનો પણ ત્યાગ કરે છે. જો વ્યક્તિએ સાચી નિષ્ઠા અને સમજણથી દીક્ષા લીધી હોય તો બાહ્ય પરિવારને છોડવા છતાં તે કશું ગુમાવતો નથી, કારણ કે રૂપકશૈલીએ એને એવો જ અંતરંગ સાચો પિરવાર મળી રહે છે. હવે સમતા એની કાન્તા હોય છે. અર્થાત્ એની વહાલી સ્ત્રી હોય છે. સમાન આચારવાળા સાધુઓ તે બંધુઓ તથા સ્વજનપરિવારના સભ્યો હોય છે. હવે બાહ્ય સંબંધોનો ત્યાગ થયો અને આત્યંત૨ સંબંધો ચાલુ થયા. બાહ્ય સંબંધો થવાનું અને એમાં અનુરાગ ધરાવવાનું કારણ તે મોહનીય કર્મનો ઉદય છે. ગૃહસ્થ જ્યારે ઘરનો ત્યાગ કરી પંચ મહાવ્રત ધારણ કરી મુનિ બને છે ત્યારે તે ગૃહસ્થ ધર્મનો ત્યાગી થાય છે એટલે કે ધર્મસંન્યાસવાળો થાય છે. હવે એણે ઔયિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયોપશમિક ભાવો ધારણ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક કરવા જોઈએ. સંસારમાં પરિભ્રમણ કરાવનાર વિભાવ દશાનો ત્યાગ કરીને એટલે કે પદ્રવ્ય અને પરભાવ છોડીને એણે દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપી રત્નત્રયીના આરાધક બનવું જોઈએ. ગ્રંથકારશ્રીએ આ શ્લોકની પોતે લખેલી ટીકામાં ઔદિયક અને ક્ષાયોપશમિક ભાવની વિચારણા કરી છે. આત્માના પાંચ ભાવ બતાવવામાં આવે છેઃ (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષયોપશમિક, (૪) ક્ષાયિક અને (૫) પારિણામિક. એમાં કર્મોના ઉદયથી થયેલી આત્માની દશા તે ઔયિક ભાવ. ક્ષાયોપશમિક ભાવમાં ઉદયમાં નહિ આવેલાં કર્મોનો ઉપશમ થાય છે અને ઉદયમાં આવવા યોગ્ય કર્મોનાં અંશોનો ક્ષય થાય છે. સાધકે આગળ ઉપર આ ક્ષાયોપશમિક ભાવનો પણ ત્યાગ કરવાનો હોય છે. ૧૧૫ પૂર્વાચાર્યોએ ત્રણ પ્રકારના યોગ કહ્યા છે ઃ (૧) ઇચ્છાયોગ એટલે ધર્મ આરાધવાની ઇચ્છા, (૨) શાસ્ત્રયોગ એટલે કે શાસ્ત્રાનુસાર ધર્મવ્યાપાર અને (૩) સામર્થ્યયોગ એટલે કે ધર્મવ્યાપારમાં સામર્થ્ય. સામર્થ્યયોગના પણ બે ભેદ છેઃ (૧) ધર્મસંન્યાસ અને (૨) યોગસંન્યાસ. એમાં ધર્મસંન્યાસ પણ તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે પ્રકારનો કહ્યો છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ એટલે પ્રાપ્ત થયેલા સંબંધોનો ત્યાગ કરીને ધર્મના માર્ગે વળવું. ક્ષાયોપશમિક ગુણોનો ત્યાગ તે તાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. યોગસંન્યાસ એટલે શૈલેશી અવસ્થામાં યોગનો નિરોધ. અહીં ગૃહસ્થને ગૃહત્યાગ કરી, કૌટુબિંક સંબંધો છોડીને દીક્ષા લઈ સર્વવિરતિધર મુનિ બનવાની ભલામણ ક૨વામાં આવી છે. [૬૦] ધર્માસ્યાખ્યા: સુસંગોત્ત્વા: ક્ષાયોપમિા અત્તિ । प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।। ८ ।। ४॥ [શબ્દાર્થ: ધર્માં:=ધર્મો; ત્યાન્યા:=ત્યજવા યોગ્ય; સુસંસ્થા:=સુસંગથી For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર (સત્સંગથી) ઉત્પન્ન થયેલા; લાવોપરામિષા:=Rયોપશમથી પ્રાપ્ત થયેલા; મ=પણ; પ્રાપ્ય=પ્રાપ્ત કરીને; વન્દ્રનાWામ=ચંદનના ગંધ સમાન; ધર્મસંચા=ધર્મ સંન્યાસને; ૩ત્તમ=શ્રેષ્ઠ.. અનુવાદ-ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસ પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યાજવા યોગ્ય છે. (૪) વિશેષાર્થ: પૂર્વના શ્લોકમાં અતાત્ત્વિક ધર્મસંન્યાસ વિશે કહેવામાં આવ્યું. આ શ્લોકમાં તાત્ત્વિક ધર્મસંન્યાસનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવવામાં આવ્યું છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ક્ષાયોપથમિક ધર્મો નૈમિત્તિક કે આંશિક હોવાથી ત્યાજ્ય બને છે અને ક્ષાયિક ધર્મો પ્રગટ થાય છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણીમાં હોય છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છેઃ द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । [બીજા અપૂર્વકરણે પ્રથમ તાત્ત્વિક ધર્મસંન્યાસ થાય છે.] ધર્મસંન્યાસમાં બીજો તાત્ત્વિક ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણે થાય છે. ગુણસ્થાનકમાં અપૂર્વકરણ બે વાર થાય છે. પ્રથમ અપૂર્વકરણ તે સમ્યકત્વની પ્રાપ્તિનું છે. તે ચોથા ગુણસ્થાનકે થાય છે. બીજું અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે થાય છે. ઉત્તમ તાત્વિક ધર્મસંન્યાસને બાવનાચંદનની સુગંધની સાથે સરખાવવામાં આવે છે. સુગંધી તેલ, સુગંધી સાબુ, સુગંધી શરબતો કે અન્ય સુગંધી પદાર્થોમાં તે તે પ્રકારની સુગંધ ભેળવવામાં આવે છે. એમાં કોઈક મેળવવાનું કાર્ય કરનારની અપેક્ષા રહે છે. આમ, નિમિત્ત મળે તો જ એ પદાર્થ સુગંધી થાય. પરંતુ બાવના ચંદનમાં સુગંધ અન્તર્ગત રહેલી છે. એ એનો સ્વભાવ છે, એનો સહજ ગુણધર્મ છે. એ સુગંધ કુદરતી રીતે રહેલી છે. કોઈએ એમાં ભેળવી નથી. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧ ૧૭. આવો જ ફરક તાત્ત્વિક ધર્મસંન્યાસ અને અતાત્ત્વિક ધર્મસંન્યાસ વચ્ચે છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના, અર્થાત્ રત્નત્રયીના અભેદરૂપ પરિણામસ્વરૂપ છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ લાયોપથમિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદરૂપ પરિણામસ્વરૂપ છે. તાત્વિક ધર્મસંન્યાસ અને અતાત્ત્વિક ધર્મસંન્યાસ વચ્ચેનો ભેદ બહુ સૂક્ષ્મ છે. એને યથાર્થ રીતે જો ન સમજવામાં આવે તો ગેરસમજ કે ભ્રમ થવાનો સંભવ રહે છે. દેવ અને ગુરુની ભક્તિ, સત્સંગ, પ્રવચનો ઇત્યાદિમાં “પર'નું આલંબન લેવાય છે. તીર્થકર ભગવાનના ગુણોનું અવલંબન એ પણ પરનું અવલંબન છે. એમાં અન્ય નિમિત્તનું અવલંબન લેવાય છે. લાયોપથમિક ભૂમિકાએ એ જરૂરી પણ છે, પણ એ અતાત્ત્વિક છે. એમાં સ્વસ્વરૂપમાં તન્મયતા નથી. એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનો અભેદ નથી. તાત્ત્વિક ધર્મસંન્યાસ ચંદનની સુગંધ જેવો અંતર્ગત છે. એમાં અવલંબનની જરૂર નથી. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીનો અભેદ છે. એમાં ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે એકરૂપ છે. એમાં આત્મસ્વરૂપમાં સહજ તન્મયતા છે. એટલા માટે ક્ષાયિકરૂપ તાત્ત્વિક ધર્મસંન્યાસ પર સાધકે જવું હોય તો ક્ષાયોપથમિકરૂપ અતાત્ત્વિક ધર્મસંન્યાસનો ત્યાગ કરવો જરૂરી છે, પરંતુ આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે, નહિ તો ખોટો અર્થ થશે, ગેરસમજ અને ઉતાવળ થશે. સામાન્ય સાધકો માટેની આ વાત નથી. કોઈને એમ કહેવામાં આવે કે જિનપૂજા, તીર્થંકર પરમાત્માની સ્તુતિ-ભક્તિ વગેરે છોડી દેવાં જોઈએ. વ્યાખ્યાન, સત્સંગ ઇત્યાદિનો પણ ત્યાગ કરવો જોઈએ તો માણસને તરત ગળે ન ઊતરે એવી વાત છે. પરંતુ અહીં આઠમા ગુણસ્થાનકની આ વાત છે. સમકિતી ગૃહસ્થો તો ચોથા-પાંચમા ગુણસ્થાનકે છે. સાધુ ભગવંતો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે રહે છે. ક્ષાયિક ભાવ, તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમે ગુણસ્થાનકે હોય છે. ત્યાં આત્મસ્વરૂપમાં એવી લીનતા હોય છે કે જિનસ્તુતિ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮ જ્ઞાનસાર ઇત્યાદિ પરાવલંબી નિમિત્તો સ્વયમેવ છૂટી જાય છે, છોડવાં પડતાં નથી. [૬૧] ગુરુત્વે સ્વસ્થ નીતિ શિક્ષા સત્યેન ચાવતા आत्मतत्त्वप्रकाशेन तावत् सेव्यो गुरूत्तमः ।। ८ ।। ५ ।। [શબ્દાર્થ ગુરુત્વ=ગુરુપણું; સ્વસ્થ=પોતાનું, નોવેતિ નતિ =ન ઉદય થાય, ન પ્રગટ થાય; શિક્ષાસભ્યને શિક્ષાના સમ્યક્ પરિણામથી વાવતા=જ્યાં સુધી; માત્મતત્વમાશેન=આત્મતત્ત્વના પ્રકાશથી, આત્મસ્વરૂપના બોધ વડે; તાવ=ત્યાં સુધી; સેવ્યો=સેવ્ય =સેવવા યોગ્ય છે; ગુરૂત્તમ:=ઉત્તમ ગુરુ.] અનુવાદ-જ્યાં સુધી શિક્ષાના સમ્યક્ પરિણામથી આત્મસ્વરૂપના બોધ વડે પોતાના આત્મામાં ગુરુપણું ઉદયન પામે ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા જોઈએ. (૫) વિશેષાર્થ : જેઓ મોક્ષમાર્ગના અભિલાષી છે અને સર્વવિરતિમય ચારિત્ર ગ્રહણ કરવા ઇચ્છે છે તેઓએ યોગ્ય પાપભીરુ ગીતાર્થ ગુરુભગવંત પાસે દીક્ષા લઈ ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. તેઓએ શાસ્ત્રજ્ઞાતા, ગુણસંપન્ન ગુરુ ભગવંત પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેવી જોઈએ. જ્ઞાની ગુરુભગવંત પાસે અહિંસાદિ પંચ મહાવ્રતો, ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ, આઠ પ્રકારનાં કર્મ, જીવનિકાય ઇત્યાદિનાં સ્વરૂપનું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું તે ગ્રહણ શિક્ષા. જેમ જેમ ગ્રહણશિક્ષા પ્રાપ્ત થતી જાય તેમ તેમ શુદ્ધ ભાવથી તેનું પરિપાલન કરવું, સેવન કરવું તે આસેવન શિક્ષા છે. શિષ્યમાં ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એ બંને સમ્યકપણે પરિણમવી જોઈએ. એમ થાય ત્યારે સંશય, વિપર્યાસાદિ દોષો નિર્મળ થાય છે. પરિણામે આત્મદર્શન થાય છે, આત્મસ્વરૂપનો અનુભવ થાય છે, આત્મપ્રકાશ ઉદય પામે છે. આવી ઉત્કૃષ્ટ આંતરપરિણતિ થાય છે ત્યારે પોતાનામાં જ ગુરુપણાનો ઉદય થાય છે. એવું ગુરુપણું જ્યાં સુધી પોતાનામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન, દર્શન For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧ ૧૯ અને ચારિત્રરૂપી રત્નત્રયીની પરિણતિવાળા, તત્ત્વના ઉપદેશક, દ્રવ્ય અને ભાવથી સર્વવિરતિધર, એવા જ્ઞાની ગુરુ ભગવંતની સેવા કરવી જોઈએ અને એમને સાક્ષાત્ કે મનોમન કહેવું કે તમારા ઉપદેશ અને માર્ગદર્શન દ્વારા મેં આત્માના અનુભવનો આનંદ અનુભવ્યો છે. તમારી કૃપાથી જ્યાં સુધી મને પરમાનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમારા ચરણનું શરણ હોજો! - એટલા માટે ગુરુકુલવાસની આવશ્યકતા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ‘વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છેઃ नाणस्स होइ भागी थिरयरो दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुञ्चति ।। [પોતે જ્ઞાનના ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે, એટલા માટે ધન્ય માણસો જીવન પર્યન્ત ગુરુકુલવાસનો ત્યાગ કરતા નથી.] આટલું અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ કે સમર્થ ગુરુ ભગવંતની વિનયપૂર્વક ઉપાસનાથી જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આત્મસાત્ થાય છે. [૨] જ્ઞાનાવી રવિયોડપીણ: શુદ્ધસ્વસ્થપાઇ ! निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न च क्रिया ।। ८ ।। ६ ।। [શબ્દાર્થ જ્ઞાનાવાર યા=જ્ઞાનાચાર વગેરે આચારો; મ=પણ; :=ઇષ્ટ છે; શુદ્ધસ્વસ્વપલાવધિ=શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી નિવિન્ધ=વિકલ્પ રહિત; ચિન્તારહિત,પુન:=પણ; ત્યારે ત્યાગની અવસ્થામાં; ન વિ7:=વિકલ્પ નથી; ન=નથી; =અને; (પાઠાંતર વા=અથવા;) ક્રિયા=ક્રિયા.] અનુવાદ-જ્ઞાનાચાર વગેરે આચારો શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઇષ્ટ છે, પણ નિર્વિકલ્પ (વિકલ્પરહિત) ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. (૬) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વિશેષાર્થઃ જ્ઞાનાચાર, દર્શનાચા૨, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચાર અર્થાત્ પંચાચારના પાલનનું મહત્ત્વ સાધુજીવનમાં ઘણું છે. આ પંચાચાર એટલે પાંચ પ્રકારની ક્રિયા. હવે પ્રશ્ન એ થાય કે આ પાંચ પ્રકારની ક્રિયા ક્યાં સુધી ક૨વાની ? તો એનો ઉત્તર અહીં આપવામાં આવ્યો છે કે પ્રત્યેક આચારનું પાલન પોતપોતાના શુદ્ધ પદની અંતિમ કોટિ સુધી કરવાનું છે. એટલે કે આદર્શ સ્વરૂપના મુનિએ જ્ઞાનાચારને એના પાલન વખતે એમ કહેવું જોઈએ કે ‘હે જ્ઞાનાચાર ! જ્યાં સુધી કેવળજ્ઞાન અપાવવાનો તારો અનુગ્રહ મારા ૫૨ ન થાય ત્યાં સુધી હું તારી અખંડ સેવા નિર્મળ ભાવે, નિષ્ઠાથી કરતો રહીશ.’ જ્ઞાનાચારનું શુદ્ધ પદ તે કેવળજ્ઞાન છે. એવી રીતે દર્શનાચારનું સેવન જ્યાં સુધી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવાનું છે. એ જ પ્રમાણે સ્વરૂપરમણતારૂપી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચારિત્રાચારનું પાલન કરવાનું છે. તપાચારનું પાલન એના શુદ્ધ પદની પ્રાપ્તિ સુધી કરવાનું છે અને વીર્યાચા૨નું પાલન સંપૂર્ણ અનંત વિશુદ્ધ આત્મવીર્ય પ્રગટ થતાં સુધી ક૨વાનું છે. જ્ઞાનસાર આ ક્રિયા દૃઢ મનોબળથી ક૨વાની છે. સંકલ્પ વગરની ક્રિયા યથેચ્છ ફળ આપે નહિ. આ શુભોપયોગની દશા છે. જ્યાં સુધી આચારનું પાલન કરવાનું હોય ત્યાં સુધી વિધિનિષેધો હોય. અમુક ક૨વાનું અને અમુક નહિ. આવા સંકલ્પવિકલ્પો શુભોપયોગની દશામાં રહેવાના. એટલે જ્યાં સુધી પ્રત્યેક પદની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સવિકલ્પ દશા રહે છે. જ્યારે સિદ્ધિ થાય, અને આ ગ્રહણ કરવા યોગ્ય છે અને આ ત્યાગ કરવા યોગ્ય છે એવા વિકલ્પો રહે નહિ તથા હવે કશું કરવાનું રહે નહિ ત્યારે સંકલ્પ-વિકલ્પ ન રહેતાં એ નિર્વિકલ્પ દશા છે. આ વિકલ્પરહિત ત્યાગ દશા છે એમાં સ્વ-સ્વરૂપની તન્મયતા એવી હોય છે કે ત્યારે વીર્યની પ્રવૃત્તિરૂપ ક્રિયા પણ હોતી નથી. એક પ્રદેશમાં જવારૂપ વીર્યની ચલનાદિરૂપ કે પરિસ્પંદનારૂપ, ગ્રહણ ક્રિયા હોતી નથી. એટલે પંચાચારના પ્રત્યેકના શુદ્ધપદની પ્રાપ્તિ પછી વિકલ્પો પણ હોતા નથી For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧ ૨ ૧ અને ક્રિયા પણ હોતી નથી. [૩] યોગાસંચાલતસ્યાથી યોનિપ્પરિવનસ્યનેત્ | इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते ।। ८ ।। ७ ।। [શબ્દાર્થ યોરાસંન્યાસ: યોગનો સંન્યાસ કરવાથી, રોધ કરવાથી ત્યા ત્યાગી થયેલો; યોગા=યોગોનો; આપ પણ; અવિના=બધા; ત્યતત્રત્યાગ કરે તિ=એમ; પવષ્ણએ રીતે; નિબં=નિર્ગુણ, ગુણરહિત; બ્રહ્મ=આત્મસ્વરૂપ; રોહતં બીજાએ કહેલ; ૩૫૫તે ઘટે છે.] અનુવાદ–યોગનો સંન્યાસ કરવાથી ત્યાગી થયેલો બધા યોગોનો પણ ત્યાગ, કરે. આમ એ રીતે બીજાએ (અન્ય દર્શનોએ) કહેલ “નિર્ગુણ બ્રહ્ય' પણ ઘટે છે. (૭) વિશેષાર્થ: સામર્થ્યયોગના બે ભેદ બતાવવામાં આવ્યાઃ (૧) ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. ધર્મસંન્યાસ કર્યા પછી જ્ઞાની મહાત્મા યોગસંન્યાસ કરે છે. સંન્યાસ એટલે ત્યાગ. મન, વચન અને કાયાના અયોગ રૂપ આ યોગસંન્યાસ ચૌદમા ગુણસ્થાનકે હોય છે. યોગનિરોધની ક્રિયા તેરમાં ગુણસ્થાનકના અંતે થાય છે. જીવ ઉત્તરોત્તર કેવો ત્યાગ કરતો આવે છે તેનો ક્રમ આ અષ્ટકમાં બતાવવામાં આવ્યો છે. સર્વવિરતિધર સાધુ થયા પછી આત્મા ઔદયિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવે છે, પછી ક્ષાયોપથમિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયિક ભાવમાં આવે છે. પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમા ગુણસ્થાનકે રહે છે. હવે ચૌદમા ગુણસ્થાનકે તે સર્વ યોગોનો ત્યાગ કરે છે. તે અયોગી કેવલી બને છે. આ બીજો યોગસંન્યાસ છે. પરંતુ આ બીજો યોગસંન્યાસ કરતાં પહેલાં જીવ આયોજયકરણ (આવર્જીકરણ) કરે છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ જ્ઞાનસાર શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોક ઉપરની પોતાની ટીકામાં આયોજ્યકરણનો નિર્દેશ શાસ્ત્રનો આધાર ટાંકીને કર્યો છે. आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः । એટલે કે આયોજ્યકરણ કર્યા બાદ બીજો યોગસંન્યાસ હોય છે. કેવળજ્ઞાન વડે અચિજ્ય વીર્ય શક્તિથી ભવોપગ્રાહી (અઘાતી) કર્મને તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા તે આયોજયકરણ. તેનું ફળ શેલેશી યોગીની અત્યંત સ્થિરતા છે. ત્યારબાદ બીજો યોગસંન્યાસ નામે સામર્થ્યયોગ છે. કેવળજ્ઞાની મહાત્મા પોતાનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ અઘાતી કર્મ જો આયુષ્ય કર્મ કરતાં અધિક હોય તો તે સરખાં કરવા માટે સમુઘાત કરે છે. પરંતુ સમુદુઘાત કરતાં પહેલાં તેઓ આવર્જીકરણ કરે છે. આવર્જીકરણ એટલે આત્માને મોક્ષ પ્રતિ સન્મુખ કરવાની ક્રિયા. તે મન, વચન અને કાયાના શુભ વ્યાપારરૂપ છે. સમુઘાતની ક્રિયા બધા જ કેવળજ્ઞાની કરે એવું નથી. જેમની ચારે અઘાતી કર્મની સ્થિતિ સરખી હોય તે કેવળજ્ઞાની કરે નહિ. આમ કોઈ કેવળજ્ઞાની સમુદ્યાતની ક્રિયા કરે અને કોઈ ન કરે. પણ શુભ યોગની પ્રવૃત્તિ રૂપ આવર્જીકરણ તો બધા કેવળજ્ઞાની અવશ્ય કરે. જેઓને સમુઘાત કરવાનો હોતો નથી તેઓ આવર્જીકરણ ક્ય પછી સમગ્ર યોગોનો ત્યાગ કરે છે. એટલે કે અયોગી કેવલી બને છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે આ છેલ્લો યોગસંન્યાસ એટલે કે કેવલી ભગવંતની અયોગ અવસ્થા. તે અન્ય દર્શનના નિર્ગુણ બ્રહ્મ સાથે ઘટાવી શકાય. અન્ય દર્શન પ્રમાણે આત્મા સત્ત્વ, રજસ્, અને તમસુ એ ત્રણે ગુણોથી પર થાય છે એટલે કે ત્રિગુણાતીત થાય છે ત્યારે તે અવસ્થાને નિર્ગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. અહીં નિર્ગુણ શબ્દ સ્પષ્ટતાથી સમજવો જરૂરી છે. નિર્ગુણ એટલે ગુણરહિત એવો સાદો અર્થ લઈએ તો તે અહીં નહિં ઘટે. આત્માને જ્ઞાનાદિ ગુણો વગરનો માની નહિ શકાય, કારણ કે ગુણના અભાવે ગુણીનો પણ અભાવ થાય. ગુણોમાં પાધિક ધર્મો અને સ્વભાવગુણો એવા બે ભેદ કરવામાં આવે છે. અહીં નિર્ગુણ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્યાગાષ્ટક ૧ ૨ ૩ એટલે પાધિક ધર્મોના અભાવની દશા. જ્ઞાનાદિ સ્વભાવગુણો તો અહીં રહે જ છે. એટલે નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ વિશિષ્ટ સંદર્ભમાં સમજવું જોઈએ. [૬૪] વસ્તુતતુ મુળ: પૂમનન્સેસ સ્વત: | रूपं त्यक्तात्मन: साधोर्निरभ्रस्य विधोरिव ।। ८ ।। ८ ।। [શબ્દાર્થઃ વસ્તુત:=વસ્તુતઃ, પરમાર્થથી; તુ તો; ગુૌ =ગુણો વડે; પૂર્ણ=પૂર્ણમ: પૂર્ણ; અનન્ત =અનન્ત; મારતે=ભાસે છે; સ્વત:=વય, પોતાની મેળે; =સ્વરૂપ; ત્યક્તાત્મન: ત્યાગી છે આત્મા જેનો એવા; સાધો:=સાધુનું; નિરભ્ર વાદળાં રહિત, વિથો:=ચંદ્રની; રૂવ=જેમ.] અનુવાદ-પરમાર્થથી તો વાદળાંઓથી રહિત ચંદ્રની જેમ ત્યાગવંત આત્મા છે જેનો એવા સાધુનું સ્વરૂપ અનંત ગુણો વડે પૂર્ણ સ્વયં પ્રકાશે છે. વિશેષાર્થ : પોતાના સ્વભાવથી આત્મા અનંત ગુણો વડે પરિપૂર્ણ છે. અનાદિ કાળથી જીવ પરપદાર્થનો સંગ કરતો આવ્યો છે એટલે એ બધા ગુણો કર્મરૂપી આવરણથી ઢંકાયેલા રહ્યા છે. પરંતુ સાધુ જ્યારે આ બધા પરપદાર્થનો સંગ છોડી દે છે, વૈભાવિક ભાવોનો પણ ત્યાગ કરે છે અને સ્વરૂપની એકતામાં તન્મય બને છે ત્યારે કર્મરૂપી આવરણ સદંતર નીકળી જતાં આત્મા વાદળરહિત પૂર્ણિમાના નિર્મળ ચંદ્રની જેમ પ્રકાશવા લાગે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઇત્યાદિ અનંત ગુણો પ્રકાશમાન થાય છે. સાધુને માટે અહીં ત્યક્ત આત્મનઃ' એવું વિશેષણ પ્રયોજાયું છે. એટલે કે જેનો આત્મા ત્યાગવંત છે એવા સાધુ. પ્રથમ શ્લોકથી તે સાતમા શ્લોક સુધી મુનિ ભગવંતે આધ્યાત્મિક સિદ્ધિ માટે ઉત્તરોત્તર શાનો ત્યાગ કરવાનો છે તેનો ક્રમ બતાવ્યો છે. એ રીતે સાધુનો આત્મા ત્યાગવાન છે. છેવટે ચૌદમા ગુણસ્થાનકે યોગોનો પણ ત્યાગ થતાં નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ, સચ્ચિદાનંદ-સ્વરૂપ આત્મા પ્રકારો છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ જ્ઞાનસાર ૯. ક્રિયાષ્ટક [૬૫] જ્ઞાની ક્રિયાપર: શાસ્તો ભાવિતાત્મા નિતેન્દ્રિય ! સ્વયં તી વીમોથે: પપાંતારથિતું ક્ષમઃ || ૧ ૨ [શબ્દાર્થ જ્ઞાની=સમ્યગુજ્ઞાનવાળા; ક્રિયાપ૨:=ક્રિયામાં તત્પર; શાન :=શાન્ત, ઉપશમયુક્ત, ભાવિતાત્મા=ભાવિત છે આત્મા જેનો; ભાવનાઓથી ભાવિત; નિસેન્દ્રિય =ઇન્દ્રિયોને જીતનાર; સ્વયં પોતે; તીર્થ =તરેલા છે; મવાસ્મોપે=ભવરૂપી સમુદ્રથી, સંસારસાગરથી; પરી=બીજાને; તારયિામ–તારવાને; ક્ષમ:=સમર્થ છે.] અનુવાદ-જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાન્ત, ભાવનાઓથી ભાવિત અને જિતેન્દ્રિય આત્મા પોતે સંસારસમુદ્રથી તરેલા છે અને બીજાઓને તારવા સમર્થ છે. (૧) વિશેષાર્થ : તરતાં તરતાં નદી પાર કરવાની શક્તિ અને આવડત બધામાં હોતી નથી. કેટલાક ડૂબે અને સાથે લઈને જનારાને પણ ડૂબાડે. કેટલાક હોંશિયાર માણસો પોતે તરીને સામે પાર ઊતરે, પણ પોતાની પીઠ પર બેસાડીને બીજાને લઈ જઈ શકે નહિ. કેટલાક કુશળ, હિંમતવાન તરવૈયા (તારા) પોતે તરે અને બીજાને પણ પાર ઉતારે. કેટલાક નદીમાં સામે પૂરે તરી શકે અને કેટલાક ભીષણ, ઘૂઘવતા સમુદ્રમાં પણ કરી શકે અને બીજાને તારી શકે. બધા માણસોની શક્તિ એકસરખી હોતી નથી. સંસારરૂપી સાગર તો એથી પણ વધુ ભયંકર છે. તે દેખાય છે સોહામણો, પણ એમાં વમળો ઘણાં છે. ભલભલાને તે ડૂબાડી દે એવાં છે. જેના વમળના સ્વરૂપના જાણકાર છે, તરવાની કલાના અભ્યાસી છે અને શક્તિશાળી છે તેવા મહાત્માઓ પોતે સંસારમાંથી કરે છે અને બીજાને પણ તારે છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૨૫ કોઈ માણસ “તરવાની કલા' નામના પુસ્તકનો બરાબર અભ્યાસ કરી, એના બધાં નિયમો મોઢે કરી લઈ સીધો ઊંડા પાણીમાં કૂદકો મારે તો એ ડૂબી જાય, કારણ કે એ જ્ઞાની છે, પણ ક્રિયાવાન નથી. તરવા માટે જ્ઞાન હોવું જેમ જરૂરી છે તેમ ક્રિયાવાન હોવું-તરવાના મહાવરાવાળા હોવું પણ જરૂરી છે. સંસારરૂપી સાગરમાં પોતે તરનાર અને બીજાને પણ તારનાર વ્યક્તિમાં જે પાંચ મહત્ત્વના ગુણો હોવા જોઈએ તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, ભાવનાથી ભાવિત અને જિતેન્દ્રિય હોવી જોઈએ. અહીં જ્ઞાન, ક્રિયા, ઉપશમ, ભાવના અને ઇન્દ્રિયજય આ પાંચે સંસારસાગર તરવા માટેના આવશ્યક ગુણલક્ષણો કે ઉપાયો છે. આ ગુણલક્ષણો ક્રમિક છે. શ્રી દેવચંદ્રજી મહારાજે ટીકામાં લખ્યું છેઃ “સ્વરૂપને અનુકૂલ દર્શન અને જ્ઞાનશક્તિના બોધરૂપ વ્યાપાર તે જ્ઞાન, અને સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ તે ક્રિયા. કહ્યું છે. જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: I જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તેમાં જ્ઞાન એ સ્વપપ્રકાશરૂપ છે અને ક્રિયા સ્વરૂપમાં રમણ કરવારૂપ છે. તેમાં ચારિત્ર અને વીર્યગુણની અભેદ પરિણતિ રૂપ જે ક્રિયા તે મોક્ષસાધક ક્રિયા છે. જ્ઞાની અને ક્રિયાવાન વ્યક્તિ પણ ઉપશાન્ત હોવી જોઇએ. તેના ક્રોધાદિ કષાયો અત્યંત મંદ થઈ ગયા હોવા જોઈએ. વળી તે ભાવનાશીલ અને જિતેન્દ્રિય પણ હોય તો જ તેનામાં બીજાને તારવાનું સામર્થ્ય પ્રગટે છે. [૬૬] ક્રિયાવિહિત ના જ્ઞાનમાત્રમર્થકમ્ તિ વિના પથોડપિ નાખોતિ પુરમણિતમ્ II ૨ ll ૨ | [શબ્દાર્થઃ ક્રિયાવિરણિતંત્રક્રિયા વિનાનું; હૉ=(અવ્યય) અરે, ખરેખર; જ્ઞાનમાä=એકલું જ્ઞાન; અનર્થ=નિરર્થક; પતિ વિના ચાલવાની ક્રિયા વિના; પથર્ગો:=માર્ગનો જાણનાર; પિકપણ; નાખોતિ=+મોતિ પ્રાપ્ત કરતો નથી; For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૬ જ્ઞાનસાર પુર=નગરે; ક્ષિd=ઇચ્છિત.]. અનુવાદ-ક્રિયા વિનાનું એકલું જ્ઞાન, ખરેખર, નિરર્થક છે. ચાલવાની ક્રિયા | વિના, માર્ગનો જાણકાર પણ ઇચ્છિત નગરમાં પહોંચી શકતો નથી. (૨) વિશેષાર્થ : ક્રિયાનું મહત્ત્વ સમજાવવા માટે અહીં સરસ દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. માણસ પથજ્ઞ હોય એટલે કે તે રસ્તાનો જાણકાર હોય. રસ્તાની જાણકારી હોવી બહુ જરૂરી છે. કોઈ પણ માર્ગમાં થોડે થોડે અંતરે બેત્રણ ફાંટા આવે, ચોકડી કે તેથી વધુ રસ્તા ફંટાય તે વખતે કઈ દિશામાં જવું તેની ખબર ન હોય અને બતાવનાર કોઈ નિશાની કે વ્યક્તિ ન હોય તો માણસ કદાચ ભૂલો પડી જાય. કેટલાયે માણસો રસ્તાના જાણકાર, દિશા અને અંતરના જાણકાર અને અનુભવી હોય છે. તેઓ ભૂલા પડતા નથી. પરંતુ જે નગરમાં પહોંચવું છે તે માટે જો તેઓ ડગલાં જ ન માંડે કે વાહન ન હાંકે તો પહોંચી કેવી રીતે શકે ? બીજી બાજુ માણસ ચાલવા જ માંડે પણ રસ્તાની જાણકારી ન ધરાવતો હોય તો ભટક્યા જ કરે પણ લક્ષ્ય સ્થાને પહોંચી ન શકે. માટે જરૂર છે માર્ગની જાણકારીની અને એ તરફ ગતિ કરવાની. આવી રીતે સાધક મોક્ષમાર્ગનો જાણકાર હોય પણ તે માટે જો તે ક્રિયા ન કરનાર, અર્થાત્ પુરુષાર્થ ન આદરનાર હોય તો તે ફળ પ્રાપ્ત કરી શકતો નથી. માટે જ્ઞાનની સાથે ક્રિયાની આવશ્યકતા સ્વીકારાઈ છે. કેટલાક કદાચ પ્રશ્ન કરે કે કોઈક વાર કોઈ સાધક મહાત્માને કશું જ ન કરતા આપણે જોઈએ છીએ. તો તેઓ ક્રિયા કરે છે એમ કેવી રીતે કહી શકાય ? એનો ઉત્તર એ છે કે ક્રિયા બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારની છે. જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગ છે ત્યાં સુધી ક્રિયા છે. એટલે એવા કેટલાક મહાત્માઓ બાહ્ય દૃષ્ટિએ કશું ન કરતા હોવા છતાં એમનો અંતરંગ પુરુષાર્થ ચાલતો હોય છે. પરંતુ એવા કોઈ મહાત્માનું ઉદાહરણ લઈને કોઈ સાધક આરંભકાળમાં જ બાહ્ય ક્રિયાઓ છોડી દે તો તે ફળ મેળવી નહિ શકે. વસ્તુતઃ બાહ્ય ક્રિયાઓ પણ ઉપયોગી છે અને તે અંતરંગ ક્રિયા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૨ માટે પોષક છે. ગૃહસ્થ જીવનમાં વ્યવસાયમાં વ્યસ્ત એવી કેટલીક વ્યક્તિઓ વાત કરતી હોય છે કે “અમે તો ધ્યાન ધરીએ છીએ અને આત્મસ્વરૂપમાં રમણતા કરીએ છીએ. અમારે સામાયિક, પ્રતિક્રમણ, જિનદર્શન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ વગેરે કરવાની કંઈ જ જરૂર નથી.” તો આવી વ્યક્તિઓ ભ્રમણામાં રહે છે. બાહ્ય ક્રિયાઓ પ્રત્યેની તેમની અરુચિ, તેમના પ્રમાદ, અજ્ઞાન, વગેરેમાંથી આવે છે. બાહ્ય ક્રિયાઓ પ્રત્યેનો અભાવ, અણગમો, અનાદર ઇત્યાદિ જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન સાથે ક્રિયા આવશ્યક અને ઉપયોગી છે. [६७] स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते । પ્રદીપ પ્રાગોડપ તૈનપૂર્ચાવિયથા . ૧ / રૂ II [શબ્દાર્થ સ્વાનુકૂત=સ્વભાવને અનુકૂળ; યિાંત્રક્રિયાની આવશ્યકાદિ ક્રિયાની); શાત્રેઃકાળે, અવસરે; જ્ઞાનપૂર્ણ =જ્ઞાન વડે પરિપૂર્ણ; પૂર્ણ જ્ઞાની; પિ=પણ; ક્ષો=અપેક્ષા રાખે છે; પ્રવીપ:=દીવો; સ્વાગ:=પોતે પ્રકાશરૂપ છે; પ=પણ; તૈનપૂર્ચાવિ=તેલ પૂરવું વગેરેની યથા=જેમ.] અનુવાદ-જેમ દીપક સવપ્રકાશરૂપ છે, તો પણ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. (૩). વિશેષાર્થ : ક્રિયાની આવશ્યકતા ક્યાં સુધી ? આ પ્રશ્નના ઉત્તર રૂપે અહીં કહેવામાં આવ્યું છે કે સાધક જ્ઞાનપૂર્ણ થાય અર્થાત્ પૂર્ણ જ્ઞાની થાય ત્યાં સુધી ક્રિયાની આવશ્યકતા છે. પૂર્ણજ્ઞાની એટલે કેવળજ્ઞાની. પ્રશ્ન એમ થાય કે કેવળજ્ઞાનીને પણ ક્રિયા કરવાની હોય ? એમણે તો સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય છે. એમને તો હવે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપ્રાપ્તિ થવાની જ છે. હા, એ વાત સાચી, પણ કેવળજ્ઞાનીનાં ફક્ત ઘાતિકર્મોનો જ ક્ષય થયો હોય છે. અઘાતી For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મોનો ક્ષય થવાનો બાકી છે. અઘાતી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા જેવી દશા એમણે પ્રગટાવવાની છે. એટલે એમને પણ એ માટે સમુદ્દાત, શૈલેશીકરણ અને યોગનિરોધના પ્રકારની સૂક્ષ્મ ક્રિયા કરવાની હોય છે. અનંત ભવભ્રમણ કરતો જીવ જેમ જેમ ઊંચે આવતો જાય છે. તેમ તેમ આત્મવિકાસના પોતાના તબક્કા અનુસાર અને હવે પછીની દશા પ્રાપ્ત કરવા માટે તેણે તે તે પ્રકારની ક્રિયા કરવાની હોય છે. બધા જીવોએ સર્વકાળે એક જ પ્રકારની એકસરખી ક્રિયા ક૨વાની હોતી નથી, પણ અધ્યાત્મમાર્ગમાં પોતપોતાની અવસ્થા અને યોગ્યતા અનુસાર ક્રિયા કરવાની હોય છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તેને અનુરૂપ ક્રિયા ક૨વી જોઈએ. આ ક્રિયા એના ક્રમે થાય તો જ ઇષ્ટ ફળ આપે છે. માટીમાંથી ઘડો બનાવવાની ક્રિયામાં કે રૂમાંથી વસ્ત્ર બનાવવાની ક્રિયામાં એનો પોતાનો ક્રમ રહેલો છે. એવી રીતે સિદ્ધગતિની પ્રાપ્તિ સુધી આત્મિક ગુણોની વૃદ્ધિ માટે પણ ક્રમાનુસાર ક્રિયા કરવાની રહે છે. જીવ જે ગુણવૃદ્ધિ કરે છે એના કેટલાક મહત્ત્વના તબક્કા ભગવાને બતાવ્યા છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. મંદ મિથ્યાત્વની દશામાં એટલે કે અપુનર્બંધક દશામાં જીવ સમ્યગ્દર્શન પ્રત્યે અભિમુખ થાય છે. ત્યાર પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને પછી અનુક્રમે અવિરતિ સમ્યગ્દષ્ટિ; દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, પછી સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ એમ અનુક્રમે તે આગળ વધતો જાય છે. આ બધા કાળમાં તે ક્રિયા તો કરતો જ રહે છે. સાતમા ગુણસ્થાનક પછી ઉપ૨ ચઢતો જીવ ત્યાર પછી ઘાતી કર્મોનો ક્ષય કરી સયોગી કેવળી બને છે. ત્યાર પછી તે સર્વ-સંવ૨ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયા કરે છે. મોક્ષની સાવ નજીક આવેલા કેટલાક કેવળજ્ઞાની મહાત્મા સમુદ્દાતની ક્રિયા કરે છે. ત્યાર પછી કેવળજ્ઞાની મહાત્મા યોગનિરોધની ક્રિયા કરે છે. આમ પ્રથમ ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી જીવની બાહ્ય કે આત્યંતર, સ્થૂલ, સૂક્ષ્મ કે સૂક્ષ્મત ક્રિયા ચાલુ જ હોય છે. અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે દીપકનું. દીપક સ્વપ્રકાશક છે. અંધારામાં અન્ય વસ્તુ જોવા માટે દીપકની જરૂર પડે છે, પરંતુ ઝળહળતા દીપકને જોવા માટે જ્ઞાનસાર For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૨૯ કશાની જરૂર પડે નહિ. આમ છતાં દીપકમાં તેલ પૂરવાની ક્રિયા કરવી પડે છે. એવી રીતે આત્મા સ્વયંપ્રકાશક છે, તેમ છતાં એને સંપૂર્ણપણે પ્રકાશિત થવા માટે એટલે કે સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટે ક્રિયાની જરૂર છે. [૬૮] વીર્થમાવં પુરસ્કૃત્ય થે ક્રિયા વ્યવહારત: | વને વર્તક્ષેપ વિના તે તૃતિવશાંક્ષિપ: 1 3 | [શબ્દાર્થઃ વીહ્યાવં=બાહ્ય ભાવને; પુરસ્કૃત્યે=આગળ કરીને; કે જેઓ; ક્રિયા=ક્રિયાનો; વ્યવહરત:=વ્યવહારથી નિષેધ કરે છે; વ=મોંઢામાં; વેન્નક્ષેv= કોળિયો નાખવો; વિના=વગર; તે તેઓ; તૃપ્તિifક્ષણ: તૃપ્તિને ઇચ્છનારા છે.] અનુવાદ-જેઓ બાહ્ય (ક્રિયાના) ભાવને આગળ કરીને (વ્યવહારથી) ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિયો નાંખ્યા વગર તૃપ્તિને ઇચ્છનારા છે. (૪) વિશેષાર્થ: મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેની સમતુલા બરાબર જળવાવી જોઈએ. કેટલાક નિશ્ચયનયમાં જ માનનારા જ્ઞાનને આગળ કરીને ક્રિયાને ઉતારી પાડે છે. ક્રિયા તો નાનું બાળક પણ કરી શકે એમ કહીને ક્રિયાનો તેઓ અપલાપ કરે છે. કેટલાક કહે છે કે ક્રિયા તો બાહ્ય આચાર માત્ર છે, ખરી જરૂર છે અંદરના ભાવની પરિણતિની. કેટલાક તો વળી એમ બોલતા હોય છે કે “આ જીવે અનંતી વાર ક્રિયા કરી, અરે, મેરુ પર્વત જેટલા ઓઘા લીધા, તો પણ ભવનો પાર આવ્યો નથી. માટે એવી ક્રિયાની જરૂર નથી.” પરંતુ એમ કહેનારાની સમજણ અધૂરી છે. “ક્રિયા તો બાહ્યભાવ છે', “ક્રિયા તો જડ છે', ક્રિયા તો પુદગલની પ્રવૃત્તિ છે અને આત્મા તો ચેતન છે. ભાવ જ મોક્ષનું કારણ છે.” આમ કહીને ક્રિયાનો નિષેધ કરવો તે યોગ્ય નથી. હા, અવસ્થાભેદ કે કક્ષાભેદ અનુસાર ક્રિયાનું સ્વરૂપ બદલાય, પણ સમ્યક્ ક્રિયાનો સદંતર લોપ ન કરી શકાય. સામાયિક, જિનસ્તુતિ, દેવગુરુવંદન, પ્રતિક્રમણ, પૌષધ, પડિલેહણ, કાઉસગ્ગ, તપશ્ચર્યા વગેરે ક્રિયાઓ એ બાહ્ય ભાવ છે, પણ ખરી જરૂરતો અંતરંગ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ જ્ઞાનસાર પરિણતિની છે' એવું કહેનારની સમજણ અધૂરી છે. મુનિઓ માટે પંચાચારના પાલન માટેની ક્રિયાઓ ભાવપૂર્વક જો થાય તો મોક્ષ તરફ લઈ જનારું એક પ્રબળ કારણ છે. ક્રિયા અંતરંગ પરિણતિમાં વૃદ્ધિનું નિમિત્ત બને છે. ગુરુ ભગવંત પ્રત્યે અંતરમાં બહુમાન હોવું અને એમનાં ચરણોમાં મસ્તક ન નમાવવું એના કરતાં મસ્તક નમાવવાથી વિશેષ ભાવ થાય છે. એટલે બાહ્ય ક્રિયા અંતરંગ ભાવને જન્માવે છે. ક્રિયાથી ભાવની નિષ્પત્તિ સહજ બને છે અને ક્રિયા ભાવની વૃદ્ધિનું કારણ પણ બને છે. જગતના વ્યવહારમાં જોવા મળે છે કે કેટલાંક સુંદર પરિણામ પાછળ પૂર્વે કરેલી ક્રિયાઓ કારણભૂત છે. એવી જ રીતે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સરસ ભોજનની તૃપ્તિ અનુભવવી છે, પરંતુ મોંઢામાં કોળિયો નાખવાની ક્રિયા કરવી નથી, તો તેથી કંઈ તૃપ્તિ થશે નહિ. મોંઢામાં કોળિયો નાખીએ તો જ તૃપ્તિ થાય છે. એટલા માટે બાહ્ય ક્રિયાઓને એના યોગ્ય સ્વરૂપમાં સમજવાની આવશ્યકતા છે. આત્મગુણોને પ્રગટાવવા માટે મન, વચન અને કાયાની ક્રિયાઓ ઉપકારક છે. [૬૯] ગુણવદ્યુમનાર્નિત્યસ્મૃત્યા ચ યિા ! વાતં પાતયેદ્ ભાવમજ્ઞાતિ જન િ ૨ | ૯ | [શબ્દાર્થઃ ગુણવત્રગુણીજન; વહુમાનાવે =બહુમાન વગેરેથી; નિત્ય હંમેશાં; મૃત્યા=સ્મરણ કરવા વડે; =અને; સયિા =શુભ ક્રિયા; નાd=ઉત્પન્ન થયેલ; ન=નહિ; પાતયે–પાડે; માવં=ભાવને; મનાતં=નહિ ઉત્પન્ન થયેલા; ઝન—ઉત્પન્ન કરે; પ=પણ.] અનુવાદ-ગુણીજનના બહુમાન વગેરેથી તથા (લીધેલા નિયમોના) નિત્ય સ્મરણાથી, સક્રિયા, ઉત્પન્ન થયેલા ભાવને પાડતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે. (૫) વિશેષાર્થ : સામાન્ય કક્ષાના કે આરંભ દશાના સાધકોથી શુભ ભાવમાં વધુ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક વખત સ્થિર રહી શકાતું નથી. તરત સાંસારિક વિષયો અને વાતો વચ્ચે આવે છે. એકાંતમાં સામાયિકાદિ ક્રિયા એકલા કરતા હોઈએ તો પણ મન ક્યાંનું ક્યાં ભટકે છે. તેમ છતાં જે શુભ ભાવો ત્યારે આપણને પ્રાપ્ત થયા હોય એનું મૂલ્ય આપણને સમજાવું જોઇએ. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે એ ભાવો બહુ ઉપકારક નીવડે છે. એવા ગુણોને અને ભાવોને ટકાવી રાખવા તથા તેમાં વૃદ્ધિ કરવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું છે. એ માટે એમણે પોતાના “જ્ઞાનસાર' ગ્રંથની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીની નીચે પ્રમાણે ગાથાઓ ટાંકી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “શ્રાવકધર્મવિશિકા'માં કહ્યું છેઃ तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगतगुणम्मि । पडिवक्ख-दुगंछाए परिणइ आलोअणेणं च ।। तित्थंकर भत्तीए सुसाहुजणपज्जुवासणाए अ। उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइअव्वं ।। [એટલા માટે (વ્રતનું) નિત્ય સ્મરણ કરનાર, જેઓએ ગુણો પ્રાપ્ત કર્યા હોય તેમના પ્રત્યે બહુમાન, વ્રતના પ્રતિપક્ષીની જુગુપ્સા (ઉપેક્ષા), પરિણામની આલોચના, તીર્થકરની ભક્તિ, સારા સાધુજનોની સેવા તથા ઉત્તર ગુણમાં શ્રદ્ધા-એ બધા માટે હંમેશાં યત્ન કરવો જોઈએ.] એ પ્રમાણે કરનારને જો ભાવ ઉત્પન્ન ન થયો હોય તો થાય છે અને થયો હોય તો તે કદી પણ પાછો પડતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે અહીં પ્રમાદનો ત્યાગ કરવો, એટલે કે અપ્રમાદી થવું. જ્યાં સુધી આત્માની સંપૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ ને કોઈ શુભ ક્રિયામાં ચિત્ત પરોવેલું રાખવું જોઇએ. એ માટે ગુણવાનોનું બહુમાન કરવું જોઈએ અથવા ગુણવાનો પ્રત્યે બહુમાનનો અંતરમાં ભાવ ધારણ કરવો જોઈએ. કોઈ ગુણીજનને For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૨ જ્ઞાનસાર જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા ઉભરાવી જોઈએ. તદુપરાંત પોતે કરેલાં વ્રતાદિનું સ્મરણ કરવું જોઈએ. ભૂતકાળમાં મોટી તપશ્ચર્યા કરી શકાઈ હોય, કોઈ મહાત્માને વહોરાવવાનો, આહારદાનનો લાભ મળ્યો હોય, કોઈ મોટી તીર્થયાત્રા થઈ હોય, સ્તવનો, સૂત્રો, સ્તોત્રો વગેરે કંઠસ્થ થયાં હોય-આવી આવી ઘણી બધી સરસ ધર્મક્રિયા થઈ હોય તેનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. આ ઉપરાંત પાપ પ્રત્યે જુગુપ્સા એટલે અણગમો થવો જોઈએ. નાનાંમોટાં પાપોનાં પ્રલોભનો આપણી આસપાસ પડ્યાં જ હોય છે. તક મળતાં તે આપણા ચિત્તનો કબજો લઈ લે છે. પરંતુ પાપ પ્રત્યે અરુચિ, અભાવ, ધૃણા વગેરે થાય તો ચિત્તશુદ્ધિમાં સ્થિરતા રહે. તદુપરાંત સાધકે પરિણામ-આલોચન કરતા રહેવું જોઈએ એટલે કે પોતાનાં અશુભ જે કંઈ કાર્ય કે વિચાર–ભાવ થયાં હોય તો તરત એની આલોચના કરી લેવી જોઇએ અને અશુભ કાર્ય કે ભાવ માટે ક્ષમા માગી લેવી જોઈએ. તીર્થકર ભગવાનની સ્તુતિ-ભક્તિ, એમનું નામસ્મરણ, પ્રતિમાનાં દર્શન, પૂજા, ચૈત્યવંદન ઇત્યાદિ વારંવાર કરવા અને અગાઉ કર્યા હોય તો તેનું સ્મરણ કરવું. વળી સાધુ મહાત્માઓની સેવા કરવી. શ્રી હરિભદ્રસૂરિએ ઉત્તર ગુણ એટલે કે પ્રતિક્રમણ, ગુરુવંદન ઇત્યાદિ શ્રદ્ધાપૂર્વક કરવા માટે આગ્રહ કર્યો છે. આમ, આ બધું કરવાથી એટલે કે શુદ્ધ અને શુભ ક્રિયાથી આત્મશુદ્ધિ વધે છે અને આત્મશુદ્ધિ વધતાં ક્રિયામાં ઉત્સાહ વધે છે. આમ, બાહ્ય ધર્મક્રિયા કરતાં કરતાં આગળ જતાં સૂક્ષ્મ ક્રિયા સુધી, સ્વભાવમાં રમણતાની ક્રિયા સુધી પહોંચી શકાય છે કે જે પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. ૭૦] ક્ષાયોશિમિ ભાવે ય ક્રિયા યિતે તયા पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। ९ ।। ६ ।। [શબ્દાર્થ લાયોપરામિ ભાવે=ક્ષાયોપથમિક ભાવમાં; યા=જે; યિત્રક્રિયા (તપ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૩૩ સંયમને અનુકૂળ ક્રિયા); યિતે–કરાય છે; તયા–તે ક્રિયા) વડે; પતિતસ્ય પડી ગયેલાને; મfપકપણ; તદ્ ભાવવૃદ્ધિ =તેના ભાવની વૃદ્ધિ; ગાયતે–ઉત્પન્ન થાય છે; પુન:=ફરીથી.]. અનુવાદક્ષાયોપથમિક ભાવમાં જે ક્રિયા કરાય છે, તે ક્રિયા વડે, પતિત થયેલાને પણ ફરીથી તેના ભાવની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. (૬) વિશેષાર્થ: બાહ્ય ધર્મક્રિયાઓ સાધનામાં ઘણી બધી રીતે ઉપયોગી નીવડે છે. આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ મહાત્માનું રાગ-દ્વેષાદિને કારણે કવચિત્ પતન થાય, એટલે કે નીચેની ભૂમિકાએ ઊતરી પડાય તો તેમને પાછા ઉપર ચડવા માટે તપ-સંયમને અનુકૂળ ધર્મક્રિયાઓ ઘણી ઉપયોગી નીવડે છે. આત્માના પાંચ ભાવ છેઃ દયિક, પથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક. અહીંસાયોપથમિક ભાવમાં થતી ક્રિયાની વાત છે. ક્ષયોપશમ એટલે આંશિક ક્ષય અને આંશિક ઉપશમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમથી આત્માની શુદ્ધિ માટે જે ક્રિયા થાય છે તે ગુણને પ્રગટ કરે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “પંચાશકમાં કહ્યું છેઃ खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं । पडिवडियं पि हु जायइ पुणो वि तब्भाववुड्ढिकरं ।। [ક્ષાયોપથમિક ભાવમાં વર્તતાં દઢયત્નથી કરેલું શુભ અનુષ્ઠાન પતિત થયેલાને પણ ફરીથી તે ભાવ (ક્ષાયોપથમિક ભાવ)ની વૃદ્ધિ કરનાર થાય છે.] કોઈ સાધકને ચારિત્રનો ક્ષયોપશમભાવ હોય, પરંતુ તેમની ક્રિયા ક્ષયોપશમભાવવાળી ન હોય તો ગુણવાનનું બહુમાન, પોતાનાં ધર્મકાર્યોની સ્મૃતિ વગેરે ક્રિયાઓ દ્વારા એમના ક્ષયોપશમભાવવાળા ચારિત્રનું રક્ષણ થાય છે. કોઈ સાધકનું ચારિત્ર ક્ષયોપશમભાવવાળું ન હોય અને ક્રિયા પણ તેવી ન હોય તો પણ તેવા લક્ષપૂર્વક કરાતી ક્રિયાઓ-બહુમાન, સ્મૃતિ વગેરે શુભ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ક્રિયાઓ–હોય તો તેથી ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે. જો ચારિત્ર અને ક્રિયા બંને ક્ષયોપશમ ભાવવાળાં હોય તો આવી ક્રિયાથી તે ભાવમાં વૃદ્ધિ થાય છે. [૭૧] મુળવૃઐ તત: ર્થાત્ ક્રિયામ૩નનાય વા । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ।। ९ ।। ७ ।। [શબ્દાર્થઃ ગુણવૃઐ=ગુણની વૃદ્ધિ માટે; તત:=તેથી; યંત્=કરવી જોઈએ; કરે; યિાં=ક્રિયા અશ્ર્વતનાય=નહિ પડવા માટે; વા=અથવા; =એક; તુ=તો; સંયમસ્થાન=સંયમનું સ્થાનક; નિનાન=કેવળજ્ઞાનીને; અવતિષ્ઠત=રહે છે.] જ્ઞાનસાર અનુવાદ–તેથી ગુણની વૃદ્ધિ માટે અથવા નહિ પડવા માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમસ્થાન તો કેવળી ભગવંતોને પણ રહે છે. (૭) વિશેષાર્થ : શુદ્ધ ક્રિયાથી આત્માના ગુણોની પ્રાપ્તિ થાય છે. સંસારમાં જે કોઈ પ્રવૃત્તિમાં વૃદ્ધિ કે હાનિની સંભવિતતા હોય ત્યાં તે પ્રવૃત્તિના કર્તાએ સદાય જાગૃત રહેવું પડે છે. માણસ કોઈ વેપાર ચાલુ કરે તો તેમાં ધનની વૃદ્ધિ એટલે કે કમાણી થવી જોઈએ. જો વેપારમાં ધ્યાન ન આપે તો કમાયેલું ધન પણ ખોવાનો વખત આવે છે. આવી જ રીતે સાધકે ધર્મક્રિયામાં પ્રવૃત્ત રહેવું જોઈએ કે જેથી ગુણોની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થાય. જો જીવનમાં પ્રમાદ આવી જાય, ક્રિયામાં શિથિલતા આવી જાય તો પ્રાપ્ત કરેલા ગુણો પણ ચાલ્યા જાય છે. સાધક જો ગુણની વૃદ્ધિનું લક્ષ્ય ન રાખે તો ગુણની સ્ખલના થવાનો સંભવ રહે છે. નીચેના ગુણસ્થાનકે રહેલા સાધકે દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે ક્રિયાઓ કરતા રહેવું જોઈએ. સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ તથા બાહ્ય અને અત્યંત૨ પ્રકારનાં તપ, તીર્થયાત્રા ઇત્યાદિ ધર્મક્રિયાઓ નિયમિત કરતા રહેવું જોઈએ. આ બધી બાહ્ય ક્રિયા છે પણ એથી આત્મશુદ્ધિ વધે છે. ક્રિયારહતિ સાધકપણું હોય તો વીર્યની ચંચળતાને કારણે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૯. ક્રિયાષ્ટક ૧ ૩૫ ગુણથી પતિત થવાનો સંભવ રહે છે. એ માટે ઔષધ અને આરોગ્યનું ઉદાહરણ આપવામાં આવે છે. દરદી સાજો થાય તે પહેલાં જો દવા લેવાનું છોડી દે તો તેનું દરદ મટતું નથી, પણ વધુ બગડે છે. જે મહાત્માઓ ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે તેઓની સ્થૂલ બાહ્ય ધર્મક્રિયાઓ, ગુણની હાનિ વિના, છૂટતી જાય છે. જ્યાં સુધી ગુણો પૂર્ણપણે પ્રગટ્યા નથી ત્યાં સુધી તે પૂર્ણપણે પ્રગટ કરવા માટે ક્રિયા આવશ્યક મનાઈ છે. જિનોને એટલે કેવળી ભગવંતોને એક જ સંયમસ્થાન સ્થિર રહે છે. તેમણે મોહનીય કર્મનો ક્ષય કરેલો હોય છે. તેમના સર્વ ગુણો પ્રગટ થઈ ગયા હોવાથી તેઓ સર્વજ્ઞ છે. હવે તેઓને ગુણહાનિનો કોઈ ભય નથી અને ગુણરક્ષા કે ગુણવૃદ્ધિની કોઈ ચિંતા કે આવશ્યકતા હોતી નથી. કારણ કે તેમનું સંયમસ્થાન અપ્રતિપાતી (પાછું ન પડનાર-સ્થિર) છે. આનો અર્થ એ છે કે ગુણવૃદ્ધિ માટે કોઈક ને કોઈક બાહ્ય કે આત્યંત આવશ્યક ધર્મક્રિયા કરતા રહેવું જોઈએ. [૭૨] વરોડનુષ્ઠાનતોડ સાિસંતિમતિ ! सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला ।। ९ ।। ८ ।। [શબ્દાર્થઃ વોડનુષ્ઠાનતા=વચનાનુષ્ઠાનથી; બસંયિાસંતિંત્રઅસંગક્રિયાની યોગ્યતાને; મ ત=પામે છે; સT=; =આ (અસંગક્રિયા); જ્ઞાનયામે ભૂમિ:=જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ (એકતારૂપ) છે; માનંપિચ્છતા આનંદ વડે આર્ટ (ભીંજાયેલી) છે.] અનુવાદ–વચન અનુષ્ઠાનથી અસંગ ક્રિયાની યોગ્યતા પામે છે. તે આ જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે. તે (આત્માના-સ્વભાવના) આનંદ વડે ભીંજાયેલી છે. (૮) વિશેષાર્થ શાસ્ત્રોમાં ધર્મક્રિયા અર્થાત્ અનુષ્ઠાન ચાર પ્રકારનાં બતાવ્યાં છે. सय For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૬ જ્ઞાનસાર પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચન-અનુષ્ઠાન અને અસંગ-અનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાન એટલે અરિહંત પરમાત્માના વચન અર્થાત્ આજ્ઞા અનુસાર થતી ધર્મક્રિયા. આવી ક્રિયાની વૃદ્ધિ થતાં અસંગ અનુષ્ઠાન થાય છે. એ માટે ઉદાહરણ કુંભારના ચાકડાનું આપવામાં આવે છે. ચાકડાને ફેરવવા માટે પ્રથમ દંડથી ચાકડાને ધક્કો મારવામાં આવે છે. થોડી વાર એ રીતે દંડ વડે ચાકડાને ફેરવવામાં આવે ત્યાર પછી વેગ પકડતાં ચાકડો દંડની સહાય વગર એની મેળે ફરે છે. એવી રીતે વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિકા થાય છે. એમાં વચનાનુષ્ઠાનરૂપે શુદ્ધ જ્ઞાનોપયોગ અને અસંગ અનુષ્ઠાનરૂપે શુદ્ધ વર્ષોલ્લાસ એ બંનેનું તાદાભ્ય થાય છે. બંને વચ્ચે અભેદની ભૂમિકા રચાય છે. આ અભેદ ભૂમિકા સ્વરૂપાનંદના સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી આર્દ્ર બનેલી હોય છે. એટલે જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી વચનાનુષ્ઠાનરૂપી ક્રિયા કરવી જોઈએ. એટલા માટે જ્ઞાનીઓ ક્રિયાનો નિષેધ કરતા નથી, પરંતુ રત્નત્રયીરૂપ ધર્મની આરાધના કરવા માટે ક્રિયાને આવશ્યક માને છે, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્ઞાનશિયાખ્યાં મોક્ષ: જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વૃષ્યષ્ટક ૧ ૩૭ ૧૦. તૃત્યષ્ટક [૭૩] પીવા જ્ઞાનામૃત અવસ્વી બ્રિયાલુરતાનમ્ | સામ્યતાડૂતમીસ્વાદ તૃપ્તિ યાતિ પર મુનઃ || ૨૦ || 8 || [શબ્દાર્થઃ પીત્વ=પીને જ્ઞાનામૃતં=જ્ઞાનરૂપી અમૃત; મુત્વઃખાઈને; ક્રિયાલુરત્નતા=ક્રિયારૂપી સુરલતા, કલ્પવેલી; નં ફળને; સામ્યતાનૂન= સમતારૂપી તાંબૂલ, સમભાવરૂપી પાન; માસ્વાદ્ય ચાવીને; ચાખીને; સ્વાદ માણીને; તૃપ્તિ-તૃપ્તિ; યતિ–પામે છે; પર=પરમ, અત્યંત; મુનિ=સાધુ.] અનુવાદ-જ્ઞાનરૂપી અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને અને સમતારૂપી તાંબૂલનો આસ્વાદ લઈને (પાન ખાઈને) મુનિ પરમ તૃપ્તિ પામે છે. (૧) વિશેષાર્થઃ ક્રિયા અષ્ટક પછી આ તૃપ્તિ અષ્ટક આવે છે તે સપ્રયોજન છે. ક્રિયા કરનાર સાધકમાં પણ મદ, માયા, લોભ ઇત્યાદિ કષાયો ઉદભવે એવો સંભવ રહે છે. સમ્યક્ ક્રિયા કરવા સાથે આવા કષાયોથી મુક્ત રહેવા માટે સમતા દ્વારા પ્રાપ્ત થતી તૃપ્તિની પણ એટલી જ આવશ્યકતા છે, જે સમતા જ્ઞાન-ધ્યાનથી પ્રાપ્ત થાય છે. અહીં જે વિચારણા કરવામાં આવી છે તે મુનિદશા માટેની છે. એ માટે ભોજનનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. ભોજનમાં ખાદ્યપદાર્થ જોઈએ, પીવા માટે પાણી વગેરે જોઈએ અને છેલ્લે પાચન માટે તાંબૂલાદિ મુખવાસ જોઈએ. મુનિઓ આહાર લે છે, પરંતુ તેઓએ ભોજનનો રસ છોડી દીધો હોય છે. મિષ્ટાન્ન, પકવાન, ફરસાણ વગેરે સહિત ગરીષ્ઠ ભોજન મુનિને ન ખપે. ભોજન દ્વારા શરીર સશક્ત અને ભરાવદાર બનાવવાનું મુનિને ન કહ્યું. મુનિ તો કૃશકાય For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ જ્ઞાનસાર હોય તો જ શોભે. મુનિ સ્વાદના રસિયા ન હોય. આહાર અંગે તેઓ ઉદાસીન હોય. આનું કારણ એ છે કે તેઓને હવે આથી પણ વધારે પૌષ્ટિક, સાત્ત્વિક આહાર પ્રાપ્ત થયો છે. એ આહારમાં પીવા માટે જ્ઞાનરૂપી અમૃત, ખાવા માટે ક્રિયારૂપી ફળ છે. આ ફળ પણ સુરલતાનું છે એટલે કે કલ્પવલ્લીનું છે. જ્ઞાન તથા ક્રિયારૂપી ભોજનના અંતે પાચન માટે સમતારૂપી તાંબૂલ હોય છે. એથી પરમ તૃપ્તિ અનુભવાય છે. વ્યવહારમાં સામાન્ય માણસો સરસ સ્વાદિષ્ટ ભોજન કરીને ધરાય છે, તૃપ્તિનો સ્વચ્છ ઓડકાર ખાય છે, પરંતુ આ તૃપ્તિ ક્ષણિક અને આરોપિત છે. એ સાચી તૃપ્તિ નથી. ભોજન લેવાતું હોય અને જીભમાં સ્વાદ આવતો હોય, ભૂખ સંતોષાતી હોય એટલી વાર જ તૃપ્તિ અનુભવાય છે. અતિઆહાર કરી શકાતો નથી, અને પ્રમાણસર આહાર લીધો હોય તો પણ થોડી વાર પછી પાછી ભૂખ લાગે છે. એટલે એમાં તૃપ્તિ કરતાં તૃષ્ણા વધારે રહે છે. વળી દેહ અને આત્માની એકતાનો ભ્રમ હોય તો જ આહારની આવી ખોટી તૃપ્તિ અનુભવાય છે ! મેં સરસ ભોજન કર્યું એવા ભાવમાં માનકષાય રહેલો હોય છે. મુનિને માટે એ વર્ષ છે. મુનિ મહારાજ આત્મા અને પરપદાર્થ વચ્ચેના ભેદની સમ્યક-પ્રતીતિ કરાવનાર જ્ઞાનના અમૃતનું પાન કરે છે. તેમણે સાવદ્ય પ્રવૃત્તિઓ છોડી દીધી હોય છે. હવે શુભયોગની પ્રવૃત્તિરૂપી કલ્પવલ્લીના ફળનો આહાર કરે છે. તેઓ શુભાશુભ પુલ પ્રત્યે, સમભાવ ધારણ કરવારૂપી તાંબૂલાદિ મુખવાસનો આસ્વાદ લઈને તૃપ્તિ અનુભવે છે. મુનિ મહારાજ એથી પણ આગળ વધીને ભગવાનના વચનોરૂપી જ્ઞાનને અમૃત સ્વરૂપે આસ્વાદે છે. એ સમ્યગુજ્ઞાન અનુસાર તેઓ જે સમ્યક્ ક્રિયા કરે છે અને એ દ્વારા જે તત્ત્વસંવેદન અનુભવે છે તે સુરલતાના ફળના ભોજન બરાબર છે. સંસારના જીવો પોતાના પુણ્યોદયથી જે ભૌતિક સુખ અનુભવતા દેખાય છે એવા જીવો, મુનિઓને સુખી નહિ પણ દુઃખી જણાય છે, કારણ કે પુણ્યોદય પૂરો થતાં તેઓ પાછા હતા ત્યાં ને ત્યાં આવી જવાના અથવા પાપના ઉદયે દુઃખી થવાના. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વૃષ્યષ્ટક ૧ ૩૯ બીજાઓના સુદઢ શરીરની મોહકતા એમની જ્ઞાનદષ્ટિને હવે આત્માની વિકૃતિરૂપ ભાસે છે. તેમને સર્વત્ર ચૈતન્યનાં જ દર્શન થાય છે. તેઓ જ્યારે ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે સમતાનો અનુભવ કરે છે, જે પરમ તૃપ્તિરૂપ હોય છે. [७४] स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । - જ્ઞાનિનો વિષ: વિ સૈવેતિરિત્વ | ૨૦. ૨ | [શબ્દાર્થઃ =પોતાના ગુણો (જ્ઞાનાદિ) વડે; પર્વ=જ; તૃપ્તિ =તૃપ્તિ; વે=જો; માતં હંમેશાં; વિનશ્વરી=વિનાશ ન પામે તેવી; જ્ઞાનિન =જ્ઞાનીને; વિપર્વ =વિષયો વડે; વિં=શું પ્રયોજન છે ? તૈ: તે વિષયોનું વૈ=જે વડે; =થાય છે; તૃપ્તિ =તૃપ્તિ; ત્વરી=થોડા કાળ માટે] અનુવાદ-જો જ્ઞાનીને પોતાના ગુણો વડે જ હંમેશાં વિનાશ ન પામે એવી તૃપ્તિ હોય, તો પછી જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય તે વિષયોનું શું પ્રયોજન છે? (૨) વિશેષાર્થઃ એક વખત સાચી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય પછી ખોટી નિરર્થક વસ્તુ માણસ છોડી દે છે. રત્નની પ્રાપ્તિ થાય પછી માણસ કાચને વળગી રહેતો નથી. જો વળગી રહે તો એની મૂર્ખમાં ગણના થાય છે. ગૃહસ્થજીવન કરતાં મુનિજીવન ચડિયાતું છે, શ્રેષ્ઠ છે. સુંદર આકર્ષક વસ્ત્રાલંકાર ગૃહસ્થ સ્ત્રીપુરુષો માટે ભલે શોભારૂપ, ભૂષણરૂપ ગણાય, સાધુને માટે એ દૂષણરૂપ છે, વર્ષ છે. એટલે જ સાધુ ગૃહસ્થનાં વસ્ત્રાલંકાર ઇત્યાદિનાં વખાણ ન કરે. વખાણનો ભાવ પણ એમના મનમાં ન આવે. તેઓ એવા સુખી ગૃહસ્થોની પણ દયા જ ચિંતવતા હોય છે, કારણ કે તેમની આ શોભા એ માત્ર કર્મનો ખેલ છે. જ્ઞાની સાધુમહાત્મા પોતાના આત્મિક ગુણોથી તૃપ્ત થયેલા હોય છે. સમ્યગૂદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ એમના આત્માના ગુણો છે. તત્ત્વસંવેદન For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જ્ઞાનસાર દ્વારા એ પ્રગટ થયેલા છે. આ ગુણો વડે તેઓ પોતાના શુદ્ધાત્માનો, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે. તેઓ પોતાના ચૈતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ સ્વરૂપ ગુણોથી પરમ અવિનાશી તૃપ્તિ અનુભવે છે. જ્યાં આવી તૃપ્તિ અનુભવવા મળતી હોય ત્યાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દરૂપી વિષયોની ક્ષણિક તૃપ્તિ માટે તેઓ ઝંખના કેમ કરે ? એવી વિનાશી તૃપ્તિનું પછી પ્રયોજન કશું ન રહે. તેમને સમજાઈ ગયું હોય છે કે અનંત ભવોમાં અનંતવાર એવા વિષયો ભોગવ્યા છતાં આત્મદર્શન થયું નથી, પારમાર્થિક તૃપ્તિ થઈ નથી. તો પછી એવા વિષયો પાછળ દોડવાથી શું વળવાનું છે ? હકીકતમાં તો એથી ભવભ્રમણ જ વધવાનું છે. [૩૫] યા શૌરસાસ્વાવાદ્ ભવેત્ તૃતિયતક્રિયા ! સ ર નિવેદ્રિયદ્વાર પરસાસ્વાવનાપિ | ૨૦ | રૂ . [શબ્દાર્થ ા=જે; જાનૈ=એક માત્ર શાન્તરસના, અદ્વિતીય એવા ઉપશમ રસના; રસાસ્વાવત્રિરસાસ્વાદ કરવાથી, રસાસ્વાદના અનુભવથી; મવેzથાય છે; તૃપ્તિ =તૃપ્તિ; અતીન્દ્રિયા=ઇન્દ્રિયોને અગોચર, અતીન્દ્રિય; સા=0; ન=નથી; નિવેન્દ્રિયદાર = જિવા ઇન્દ્રિય વડે; પરસાસ્વાવના રસના ભોજનથી; પિ:=પણ.] અનુવાદ–એક માત્ર શાન્ત રસના આસ્વાદથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે તે જિહવા ઇન્દ્રિય વડે છ રસના ભોજનથી પણ થતી નથી. (૩) વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે તૃપ્તિ વિશે લખતાં અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજીને, અન્ય પ્રકારની તૃપ્તિ કરતાં શાન્ત રસની તૃપ્તિ કેટલી બધી ચડિયાતી છે તેનો નિર્દેશ કર્યો છે. રસથી તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે. ચિત્ત આનંદ અનુભવે છે, પણ રસ વિવિધ પ્રકારના હોય છે. ભોજનમાં પરસનું પ્રાધાન્ય છે. કવિતામાં-સાહિત્યમાં For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૦. તૃપ્યષ્ટક ૧૪૧ શૃંગારાદિ રસોનું પ્રાધાન્ય છે. ભોજનના રસો કરતાં કવિતાનાં રસો કેટલા ચડિયાતા છે તે આલંકારિકોએ બતાવ્યું છે. અલંકારશાસ્ત્રમાં પણ જે રસો બતાવ્યા છે તેમાં સાંસારિક રસો કરતાં પણ આધ્યાત્મિક શાન્ત રસ કેવો ઉત્કૃષ્ટ છે તે અહીં દર્શાવ્યું છે. ઇન્દ્રિયોથી ભોગવાતા રસ કરતાં ઇન્દ્રિયોને અગોચર એવા અનુભવગમ્ય શાન્ત રસનું સેવન આત્માર્થીઓ માટે ઉપકારક છે. સાહિત્યમાં વિવિધ રસો ગણાવવામાં આવે છે. એમાં શુંગાર, વર અને કરુણ મુખ્ય રસ મનાય છે. તદુપરાંત હાસ્ય, ભયાનક, બીભત્સ વગેરે ગૌણ રસ બતાવાય છે. વળી ભક્તિ, વાત્સલ્ય અને શાન્ત રસની ગણના પણ થાય છે. સાહિત્યમાં શાન્ત રસ એક ગૌણ રસ છે, પણ અધ્યાત્મમાં, આધ્યાત્મિક સાહિત્યમાં શાન્ત રસ એ મુખ્ય રસ છે. એ જ એક માત્ર સાચો રસ-રસનો રાજા કહેવાય છે. શાન્ત રસની વ્યાખ્યા કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ શ્રી વિશ્વનાથે પોતાના “સાહિત્યદર્પણ' નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આપી છેઃ न यत्र दु:खं, न सुखं न चिन्ता, न रागद्वैषो न च काचिदिच्छा । रसः स शान्तः कथितो मुनिन्द्रैः सर्वेषु भावेषु समप्रमाणः ।। [જ્યાં દુઃખ ન હોય, સુખ ન હોય, ચિત્તા ન હોય, રાગદ્વેષ ન હોય, કોઈપણ પ્રકારની ઇચ્છા ન હોય અને સર્વ ભાવોમાં સમપ્રમાણ, (સમદૃષ્ટિ) હોય તેને મુનિઓમાં ઇન્દ્ર એવા મહાત્માઓ શાન્ત રસ કહે છે.] દરેક રસનો એક સ્થાયી ભાવ હોય છે અને એના આલંબન વિભાવો તથા ઉદ્દીપન વિભાવો હોય છે. શાન્ત રસનો સ્થાયીભાવ શમ છે અને અનિત્યાદિ ભાવનાઓ એના આલંબન વિભાવો છે. જિનવાણી, ગુરુપ્રવચન, શાસ્ત્ર સ્વાધ્યાય, જિન પ્રતિમાદિનાં દર્શન ઇત્યાદિ એના ઉદ્દીપન વિભાવો છે. ભોજનમાં જે વિવિધ પ્રકારના રસ છે તેનું વર્ગીકરણ છ મુખ્ય રસમાં કરવામાં આવે છેઃ મધુર, તીખો, ખાટો, તુરો, ખારો અને કડવો. તેમાં પણ વૈવિધ્ય ઘણું હોય છે, જેમકે મિષ્ટ મધુર રસ એટલે કે ગળ્યો રસ લઈએ તો શિખંડનું ગળપણ, For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨ જ્ઞાનસાર જલેબીનું ગળપણ, બરફીનું ગળપણ, કેરીનું ગળપણ, સીતાફળનું ગળપણ વગેરે દરેકમાં પોતપોતાની વિશિષ્ટતા હોય છે. અરે, ફક્ત કેરીના ગળપણની વાત કરીએ તો પણ જાતજાતની કેરીમાં પ્રત્યેક જાતની કેરીનું ગળપણ જુદું લાગે. એવી રીતે તીખો, ખારો, કડવો વગેરેમાં પણ ઘણુંબધું વૈવિધ્ય છે. જિવા દ્વારા આ બધા રસોનો અનુભવ થાય છે. પોતાને ભાવતા રસના ભોજનથી માણસને તૃપ્તિ થાય છે, પરંતુ આ બધા પોલિક રસો છે. આહારસંજ્ઞા પ્રદીપ્ત થતાં આ રસોનો આસ્વાદ માણી શકાય છે. પરંતુ આ ભોજનના રસોની મર્યાદા છે. કોઈપણ રસ અમુક મર્યાદાથી વધુ માણી શકાતો નથી. માણસ ભાવતી વસ્તુ વધારે પડતી ખાય તો બેચેની થાય છે, ક્યારેક ઊલટી પણ થાય છે. કોઈ એક રસનું વારંવાર વધુ પડતું સેવન કરવાથી રોગ પણ થાય છે. વધુ પડતા ગળપણથી મધુપ્રમેહ, વધુ પડતા ખાટા રસથી અમ્લપિત્ત, વધુ પડતા કડવા રસથી ચક્કર, વધુ પડતા તીખા રસથી ચાંદુ, બળતરા, હરસ વગેરે થાય છે. મતલબ કે ભોજનના રસોનો અતિભોગ નથી થઈ શકતો. એમાં મર્યાદા રાખવી જ પડે છે. પરન્તુ શાન્ત રસમાં આવું કોઈ જોખમ નથી. તેનું જેમ વધારે સેવન થાય તેમ તે વધુ આત્મહિતકર બને છે. શાન્ત રસ દ્વારા જ આત્મસ્વરૂપનો અનુભવ અને ઘાતી કર્મોની નિર્જરા થાય છે. શાન્ત રસ દ્વારા જ અંતે કેવળજ્ઞાન અને મોક્ષ છે. આમ, શાન્ત રસના આસ્વાદથી અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. [૬] સંસારે સ્વનિર્વાધ્ધિા તૃપ્તિઃ ચાતામિમાની ! तथ्या तु भ्रान्तिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् ।। १० ।। ४ ।। [શબ્દાર્થઃ સંસારે=સંસારમાં; સ્વપ્નવસ્વપ્નની જેમ; મિથ્યા ખોટી, જૂઠી; તૃપ્તિ =તૃપ્તિ, સંતોષ; હોય છે; અપમાનિકી=અભિમાનથી-માન્યતાથી થયેલી; તા=સાચી; તુ=તો; પ્રાન્તિસૂચ=ભ્રાન્તિ વિનાનાને, મિથ્યાજ્ઞાનરહિતને; સા તે; માત્મવીર્ય આત્માનું વીર્ય; વિપા =વિપાક કરનાર, પુષ્ટિ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૦. તૃચ્ચષ્ટક ૧૪૩ કરનાર.] અનુવાદ-સંસારમાં થયેલી અભિમાનિકી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા હોય છે. ભ્રાનિરહિત આત્માને આત્મવીર્યની પુષ્ટિ કરનારી જે તૃપ્તિ થાય છે તે જ સાચી હોય છે. (૪) વિશેષાર્થ : સાંસારિક ભોગવિલાસથી થતી ક્ષણિક તૃપ્તિ અને આત્માનુભવથી થતી સાચી આધ્યાત્મિક તૃપ્તિ વચ્ચે કેવો ફરક છે તે અહીં દર્શાવવામાં આવ્યો છે. સંસારના ભોગવિલાસથી થતી તૃપ્તિ સ્વપ્નના અનુભવ જેવી મિથ્યા છે. માણસ સ્વપ્નમાં રાજ્ય કરે, સરસ ભોજન કરે, સત્તા અને કીર્તિનો મહિમા માણે, વિવિધ પ્રકારના કામભોગો ભોગવે, પણ સ્વપ્ન પૂરું થતાં એ બધું ખોટું નીવડે છે. સ્વપ્નમાં પોતે એ બધાંનું અભિમાન કર્યું હતું પરંતુ આંખ ઊઘડતાં એ અભિમાન મિથ્યા ઠરે છે. સાંસારિક સુખ જ્ઞાનીઓની દૃષ્ટિએ આવાં સ્વપ્ન જેવું છે. તે મિથ્યાજ્ઞાનથી ભરેલું છે. જીવનમાં ઐહિક સિદ્ધિ માટે ઘણા અભિમાન કરે છે, પરંતુ ક્યારેક સ્થિતિમાં પલટો થતાં એ બધું અભિમાન પોતાની હયાતીમાં જ ઓસરી જાય છે. એટલું જ નહિ ક્યારેક જાહેરમાં અપમાનિત થવાય છે. જેલની સજા ભોગવવાનો વખત આવે છે. વળી જીવનભર એવું સુખ માણ્યું હોય તો પણ મૃત્યુ આવતાં બધું જ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સાંસારિક વૈભવ અને પોદ્ગલિક ભોગવિલાસ માટેની તૃપ્તિનું અભિમાન ક્યારેય કરવા જેવું નથી. એ સુખ મૃત્યુ આવતાં અંતે તો દુઃખરૂપ નીવડે છે. બીજી બાજુ સમ્યગુદર્શન સહિત આત્મગુણના અનુભવરૂપ જે તૃપ્તિ થાય છે તે ક્ષણિક કે ક્ષણભંગુર હોતી નથી. તે ભ્રાન્તિરહિત, અવિનાશી હોય છે. એ જ પરમ તૃપ્તિ છે. આ સાચી અને ભ્રાન્તિરહિત તૃપ્તિ આત્મવીર્યનો વિપાક કરનારી છે. આત્માના જે ગુણો છે તેમાં વીર્ય અર્થાત્ બળ એ પણ એક મહત્ત્વનો ગુણ છે. જ્યાં આ ગુણ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જ્ઞાનસાર હોય ત્યાં પુરુષાર્થ કરવાનો ભાવ રહે છે. પુરુષાર્થમાં મંદતા કે હીનતા આવતી નથી. આત્માના સ્વભાવના અનુભવરૂપ તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટિ કરનાર થાય છે. એથી આત્માના ગુણો અધિક ખીલે છે. શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી” ટીકામાં આ શ્લોકનું વિવેચન કરતાં પરમ આધ્યાત્મિક તૃપ્તિ માટે ત્રણ મહત્ત્વના ઉપાય દર્શાવ્યા છેઃ (૧) સદ્ગુરુના ચરણની સેવા, (૨) આગમોનું અર્થાત્ જિનવચનનું શ્રવણ અને (૩) તત્ત્વનું ગ્રહણ. આમ શરણ, શ્રવણ અને ગ્રહણ એ ત્રણેમાં શુદ્ધિવૃદ્ધિ થાય, એ માટે પુરુષાર્થ થાય તો એથી મિથ્યાત્વ ટળે છે, સમ્યકત્વ નિર્મળ બને છે, કષાયો મંદ પડે છે, આરંભસમારંભનો ત્યાગ કરવાનો ભાવ રહે છે, સંસારનો પંથ કપાતો જાય છે અને મોક્ષનગરી તરફ વેગથી પ્રયાણ થવા લાગે છે. આત્મસ્વભાવની તૃપ્તિમાં એવું બળ રહેલું છે. [૭૭] પુર્તઃ પુનીતૃપ્તિ યાજ્યાભિ પુનરાભિની ! પરતૃપ્તિસમારોપો જ્ઞાનિનસ્તન્ન યુજ્યતે | ૨૦ | 4 | [શબ્દાર્થ પુનૈ =પુદ્ગલો વડે; પુસ્તિા =પુગલો; તૃપ્તિઋતૃપ્તિને (પુદ્ગલના ઉપચયરૂપ તૃપ્તિને); યાત=પામે છે; ૩માત્મા–આત્મા; પુન: =વળી; માત્મના=આત્માના ગુણ વડે; પર તૃપ્તિ=પરની તૃપ્તિ, પુદ્ગલની તૃપ્તિ; સમારો=આરોપણ કરવું, આત્માનો ઉપચાર કરવો; જ્ઞાનિન:=જ્ઞાનીને; તત્વ=તેથી, તે કારણથી; ન યુજ્યતે–ઘટતો નથી.] અનુવાદ-પુદ્ગલોથી પુગલો તૃપ્તિ પામે છે. આત્માના ગુણ વડે આત્મા તૃપ્તિ પામે છે. એટલા માટે પુગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર કરવો જ્ઞાનીને ઘટતો નથી. (૫). વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે નિશ્ચયનયની દૃષ્ટિએ એક મહત્ત્વની વાત અહીં કહી છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વૃષ્યષ્ટક ૧૪૫ તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો જડ એ જડ છે અને ચેતન એ ચેતન છે. પુદ્ગલદ્રવ્ય એ પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મદ્રવ્ય એ આત્મદ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. પરંતુ સંસારી દેહધારી જીવમાં બંને દ્રવ્યો એકક્ષેત્રાવગાહ, નીરક્ષીરની જેમ રહેલાં છે. અનાદિ કાળથી આમ ચાલતું આવ્યું છે. એટલે મિથ્યાત્વને કારણે જીવને ભ્રમ રહે છે કે પોતે શરીરરૂપ છે, પોતે ખાય છે, પોતે પીએ છે, પોતે સુખ ભોગવે છે. વસ્તુઃ નિશ્ચય દષ્ટિએ આત્મા કશું ખાતો નથી, કશું પીતો નથી કે પરદ્રવ્યને ભોગવતો નથી. અન્ન, વસ્ત્ર, ધન, માલમિલકત ઇત્યાદિ રૂપી પુદ્ગલો શરીર દ્વારા ભોગવાય છે, પરંતુ આત્મા એ ભોગવે છે એવો ભ્રમ થાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા આત્મગુણોથી તૃપ્તિ પામે છે. એટલા માટે યથાર્થ બોધવાળા સમ્યગ્દષ્ટિ મહાત્માઓ આત્મામાં આત્મધર્મને સ્વીકારે છે અને પુદ્ગલમાં-પરવસ્તુમાં પરધર્મને સ્વીકારે છે. એટલા માટે પુદ્ગલોમાં થતી તૃપ્તિમાં આત્માનીતૃપ્તિ થાય છે એવું ભ્રાન્તિયુક્ત અભિમાન તેઓને ઘટતું નથી. સમ્યગુરુષ્ટિ જ્ઞાનીઓ પીગલિક સુખમાં રાગ કરતા નથી. જો પરપદાર્થના અનુભવમાં સુખ લાગે તો તે મિથ્યાજ્ઞાન છે. એટલા માટે કહ્યું છે. तवइ तवं चरइ चरणं सुअं पि नव पुव्व जाव अब्भसइ । जा पर सुहे सुहत्तं ता नो सम्मत्तविन्नाणं ।। [તપ તપે, ચારિત્ર પાળે, શ્રુતજ્ઞાનનો પણ નવ પૂર્વ સુધી અભ્યાસ કરે, પરંતુ જ્યાં સુધી પરસુખમાં (પરદ્રવ્યથી થતા સુખમાં) સુખત્વ-સુખબુદ્ધિ ધરાવે ત્યાં સુધી સમ્યગૂ જ્ઞાન નથી.] શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : सुअवं सील वं चाई जिणमग्गायरणारई। परं वा परसंगं वा धम्मं मन्नइ जो जडो ।। [શ્રુતજ્ઞાની, શીલવંત, ત્યાગી અને જિનમાર્ગના આચરણમાં રતિપ્રીતિવાળો For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ્ઞાનસાર હોય, પણ જે પર વસ્તુને કે પર વસ્તુને સંગને ધર્મ માને તેને જડ (અવિવેકી) સમજવો.] જડ પુગલના ગુણધર્મોથી ચેતન એવા આત્માને તૃપ્તિ ન થાય, કારણ કે આત્માના ગુણધર્મો પુગલના ગુણધર્મોથી ભિન્ન છે. આત્માને આત્માના ગુણધર્મોથી જ તૃપ્તિ થાય. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણધર્મો છે. એના ઉપભોગથી આત્માને તૃપ્તિ થાય છે એવી ભ્રામક માન્યતા જીવને અનાદિના સંસ્કારને કારણે, મોહનીય કર્મના પ્રબળ ઉદયને કારણે રહ્યા કરે છે. એને લીધે જ એવા મિથ્યાદૃષ્ટિ જીવોનું સંસારનું પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. સમ્યગ્દષ્ટિ જીવોએ પુદ્ગલની મોહાસક્તિ તોડવાની જરૂર છે. એ તૂટે તો જ આત્મવિકાસ સાધી શકાય. એટલા માટે પુદ્ગલ તરફ ખેંચી જતી અનાદિ કાળથી વળગેલી આહાર, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ પ્રકારની સંજ્ઞાઓને ત્યાગવૈરાગ્ય, વ્રતતપ ઇત્યાદિ વડે તોડવાનો ઉદ્યમ કરતા રહેવું જોઈએ. [७८] मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।। १० ।। ६ ।। [શબ્દાર્થ: મધુર/મનોહરરાજ્ય; મહાનિ=મોટી આશાઓ છે જેને; મા ન પ્રાપ્ત થઈ શકે એવા; વા=બહાર (અગોચર); ઘ=અને; નોરસા=વાણીના રસથી; પરબ્રહ્મણ=પરબ્રહ્મમાં, પરમાત્મામાં; તૃપ્તિ:=તૃપ્તિ; યા=જે; નના:=લોકો; તાં–તેને; કાનતે જાણતા; પિકપણ; ન=નથી.] [શ્લેષાર્થ-મધુર =મિષ્ટ (સાકર) તથા આજ્ય એટલે ઘી; મરીશ=મોટાં (ઉત્તમ) શાક; માહ્ય ન ગ્રહણ થઈ શકે; વીઈંન્નભિન્ન; પોર=દૂધ, દહીં વગેરે) અનુવાદ– મનોહર રાજ્યની મોટી આશાઓવાળાથી ન ગ્રહણ થઈ શકે (ન અનુભવી શકાય) અને વાણીથી ન કહી શકાય એવા પરબ્રહામાં જે તૃપ્તિ છે તેને For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વૃષ્યષ્ટક ૧૪ ૭ લોકો જાણતા પણ નથી. (૬) શ્લેષાર્થ સાકર અને ઘીથી તથા સારા શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં વગેરે ગોરસથી બાહ્ય અર્થાત્ ભિન્ન એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી. (૬) વિશેષાર્થ આ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ શ્લેષાલંકારની સંકલના કરીને પરબ્રહ્મના અનુભવનો મહિમા દર્શાવ્યો છે. મધુરાજ્યના બે અર્થ થાય. એક અર્થ છે મધુ+રાજ્ય એટલે મનોહર, શ્રેષ્ઠ રાજ્ય; બીજો અર્થ છે મધુર+આજય. મધુર એટલે મિષ્ટ, સ્વાદિષ્ટ. આજય એટલે ઘી, મધુર આજ એટલે મિષ્ટ એવું ઘી, મહાશાકના બે અર્થ થાય. એક અર્થ તે મોટું સરસ શાક અને બીજો અર્થ થાય મોટી આશાવાળા. ગોરસાતુ બાહ્યના બે અર્થ થાય. ગો એટલે વાણી, વાણીના રસથી બાહ્ય અને બીજો અર્થ છે ગોરસ એટલે દૂધ-દહીં વગેરે.; ગોરસાત્ બાહ્ય એટલે દૂધ, દહીંની વાનગીઓ વિનાનું. સામાન્ય માણસો માટે ભોજનમાં જે તૃપ્તિ છે તે મિષ્ટ ઘી, મોટાં (ઉત્તમ, મોંઘા) સારાં શાક વગેરેથી છે, પરંતુ ગોરસથી તે બાહ્ય નથી અર્થાત્ દૂધ, દહીંની વાનગીઓ વગરનું ભોજન અપૂર્ણ છે. એથી બરાબર તૃપ્તિ ન થાય. (જૂના વખતમાં કહેવાતું કે શાકે સવાયું, દૂઢ દોટું અને મિષ્ટાન્ને બમણું ખવાય છે.) દુનિયાના સામાન્ય માણસોની મોટામાં મોટી એક તૃપ્તિ તે ભોજનની છે. દૂધ, દહીં, ઘી વગેરે સહિત, સ્વાદિષ્ટ શાક, ફરસાણ, મિઠાઈ ઇત્યાદિ મળે એટલે પેટ ભરીને માણસો જમે છે. આ એમની તૃપ્તિનો આનંદ છે. મનોહર રાજ્યની મોટી આશાવાળાઓ, ઐશ્વર્ય અને ભૌતિક સમૃદ્ધિની અભિલાષાવાળાઓને પણ એ મેળવવામાં જ તૃપ્તિ જણાય છે. પરંતુ આ તૃપ્તિ તો સ્થૂલ સપાટી પરની છે એવા લોકોને બિચારાઓને આનાથી ઘણી બધી ચડિયાતી એવી પરબ્રહ્મની પ્રાપ્તિના આનંદની તૃપ્તિ છે એ વાતની ખબર પણ નથી, તો પછી એ અનુભવ સુધી પહોંચવાની તો વાત જ શી ? For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રાનસાર પરબ્રહ્મનો જે રસ છે તે વાણીથી બહાર છે, વાણીથી અગ્રાહ્ય છે. સ્વરૂપાનુભૂતિ શબ્દથી સંપૂર્ણપણે વર્ણવી શકાતી નથી. વાણીમાં એ શક્તિ નથી. એ અનુભવને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે, અસમર્થ નીવડે છે. કહેવાયું છે- તો વાવો નિવર્તિને અપ્રાપ્ય મનસા સહ . જ્યાંથી તેને પ્રાપ્ત કર્યા વિના વાણી મનસહિત પાછી ફરે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે, યસ પડ્યું નત્યિ” એટલે કે પદરહિત એવા આત્મસ્વરૂપને વર્ણવવા માટે કોઈ પદ (શબ્દ) સમર્થ નથી. વસ્તુતઃ આ પરમ આત્માનંદને વર્ણવવા કોઈ સમર્થ નથી, સર્વજ્ઞ ભગવાન પણ નહિ, કારણ કે એ અનુભવ વચનાતીત છે. વાણીમાં એ બળ નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર'માં કહ્યું છેઃ જે સ્વરૂપ શ્રી સર્વજો દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો. આમ, ચૈતન્યના વિલાસરૂપ, અમતૃસ્વરૂપ જે શુદ્ધ, નિતાન્ત પરમાનંદથી તૃપ્તિ થાય છે એ વિશે સામાન્ય માણસો કશું જાણતા નથી. એ વિશે તેઓએ કહ્યું સાંભળ્યું પણ નથી હોતું. જગતના સામાન્ય માણસો અને જ્ઞાનીઓ (આત્મજ્ઞાનીઓ) વચ્ચેનો આ મોટો તફાવત છે. [૭૦] વિષયોર્તિવિપીર: ચાતુર્તી પુર્તિઃ | ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गार-परंपरा ।। १० ।। ७ ।। [શબ્દાર્થ વિષય વિષયોના (પુદ્ગલના ઉપભોગના) તરંગો; વિષR:=ઝેરના ઓડકાર હોય છે; અતૃપ્તસ્થ નહિ તૃપ્ત થયેલાને; પુર્ત = પુગલો વડે; જ્ઞાનતૃપ્તચ=જ્ઞાનથી તૃપ્ત થયેલાને; તુ=તો; ધ્યાનસુધા=ધ્યાનરૂપી અમૃત; ૩રપરંપરા=ઓડકારની પરંપરા.] અનુવાદ-વિષયો (પુગલના ઉપભોગ)થી નહિ તૃપ્ત થયેલાને વિષના ઓડકાર For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦. દૃષ્યષ્ટક આવે છે. શાનથી તૃપ્ત થયેલાને ધ્યાનરૂપી અમૃતના ઓડકારની પરંપરા (ઉપરાઉપરી ઓડકાર) હોય છે. (૭) વિશેષાર્થ : જગત આખું પુદ્ગલના ઉપભોગમાં પડ્યું છે. ખાવુંપીવું, હરવુંફરવું, વેપારધંધો ક૨વો, માલમિલકત વસાવવાં, નવી નવી ચીજવસ્તુઓની ખરીદી ક૨વી ઇત્યાદિ અનેક રીતે કામભોગો ભોગવવાની મનુષ્યની પ્રવૃત્તિ નિરંતર ચાલ્યા કરે છે, છતાં મનુષ્ય ક્યારેય ધરાયો નથી. મિષ્ટાન્ન ભોજન જમ્યા પછી થોડા કલાકમાં ફરી ભૂખ લાગે છે અને ફરી માણસ ખાવા માટે તલસે છે. પુદ્ગલના ભોગમાં તૃપ્તિ નથી, પણ જેમ તૃપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે તેમ તેમ અતૃપ્તિ વધતી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે : न जातु काम कामानां उपभोगेन शाम्यति । ઉપાધ્યાયજી મહારાજે ‘અધ્યાત્મસાર’માં કહ્યું છેઃ विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूयः एवोपवर्धते ।। [જેમ અગ્નિમાં ઇંધન નાખવાથી અગ્નિ હોલવાતો નથી પરંતુ શક્તિવાળો થઈ વધુ સળગે છે તેમ કામભોગ ભોગવવાથી વિષયો ક્ષીણ થતા નથી, પણ વૃદ્ધિ પામે છે.] વળી કહ્યું છેઃ ૧૪૯ जह जह पुग्गलभोगो तह तह वड्ढेइ विसयपि कसाई । इंद्रिय सुहा दुहा खलु अगिज्झा तओ विरत्ताणं ।। [જેમ જેમ પુદ્ગલનો ભોગ થાય છે તેમ તેમ વિષય અને કષાયની વૃદ્ધિ થાય છે. ઇન્દ્રિયોનું સુખ ખરેખર તો દુઃખરૂપ છે. એટલા માટે વિરક્ત થયેલાઓએ તે ગ્રહણ કરવા યોગ્ય નથી.] પુદ્ગલરૂપી વિષનું ભોજન કરવાથી વિષની અતૃપ્તિના માઠા ઓડકાર આવે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જ્ઞાનસાર બીજી બાજુ જ્ઞાનરૂપી અમૃતનો ઉપભોગ કરનારને, આત્મતત્ત્વમાં તન્મય બનનારને, સ્વસ્વરૂપમાં રમનારને અમૃતની તૃપ્તિના માત્ર એક જ ઓડકારનો નહિ, પણ ઓડકારની પરંપરાનો અનુભવ થાય છે. પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખ વચ્ચે કેટલું મોટું અંતર છે એ તો અનુભવથી વિશેષ સમજાય એવું છે. [૮] સુવિનો વિષયાતૃપ્તા દ્રોપેન્દ્રાવિયોવ્યો ! भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। १० ।। ८ ।। [શબ્દાર્થઃ સુરવન =સુખી; વિષયાતૃપ્તા=વિષયથી અતૃપ્ત; ન=નથી, ડ્રોપેન્દ્રીય =ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે; પિ=પણ; મો=અહો; મિક્ષ =ભિક્ષુ, સાધુ; =એક; સુરવી=સુખી છે; તોવે=જગતમાં; જ્ઞાનતૃપ્ત =જ્ઞાનથી તૃપ્ત; નિરંગ:=કર્મરૂપી અંજન (મેલ)થી રહિત.] અનુવાદ-અહો, વિષયોથી અતૃપ્ત એવા ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત અને નિરંજન (કર્મરૂપી મેલથી રહિત) એવા સાધુ જ સુખી છે. (૮) વિશેષાર્થ આ શ્લોકમાં કહ્યું છે કે ઇન્દ્ર વગેરે સુખી નથી. માત્ર ભિક્ષુ એટલે કે મુનિ જ સુખી છે. પ્રથમ દૃષ્ટિએ સામાન્ય માણસને આમાં વિરોધ લાગે. જેમની પાસે અપાર વૈભવ છે, ભોગવિલાસ છે એ ઇન્દ્ર સુખી નહિ પણ દુઃખી છે અને જેમની પાસે ભોગવવા માટેની કશી જ સામગ્રી નથી એ મુનિ સુખી છે એમ કેવી રીતે કહેવાય? અહીં સુખ પારમાર્થિક અર્થમાં લેવાનું છે. સુખની વિભાવના જુદી જુદી હોય છે. કચરો ખાનાર અને ગંદકીમાં રહેનાર ભુંડને પૂછવામાં આવે તો તે કહે કે “હું તો બહુ આનંદ અનુભવું છું. હું વિષ્ટાદિ યથેચ્છ ખાઈ શકું છું. ગંદી નાકમાંથી પાણી For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વૃષ્યષ્ટક ૧૫ ૧ પી લઉં છું. ધૂળ કે કાદવમાં સૂઈ જાઉં છું. મારે તો બસ આનંદ ને આનંદ જ છે. મારા જેવું સુખી કોઈ નહિ.” દેવોને મનગમતા વિષયો ભોગવવા મળે છે. મોટા વૈભવી આવાસો, ન કરમાય એવાં ફૂલોની માળા, અખંડ યૌવન, મનગમતી દેવાંગનાઓ, વેક્રિય લબ્ધિથી ગમે ત્યાં જવું, ગમે તેવાં રૂપ ધારણ કરવાં અને આ બધું ભોગવવા માટે હજારો, લાખો, કરોડો કે એથી વધુ વર્ષોનો સમય મળે. મનુષ્ય કરતાં દેવોનું સુખ કેટલું બધું ચડિયાતું છે ! પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવા પ્રકારના આટલા બધા સુખથી પણ દેવોને સંતોષ થતો નથી. તેમનું આયુષ્ય પૂરું થવા આવે અને ગળામાં પહેરેલી ફૂલની માળા કરમાવા લાગે એટલે તેઓ ગ્લાનિ, ઉદ્વેગ, અતૃપ્તિ અનુભવે છે. તેઓ શોકાતુર બને છે. જેમ ભૂંડ સુખી છે, પણ આપણને ભુંડના સુખની દયા આવે છે, તેમ સામાન્ય મનુષ્યોના અને દેવોના ભોગવિલાસ જોઈને જ્ઞાનીઓને તેમની દયા આવે છે, કારણ કે સાંસારિક મનુષ્યોએ જેને સુખ માન્યું છે તે જ્ઞાનીને મન ગંદકી છે, કીચડ છે. વસ્તુતઃ તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો આપણું સુખ તે સુખ નથી પણ શાતાવેદનીય કર્મનો ઉદય છે. શાતાવેદનીય અને અશાતાવેદનીય બંને અંતે તો દુઃખના જ પ્રકાર છે. કારણ કે બંને કર્મ છે, એટલે કે આત્મસ્વરૂપ માટે આવરણરૂપ છે. વિશેષ આવશ્યકભાષ્ય'માં કહ્યું છેઃ सायासायं दुक्खं तव्विरहंमि सुहं जओ तेण । देहेन्दिएसु दुक्खं सुक्खं देहिदियाभावे ।। | [શાતા અને અશાતા બંને દુઃખ જ છે. તે બંનેના અભાવમાં સુખ છે, કારણ કે દેહ અને ઇન્દ્રિયોમાં-(એના દ્વારા ભોગવાતું હોવાથી) દુઃખ છે અને દેહ તથા ઇન્દ્રિયોના અભાવમાં સુખ છે.] For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ જ્ઞાનસાર મનુષ્યનું ઇન્દ્રિયાર્થ સુખ તે સુખ તરીકે લાગે છે કારણ કે તે દુઃખના પ્રતિકારૂપ છે. પુણ્યના ફળ સ્વરૂપે આપણને જે સુખ ભોગવવા મળે છે તે પણ તાત્ત્વિક અને પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો દુઃખ જ છે. પરદ્રવ્યના નિમિત્તથી પ્રાપ્ત થતું સુખ સાચી પરમ તૃપ્તિનો અનુભવ ન કરાવી શકે. તો પછી સંસારમાં સુખી કોણ ? સુખી તે છે કે જે આત્મસ્વરૂપના જ્ઞાનથી તૃપ્ત છે અને રાગદ્વેષરૂપી મલિનતાથી મુક્ત-(નિરંજન) છે. આવી દશા સાચા જ્ઞાની ભિક્ષુઓની, મુનિઓની હોય છે. તેઓ આહાર ગ્રહણ કરે છે તે સ્વાદ માટે નહિ પણ સંયમના નિર્વાહ માટે કરે છે. તેઓ બીજી જે કંઈ ક્રિયાઓ કરે છે તે પરમાર્થે જ કરે છે. તેમની આત્મદશા ઘણી ઊંચી હોય છે. જ્ઞાની ભિક્ષુ નિત્ય સુખી છે. એ વિશે વાચક ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છેઃ स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथितो यः स नित्य सुखी ।। [જે પોતાના શરીર પર રાગ કરતો નથી, જે શત્રુ પર દ્વેષ કરતો નથી, જે રોગો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ભયથી વ્યથિત થતો નથી તે નિત્ય સુખી’ છે.] For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧૧. નિર્લેપાષ્ટક [૧] સંમારે નિવલન્ સ્વાર્થસપ્ન: ખ્ખનવેનિ 1 लिप्यते निखिलो लोक : ज्ञानसिद्धो न लिप्यते ।। ११ ।। १ ।। ૧૫૩ [શબ્દાર્થઃ સંસારે=સંસારમાં; નિવસન્ =રહેતો; સ્વાર્થસન્ન:=સ્વાર્થથી સજ્જ, સ્વાર્થમાં તત્પર; જ્ન=કાજળ; વેશ્મનિ=ઘરમાં; જિતે=લેપાય છે (કર્મથી), નિષ્વિત:=અખિલ, સમસ્ત; તો:=લોક; જ્ઞાનસિદ્ઘ:=જ્ઞાન વડે સિદ્ધ; 7=નથી; નિપ્યતે =લેપાતો.] અનુવાદ–કાજળના ઘર જેવા સંસારમાં રહેલો, સ્વાર્થમાં તત્પર એવો સમસ્ત લોક (કર્મથી) લેપાય છે. જે જ્ઞાનસિદ્ધ છે તે લેપાતો નથી. (૧) વિશેષાર્થ : સંસારને માટે વ્યવહારમાં કાજળની કોટડીનું રૂપક પ્રયોજાય છે. એનો આશય એ છે કે સંસારમાં હાલતાં અને ચાલતાં કર્મ બંધાય છે. કાજળની કોટડી હોય તો એમાં દિવાલો, છત, ભોંય બધે જ કાળું કાજળ હોય. અંદર જઈએ અને ગમે તેટલી સાવધાની રાખીએ તો પણ ક્યાંક તો હાથપગ, કપડાં અડી જાય અને કાળાં કાળાં થાય. એટલે કાજળની કોટડીમાં રહેનારને તો કાળા ડાઘા લાગ્યા વગર રહે જ નહિ. ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર લખ્યું છેઃ ‘ગોરો કોરો કુણ રહે, મિસ ઉરો કરી વાસ ?' મિસ એટલે કે મેંશ (કાજળ). એના ઓરડામાં વાસ કરનાર ગોરો અને કોરો ક્યાંથી રહી શકે ? આપણે ત્યાં કહેવત છે કે ‘કોલસાની દલાલી કરનારના હાથ કાળા થયા વગર રહે નહિ.’ ઘરાકને કોલસાના નમૂના બતાવવા પડે, કોલસાની ગુણો ભરવી પડે, જોખવી પડે, ઠાલવવી પડે, એ બધામાં હાથ તો કાળા થાય જ. ટોપલામાં કોલસા ભરીને ઘરે ઘરે પહોંચાડનાર મજૂરનાં કપડાં હંમેશાં કાળાં જ હોય. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જ્ઞાનસાર આ સંસાર પણ એવો જ છે. એમાં જીવો વિવિધ પ્રકારનાં કર્મોરૂપી કાજળથી લેપાયા કરે છે. જીવો સ્વાર્થપરાયણ છે, બહિર્મુખ છે, બાહ્ય પીગલિક સુખોની પાછળ દોડનારા છે. તેમની રાગદ્વેષની વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે. વળી તેમનામાં સ્વ–પરનો વિવેક નથી. ચૌદ રાજલોક કાર્મણ વર્ગણાના પુદ્ગલ-પરમાણુઓથી ભરેલો છે. જીવો સ્વાર્થમાં સજ્જ હોવાથી ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ સતત ચાલ્યા કરે છે. પરિણામે કર્મોથી જીવો સતત બંધાયા કરે છે. પરંતુ જેઓ જ્ઞાનસિદ્ધ છે તેઓ કર્મોથી લેવાતા નથી. જેઓને જોખમની જાણકારી હોય તેઓ જોખમથી બચી જઈ શકે છે. તેઓ અગમચેતી રાખે છે. એવી જ રીતે જે જીવો કર્મ કેવી રીતે બંધાય છે અને તેમાંથી કેવી રીતે છૂટી શકાય છે એ વિશે જાણે છે તેઓ એ માટે યોગ્ય પુરુષાર્થ કરે છે. તેઓ એ જ્ઞાન પોતાનામાં એવું પરિણત કરે છે કે જેથી તેઓ જ્ઞાનસિદ્ધ થાય છે અને કર્મોથી લેવાતા નથી. આવું કોઈક વિરલ જ્ઞાની મહાત્માઓ જ કરી શકે છે. [૨]વાર્દ પુનમાવાનાં વિતાડપિ વા नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ।। ११ ।। २ ।। [શબ્દાર્થ: ન=નથી; મર્દ હું, પુત્તિમાતાનો પુલ (પોદ્ગલિક) ભાવોનો; ર્તા કર્તા; કરનાર ારયિતા કરાવનાર; પિ પણ, વળી; =અને; ન નથી; મનુમન્તા=અનુમોદન કરનાર; પિકપણ; અને; તિ=એવા વિચારવાળો; માત્મજ્ઞાનવાન=આત્મજ્ઞાની; તિ =લેપાય; થ=કેમ.] અનુવાદ-હું પોલિક ભાવોનો કર્તા, કરાવનાર અને તેને અનુમોદન આપનાર નથી, એવા વિચારવાળો આત્મજ્ઞાની કેવી રીતે લેપાય ? (૨). વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરતા સર્વ જીવોનો ઘાતી, અઘાતી કર્મો સાથે સંબંધ નિરંતર ચાલ્યા કરે છે, એનું કારણ પુદ્ગલ દ્રવ્ય સાથેનો એનો For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧ ૫૫ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એ છે. હવે શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા નિર્લેપ છે. તે પુગલોથી લપાતો નથી. પુદ્ગલ સાથેની ત્રણ મુખ્ય ક્રિયાથી તે અલિપ્તતા અનુભવે છે. શુદ્ધ નિશ્ચયનયથી આવા આત્માને નિર્લેપ આત્મા કહ્યો છે. આવા આત્મજ્ઞાની મહાત્મા અનુભવે છે કેઃ (૧) હું પુગલભાવોનો કર્તા નથી. (૨) હું પુગલભાવો બીજા પાસે કરાવનાર નથી. (૩) હું કોઈનાય પુદ્ગલભાવોની અનુમોદના કરનાર નથી. આમ જે આત્માને પુગલોનું ગ્રાહકપણું નથી, ભોક્તાપણું નથી અને કારકપણું નથી તે આત્મજ્ઞાની પુગલથી લેવાતા નથી. તેવા આત્મજ્ઞાની અનુભવે (૧) હું કેવળ જ્ઞાનમય છું. (૨) હું પુગલોનો કર્તા નથી. હું કર્મનો કર્તા નથી. હું મારા જ્ઞાયક ભાવનો કર્તા છું અને ભોક્તા છું. હું મારા આત્મગુણોનો કર્તા-ભોક્તા છું. આ શુદ્ધ નિશ્ચયનયથી કહ્યું છે. નિશ્ચયનય પ્રમાણે આમ અનુભવવું એ ઘણી ઊંચી આત્મદશાની વાત છે. જેઓને રાગદ્વેષ, વિષયકષાય રહ્યાં નથી એવા જ્ઞાની મહાત્માની આ વાત છે. [૩] નિધ્યને પુત્રનો જ તિર્થ પુત્રેરમા चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ।। ११ ।। ३ ।। [શબ્દાર્થઃ તિગતે લેપાય છે; પુતિન્ય =પુદ્ગલોનો સ્કંધ; ન=નથી; તિર્થે લપાતો; પુસૈ=પુલો વડે; મર=હું; ચિત્રવ્યોમ=વિચિત્ર આકાશ; મજ્જનેન=અંજન વડે; ડ્રવ=જેમ; ધ્યાયન=ધ્યાન કરતો આત્મા; ન=નથી; તિગતે=લેપાતો.] અનુવાદ-પુદ્ગલનો સ્કંધ પુદ્ગલો વડે લેપાય છે. હું પુગલોથી લેપાતો For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જ્ઞાનસાર નથી. “જેમ અંજન વડે વિચિત્ર આકાશ' (લેપાતું નથી, તેમ ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. (૩) વિશેષાર્થ ? જીવ (આત્મા), પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલનો સંયોગ-સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. ચૌદ રાજલોકમાં–લોકાકાશમાં–કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ ભરેલાં છે. જીવ જ્યારે વિભાવ દશામાં આવીને જે રાગાદિ ભાવો કરે છે એટલે કે શુભાશુભ કર્મો બાંધે છે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ તેના આત્મપ્રદેશોને વળગે છે. આ રીતે પ્રત્યેક સંસારી જીવનું કાર્મણ નામનું અત્યંતર શરીર હોય છે. એમાં જૂનાં કેટલાંક કર્મો ખરી પડે છે અને નવાં કર્મ બંધાય છે. એમાં પુદ્ગલની પુદ્ગલ સાથેની ક્રિયા હોય છે. પૂર્વનાં કાર્મિક પુગલસ્કંધો સાથે બીજાં નવાં પુગલો મળવાથી એટલે કે સંક્રમાદિ ઉપચયની ક્રિયા થવાથી પુદ્ગલસ્કંધો લેપાય છે. આત્મા લપાતો નથી. વસ્તુતઃ જીવનું કાર્પણ શરીર પુદ્ગલરૂપ જ છે. એ સાથે આત્મા સંલગ્ન થાય છે, પરંતુ આત્મા અને પુગલનો સંબંધ સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ, એકરૂપ થઈ જવાનો સંબંધ નથી. પુગલ પરમાણુઓ આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાડે નીરક્ષીરની જેમ રહેલા હોવા છતાં આત્મા પુગલરૂપ બનતો નથી. કે પુગલો આત્મારૂપ બનતાં નથી. શરીરમાં આત્મા અને પુગલોનો સંબંધ ઔપચારિક છે, તાત્ત્વિક નથી. અહીં આકાશ અને રંગોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આકાશ સ્વચ્છ, નિર્મલ છે. તે ક્યારેય રંગાતું નથી. કોઈ આકાશને ક્યારેય રંગ ચોપડી શકે નહિ. આમ છતાં આકાશમાં વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે, વાદળાંઓ હોય ત્યારે કે ઇન્દ્રધનુષ્ય હોય ત્યારે આકાશ વિવિધ રંગો ધારણ કરે છે, પણ એ રંગો આકાશના પોતાના નથી. આકાશ ક્યારેય રંગાતું નથી. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧૫૭ અહીં સાધકને ભલામણ કરવામાં આવી છે કે પુદ્ગલોથી હું લપાતો નથી, હું તો શુદ્ધ આત્મા છું' એવું ધ્યાન ધરવાથી આત્મા લપાતો નથી એટલે કે કર્મોથી બંધાતો નથી. અલબત્ત, આ ભલામણથી એમ ન માની લેવું કે થોડીક વાર ધ્યાનમાં બેસી ગયા અને “હું પુદ્ગલથી લપાતો નથી.” એવું મનમાં રટણ કરવા લાગી ગયા એટલે તરત કર્મો બંધાતાં બંધ થઈ જશે. એ માટે દીર્ધકાળના ધ્યાનાભ્યાસની જરૂર છે અને ધ્યાન માટેની પૂર્વ તૈયારીની પણ આવશ્યકતા છે, કારણ કે “આ મારું ઘર છે', “આ મારો પુત્ર છે”, “આ મારી દુકાન છે', આજે રસોઈ સરસ બની છે”, “ક્યાંકથી દુર્ગધ આવે છે,” “આ મારો શિષ્ય છે', “આ મારો ગ્રંથ છે' ઇત્યાદિ પ્રકારનાં વાક્યો સર્વ સ્થળે સર્વ કાળે સાંભળવા મળે છે. એ બતાવે છે કે જીવને પુદ્ગલ સાથેનો સંબંધ સતત રહ્યા કરે છે અને હૃદયમાં તેવા પ્રકારના ભાવો પણ થયા કરે છે. એટલે દીર્ઘકાળના તેવા પુદ્ગલાભ્યાસને તોડીને ધ્યાન વડે પોતાની જાતને પુદ્ગલથી અલિપ્ત અનુભવી શકાય છે. [८४] लिप्तताज्ञानसंपातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ।। ११ ।। ४ ।। [શબ્દાર્થ નિતતાજ્ઞાન=લિપ્તપણાનું (આત્મા કર્મથી લેપાય છે, આત્મા કર્મબદ્ધ છે એવું) જ્ઞાન; સંપાત આગમન; પ્રતિપાતી =રોકવા માટે વેત—કેવળ, નિર્નપજ્ઞાન=નિર્લેપપણાનું જ્ઞાન, આત્મા નિર્લેપ છે એવું જ્ઞાન; મનસ્ય=એમાં મગ્ન થયેલાને; યિા=ક્રિયા, આવશ્યકાદિ ક્રિયાઓ; સર્વા=સર્વ બધી; ૩પયુજ્યતે–ઉપયોગી થાય છે.] અનુવાદ-“આત્મા નિર્લેપ છે'—એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ “આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તજ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે. (૪) For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જ્ઞાનસાર વિશેષાર્થ લિપ્તતા એટલે લેપાવું, ચોંટવું. લિપ્તતાજ્ઞાન એટલે આત્મા કર્મથી લેપાય છે, કર્મથી બંધાય છે એવું જ્ઞાન. કર્મથી બંધાવું એટલે આત્માની વિભાવદશા. સંપાત એટલે આવી પડવું, આગમન થવું. પ્રતિઘાત એટલે નાશ થવો અથવા અટકાવવું. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વિનના નિવારણ માટે ક્રિયાઓ આવશ્યક છે, ઉપકારક છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા કદાપિ પુગલોના સંસર્ગથી લપાતો નથી. આત્મા સ્ફટિક જેવો નિર્મળ છે અને પુદ્ગલોથી અલિપ્ત છે. કોઈ યોગી મહાત્મા નિર્લેપ જ્ઞાનમાં મગ્ન હોય, એટલે કે “હું નિર્લેપ છું” એવી જ્ઞાનધારામાં આરૂઢ થયા હોય ત્યારે એમની વંદન, પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, ઇત્યાદિ પ્રકારની આવશ્યક ક્રિયાઓ સ્વાભાવિક રીતે છૂટી જાય છે. વળી આવી ઉચ્ચ દશામાં આવશ્યક ક્રિયાઓનું પ્રયોજન રહેતું નથી. પરંતુ આવા ધ્યાનયોગીઓની જ્યારે ધ્યાન દશા પૂરી થાય છે એટલે કે ધ્યાનદશાથી તેઓ નિવૃત્ત થાય છે અને વ્યુત્થાનદશા પ્રાપ્ત થાય છે ત્યારે તેઓએ આવશ્યકાદિ ક્રિયાઓ કરવી જોઈએ. એ કરવામાં આવે તો નિર્લેપજ્ઞાનથી વિપરીત એવું લિપ્તતાજ્ઞાન આવતું અટકી જાય છે. જે મુનિઓ નિર્લેપજ્ઞાનમાં મગ્ન નથી એટલે કે એવી ધ્યાનધારા પર આરૂઢ થયા નથી તેઓ તો સમજે છે કે પોતે કર્મોથી લેવાયેલા છે. એ લિપ્તતાને દૂર કરવા માટે તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ કરે છે. જેઓ નિર્લેપજ્ઞાનથી ધ્યાનધારામાં વધુ સમય ટકી શકે છે તેમને તેટલો સમય આવશ્યકાદિ ક્રિયાઓ કરવાની હોતી નથી. પરંતુ વ્યુત્થાન પછી જો તેઓ આવશ્યક ક્રિયાઓ ન કરે તો તે ફાજલ સમયમાં વાતોમાં કે તેવી પ્રવૃત્તિઓમાં પડી જવાનો સંભવ રહે છે, એટલે કે તેમનાથી વિભાવદશામાં આવી જવાય છે. એમ ન થાય એટલા માટે પણ આવશ્યકાદિ ક્રિયાઓ વ્યુત્થાનકાળમાં ઉપયોગી છે. જિનભક્તિ, વંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ નિર્લેપભાવનું પોષણ કરનારી નીવડે છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧૫૯ આવશ્યક ક્રિયાઓ એવી છે કે એમાં ચિત્ત પરોવાયેલું રહે છે એટલે વિષયકષાય તરફ તે દોડી જતું નથી. વળી તે પ્રમાદી બની જતું નથી. ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો જ્યાં સુધી ચિત્ત પ્રમાદમાં જોડાયેલું હોય ત્યાં સુધી ધર્મધ્યાનમાં સ્થિર થઈ શકાતું નથી. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી પ્રમાદોનું જોર હોય છે ત્યાં સુધી નિર્લેપતામાં સ્થિર થઈ શકાતું નથી. એવી નિર્લેપ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી ધ્યાનનું આલંબન લેવામાં આવે તો તે ફળ આપતું નથી. પહેલાં આવશ્યકાદિ ક્રિયાઓથી વિષયકષાયના દોષોને દૂર કરવા જોઈએ. નિર્લેપત્તાનમાં મગ્નતા એ સામાન્ય મુનિઓ માટે શક્ય નથી. સાતમા ગુણસ્થાનકનો જેઓ સ્પર્શ કરે છે એમને માટે એ છે. [૮૫] તપશુતાતિના મત્ત: ક્રિયાવાન નિતે . भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।। ११ ।। ५ ।। [શબ્દાર્થ તપશ્રુતાવિના–તપ અને શ્રુતજ્ઞાન વગેરેથી; મ =મર, મદવાળો, અભિમાનવાળો; યિાવાનપિ=ક્રિયાવાન હોય તો પણ; તિષ્યતે લેપાય છે; ભાવનાજ્ઞાન=ભાવનાજ્ઞાન, તત્ત્વજ્ઞાન સંપન્ન પરિપૂર્ણ; નિષ્ક્રિય =ક્રિયારહિત હોય; પતો પણ; ન=નથી; સિંધ્યતે–પાતો.] અનુવાદ–તપ અને શ્રુતજ્ઞાનના અભિમાનવાળો દિયાવાન હોય તો પણ લેપાય છે. ભાવનાજ્ઞાન વડે પરિપૂર્ણ હોય તે ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી. (૫) વિશેષાર્થ: તપશ્ચર્યા અને શ્રુતાભ્યાસ એ સાધક મુનિ ભગવંતના જીવનના આવશ્યક કાર્યો મનાય છે. અધ્યાત્મવિકાસનાં એ મહત્ત્વનાં સોપાન છે. પરંતુ તપશ્ચર્યા અને શ્રુતાભ્યાસ એ બંનેનું એક મોટું ભયસ્થાન તે એમાંથી ઉદ્ભવતો અહંકાર છે, મદ છે. જેમ તપશ્ચર્યા વધતી જાય તેમ સાધકને એમ લાગે કે પોતે જેવી તપશ્ચર્યા કરે છે એવી કોઈ કરતું નથી, કરી શકતું નથી. પછી આત્મશ્લાઘા For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જ્ઞાનસાર ચાલવા લાગે છે અને ક્યારેક તપશ્ચર્યા ન કરનારની અવહેલના કરનારાં વચન બોલાય છે. આવું જ શ્રુતાભ્યાસની બાબતમાં પણ થાય છે. શ્રુતજ્ઞાનીના માન-સન્માન થાય છે અને એ એમને ગમવા લાગે છે. વસ્તુતઃ તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ દ્વારા આત્મવિકાસ અને મોક્ષપ્રાપ્તિ માટેની અભિરુચિ વધવી જોઈએ. તેવી ભાવના દઢ થવી જોઈએ. જેઓ તપ વગરે બાહ્ય ક્રિયાઓ કરીને અટકી જાય છે તેમના જીવનમાં અંતરંગ પરિણતિ થતી નથી. પછી તેઓ આત્મશ્લાઘાદિમાં પડી જાય છે. પરિણામે તેઓ કર્મથી લેવાય છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે એના કરતાં તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ ન કરવાં એ સારું. વસ્તુતઃ એમ માનનાર પણ કર્મથી લેપાય છે. સાધકે શ્રુતજ્ઞાનના યથાર્થ બોધથી ભાવનાજ્ઞાન સુધી પહોંચવાનું છે. એ માટે પોતાના ચિત્તને ભાવિત કરવાનું છે. આવા ભાવનાજ્ઞાનવાળા સાધકથી તપશ્ચર્યા વગેરે બાહ્ય ક્રિયાઓ ન થતી હોય તો પણ તે લપાતો નથી, એટલે કે તેને તેવાં કર્મબંધ થતાં નથી. આવશ્યકાદિ ક્રિયાઓ કર્મબંધ અટકાવવા માટે છે. એટલે જે સાધક કષાયરહિતપણે એ ક્રિયાઓ કરતો હોય તે તો લપાતો નથી, પણ જે જ્ઞાની મહાત્મા હોય પણ ક્રિયારહિત હોય તે પણ લેખાતા નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે ભાવનાજ્ઞાન ધરાવનારને ક્રિયા માટે આદર નથી કે તે કરવા માટે તેમને પ્રમાદ હોય છે. પરંતુ તેઓ હવે એવી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા છે કે શરીરની અશક્તિ કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે બાહ્ય ક્રિયાઓ તેમનાથી ન થાય તો પણ તેમની અંતરંગ પરિણતિ એવી ઊંચી હોય છે કે તેમને કર્મબંધ થતો નથી. નિષ્ક્રિય હોવા છતાં તેઓ લપાતા નથી. [८६] अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुद्ध्यत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तयाशा ।। ११ ।। ६ ।। [શબ્દાર્થ અનિ:=કર્મથી નહિ લેપાયેલો, નહિ બંધાયેલો; નિશયેન=નિશ્ચય For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧ ૬ ૧ નયથી; માત્મા=જીવ; નિત =કર્મથી બંધાયેલો છે; =અને; વ્યવહારત:= વ્યવહાર નયથી; શુદ્ધતિ–શુદ્ધ થાય છે; નિત=અલિપ્ત (દષ્ટિ) વડે; જ્ઞાની=જ્ઞાની, જ્ઞાનવાળો; યિાવા=ક્રિયાવાળો; સિદ્ધયાશા=લિપ્ત દૃષ્ટિથી.] અનુવાદ-નિશ્ચયનયથી આત્મા કર્મથી લેપાયેલો નથી; વ્યવહારનયથી લેપાયેલો છે. જ્ઞાની (જ્ઞાનયોગી) અલિપ્ત દષ્ટિએ શુદ્ધ થાય છે. દિયાવાન લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે. (૬) વિશેષાર્થ: આધ્યાત્મિક વિકાસમાં બધા જીવો એકસરખી કક્ષાના કે એકસરખી દશાના નથી હોતા. વળી આત્માની શુદ્ધિ માટે નિશ્ચયનય અને વ્યવહારનય બંનેનો મત જુદો જુદો છે, તેમ છતાં બંને કે બેમાંથી કોઈ એક ખોટો છે એમ નહિ કહી શકાય. શુદ્ધ નિશ્ચયનયના મતે આત્મા અલિપ્ત છે એટલે કે કર્મથી લેપાયેલો અથવા બંધાયેલો નથી. વળી આ નય માને છે કે આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોકતા પણ નથી. વ્યવહારનય કહે છે કે આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોકતા છે. આત્મા લિપ્ત કર્મથી લેપાયેલો એટલે કે કર્મથી બંધાયેલો છે અને કર્મક્ષય કરતાં કરતાં તે વિશુદ્ધ થાય છે. અહીં જ્ઞાનયોગી અને કર્મયોગી એ બંને પ્રકારના સાધકો આત્મશુદ્ધિ કેવી રીતે કરે છે તે બતાવ્યું છે. પ્રારંભ દશાના સાધકને પોતાનાં શુભાશુભ કર્મોનો ખ્યાલ હોય છે. તે પોતાના આત્માને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ કરે છે. તે વિનય-વૈયાવચ્ચ, તપશ્ચર્યા, સ્વાધ્યાય ઇત્યાદિ ક્રિયા વડે કર્મો ખપાવી વિશુદ્ધ બનવા પ્રયત્ન કરે છે. આવી ક્રિયા કરનાર સાધક ક્રિયાયોગી છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે ચડતાં સાધકની નિશ્ચય દૃષ્ટિ ઊઘડે છે. તેને લાગે છે કે પોતાનો આત્મા અલિપ્ત છે એટલે કર્મથી બંધાયેલો નથી. તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન છે. તે કર્મનો કર્તા નથી અને ભોકતા પણ નથી. હવે તે પોતાના જ્ઞાનના બળથી For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૨ રસાનસાર વિભાવદશાથી મુક્ત બનવાનો પુરુષાર્થ આદરે છે. તે સ્વભાવદશામાં રમવા લાગે છે. હવે તે જ્ઞાનયોગી બને છે. આમ ક્રિયાયોગી અને જ્ઞાનયોગી બંને પોતપોતાની ભૂમિકા પ્રમાણે યોગ્ય છે. પરંતુ આરંભદશાનો કોઈ સાધક ક્રિયાનો અનાદર કરે તો તે ઉપરના ગુણસ્થાનકે પહોંચી શકતો નથી. [૮૭] જ્ઞાનક્રિયસમાવેશઃ સવોનીને દૂયો: .. ભૂમિકામે તર્વત્ર મુક્યતા II ૨૨ ૭ . [શબ્દાર્થ જ્ઞાનક્રિયસમાવેશ =જ્ઞાન અને ક્રિયાનો સમાવેશ છે. અર્થાત્ બને એકરૂપ છે. સત્ર=સાથે; ૩ી ને=ઊઘડતાં; દ્રયો:=બંને દૃષ્ટિ; ભૂમિમેવત:=ભૂમિકાના ભેદથી, ગુણસ્થાનકરૂપ અવસ્થાના ભેદથી; તુ=પણ, અને મંત્ર=અહીંજ્ઞાનક્રિયામાં; મહોય; મુક્યતા=એક એકનું મુખ્યપણું.] અનુવાદ–બંને દૃષ્ટિ સાથે ઊઘડતાં જ્ઞાન અને ક્રિયાની એકતા છે અને (જ્ઞાનક્રિયામાં) ભૂમિકાના (ગુણસ્થાનરૂપ અવસ્થાના) ભેદથી એક એકનું મુખ્યપણું હોય છે. (૭) વિશેષાર્થ ? જ્ઞાન અને ક્રિયા એ બંને મોક્ષમાર્ગરૂપી રથનાં બે ચક્ર છે. વ્યવહારજીવન લઈએ અથવા ધર્મજીવન લઈએ–બંનેમાં જ્ઞાન અને ક્રિયા સાથે રહેવાં જોઈએ. સાંસારિક જીવનવિકાસમાં અને આત્મશુદ્ધિમાં જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. આરંભના કાળમાં ક્રિયાનું પ્રાધાન્ય હોય છે ત્યારે યકિંચિત જ્ઞાન તો હોય જ છે. આમ ભૂમિકા ભેદ પ્રમાણે એક અથવા બીજાની મુખ્યતા રહે છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી ક્રિયાની મુખ્યતા હોય છે, પરંતુ તેમાં પણ જ્ઞાનની સાપેક્ષતા ન હોય તો સાધક ક્રિયાજડ બની For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧ ૬ ૩ જાય છે. સાતમાં અને ઉપરના ગુણસ્થાનકે ધ્યાનની દશામાં જ્ઞાનની મુખ્યતા હોય છે. જ્ઞાનદૃષ્ટિ અને ક્રિયાદૃષ્ટિ બંને સાથે ઊઘડતાં, જ્ઞાન અને ક્રિયા બંનેનો સમાવેશ અર્થાત્ એકીભાવ હોય છે. ભગવતી સૂત્રની ટીકા'માં કહ્યું છેઃ जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं छिज्जइ अनेण उ तच्चं ।। [જો તું જિનમતનો સ્વીકાર કરે, તો વ્યવહાર અને નિશ્ચય એ બંનેને છોડતો નહિ, કારણ કે એક વિના વ્યવહાર વિના) તીર્થનો ઉચ્છેદ થાય અને અન્ય વિના (નિશ્ચય વિના) તત્ત્વનો (સત્યનો) નાશ થાય.] આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ नाणं पगासगं, सोहगो तवो, संजमो उ गुत्तिकरो। तिण्हं पि समाओगे मुक्खो जिणसासणे भणिओ ।। [જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ ગુપ્તિકર (રક્ષણ કરનાર) છે. આ ત્રણેના સમાયોગથી મોક્ષ છે એમ જિનશાસનમાં કહ્યું છે.] શ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું છે, એકાન્ત જ્ઞાનની રુચિવાળો સમ્યગ્દષ્ટિ નથી. પરંતુ સાપેક્ષ સમાવેશ એટલે બંનેનો સંયોગ સાધનરૂપે નિર્ધારવા યોગ્ય છે. [૮] જ્ઞાન યવનુષ્ઠાનં ર લિપ્ત રોષપદ્વત: | शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः ११ ।। ८ ।। [શબ્દાર્થઃ સજ્ઞાનં=જ્ઞાન સહિત; યવનુષ્ઠાનં=જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન હોય; ત્તિતં=ન લેપાયેલું; ટોપd:=દો જરૂપ કાદવથી, કચરાથી; શુદ્ધબુદ્ધસ્વભાવાય શુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવવાળા; તમૈ=0; માવતે=ભગવંતને; નમ:=નમસ્કાર હો !] અનુવાદ-જ્ઞાનસહિત જેનું (ક્રિયારૂપ) અનુષ્ઠાન દોષરૂપ કાદવથી લેપાયેલું For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૪ જ્ઞાનસાર નથી એવા શુદ્ધ જ્ઞાનમય સ્વભાવવાળા તે ભગવંતને નમસ્કાર હો! (૮) વિશેષાર્થ : અનુષ્ઠાન એટલે વિધિપૂર્વક કરાતી ક્રિયા. આ ક્રિયા જ્ઞાન સહિત હોવી જોઇએ. જો તે જ્ઞાન સહિત ન હોય તો તેમાં દોષો પ્રવેશવાનો સંભવ રહે છે. વળી તેનું તેટલું ફળ મળે નહિ. સાધક જે અનુષ્ઠાન કરે છે તેનું પ્રયોજન તેના મનમાં સ્પષ્ટ હોવું જોઇએ. તેના ફળ વિશે પણ તેને સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. ક્રિયાનું સ્વરૂપ તેનું વિધિવિધાન ઇત્યાદિની યોગ્ય માહિતી તેની પાસે હોવી જોઈએ. આ તો અનુષ્ઠાન વિશેના જ્ઞાનની વાત થઈ. પણ તે ઉપરાંત સદનુષ્ઠાન, સમ્યગુજ્ઞાન અર્થાત્ મોક્ષમાર્ગનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. સામાન્ય અનુષ્ઠાનમાં રાગદ્વેષ, અહંકાર, માયામમતાના દોષો જાણતા-અજાણતાં સાધકના ચિત્તમાં પ્રવેશી જવાનો સંભવ છે. એટલે સદનુષ્ઠાન પણ સમ્યગુજ્ઞાનપૂર્વકનું હોય તો જ તે દોષોથી લેપાય નહિ. એ અનુષ્ઠાન કરતી વખતના ભાવો કષાયરહિત હોવા જોઈએ કે જેથી તે કર્મબંધનું કારણ બને નહિ. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બેનો જેમના જીવનમાં સમન્વય થયો છે એવા શુદ્ધબુદ્ધ યોગી મહાત્માઓને અહીં નમસ્કાર કરવામાં આવ્યો છે. તેઓ સંસારમાં રહેલા હોવા છતાં, દેહાદિના ધર્મો બજાવતા હોવા છતાં રાગદ્વેષથી પર, નિર્લેપ રહે છે અને અખંડ જ્ઞાનમય, આનંદમય, અવિનાશી એવા આત્મસ્વરૂપની તેઓ સાધના કરે છે. એવા આત્મજ્ઞાની ભગવંતોને નમસ્કાર થાઓ ! For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૬ ૫ ૧૨. નિઃસ્પૃહાષ્ટક [८८] स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । રૂત્યાઐશ્વર્યસંપન્નો નિ:સ્પૃહો નાતે મુનઃ | ૨ | ૨ || [શબ્દાર્થ સ્વભાવનામાઆત્મસ્વભાવની પ્રાપ્તિથી, વિપકબીજું કંઈ પણ; પ્રાપ્તચૅ=પ્રાપ્ત કરવા યોગ્ય; ન=નથી; મશષ્યતે–બાકી રહેતું; તિ=એમ; મામૈશ્વર્યસંપન્ન:=આત્માના ઐશ્વર્યથી યુક્ત; નિસ્પૃદુઃ=નિઃસ્પૃહ; સ્પૃહા રહિત; ઇચ્છા વિનાનો; નાતે= થાય છે; મુનિ:=મુનિ, સાધુ અનુવાદ-આત્માના સ્વભાવ સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એ રીતે આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ નિ:સ્પૃહ થાય છે. (૧) વિશેષાર્થ : નિઃસ્પૃહતા વિશેના અષ્ટકના આ પ્રથમ શ્લોકમાં જ ઉપાધ્યાયજી મહારાજે સમગ્ર આધ્યાત્મિક સાધનાનો નિચોડ આપી દીધો છે. તેઓ કહે છે કે મોક્ષમાર્ગના યાત્રીઓ માટે “સ્વભાવ'ના લાભ સિવાય બીજું કશું જ પ્રાપ્ત કરવા જેવું નથી. મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને જ્યાં સુધી જીવ પોતાના શરીરને શણગારવા અને સશક્ત રાખવા માટે પ્રયત્નો કરે છે, સ્વજનો અને પરિવારનો આનંદ મેળવવા ઝંખે છે, ઘર, મિલકત, વાડી ગાડી ઇત્યાદિનો વૈભવ માણવા ઝંખે છે, સ્વાદિષ્ટ ભોજનની મિજબાનીઓમાં મહાલવા ઇચ્છે છે, મોટાઈ, માનસન્માન અને યશકીર્તિની અભિલાષા સેવે છે ત્યાં સુધી આ બધાંથી ભિન્ન એવા આત્મતત્ત્વ તરફ, સ્વરૂપ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં એને રસ નથી પડવાનો. અરે, એ વિશે એને કશી જાણકારી પણ નથી હોતી. અનાદિ મિથ્યાત્વના ગાઢ અંધકારનું For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર જ એ કારણ છે. મોહનીય કર્મનો જ એ પ્રબળ પ્રભાવ છે. જ્યારે માણસને સમજાય છે કે દેહથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે અને એની સાધના એ જ સાચી સાધના છે ત્યારે એ પુરુષાર્થ કરવા પ્રેરાય છે. બધાનો પુરુષાર્થ એકસરખો હોતો નથી અને એકસરખો સફળ થતો નથી, કારણ કે અનાદિ કાળથી વળગેલી સંજ્ઞાઓ જુદી જુદી રીતે કામ કરે છે. જીવને સમજાવું જોઈએ કે ભૌતિક ઐશ્વર્ય, લૌકિક સિદ્ધિઓ, યશકીર્તિની કામનાઓ ઇત્યાદિ બધું વિનશ્વર છે, નાશવંત છે. આ જીવે પોતે ભવ-ભવાન્તરમાં અનંત વાર આ બધું ભોગવ્યું છે અને છતાં ક્યારેય પોતે ધરાયો નથી. આ ઐશ્વર્ય સનાતન નથી, ક્ષણિક છે. એનો કાળ આવતાં એ નષ્ટ થઈ જશે. એની પ્રાપ્તિનો આનંદ અલ્પકાલીન છે. સાચું સનાતન સુખ તે આત્મ સ્વભાવની પ્રાપ્તિનું અહીં મુનિની વાત કરવામાં આવી છે. જેમણે ગૃહત્યાગ કરી મુનિપણું સ્વીકાર્યું છે તેઓને હવે ભૌતિક ઐશ્વર્યની કોઈ સ્પૃહા ન રહેવી જોઈએ. એટલું જ નહિ એનો મહિમા પણ મનમાં ન હોવો જોઈએ. અમારા કરતાં ગૃહસ્થો લાડી, વાડી, ગાડીનું કેવું સરસ સુખ ભોગવે છે' –એવો વિચાર મનમાં ઊગે કે તરત મુનિનું ભાવમુનિપણું ચાલ્યું જાય છે. પુદ્ગલાનંદી સ્વભાવ એ મુનિનું લક્ષણ નથી. સાચું મુનિપણું સ્વીકારનાર ભવાભિનંદી બની ન શકે. એનું લક્ષ્ય તો મુક્તિનું, સિદ્ધાવસ્થાનું જ હોય. એમાં જ લોકોત્તર સુખ રહેલું છે. એટલે સાચા મુનિઓ સદા નિઃસ્પૃહ હોવા જોઈએ. શ્રી દેવચંદ્રજી મહારાજે આ અષ્ટકનું વિવેચન કરતાં જુદા જુદા નયથી નિઃસ્પૃહતાને ઘટાવી છે. તેઓ લખે છે, નગમ નયથી જીવ અને અજીવમાં નિઃસ્પૃહ, સંગ્રહનયથી અને વ્યવહારનયથી અજીવમાં નિઃસ્પૃહ, ઋજુસૂત્રનયથી પોતાને ભોગવવા યોગ્ય પદાર્થોમાં નિઃસ્પૃહ, શબ્દનયથી અને સમભિરૂઢનયથી શુભ નિમિત્તોને પરાધીન એવા સાધનના પરિણામોમાં નિઃસ્પૃહ અને એવંભૂતનયથી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૬૭ પોતાના સાધનના પરિણામથી પ્રાપ્ત ભેદજ્ઞાન, સવિકલ્પ ચારિત્ર, શુકલધ્યાન અને શેલેશીકરણ વગેરેમાં નિઃસ્પૃહ કહેવાય છેપ્રથમના ચાર નય નિસ્પૃહતાના સાધન માટે છે અને છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ નિઃસ્પૃહતા સિદ્ધ છે. પરભાવમાં રમનાર જીવોની સુખ માટેની તૃષ્ણા અનાદિ કાળથી ચાલી આવે છે. એ પરદ્રવ્યની સ્પૃહા શાન્ત થવાની નથી. પરંતુ પારદ્રવ્ય વિશે ઇચ્છારહિત થઈને આસવોનો ત્યાગ કરીને, સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ઐશ્વર્ય વડે મુનિ સર્વકર્મનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાના અવ્યાબાધ, અક્ષય, અનંત સુખને પામી શકે છે. [eo] સંયોગિતરે તે પ્રાર્થને પૃહાવહૈ. માત્રાનપાત્રસ્થ નિ:સ્પૃહસ્થ તૃપ નન્ II ૨૨ / ૨ . [શબ્દાર્થ સંયોનિત =જેના હાથ જોડેલા છે એના વડે; તે =કોણ કોણ; પ્રાથ્યૉ=પ્રાર્થના કરાય છે; ન=નથી; પૃદાવહૈ =સ્પૃહાવાળા માણસો દ્વારા; માત્ર અમર્યાદિત; જ્ઞાનપત્રણ્ય જ્ઞાનના પાત્ર; નિ:સ્પૃહ નિસ્પૃહ (મુનિ)ને; તૃબં–તૃણવત્, તણખલા જેવું; ના=જગત, દુનિયા.] અનુવાદસ્પૃહાવાળા માણસો બે હાથ જોડીને કોની કોની પાસે યાચના કરતા નથી ? અસીમ જ્ઞાનના સ્વામી એવા નિ:સ્પૃહ મુનિને તો જગત તણખલા જેવું લાગે છે. (૨) વિશેષાર્થ : માણસ બીજાની પાસે જ્યારે કંઈક માગે છે, તે માટે કરગરે છે ત્યારે કુદરતી રીતે એના બે હાથ જોડાઈ જાય છે. “તમારી આગળ હું તુચ્છ છું, દીન છું. લાચાર છું.” એવો ભાવ માગણી કરનાર મનુષ્યમાં રહેલો હોય છે. કૂતરાને પણ કંઈ ખાવું હોય છે તો પૂંછડી પટપટાવે છે. દીનતાની સાથે સામી વ્યક્તિની પ્રશંસાનો, વધુ પડતી ખુશામતનો ભાવ આવે છે. આવે વખતે કેટલીક For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વાર માણસના મનના ભાવો એક પ્રકારના હોય છે અને એના ઉચ્ચારાતા શબ્દો બીજા પ્રકારના હોય છે. એમાં વિસંગતિ અને માયાચાર પણ હોય છે. અંતરમાં ધિક્કા૨ અને ‘મુખે તો જી જી કરેજી' એવી સ્થિતિ પણ હોય છે. આ બધું કોને કરવું પડે છે ? જેના હૃદયમાં સ્પૃહા પડેલી હોય છે, જેને કશુંક મેળવવું છે તેઓને આવાં નાટકો કરવાં પડે છે. પોતાનાથી વધુ શ્રીમંત, વધુ લાગવગવાળી, વધુ સત્તાધારી, વ્યક્તિ આગળ માણસ નમતો રહે છે અને કંઈક મહેરબાની મેળવવાની આશામાં ભટકતો રહે છે. જ્ઞાનસાર જેઓ નિઃસ્પૃહ છે તેઓ ક્યારેય દીનતાપૂર્વકનાં કે ખુશામતનાં અતિશયતાયુક્ત વચનો ઉચ્ચારતા નથી. જેઓને કોઈની પાસેથી કશુંય જોઈતું નથી તેઓને એવાં વચનો ઉચ્ચારવાની જરૂર પણ શી ? જેઓ જ્ઞાની છે, જગતના સ્વરૂપને સમજે છે અને જેમણે આત્મરમણતાનો અનુભવ લીધો છે તેઓને આખું વિશ્વ તણખલા જેવું ભાસે છે. ૫૨-પદાર્થ એટલે પુદ્ગલની દુનિયા. જેઓએ અવિનશ્વર આત્મવૈભવ જોયો છે અને એ વિશે જાણે છે તેઓ વિનશ્વર એવા પુદ્ગલ પદાર્થોને તુચ્છ, નિરર્થક, નિરુપયોગી અને આત્મ સાધનામાં અંતરાયરૂપ લાગે તેમાં નવાઈ શી ? મુનિઓ ત્યાગી, સ્પૃહારહિત હોવા જોઈએ. ક્યારેક મુનિને બીજી કોઈ વસ્તુ ન જોઈતી હોય તો પણ પોતાના જીવનનિર્વાહ માટેનાં ઉપકરણોની જરૂર પડે છે. તે સારામાં સારાં હોવા જોઈએ એવો ભાવ પણ મુનિને ન થવો જોઈએ. અને એ માટે ગૃહસ્થોને રાજી કરવાના પ્રયાસો પણ ન થવા જોઈએ. મુનિએ સહજ રીતે જ પોતાનો વ્યવહાર રાખવો જોઈએ. કહ્યું છેઃ आयसहावविलासी आयविसुद्धो वि जो निए धम्मे । नरसुरविसयविलासं तुच्छं निःसार मन्नंति ।। [આત્મસ્વભાવના વિલાસી એવા જે વિશુદ્ધ આત્મા પોતાના ધર્મમાં રહેલા છે તેઓ મનુષ્યના અને દેવોના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.] For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક [૧]છિતિ જ્ઞાનાત્રે પૃહવિષ«તાં વુધા: | मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ।। १२ ।। ३ ।। [શબ્દાર્થ છ—=છેદે છે; જ્ઞાનવાગે=જ્ઞાનરૂપી દાતરડા વડે; પૃવિષ«તાં સ્પૃહારૂપી વિષલતાને; વુધા:=જ્ઞાનીઓ; મુલશોષ=મુખનું સુકાવું, મોઢે શોષ પડવો; =અને; મૂચ્છ =મૂચ્છ =અને; વૈર્ચ=દેન્ય, દીનતા શ્રેષ્ઠન્તિ=આપે છે યજ્ઞ=જે ફળ] અનુવાદ-જે મુખશોષ, મૂચ્છ અને દીનતા જેવાં ફળ આપે છે એ સ્પૃહારૂપી વિષલતાને જ્ઞાનીઓ જ્ઞાનરૂપી દાતરડા વડે છેદી નાખે છે. (૩) વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સ્પૃહાને માટે વિષલતાનું રૂપક પ્રયોજ્યું છે. પ્રથમ દૃષ્ટિએ કોઈને લાગે કે મનની ઇચ્છા માટે ઝેરની વેલડીનું રૂપક કેમ પ્રયોજી શકાય ? પણ સૂક્ષ્મતાથી વિચારતાં આ રૂપકની યથાર્થતા સમજાશે. જેઓ ગૃહજીવનનો ત્યાગ કરીને મુનિ થયા છે અને જેઓ હવે અધ્યાત્મના માર્ગે ઉત્કર્ષ સાધવા ઇચ્છે છે તેઓએ પ્રશસ્ત સ્પૃહા અને અપ્રશસ્ત સ્પૃહા વચ્ચેનો ભેદ સમજીને લક્ષમાં રાખવો જોઈએ. અપ્રશસ્ત સ્પૃહાઓ સાધકજીવન માટે વિષમય છે તે સમજવું જોઇએ. સ્પૃહારૂપી વિષવેલડીનાં ફળ તરીકે મુખશોખ, મૂચ્છ અને દીનતાને અહીં બતાવ્યાં છે. આ ત્રણનો તો અહીં માત્ર નિર્દેશ છે, પણ બીજાં પણ કટુ ફળ હોય છે. માણસ જ્યારે માગવાનો વિચાર કરે છે ત્યારે જો તે કંઈક સમજુ અને સભાન હોય તો એને સંકોચ થાય છે. “માગવું અને મરવું બરાબર’ એવી કહેવત અમસ્તી નથી પડી. માગનાર માગતી વખતે જ્યારે અસ્વસ્થ (નર્વસ) થઈ જાય છે ત્યારે કુદરતી રીતે એનું મોટું સુકાય છે. વળી એના ચહેરા પર અને એની વાણીમાં દીનતાનો ભાવ છવાઈ જાય છે. તે ગરીબડાં વચન ઉચ્ચારે છે. ક્યારેક પોતાની For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જ્ઞાનસાર ઇચ્છા ન સંતોષાય તો માણસને એટલું બધું માઠું લાગી જાય છે કે તે આપઘાત કરવા પ્રેરાય છે. ચોરી કે વ્યભિચાર કરતાં પકડાયા હોય, પોતાના ઉપર બળાત્કાર થયો હોય અથવા પ્રેમમાં કે પરીક્ષામાં નિષ્ફળ થયા હોય એવાઓએ આપઘાત કર્યો હોય એવા કિસ્સા વારંવાર બને છે. આમ સ્પૃહાને વિષવેલડી તરીકે ઓળખાવવામાં પૂરેપૂરું ઔચિત્ય રહેલું છે. આવી વિષવેલ જ્યાં ઊગતી હોય ત્યાં તેને મૂળમાંથી કાપી નાખવી જોઇએ. મુનિ ભગવંતો પોતાના જ્ઞાનરૂપી દાતરડા વડે આવી વેલને એક ઝાટકે કાપી નાખે છે. [૨] નિષ્ઠાનીયા વિતુષા સ્પૃહા વિરગૃહાત્ વહિં ___अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या ।। १२ ।। ४ ।। [શબ્દાર્થ નિષ્ણાનીયા=બહાર કાઢી મૂકવા યોગ્ય, વિપુષા=વિદ્વાને; મૃદ્દ=સ્પૃહા, ઇચ્છા, લાલસા, વિરકૃત્રિચિત્તરૂપી ઘરમાંથી; દિ=બહાર; મનાત્મ=આત્માથી ભિન્ન, આત્મા નહિ તે અર્થાતુ પુદગલ; રતિવાષ્ફીની રતિરૂપ ચાંડાલી, ચંડાલણી; સં=સંગ; મીરોતિ અંગીકાર કરે છે; યા=જે.] અનુવાદ-જે અનાત્મ (પુદ્ગલ)ની રતિરૂપ ચાંડાલણીનો સંગ સ્વીકારે છે તે સ્પૃહાને જ્ઞાનીએ ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવા યોગ્ય છે. (૪) વિશેષાર્થ સ્પૃહા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં ઘરની સ્ત્રીનું રૂપક પ્રયોજ્યું છે. ઘરની સ્ત્રી ખોટી ખરાબ સોબતે ચડી ગઈ હોય અને સુધરવાનું નામ ન લેતી હોય તો એવી સ્ત્રીથી ઘરનું વાતાવરણ બગડે છે અને વખત જતાં ઘરના બીજા સભ્યો પણ બગડે છે. એવી સ્ત્રીને તો ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ કે જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે. સ્પૃહા કોની સંગતિ કરે છે ? અનાત્મરતિરૂપી ચાંડાલિનીની. અનાત્મ એટલે જે આત્મા અર્થાત્ ચેતન નહિ તે. અનાત્મ એટલે જડ અથવા પુદ્ગલ. અનાત્મરતિ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૭૧ એટલે પુદગલમાં જ રસ લેવાની પ્રવૃત્તિ, અનાત્મરતિ એટલે પરપદાર્થમાં, પરભાવમાં, વિભાવમાં આનંદ લેવાની ક્રિયા. અનાત્મરતિ આત્મરતિની વૈરિણી અનાત્મરતિ ચાંડાલિની છે. ચાંડાલિની એટલે હલકામાં હલકી જાતિની સ્ત્રી. એની સોબતથી બીજા લોકો બગડે છે. સ્પૃહાએ આ ચાંડાલિનીનો સંગ કરવા માંડ્યો છે. બંનેને એકબીજા વગર ચાલતું નથી. માટે સાધકે ચેતી જવા જેવું છે. ઘરનું વાતાવરણ વધુ ન બગડે માટે સાધકે સ્પૃહાને ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ. આત્મરતિ તે ઘરની મુખ્ય સ્ત્રી છે, તે ઘરની શોભારૂપ છે. જો અનાત્મરતિ ઘરમાં વારંવાર આવવા લાગી તો આત્મરતિની અવદશા બેસે. માટે અનાત્મરતિને ઘરમાં આવતી અટકાવવી જોઇએ. એમ કરવું હોય તો એને ઘરમાં બોલાવનાર સ્પૃહાને દાબમાં રાખવી જોઇશે. જો સ્પૃહા દાબમાં રહેતી જ ન હોય તો છેવટના ઉપાય તરીકે એને ઘરની બહાર મૂકી આવવી જોઇએ, કારણ કે ચારગતિરૂપ સંસારમાં રખડાવનાર સ્પૃહા છે. કહ્યું છેઃ जे परभावे रत्ता मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा भमंति चउगइमहारने ।। જિઓ પરભાવમાં અનુરક્ત છે અને બહુ પાપવાળા વિષયોમાં મત્ત છે તથા આશારૂપી પાસ (જાળ)માં સારી પેઠે બંધાયેલા છે તેઓ ચારગતિરૂપ મોટા અરણ્યમાં ભમે છે.] જીવને અનાદિ કાળથી જડ પદાર્થોનું આકર્ષણ રહ્યા કર્યું છે. એથી જ સંસારમાં એ રખડ્યા કરે છે. એણે મુક્તિ તરફ પ્રયાણ કર્યું નથી. એ કરવું હોય તો જીવને અનાત્મરતિ સાથેની સ્પૃહાની સોબત છોડાવીને આત્મરતિ સાથે સોબત કરાવવી જોઈએ. એક વખત આત્મરતિ સાથે સ્પૃહાની સંગત થાય તો તે ઉપકારક બને છે. પછી એવી સ્પૃહા હેય નહિ પણ ઉપાદેય બને છે. આત્મરતિ માટે તપ, જપ, For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ જ્ઞાનસાર જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ, પ્રભુભક્તિ ઇત્યાદિની સ્પૃહા ઉપાદેય છે. અલબત્ત જેમ જેમ આત્મવિકાસ સધાતો જાય છે તેમ તેમ આ ઉપાદેય સ્પૃહા પણ છૂટતી જાય છે. ઊંચી અધ્યાત્મદશામાં તો કોઇ પણ પ્રકારની ઇચ્છા રહેતી નથી. માત્ર સાક્ષીભાવ જ રહ્યા કરે છે. [3] स्पृहावन्तो विलोक्यन्ते लधवस्तृणतूलवत् । __महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ ।। १२ ।। ५ ।। [શબ્દાર્થઃ મૃદાવત:=સ્પૃહાવાળા; વિવેચત્તે દેખાય છે; નવ:=લઘુ, હલકા; તૃM=તણખલું; તૂતવ=આકડાના રૂ જેવા; મા=મોટું; માશર્ય=આશ્ચર્ય છે; તથાઇfv=Zથાપ=તો પણ; તે તેઓ; મm=ડૂબી જાય છે; નવવરિથી સંસારરૂપી સમુદ્રમાં.]. અનુવાદ–સ્પૃહાવાળા જીવો તણખલું અને (આકડાના) રૂની જેમ હલકા દેખાય છે, તો પણ તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે એ મોટું આશ્ચર્ય છે. (૫) વિશેષાર્થ : ઉપાધ્યાજી મહારાજે આ શ્લોકમાં વિરોધાભાસ અલંકારનો સરસ ઉપયોગ કર્યો છે. સમાજમાં કેટલાક માણસો હલકા ગણાય છે. એમની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી. બધેથી એમને જાકારો મળે છે. જે યાચક છે, માગનાર છે, ભિખારી છે તે હલકો ગણાય છે. જરૂરિયાતમંદ માણસ માગે તો તે હજુ સહ્ય લેખાય છે, પરંતુ જરૂર હોય કે ન હોય, કેટલાકનો સ્વભાવ જ માગવાનો હોય છે. એવા હીનસત્ત્વ વાચકો સમાજમાં તુચ્છ ગણાય છે. તેઓને તણખલાની તોલે અથવા આકડાના રૂની તોલે ગણવામાં આવે છે. તણખલાની કે આકડાના રૂની કશી કિંમત નથી. કચરા તરીકે તે ગણાય છે. પરંતુ આવી હલકી વસ્તુઓમાં એક ગુણ છે. પાણીમાં એ ઉપર તરે છે. તે ડૂબી નથી જતી. યાચક તો એના કરતાં પણ હલકો છે. તેમ છતાં તે ભવરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, કારણ કે માગેલી વસ્તુઓથી તે ભારે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧ ૭૩ થઈ જાય છે. એક સુભાષિતમાં આવા યાચકની મજાક કરતાં કહ્યું છેઃ तूलं तृणादपि लघु तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयिष्यति ।। [તણખલાથી આકડાનું રૂ હલકું છે, પરંતુ યાચક તો આકડાના રૂથી પણ હલકો છે. આમ છતાં વાયુ (તણખલા કે રૂની જેમ) એને ઊંચકી જતો નથી, કારણ કે વાયુને ભય છે કે યાચક એની પાસે પણ કશુંક માગશે.] પવનનો ઝપાટો આવે ત્યારે તણખલાં ઊંચે ઊડે છે, પરંતુ એથી પણ હલકાં એવાં આકડાના રૂને તો વાયુ વધુ ઊંચે લઈ જાય છે. આમ વાયુ હલકાને ઊંચે ખેંચી જાય છે. પરંતુ યાચક તો આકડાના રૂ કરતાં પણ હલકો છે. છતાં વાયુ એને ઊંચે નથી લઈ જતો, કારણ કે એને બીક રહે છે કે રખે ને યાચક એની પાસે કંઈક માગશે. મહાત્માઓનું લઘુપણું એમને ભવસાગરમાંથી તારવાનું કામ કરે છે, પરંતુ યાચકનું લઘુપણું એને સંસારસાગરમાં ડૂબાડવાનું કામ કરે છે. મહાત્માઓ પણ જો પોતાનું સૂક્ષ્મ ગૌરવવંતું લઘુપણું છોડીને સ્પૃહાકાંક્ષી બનીને પૂલ, તુચ્છ યાચક બની જાય તો તેઓનું ગૌરવ ખંડિત થઈ જાય છે. તેઓ સાંસારિક પ્રલોભનોની લપસણી ભૂમિમાં લપસી પડે છે. આષાઢાભૂતિ, સિંહગુફાવાસી મુનિ વગેરેના પતનનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં જાણીતાં છે. [४] गौरवं पौरवन्द्यत्वात् प्रकृष्टत्वंप्रतिष्ठया । - કાતિ નાતિગુપI સ્વસ્થ પ્રાકુડુનનિ:સ્પૃહ પારાદ્દા [શબ્દાર્થ ગૌરવંકગૌરવને, મોટાઈને; પૌરવચૈત્વ=નગરવાસી લોકોને વંદન કરવા યોગ્ય હોવાથી, પ્રષ્ટવં=પ્રકૃષ્ટપણાને, ઉત્તમપણાને; પ્રતિષ્ઠા=પ્રતિષ્ઠા વડે; રડ્યાતિં=ખ્યાતિને, પ્રસિદ્ધિને, નાતિકુળા=જાતિગુણથી; સ્વસ્થ=પોતાના; For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રાતુર્યાત્=પ્રગટ કરે; ન=નથી; નિ:સ્પૃ: નિઃસ્પૃહ, સ્પૃહારહિત.] અનુવાદ-નિ:સ્પૃહ સાધુ નગરવાસીઓથી વંદન કરવા યોગ્ય હોવાથી (પોતાને મળતા) ગૌરવને, પ્રતિષ્ઠા વડે મળતા ઉત્તમપણાને તથા પોતાના જાતિગુણથી (ઉત્તમ કુળથી) મળતી ખ્યાતિને પ્રગટ ન કરે. (૬) જ્ઞાનસાર વિશેષાર્થ : ગૃહસ્થ જીવનમાં માણસોને પૈસો, પદ, પ્રતિષ્ઠા વગેરેને કારણે ચારે બાજુ માનપાન મળે છે. એમની કીર્તિ ચારે બાજુ ફેલાય છે. મોટા દાતા, પરાક્રમી, શૂરવીર કે વેપારઉદ્યોગમાં સફળતા મેળવનાર, સારા અધિકારી, મંત્રી,થાકાર, વ્યાખ્યાતા, અભિનેતા વગેરેને અનેક લોકો ઓળખતા હોય છે. એમાં પણ પૈસો અને સત્તા ભેગાં થાય તો માણસની વાહ વાહ ઘણી વધી જાય છે. બીજી બાજુ માણસ ગૃહસ્થ જીવન છોડીને સાધુ થાય છે ત્યારે પણ એમનો ભક્તવર્ગ ઘણો વધે છે. એમને પણ ઘણા લોકો ઓળખે છે. યશ, કીર્તિ, પ્રસિદ્ધિ એ પણ એક પ્રકારનો નશો છે, જે ઊતરતાં વાર લાગે છે. કોઈ અજાણ્યા સ્થળે એવો માણસ ગયો હોય કોઈ ઓળખે નહિ તો તે અંદરથી ધૂંધવાય છે. કોઈકની સાથે વાત કરતાં તેનાથી બોલી જવાય છે, ‘તમને ખબર છે કે હું કોણ છું ?' કેટલાક સાધકો સ્વમુખે પોતાનાં કાર્યોની, મહત્તાની વાત સામાન્ય રીતે નથી કરતાં, પણ કંઈ મુશ્કેલી પડે, સંકટ આવી પડે ત્યારે પોતાને અનુકૂળતા પ્રાપ્ત થઈ, મુશ્કેલીમાંથી માર્ગ નીકળ્યો હોય, તકલીફમાંથી બચી જવાયું હોય, પોતાને અગ્રતા અપાઈ હોય ત્યારે એ બધાંનો હર્ષ અનુભવાય છે પરંતુ સાચા સાધકો એવી પ્રતિકૂળતા કે તકલીફ વખતે પણ પોતાની સિદ્ધિનો ઉલ્લેખ કરતા નથી. પોતાનું નામ મશહૂર હોય તો સ્વમુખે કહેતા પણ નથી કે પોતે કોણ છે. કેટલાક કહેવાતા ત્યાગી મહાત્માઓ માટે પોતાના ભક્તસમુદાયની સંખ્યા એ પોતાની સિદ્ધિની પારાશીશી બને છે. જેમ ભક્તોનું ટોળું મોટું તેમ પોતે મોટા એવા ભ્રમમાં તેઓ રાચે છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૭૫ મોટા સાધુમહાત્માને નગરના અનેક લોકો વંદન કરવા આવે છે, એમનું ગોરવ કરે છે. કેટલાક રાજવીઓ, મંત્રીઓ પણ તેમની વ્યાખ્યાનસભામાં પધારે છે. એમની જરૂરિયાતો માટે, યોજનાઓ માટે નાણાં લખાવે છે. એથી મહાત્માઓની છાતી ફૂલે છે. ક્યારેક એથી અહંકારયુક્ત વચનો પણ નીકળે છે. પરંતુ સાચા મુનિવરો આવી પ્રસિદ્ધિથી પોતાની શક્તિ-સાધનાનું માપ કાઢતા નથી. તેઓ તો પોતાના આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે. આ બધી બહારની માત્ર માયા છે, પુદ્ગલાનંદનું સ્વરૂપ છે એમ તેઓ સમજે છે અને તેમાંથી પોતાના ચિત્તને નિવૃત્ત કરી દે છે. એક દૃષ્ટાન્ત અપાય છે કે એક કોટ્યાધિપતિ માણસ દીક્ષા લઈ સાધુ બન્યા. પછી બીજાઓને ઉપદેશ આપવા માટે તેઓ વ્યાખ્યાનમાં વારંવાર કહેતા રહે કે “જુઓ, હું તો પાંચ કરોડની સંપત્તિને લાત મારીને નીકળી ગયો છું.” જ્યારે એમના ગુરુ ભગવંતે આ વાતનું બરાબર અવલોકન કર્યું ત્યારે એક દિવસ એમણે એ શિષ્યને પ્રેમભાવથી કહ્યું, “ભાઈ, તમે પાંચ કરોડની સંપત્તિને લાત મારીને નીકળી ગયા છો, પણ એ લાત જોઈએ એવી બરાબર લાગી નથી. એટલે એ સંપત્તિ તમને વળગેલી રહે છે અને રોજ વ્યાખ્યાનમાં તમારી પાસે આવીને બેસી જાય છે. હવે એટલી જોરથી લાત મારો કે ફરી સ્મૃતિરૂપે પણ એ તમારી પાસે ન આવે. ગુરુ ભગવંતની આ માર્મિક ટકોર શિષ્ય તરત સમજી ગયા. ઝાંઝરિયા મુનિવરનું દષ્ટાન્ત જાણીતું છે. પ્રતિષ્ઠાનપુરના રાજકુમાર મદનબ્રહ્મકુમારદીક્ષા લઈ સાધુ બને છે. એમના બનેવી કંચનપુરના રાજા તલવાર લઈ એમનો વધ કરવા આવે છે. ઝાંઝરિયા મુનિવર સંસારીપણામાં પોતાના સાળા થાય એ વાતની એમને ખબર નથી. પરંતુ ઝાંઝરિયા મુનિવરે જો તે વખતે સાંસારિક સંબંધ યાદ કરાવ્યો હોત તો વધને બદલે એમનું બહુમાન થયું હોત. પરંતુ એમણે પોતાનો સાંસારિક સંબંધ પ્રગટ ન કર્યો અને વધુ સ્વીકાર્યો. દેહથી પર થયેલા, દેહ સાથે ભિન્નતા અનુભવતા અને આત્મસ્વભાવનું સુખ અનુભવતા For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જ્ઞાનસાર મહાત્માઓની આવી ઉચ્ચ દશા હોય છે. સાચા સાધુભગવંતો પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠાથી પર હોય છે. બીજાઓએ કરેલી પોતાની કદર એ પણ જેઓને માટે તૃણવતુ હોય તેઓ સ્વમુખે આત્મપ્રશંસા તો કરી જ કેમ શકે? આ બધી ક્ષણિક વસ્તુઓનું પારમાર્થિક દૃષ્ટિએ કશું જ મૂલ્ય નથી એમ તેઓ સમજે છે. વસ્તુતઃ આવી બાહ્ય પ્રસિદ્ધિઓ તો સાધનામાં બાધક બને છે. સાચા નિઃસ્પૃહ, નિરીહ મહાત્માઓ સ્વમુખે પોતાની સિદ્ધિપ્રસિદ્ધિનો કશો નિર્દેશ ક્યારેય કરતા નથી. એ ગોપવવામાં જ તેઓ માને છે. [૯૫] મૂચ્યા ક્ષમશનં ની વાતો વૃદં વનમ્ तथाऽपि नि:स्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।।१२।।७।। [શબ્દાર્થ મૂશળ્યા=પૃથ્વીરૂપી શવ્યા, જમીન પર સૂઈ જવું, “Í=ભિક્ષાથી મળેલ; મશ=ભોજન; નીf=જૂનું; વાસ:=વસ્ત્ર, પૃદં=ઘર; વનષ્ણવનરૂપી, અરણ્યરૂપી; તથાપિzતથા+પતો પણ; નિ:સ્પૃશ્ય સ્પૃહારહિત મુનિને; મહો=અહો, આશ્ચર્ય છે કે; વક્રિપોf=ચક્રવર્તી કરતાં પણ; ધજૈ=અધિક, વધુ; ગુરવં=સુખ છે.] અનુવાદ-નિઃસ્પૃહ મુનિને પૃથ્વીરૂપી શય્યા, ભિક્ષાથી મળેલું ભોજન, જૂનું વસ્ત્ર અને વનરૂપી ઘર હોય છે, તો પણ આશ્ચર્ય છે કે ચક્રવર્તી કરતાં પણ તેને અધિક સુખ હોય છે. (૭) વિશેષાર્થ અહીં એક બાજુ ચક્રવર્તીનું સુખ અને બીજી બાજુ મુનિનું સુખ એ બેની તુલના કરીને બતાવ્યું છે કે મુનિનું સુખ ચક્રવર્તીના સુખ કરતાં પણ ચડિયાતું ચક્રવર્તી છ ખંડનો ધણી છે. એના સામ્રાજ્યમાં એની ઇચ્છા પ્રમાણે બધું થાય છે. એની પાસે ચતુરંગ સેના છે, લક્ષ્મી છે, રત્નો છે, દાસદાસીઓ છે, સ્ત્રીરત્નસહિત છન્નુ હજાર રાણીઓ છે. વિવિધ પ્રકારનાં પકવાન સહિત ભાતભાતની ભોજનસામગ્રી છે. વિવિધ પ્રકારનાં સુશોભિત વસ્ત્રો છે. અત્યંત For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૭૭. કિંમતી અલંકારો છે. ચક્રવર્તીના ભોતિક સુખની કોઈ સીમા નથી. આમ છતાં માણસ એક સાથે બધાં વસ્ત્રો પહેરી શકતો નથી, પેટ ભરાય એથી વધુ ભોજન કરી શકતો નથી અને સૂવા માટે છ ફૂટની પથારીથી વધુ જગ્યા રોકી શકતો નથી. સમૃદ્ધિ ગમે તેટલી હોય, તો પણ એનો ભોગવટો શરીર પ્રમાણે હોય છે. બીજી બાજુ વ્રતધારી સ્પૃહારહિત મુનિને શયન માટે ભૂમિ છે, ભિક્ષાથી મળેલું ભોજન છે અને પહેરવા માટે જૂનું વસ્ત્ર છે. આમ, અન્ન, વસ્ત્ર અને શયન એ ત્રણે એવાં છે કે એમાં મુનિની કોઈ ઇર્ષ્યા કરે એમ નથી. છતાં મુનિ બહુ સુખી છે. કારણ કે એને એથી સંતોષ છે. જે મળ્યું છે તેથી વધુ મેળવવાની સ્પૃહા નથી અને એ સાચવવાની ચિંતા નથી. એ માટે કોઈનું પરાધીનપણું નથી. કોઈના અપશબ્દ સાંભળવાનું કારણ નથી. મુનિનું સુખ સ્વાધીન સુખ છે. ચક્રવર્તીનું સુખ પરાધીન છે. ચક્રવર્તીને રાજ્ય-વ્યવસ્થાની સતત ચિંતા છે. વસ્ત્રભોજનાદિના વિષયમાં પસંદગીની ઉપાધિ છે. વળી એમાં ન્યૂનાધિકતાના પ્રશ્નો છે. અલબત્ત, ચક્રવર્તીને બધી વાતે અનુકૂળતાઓ છે, પણ તે બાહ્ય અનુકૂળતાઓ છે. પરંતુ એમનું ચિત્ત સતત વ્યસ્ત, વ્યગ્ર, રહ્યા કરે છે. ચક્રવર્તીને મનનો ભાર ઘણો હોય છે. મુનિરાજ મનથી હળવા ફૂલ હોય છે. તે યથેચ્છ તત્કાળ વિહરી-વિચરી શકે છે. એમને પૂર્વ તૈયારીની કોઈ જરૂર હોતી નથી. કોઈકને પ્રશ્ન થાય કે ખરેખર શું ચક્રવર્તીના સુખ કરતાં મુનિને સુખ વધારે હોઈ શકે ? આ કોઈ કટાક્ષયુક્ત વચન તો નથી ને ? પરંતુ જેઓએ પહેલાં લક્ષ્મીના ભોગવટાનું સુખ અનુભવ્યું હોય અને પછી ત્યાગવૈરાગ્યનું સુખ અનુભવ્યું હોય અને પછી આત્મસ્વભાવની રમણતાનું સુખ અનુભવ્યું હોય તેવા મહાત્માઓ તો અવશ્ય કહેશે કે પૂર્વે પોતે ગૃહસ્થ તરીકે જે સુખ અનુભવ્યું હતું તેના કરતાં મુનિ તરીકેનું પોતાનું વર્તમાન સુખ અનેકગણું ચડિયાતું છે. સુખ અને સુખમાં ફરક છે. ઇન્દ્રિયોના સુખ કરતાં મનનું સુખ ચડિયાતું છે એ સૌ જાણે છે. પણ મનના સુખ કરતાં આત્માનું સુખ વધુ ચડિયાતું For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જ્ઞાનસાર છે એ તો અનુભવે જ વધુ સમજાય એવી વાત છે. એટલે ઇન્દ્રિયસુખ, ચિત્તસુખ અને આત્મસુખ એ ત્રણેની જાત ભિન્ન ભિન્ન છે. અતિશય ધનવૈભવ અને બહોળા સ્વજન પરિવારવાળી વ્યક્તિ પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે મૃત્યુ નજીક આવતું દેખાય છે ત્યારે આ બધું જ મારે છોડીને જવાનું છે?' એવા વિચારથી ઉદ્વિગ્ન થાય છે. એમાં પણ જ્યારે સંતાનોમાં સંપત્તિની વહેંચણીના પ્રશ્નો ઉગ્ર કલહરૂપ બની જાય છે, કલેશ કંકાસ વધી જાય છે ત્યારે ધનસંપત્તિ અને આશીર્વાદરૂપ નહિ પણ શાપરૂપ લાગે છે અને તે મેળવવા માટે પોતે જે વર્ષો વેડફી નાખ્યાં એ માટે પશ્ચાત્તાપ અનુભવે છે. મુનિરાજ પાસે વારસામાં આપી જવા માટે, પોતાના ગયા પછી છોડી જવા માટે સ્થૂલ ખાસ કશું હોતું નથી કે વહેંચણીના પ્રશ્નો એમને સતાવતા નથી. જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ નિરાબાધ સુખ અનુભવે છે. ધનાદિ વૈભવ સાથે, તે મેળવવા સાચવવા વગેરે અંગે પૂલ અને સૂક્ષ્મ પ્રકારની હિંસા, અસત્યાદિ પાપપ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે. અકિંચન ભિક્ષુને એવી પાપપ્રવૃત્તિ આચરવાની હોતી નથી. તે તો નિજાનંદમાં મસ્ત રહે છે. ચક્રવર્તી તથા એવા શ્રીમંતો જે બાહ્ય સુખ અનુભવે છે તે વિનશ્વર છે, તે બાહ્ય ઉપાધિથી મળે છે. તે સુખ પુદગલ પદાર્થોમાંથી મળે છે. તે આરોપિત સુખ છે. એ સુખની ધારામાં સાતત્ય હોતું નથી. આત્માનું સુખ તે આરોપિત સુખ નથી. એની ધારા અવિચ્છિન્નપણે વહે છે. તે સુખ નિરંતર છે. પરભાવ અને પરપદાર્થના સુખ કરતાં આત્મસ્વભાવની નિમગ્નતાનું સુખ ચડિયાતું છે. આત્મરતિના અનુભવ વિના આ વાત સરળતાથી સમજાય એવી નથી. એટલે જ કહ્યું છેઃ तिणसंथारनिसन्नो मुणिवरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिसुहं कत्तो तं चक्कवट्टी वि ।। તૃિણના સંથારા પર બેઠેલા અને જેમણે રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક એવા મુનિવર જે મુક્તિસુખ (નિસ્પૃહતાનું સુખ) પામે છે એને ચક્રવર્તી પણ ક્યાંથી પામે ?] [૯૬] પરસ્પૃહા મહાદુ:સ્તું નિ:સ્પૃહત્વ મહામુહમ્ । તનુાં સમાયેન લક્ષાં સુવવું:હોઃ ।। ૧૨ ।।૮।। [ શબ્દાર્થ: પરસ્પૃહા=૫૨ વસ્તુની ઇચ્છા; મહાદુ:=મહાદુ:ખરૂપ છે; નિ:સ્પૃહત્સં=નિઃસ્પૃહપણું; મહાયુદ્ધ=મોટું સુખ; ત=એ; આ; i=કહ્યું છે; સમાસેન=સંક્ષેપથી; લક્ષણં=લક્ષણ; સુવવું:જીયો:=સુખ અને દુઃખનુ.] ૧૭૯ અનુવાદ–પરની સ્પૃહા એ મહાદુઃખ છે અને નિ:સ્પૃહપણું એ મહાસુખ છે. સુખ અને દુઃખનું સંક્ષેપથી આ લક્ષણ કહ્યું છે. (૮) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ આ અષ્ટકના સારરૂપે આ શ્લોકમાં કહે છે કે સુખદુઃખનું લક્ષણ સંક્ષેપમાં કહેવું હોય તો કહેવાય કે પરસ્પૃહા એ મહાદુઃખ છે અને નિઃસ્પૃહત્વ એ મહાસુખ છે. સંસારમાં સુખદુઃખ વિશેનો ખ્યાલ બધા મનુષ્યોનો એકસ૨ખો નથી. વળી સાંસારિક સુખદુઃખ સાપેક્ષ છે. એક કોટ્યાધિપતિને પાંચપચીસ રૂપિયાની પ્રાપ્તિ એ કોઈ મોટા આનંદની વાત નથી, પરંતુ એક ભિખારી કે સાવ ગરીબ માણસ માટે એટલી રકમની પ્રાપ્તિ પણ અતિશય આનંદનું કારણ બની રહે છે. તેવી જ રીતે એટલી રકમ ખોવાઈ ગયાનું નુકસાન કોટ્યાધિપતિને કાન ખજૂરાના એક પગ કરતાં પણ ઓછું લાગે છે, પણ નિર્ધન માણસને એ મોટા સંતાપનું કારણ બની રહે છે. વળી ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ સામાન્ય માનવી માટે મહત્ત્વનું ગણાય છે, પરંતુ અધ્યાત્મરસિક જ્ઞાનીઓ માટે તે તુચ્છ, નિરર્થક અને ત્યાજ્ય ગણાય છે. આમ કોઈ એક પદાર્થમાં એકને સુખ લાગે તે જ પદાર્થ બીજાને દુઃખનું નિમિત્ત બની For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જ્ઞાનસાર શકે છે. સુખદુઃખની વિભાવનાનાં ઘણાં પાસાં છે. માણસ જ્યારે પરસ્પૃહા રાખે છે, પારકી વસ્તુ મેળવવાની કે બીજા પાસે કશુંક પ્રાપ્ત કરવાની આશા રાખે છે ત્યારે એ તૃપ્ત ન થાય તો માણસ દુઃખી થાય છે. વળી તૃપ્તિથી અનુભવાતું સુખ પણ ક્ષણિક છે. પરંતુ માણસ જ્યારે નિસ્પૃહ રહે છે ત્યારે એને આવા કોઈ અનુભવોમાંથી પસાર થવાનું રહેતું નથી. એટલે એ શાન્તિપૂર્વક સુખાનુભવ કરે છે. મનુષ્યજીવનને સુખસગવડભર્યું બનાવવા માટે તરેહ તરેહનાં સાધનો, ઉપકરણો, ચીજવસ્તુઓનાં ઉત્પાદનો દિવસે દિવસે વધતાં જાય છે. નવી નવી ફેશનેબલ વસ્તુઓ બજારમાં આવતી જાય છે. એક જુઓ અને એક ભૂલો એવું બનતું રહે છે. માણસો આ બધી જ વસ્તુઓ મેળવી-ભોગવી શકતા નથી અને કારણ વગર દુ;ખી થાય છે. પણ માણસ જો એ વિષયમાંથી મન હઠાવી લે અથવા એ તરફ ચિત્તને જવા જ ન દે, એ વસ્તુઓ વિશે કશી સ્પૃહા રાખે જ નહિ, એ વિશે કશી માહિતી મેળવવામાં રસ લે નહિ તો એને અંદરથી એક પ્રકારની શાન્તિનો અનુભવ થશે. એ જ એને વિશિષ્ટ પ્રકારની સુખાનુભવ કરાવશે. બાહ્ય પદાર્થો પ્રત્યે મનુષ્ય નિઃસ્પૃહ થઈ જાય તો અંતર્મુખ થઈ સ્વસ્વરૂપના અનુભવ તરફ વળી શકે છે. સાધક આત્મસ્વરૂપનો ભોકતા બને તો પરભાવ-વિભાવની એની અભિલાષા નિર્મૂળ થતી જાય છે. ત્યારે જ એને પરભાવ-પરસ્પૃહા કેટલાં દુઃખમય છે એની પ્રતીતિ થાય છે. ત્યારે જ એને સમજાય છે કે વસ્તુતઃ નિસ્પૃહત્વ એ જ એનો સાચો ધર્મ છે. પરની સ્પૃહા એ તો માત્ર વિકાર છે, વિભાવદશા છે. ઇચ્છાનો ઉદ્ભવ એ આત્માની વિભાવદશા છે. ઇચ્છારહિતપણું એ આત્માનો સ્વભાવ છે. જ્યાં સ્વભાવ છે ત્યાં આત્મિક સુખ છે. જ્યાં વિભાવ છે ત્યાં દુઃખ છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મીનાષ્ટક ૧૮૧ ૧૩. મૌનાષ્ટક [૯૭] મચતે યો નઃત્તિત્ત્વ સમુનિ પરિવર્તિતઃ | સવમેવ તૌને મૌનં સમેત્ત્વમેવ વા | શરૂ | ૨ ||. [શબ્દાર્થઃ મતે=જાણે છે; =જે; નવં=જગતના સ્વરૂપને; :=: મુનિ =મુનિ; પરિકીર્તિત =કહેલ છે; સગવં=સમ્યકત્વ; =જ; ત તેથી; મૌનં=મુનિપણું; વી=અથવા, અને.] અનુવાદ-જે જગતના તત્ત્વ (સ્વરૂપ)ને જાણે છે તેને મુનિ' કહેલ છે. એથી સમ્યકત્વ એ જ મુનિપણું છે અને મુનિપણું એ જ સમ્યકત્વ છે. (૧) વિશેષાર્થ આ અષ્ટકનું નામ “મોન અષ્ટક' છે. મૌનનો આપણે વ્યવહારમાં સાદો, સામાન્ય અર્થ કરીએ છીએ “ન બોલવું'. વાણીનું મૌન ઘણા પાળે છે. અહીં મુનિને માટે મૌનની વિચારણા કરવામાં આવી છે. મુનિને માટેનું મૌન અહીં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં કહ્યું છે. એક વ્યુત્પત્તિ પ્રમાણે “મૌન' શબ્દ મુનિ' શબ્દ પરથી આવ્યો છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક ઉપર પોતે લખેલી ટીકામાં આચારાંગસૂત્ર'નો આધાર લઈ નીચે પ્રમાણે અર્થ આપ્યો છેઃ जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । [જે સમ્યકત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે.] અષ્ટકના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિમાં જ “મુનિ' શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છેઃ મન્યતે યો નર્વસ મુનિ: પરિજીતંત:. એટલે કે જગતના તત્ત્વને જે જાણે છે તે મુનિ છે. અહીં મુનિ માટે આદર્શ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ જ્ઞાનસાર વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે જે ગૃહસ્થ શ્રાવક દીક્ષા લઈ પંચ મહાવ્રત અંગીકાર કરે અને સાધુનો વેશ ધારણ કરે તે મુનિ મહારાજ. આ દ્રવ્ય મુનિપણું છે. તે દ્રવ્યમુનિપણું સાચવીને હવે તેમણે ભાવમુનિ બનવાનું છે. દીક્ષા લેતાં જ મુનિ છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલ સમ્યગુદર્શન(સમકિત) આ ગુણસ્થાનકે ચાલુ રહે છે. હવે ભાવથી પણ મુનિપણું પ્રગટ કરવા સાથે સમકિતને પણ એટલું નિર્મળ કરવાનું હોય છે. એટલે જ અહીં કહ્યું કે જગતના તત્ત્વને જે જાણે છે તે મુનિ છે. જગતના તત્ત્વને જાણવું એટલે સમ્યકત્વ પ્રાપ્ત કરવું. આથી જ અનન્યોક્તિથી કહ્યું છે કે “સમ્યકત્વ એ જ મૌન (મુનિપણું) છે અને મોન (મુનિપણું) એ જ સમ્યકત્વ છે. એટલે મુનિના ધર્મને મૌન કહીએ કે સમ્યકત્વ કહીએ એ બંને એક જ છે. અહીં એવંભૂત નયથી કથન કરવામાં આવ્યું છે. આ નય પ્રમાણે શબ્દો ક્રિયાવાચી હોવા જોઈએ. એટલે કે જે સમયે જે ક્રિયા થતી હોય તે પ્રમાણે શબ્દ પ્રયોજવો જોઈએ. રાજસિંહાસન પર રાજા જ્યારે બેસે ત્યારે તે રાજા, અન્યથા નહિ; વેપાર કરે ત્યારે તે વેપારી; મજૂરી કરે તેટલો વખત જ તે મજૂર કહેવાય. એ રીતે એવંભૂત નય પ્રમાણે તે જ જ્ઞાન જ્ઞાન કહેવાય કે જે તેને અનુરૂપ શ્રદ્ધા પ્રગટાવે. અને તે જ શ્રદ્ધા શ્રદ્ધા કહેવાય કે જે તે પ્રમાણે આચરણ (ચારિત્ર) કરાવે. આમ જ્ઞાનદર્શન, અને આત્મરણતારૂપ ચારિત્રનો યોગ હોય તો જ એ સમ્યકત્વ કહેવાય. એવું સમ્યકત્વ મુનિમાં હોવું જોઇએ. આવું મુનિપણું હોય તો જ તે સાચું મૌન કહેવાય. આથી સમ્યકત્વ અને મુનિપણા વચ્ચે કોઈ ભેદ નથી. બંને અભેદરૂપ છે. વ્યવહારમાં કેટલાક મુનિઓમાં માત્ર દ્રવ્યમુનિપણું જ હોય છે. આરંભદશાના મુનિઓમાં પણ એ પ્રમાણે હોય એમ સંભવી શકે છે. સાચી દ્રવ્ય દીક્ષા લેવી તે પણ બહુ કઠિન છે. એટલા માટે “આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે “તે મુનિપણાનું આચરણ શિથિલ, આર્ટ (રાગી), શબ્દાદિ વિષયોમાં આસક્ત, વક્ર આચારવાળા For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૌનાષ્ટક ૧૮૩ (માયાવી), અને પ્રમાદી ગૃહસ્થોએ પાલન કરવું શક્ય નથી.” એટલે જ “આચારાંગસૂત્ર'માં કહ્યું છેઃ मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं । पंतं लूहं च सेवन्ति वीरा सम्मत्तदंसिणो ।। મુનિ મન ગ્રહણ કરીને કાર્મણ શરીરનો નાશ કરે છે. તે માટે સમ્યકત્વદર્શી વીરો પ્રાન્ત અને રુક્ષ ભોજન કરે છે.] [૯૮]ઝાભાડભવ થમ્બુદ્ધ નાનાત્યાત્માનમાભના ! સેવં રત્નત્રયે તથ્યાવાતા મુને ! ૨૩ / ૨ | [શબ્દાર્થઃ માત્મા આત્મા; માત્મનિ=આત્મામાં, આત્માને વિશે; પર્વ જ; યતિ જે; શુદ્ધ=શુદ્ધ, કર્મરહિત; નાનાતિ=જાણે છે; માત્માનં=આત્માને; માત્મના–આત્મા વડે; સા=0; યં આ; રત્નત્રયે ત્રણ રત્નમાં, દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નમાં; જ્ઞપ્તિબાવાતા=જ્ઞપ્તિ (જ્ઞાન), રુચિ (શ્રદ્ધા) અને આચારની એકતા એટલે અભેદ પરિણતિ; મુને =મુનિને (હોય છે.)]. અનુવાદ-આત્મા આત્મા વડે, આત્મામાં જ વિશુદ્ધ (કર્મરહિત) આત્માને જાણે એ આ રત્નત્રયમાં (દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્નમાં) જ્ઞાન (જ્ઞપ્તિ), શ્રદ્ધા (રુચિ) અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે. (૨) વિશેષાર્થ સમકિતધારી મુનિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ પરિણતિ હોવી જોઈએ. આ અભેદ પરિણતિ કઈ રીતે થાય ? તે માટે આત્મસ્વરૂપની પ્રક્રિયા અહીં બતાવી છે. આ પ્રક્રિયા બતાવવા માટે વ્યાકરણની ચાર વિભક્તિ (કારક)નો અહીં ઉપયોગ થયો છેઃ (૧) કર્તા. જાણનાર કોણ છે ?–આત્મા. (૨.) કર્મ. કોને જાણે છે ?–આત્માને. (૩.) કરણ. શેના વડે જાણે છે ?–આત્મા વડે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જ્ઞાનસાર (૪) અધિકરણ. ક્યાં જાણે?–આત્મામાં, આત્માને વિશે. એટલે કથન આ પ્રમાણે થયું: આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં જાણે છે” આ કથન છે નાનું, પણ એનું રહસ્ય બહુ ગહન અને વ્યાપક છે. આત્મા પોતે જ્ઞાતા છે. એટલે આત્મા પોતે કર્તા છે. આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને એટલે કે આત્માને જાણે છે. એટલે આત્મા’ કર્મ છે. આત્મા પોતાને પોતાના જ્ઞાન ગુણરૂપ સ્વરૂપ દ્વારા-એટલે કે આત્મા દ્વારા જાણે છે. એટલે આત્મા કરણ છે. આત્મા પોતાનામાં જ પોતાને જાણે છે. એટલે અધિકરણ પણ આત્મા જ છે. આમ જાણનાર તે આત્મા છે. તે પોતાના વિશુદ્ધ સ્વરૂપને-આત્માને જાણે છે. તે આત્મા વડે પોતાના આત્મામાં પોતાના આત્માને જાણે છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષ આવશ્યક ભાષ્ય'માં ચાર કારકથી નહિ, પણ છ કારકથી-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ (આધાર) એ છ વિભક્તિથી આત્મસ્વરૂપ સમજાવ્યું છે. એ આ પ્રમાણે થાયઃ આત્મા, આત્માને આત્મા દ્વારા, આત્મા માટે, આત્મા થકી, આત્મામાં જાણે છે.” (વિવેક અષ્ટકમાં હવે આવશે.) આ રીતે આત્માને જાણવા માટે તેમાં સમ્યગ્દર્શન (રુચિ), જ્ઞાન અને ચારિત્રની અભેદ પરિણતી મુનિને હોય છે. આત્માને જાણવાની આ ક્રિયા જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પરિજ્ઞાથી થાય છે. જ્ઞપરિજ્ઞા આત્માનું સ્વરૂપ ઓળખાવે છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તે માટે યોગ્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે. આત્મા આત્માને જાણે એ સંબંધે ઉપાધ્યાયજી મહારાજે “સમયપ્રાકૃત'માંથી બે ગાથાઓ પોતાની ટીકામાં ટાંકી છે. એકમાં અભેદનયથી રજૂઆત છે અને બીજી ગાથામાં ભેદનયથી રજૂઆત છે. जो हि सुएणभिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुअकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ।। For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૌનાષ્ટક [જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ શ્રુતકેવલી કહે છે.] જેઓ શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તેઓને હવે આત્મજ્ઞાન દ્વારા સર્વ શ્રુત પ્રકાશમાન થાય છે, એટલે શ્રુત અને આત્માના અભેદથી તેઓને શ્રુતકેવલી કહેવામાં આવે છે. जो अनाणं सव्वं जाणइ सुअकेवलिं तमाहु गिणा । नाणं आया सव्वं जम्हा सुअकेवली तम्हा ।। [જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનો શ્રુતકેવલી કહે છે, કારણ સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય.] ૧૮૫ આમ શ્રુતજ્ઞાન દ્વારા ભેદનયથી કે અભેદનયથી એમ બંને રીતે આત્મા આત્માને જાણે છે. આત્માને જાણવા માટે સૌથી મહત્ત્વનું તે મોહત્યાગ કરવાનું છે. કહ્યું છેઃ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ।। કે આત્મા [આત્મા મોહના ત્યાગથી આત્માને વિષે આત્મા વડે આત્માને જે જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે.] મોહત્યાગની વાત કરવી અઘરી નથી અને સમજવી પણ અઘરી નથી, પણ ખરેખર મોહત્યાગ કરી, રાગદ્વેષથી ૫૨ થઈ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની અભેદ પરિણતિનો અનુભવ કરવો એ ખરેખર દુષ્કર કાર્ય છે. મોટા જ્ઞાની મહાત્માઓ એ સિદ્ધ કરી શકે છે. [૯૯] ચારિત્રમાભષરાત્ જ્ઞાનં વા વર્ણન મુને शुद्धज्ञाननये साध्यं क्रियालाभात् क्रियानये ।। १३ ।। ३ ।। [શબ્દાર્થઃ ચારિત્રં=ચારિત્ર છે; આત્મવરળાત્=આત્માને વિશે ચાલવાથી; જ્ઞાનંજ્ઞાન; For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ્ઞાનસાર વા=અને; વર્ણન=દર્શન; મુને =મુનિને; શુદ્ધજ્ઞાનના=શુદ્ધ જ્ઞાનનય પ્રમાણે; સાથ્થુ સાધ્ય છે; ક્રિયાનામા=ક્રિયાના લાભથી; યિાન ક્રિયાનય પ્રમાણે.] અનુવાદ–શુદ્ધ જ્ઞાનનયના અભિપ્રાય મુનિને આત્મામાં ચાલવાથી ચારિત્ર, જ્ઞાન અને દર્શન સાધ્ય છે. ક્રિયાનયના અભિપ્રાયે (જ્ઞાનના ફળરૂ૫) ક્રિયાના લાભથી મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાધ્ય છે. (૩) વિશેષાર્થ : મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ જુદા જુદા નય પ્રમાણે કેવી રીતે સિદ્ધ થાય છે તે અહીં જણાવવામાં આવ્યું છે. સૌ પ્રથમ એ સમજી લેવું જોઇએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જાણે એકબીજાથી સ્વતંત્ર, અલગ અલગ, Water-Tight Compartment જેવા પદાર્થ નથી. એ ત્રણે એકબીજા સાથે એવાં સંલગ્ન છે કે સાધનાથી ત્રણેનો અભેદ સિદ્ધ થઈ શકે છે. મતલબ કે ભિન્ન ભિન્ન નયથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને એક તરીકે બતાવી શકાય છે, ત્રણને બે તરીકે પણ બતાવી શકાય છે અને ત્રણને ત્રણ તરીકે પણ બતાવી શકાય છે. અહીં શુદ્ધ જ્ઞાનનય (અને જ્ઞાનાદ્વૈત નય પણ કહ્યો છે) પ્રમાણે પૌદ્ગલિક ભાવોથી નિવૃત્ત થઈ આત્માને વિષે ચાલવું એ જ ચારિત્ર છે. આત્મરમણતા, આત્માના શુદ્ધ સ્વરૂપનો અવબોધ એ જ ચારિત્ર છે. આ નય પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભેદ છે. આ નય કહે છે કે આત્માનો જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ જ ચારિત્ર છે. જો શુદ્ધ આત્મરમણતા ન હોય તો ચારિત્ર પણ ન હોય. ક્રિયાનય એમ કહે છે કે કેવળ આત્મરમણતા એ ચારિત્ર નથી, પણ તે પ્રમાણે અનુરૂપ જો ક્રિયા થાય તો જ તે ચારિત્ર છે. જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને વૈરાગ્યથી આશ્રવનિરોધ થાય છે. આશ્રવોના નિરોધથી કર્મ બંધાતાં નથી અને તપથી કર્મની નિર્જરા થાય છે. એટલે આત્મરમણતા પછી તદનુસાર ક્રિયા થાય તો તે ચારિત્ર છે. આ નય કહે છે કે પાણીમાં તરવા વિશે ફક્ત જ્ઞાન જ હોય અને For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મીનાષ્ટક ૧૮૭ પાણીમાં તરવાનો અભ્યાસ ન હોય તો માણસ ઊંડા પાણીમાં પડે તો તરત ડૂબી જાય. તરવાના જ્ઞાન સાથે પાણીમાં હાથપગ હલાવવા રૂપી ક્રિયા પણ થાય તો જ પાણીમાં તરી શકાય. આત્માને વિશે ચાલવું” એનો અર્થ એ કે પુદ્ગલ થકી નિવૃત્તિ થવી જોઇએ. આ નિવૃત્તિ એટલે ચારિત્ર. આત્માને વિશે ચાલવું તે બોધસ્વરૂપ છે. બોધસ્વરૂપ હોવાથી તે જ્ઞાન છે. આત્માને વિશે ચાલવું એટલે જિનેશ્વર ભગવાનનાં વચનમાં શ્રદ્ધા કરવી. એટલે તે સમ્યગુદર્શન છે. આમ, આત્માને વિશે ચાલવું'-એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો સમન્વય થાય છે. એટલે આત્મસ્વરૂપમાં રમણતા કરવાથી મુનિને જ્ઞાન, દર્શન અને ચરિત્ર એ ત્રણે સાધ્ય બને છે. [૧૦૦]યતઃ પ્રવૃત્તિને મળી નખ્યત્વે વા ન તનમ્ .. अतात्त्विकी मणिज्ञप्तिर्मणिश्रद्धा च सा यथा ।। १३ ।। ४ ।। [શબ્દાર્થ થત: જેથી પ્રવૃત્તિ:=પ્રવૃત્તિ; ન=નથી; મૌ=મણિમાં, મણિને વિશે; તમ્યતે–પ્રાપ્ત થાય; વા=અથવા; ન=નથી; તત્વ=તેનું (પ્રવૃત્તિનું); hતંત્રફળ; મતાત્વિની=અતાત્વિક, અવાસ્તવિક જીજ્ઞતિઃ=મણિનું જ્ઞાન; બિશ્રદ્ધ=મણિની શ્રદ્ધા; =અને; સા=0; યથા=જેમ.] અનુવાદજેમ, જેથી મણિની પ્રવૃત્તિ ન થાય અથવા તેનું ફળ પ્રાપ્ત ન થાય તો તે અવાસ્તવિક મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા છે. (૪) વિશેષાર્થઃ શ્લોક ૪ અને ૫ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૧૦૧]તથા યતો શુદ્ધાત્મસ્વમાવવUાં ભવેત્ | નં વોષનિવૃત્તિર્વાન જ્ઞાનં વર્ણનમ્ I ? રૂ . પ .. [શબ્દાર્થ તથા=તેમ, તેવી રીતે; યત =જેથી; ન=ન, નથી; શુદ્ધ=શુદ્ધ માત્મસ્વમવીવર આત્મસ્વભાવનું આચરણ; મ=થાય; પરંsફળ; For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પાનસાર તોષનિવૃત્તિ:=દોષની નિવૃત્તિરૂપ; વી=અથવા; ન=નથી; ત=0; જ્ઞાનં=જ્ઞાન; ન=નથી; વર્શનEશ્રદ્ધા.] અનુવાદ–તેમ, જેનાથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ ન થાય અથવા દોષનિવૃત્તિરૂપ ફળ પ્રાપ્ત ન થાય તે જ્ઞાન નથી અને દર્શન (શ્રદ્ધા) નથી. (૫) વિશેષાર્થ : અશુદ્ધ જ્ઞાનની નિષ્ફળતા દર્શાવવા માટે અહીં મણિનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. પહેલાંના વખતમાં એવા વૈડૂર્ય મણિ અર્થાતુ એક પ્રકારનાં રત્નો હતાં (હવે છે કે નહિ એ વિશે જાણકારી જોવા મળતી નથી) કે જેનાથી સર્પનું ઝેર ઉતારી શકાતું. વળી બરાબર એના જેવો જ સાદા કાચનો ટુકડો પણ હોય છે. કોઈ કાચના ટુકડાને મણિ માની લે તો એ મણિની કોઈ પ્રવૃત્તિ ન થઈ શકે, જેમકે એને વેચવા જાય તો કોઈ રત્નપારખું ઝવેરી ખરીદે નહિ કે કોઈ ઘરેણાંમાં એને બેસાડે નહિ, વળી આવા ખોટા મણિનું ફળ પણ આવે નહિ, એટલે કે એનાથી સર્પનું ઝેર ઊતરે નહિ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાને કહ્યું છે : पुल्लेव मुट्ठी जह से असारे अयंतिए कूडकहाणवे वा । राढामणी वेरुलियप्पगासे अमहग्घओ होइ हु जाणएसु ।। [જેમ અસાર એવી ખાલી મૂઠી, અયંત્રિત (પ્રસિદ્ધિને નહિ પામેલો) ખોટો કાર્દાપણ (એક જાતનું ચલણ-સિક્કો) તથા કાચનો ખોટો મણિ જે વૈડૂર્યમણિ જેવા પ્રકાશવાળો હોય છે એ બધાં જાણકાર માણસો આગળ કિંમત વિનાનાં હોય છે.] સાચા મણિને બદલે કાચનો ટુકડો એ મણિ છે એવું કોઈ માની લે તો એની એ શ્રદ્ધા અતાત્વિકી છે. એનું જ્ઞાન નિષ્ફળ છે, કારણ કે મણિ જેવા દેખાતા કાચના ટુકડાથી કોઈ પ્રવૃત્તિ થઈ શકશે નહિ અને પ્રવૃત્તિ કરવા જાય તો એનું ફળ મળશે નહિ. ખોટા મણિથી સાપનું ઝેર ઊતરે નહિ એટલે આવાં જ્ઞાન અને શ્રદ્ધા અતાત્વિક છે, અસત્ય છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૌનાષ્ટક ૧૮૯ આવી રીતે આત્મસ્વરૂપના વિષયમાં અતાત્વિક જ્ઞાન અને અતાત્વિક શ્રદ્ધા હોય તો તેની પ્રવૃત્તિ થાય નહિ અને તેનું ફળ પણ પ્રાપ્ત ન થાય. શુદ્ધ આત્મસ્વભાવમાં ચરણ એટલે કે રમણતા રૂપ આચરણ ન થાય અને રાગ, દ્વેષ, મોહરૂપી દોષોની નિવૃત્તિરૂપી ફળ પ્રાપ્ત ન થાય તો તે જ્ઞાન તે જ્ઞાન નથી અને દર્શન તે દર્શન પણ નથી. પ્રવૃત્તિ અને ફળની દૃષ્ટિએ કોઈપણ વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય થઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી દર્શન, જ્ઞાન અને ચારિત્રનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાનરહિત ક્રિયા નિષ્ફળ છે અને ક્રિયારહિત જ્ઞાન નિષ્ફળ છે. [૧૦૨] યથા શોપસ્ય પુષ્ટવં યથા વા વધ્યમાનમ્ | તથા જ્ઞાનમ્ મવોમામાત્મતૃપ્તો મુનિર્મવેત્ II ૨૩ || ૬ || [શબ્દાર્થ યથા=જેમ; શોશ્યકસોજાનું; પુણવં=પુષ્ટપણું, જાડાપણું; યથા=જેમ; વા=અથવા; વધ્ય=વધ કરવા યોગ્ય, વધ (ફાંસી)ની સજા જેને થઈ હોય તે; મનમ=સુશોભન, શણગારવું; તથા તેમનાનન=જાણનાર; મવોના ભવના ઉન્માદને, સંસારની ઘેલછાને; માત્મતૃતિ:=આત્માને વિશે સંતુષ્ટ; મુનિ=મુનિ; મ=થાય છે.]. અનુવાદ-જેમ સોજાના જાડાપણાને અથવા વધ માટે લઈ જવાતા માણસના શણગારને અને તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્મા વિશે જ સંતુષ્ટ થાય. (૬) વિશેષાર્થ: આત્મસાધના માટે મુનિપણું જો ગ્રહણ કર્યું હોય, મોક્ષપ્રાપ્તિ માટેના પુરુષાર્થનું જ જો લક્ષ્ય હોય તો મુનિની સંસાર પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ જાય છે અને એનો વ્યવહાર પણ એવો જ શુદ્ધ રહે છે. મોક્ષાભિલાષાના ધ્યેય સાથે મુનિપણું ગ્રહણ કર્યું હોય, પણ પછી વ્યવહારમાં લોકસંજ્ઞાથી ચાલતો હોય અને આખો દિવસ સતત બહિર્મુખતામાં જ પસાર થઈ જતો હોય તો વખત For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જ્ઞાનસાર જતાં એવો ભ્રમ પેદા થવાનો સંભવ છે કે પોતાના કરતાં લોકો કેવું સરસ સુખ ભોગવે છે. એમને ધન વૈભવની, ભોગ-સામગ્રીની કેટલી બધી અનુકૂળતા છે ! વસ્તુત : મુનિએ એમ ચિંતવવું જોઈએ કે લોકો જે સુખ ભોગવે છે તે તો ભવનો–સંસારનો એક પ્રકારનો ઉન્માદ છે. જેવો આ ઉન્માદ પૂરો થયો એટલે એના એ જ જીવો પોતપોતાના કર્મ અનુસાર ક્યાંનાં ક્યાં ફેંકાઈ જશે ! ઉપાધ્યાયજી મહારાજે સાંસારિક સુખો માટે અહીં બે ઉપમા આપી છે. કોઈ માણસને શરીરે સોજા ચડ્યા હોય અને એ એમ માને કે પોતે કેવો હૃષ્ટપુષ્ટ થયો છે, કેવી સરસ તબિયત બનાવી છે, તો એ એનો ભ્રમ છે. સોજા એ તો રોગની નિશાની છે. એ તો શરીરને પાયમાલ કરનાર છે. સોજાનું જાડાપણું ઓછું થાય કે તરત શરીર જાડું નહિ રહે. તેવી રીતે સંસારના ભોગોપભોગો રળિયામણા લાગે છે, પણ વસ્તુતઃ એ એક પ્રકારનો ઉન્માદ છે, એક પ્રકારનો સોજો છે, જે પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે જન્મ્યો છે. બીજી ઉપમા અહીં ફાંસીના કેદીની આપવામાં આવી છે. જૂના વખતમાં, કેટલાક રાજાઓના રાજ્યોમાં એવી પ્રથા હતી કે જે ગુનેગારને ફાંસીની સજા થઈ હોય એને વધસ્થાને જ્યારે લઈ જવાતો હોય ત્યારે તેને ઢોલનગારા સાથે વાજતેગાજતે લઈ જવામાં આવતો કે જેથી એ દશ્ય જોનાર લોકોને ચેતવણી મળે કે “મોટા ગુના કરશો તો આ રીતે ફાંસીની સજા મળશે.” એ કેદીના ગળામાં ગુલાબ કે મોગરાનાં ફૂલની માળા નહિ, પણ કરેણનાં ફૂલની માળા પહેરાવવામાં આવતી હતી. હવે એ વખતે એ ગુનેગાર એમ માને કે “જુઓ ! મને કેટલું બધું માનસન્માન રાજ્ય તરફથી મળે છે ! હું કેવો સુખી છું !” ત્યારે લોકોને તો એ હાસ્યાસ્પદ અને તિરસ્કારભર્યું લાગે. આવું જ ચિંતન મુનિઓએ કરવાનું છે. સાંસારિક અસાર ભોગપ્રધાન સામગ્રી પ્રત્યે તેમને ઉદાસીન બની જવાનું છે. એ પ્રત્યે તેમણે મૌન ધારણ કરવું જોઈએ અને પોતાના આત્મામાં જ, આત્મગુણોના ચિંતનમાં, આત્મસ્વરૂપમાં જ મગ્ન અને તૃપ્ત રહેવું જોઈએ. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મીનાષ્ટક ૧૯૧ [૧૦૩] સુત્તમં વાનુડ્યારે મૌનમેલેજિયેષ્ઠપ पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। १३ ।। ७ ।। [શબ્દાર્થ: સુમં=સુલભ, સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું; વાનુબ્બારં–વાણીના નહિ ઉચ્ચારવારૂપ; મોન=મોન; વેન્દ્રિયેષુ =એ કેન્દ્રિયો માં; સમપકપણ; પુત્તેિપુ=પુદ્ગલોમાં, પ્રવૃત્તિ =અપ્રવૃત્તિ, પ્રવૃત્તિ ન થવી; તુ=પણ યોના=યોગોની, મન, વચન અને કાયાના યોગોની; મૌ=મૌન; ઉત્તમ—ઉત્તમ, શ્રેષ્ઠ.] અનુવાદવાણીના નહિ ઉચ્ચારવારૂપ મૌન તો એકેન્દ્રિય જીવોમાં પણ સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું છે, પરંતુ પુદ્ગલોમાં યોગોની (મન, વચન અને કાયાની) પ્રવૃત્તિ ન થવા રૂપ મૌન તે શ્રેષ્ઠ છે. (૭). વિશેષાર્થ : સામાન્ય વ્યવહારમાં ન બોલવું, એટલે કે શબ્દ ન ઉચ્ચારવો એને મૌન ગણાવવામાં આવે છે. આ વાણીનું મૌન છે અને સાધનામાં તે કેટલીક દૃષ્ટિએ ઉપયોગી છે. એવા મનમાં કેટલાક શબ્દોચ્ચાર નથી કરતા, પણ ઇશારાથી કે લખીને પોતાની વાત જણાવે છે. કેટલાક તો મનમાં કલાકો સુધી આ પ્રકારનો ઇશારાનો વ્યવહાર અન્યની સાથે કરે છે. કેટલાક મૌન ધારણ કરવા સાથે ઇશારા વગેરેનો ત્યાગ કરે છે અને અન્યની સામે જોવા સુદ્ધાંનો ત્યાગ કરે છે. આવા કડક પ્રકારના મૌનને આર્ય મૌન કે કાષ્ઠ મૌન કહેવામાં આવે છે. તે દરેકની વ્યાખ્યા જુદી જુદી હોય છે. કેવળ વાણીનું મૌન સંયમની સાધનામાં અમુક દૃષ્ટિએ ઉપયોગી હોવા છતાં મોક્ષમાર્ગમાં આગળ જતાં તેનું વધુ મૂલ્ય નથી. વાણીની અપ્રવૃત્તિરૂપ આવું મૌન તો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા એકેન્દ્રિય જીવોને પણ કુદરતી રીતે હોય છે, કારણ કે તેઓને વચનલબ્ધિ હોતી નથી. પરંતુ અહીં “મોન' શબ્દ વિશિષ્ટ સંદર્ભમાં સમજવાનો છે. યોગોની પુદ્ગલ ગ્રહણ કરવારૂપ પ્રવૃત્તિને રોકવી તેને અહીં મૌન કહેવામાં આવ્યું છે, યોગો For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મનના હોય છે, વચનના હોય છે અને કાયાના હોય છે. યોગો અસંખ્યાતા છે. યોગોની સદંત૨ સર્વથા અપ્રવૃત્તિરૂપ એટલે કે યોગનિરોધરૂપ મૌન તો ચોદમા ગુણસ્થાનકે હોય છે. સિદ્ધ પરમાત્માને તો મન, વચન અને કાયાના યોગો જ હોતા નથી. એટલે એ પ્રકારનું મૌન તો આદર્શરૂપ છે. અહીં મૌન કહ્યું છે તે તેવા યોગોનો નિગ્રહ કરવારૂપ છે અથવા બીજી રીતે કહીએ તો યોગોને સવળી દિશામાં વાળવારૂપ છે. અથવા પુદ્ગલના ભાવોને પોતાના માટે માત્ર જ્ઞાનનો વિષય બનાવવારૂપ છે. જ્યાં સુધી શરીરમાં ચેતન છે ત્યાં સુધી પુદ્ગલો સાથે સંસર્ગ રહેવાનો. ત્યાં સુધી એકંદરે ઇન્દ્રિયો અને મન સક્રિય હોય છે. પૂર્વના પુણ્યોદયથી મનુષ્યને પાંચ ઇન્દ્રિય અને મન મળે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જીવ લુબ્ધ બની જાય છે. અનાદિ કાળથી જીવો એમ ક૨તા આવ્યા છે. ઇન્દ્રિયોના બાહ્ય ભોગવટાને અનુકૂળ અને પ્રતિકૂળ એવા ભેદરૂપે તેઓ જુદા પાડે છે અને અનુકૂળને સુખરૂપે તથા પ્રતિકૂળને દુઃખરૂપે અનુભવે છે. તત્ત્વદ્યષ્ટિથી જોઈએ તો ઇન્દ્રિયો પુદ્ગલનું સુખ અનુભવવા માટે નથી, પણ સંયમ અને વીતરાગભાવ કેળવવા માટે છે. મનનો ઉપયોગ ક્રોધાદિ કષાયો માટે, હિંસાદિ દુર્વિચારો માટે, પાપના વિચારો માટે કરવાનો નથી, પરંતુ શુભ ભાવો માટે કરવાનો છે. વાણી અને કાયાનો ઉપયોગ પણ એ પ્રમાણે જ કરવો જોઈએ. મન, વાણી અને શરીરની વૃત્તિ, પ્રવૃત્તિ ઇત્યાદિને સાચી આધ્યાત્મિક દિશામાં વાળવી એને અમુક અપેક્ષાએ મૌન કહેવામાં આવે છે. પરંતુ આત્માને પુદ્ગલના ભાવોમાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો તથા શુભાશુભ વૃત્તિપ્રવૃત્તિઓમાં આત્માને ન જોડતાં જ્ઞાતાદ્દષ્ટા ભાવે રહેવું એ મૌન સર્વશ્રેષ્ઠ છે. [૧૦૪]ખ્યોતિર્મયીવ રીપસ્ય ક્રિયા સર્વાપિ ચિન્મયી । यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् ।। १३ ।। ८ ।। [શબ્દાર્થઃ જ્યોતિર્મયી=જ્યોતિર્મય, પ્રકાશમય, વ=જેમ; ીપસ્ય=દીવાની; જ્ઞાનસાર For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મોનાષ્ટક યિા:=ક્રિયા, દીપશિખા આડીઅવળી થવારૂપ ક્રિયા, સર્વાંqિ=બધી ય; ચિન્મયી=જ્ઞાનમય; યસ્ય=જેની, જે આત્માની; અનન્યસ્વભાવસ્થ=અનન્ય સ્વસ્વભાવરૂપ; તત્ત્વ=તેનું; મૌનં=મોન, મુનિપણું; અનુત્તરમ્=ઉત્કૃષ્ટ.] અનુવાદ–જેમ દીવાની બધી ય ક્રિયા પ્રકાશમય છે તેમ જે અનન્ય સ્વસ્વભાવે પરિણમેલા છે તેની (આત્માની) સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન (મુનિપણું) ઉત્કૃષ્ટ છે. (૮) ૧૯૩ વિશેષાર્થ : મૌન-અષ્ટકનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર શ્રી સર્વોત્કૃષ્ટ મોન કેવું હોય તે આપણને સમજાવે છે. તે માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે દીપકનું. દીપક પ્રકાશ આપે છે. દીપકની જ્યોતિ ઘડીકમાં સીધી, તો ઘડીકમાં તિરછી હોય છે, ક્યારેક પવનને લીધે તે નીચી વળે છે અને પાછી સીધી થઈ જાય છે. આમ છતાં પ્રકાશ આપવાનું પોતાનું કાર્ય દીપક બરાબર કરતો રહે છે. દીપકની સઘળી ક્રિયા જ્યોતિર્મય હોય છે. એવી રીતે જ્ઞાનદ્દષ્ટિવાળા મુનિઓની સર્વ ક્રિયા સ્વભાવરમણતામાં પરિણમે છે. દરેક દ્રવ્ય સ્વસ્વભાવમાં પરિણમે છે, અન્ય સ્વભાવમાં નહિ. એટલે કે અનન્ય સ્વભાવે પરિણમે છે. મુનિઓ પુદ્ગલાદિથી અન્ય સ્વભાવમાં પરિણમેલા નથી. તેઓ અનન્ય સ્વસ્વભાવવાળા છે. એમની આહાર, વિહાર, વંદન, પડિલેહણ, સ્વાધ્યાય ઇત્યાદિ સર્વ ક્રિયાઓ શ્રુતજ્ઞાનના ઉપયોગપૂર્વકની અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર હોય છે. તેઓના મન, વચન અને કાયાના યોગો પુદ્ગલાદિથી વિરામ પામેલા હોય છે. એટલે કે તે પ્રત્યે એમને કોઈ આસક્તિ કે દુર્ભાવ હોતાં નથી. તેઓની જ્ઞાનદ્દષ્ટિ ચિન્મયી, જ્યોતિર્મય હોય છે. આ રીતે મુનિઓનું મૌન તે મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ કરવારૂપ એટલે કે યોગોની ચંચળતાને રોકવારૂપ હોય છે. દીપકની જેમ તેમની સર્વ ક્રિયાઓ, સાનુકૂળ કે વિપરીત સંયોગો હોય તો પણ આત્માના લક્ષે જ હોય છે. આથી આ પ્રકારનું મોન સર્વોત્કૃષ્ટ પ્રકારનું ગણાય છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વિદ્યાષ્ટક [૧૦૫]નિત્યશુધ્યાત્મતા ક્યાતિનિત્યાશુષ્યનાત્મસુ । અવિદ્યા તત્ત્વધીવિદ્યા યોળાચાર્યે: પ્રનીતિતા ।। ૬૪ ૫ ? ॥ ૧૪. જ્ઞાનસાર [શબ્દાર્થ : નિત્યશુધ્યાત્મતારવ્યાતિ:=નિત્યપણાની, શુચિપણાની અને આત્મપણાની બુદ્ધિ (ખ્યાતિ) હોવી; અનિત્યાશુનાત્મસુ=અનિત્ય, અશુચિ અને અનાત્મ (પુદ્ગલાદિ)માં; અવિદ્યા=અવિદ્યા; તત્ત્વધી:-તત્ત્વની બુદ્ધિ; વિદ્યા=વિદ્યા; યોગાવાય: યોગાચાર્યોએ; પ્રીતિતા=કહી છે.] અનુવાદ–અનિત્યમાં નિત્યતાની, અશુચિમાં શુચિતાની, અનાત્મમાં આત્મપણાની બુદ્ધિ એ અવિદ્યા છે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે એમ યોગાચાર્યોએ કહ્યું છે. (૧) વિશેષાર્થ : મુનિનું મુનિપણું જ્ઞાન વડે એટલે કે વિદ્યા વડે આત્મતત્ત્વમાં ઉપયોગવાળું હોય છે. આ વિદ્યા એટલે શું ? માત્ર જૈન જ્ઞાનીભગવંતોએ જ નહિ, અન્ય ધર્મના પતંજલિ વગેરે યોગાચાર્યોએ પણ કહ્યું છે કે જે તત્ત્વ જે પ્રમાણે હોય તે તત્ત્વ માટે તે પ્રમાણે જ શ્રદ્ધા હોય એને વિદ્યા કહે છે. જે તત્ત્વ જે પ્રમાણે હોય એનાથી વિપરીત બુદ્ધિ એને માટે ધરાવવી તે અવિદ્યા છે. જે વસ્તુ નિત્ય છે એ માટે નિત્યપણાની બુદ્ધિ તે વિદ્યા અને એને માટે અનિત્યપણાની બુદ્ધિ તે અવિદ્યા. જે વસ્તુ અપવિત્ર હોય એને માટે અપવિત્રતાની બુદ્ધિ તે વિદ્યા અને એને પવિત્ર માનવી તે અવિદ્યા. એવી જ રીતે આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ જડ પદાર્થો માટે ચેતન કે આત્મપણાની બુદ્ધિ હોવી એ અવિદ્યા છે. આત્મા માટે આત્મપણાની બુદ્ધિ તે વિદ્યા છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક વિદ્યા એટલે સમ્યકત્વ અને અવિદ્યા એટલે મિથ્યાત્વ. પુદ્ગલ વગેરેમાં સુખ શોધવું એ મિથ્યાત્વ છે. આત્મામાં સુખ શોધવું એ સમ્યકત્વ છે. પુલ-સ્કંધોનો બનેલો દેહ જડ છે અને એમાં રહેલો આત્મા ચેતન છે. પરંતુ મિથ્યાત્વને કારણે જીવો દેહને આત્મા માનીને જીવે છે. અહબુદ્ધિ અને મમતાબુદ્ધિને કારણે જે દેહથી આત્માની ભિન્નતા સમજતા નથી તેઓ એવી ભિન્નતા તો અનુભવી જ ક્યાંથી શકે ? શરીર જાડું થયું એટલે હું (આત્મા) જાડો થયો એમ અબુધ જીવો સમજે છે. “સમાધિશતક'માં કહ્યું છેઃ घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते यथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते यथा । જેિમ જાડું વસ્ત્ર પહેરનાર પોતાને જાડો માનતો નથી, તેમ પોતાનું શરીર જાડું હોય તો પણ જ્ઞાની પોતાના આત્માને જાડો માનતો નથી.] દેહને આત્મા માનવો એ અવિદ્યા છે, તેવી રીતે અનિત્ય, ક્ષણભંગુર દેહને નિત્ય, શાશ્વત માનીને જીવવું એ પણ અવિદ્યા છે. સામાન્ય માણસો ભલે દેહને પવિત્ર કહે પણ શરીરના નવ દ્વાર દ્વારા વહેતા મળને કારણે શરીરને શુચિમય, પવિત્ર માની ન શકાય. તત્ત્વબુદ્ધિવાળા તો શરીરને અપવિત્ર, અશુચિમય જ કહેવાના. ઉપાધ્યાયજી મહારાજે અહીં જૈનાચાર્યોને બદલે ‘યોગાચાર્યો' શબ્દ પ્રયોજ્યો છે. યોગાચાર્યોમાં જૈનાચાર્યો આવી જ જાય. વસ્તુતઃ યોગાચાર્યમાં જૈન-અર્ચન સર્વ આચાર્યો આવી જાય કે જેઓ સમ્યક બુદ્ધિવાળા છે. જૈન દર્શનને વ્યક્તિ સાથે નહિ પણ સમ્યકત્વ સાથે સંબંધ છે. [૧૦]ય: પત્રિયમલ્મિનિમનિર્ચ પર સંમમ્ | __ छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।। १४ ।। २ ।। [શબ્દાર્થ :=; પચ્ચે =જુએ છે; નિત્યં=નિત્ય, અવિનાશી; માત્માનં=આત્માને; For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર નિત્યં=અનિત્ય, વિનાશી; પરસંડાનં=પર વસ્તુના સંબંધને; છત્નકછિદ્ર; ધુ =મેળવવાને; ન નોતિ=સમર્થ થતો નથી; તદ્ય તે ના; મોહમતિનુ =મોહરૂપી ચોર.] અનુવાદ-જે આત્માને નિત્ય સ્વરૂપે જુએ છે અને પર સંયોગને અનિત્ય તરીકે જુએ છે તેનું છિદ્ર મેળવવાને મોહરૂપી ચોર (અલિલ્લુચ) સમર્થ થતો નથી. (૨) વિશેષાર્થ : મોહને અહીં જૂના વખતના ચોર તરીકે ઓળખાવવામાં આવ્યો છે. ચાર દિવસે ચોરી કરે નહિ. રાતને વખતે અંધારામાં ચોરી કરે. તે ઘરના મુખ્ય દરવાજેથી દાખલ થાય નહિ. પરંતુ ઘરની પાછળની કે બાજુની ભીંતમાં છિદ્ર (બાકોરું) પાડી દાખલ થાય અને ચોરી કરીને ત્યાંથી પલાયન થઈ જાય. ઘરનાં માણસો સૂતાં રહે અને ઘરમાં ચોરી થઈ જાય. જ્યાં દિવસનો ઝળહળતો પ્રકાશ હોય અથવા રાતના ઘરમાં દીવાનો બરાબર પ્રકાશ હોય અને ઘરનાં લોકો જાગતાં હોય ત્યાં ચોર ચોરી કરવા દાખલ થાય નહિ. જેઓ આત્મતત્ત્વને નિત્ય તરીકે જુએ છે અને પરપુગલોના સંયોગોને અનિત્ય તરીકે જુએ છે તેઓના આત્મપ્રદેશમાં મોહરૂપી ચોર પ્રવેશ કરી શકતો નથી. આત્મા અવિનાશી છે અને શરીરાદિ પોગલિક સંયોગો વિનશ્વર છે એમ મુખેથી કહેવું સહેલું છે. પરંતુ તે પોતાના અભિપ્રાયમાં ઊતરવું જોઈએ અને આચરણમાં પરિણમવું જોઈએ. [૧૦]તરતિરતાં નક્ષ્મીમયુર્વાયુવસ્થિરમ્ | પ્રઘીરનુધ્યાયે પ્રવત્ મધુરંવપુ: . ૨૪ ૫ રૂ I [શબ્દાર્થ તર:= તરંગ, સમુદ્રના મોજા; તરતાં–તરલ, ચંચળ તક્ષ્મીમ=લક્ષ્મીને; માયુ =આયુષ્યને; વાયુવઠ્યવાયુના જેવું; અસ્થિરઅસ્થિર; મવથી:= નિપુણ બુદ્ધિવાળો; અનુધ્યાયેવિચારે, ચિતવે; અથવ=વાદળાં જેવુ; For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક ૧૯૭ ભાર=ક્ષણભંગુર, વિનશ્વર, નાશવંત; વપુઃ શરીરને.] અનુવાદ-બુદ્ધિમાન પુરુષ લક્ષ્મીને સમુદ્રના તરંગ જેવી ચંચળ, આયુષ્યને વાયુની જેમ અસ્થિર અને શરીરને વાદળાંની જેમ ક્ષણભંગુર ચિંતવે. (૩) વિશેષાર્થ : સમગ્ર જગત અનિત્ય, ક્ષણભંગુર છે એમ ઘણા કહે છે, પરંતુ એમના જીવનવ્યવહારમાં એમ જોવા મળતું નથી. પરંતુ જેઓ નિપુણ બુદ્ધિવાળા છે, ડાહ્યા છે, વિદ્યાવાન છે, જ્ઞાનવાન છે તેમના જીવનવ્યવહારમાં ભોતિક પદાર્થોની ક્ષણભંગુરતા લક્ષ બહાર હોતી નથી. એમની પ્રવૃત્તિ પણ એ પ્રમાણે હોય છે. અનેક ક્ષણભંગુર વસ્તુઓમાંથી અહીં ત્રણ મુખ્ય વસ્તુઓ બતાવવામાં આવી છેઃ (૧) લક્ષ્મી, (૨) જીવન અને (૩) શરીર. અહીં ફક્ત ત્રણ જ વસ્તુની વાત કરવામાં આવી છે, પણ એટલા ઉપરથી એમ સમજવાનું નથી કે બાકીની વસ્તુઓની ક્ષણભંગુરતા નથી. અહીં તો ઉદાહરણરૂપ ત્રણ મુખ્ય વસ્તુ ગણાવી છે, કારણ કે બધા જ સંસારી મનુષ્યોના જીવનમાં આ ત્રણ વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં પણ સૌથી મહત્ત્વનું તે પોતાનું શરીર છે. એના સુશોભન માટે પ્રયત્ન ન કરવામાં આવે તો પણ એના પોષણ માટે તો દિવસ રાત મહેનત કરવી પડે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. શરીર અને જીવનનો અવિનાભાવ સંબંધ છે. શરીર અને જીવન માટે આહાર, પાણી, વસ્ત્ર, રહેઠાણ ઇત્યાદિ પાયાની આવશ્યકતારૂપી સંપત્તિની આવશ્યકતા રહે છે. આ લક્ષ્મીનો જ એક પ્રકાર છે. વ્યવહારમાં લક્ષ્મીના ધન, ઘરેણાં, શેર, જમીન, મકાન ઇત્યાદિ પ્રકારો હોય છે. જ્ઞાની સાધકો આ બધાની વચ્ચે રહેતા હોવા છતાં એમને લક્ષ્મી સમુદ્રના તરંગ જેવી ચંચળ, આયુષ્ય વાયુના જેવું અસ્થિર અને પુગલસ્કંધોનું બનેલું શરીર વાદળા જેવું વિનશ્વર, નાશ પામવાના સ્વભાવવાળું જણાય છે. તેઓ આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ રૂપી લક્ષ્મીને મહત્તા આપે છે અને આત્મગુણોની For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જ્ઞાનસાર વૃદ્ધિ અર્થે પ્રયત્નવાન હોય છે. જ્યારે વિદ્યા પ્રગટે છે અને મોહદશા દૂર થાય છે ત્યારે લક્ષ્મી, આયુષ્ય અને દેહના તાત્ત્વિક સ્વરૂપનું એને ભાન થાય છે. [૧૮] સુવીચAgવીજતું સમડણવિસંમવે નતાવિના શૌચશ્ચમો મૂઠસ્થ રા: II ૨૪ | ૪ | [શબ્દાર્થ : ગુવીનિઃશુદ્ધ, પવિત્ર પદાર્થને; પિકપણ; અશુવીd=અશુચિ, અપવિત્ર કરવાને; સમર્થે સમર્થ; કવિસંમ=અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા; રે;=શરીરમાં; નસ્તાવિના=જળ વગેરેથી; શૌચક્રમ:=શોચનો, શુદ્ધિનો, પવિત્રતાનો ભ્રમ, મૂઢચ=મૂઢ માણસને; વાગ:=ભયંકર.] અનુવાદ–પવિત્ર પદાર્થને પણ અપવિત્ર કરવામાં સમર્થ અને અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલ એવા દેહને પાણી વગેરેથી પવિત્ર કરવાનો મૂઢ માણસનો ભ્રમ ભયંકર છે. (૪) વિશેષાર્થ : અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં દેહની પવિત્રતા પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. વાતે વાતે સ્નાન કરવાની, ક્યારેક તો માટીથી શરીરને ઘસીને સ્નાન કરવાની અને એ રીતે દેહને પવિત્ર બનાવવાની પ્રથા પ્રવર્તે છે. તીર્થસ્નાનનો પણ એટલો જ મહિમા છે. આત્માની શુદ્ધિ અને પવિત્રતાની વાત બાજુ પર મૂકી ને, એને ગૌણ ગણીને કે એની અવજ્ઞા કરીને માત્ર દેહની પવિત્રતા પર ભાર મૂકવામાં આવે એ એક પ્રકારનો મોહ છે. શરીર અશુચિમય છે, પરંતુ બાહ્ય ત્વચાને કારણે તે રૂપાળું લાગે છે. એને વધુ રૂપાળું બનાવવા માટે માણસ જાતજાતના સાધનો શોધે છે અને અજમાવે છે. વર્તમાન સમયમાં તો એનો અતિરેક થતો જાય છે. કેટલીક ક્રિયાવિધિ માટે દેહને સ્નાન વગેરેથી શુદ્ધ રાખવાની કે મુખશુદ્ધિ કરી લેવાની વ્યવહારદષ્ટિએ આવશ્યકતા હોવા છતાં એ ન ભૂલવું જોઈએ કે દેહ માત્ર સાધન છે, સાધ્ય નથી. વળી દેહની જે કંઈ શોભા છે તે અંદર રહેલા ચેતનના For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક આધારે છે. દેહમાંથી ચેતન તત્ત્વ નીકળી જતાં મડદાંને કોઈ સંઘરતું નથી. તરત એ કોહવાય છે. એટલે લોકો તરત એને બાળી નાખે છે કે દાટી દે છે. એટલા માટે શરીરના સ્વરૂપને યથાર્થ દૃષ્ટિએ સમજી લેવું જોઈએ. એક દૃષ્ટિએ જોઈએ તો શરીર એ સુગંધી પદાર્થોને દુર્ગધમય બનાવવાનું એક મંત્ર છે. ભોજનમાં સરસ, સ્વાદિષ્ટ, સુગંધી પદાર્થો લીધા હોય તો પણ પેટમાં જતાં તે દુર્ગધમય બની જાય છે. સ્વચ્છ, શીતલ જલનું પાન કર્યું હોય, શરબતો પીધાં હોય તો પણ ઉદરમાં એ જલ મલિન ગંધાતું બનીને બહાર આવે છે. કેસર, કસ્તુરી જેવા અત્યંત કિંમતી સુગંધી પદાર્થો ખાધા હોય તો પણ તે વિષ્ટારૂપે પરિણમે છે. ખાવાપીવાની વાત તો ઠીક, પણ શરીર પર સ્વચ્છ, સુંદર વસ્ત્ર ધારણ કર્યું હોય તો તે પણ મેલ અને પરસેવાથી મેલું ગંધાતું બની જાય છે. ચંદનનું વિલેપન કર્યું હોય કે સુગંધી અત્તરો અને એવા પદાર્થો ચોપડ્યા હોય તો પણ તે થોડા કલાકમાં ખરાબ થઈ જાય છે. પવિત્રને અપવિત્ર બનાવવાની સુંદર દેખાતા શરીરની પ્રકૃતિ છે. આવા અશુચિમય શરીરની ઉત્પત્તિનો જો વિચાર કરીએ તો તે પણ અશુચિમય જ છે. પિતાના શુક્ર અને માતાના શોણિતના સંસર્ગથી દેહની ઉત્પત્તિ થાય છે અને એવા જ અશુચિમય પુદ્ગલ-પરમાણુઓના આહારથી એ શરીરનું પોષણ થાય છે. “ભવભાવનામાં લખ્યું છે: सुक्कं पिउणो माउए सोणियं तदुभयं पि संसटुं । तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो ।। પિતાનું શુક્ર અને માતાનું શોણિત એ બંનેનો સંસર્ગ થવાથી ત્યાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમ તેનો આહાર કરે છે.] આમ અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી પોષાયેલા અને અશુચિથી ભરેલા દેહને સાધનને બદલે સાધ્ય માની તેને પવિત્ર બનાવવાનો મૂઢ માણસોનો પુરુષાર્થ અતિ ભયંકર છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જ્ઞાનસાર વસ્તુતઃ તાત્ત્વિક સ્નાન દ્વારા આત્માને પવિત્ર બનાવવો જોઈએ. એ કેવી રીતે બનાવી શકાય તે હવે પછીના શ્લોકમાં બતાવવામાં આવે છે. [૧૦] : નવી સમતાલુકા હિન્દી ઋતi મત પુનર્નયાતિ માનિચં તોડનાભિ પર: શુચિ: I ૨૪ / ૧ / [શબ્દાર્થ : :=જે; નાટ્વી=સ્નાન કરીને; સમતાપુખ્ત=સમતારૂપી કુંડમાં; fહત્વ=ત્યજીને, છોડીને; ઋતi=પાપથી ઉત્પન્ન થયેલા; મન્ન=મેલને; પુન:=ફરીથી; ન=નથી; યાતિ=પામતો; માત્ર=મલિનતા; 1:50; મન્તરાત્મા=અંતરાત્મા; પર:=અત્યંત; સુવિ=પવિત્ર.] અનુવાદજે સમતારૂપી કુંડમાં સ્નાન કરીને, પાપથી ઉત્પન્ન થયેલા મેલને દૂર કરીને ફરીથી મલિનતાને પામતો નથી તે અંતરાત્મા પરમ પવિત્ર છે. (૫) વિશેષાર્થ શરીરની નહિ પણ આત્માની પવિત્રતા કેવી રીતે થાય તેનો ઉપાય અહીં બતાવવામાં આવ્યો છે. ઘરમાં થોડું પાણી શરીર પર રેડીને નહાવાથી શરીર જેટલું સ્વચ્છ થાય એના કરતાં સ્વચ્છ જલનાં કુંડમાં અથવા ટબમાં પડીને સાબુ વગેરે શરીરે ઘસીને સ્નાન કરવાથી શરીર વધારે સ્વચ્છ થાય છે. એથી શરીરે લાગેલો મેલ નીકળી જાય છે. અલબત્ત, નાહીને બહાર આવ્યા પછી એક દિવસરાતમાં જ શરીર પાછું મેલું થઈ જાય છે કે જેથી બીજે દિવસે ફરી સ્નાન કરવાની જરૂર પડે છે. અહીં એવા અન્તરાત્માની વાત કરવામાં આવી છે કે જેઓ સમતારૂપી કુંડમાં સ્નાન કરીને પોતાનો પાપજન્ય બધો મેલ દૂર કરે છે. આવો સમ્યકત્વવાસિત આત્મા અત્યંત પવિત્ર છે. તે સમતાકુંડમાં સ્નાન કરીને બહાર આવે પછી એને મેલ લાગતો નથી, લાગે તો તે અલ્પ પ્રમાણમાં હોય છે. શાસ્ત્રનું વચન છે કે જીવને એક વખત સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે ત્યાર પછી એના ભવભ્રમણનો કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઈક ન્યૂન રહે છે. સમ્યગુદૃષ્ટિ જીવની રાગદ્વેષની For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક ૨૦૧ પરિણતિ મંદ પડતી જાય છે. એવા આત્માને અંતરાત્મા કહેવામાં આવે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ આત્માના સંપૂર્ણ વિકાસક્રમની દૃષ્ટિએ ત્રણ પ્રકાર બતાવ્યા છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે પીગલિક સુખોમાં રાચનાર. તે મિથ્યાદૃષ્ટિ હોય છે. જ્યારે એનું મિથ્યાત્વ મંદ પડી જાય છે ત્યારે એની ભવભ્રમણની મર્યાદા ઓછી થાય છે. અને તે ચરમાવર્તિમાં આવે છે. જીવને જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે તે ચોથા ગુણસ્થાનકે આવે છે. તે બહિરાત્મામાંથી અંતરાત્મા બને છે. તે સમતારૂપી કુંડમાં સ્નાન કરીને કર્મરૂપી મળને ઓછો કરતો જાય છે. ચોથાથી બારમા ગુણસ્થાનક સુધીનો જીવ અંતરાત્મા કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જીવ પરમાત્મા બને છે. કેવળજ્ઞાનથી સિદ્ધાવસ્થા સુધીનો આત્મા પરમાત્મા કહેવાય છે. [૧૧૦]ઝાભવોઘો નવ: પાશો હેરોઇંઘનાવિપુ ય: ક્ષિપ્તોડધ્યાત્મના તેવુ સ્વસ્થ વાયનાયતે II ૨૪ ૬ / [શબ્દાર્થ ઃ માત્મવો =આત્મબોધ, આત્માપણાની બુદ્ધિ, પોતાપણાનો ભાવ; નવ=નવો; પાશ:=પાશ, ફાંસો દેહોદયનાવિવું=શરીર, ઘર અને ધનાદિમાં; ય =જે (પાશ) ક્ષિપ્ત =નાખેલો, નંખાયેલો; માત્મના આત્મા વડે; પોતાનાથી, તેવું તેમાં, શરીર વગેરેમાં; સ્વસ્થ પોતાના; વાય=બંધને માટે; ગાયતે= થાય છે.] અનુવાદશરીર, ઘર અને ધન વગેરેમાં આત્મપણાની બુદ્ધિ થવી એ કોઈ નવી જ જાતનો પાશ (ફાંસો) છે, જે પોતાનાથી (આત્મા વડે) તેમાં (શરીરાદિમાં) નખાયેલો હોવા છતાં તે પોતાના જ બંધ માટે થાય છે. (૬) વિશેષાર્થ શરીર, ધન, માલમિલકત વગેરે સાથેના આત્માના વિષયમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ કલ્પના કરી છે. જૂના વખતમાં ભાલો, તલવાર, ત્રિશૂળ, ફરસી વગેરે હથિયારોની જેમ એક હથિયાર તે “પાશ” હતું. પાશ એટલે ગાળિયો. લાંબા મજબૂત દોરડાને છેડે For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જ્ઞાનસાર ગાળિયો બનાવવામાં આવતો. કેટલાક એક સાથે બે કે ત્રણ ગાળિયા બનાવતા. કોઈ દુશ્મન કે પશુઓ ભાગતા હોય અથવા નજીક આવતાં હોય ત્યારે પાશવિદ્યામાં મહાવરાથી નિપુણ બનેલો પાશધર એ દોરડાનો, બીજો છેડો પોતાના હાથમાં પકડી રાખીને મોટો ગાળિયો એવી રીતે ફેંકે કે તે દુશ્મન કે પશુના ગળામાં જઈને પડે અને તરત જ પાશધર દોરડું ખેંચે એટલે ગાળિયો ટૂંકો થઈ તે માણસ કે પશુ ઘસડાઈને પોતાના તરફ આવે. પછી એને ઘેરી વળીને, પ્રહાર કરીને પકડી લેવામાં આવે. જંગલી પશુઓને વશ કરી પાળવા માટે આ વિદ્યા હજુ પણ ભીલોમાં અજમાવાય છે. ક્યારેક પાશથી ગળામાં ભીંસ આવતાં માણસ કે જાનવર મૃત્યુ પણ પામે છે. (આ “પાશ' ઉપરથી “ફાંસો' શબ્દ આવ્યો છે.) જો પાશવિદ્યામાં માણસ હોંશિયાર ન હોય તો ઉછાળેલો ગાળિયો પોતાના ગળામાં જ ભરાઈ જાય. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ કેવી અલોકિક એટલે કે ન બને એવી આશ્ચર્યકારક વાત છે કે શરીર, ઘર, મકાન, માલમિલકતને પોતાનાં બનાવવા માટે આત્માએ એ વસ્તુઓના ગળામાં ગાળિયો નાખ્યો, પણ હકીકતમાં એ ગાળિયો પોતાના ગળામાં આવી ગયો અને પોતે બંધાઈ ગયો. લૌકિક પાશ તો બીજાને બાંધે, આ પાશ તો તે નાખનાર આત્માને જ બાંધી લે છે. આત્માએ આત્મબોધથી એટલે કે મારાપણાની બુદ્ધિથી રાગરૂપી પાશ નાખ્યો પણ અવિદ્યાને કારણે આત્મા પોતે જ બંધનમાં આવ્યો. પરપદાર્થમાં મમતા કરવી તે અવિદ્યા છે. “હું” અને “મારું કરવાથી આત્મા સંસારમાં કર્મરૂપી બંધનથી બંધાય છે. આત્માએ એ તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. સ્વરૂપ રમણતારૂપી વિદ્યાનો આશ્રય લેવો જોઇએ. [૧૧૧]મિથોયુવાપાનામસંદ્રમ ઘમજિયા चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।। १४ ।। ७ ।। For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક ૨૦૩ [શબ્દાર્થ મિથોયુક્ત=પરસ્પર જોડાયેલા, મળેલા; પાર્થના=પદાર્થોનો, જીવ અને પુગલાદિનો; અસંમ=નહિ મળવારૂપ, ભિન્નતારૂપ; વમવિ =ચમત્કાર; વિન્માત્ર જ્ઞાનમાત્ર; પરિણામેન=પરિણામથી; વિદુષા=વિદ્વાનથી; પર્વ=જ; અનુભૂયતે–અનુભવાય છે.] અનુવાદપરસ્પર મળેલા પદાર્થોનો નહિ મળવારૂપ ચમત્કાર વિદ્વાનથી જ જ્ઞાનમાત્ર પરિણામ વડે અનુભવાય છે. (૭) વિશેષાર્થ : ચૌદ રાજલોકરૂપ સમસ્ત વિશ્વ પંચાસ્તિકાયમય છે. અસ્તિકાય પાંચ છેઃ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. છ દ્રવ્યમાં છઠું દ્રવ્ય તે “કાળ' ગણાય છે, પણ તેનો સમૂહ-સમુદાય થતો નથી. માટે તે અસ્તિકાય નથી. કોઈ એમ કહે કે આ પાંચે દ્રવ્યોને ચૌદ રાજલોકમાં પોતપોતાની જગ્યા વહેંચી આપીને પોતાની જગ્યામાં જ રહેવાનું કહેવામાં આવે તો થઈ શકે કે નહિ ? ન થઈ શકે. અનાદિ કાળથી પાંચે દ્રવ્યો ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે અને પરસ્પર ઓતપ્રોત હોય એમ જણાય છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં ‘સન્મતિતર્કનો નીચેનો શ્લોક ટાંક્યો છે: अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसक्कं । जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।। | (દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થયેલા (જીવ અને પુદ્ગલ દ્રવ્યોના) જેટલા વિશેષ પર્યાયો છે તેમાં આ જીવ છે અને આ પુદ્ગલ છે” એવો વિભાગ કરવો અશક્ય છે.]. પાંચ દ્રવ્યોમાં આકાશ દ્રવ્ય બાકીનાં ચારે દ્રવ્યો-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને આધાર આપે છે. આ ચારે દ્રવ્યોમાં જીવાસ્તિકાય (આત્મા), ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ત્રણ સૂક્ષ્મ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જ્ઞાનસાર છે અને નજરે નિહાળી શકાય એવાં નથી. પુદ્ગલ પરમાણુ નજરે નિહાળી શકાતું નથી. પણ પુદ્ગલ સ્કંધ નજરે નિહાળી શકાય છે. જીવ અને પુદ્ગલ જ્યારે ઓતપ્રોત બને છે ત્યારે એવા દેહધારી જીવો નજરે નિહાળી શકાય છે. જીવોના જન્મમરણ, ગમનાગમન નજરે નિહાળી શકાય છે. જીવ એટલે કે આત્મા અને દેહરૂપી પુગલો એકબીજા સાથે નીરક્ષીરની જેમ રહેલાં છે. દૂધમાં પાણી જેમ જુદું જોઈ શકાતું નથી, તેમ દેહમાં રહેલો આત્મા જોઈ શકાતો નથી. દેહ અને આત્મા એક ક્ષેત્રાવગાહે અણુતણુની જેમ રહેલા છે. આમ છતાં તેઓ એકબીજામાં સંક્રમણ કરતા નથી, એટલે કે પ્રવેશી શકતા નથી, એકબીજાનું કાર્ય કરતા નથી કે એકબીજાના ગુણ ગ્રહણ કરતા નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વસ્વરૂપે પરિણમે છે, અન્ય સ્વરૂપે નહિ. ચેતન એ આત્માનો ગુણ છે અને પૂરણ-ગલન એ પુદ્ગલનો ગુણ છે. એટલે પૂરણગલન ક્યારેય આત્માનો ગુણ બની શકે નહિ અને ચૈતન્ય ક્યારેય પુદ્ગલનો ગુણ બની શકે નહિ. આ તત્ત્વની વાત રસ્તે ચાલતા સામાન્ય જીવો સમજી શકે નહિ. દ્રવ્ય અને દ્રવ્ય વચ્ચેનો, ગુણ અને ગુણ વચ્ચેનો અને પર્યાય અને પર્યાય વચ્ચેનો ભેદ વિદ્યાવંત પંડિતો સમજી શકે છે અને અનુભવી શકે છે. સામાન્ય માણસો આવી વાત જ્યારે સાંભળે ત્યારે તેમને તે ચમત્કારભરેલી, આશ્ચર્યયુક્ત, ન સમજાય તેવી લાગે છે. જીવ અને પુગલનું ભેદજ્ઞાન થયા વિના વિવેક પ્રગટ થતો નથી અને વિવેક વગર શું હેય (ત્યજવા યોગ્ય) છે અને શું ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) છે તેની ખબર પડતી નથી. [૧૧૨]વિદ્યાતિમિર્ધ્વરે દ્રા વિદ્યાનસ્પૃશા | પતિ પરમાત્માનમાત્મચેવ દિ યોનિઃ II ૨૪ || ૮ || [શબ્દાર્થ ઃ અવિદ્યાતિમિર=અવિદ્યારૂપી અંધકાર; સ્વંસે નાશ થતાં; ર=દષ્ટિ વડે; વિદ્યાન્નનસ્પૃશ=વિદ્યા (તત્ત્વબુદ્ધિ) રૂપી અંજનનો સ્પર્શ કરનારી; For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિદ્યાષ્ટક ૨૦૫ પત્તેિ=જુએ છે; પરમાત્માનં–પરમાત્માને; ત્મિનિ=આત્મામાં, આત્માને વિશે; પર્વ=જ; હિ=વળી; યોનિઃ યોગીઓ.] અનુવાદ-અવિદ્યારૂપી અંધકારનો નાશ થતાં, તત્ત્વબુદ્ધિરૂપ અંજનનો સ્પર્શ કરનારી દષ્ટિથી યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માને જુએ છે. (૮). વિશેષાર્થ અહીં યોગીઓની વાત કરવામાં આવી છે. યોગી મહાત્મા પોતાની તત્ત્વવિદ્યા વડે પોતાના આત્મામાં જ પરમાત્માનાં દર્શન કરે છે. અહીં અંધકાર અને પ્રકાશ માટે રૂપક યોજવામાં આવ્યું છે. સૂર્યાસ્ત પછી સર્વત્ર અંધકાર છવાઈ જાય છે. અત્યંત ગાઢ અંધકારમાં માણસ સાવ નજીકનું પણ જોઈ શકતો નથી. આવા અંધકારમાં કૂતરું, બિલાડી વગેરે પશુઓ, ઘુવડ વગેરે પક્ષીઓ દૂર સુધી સ્પષ્ટ જોઈ શકે છે. કેટલાંક અંજન એવા પ્રકારનાં આવતાં હતાં કે જે આંજવામાં આવે તો માણસ અંધારામાં પણ જોઈ શકે. મિથ્યાત્વ એ અંધકાર છે અને તત્ત્વવિદ્યા એ અંજન છે. સમ્યગુદૃષ્ટિ યોગી મહાત્માઓ આવા અંજન દ્વારા મિથ્યાત્વના અંધકારને ભેદી નાખે છે એટલું જ નહિ, પોતાના આત્મામાં પરમાત્મ-સ્વરૂપનાં દર્શન કરે છે. અહીં મિથ્યાત્વથી પરમાત્મસ્વરૂપ સુધીના વિકાસનો નિર્દેશ છે. ઉપાધ્યાયજી મહારાજે આ “જ્ઞાનસાર'ની ટીકામાં ગુણસ્થાનકની દૃષ્ટિએ સમજાવતાં કહ્યું છે, બાહ્યાત્મા મિથ્યાજ્ઞાની પ્રથમ ગુણસ્થાનકે, અંતરાત્મા સમ્યગુદૃષ્ટિ ચોથા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધી અને પરમાત્મા કેવળજ્ઞાની તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે હોય છે.” આમ, અવિદ્યાનો અર્થાત્ અજ્ઞાનરૂપી મિથ્યાત્વનો નાશ થતાં, સમ્યગુદૃષ્ટિરૂપી અંજન દ્વારા પોતાના અંતરાત્મામાં પરમાત્માનાં દર્શન થઈ શકે છે. માટે પરમાત્મસ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો જોઇએ. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જ્ઞાનસાર ૧૫. વિવેકાષ્ટક [૧૧૩] વર્ષ નીવં ચ સંન્નિષ્ઠ સર્વદા ક્ષીરનીરવત્ ા વિfમની યોસૌ મુનિર્દો વિવેકવીન્ાા ૨૫ III [શબ્દાર્થ : વર્મ-કર્મ, નીવં=જીવને; =અને; બ્લષ્ટ=મળેલાં, એક જેવાં થયેલાં; સર્વવા=હંમેશાં; ક્ષીરનીરવ =દૂધ અને પાણીની જેમ; વિમત્રી=વિભિન્ન, જુદાં; =કરે છે; :=જે; સૌ=આ, એ; મુનિહંસ:=મુનિરૂપી રાજહંસ; વિવેવીન=વિવેકવંત.]. અનુવાદ-દૂધ અને પાણીની જેમ હંમેશાં મળેલાં કર્મ અને જીવને જે મુનિરૂપી રાજહંસ વિભિન્ન કરે છે એ વિવેકવંત છે. (૧) વિશેષાર્થ : વિવેક એટલે સાર અને અસારને જુદા પાડવાની શક્તિ. કેટલીક બહેનો (અને ભાઇઓ પણ) અનાજ વીણવામાં અત્યંત કુશળ હોય છે. તેમને વાર ઓછી લાગે છે અને કામ સરસ થાય છે. એમાં એમની વિવેકશક્તિ રહેલી છે. કેટલાક માણસોની દૃષ્ટિ બહુ ચકોર હોય છે. કેટલાક ઝવેરીઓ હીરા જેવા લાગતા કાચના ટુકડા અને સાચા હીરા એ બંને વચ્ચેનો ભેદ તરત પારખી લે છે. અરે, બનાવટી હીરા અને સાચા હીરા વચ્ચેનો ભેદ ઘરેણાં પહેરનાર નથી પારખી શકતા, પણ હોંશિયાર ઝવેરી હાથમાં લેતાંની સાથે કહી દે છે કે કયો હીરો સાચો છે અને કયો હીરો બનાવટી છે. આ એક સ્કૂલ, લૌકિક પ્રકારની વિવેકશક્તિ છે. પણ નીરક્ષીરની જેમ રહેલાં કર્મો અને આત્મપ્રદેશોની વાત ઘણી જ કઠિન છે, કારણ કે એક ક્ષેત્રાવગાહે રહેલા કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોને છૂટાં પાડવાં અને એમાંથી કર્મયુગલોને ઊંચકીને બહાર જુદા કોઈ પાત્રમાં મૂકી શકાતાં For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૦૭ નથી. સ્થૂલ પદાર્થોને છૂટા પાડીને અલગ અલગ કરવાના કામ જેવું આ કામ નથી. અલબત્ત, આ કામ એની મેળે ત્યારે થાય છે કે જ્યારે મૃત્યુ વખતે આત્મા દેહમાંથી અલગ થઈ જાય છે. અલબત્ત, ત્યારે પણ કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ આત્મપ્રદેશમાં ચોંટેલા હોય છે. આમ છતાં સાધનાથી, ધ્યાનથી એવી ઊંચી દશા પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે દેહ અને આત્મા બેફાડ જુદા જણાય. જે આમ અનુભવે તેને વિવેકવંત કહેવામાં આવે છે. સાધનાનું કાર્ય પૂરું થઈ જતું નથી. જ્ઞાનથી જાણ્યા પછી તેનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર થવો જોઇએ અને ત્યાંથી પણ ઘણું આગળ જવાનું હોય જીવ અને કર્મનો સંબંધ ક્ષીરનીર જેવો એટલે કે દૂધ અને પાણી જેવો છે. મુનિને હંસ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે એવી લોકમાન્યતા છે કે હંસમાં એવી શક્તિ રહેલી છે કે એક પાત્રમાં દૂધ (જો કે દૂધમાં પાણી તો હોય જ છે.) આપવામાં આવે તો હંસ પોતાની ચાંચથી (જાણે ચાંચમાં ફિલ્ટર હોય તેમ) દૂધ દૂધ પી જશે અને પાત્રમાં પાણી પડ્યું રહેશે. લોકોત્તર વિવેક પણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. ઘર મિલ્કત, સ્વજન પરિવાર, શરીર પરનો મોહ છોડી દેવો તે બાહ્ય વિવેક છે. પહેલાં રાગાદિ વિભાવ વગેરે ભાવકર્મથી આત્માને ભિન્ન કરવો અને પછી જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મોથી આત્માને ભિન્ન કરવો એ અત્યંતર વિવેક છે. આગમમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છેઃ पुब्बिं रागाइया विभावा सव्वओ विभज्जिज्जा । पच्छा दव्वा कम्मा सव्व विभिन्नो निओ अप्पा ।। પૂિર્વે રાગાદિ વિભાવોથી સર્વથા આત્માને ભિન્ન કરવો, પછીથી દ્રવ્ય કર્મથી સર્વથા આત્મા ભિન્ન થાય છે.] For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જ્ઞાનસાર ' આ છે. [૧૧૪]હાત્માદવિવેaોડવં સર્વદા સુત્રો પવે भवकोट्याऽपि तद्भेदविवेकस्त्वतिदुर्लभः ।। १५ ।। २ ।। [શબ્દાર્થ રેહાત્મવિ શરીર અને આત્મા વગેરે; વિવે: અવિવેક, મયં આ; સર્વા=સદા, હંમેશાં; સુનમ:=સુલભ, સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો; મ=સંસારમાં; મવ=જન્મ; ત્યા=કરોડ વડે; f=પણ; વિવેeતેના ભેદનો વિવેક, ભેદજ્ઞાન; તુ=પણ; તિવર્તમ =અત્યંત દુર્લભ છે.] અનુવાદ-સંસારમાં હંમેશાં શરીર અને આત્માનો આ અવિવેક સુલભ છે. તેનું ભેદજ્ઞાન (ભેદનો વિવેક) કોટિ જન્મોથી પણ અત્યંત દુર્લભ છે. (૨) વિશેષાર્થ: સમસ્ત સંસારનું અવલોકન કરીએ તો સર્વત્ર એકેન્દ્રિયાદિ જીવો ઉપરાંત મનુષ્યો દિવસ રાત પોતપોતાની સંજ્ઞા અનુસાર, પોતપોતાની ઇન્દ્રિયો દ્વારા ભૌતિક-પૌગલિક સુખ ભોગવવામાં નિરંતર મગ્ન રહે છે. રોટી, કપડાં અને મકાન એ પ્રાથમિક જરૂરિયાત પૂર્ણપણે સંતોષવા માટે માણસો પ્રચંડ પુરુષાર્થ કરે છે. જે કોઈ પોતે ભૂખે મરે અને પરિવારને ભૂખે મારે એ મૂર્ખ ગણાય છે. અડધી દુનિયા તો પુનર્જન્મમાં માનતી નથી અને પ્રાપ્ત થયેલા જીવનને સુખસગવડવાળું બનાવવા માટે સતત મચેલી રહે છે. એ માટે નવી નવી શોધો થાય છે અને આખી દુનિયામાં તે પહોંચી જાય છે. ભારતમાં ચાર્વાક જેવું નાસ્તિક દર્શન પણ ખાઈપીને મોજ કરવાની ભલામણ કરે છે. એટલે ભૌતિક સુખની વાત સર્વ સુલભ છે. આહારાદિ કેટલીયે બાબતો એવી છે કે કોઈને શીખવવું પડતું નથી. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, “સંસારમાં બધા ય જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત છે.” એટલે કે શરીર એ જ આત્મા છે એ રીતે વ્યવહાર ચાલે છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં સમયમામૃત'માંથી નીચેની ગાથાનું અવતરણ આપ્યું છેઃ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨૦૯ सुदपरिचिताणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो णवरिण सुलभो विभत्तस्स ।। સર્વ જીવો વડે કામ ભોગના બંધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે, તેથી સુલભ છે. પરંતુ વિભક્ત શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી. રોજે રોજ કેટલાયે માણસો દુનિયામાં મરે છે એટલે કે દેહ નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે, ફક્ત આત્મા જ અમર છે આવું બુદ્ધિથી જાણવું એ એક વાત છે અને પોતાના દેહ અને આત્માની ભિન્નતાનો ભેદજ્ઞાન વડે અનુભવ કરવો એ બીજી વાત છે. પહેલાં બહિરાત્મદશામાંથી અંતરાત્માની દશામાં આવવું પડશે. વિષય અને કષાયોની મંદતા વગર એ બની નહિ શકે. એ માટે જરૂર છે વિવેકની. પરંતુ જગતમાં આધ્યાત્મિક વિવેક અત્યંત દુર્લભ છે. [૧૧૫] ગુડપિ વ્યનિ તિમિર મિશ્રિતા યથા . विकारैर्मिश्रता भाति तथाऽत्मन्यविवेकतः ।। १५ ।। ३ ।। [શબ્દાર્થ ઃ શુદ્ધ=શુદ્ધ એવા; પિકપણ; વ્યોન=આકાશમાં; તિમિર=તિમિર રોગથી; ફેરવામ:=રેખાઓ વડે; મિત્રતા=મિશ્રતા, મિશ્રપણું; યથા=જેમ; વિર:=વિકારો વડે; મિશ્રતા=મિશ્રપણું; મતિ=ભાસે છે, જણાય છે; તથા તેમ; માત્મનિ=આત્મામાં; વિવેd:=અવિવેકથી.] અનુવાદ-જેમ સ્વચ્છ એવા આકાશમાં તિમિર રોગથી રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં પણ અવિવેકથી વિકારો વડે મિશ્રપણું દેખાય છે. (૩) વિશેષાર્થ આંખોના જાત જાતના રોગ હોય છે. મોતિયાવાળાને ઝાંખું દેખાય છે, રતાંધળાને સૂર્યાસ્ત પછી કંઈ દેખાતું નથી, તેમ તિમિરના રોગવાળાને જોતી વખતે વચ્ચે જાતજાતના રંગો પણ દેખાય છે. એવા રોગવાળો માણસ સ્વચ્છ, For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શુદ્ધ આકાશ સામે નજર કરે તો એને એમાં લાલ, લીલી, પીળી વગેરે પ્રકારની રેખાઓથી મિશ્રિત એવું આકાશ દેખાય છે. આકાશ, સંપૂર્ણ સ્વચ્છ અને શુદ્ધ છે, પણ જોનારમાં દૃષ્ટિ દોષ છે. તેવી રીતે આત્મા સંપૂર્ણ શુદ્ધ છે, પણ જોનારની દૃષ્ટિમાં દોષ છે. અહીં નિશ્ચયનયની દૃષ્ટિએ વાત કરવામાં આવી છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા તો અખંડ, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર, ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ વિભાવદશામાં આવેલો જીવ જ્યારે ક્રોધ કરે છે ત્યારે અવિવેકવાળા લોકો કહે છે કે જીવે અર્થાત્ આત્માએ ક્રોધ કર્યો. વસ્તુતઃ ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા ઇત્યાદિ કશું જ શુદ્ધાત્મા કરતો નથી. પરંતુ આત્માની વિભાવદશાને એની સ્વભાવદશા માની લેવાના અવિવેકને કારણે તેમ થાય છે. એટલે સાધકે એવી વિવેકદૃષ્ટિ કેળવવી જોઈએ કે જેથી એને પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપનું યથાર્થ દર્શન થાય. [૧૧૬] ચથા યોધૈ: તં યુદ્ધં સ્વામિચેવોપચયંતે । જ્ઞાનસાર शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ।। १५ ।। ४ ।। [શબ્દાર્થ : યથા=જેમ; યોધૈ:= યોદ્ધાઓ વડે; યોદ્ધાઓએ; i=કરેલું; યુદ્ધં=યુદ્ધ; સ્વામિનિ=સ્વામીમાં, રાજામાં; q=જ; ૩૫૨યંતે=આરોપાય છે; શુદ્ધાત્મનિ=શુદ્ધ આત્મામાં; અવિવેવેન=અવિવેક વડે; ર્મન્દ:=કર્મસ્કંધ, ડનિતં=ફળ; તથા=તેમ.] અનુવાદ–જેમ સૈનિકોએ કરેલું યુદ્ધ રાજામાં જ આરોપાય છે, તેમ અવિવેક દ્વારા થયેલા કર્મસ્કંધનું ફળ શુદ્ધ આત્મામાં આરોપાય છે. (૪) વિશેષાર્થ : કોઈ એમ પ્રશ્ન કરે કે અમુક માણસે ક્રોધ કર્યો, બીજા માણસે ચોરી કરી, કે કોઈ એક માણસે બીજાની હત્યા કરી તો જો આત્મા કશું કરતો જ ન હોય તો એવું કેમ બોલી શકાય ? દુનિયા આખીમાં હજારો વર્ષથી એમ જ બોલાતું આવ્યું છે, તો શું બોલનારા બધા ખોટા ? આ પ્રશ્નનો ઉત્તર અહીં For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨૧૧ આપ્યો છે. સંસારમાં આમ જે બોલાય છે તે વ્યવહારથી બોલાય છે. એ એક જાતનો ઉપચાર છે, પ્રથા છે, રિવાજ છે. ઉપચારને ઉપચારની રીતે સમજવો જોઇએ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે યુદ્ધનું. યુદ્ધમાં લડવા માટે સૈનિકો જાય છે. રાજા તો પોતાના રાજમહેલમાં બેઠો છે. સૈનિકોને હુકમ સેનાપતિ આપે છે. સેનાપતિ દીવાન દ્વારા રાજાને ખબર આપતો રહે છે. હવે યુદ્ધમાં સૈનિકોએ વિજય મેળવ્યો હોય તો રાજાએ જીત મેળવી એમ કહેવાય છે. સૈનિકો હારી ગયા હોય તો રાજા હારી ગયા એમ કહેવાય છે. વસ્તુતઃ રાજા તો યુદ્ધભૂમિ ઉપર ગયા નથી, પણ એ જાતનો વ્યવહાર થાય છે. એને ઉપચાર કહેવામાં આવે છે. આવી જ રીતે આત્મા ક્રોધ કરતો નથી કે આત્મા હત્યા કરતો નથી, આત્માનો જન્મદિવસ ઉજવાતો નથી કે આત્માને ઇનામ લાગતું નથી. તો પણ ઉપચારથી એમ કહેવાય છે. જડ એવાં શુભાશુભ કર્મોનો કર્તા આત્મા નથી. આત્મા કર્તા નથી અને ભોકતા પણ નથી એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે. એ નય પ્રમાણે આત્મા કર્મનો કર્તા છે એમ કહેવામાં અવિવેકદૃષ્ટિ રહેલી છે. શુદ્ધ આત્મામાં એનો જે આરોપ કરાય છે એ માત્ર ઉપચાર છે. સમગ્ર સંસાર ગાઢ મિથ્યાત્વથી ભરેલો છે. એટલે સંસાર તો ઉપચાર અથવા વ્યવહારનો જ આશ્રય લેવાનો. જગતમાં હંમેશાં એમ જ કહેવાતું રહેવાનું કે ફલાણાએ ઘર લીધું, પેલાએ દીકરીની સગાઈ કરી. પેલાએ દેવાળું કાઢ્યું કે ફલાણા ભાઈ ગાંડા થઈ ગયા. આ બધો ઉપચાર છે. એમાં વ્યવહાર નય છે. વિવેકી તત્ત્વજ્ઞ મુનિએ વ્યવહાર ન છોડીને નિશ્ચયનય સ્વીકારવો જોઈએ. [૧૧૭] રૂછપ હિ સ્વપ પતો યક્ષો ! માત્માડમેશ્રમતત્વ હોવાવવિનિઃ II ૨૫ / ૫ . [શબ્દાર્થ દુષ્ટ ઇટ; વિ=વગેરે; પિ=પણ; =વળી; ખરેખર; સ્વf=સોનું, તોન્મત્ત: =પીવાથી (ધતૂરો વગેરે) ઉન્મત્ત, ઉન્માદવાળો; યથા=જેમ ફેંક્ષતે જુએ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ જ્ઞાનસાર છે; માત્માડમેશ્વમ =આત્માના અભેદનો ભ્રમ; તત્વ=તેની જેમ; રેહાવો શરીર વગેરેમાં; વિવેનિ:=વિવેકરહિત, અવિવેકવાળો.] અનુવાદ-જેમ જેણે ઘતૂરો પીધો છે તે ઇંટ વગેરેને સુવર્ણરૂપે જુએ છે, તેની જેમ વિવેકરહિત માણસને દેહ વગેરેમાં આત્મા સાથે અભેદનો ભ્રમ થાય છે. (૫) વિશેષાર્થઃ અવિવેકને કારણે દૃષ્ટિમાં થતા વિપર્યાસ માટે અહીં બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ધતૂરાનાં પાન, ફૂલ અને ધતૂરાનાં બી ઝેરી અથવા માદક ગણાય છે. ધતૂરાના છોડને કે એનાં ફૂલને પશુઓ ચરતાં નથી, એટલું જ નહિ એ હોય ત્યાંથી આઘાં રહે છે. એટલા માટે ખેતરની વાડે ધતૂરા વાવેલા હોય છે. કોઈ માણસ ધતૂરાના રસનું પાન કરે તો એને નશો ચડે છે અને બધું સોનેરી દેખાય છે. એને ઇંટ બતાવવામાં આવે તો તે એને સોનાની ઇંટ જ લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે એ નશાનો પ્રભાવ છે. સારાસાર વિવેકના અભાવનું એ કારણ છે. આવી જ રીતે અવિવેકને કારણે અજ્ઞાની જીવો દેહ એ જ આત્મા છે એવા ભ્રમમાં રહે છે. તે દેહનું હલનચલન જુએ છે એટલે દેહને જ ચેતન સ્વરૂપે માને છે. દેહ અને આત્મા, જડ અને ચેતન એક ક્ષેત્રાવગાહે નીરક્ષીરની જેમ રહેલા હોવાથી, દેહ અને આત્મતત્ત્વની વચ્ચે અભિન્નતા જ સમજે છે. વસ્તુતઃ પુદ્ગલસ્કંધો મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. પુદ્ગલના ગુણધર્મો જુદા છે અને આત્માના ગુણધર્મો જુદા છે એ અવિવેકી માણસ સમજી શકતો નથી, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૧૮] રૂછન્ન પરમાન્ માવી વિવેaધ્ર: પતિત્ય: I પરમં ભાવમન્વિચ્છ નાવિવે નિમMતિ | ૨ || ૬ | [શબ્દાર્થ : ફુચ્છ=ઇચ્છતો; ન=નથી; પરમાન માવી=પરમ ભાવોને; For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૧ ૩ વિવેo=વિવેકરૂપી પર્વતથી; પતતિ=પડે છે; અધ:=નીચે; પરમં ભાવ=પરમ ભાવને; મન્વિચ્છ=શોધતો; ન નથી; વિવે અવિવેકમાં; નિમતિ=નિમગ્ન થાય છે, ડૂબી જાય છે.] અનુવાદ–પરમ ભાવોને નહિ ઇચ્છતો જીવ વિવેકરૂપી પર્વત ઉપરથી નીચે પડે છે. પરમ ભાવને શોધતો તે અવિવેકમાં નિમગ્ન થતો નથી. (૬). વિશેષાર્થ વિવેક અને અવિવેક માટે અહીં રૂપકો યોજવામાં આવ્યાં છે. વિવેક એટલે પર્વત અને અવિવેક એટલે પર્વતની તળેટીમાં અથવા ખીણમાં આવેલું ઊંડું જળાશય. આ વિવેક આધ્યાત્મિક ક્ષેત્રનો લોકોત્તર વિવેક છે. અવિવેક પણ એ જ ક્ષેત્રનો છે. કોઈ પર્વતારોહક બહાદુરીપૂર્વક પર્વતના હિમાચ્છાદિત શિખર સુધી પહોંચી જાય છે. કોઈક પર્વતારોહક ચડવા જાય છે પણ પગલું ચૂકે છે અને ખીણમાં ગબડતો નીચે પડી પાણીમાં ડૂબી મરે છે. જે સાધક પરમ ભાવને ઇચ્છતો નથી તે વિવેકરૂપી પર્વતના શિખર ઉપરથી પ્રમાદને લીધે નીચે પડે છે અને અવિવેકરૂપી જળાશયમાં ડૂબી જાય છે. જે પરમ ભાવને ઇચ્છે છે તે ઉત્તરોત્તર આત્માની શુદ્ધિવૃદ્ધિ કરતો પર્વત પર આરોહણ કરે છે અને કર્મના બંધથી મુક્ત થાય છે. પર્વતારોહકની કસોટી કરનાર રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગારવ છે. આરોહકે અપ્રમત્તપણે નજર સીધી અને ઊંચી રાખવાની છે. જો આસપાસનાં ત્રણ ગારવરૂપી મનોહર દશ્યો જોવામાં મન લોભાઈ ગયું, તો પ્રમાદને કારણે પગથિયું ચૂકી જાય છે અને નીચે ગબડી પડે છે. જીવની ઉપરના ગુણસ્થાનકે કસોટી કરનાર તત્ત્વ તે આ ગારવ છે. ગારવ એટલે આસક્તિ. આત્મા જ્યારે ઉર્ધ્વગમન કરતો જાય છે ત્યારે એની વિશુદ્ધિને પરિણામે લબ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે. આ લબ્ધિ સિદ્ધિ અપ્સરાઓ જેવી મોહક હોય છે. જરાક નજર ગઈ તો ત્યાંથી તે નજર પાછી ખસેડવાનું બહુ દુષ્કર છે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ જ્ઞાનસાર આવી લબ્ધિ-સિધ્ધિ જ મોટા મહાત્માઓને નીચે પાડે છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં વાચક ઉમાસ્વાતિજીના પ્રશમરતિ' ગ્રંથમાંથી નીચેના બે શ્લોક ટાંક્યા છેઃ सातद्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनि संगम् ।। [અન્ય પ્રાણીઓને દુર્લભ એવી ઋદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને, સાતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ રહિત મુનિ તે ઋદ્ધિના સુખમાં આસક્ત ન થતાં પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે.] या सर्वसुरवरद्धि विस्मयनीया न सात्वनगारद्धे। नार्घति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ।। [સર્વ દેવોની વિસ્મય પમાડે એવી જે ઋદ્ધિ છે તેને લાખ વાર (શત સહસ્ત્ર) કરોડગણી કરવામાં આવે તો પણ તે સાધુની આત્મિક સંપત્તિના હજારમાં ભાગ જેટલી થતી નથી.] આમ, અપૂર્વકરણ ગુણસ્થાનકે સાધક મુનિને ઋદ્ધિ-લબ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેઓ આસક્ત થતા નથી, લોભાતા નથી. તેઓ વિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતા કરતા અપ્રમત્ત રહીને ઉર્ધ્વરોહણ કરે છે. [૧૧૮] માત્મચેવાભન: કુર્યાત્ ય: પારસંતિમ્ क्वाविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् ।। १५ ।। ७ ।। [શબ્દાર્થ આત્મનિ=આત્મામાં; પર્વ=જ; માત્મનઃ=આત્માના; ર્યા–કરે, ઘટાવે; =જે; ષREછ કારક; સંપતિ=સંબંધ, સંગતિ; =ક્યાંથી હોય; મનવેગવર્નરહ્યુ=અવિવેકરૂપી જ્વર (તાવ)નું; વૌષષ્ય વિષમપણું; નડમન્નના=જડમાં (પુદ્ગલમાં) નિમગ્ન થવાથી.] અનુવાદ-જે આત્મામાં જ આત્માના છ કારકનો સંબંધ ઘટાવે છે એને જડ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૧૫ (પુલ)માં મગ્ન થવાથી થતા અવિવેકરૂપી જવરનું વેષમ્ય ક્યાંથી હોય? (૭) વિશેષાર્થ : અનાદિ કાળથી જગતના જીવોને પુદ્ગલનો સંગ લાગેલો છે. દેહમાં આત્મા અને પુગલ નીરક્ષીરની જેમ પ્રદેશ પ્રદેશે રહેલા છે. એટલે પોતે દેવસ્વરૂપ છે એવો ભ્રમ સેવાય છે. જ્ઞાની મહાત્માઓ દેહ અને આત્માને પોતાની વિવેકદૃષ્ટિથી ભિન્ન અનુભવે છે. જ્યાં સુધી વિવેક નથી હોતો એટલે કે અવિવેકરૂપી વર (તાવ) હોય છે ત્યાં સુધી બધું વિપરીત ભાસે છે. જીવની બધી ક્રિયાઓમાં પુદ્ગલ જ સામે ભટકાય છે. પરંતુ જીવોની આ ભ્રાન્તિ છે. પરંતુ એક વખત જ્ઞાનદશા જાગે છે, આધ્યાત્મિક વિવેક પ્રગટે છે પછી એવા જ્ઞાની મહાત્માઓને બધે આત્માનો જ અનુભવ થાય છે. દરેક ક્રિયામાં, સાધનમાં, પરિણામમાં એમને આત્મા જ દેખાય છે. ક્યારેક એવી રમત બાળકો રમે છે કે જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ એકનો એક જ હોય. કોઈ વિરહીને જ્યાં જુઓ ત્યાં પ્રિયતમાની જ આકૃતિ દેખાય છે. તેવી રીતે અહોરાત્ર આત્મામય બની ગયેલા મહાત્માઓને દરેક વાતે આત્માનાં જ દર્શન થાય છે. આત્મસ્વરૂપમાં રમણતાનો એમનો અનુભવ એવી ઊંચી કોટિનો હોય છે કે પુદ્ગલની વાત એમને ગમતી નથી. એનો અર્થ એ નથી કે પુદ્ગલ પ્રત્યે તેઓને દ્વેષ છે, પરંતુ પ્રત્યેક દ્રવ્ય અને એની પર્યાય તેમને યથાર્થ સ્વરૂપે દેખાય છે. આત્માનો જ્યારે તેઓ વિચાર કરે છે ત્યારે પુગલથી ભિન્ન આત્મસ્વરૂપનું જ તેમને દર્શન રહ્યા કરે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્યક ભાષ્ય'માં આત્માના છ કારક (વિભક્તિ) નીચે પ્રમાણે બતાવ્યાં છેઃ ૧. કર્તા – આત્મા સ્વયં જ્ઞાતા છે એટલે તે કર્તા છે. આત્મા પોતે સ્વગુણના પરિણમનરૂપ જાણવાની (જ્ઞપ્તિ) ક્રિયા કરે છે માટે આત્મા પોતે કર્તા છે. ૨. કર્મ-આત્મા પોતે જ અનન્ત ગુણની પ્રવૃત્તિ છે. આત્માનું જ્ઞેય સ્વસ્વરૂપ છે. એટલે આત્મા પોતે કર્મ છે, એટલે કે ક્રિયા કરનારો છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬ જ્ઞાનસાર ૩. કરણ – જાણવાનું સાધન એટલે કરણ જે જ્ઞાનોપયોગ તે આત્મા પોતે જ છે. એટલે આત્મા પોતે કરણ છે. ૪. સંપ્રદાન – સંપ્રદાન એટલે જેને માટે ક્રિયા કરાય છે. આત્માને જાણવાની ક્રિયા આત્માને માટે જ કરવાની છે. આત્મા માટે ઉત્પાદરૂપ ગુણ પર્યાયોનું પાત્ર હોવાથી સંપ્રદાન છે. ૫. અપાદાન – નાશ પામેલા પર્યાયોનું વિશ્લેષ-વિયોગનું સ્થાન આત્મા હોવાથી આત્મા પોતે જ અપાદાન છે, એટલે પર્યાયોનું છૂટવાપણું છે. ૬. અધિકરણ – આત્મા અનંત ગુણપર્યાયોનો આધાર હોવાથી આત્મા અધિકરણ છે. આ છે કારકને એક જ વાક્યમાં ગોઠવવાનાં હોય તો આ રીતે ગોઠવી શકાય: આત્મા (કર્તા), આત્માને (કર્મ), આત્મા વડે (કરણ), આત્મા માટે (સંપ્રદાન), આત્માથી (અપાદાન), આત્મામાં જ (અધિકરણ) જાણે છે. આ ષકારક સંગતિ છે. આ સંગતિ બુદ્ધિ અને તર્કથી સમજવી એટલું બસ નથી. તેની દિવ્ય અનુભૂતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. [૧૨] સંયમીસ્ત્ર વિવેવેન શાળનોત્તેજિત મુને ! धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।। १५ ।। ८ ।। [શબ્દાર્થ સંયમીā=સંયમરૂપ શસ્ત્ર; વિવેન=વિવેકરૂપી; શાન=સરાણ વડે; નિતંsઉત્તેજિત (અત્યંત તીણ) કરેલું, મુને =મુનિનુંધૃતિવારોત્વલં=સંતોષરૂપી ધારવડે ઉગ્ર; ર્મશત્રુશ્કેક્ષમં કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ; ભ=થાય.] અનુવાદ-વિવેકરૂપી સરાણ વડે અત્યંત તીણ કરેલું, સંતોષરૂપી ધાર વડે ઉગ્ર (ઉત્કૃષ્ટ) એવું મુનિનું સંયમરૂપી શસ્ત્ર કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય. (૮) વિશેષાર્થ : વિવેક વિશેના આ અષ્ટકનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ કર્મરૂપી For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૧૭ શત્રુનો ઉચ્છેદ કરવા માટે સરસ રૂપકની રચના આ શ્લોકમાં કરી છે. શત્રુનો સંહાર કરવા માટે શસ્ત્ર જોઈએ. એ શસ્ત્ર તીક્ષ્ણ ધારવાળું હોવું જોઈએ. વપરાશથી બુઠ્ઠા થઈ જતાં ચપ્પ, છરી, કાતર તથા અન્ય શસ્ત્રની ધાર કાઢવા માટે ખાસ પ્રકારનો પથ્થર તૈયાર કરવામાં આવે છે. એને સરાણ કહેવામાં આવે છે. જે માણસો ધાર કાઢવામાં કુશળ હોય છે તેઓ સરાણ લઈને ફરતા હોય છે અથવા તેની દુકાન રાખે છે. એ દ્વારા તેઓ આજીવિકા મેળવતા હોય છે. તેઓ સરાણિયા કહેવાય છે. અહીં સંયમને શસ્ત્ર તરીકે અને વિવેકને શાણ (સરાણી તરીકે બતાવવામાં આવ્યાં છે. વિવેક એટલે સ્વપરનો વિવેક, અથવા જડ-ચેતનનું ભેદજ્ઞાન અને પરભાવથી નિવૃત્ત થવારૂપી વિવેક. આ સરાણ ઉપર સંયમરૂપી શસ્ત્રની ધાર કાઢવાની છે. એ તીક્ષ્ણ ધાર એટલે સંતોષરૂપી ધાર. સંયમી મુનિએ સંતોષ ધારણ કરવો જોઈએ એટલે કે કોઈ પ્રકારની ઇચ્છા-વાસનાઓથી રહિત થવું જોઈએ. નિરીહતા એ મુનિજીવનનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. જેઓએ ઘરબાર, સ્વજન પરિવાર, માલ મિલકત વગેરે બધું છોડી દીધું છે તેઓને હવે કર્મક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ લૌકિક એષણાઓ હોવી ન જોઈએ. આવા સંયમ, સંતોષ અને વિવેક વડે તેઓ દેહથી પર થઈને આત્મરમણતા અનુભવે છે. આમ, સંયમ, સંતોષ અને વિવેક વડે તે મોહનીય વગેરે કર્મશત્રુનો ઉચ્છેદ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૮ જ્ઞાનસાર ૧૬. માધ્યસ્થાષ્ટક [૧૨૧]થીયતામનુપાત્રમં મધ્યસ્થનાના રાત્મના ! કુતર્વર્વરક્ષેપૈર્યથતાં વનવા પત્રમ્ II ૨૬ / ૨ | [શબ્દાર્થ ઃ થીયતામરહો; અનુપાનH=ઉપાલંભ ન આવે એવી રીતે; મધ્યસ્થન=મધ્યસ્થતાપૂર્વક, રાગદ્વેષ રહિત થઈને; અંતરત્મિના=શુદ્ધ અંતરંગ પરિણામે (અંતરાત્મા થઇને); jતક્ષેપૈ=કુતર્ક (કુયુક્તિ, ખોટી દલીલો) રૂપી કાંકરા નાખવાથી; ત્યmતાં–ત્યાગ કરો; વાતવાતમૂ=બાળપણની ચપળતાનો. ચાંપલાપણાનો, છોકરડાનો.]. અનુવાદ–શુદ્ધ અંતરંગ પરિણામે, માધ્યસ્થ થઇને, ઉપાલંભ ન આવે એવી રીતે, કુતર્કરૂપી કાંકરા નાખવાની બાલ્યાવસ્થાની ચપળતાનો ત્યાગ કરો. (૧). વિશેષાર્થ: “મધ્યશબ્દનો સાદો અર્થ છે વચ્ચે. “સ્થ' એટલે સ્થિત, રહેલું. માધ્યસ્થ એટલે વચ્ચે રહેલું. કોઇપણ વાત કે વિષયમાં પરસ્પર વિરુદ્ધ બે અંતિમ છેડા હોય ત્યારે કોઇપણ એક બાજુ ન ઢળતાં વચ્ચે રહેવું તે મધ્યસ્થતા. બે કે વધુ વ્યક્તિના ઝઘડામાં ન્યાયપૂર્વક નિર્ણય આપવો તે મધ્યસ્થપણું કહેવાય છે. અદાલતના ન્યાયાધીશો જો ન્યાયપૂર્વક સાચો ચુકાદો આપે તો તેમાં મધ્યસ્થતા હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રનો વિચાર કરીએ તો પરસ્પર વિરુદ્ધ બે મોટાં તત્ત્વો તે રાગ અને દ્વેષ છે. ન રાગ બાજુ ઢળવું કે દ્વેષ બાજુ જવું તે મધ્યસ્થતા છે. પણ આવી મધ્યસ્થતાનો વિચાર કરવો જેટલો સહેલો છે તેટલો તેનો અમલ સહેલો નથી. એનું કારણ એ છે કે અનાદિ કાળથી જીવ મિથ્યાત્વને કારણે, મોહનીય કર્મને કારણે રાગદ્વેષ કરતો આવ્યો છે. જીવ પુગલની સંગે જીવતો આવ્યો છે. પુગલ પ્રત્યે એને આસક્તિ રહે છે અને જ્યાં આસક્તિ હોય, અનુરાગ હોય તો ત્યાં For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૧૯ એનાથી વિપરીત પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યે એને અભાવ, અણગમો, દ્વેષ થાય છે. એને સુગંધ ગમે છે-દુર્ગધ ગમતી નથી. યોવન ગમે છે, વૃદ્ધાવસ્થા ગમતી નથી. મિત્રો ગમે છે, દુશ્મનો ગમતા નથી. એને જીવન ગમે છે, મૃત્યુ ગમતું નથી. આ બધું જીવની ભોગબુદ્ધિ અને આસક્તિનું પરિણામ છે. જીવનું ભવાભિનંદીપણું એને રાગદ્વેષથી પર થવા દેતું નથી. જેઓએ મધ્યસ્થતા કેળવવી હોય તેઓએ પહેલાં અંતર્મુખ બનવું પડશે, પોતાના અંતરાત્મામાં ઊતરવું પડશે. એમ થાય ત્યારે માણસને જન્મ અને મૃત્યુ, આત્મા અને પરમાત્મા, સંસારચક્ર અને મોક્ષ ઇત્યાદિ વિશે વિચારો સ્ફરશે. એમ કરતાં ક્રમે ક્રમે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એ સમજાશે અને આગળ જતાં રાગ અને દ્વેષની પરિણતિ ઓછી થતાં મધ્યસ્થતા આવશે. પછી તો દુષ્ટ માણસો પ્રત્યે પણ મધ્યસ્થતા આવશે. મૈત્રી, પ્રમોદ અને કરુણા એ ત્રણ ભાવનાનો વિકાસ થાય તો માધ્યસ્થ ભાવના આવ્યા વગર રહે નહિ. | હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર'માં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાનાં જે લક્ષણો આપ્યાં છે એમાં માધ્યસ્થ ભાવના વિશે કહ્યું છે: क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् ।। નિઃશંકપણે દૂર કાર્ય કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા પ્રત્યે ઉપેક્ષાભાવની વૃત્તિ તે માધ્યસ્થભાવના કહેવાય છે.] જેમ જેમ જીવની બુદ્ધિશક્તિ ખીલે છે તેમ તેમ તર્કશક્તિ પણ ખીલે છે. એને પરિણામે કેટલીક ખોટી વાતને સાચી ઠેરવતાં પણ આવડે છે. આને કુતર્ક કહેવામાં આવે છે. હોંશિયાર વ્યક્તિ જે પક્ષનું સમર્થન કરવું હોય તે પ્રમાણે દલીલો શોધી કાઢે છે. અદાલતોમાં વકીલો કેટલીક વાર આવા કુતર્કનો આશ્રય લે છે. પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કુતર્કથી પોતાનો પક્ષ અથવા પોતે મધ્યસ્થ છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. કુતર્ક તો કાંકરા બરાબર છે અને For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ જ્ઞાનસાર કાંકરા મારવાની કુચેષ્ટા તો બાળકો કરતા હોય છે, કારણ કે બાળકોમાં પુખ્તતા હોતી નથી. પુખ્તતા મધ્યવયમાં આવે છે. એટલે આરાધક જીવે નિષ્ઠાપૂર્વક મધ્યસ્થતા તરફ વળવું જોઈએ. [૧૨] મનોવો વિતાવ મધ્યસ્થીનુવાવતિ . તામાર્ષતિ પુછે તુછી પ્રેમન:પ: 1 ૨૬ / ૨ ll [શબ્દાર્થ ઃ મનોવ7:=મનરૂપી વાછરડો; યુક્તિકાવી યુક્તિરૂપી ગાયની; મધ્યસ્થ=મધ્યસ્થ પુરુષનો; મનુવતિ=પાછળ દોડે છે; તા–તેને (યુક્તિરૂપી ગાયને); માર્ષતિ=ખેંચે છે; પુચ્છન=પૂંછડા વડે; તુચ્છી મન: પિ =તુચ્છ આગ્રહવાળાનો (કદાગ્રહીનો) મનરૂપી વાંદરો] અનુવાદ-મધ્યસ્થ પુરુષનો મનરૂપી વાછરડો યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. કદાગ્રહી પુરુષનો મનરૂપી વાંદરો તેને (યુક્તિરૂપી ગાયને) પૂંછડેથી ખેંચે છે. (૨) વિશેષાર્થ : કેટલાયે વિષયોમાં મતમતાન્તર થતાં રહેવાનાં. જ્યારે પક્ષ પડી જાય ત્યારે પોતાના પક્ષ પ્રત્યેનો દઢ અનુરાગ અન્ય પક્ષની વાતને સમજવા દેતો નથી અથવા સમજાય છતાં તે સ્વીકારવામાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. જ્યારે કોઈ તત્ત્વની વિચારણા થતી હોય ત્યારે અને પક્ષ પડી ગયા હોય ત્યારે પ્રત્યેક પક્ષ પોતાની યુક્તિઓ-દલીલો રજૂ કરે છે. આમાં જ્યાં સુધી પ્રામાણિકપણે, નિઃસ્વાર્થભાવે, રાગરહિત થઈને દલીલો રજૂ થાય છે ત્યાં સુધી એ વિવાદનું ગૌરવ સચવાય છે. કહેવાયું છે કે વારે વારે ગાયતે તવો: I જેમ જેમ સારા અર્થમાં વાદ-વિવાદ થાય તેમ તેમ તત્ત્વ કે પદાર્થ ઉપર સારો પ્રકાશ પડે છે. બધા માણસોની તર્કશક્તિ, સમજશક્તિ, શાસ્ત્રજ્ઞાન અને અનુભવ એકસરખાં નથી હોતાં. એટલે વાદવિવાદથી લાભ થાય છે. આમ છતાં કેટલાયે વાદ-વિવાદ ઝઘડામાં કે મારામારીમાં પરિણમે છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨ ૧ ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ રૂપક પ્રયોજ્યું છે. મન વાછરડું છે અને મન વાંદરું પણ છે. મધ્યસ્થ દૃષ્ટિવાળા પુરુષનું મન વાછરડા જેવું છે અને કદાગ્રહનું મન વાંદરા જેવું છે. યુક્તિ અથવા તર્કયુક્ત દલીલ એ ગાય જેવી છે. મધ્યસ્થ દૃષ્ટિવાળા પુરુષનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ પાછળ જાય છે. એટલે કે યુક્તિને તે અનુસરે છે. કદાગ્રહી પુરુષના મનરૂપી વાંદરો યુક્તિરૂપી ગાયના પૂંછડાને પોતાના તરફ ખેંચે છે. એટલે કે યુક્તિને મારી મચડીને પોતાના પક્ષ તરફ વાળી પોતાના મતનું સમર્થન કરવાનો પ્રયાસ કરે છે. તર્કનું ક્ષેત્ર એવું વિશાળ છે કે માણસ ખોટી વાતને પણ સાચી તરીકે બતાવી શકે છે. પણ જેઓ તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા હોય એમની આગળ ખોટી દલીલ ચાલતી નથી. તેઓ કુતર્કને તરત પકડી પાડે છે, પરંતુ સુતર્ક અને કુતર્કમાં ભોળા લોકો વિવેક કરી શકતા નથી. એટલે તેઓ એમાં ભોળવાઈ જાય છે. પછી જે પક્ષમાં સમુદાય મોટો હોય તેની વાત સાચી એવું વાતાવરણ નિર્માય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છેઃ आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ।। [આગ્રહી માણસ જ્યાં એની મતિ રહેલી હોય છે ત્યાં યુક્તિને દોરી જાય છે. જે માણસ પક્ષપાતરહિત હોય છે તે જ્યાં યુક્તિ હોય છે ત્યાં મતિને લઈ જાય છે.] સમ્યક યુક્તિથી વસ્તુ-પદાર્થનો યથાર્થ બોધ થાય છે. જ્યાં કદાગ્રહ છે ત્યાં મિથ્યાત્વ હોય છે. જ્યાં મધ્યસ્થ દૃષ્ટિ હોય છે ત્યાં સમ્યગદર્શન હોય છે. [૧૨૩] નવું સ્વાર્થ પુ મોઘેણુ પરવર્તિને . સમાનં મનો ય સ મધ્યસ્થ મહામુનિ ! ૨૬ રૂ II [શબ્દાર્થ નg=નયોમાં સ્વાર્થસત્યેનુ=પોતાના અર્થમાં-પોતપોતાના અભિપ્રાય For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ જ્ઞાનસાર સાચા; મોષ=નિષ્ફળ એવા; પરવાતને=બીજા (નયો)ના વક્તવ્યનું નિરાકરણ કરવામાં; સમશીનં=સમાન ભાવવાળું; સમાન સ્વભાવને ધારણ કરનાર; મન:=મન, =જેનું; :=; મધ્યસ્થ =મધ્યસ્થ પુરુષ; મામુનિ =મહાન મુનિ.] અનુવાદ-પોતપોતાના અભિપ્રાયે સાચા અને બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ એવા નયોમાં જેનું મન સમાન ભાવ ધારણ કરનારું છે તે મહામુનિ મધ્યસ્થ છે. વિશેષાર્થ: નયની અપેક્ષાએ મહામુનિની મધ્યસ્થતા કેવી હોય છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. નય એટલે એક દૃષ્ટિકોણ, એક પક્ષ, એક અપેક્ષા. કોઈ એમ કહે કે “હું જ સાચો છું.” તો એક દૃષ્ટિથી તેઓ અવશ્ય સાચા જ હોઈ શકે અને છતાં તેઓ જ એકમાત્ર સાચા છે એમ ન કહી શકાય. બીજી દૃષ્ટિથી બીજા પણ સાચા હોઈ શકે છે. સાચા નયવાદી એ કહેવાય કે બીજાના નયમાં રહેલા સત્યના અંશનો પણ સ્વીકાર કરે. નય વિવિધ પ્રકારના છે, પરંતુ તેમાં મુખ્ય અને મહત્ત્વના સાત નય છે: નગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્ર નય, શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂતનય. દરેક નય કોઈ અપેક્ષા અથવા દૃષ્ટિકોણ રજૂ કરે છે. જ્યગુસ્વાર્થસત્યેષુ-એમાં સ્વાર્થ એટલે સ્વ+અર્થ. એટલે બધા નયો પોતપોતાના અર્થમાં એટલે કે અભિપ્રાયથી જોવામાં આવે તો સાચા હોય છે, પણ મોષ પરવતિને એટલે કે બીજાના નયની યુક્તિથી એને તપાસવામાં આવે તો તે નિષ્ફળ અથવા ખોટા જણાય છે. બધા નયો સપ્રતિપક્ષ હોય છે એટલે કે એને પ્રતિપક્ષ અથવા સામો વિરોધી પક્ષ હોય છે. જો પોતાનું એક દૃષ્ટિબિન્દુ હોય તો બીજાનું એનાથી ભિન્ન એવું દૃષ્ટિબિન્દુ પણ હોય છે. જેઓ કેવળ નય-પક્ષપાતી છે તેઓ તો પોતાની વાત જ સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેઓ સિદ્ધાન્તના અજ્ઞાની કહેવાય છે, મિથ્યાદૃષ્ટિ મનાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિતર્કમાં નીચેની બે ગાથામાં કહ્યું છેઃ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨ ૩ नियनियवयणिज्ज सच्चा सव्वनया परवियालणे मोहा। ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। [સર્વે નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પણ બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખોટા છે, પણ અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નયોનો “આ સાચા છે અને આ ખોટા છે એવા વિભાગ કરતા નથી.] तम्हा सव्वे वि नया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अन्नोन्ननिस्सिया उण हवंति समत्तसब्भावा ।। [તેથી માત્ર પોતપોતાના પક્ષમાં લાગેલા બધા નયો મિથ્યાદૃષ્ટિ છે, પરંતુ એ જ બધા નયો પરસ્પર સાપેક્ષ હોય તો સમ્યગૂરૂપ થાય છે.] જેઓ મધ્યસ્થ મહામુનિ છે તેઓ પોતાના અંતરમાં કોઇપણ નય અથવા વાદ પ્રત્યે પક્ષપાત રાખતા નથી. તેઓ દરેકમાં જે સત્ય હોય તે સ્વીકારે છે. (૩) [૧૨૪] સ્વવર્મવૃતવેશ: સ્વર્ગમુકો નરી: I न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।। १६ ।। ४ ।। [શબ્દાર્થ સ્વસ્થતા વેશ:=પોતપોતાના કર્મમાં જેમણે આગ્રહ કર્યો છે; પોતપોતાના કર્મને વશ થયેલા;સ્વસ્વમુન:=પોતપોતાનાં કર્મને ભોગવનારા; નરT:=મનુષ્યો; ન=નથી; રા=રાગને; ન=નથી; અપિ =અને; પં=શ્વેષને; મધ્યસ્થ =મધ્યસ્થ પુરુષ; તેવું તેમાં; અચ્છતિ=જાય છે.] અનુવાદ-પોતપોતાના કર્મને વશ થયેલા અને પોતપોતાના કર્મના ફળને ભોગવનારા એવા જીવોમાં મધ્યસ્થ પુરુષ રાગને અને વેષને પ્રાપ્ત થતો નથી. વિશેષાર્થ દિવસરાત સંસારનું અવલોકન કરતા રહીએ તો આપણી આસપાસ બનતી જાત જાતની ઘટનાઓ નજરે જોઇએ છીએ. જેમ કે કોઇકને અચાનક લોટરી લાગી, કોઇને લાંબી માંદગી આવી, કોઇની દુકાન બળી ગઈ, કોઇની For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૪ જ્ઞાનસાર દીકરી ભાગી ગઈ અને કોઇકને પરણી ગઈ, કોઇને ઘરે સાધુ મહાત્મા પધાર્યા, કોઇક વર્ષોથી એકધારી નોકરી કર્યા કરે છે. રોજ છાપું વાંચીએ તો ચોરી, ખૂન, બળાત્કાર, ધરપકડ, અકસ્માત વગેરેના કેટલા બધા કિસ્સાઓ વાંચવા મળે છે. આપણી આસપાસનાં સગાંસંબંધીઓ અને પડોશીઓના પરિચિત વર્તુળમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે ! આવી બધી ઘટના વખતે કોઇક સામાન્ય માણસ અત્યંત હરખાઈ જાય, કોઈક રડે, કોઈક વિચારમાં પડી જાય. પરંતુ એવે વખતે આત્મભાવ વિશે વિવેક દૃષ્ટિવાળા જીવોને કોઈ હરખ કે શોક હોતાં નથી. તેઓ ચિંતવતા હોય છે કે દરેક જીવ પોતપોતાના કર્મને વશ થયેલો હોય છે. તે પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખદુઃખ ભોગવે છે. એમાં જ્ઞાની મહાત્મા રાગ કે દ્વેષ કરતા નથી. તેઓ મધ્યસ્થ દૃષ્ટિ રાખે છે. પોતાની સાવ નજીક જ કોઈ દુઃખદ ઘટના બની હોય તો પણ તેઓ વિહવળ થતા નથી. તેઓ પોતાની સ્વસ્થતા કે સમતા ગુમાવતા નથી. એથી આગળ વધી ખુદ આત્મજ્ઞાનીનો વિચાર કરીએ તો કોઈ ઇન્દ્ર એમને વંદન કરવા આવે અથવા તો કોઈ કસાઈ વધ કરવા આવે–બંને પ્રસંગે તેઓ સમચિત્તવાળા જ રહે છે. કેટલાક લોકો બીજાને તકલીફ પડે ત્યારે ડાહી ડાહી શિખામણ આપે છે, પરંતુ પોતાના માથે તકલીફ આવે તો મૂંઝાઈ જાય છે. પરંતુ જ્ઞાની મહાત્મા તેને પ્રસંગે જરા પણ અસ્વસ્થ બનતા નથી. આ બધો કર્મનો ખેલ છે એમ સમજે છે. આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंतिधीरा मुणी समुग्धाइयरागदोसा ।। [કોઈ વંદન કરે તો તેઓ પોતાનો ઉત્કર્ષ માનતા નથી અને કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી, પરંતુ વશ કરેલા ચિત્ત વડે રાગદ્વેષનો નાશ કરનાર ધીર મુનિઓ વિચરે છે.] For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨૫ [૧૨૫] મન: ચર્િચામૃતં વાવ પરોષTUBદે. कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ।। १६ ।। ५ ।। [શબ્દાર્થ : મન:=મન; ચા=હોય; વ્યાકૃતં પ્રવર્તેલું; થવ=જ્યાં સુધી; પરોષમુળદે પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં કાર્ય=કાર્ય; કરવું; =રોકાયેલું, આસક્ત; વાં=શ્રેષ્ઠ; તાવ=ત્યાં સુધી મધ્યસ્થન=મધ્યસ્થ પુરુષે; માભિમાવને આત્મભાવનમાં, આત્મધ્યાનમાં.]. અનુવાદ-જ્યાં સુધી મન પારકાના દોષ અને ગુણ ગ્રહણ કરવામાં પ્રવર્તેલું હોય ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં (મનને) મગ્ન રાખવું એ સારું છે. (૫) વિશેષાર્થ સંસારમાં સર્વત્ર અપૂર્ણતા છે એટલે કોઇપણ વ્યક્તિ કે પદાર્થનું મૂલ્યાંકન કરતી વખતે એનામાં રહેલી ત્રુટિઓ, દોષો, અવગુણો નજરે આવ્યા વગર રહે નહિ. મૂલ્યાંકન ન હોય તો પણ મનુષ્યની પ્રકૃતિ એવી છે કે ઇર્ષ્યા, દ્વેષ, અસૂયા વગેરેને કારણે તે બીજાની નિંદા કરે છે. મન પહેલાં પારકાનાં દોષ અને પછી ગુણની વાત કરવામાં રોકાઈ જાય છે. પરંતુ વિચારવાન માણસે પારકાના પહેલાં ગુણ જોવા જોઈએ અને પોતાનો વિચાર આવે ત્યારે પહેલાં પોતાના દોષ જોવા જોઈએ અને પછી ગુણનો વિચાર કરવો જોઈએ. પારકાના દોષ જોવામાં નિંદાનો ભાવ ન આવવો જોઈએ અને પોતાના ગુણ જોવામાં આત્મશ્લાઘા કે અહંકારનો ભાવ ન આવવો જોઈએ. પરંતુ જેઓ મધ્યસ્થતાના ગુણને કેળવવા ઇચ્છે છે તેઓએ તો આત્મસ્વરૂપના ચિંતનમાં પોતાના મનને રોકવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે પરને વિશે મન તે ચિંતાસ્વરૂપ હોય છે અને આત્માને વિશે સમાધિસ્વરૂપ હોય છે એટલો વિશેષ છે.” આત્મસ્વરૂપના ચિંતન પછી સાંસારિક ગુણદોષ તરફ લક્ષ જ જતું નથી. ચિત્તને પારકાના ગુણદોષના વિચારોમાંથી નિવૃત્ત કરીને સ્વસ્વરૂપમાં સ્થિર કરવા માટે નીચેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છેઃ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ જ્ઞાનસાર (૧) અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષા (૨) શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન. (૩) પદ્રવ્ય અને નવતત્ત્વનું ચિંતન (૪) કર્મના પ્રકારો, કર્મબંધ, વિપાકોદય ઇત્યાદિ વિશે વિચારવું. (૫) નય, નિક્ષેપ અને સ્વાવાદના સ્વરૂપનો અભ્યાસ કરવો. (૬) જ્ઞાની મહાત્માઓનો સત્સમાગમ. (૭) આત્મચિંતન કરવું. આ તો અહીં થોડાક ઉપાય બતાવ્યા છે. પોતાની રુચિ અનુસાર જીવ તત્ત્વચિંતનમાં, ધ્યાનમાં પરોવાઈ જાય તો પારકાની વાતો કરવાનો અને અવકાશ રહેતો નથી. પછી સમતા, મધ્યસ્થતાના ગુણો ખીલવા લાગે છે. [૧૨૬] વિધિન્ના કપિ સ્થાન: સમુદ્ર સરિતામિવા મધ્યસ્થાનાં પર બ્રહ્મ પ્રાનુવર્ત્યમક્ષયમ્ II ૨૬ | ૬ | [શબ્દાર્થ : વિમ=ભિન્ન ભિન્ન, જુદા જુદા વિ=પણ; પથાન =માર્ગો; સમુદ્ર=સમુદ્રને; સરિતાન=નદીઓના; રુવ=જેમ; મધ્યસ્થાન=મધ્યસ્થોને; પરં=ઉત્કૃષ્ટ; બ્રહ્મ=બ્રહ્મને, પરમાત્મસ્વરૂપને; માનુન્ન=પ્રાપ્ત કરે છે; =એક; અક્ષયે અક્ષય, ક્ષય રહિત.] અનુવાદ-જેમ નદીઓના પ્રવાહો જુદા જુદા હોવા છતાં પણ સમુદ્રને મળે છે તેમ મધ્યસ્થોના (જુદા જુદા માર્ગો) ક્ષયરહિત એક પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. (૬) વિશેષાર્થ: મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવોના સાધનાપથ અને અંતિમ લક્ષ્ય માટે અહીં નદીઓ અને સાગરની ઉપમા આપવામાં આવી છે. નદીઓ સામાન્ય રીતે પહાડમાંથી નીકળે છે અને સમુદ્રમાં જઇને એની સાથે ભળી જાય છે. એક વખત નદી–સમુદ્રમાં ભળી ગઈ પછી એનું જુદું અસ્તિત્વ રહેતું નથી. તે સમુદ્રમય બની જાય છે. નદીઓમાં કોઈ નાની અને કોઈ મોટી, કોઈ લાંબી અને કોઈ ટૂંકી હોય For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨૭ છે. જુદા જુદા પહાડોમાંથી તે નીકળે છે અને જુદા જુદા માર્ગોમાંથી વહે છે. કોઈ ઝડપી, ઉછળતી, ઘૂઘવતી હોય છે, તો કોઈ શાંત, રમણીય હોય છે. ભલે નદીનું ગમે તે સ્વરૂપ હોય, તેનું કાર્ય તો સાગરને મળવાનું છે. સાગર અક્ષય હોય છે. એવી જ રીતે મધ્યસ્થ દૃષ્ટિવાળા સાધકોનું અંતિમ લક્ષ્ય તો પરમ બ્રહ્મની પ્રાપ્તિ છે. અર્થાત્ પરમ બ્રહ્મમાં લીન થવાનું છે. બધા જ મધ્યમ0 દૃષ્ટિવાળા એકસરખી કક્ષાના કે એક સરખી દશાના નથી હોતા. બધાની સાધનાપદ્ધતિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં કોઈ અપુનબંધક, કોઈ સમ્યગ્દષ્ટિ સાધક અવિરતિવાળા તો કોઈ દેશવિરતિવાળા તો કોઈ સર્વ વિરતિવાળા હોય છે. કોઈ જિનકલ્પી તો કોઈ સ્થવિરકલ્પી હોય છે. તેઓ મધ્યસ્થ દૃષ્ટિવાળા હોવાથી તેમનામાં સમભાવ હોય છે અને તેમની રાગદ્વેષની પરિણતિ ક્રમે ક્રમે ઘટતી જઈ નિર્મળ થઈ જાય છે. તેમનાં કર્મો અનુક્રમે ક્ષીણ થવા લાગે છે. અંતે તેઓ બધા પોતપોતાના સમયે સર્વ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે, એટલે કે પરમ બ્રહ્મ બની જાય છે અને પરમ બ્રહ્મમાં ભળી જાય છે. [૧૨૭] સ્વામં માત્ર ટ્રેષમાત્રા પર મમ્ | न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। १६ ।। ७ ।। [શબ્દાર્થ સ્વીમિં પોતાનાં શાસ્ત્રને, સિદ્ધાન્તને; રા/માત્રેઇ=રાગ માત્રથી, કેવળ રાગથી; ટ્રેષમાત્ર = કેવળ દ્વેષથી; પરીમ=પરનાં શાસ્ત્રને; ન=નથી; શ્રીમ=સ્વીકારતા; ત્યનામ:=ત્યજતા; વા=અથવા, અને; 7િ=પરંતુ; મધ્યસ્થયા દશા મધ્યસ્થ દૃષ્ટિથી.] અનુવાદ–અમે પોતાના શાસ્ત્રસિદ્ધાન્તનો માત્ર રાગથી સ્વીકાર કરતા નથી અને પરના શાસ્ત્રસિદ્ધાન્તનો માત્ર દ્વેષથી ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી તેમ કરીએ છીએ. | વિશેષાર્થ જેઓ મધ્યસ્થ દૃષ્ટિવાળા હોય છે તેમની કસોટી પોતાનાં અને For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ જ્ઞાનસાર પારકાં વચ્ચે ન્યાય આપવાનો હોય ત્યારે થાય છે. પોતાનાં જે હોય તે પ્રત્યે પક્ષપાત થાય અને પારકાં હોય તેની અવગણના થાય તો તેમનું મધ્યસ્થપણું ટકી શકે નહિ. લોકોમાં તેઓ ઉઘાડા પડી જાય. પરંતુ મધ્યસ્થદૃષ્ટિ મહાત્મા રાગ કે દ્વેષ કરતા નથી. તેઓ કોઈ વસ્તુનો સ્વીકાર કે પક્ષ રાગને કારણે કરતા નથી, પણ તેમાં રહેલા ગુણોને કારણે કરે છે. તેવી રીતે તેઓ અકારણ અસ્વીકાર કે પરિહાર કરતા નથી, પણ તેમાં રહેલા દોષોને કારણે કે ગુણોની ન્યૂનતાને કારણે તેમ કરે છે. ગણધર ભગવંતોએ રચેલાં શાસ્ત્રો અમારી પરંપરામાં સર્વ પૂર્વાચાર્યોએ માન્ય કર્યા છે. એટલે અમારે માન્ય રાખવાં જોઇએ' એમ તેઓ કહેતા નથી. મધ્યસ્થ જ્ઞાની મહાત્મા આગમોનો સ્વીકાર કરે છે તે અનુરાગને કારણે નહિ, પણ તેમાં રહેલા ગુણોને કારણે કરે છે. તેવી જ રીતે પારકાં શાસ્ત્રગ્રંથોનો અસ્વીકારતે પારકાં છે માટે નથી કરતા, પણ તેમાં રહેલી ત્રુટિઓ કે અસંગતિઓને કારણે કરે છે. મધ્યસ્થદૃષ્ટિ જ્ઞાની મહાત્મા યથાર્થ, વિપર્યાયરહિત વસ્તુસ્વરૂપની પરીક્ષા કરીને તેનો આશ્રય કરે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ पक्षपातो न मे वीरे न द्वेष : कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। [મને શ્રી મહાવીર ભગવાનનો પક્ષપાત નથી, તેમજ કપિલ વગેરે મુનિઓ ઉપર દ્વેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા યોગ્ય છે.] જ્ઞાનસાર'ના આ શ્લોકની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। હિ વીપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨૯ કેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.] [૧૨૮] મધ્યસ્થય દશા સર્વેશ્વપુનર્વવાદિષા. વારિસંનીવિનીવારચાયાતાશામ હિતમ્ II ૨૬ | ૮ | [શબ્દાર્થ ઃ મધ્યસ્થય શા=મધ્યસ્થ દૃષ્ટિથી; સર્વેષ=બધામાં; ગપુનર્જન્યવિષ= અપુનર્બન્ધક વગેરેમાં વારિસંગીવિનીવારીયા =ચારીસંજીવિનીચાર નામના ન્યાયથી, ચારો ચરાવવાના દૃષ્ટાન્તથી; મામૈદે આશા રાખીએ છીએ, ઇચ્છીએ છીએ; હિતમહિત, કલ્યાણ.] અનુવાદ-અમે અપુનર્બ ધક વગેરે બધામાં મધ્યસ્થ દષ્ટિ વડે, ચારિસંજીવિનીચારના ન્યાયથી, હિત ઇચ્છીએ છીએ. વિશેષાર્થ : મધ્યસ્થ ભાવ માત્ર પોતાના સમાગમમાં આવેલા જીવો પૂરતો મર્યાદિત ન રહેતાં, આંતરિક પરિણતિ અનુસાર સંસારના સર્વ જીવો પ્રત્યે વિકસે છે. મધ્યસ્થ મહાત્માઓનો જીવનવ્યવહાર અનોખો બની જાય છે. ઉપાધ્યાયજી મહારાજ પોતાનો અંગત ભાવ હોય એ રીતે આ શ્લોકમાં કથન કરે છે, જે સર્વ મહાત્માઓને માટે છે. તેઓ કહે છે કે “અપુનબંધકાદિ જીવો એટલે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત માર્ગને પ્રાપ્ત થયેલા) તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવો માટે મધ્યસ્થ દૃષ્ટિથી, ચારિસંજીવની ન્યાયથી અમે હિત ઇચ્છીએ છીએ.' એક વખત માધ્યસ્થ ભાવ આવે એટલે જગતના સર્વ જીવોના કલ્યાણનો ભાવ જીવનમાં વણાઈ જાય. જે જીવ તીવ્ર ભાવથી પાપ નથી કરતો, જે ક્ષુદ્ર કે ભવાભિનંદી ન હોય, જેનો સંસાર હવે એક પુદ્ગલ પરાવર્તથી અધિક ન હોય અને શુકલ પક્ષના ચંદ્રની જેમ ઉત્તરોત્તર આત્મવિકાસ સાધતો હોય એ જીવને અપુનબંધક (એટલે કે ફરીથી એવાં ભારે કર્મ ન બાંધનાર) કહેવામાં આવે છે. માર્ગાભિમુખ એટલે મોક્ષમાર્ગ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. જ્ઞાનસાર પ્રત્યે સન્મુખ થયેલો તથા માર્ગમાં પ્રવેશ કરવા માટે યોગ્ય ભાવ પ્રાપ્ત કરનાર અને માર્ગપતિત એટલે મોક્ષ માર્ગે આવી ચડેલો, એટલે કે મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલો. ચારિસંજીવની ન્યાય' એ સંસ્કૃત ભાષાનો એક ન્યાય છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા જાય છે જેમ કે અજા કૃપાણી ન્યાય, અંધપંગુન્યાય, કાકતાલીયન્યાય, દેહલી દીપકન્યાય, શાખાચંદ્રન્યાય ઇત્યાદિ. ન્યાય એટલે નિયમ કે સિદ્ધાન્ત સમજાવવા માટેનું સંક્ષિપ્ત, સચોટ ઉદાહરણ. “ચારિસંજીવનીચાર ન્યાય” એટલે સંજીવનીનો ચારો ચરાવવાના દૃષ્ટાન્ત પ્રમાણે. જૂના વખતની વાત છે. એક સ્ત્રીનો પતિ એને વશ રહેતો નહોતો. એની સખીએ સલાહ આપી કે એને જો મંત્રેલી જડીબુટ્ટી ખવડાવવામાં આવે તો તેનો પતિ તેને વશ થશે. એ પ્રમાણે જડી બુટ્ટી મેળવી સ્ત્રીએ પતિને ભોજનમાં ખવડાવી દીધી. પરંતુ એથી તો એનો પતિ બળદ થઈ ગયો. પતિરૂપી બળદ સ્ત્રીને વશ થઈ ગયો અને સ્ત્રી દોરે એમ જવા લાગ્યો, એથી સ્ત્રીને બહુ પસ્તાવો થયો, પણ બળદમાંથી પતિ કરવાની જડીબુટ્ટી એની પાસે નહોતી કે એ વિશે એને કશી ખબર નહોતી. તે રોજ પોતાના બળદ પતિને ખેતરમાં ચરાવવા લઈ જાય અને રૂદન કર્યા કરે. એક વખત આકાશમાર્ગે એક વિદ્યાધર અને વિદ્યાધરી જતાં હતાં. સ્ત્રીનું રૂદન સાંભળી વિદ્યાધરીએ વિદ્યાધરને એ વિશે પૂછયું ત્યારે વિદ્યાધરે. કહ્યું, “આ જ ખેતરમાં એક સંજીવની નામની જડીબુટ્ટી છે. તે જો બળદને ખવડાવે તો બળદમાંથી પાછો માણસ થાય.” સ્ત્રીએ આ શબ્દો સાંભળ્યા, પણ ખેતરની કઈ વનસ્પતિ સંજીવની છે તેની એને ખબર નહોતી. સ્ત્રી બુદ્ધિશાળી હતી. એણે વિચાર્યું કે ખેતરનું બધું જ ઘાસ જો બળદને ખવડાવી દઉં તો એમાં સંજીવની પણ આવી જાય. એણે એ પ્રમાણે ખેતરનું બધું જ ઘાસ બળદને ખવડાવી દીધું. એને પરિણામે એનો વર બળદમાંથી પાછો માણસ થઈ ગયો. આ દૃષ્ટાન્તને ચારીસંજીવની ન્યાય કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૩ ૧ માધ્યસ્થ ભાવના અંગે ઉપાધ્યાયજી મહારાજ પોતાની ટીકામાં લખે છે કે “અપુનબંધકાદિકને વિશે મધ્યસ્થ દૃષ્ટિ વડે ચારિસંજીવની ન્યાય પ્રમાણે અમે હિત ઇચ્છીએ છીએ.” પ્રશ્ન થાય કે સંસારમાં એકેન્દ્રિયાદિ અનંત જીવો છે, તેમાંથી ફક્ત અપુનબંધક જીવો માટે માધ્યસ્થ ભાવના કેમ ? તેનો ખુલાસો કરતાં તેઓ લખે છે કે “યદ્યપિ મૈત્રીભાવના સર્વ વિશે છે, તોપણ પ્રવૃત્તિને અનુકૂળ ભાવના અપુનબંધકાદિને આશ્રિત જ કહી છે. ચારી સંજીવની જેમ પશુપણાનો ત્યાગ કરાવી મનુષ્યપણું પ્રગટ કરવા રૂપ હિત કરે છે તેવી રીતે “ચારિત્ર વગેરેમાં' મંદ પ્રયત્નોવાળો છતાં પણ અધ્યાત્મને અનુકૂળ સમભાવની પરિણતિવાળો થઈને આત્માને અનાદિ પશુપણાના ભાવથી દૂર કરીને સ્વરૂપના જ્ઞાનમાં પ્રકાશવાળો કરે છે.' અપુનબંધકાદિ જીવો મિથ્યાત્વના પહેલા ગુણસ્થાનકે રહેલા છે. અને તત્ત્વથી મોક્ષમાર્ગને જાણતા નથી તો પણ તેઓ ઉત્તરોત્તર વિકાસ સાધી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી મુક્તિ મેળવે એવું તેમનું હિત ઇચ્છીએ છીએ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૨ જ્ઞાનસાર ૧૭. નિર્ભયાષ્ટક [૧૨૯] વચ્ચે નાસ્તિ પાપેક્ષા સ્વમાવાતામિ: I તવિંગુ મમ્રતિવસ્તાતિસાાનતાનવમ્ ા ૨૭ મા ? [શબ્દાર્થ : ચહ્યું=જેને; નાર=નથી; પરપે=બીજાની અપેક્ષા; 4માવાતામિન = સ્વભાવના અદ્વૈત (એકત્વ)ને પ્રાપ્ત થનારા; તસ્ય તેને; વિજ T=કેમ ન હોય ?; જયન્તિ=ભયની ભ્રાન્તિ; તાત્તિઃખદ; સત્તા =પરંપરા; તનવં=અલ્પતા.] અનુવાદ-જેને પરની અપેક્ષા નથી અને સ્વભાવની અભેદતા પ્રતિ જનાર છે તેને ભયની ભ્રાન્સિથી થતા ખેદની પરંપરાની અલ્પતા કેમ ન હોય ? (૧) વિશેષાર્થ સમગ્ર જગત ભયથી ભરેલ છે. પોતાને કંઈક હાનિ થશે, નિષ્ફળતા મળશે, પરાજિત થવાશે, અપજશ મળશે, નિંદા થશે એવા વિવિધ પ્રકારના ભય ઉપસ્થિત થાય છે, કારણ કે એકંદરે સમસ્ત જગત બહિર્દષ્ટિ છે અને એને બીજા પાસેથી કશુંક જોઇએ છે. દુનિયામાં કૌટુંબિક, સામાજિક ઇત્યાદિ પરસ્પર વ્યવહાર એટલો બધો છે કે જ્યાં સ્વાર્થનું ઘર્ષણ ઊભું થયું ત્યાં રાગદ્વેષ, ખટપટ વગેરે ચાલવા લાગે છે. એમાં જ્યારે એક પક્ષ, વિભાગ કે વ્યક્તિ તરફથી બીજાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થાય છે ત્યારે વેરભાવ વધે છે અને એની સાથે ભય પણ ઊભો થાય છે. બીજાને ભયભીત કરવાના સભાન પ્રયત્નો પણ થાય છે. વ્યવહારજગતમાં વખતોવખત અનેક લોકોને ભયભીત થયેલા જોવામાં આવે છે. ચોરડાકુનો ભય, દુશ્મનોનો ભય, રાજસત્તાનો ભય, દુકાળ, આગ, યુદ્ધ, પૂર વગેરેને વખતે મૃત્યુ અને સંપત્તિનાશનો ભય હોય છે. આ બધા સંસારી For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૩ ૩. જીવોના ભય છે. ભય અનેક પ્રકારના છે, પરંતુ એમાંથી મુખ્ય સાત મોટા ભય શાસ્ત્રકારો બતાવે છે, જેમકે (૧) ઈહલોક ભય–આ જગતનો ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. આજીવિકા ભય, ૫. અકસ્માત ભય, ૬. અપકીર્તિ ભય, ૭. મરણ ભય. આ સાત પ્રકારના ભયમાંથી મુનિઓને એક પણ ભય હોતો નથી. તેઓ અભયને વરેલા છે. તેઓને ભય ન હોવા માટે અહીં મહત્વની બે વાત કરવામાં આવી છે: (૧) તેઓને આત્માથી ભિન્ન એવા પરપદાર્થોની કોઈ અપેક્ષા હોતી નથી, તેઓ અત્યંત નિસ્પૃહ હોય છે. તેઓ બધી ભૌતિક ઇચ્છાઓથી પર થઈ ગયા હોય છે, (૨) તેઓ સ્વભાવના અદ્વૈતની લગનીવાળા હોય છે, એટલે કે કેવળ આત્મસ્વભાવમાં રહેવાવાળા હોય છે. જે માણસો દિક્ષા લે છે અને મુનિ બને છે એમને હવે સંતતિ, સંપત્તિ, સંબંધો, સાધનો, કીર્તિ, મમત્વ વગેરે બધું જ છોડી દીધું હોય છે. બીજા નુકસાન પહોંચાડી શકે એવું એમની પાસે કશું નથી અને તેઓને બીજા પાસેથી કશી અપેક્ષા નથી. તેઓને કોઈની પાસેથી કોઈ ચીજવસ્તુ જોઈતી નથી. તેઓ પોતાની સાધનામાં લીન હોય છે. તેઓ પોતાના સ્વભાવમાં મોજ માણે છે. આ એવી મસ્તી છે કે જે કોઈ ઝૂંટવી શકે એમ નથી. એટલે તેઓને કોઈ ભય હોતો નથી, ભયની ભ્રાન્તિ હોતી નથી કે ખેદ હોતો નથી. કદાચ કંઈક હોય તો તે પણ નિર્મલ થઈ જાય છે. જગતને જોવાની એમની દૃષ્ટિ બદલાઈ ગઈ હોય છે. એથી જ કોઈપણ સારી માઠી વાત એમને સ્પર્શતી નથી. સાધુ સદા નિર્ભય હોય છે ! [૧૩૦]મવસરળેન વિ ભૂમિનિયમના I સવા મતિજ્ઞાનકુવમેવ વિશિષ્યતે | ૨૭ ૨ | For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જ્ઞાનસાર [શબ્દાર્થ વિસૌયેન=સંસારના સુખથી; ત્રિશું; મૂરિ=ઘણા; મયર્વતન=ભયરૂપ અગ્નિથી; મમ્રના=ભસ્મ થયેલા; સા=હંમેશાં; જયોતિ =ભયરહિત; જ્ઞાનકુવમે=જ્ઞાનસુખ જ; વિશિષ્યતે સર્વથી અધિક છે, ચડિયાતું છે, સર્વોપરી છે.] અનુવાદ–બહુ ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખોથી શું (પ્રયોજન છે) ? સદા ભયથી રહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. (૨) વિશેષાર્થ: આખું જગત ભૌતિક સુખો ભોગવવા માટે દોટ મૂકી રહ્યું છે. બીજી બાજુ આ સંસાર દુઃખોથી એટલો જ ભરેલો છે. તો પછી પ્રશ્ન થાય છે કે આ બધાં દુઃખો આવે છે ક્યાંથી ? વસ્તુતઃ જ્યાં સુખ છે ત્યાં એની સાથે દુઃખ જોડાયેલું જ રહે છે. ભૌતિક સુખની સાથે દુઃખનો ભય સૂક્ષ્મ રીતે સંકળાયેલો હોય જ છે. માણસે ઘણી બધી સંપત્તિ એકઠી કરી તો એની સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, વેપારધંધામાં નુકસાન થવાનો, ધરતીકંપ, આગ, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિમાં નાશ પામવાનો ભય રહે છે. સાંસારિક સુખ મેળવતી વખતે બીજા ઝૂંટવી ન જાય, માલિકીનો ખોટો હક્ક કરતા ન આવે, સરકારી અધિકારીઓ સતાવે નહિ વગેરે જાત જાતના ભય રહેલા છે. આમ, સંસારનું સુખ ભયરૂપી અગ્નિથી બળી ગયેલું હોય છે. પરંતુ સાચું તાત્ત્વિક સુખ એ કે જેની આસપાસ કોઈ ભય આવી શકે નહિ. આત્મજ્ઞાન રૂપી સુખ એ પ્રકારનું છે કે જેને કોઈપણ પ્રકારનો ભય ત્રણે કાળમાં હોતો નથી. આ આત્મસુખ વહેંચવામાં અડધું નથી થતું પણ બમણું થાય છે. [૩૧] શોધ્યું વવાપિ નારોથં ચં ચં ચરિત્T વવ મન મુને: યં જ્ઞાનેન પશ્યત: || ૨૭ / રૂ II [શબ્દાર્થ ને મૅ=છુપાવવા જેવું નથી; પ ક્યાંય પણ; નાગારોળ્યું સ્થાપવા યોગ્ય નથી, મૂકવા યોગ્ય નથી; દેયં છોડવા યોગ્ય; વેયં દેવા યોગ્ય; =અને For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૩૫ ન=નથી; કવિ ક્યાંય; જ=ક્યાં; યેન=ભયથી; મુને =મુનિને; શેયં=રહેવા યોગ્ય; શેયં=જાણવા યોગ્ય; જ્ઞાનેન જ્ઞાન વડે, સ્વાનુભવ વડે; પશ્યત:=જોતા.] અનુવાદ-જાણવા યોગ્યને જ્ઞાન વડે જાણનાર મુનિને ક્યાંય છુપાવવા યોગ્ય હોતું નથી, સ્થાપન કરવા યોગ્ય હોતું નથી તથા ક્યાંય છોડવા યોગ્ય કે દેવા યોગ્ય હોતું નથી, તો (તેમને) ભય વડે ક્યાં રહેવાનું હોય ? (૩) વિશેષાર્થ : મુનિને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. પોતાની પાસે કંઈક છે અને તે કોઈ પડાવી જશે, લૂંટી જશે, ચોરી જશે, ખોવાઈ જશે ઇત્યાદિ પ્રકારનો ભય તેમને હોતો નથી. તેઓ સંસારના સ્વરૂપને અને આત્મસ્વરૂપનું જ્ઞાન વડે જાણતા હોય છે. મુનિ સદા નિર્ભય હોય છે. મુનિને નિર્ભય રહેવાનાં ત્રણ મુખ્ય કારણ છેઃ (૧) તેમને સ્થૂલ પદાર્થ કે અંગત વાત જેવું, કંઈ છુપાવવા જેવું નથી. તેમનું જીવન કાચ જેવું પારદર્શક છે. તેમનું જીવન એટલે જાહેર જીવન. દિવસ-રાત ગમે ત્યારે એમને નિહાળવા હોય તો નિહાળી શકાય છે. એમની પાસે માત્ર એમનું જ્ઞાન છે. એ પણ છુપાવવા તેઓ ઇચ્છતા નથી. (૨) તેમની પાસે કોઈ પદાર્થ, કોઈ ચીજ વસ્તુ ઇત્યાદિ એટલે કે સાચવવા માટે અથવા ક્યાંક છૂપી રીતે રાખી મૂકવા યોગ્ય કશું હોતું નથી. તેમની પાસે માત્ર તેમનું જ્ઞાન, તેમનું ચારિત્ર, તેમનું નિર્મળ, પારદર્શક જીવન હોય છે. (૩) તેમની પાસે છોડી દેવા જેવું કે આપી દેવા જેવું કશું હોતું નથી. તેમણે જો કશુંક ગ્રહણ કર્યું હોય તો તે છોડી દેવું પડે. તેમણે છોડી દેવા યોગ્ય એવા પર-ભાવોને છોડી દીધા હોય છે. એટલે હવે તેમની પાસે કશું છોડી દેવાનું રહેતું નથી. જેઓ બધું છોડીને દીક્ષિત થયા હોય એમની પાસે હવે આપવા જેવી કોઈ માલ-મિલકત હોતી નથી. વળી પોતે વિકસાવેલા આત્મ ગુણો બીજાને લેવડદેવડની જેમ આપી શકાતા નથી. મુનિ જાણવા યોગ્ય વસ્તુને પોતાના જ્ઞાન વડે જાણે છે. તેઓ સ્વ-પર પદાર્થને For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ જ્ઞાનસાર પોતાના અનુભવ વડે જાણે છે. વળી પોતાના આત્મસ્વરૂપનું રક્ષણ કરવાને પોતે જ સમર્થ હોય છે. એટલે મુનિને ભયનું કોઈ કારણ નથી. સંસારમાં મુનિ સર્વથા નિર્ભય હોય છે, કારણ કે તેઓ દેહભાવથી પર છે. એટલે જ તેમને મૃત્યુનો પણ ભય હોતો નથી. મેતારજ મુનિ, ગજસુકુમાલ મુનિ, ઝાંઝરિયા મુનિ વગેરે કેટલાં દૃષ્ટાન્ત જોવા મળે છે કે જેઓ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ ડગ્યા નથી. [૧૩૨] પદ્ધ બ્રહ્માસ્ત્રમાિય નિદન મોહબ્રૂ મુનિ ! बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।। १७ ।। ४ ।। [શબ્દાર્થ પર્વ=એક; બ્રહ્માર્ટ્સ=બ્રહ્માસ્ત્રને, પરમાત્મસ્વરૂપ જ્ઞાનરૂપી શસ્ત્રને; આવાય=ગ્રહણ કરીને, ધારણ કરીને નિખન=હણતા; મોદામૈં મોહરૂપી લશ્કરને મુનિ =મુનિ; વિમેતિ=ભય પામે છે; ન નથી; =જેમ, પેઠે; સંગ્રામ=સંગ્રામ, યુદ્ધ; શીર્ષસ્થ=મોખરે રહેલા; વં=જેમ, પેઠે; નાગર ઉત્તમ હાથી] અનુવાદ-એક બ્રહ્માસ્ત્ર (પરમાત્મસ્વરૂપ જ્ઞાનરૂપી શસ્ત્ર)ને ધારણ કરીને મોહરૂપી લશ્કરને હણતા મુનિ, સંગ્રામમાં મોખરે રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી. (૪) વિશેષાર્થ : સમસ્ત જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય ચાલે છે. મોહરાજા સામે કોઈ બળવો પોકારે કે તરત મોહરાજા પોતાના સૈન્યને મોકલી આપીને તેને પરાજિત કરે છે. એમના સૈન્યમાં સ્વાર્થ, લોભ, લાલચ, કામવાસના, અભિમાન, ઇર્ષા, નિંદા, અસત્ય, ચોરી, માયા વગેરે સેનાપતિઓ છે. એમાં પણ મિથ્યાત્વનામનો સેનાધિપતિ તો અતિશય બળવાન છે. આ બધા સેનાપતિઓ યુદ્ધકલામાં નિપુણ છે. ભલભલા યોદ્ધાઓને તેઓ અલ્પ સમયમાં પરાજિત કરી દે છે. પણ એવું નથી કે મોહરાજા ક્યારેય પરાજિત ન થાય. અનાદિ કાળથી કેટલાયે For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૩૭. મહાત્માઓએ મોહરાજાને પરાજિત કરી દીધા છે. એમને પરાજિત કરવા માટે એમના કરતાં યે વધારે તીક્ષ્ણ શસ્ત્રો જોઇએ અને એટલું જ પરાક્રમ જોઇએ. પ્રાચીન કાળમાં ભૂમિ યુદ્ધ હતું. (નૌકાયુદ્ધ કે હવાઈ યુદ્ધ નહોતાં). એમાં જેની પાસે સૌથી મોટી હસ્તિસેના હોય અને એમાં ઐરાવત જેવા હાથી હોય એ રાજા વિજયી થાય. પાયદળ અને અશ્વદળ કામ લાગતાં, પણ એક વખત રણભૂમિમાં હાથીઓએ દોડાદોડી કરી દીધી પછી બધા ભયથી ભાગે. તાલીમ પામેલો હાથી પરાક્રમે ચડે ત્યારે પાયદળનો કચ્ચરઘાણ નીકળે. તે એવો પરાક્રમી હોય કે ઝડપથી દોડીને પોતાના ગંડસ્થળથી દુશ્મનના કિલ્લાના દરવાજા પણ તોડી નાખે. મોટા રાજાઓ એક સાથે હજાર-બે હજાર હાથીઓને રણ મેદાનમાં ઉતારતા. એ બધાને દોરી જતો નાગેન્દ્ર ઘણો બળવાન હોય. એના ઉપર વિજયનો ઘણો આધાર રહેતો. જે સેનાપતિ પાસે મંત્રેલું શસ્ત્ર હોય તેને કોઈ હરાવી ન શકે. મોહરાજા સાથેના યુદ્ધમાં મુનિ પાસે બ્રહ્માસ્ત્ર-બ્રહ્મજ્ઞાન નામનું એટલે કે પરમાત્મજ્ઞાન-સ્વરૂપ શસ્ત્ર હોય છે. મોહરાજા બળવાન, એનું સામ્રાજ્ય મોટું અને એના સેનાધિપતિઓ ઘણા, છતાં તેઓ કોઇની પાસે બ્રહ્માસ્ત્ર ન હોય. એટલે નાગેન્દ્રની જેમ મુનિ નિર્ભય બનીને મોહરાજાના સૈન્યને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરે છે. આત્મજ્ઞાની મુનિને મોહરાજાનો પણ ભય હોતો નથી. [૧૩૩] મયૂરી જ્ઞાનશ્ચિ પ્રતિ મનોવને ! वेष्टनं भयसर्पाणां न तदाऽऽनन्दचंदने ।। १७ ।। ५ ।। [શબ્દાર્થ મયૂરી=મયૂરી, ઢેલ; જ્ઞાનવૃષ્ટિ =જ્ઞાનની દષ્ટિરૂપ; વે=જો; પ્રતિ=વિચરે છે; મનોવને મનરૂપી વનમાં, વેષ્ટ=વટાવું, મસTi=ભયરૂપી સાપોનું; નથી; તવ=તો; માનદ્વન્દને=આનંદ (આત્માનંદ) રૂપી ચંદનના વૃક્ષમાં.] For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જ્ઞાનસાર અનુવાદ-જો મનરૂપી વનમાં આત્મજ્ઞાનની દૃષ્ટિરૂપી મયૂરી વિચરે છે તો આનંદરૂપી ચંદનના વૃક્ષમાં ભયરૂપી સર્પોનું વીંટાવું હોતું નથી. (૫) વિશેષાર્થ : જ્ઞાની હંમેશાં નિર્ભય હોય છે. એમની પાસે ભય આવતો નથી કે આવી શકતો નથી એટલું જ નહિ તેઓ જ્યાં જાય ત્યાં નિર્ભયતાનું વાતાવરણ સર્જાય છે. એમ થવાનું કારણ એમની પાસેની નિર્મળ જ્ઞાનદૃષ્ટિ છે. આ સમજાવવા માટે અહીં ઉપવન, બાવનાચંદન, મયૂરી અને સર્પનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. રૂપક નીચે પ્રમાણે છેઃ મયુરી-જ્ઞાનદૃષ્ટિ; ઉપવન-મન; સર્પ-ભય અને આનંદ-બાવનાચંદનનું વૃક્ષ. સાપ પોતે પણ ભયંકર પ્રાણી છે. એ કરડે તો માણસ કે પશુનું તત્કાળ મૃત્યુ થાય છે. પરંતુ આવા ભયંકર સર્પને નોળિયો, મોર, સમડી વગેરેનો ભય હોય છે. તેઓ સાપને મારી નાખે છે. સાપને ચંદનના વૃક્ષની સુગંધ અત્યંત પ્રિય હોય છે. એમાં પણ મઘમઘતા બાવના ચંદનનું વૃક્ષ હોય તો તેઓ તેને વીંટળાઇને રહે છે. ક્યારેક ચંદનના એક વૃક્ષ ઉપર ઘણા સર્પો હોય છે. પરંતુ એ જ વન કે ઉપવનમાં જો મોર અથવા ઢેલ (મયુરી) હોય તો બધા સાપ ત્યાંથી ભાગી જાય છે. મયૂરી એટલે જ્ઞાનદૃષ્ટિ. ચિત્તરૂપી ઉપવનમાં જો મયૂરીરૂપી જ્ઞાનદષ્ટિ હોય તો સર્પરૂપી ભય ચાલ્યો જાય છે અને ચંદનરૂપી આનંદ પ્રસરે છે. જ્ઞાનદૃષ્ટિ એટલે સ્વભાવ અને પરભાવનો વિવેક કરનારી દૃષ્ટિ. જ્ઞાનદૃષ્ટિ એટલે સ્વભાવમાં રમણ કરનારી દૃષ્ટિ. જ્યાં આવી રમણતા હોય ત્યાં પરપદાર્થની અપેક્ષા કે ઉત્સુકતા ન હોય. પરપદાર્થની અપેક્ષા ન હોય તો પછી એના નાશનો, ખુદ પોતાના દેહના નાશનો પણ એને ભય નથી હોતો. ત્યાં નરી નિર્ભયતા જ વર્તે છે. ત્યાં શુભાશુભ કર્મોનો પણ ભય નથી હોતો. એ દશા કેવળ જ્ઞાનમય અર્થાત્ આનંદમય હોય છે. [૧૩૪] મોહબ્રવૈવચું જ્ઞાનવર્ષ વિમતિ : / વવ મીસ્વસ્થ વવવા મ: વાર્મસંકરિવેનિy II ૨૭ II ૬ II. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૩૯ [શબ્દાર્થ =કર્યું છે; મોદીસૈ=મોહરૂપી અસ્ત્ર; વૈhત્યં વિફળતા,નિષ્ફળપણું; જ્ઞાનવર્મ=જ્ઞાનરૂપી બખ્તર; વિર્તિ=ધારણ કરે છે; ય =જે; તે ક્યાંથી હોય; વા=અને/અથવા; મં:=પરાજય; “સંપર=કર્મના સંગ્રામની, ત્રિપુત્રક્રીડામાં.] મી =ભય અનુવાદ-કર્મરૂપી સંગ્રામની ક્રીડામાં મોહરૂપી શસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપી બખ્તર જે ધારણ કરે છે તેને ક્યાંથી ભય હોય અથવા પરાજય ક્યાંથી હોય? (૬) વિશેષાર્થ : મુનિની નિર્ભયતા દર્શાવવા માટે અહીં યુદ્ધનું રૂપક યોજવામાં આવ્યું છે. આ યુદ્ધ કર્મ સાથેનું છે. આઠ પ્રકારનાં કર્મોમાં ચાર ભારે ઘાતી કર્મો છે અને ચાર અઘાતી કર્મો છે. ઘાતી કર્મોમાં સૌથી બળવાન તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મની સેનાના બે ભાગ છે-દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય સાથેનું યુદ્ધ એ છેલ્લું યુદ્ધ છે. મોટા મોટા મુનિવરો અહીં પરાજિત થઈ જાય છે. પરંતુ જો મુનિવરે જ્ઞાનરૂપી મજબૂત બખ્તર છાતીએ પહેર્યું હોય તો ગમે તેવા તીક્ષ્ણ બાણ, ભાલા કે તલવાર બખ્તર ભેદીને છાતીના મર્મ ભાગ સુધી પહોંચી ન શકે. મોહરાજા પાસે પોતાના ભાથામાં વિવિધ બાણો છે. એમાં સૌથી વધુ તીક્ષ્ણ અને મર્મભેદી બાણ તે કામરાગનું એટલે કે વિષયવાસનાનું છે. તદુપરાંત એમાં સર્વ પ્રકારના કષાયો અને નોકષાયો પણ છે. પરંતુ જે મુનિઓએ જ્ઞાનરૂપી બખ્તર પહેર્યું હોય છે તેઓ પોતે પરાજિત નથી થતા. તેઓ મોહરાજાને પરાજિત કરે છે. જેઓ મોહરાજાને પરાજિત કરે તે મુનિઓ પોતે યુદ્ધમાં કેટલા નિર્ભય હોય ! [૧૩૫] તૂનવનધવ મૂઠા પ્રમ7 જયનિતૈ: | નૈરોમાપિ તૈનારિષ્ઠાનાં તુ કેમ્પને ll ૨૭ II 9 || [શબ્દાર્થ તૂનવ–આકડાના રૂની જેમ; નયવ: હલકા; મૂઠા: =મૂઢ, અવિવેકી, For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૦ જ્ઞાનસાર ઓછી બુદ્ધિવાળા પ્રમન્તિ=ભમે છે; =આકાશમાં, મથાનિ=ભયરૂપી વાયુ વડે; ન=નથી; પí=એક રોમાપિન્નરોમ+પ રૂંવાડું પણ; તૈ:=તેના વડે; જ્ઞાનારિષ્ઠાન =જ્ઞાનગરિષ્ઠોનું, જ્ઞાન વડે ભારે એવા પુરુષોનું, તુ=પણ; પૂતે કંપે છે, ફરકે છે.] અનુવાદભયરૂપી વાયુ વડે આકડાના રૂની જેમ હલકા મૂઢ પુરુષો આકાશમાં ભમે છે, પરંતુ જ્ઞાન વડે ભારે એવા પુરુષોનું રૂંવાડું પણ ફરકતું નથી. (૭) વિશેષાર્થ અજ્ઞાની અને જ્ઞાની વચ્ચેનો ફરક અહીં બીજા એક ઉદાહરણ વડે સમજાવવામાં આવ્યો છે. અજ્ઞાની ભયવાન છે અને જ્ઞાની નિર્ભય છે. અજ્ઞાની તુચ્છ છે, હલકો છે એટલે એની સરખામણી આકડાના હલકા રૂ સાથે કરવામાં આવે છે. આકડાનું રૂ જોરદાર પવનમાં આમતેમ ઊડે છે અને છેવટે નાશ પામે છે. રૂ હલકું છે અને શક્તિહીન છે. પવનની સામે તે ઝઝૂમી શકતું નથી. તે વિવશ બનીને નાશ પામે છે. મુનિ આત્મસ્વરૂપના જ્ઞાનથી ભારે છે એટલે પવન તેમને ઉડાડી શકતો નથી, એટલું જ નહિ તેમનું એક રૂંવાડું ફરકાવી શકતાં નથી, એટલે કે તેમના એક અધ્યવસાયને પણ બદલાવી શકતો નથી. જ્ઞાની સદા નિસ્પૃહ હોય છે. કોઈની પાસેથી કશું જ એમને જોઈતું નથી. એટલે એ માટે એમને કોઇની ગરજ નથી અને કોઇથી ડરવાનું હોતું નથી. અજ્ઞાનીને અનેક પ્રકારનાં ભૌતિક સુખોની આકાંક્ષા રહે છે. તેઓને ઘણાંની ગરજ રહે છે. એટલા માટે તેઓ અહીંતહીં ભટકતા રહે છે અને ફૂટબોલની જેમ લાતો ખાતા રહે છે, ઊંચે ઊછળે છે અને નીચે પટકાય છે. [૧૩૬] વિત્તે પરિપતિં યસ્થ વારિત્રમજુતમયમ્ | अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।। १७ ।।८।। [શબ્દાર્થ વિરે=ચિત્તમાં; પરિણતંત્રપરિણમેલું; યક્ષે=જેના; વારિä=ચારિત્ર; For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૪૧ મતમયમ જેને કોઇથી ભય નથી એવું; મરવંડજ્ઞાન{/m=અખંડ જ્ઞાનરૂપી રાજ્યવાળા; તસ્ય તે; સાથો:=સાધુને; ત =ક્યાંથી; મયંકભય હોય.] અનુવાદ-જેનાથી કોઇને ભય નથી (અથવા જેને કોઇથી ભય નથી) એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલું છે એવા અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને કોનાથી ભય હોય ? (૮) વિશેષાર્થ અહીં મુનિ ભગવંતની સાધનાની બે મહત્ત્વની વાત કરવામાં આવી છેઃ (૧) નિર્ભય ચારિત્ર અને (૨) અખંડ જ્ઞાનરૂપ રાજ્ય. સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીથી મોક્ષ છે. દર્શન અને જ્ઞાનને એકરૂપ ગણીને જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે એમ પણ કહેવામાં આવે છે. જ્યાં મોક્ષ અપાવે એવી જ્ઞાન અને ક્રિયાની (અર્થાત્ ચારિત્રની) સાધના જે મુનિમાં પરિણમેલી હોય અને પછી ક્યારેય કોઇના તરફથી ભય ન હોઈ શકે. એવા મુનિ મહાત્માઓ અહોરાત્ર નિર્ભય હોય છે. તેઓ ક્યારેય અસ્વસ્થ નથી હોતા. આ સંદર્ભમાં શ્લોકની ટીકામાં “પ્રથમરતિ' ગ્રંથમાંથી નીચેનો શ્લોક ટાંકવામાં આવ્યો છેઃ आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।। [આચારાંગના અધ્યયનમાં કહેલા અર્થની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવું કાળરૂપ છિદ્ર નથી કે જ્યાં તેનો ક્યાંય પણ પરાભવ થાય.] આમ, જે નિર્ચન્થ મુનિઓએ જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા કષાયો-નોકષાયોને જીત્યા છે અને જેમણે સ્વરૂપ-સ્થિરતારૂપ ચારિત્રનું પાલન કર્યું છે, જેઓ સર્વથા નિરીહ છે એવા મુનિઓએ ભયને પણ જીતી લીધો છે, એટલે કે તેઓ નિર્ભય થયા છે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ જ્ઞાનસાર ૧૮. અનાત્મશંસાષ્ટક [૧૩૭] ગુર્યવિ ન પૂડસિ તમાભપ્રશંસયા | ગુૌરેવાસ પૂર્ણશે તમાભપ્રશંસયા | ૨૮ | ૨ [શબ્દાર્થ ગુૌ =ગુણો વડે; ત્રિજો; ન=નથી; પૂર્વ =પૂર્ણ, પરિપૂર્ણ, મણિ તું હોય; તમન્નબસ થયું, કંઈ લાભ નથી; માત્મપ્રશંસયા=પોતાની પ્રશંસા કરવાથી; T:=ગુણો વડે; પર્વ=જ; અસિ=તું છે; પૂર્વ =પૂર્ણ, પરિપૂર્ણ; વે=જો; વૃત=જરૂર શી; માત્મપ્રયાં=પોતાની પ્રશંસાથી.] અનુવાદજો તું ગુણો વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી શો લાભ છે ? જો તું ગુણો વડે પૂર્ણ છે તો પોતાની પ્રશંસાની જરૂર શી છે ? (૧) વિશેષાર્થ : પોતાની પ્રશંસા થાય એવી વૃત્તિ (Instinct) ઠેઠ બાલ્યકાળથી માણસમાં રહેલી હોય છે. કંઈક સરસ કામ પોતાનાથી થયું હોય તો બીજા એ જુએ છે કે નહિ, તે જોવા માટે માણસ ચારે બાજુ નજર ફેરવે છે. માણસ સ્વમુખે પોતાના ગુણોની પ્રશંસા ન કરે તો પણ બીજા એવી પ્રશંસા કરે એમ ઇચ્છે છે અને કોઈ કરે તો મનમાં રાજી થાય છે. પોતાના ગુણોને જો સરખી માન્યતા ન મળે તો માણસ નારાજ થાય છે, કટુ પ્રતિક્રિયા પણ કરે છે. ઉચ્ચ કોટિના સાધુમહાત્માઓની વાત જુદી છે. તેઓ સ્વમુખે પોતાની પ્રશંસા કરતા નથી, એટલું જ નહિ, કોઈક પ્રશંસા કરે એવી અપેક્ષા પણ રાખતા નથી. કેટલાક ક્યારેક પ્રગટ શબ્દસ્વરૂપે કોઈ આગળ પોતાની પ્રશંસા ન કરે, પણ કોઈ પોતાનાં ગુણગાન ગાય તો અંતરમાં રાજી થાય છે, જેના માત્ર તેઓ જ સાક્ષી હોય છે. સાધુ મહાત્માઓ તો પોતાના ગુણો માટે અંતર અહોભાવ કે અનુરાગ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨૪૩ ધરાવતા નથી. તેઓ તો સહજ ઘટના બની હોય તેમ રહે છે. આધ્યાત્મિક ગુણો માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ તર્કયુક્ત કથન કર્યું છે. તેઓ મુનિરાજને કહે છે કે જો તમે ગુણોથી પરિપૂર્ણ ન હો, અને તમે તમારા ગુણોની પ્રશંસા કરી તો તે અસત્ય ઠરશે, અયોગ્ય ગણાશે અને હાંસીપાત્ર લાગશે. બીજી બાજુ જો તમે કદાચ ગુણોથી પરિપૂર્ણ હો, તો તમારે તમારા મુખે પ્રશંસા કરવાની શી જરૂર ? લોકો એની મેળે જાણશે. આમ, બંને રીતે તમારે તમારાં વખાણ કરવાની આવશ્યકતા નથી. વસ્તુતઃ અધ્યાત્મક્ષેત્રે આત્મશ્લાધા એ ગુણ નહિ, પણ દુર્ગુણ મનાયો છે. વર્તમાન જગતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનાં માલ-ઉત્પાદનનાં સાચાં ખોટાં વખાણ પોતે જ કરવાં પડે એવી હવા ઊભી થઈ છે. આ હવાનો પ્રભાવ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત ધાર્મિક ક્ષેત્રો ઉપર પણ પડ્યો છે. પરંતુ જેઓને પોતાના ગુણોને પ્રગટાવતા જઈ આત્મદશા નિર્મળ કરવી છે તેઓને આવી કોઈ વાત સ્પર્શતી નથી. વળી, આપણે એ ભૂલવું ન જોઈએ કે આત્મશ્લાઘાથી હલકું ગોત્રકર્મ બંધાય છે. એ સમજથી પણ આપણે આપવખાણ, કે આપવડાઈ વગેરે ન કરવાં જોઈએ. વાચક શ્રી ઉમાસ્વાતિએ કહ્યું છેઃ आत्मोत्कर्षाच्च बध्यते कर्म नीचैर्गोत्रं । प्रतिभवमनेक भवकोटिदुर्मोचम् ।। [આત્મોત્કર્ષ અર્થાત્ આત્મપ્રશંસાથી નીચ ગોત્રનું કર્મ બંધાય છે, જેમાંથી કરોડો ભવે પણ છૂટવું દુષ્કર છે.] [૧૩૮] શ્રેયોમસ્થ મૂતાનિ વોર્ષ: પ્રવીહતિઃ | પુળ્યાનિ પ્રદીપુર્વ નં સિમવાસ્થય ા ૨૮ ૫ ૨ [શબ્દાર્થ : શ્રેય કલ્યાણ; ડ્રમ વૃક્ષના મૂતાન=મૂળિયાને; For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જ્ઞાનસાર સ્વોષન્મ=પોતાના ઉત્કર્ષરૂપ પાણીના પ્રવાહ:=પ્રવાહથી; પુળ્યાનિ પુણ્યોરૂપી; પ્રકીર્વ=પ્રગટ કરતો; નં-ફળ; ત્રિશું; સમવાસ્થસિ=પામીશ.] અનુવાદ-કલ્યાણરૂપી વૃક્ષના પુયરૂપી મૂળિયાને પોતાના ઉત્કર્ષરૂપી પાણીના પ્રવાહથી પ્રગટ કરતો તું શું ફળ મેળવીશ? (૨) વિશેષાર્થ સાધકે આત્મપ્રશંસા ન કરવી જોઇએ એ અંગે અહીં એક સરસ રૂપક દ્વારા સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. કલ્યાણરૂપી વૃક્ષને આપણે વાવ્યું છે. એ વૃક્ષનાં પુણ્યરૂપી મૂળિયાં જરાક ઊંડાં ગયાં છે. હજુ વૃક્ષનું ફળ આપણને મળ્યું નથી. હવે એ વખતે આપણે આત્મશ્લાધારૂપી પાણી એ મૂળિયાં ઉપર ધોધની જેમ રેડીએ તો એથી આસપાસની માટી ધોવાઈ જશે અને મૂળિયાં બહાર દેખાવા લાગશે. જમીનનો આધાર ન મળતાં મૂળિયાં ઢીલાં પડશે અને કલ્યાણવૃક્ષ જમીનદોસ્ત થઈ જશે. પડી ગયેલું વૃક્ષ પછી સુકાઈ જશે. તે ફળ નહિ આપી શકે. એટલે જો આત્મકલ્યાણરૂપી વૃક્ષનાં ફળ જોઇતાં હોય તો વૃક્ષની માવજત કરવી જોઈશે. આપણા સુકૃતરૂપી મૂળિયાં જમીનમાં ઊંડાં જવાં જોઈએ અને બહાર દેખાવાં ન જોઈએ. તે દટાયેલાં, ગુપ્ત રહેવા જોઈએ. માણસને પોતાની પ્રશંસા સાંભળવી અને કરવી ગમે છે. પોતાના દોષો કોઈ બતાવતું હોય તો તે ગમતું નથી. કેટલીક વાર માણસથી પોતાની પ્રશંસા કર્યા વગર રહેવાતું નથી. એનું અભિમાન છલકાય છે. કેટલીક વખત બીજાના દોષો બતાવીને, નિંદા કરીને તે પોતાની ઉચ્ચતા સિદ્ધ કરવા આતુર બને છે. સ્વપ્રશંસાથી રાજી થવાય છે, આનંદ થાય છે, પણ તે અલ્પકાલીન હોય છે. સરવાળે તે નુકસાનકારક છે. તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો એ માનકષાયની પ્રવૃત્તિ છે એટલે કે પાપરૂપ છે, અશુભ કર્મ બંધાવનારી છે. એટલા માટે માણસે, વિશેષતઃ સાધકે આત્મપ્રશંસાના અનિષ્ટથી દૂર રહેવું જોઈએ. કહ્યું છે, “ધર્મ ક્ષતિ કીર્તના'-પોતાના કીર્તનથી એટલે કે આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨૪૫ [૧૩૯] સ્વિતા હિતાય યુ: પર: 4પુરક્ષય: I રહો સ્વયં ગૃહીતાતુ પાતતિ ભવોથી ૨૮ / રૂ II [શબ્દાર્થ માન્વિત=ગ્રહણ કરેલા; હિતાવ=હિત માટે; યુ =થાય છે; પરે =બીજાઓએ; સ્વાદ પોતાના ગુણરૂપી; ૨૨મ્ય =દોરડાંઓ; મહો=અહો ! સ્વયં=પોતે; પૃહીતાસ્તુ=પરંતુ ગ્રહણ કરેલા તે; પાતયન્ત પાડે છે; ભવો=ભવરૂપી ઉદધિમાં, સમુદ્રમાં.] અનુવાદ–બીજાઓએ આલંબન કરેલાં પોતાના ગુણરૂપી દોરડાંઓ હિતને માટે થાય છે, પરંતુ અહો આશ્ચર્ય છે કે પોતે જો તે ગ્રહણ કરે તો તે સંસારરૂપ સમુદ્રમાં પાડે છે. (૩) વિશેષાર્થ પોતાના ગુણોની સ્વમુખે પ્રશંસા કરવી અને કોઈ આપણા ગુણોની પ્રશંસા કરે એ બેનું પરિણામ કેવું પરસ્પર ભિન્ન આવે છે તે અહીં બતાવ્યું છે. ગુણ એના એ જ, પરંતુ એનું કોણ કથન કરે છે એ મહત્ત્વનું છે. પોતાનામાં સહજ ગુણો હોય અથવા ગુણપ્રાપ્તિ થાય પછી એનો હર્ષોલ્લાસ એવો લોભામણો છે કે માણસથી જાણતાં-અજાણતાં તેની વાત થઈ જાય છે. ક્યાંક સમુદાયમાં કોઈક આપણી ઉદારતા અથવા આપણા અમુક ગુણ વિશે બોલવાનું ચૂકી જાય છે ત્યારે આપણે કહેવું કે ન કહેવું એવી વિમાસણભરી નાજુક સ્થિતિ ઊભી થાય છે અને ચિત્ત સંયમમાં રહી શકતું નથી. પોતાના ગુણોની નોંધ લેવા માટે તરત વાત થાય છે, ક્યારેક આગ્રહ પણ થાય છે. દોષોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત ગુણોની વાત કરીએ તો પણ આત્મશ્લાઘા સમાજમાં નિંદનીય ગણાય છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ તે પોતાનો ગુણોનો ઘાત કરનારી છે. અહીં ગુણને માટે “રશ્મિ' અર્થાત્ દોરીનું રૂપક આપવામાં આવ્યું છે. (‘ગુણ” શબ્દનો એક અર્થ દોરી થાય છે.) પોતાના ગુણરૂપી દોરી એવી છે કે એ પકડીને For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જ્ઞાનસાર આપણે પોતે ભવરૂપી સમુદ્રમાં પાર ઊતરવા જઈએ તો ડૂબી જઈએ. બીજા આપણા ગુણરૂપી દોરી પકડીને ભવસમુદ્રમાં પાર ઊતરી જાય છે. આશ્ચર્યની વાત એ છે ગુણ આપણા પોતાના અને લાભ બીજાને થાય છે. પણ એ જ તો ખરું સમજવાનું છે. ગુણનું સ્વરૂપ એવું છે કે આપણે આપણા ગુણ ગોપવવા જોઈએ અને બીજાના પ્રકાશિત કરવા જોઈએ. તો જ એ આપણને ભવ પાર ઊતરવામાં મદદ કરે છે. [૧૪] ૩ષ્યવ્રુષ્ટિકોષોત્યસ્વોત્કર્ષqશાન્તિલમ્ ! પૂર્વપુરુષસિગ્યો કૃશ ની વાવનમ્ II ૨૮ | ૪ [શબ્દાર્થ : ૩ષ્યત્વ=ઉચ્ચપણું; દોષોલ્ય=દષ્ટિના દોષોથી ઉત્પન્ન થયેલ; સ્વોર્ષq૨=પોતાના ઉત્કર્ષ (અભિમાન) રૂપી જ્વર; શાન્તિ–શાન્તિ કરનાર પૂર્વપુરુષસિંખ્ય =પૂર્વપુરુષરૂપી સિંહો દ્વારા; મુશ=અત્યંત; ની –=હીનત્વ; ન્યૂનપણું; ભાવનભાવના.] અનુવાદ-પોતાના ઉચ્ચપણાના દૃષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલા સ્વઉત્કર્ષના જુવરને શાંત કરવા પૂર્વે થઈ ગયેલા સિંહ જેવા મહાપુરુષોથી થયેલી પોતાની અત્યંત ન્યૂનપણાની ભાવના કરવી. (૪) વિશેષાર્થ : મનુષ્યમાં એક નબળાઈ છે. તે ચતુર પણ છે. પોતાની મહત્તા, કીર્તિ ઇત્યાદિ બતાવવા માટે વર્તુળ નાનું કરી નાખવું. ઉ. ત. વિદ્યાર્થી એમ કહે કે અમારા રાજ્યમાં હું પહેલે નંબરે આવ્યો હતો. પણ ત્યાં પહેલો ન હોય તો કહે કે “અમારા જિલ્લામાં હું પહેલે નંબરે..” એમ કરતાં તાલુકો, કસબો, નગર અને તેમ ન હોય તો એમ કહે કે “અમારી શાળામાં હું પહેલે નંબરે આવ્યો હતો. આમ, કોઇ પણ પ્રકારની સિદ્ધિ ને નાના વર્તનમાં મોટી બતાવી શકાય છે. પરંતુ એમાં અભિમાન પોષાય છે અને અભિમાન એક પ્રકારનો જવર છે, તાવ છે. એ વધુ પડતો માથે ચડી જાય તો માણસ લવારી પણ કરવા લાગે છે. કેટલાક લોકો ખરેખર જીવનમાં વિનમ્ર, વિનયી અને પોતાની જાતને ગૌણ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨ ૪૭. રાખવામાં માને છે, એટલું જ નહિ એમની એવી પ્રકૃતિ છે અને ધર્મમાં એવી શ્રદ્ધા છે, તેઓ પોતાની મહત્તા ન થાય તે માટે પોતાની સિદ્ધિ અંગેના ક્ષેત્રના વર્તુળને વિસ્તારી દે છે અને કહે છે “અરે, હું તો કાંઈ નથી. આ ક્ષેત્રમાં તો મોટા મોટા દિગ્ગજો છે.” ઉપાધ્યાયજી મહારાજ આવો જ રસ્તો સાધનાના માર્ગમાં બતાવે છે. ભૂતકાળનો વિચાર કરીએ તો આ અવસર્પિણીમાં કેવા કેવા મોટા મોટા મહાત્માઓ થઈ ગયા! એમની પાસે તો હું કંઈ જ નથી. “રઘુવંશ' કાવ્યમાં કવિ કાલિદાસે કહ્યું હતું, ‘વ સૂર્ય–પ્રમવો વંશ: 4 વાલ્વ વિષયા મતિઃ | હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે કે ક્યાં સિદ્ધસેન મહારાજની અર્થગંભીર સ્તુતિ અને ક્યાં મારી ?' મોટા મોટા તીર્થકરો થઈ ગયા, ગણધર ભગવંતો થઈ ગયા, કેવળજ્ઞાનીઓ થઈ ગયા, પૂર્વાચાર્યો થઈ ગયા, એની આગળ હું શી વિસાતમાં ?' કહ્યું છેઃ धन्नो धन्नो वयरो सालिभद्दो य थूलभद्दो य । जेहिं विसयकसाया चत्ता रत्ता गुणे नियए ।। [ધન્યકુમાર, વજસ્વામી, શાલિભદ્ર અને સ્થૂલભદ્રને ધન્ય છે કે જેઓ વિષય અને કષાયોનો ત્યાગ કરીને આત્મગુણોમાં રક્ત થયા છે.] આમ, સ્વોત્કર્ષ અર્થાત્ પોતાના અભિમાનરૂપી તાવ જ્યારે આવે ત્યારે પૂર્વાચાર્યો, પૂર્વે થઈ ગયેલા મોટા મોટા મહાત્માઓના સ્મરણ રૂપી ઔષધ લેવામાં આવે તો એ તાવ તરત ઊતરી જાય છે. [૧૪૧] શરીરરૂપનાવથગ્રામIરામથનાવિમઃ | ૩ઃર્ષ પ૨પર્યાયશ્ચિતનધનસ્થ : II ૨૮ / ૧ / [શબ્દાર્થ શરીર–પ–સ્રાવળ્યું=શરીરનાં રૂપ અને લાવણ્ય; મારામાપનાવિપિ = ગ્રામ, આરામ (બગીચા-વાડી), ધન વગેરે દ્વારા; સર્ષ =ઉત્કર્ષ, અભિમાન; પરપર્યા.=પદ્રવ્યના પર્યાયો (ધર્મો) વડે; વિદ્વાનંદધનસ્પ=ચિદાનંદ (જ્ઞાન અને આનંદ)થી પૂર્ણ એવા આત્માને; =શું.. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૮ જ્ઞાનસાર અનુવાદ–ચિદાનંદથી પૂર્ણ એવા આત્માને શરીરનાં રૂપલાવણ્ય, ગામ, બગીચા (આરામ), ધન વગેરે પરપર્યાયો વડે શું અભિમાન (ઉત્કર્ષ) હોય? (૫) વિશેષાર્થ આત્મપ્રશંસામાં ક્યારેક પોતાનાં સુદઢ શરીર માટે, ક્યારેક સૌન્દર્ય માટે, ક્યારેક હવેલી માટે, બાગબગીચાઓ માટે અને વર્તમાન સમયમાં મોટરગાડી, બંગલા, ઑફિસો, નોકરચાકરો માટે અભિમાનયુક્ત શબ્દો બોલાય છે, અથવા અન્ય કોઈ પ્રશંસા કરતું હોય તો તે ગમે છે. પરંતુ આ બધી ક્ષુલ્લક એષણાઓ છે. વળી ધનસંપત્તિ ઇત્યાદિ પણ નાશવંત છે, અથવા પોતાના આયુષ્ય સુધી જ ભોગવાય છે. રૂપલાવણ્ય પણ વૃદ્ધાવસ્થા આવતાં કરમાય છે. સ્ત્રી ગમે તેવી રૂપવતી હોય તો પણ વૃદ્ધાવસ્થામાં તેના વાળ ધોળા થઈ જાય છે, દાંત પડી જાય છે, આંખે મોતિયો આવે છે, ચહેરા પર કરચલીઓ પડી જાય છે, વાંકા વળીને ચાલવું પડે છે અને “માજી” સંબોધનથી બોલાવાય છે કે “ડોસીમા' તરીકે ઓળખાય છે. રૂપ લાવણ્યના ગર્વનો થોડાં વર્ષમાં જ અંત આવી જાય છે. માટે આ બધી ભૌતિક સમૃદ્ધિનો ગર્વ કરવા જેવો નથી. પૂર્વના પુણ્યના ઉદયે, શુભ નામકર્મ, શાતા વેદનીય કર્મના ઉદયે એ બધું પ્રાપ્ત થાય છે. પણ એ માટે જો અભિમાન કરવામાં આવે તો અશુભ કર્મ બંધાય છે. આત્માની સંપત્તિ અપાર છે. વળી તે નાશવંત નથી. આત્મા ચિદાનંદઘન છે. એટલે જ્ઞાન અને આનંદ વડે પરિપૂર્ણ છે. એવા આત્માને પરપર્યાયથી અભિમાન કરવાનું ક્યાંથી હોય ? પરપર્યાયમાં શરીર આવે. રૂપ લાવણ્ય, સ્વજનપરિવાર, ધન અને મકાન-મિલ્કત, વસ્ત્રાલંકાર, બાગબગીચા, બળદગાડાં, ઘોડાગાડી, મોટરગાડી કે હવાઈ જહાજ પણ આવે, વેપારઉદ્યોગ, નોકરચાકરો, અને દાસદાસીઓ પણ આવે. પરપર્યાયનો કોઈ અંત ન હોય. પણ આત્માના આનંદની તોલે આ બધા પરપર્યાયથી પ્રાપ્ત થતો પૂલ આનંદ આવી ન શકે. માટે તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે એનાથી લોભાવું ન જોઈએ. એક વખત દૃષ્ટિ અંતરમાં સ્થિર થવા લાગે, પછી આ બધા બાહ્ય પદાર્થો ફિક્કા લાગે અને સામાન્ય માણસોને For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨ ૪૯ એની પાછળ દોડતા જોઈને હસવું આવે, કરુણા ઊપજે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहिं चेव । समणा भविस्सामो गुणोहधारी बहिं विहारा अभिगम्य भिक्खं ।। [ધર્મરૂપી ધુંસરીને વહન કરવામાં ધન, વજન અને કામભોગોનું શું કામ છે ? અમે તો ભિક્ષાને મેળવીને પ્રતિબંધ રહિત વિહાર કરનારા અને ગુણના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું.] [૪૨] શુદ્ધ: પ્રત્યાત્મિસીન્ટેન પર્યાયા: પરિભાવિતા: | अशुद्धाश्चापकृष्टत्वाद् नोत्कर्षाय महामुनेः ।। १८ ।। ६ ।। [શબ્દાર્થ શુદ્ધ=શુદ્ધ પ્રત્યાત્મસાન=દરેક આત્મા (પ્રતિ+માત્મ–પ્રત્યાત્મ)=માં સમાનપણે; પર્યાયા:=પર્યાયો; પરમવિતા:=વિચારેલા (શુદ્ધ નથી); શુદ્ધ:=અશુદ્ધ, વિભાવપર્યાયો; ચ=અને; અપષ્ટત્વ=તુચ્છ હોવાથી; ન=નથી; ૩ષય ઉત્કર્ષ અર્થાત્ અભિમાન માટે; મહામુને =મહામુનિને.] અનુવાદ-શુદ્ધ નયથી વિચારતાં શુદ્ધ પર્યાયો પ્રત્યેક આત્મામાં સમાન હોવાથી અને અશુદ્ધ નયથી વિચારતાં અશુદ્ધ પર્યાયો તુચ્છ હોવાથી મહામુનિને તે અભિમાન માટે થતાં નથી. (૬) વિશેષાર્થઃ વ્યવહાર જગતમાં જેઓની પાસે કુટુંબ પરિવાર, ધન દોલત, રૂપસૌન્દર્ય, નોકર ચાકર, સાધનવાહન, યશકીર્તિ, સત્તામહત્તા, ઇત્યાદિ વધુ હોય તેવી વ્યક્તિ તે માટે ગર્વ કરે છે. પરંતુ જ્ઞાની જાણે છે આ બધો પુણ્યોદય છે, કર્મસત્તાનો ખેલ છે જે ખલાસ થતાં વાર નથી લાગતી. એટલે તત્ત્વની દૃષ્ટિથી જોઈએ તો જે વસ્તુ ભૌતિક છે, પુગલનો ખેલ છે, પરભાવ છે, અશુભ પર્યાય છે અને એથી જે વસ્તુ ક્ષણિક છે, નાશવંત છે એ માટે અભિમાન કરવું યથાર્થ નથી. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જ્ઞાનસાર જેમ ગૃહસ્થો માટે તેમ સાધુઓ માટે પ્રસન્ન, પ્રભાવશાળી મુખમુદ્રા, શાસ્ત્રજ્ઞાન, સરસ વસ્તૃત્વકળા અને આકર્ષક વ્યાખ્યાનશૈલી, મોટા મોટા શ્રીમંત ભક્તો, રાજદ્વારી ક્ષેત્રની સમર્થ વ્યક્તિઓની વંદના, વિશાળ શિષ્યપરિવાર, મોટા મોટા ઉત્સવો અને એની રંગબેરંગી પત્રિકાઓ, બેન્ડવાજાં, વિશાળ મેદની ઇત્યાદિ પુણ્યોદયથી પ્રાપ્ત થયું છે, આ બધી પુદ્ગલની શોભા છે, કર્મસત્તાના ખેલ છે અને અનિત્ય છે. એનાથી પ્રભાવિત થઈને અભિમાન કરવા જેવું નથી, કારણ કે એ માટે કરેલું અભિમાન શાશ્વત નથી. અહીં માત્ર શુભ કર્મના ઉદયની વાત છે. એમાં કોઈકનો પુણ્યોદય વધારે અને કોઈકનો ઓછો હોય છે. એટલે પોતાનો પુણ્યોદય બીજા કરતાં વધારે હોય તો તે માટે અભિમાન કરવા જેવું નથી. કારણ કે એ સર્વ વિભાવ દશા છે, પર પર્યાય છે. વળી પોતાનો પુણ્યોદય એકસરખો રહ્યા કરે કે વૃદ્ધિ પામે એવું હંમેશાં બધાને માટે બનતું નથી. એમાં પણ વૃદ્ધિ-હાનિ રહ્યા કરે છે. એટલે પણ નાશવંત પરપર્યાય માટે ગર્વ કરવો તે જ્ઞાની મહાત્મા માટે યોગ્ય નથી. બીજી બાજુ પોતાના આત્માના શુદ્ધ પર્યાય શાશ્વત હોય તો એમાં પણ ગુમાન કરવા જેવું નથી, કારણ કે જગતના સર્વ જીવોના આત્મપ્રદેશો સરખા છે. અને શુદ્ધ પર્યાયો પણ સરખા છે. નિગોદના જીવથી માંડીને સિદ્ધપરમાત્મા સુધી દરેકનો શુદ્ધાત્મા એકસરખો છે. એક પ્રદેશ જેટલી પણ એમાં ન્યૂનાધિકતા હોતી નથી. જો સર્વ સમાન હોય તો તેમાં પછી ગર્વ કરવા જેવું ક્યાં રહ્યું ? એટલે તત્ત્વના જાણકાર જ્ઞાની મુનિ મહાત્માઓ કોઈ વાતે અભિમાન કરતા નથી. [૧૪૩] લોર્મ છિન્ સોડપિ સ્વાર્ષવિનેતિઃ गुणौघान् बुद्बुदीकृत्य विनाशयसि किं मुधा ।। १८ ।।७।। [શબ્દાર્થ ઃ લોખં=ક્ષોભને, વ્યાકુળતાને; નચ્છન=પામત; સમુદ્રોડજિ=સમુદ્ર સમુદ્ર=મર્યાદાસહિત પણ; સ્વોર્વપરિત:=પોતાના ઉત્કર્ષ (અભિમાન) રૂપી For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨ ૫ ૧ પવનથી પ્રેરિત થયેલો; ગુયાગુણના સમૂહને; લુવવૃવીકૃત્ય પરપોટારૂપ કરીને; વિનાશયસિ=વિનાશ કરે છે; વિં=કેમ; મુધા=ફોગટ, વ્યર્થ.]. અનુવાદ-સમુદ્ર અર્થાત્ મર્યાદા સહિત હોવા છતાં પણ પોતાના અભિમાનરૂપી પવનથી પ્રેરાઇને અને ક્ષોભ પામીને, ગુણના સમૂહને પરપોટારૂપ કરીને તેનો વિના કારણે કેમ વિનાશ કરે છે ? (૭). વિશેષાર્થ : મુનિ મહારાજે અથવા કોઈ પણ માણસે પોતાના સદ્ગુણો માટે અભિમાન ન કરવું જોઇએ એ સમજાવવા અહીં એક લાક્ષણિક દષ્ટાત્ત આપવામાં આવ્યું છે. મુદ્ર અથવા મુદ્રાનો એક અર્થ થાય છે મર્યાદા. મર્યાદા સહિત એટલે સમુદ્ર= સમુદ્ર. સાગર ક્યારેય માઝા ન મૂકે. પણ સમુદ્રને પણ ક્યારેક અભિમાન થઈ આવે છે. તે વખતે તે પવનની મદદ લે છે અને એ મદદથી પોતાના પાણીના પરપોટા બનાવે છે. સમુદ્ર કુલાય છે કે જુઓ, મારા ગુણોરૂપી પરપોટા કેવા સરસ લાગે છે ! પણ ક્ષણવારમાં પરપોટા નાશ પામે છે. એટલા માટે સાધુ ભગવંતોને હિતશિક્ષા આપવામાં આવે છે કે તમારા સગુણો માટે તમે પોતે અભિમાન ન કરો. અભિમાન પરપોટા જેવું છે. તે ઘડીકમાં નાશ પામશે એટલું જ નહિ તમારા સદ્ગુણોનો પણ ઘાત કરશે. સાચા જ્ઞાની મુનિઓ સ્વમુખે આત્મશ્લાધા કરતા નથી અને પોતાની ઉપસ્થિતિમાં પોતાના ગુણોના વખાણ કોઈ કરે તો તે એમને સાંભળવા ગમતાં નથી. [૧૪] નિરપેક્ષાનવછિન્નાનાવિન્માત્રમૂર્તય: I योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ।। १८ ।। ८ ।। [શબ્દાર્થ નિરપેક્ષ=અપેક્ષા રહિત; નવચ્છિત્ર=દેશની મર્યાદા રહિત, દેશમાન વિના; મનન્ત-અનંત, કાળની મર્યાદા રહિત; વિન્માત્રમૂર્તય જ્ઞાનમય સ્વરૂપ છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ જ્ઞાનસાર જેઓનું, યોનિઃ=યોગીઓ; નિત=ગળી ગઈ છે; સર્ષ=અભિમાન, અધિકતા, ચડિયાતાપણું; આપવર્ષaહીનતા, ન્યૂનતા, અનq=અલ્પ નહિ, ઘણી; ત્પના:=કલ્પનાઓ.. અનુવાદ-અપેક્ષા રહિત, દેશમાન રહિત, કાળની મર્યાદારહિત, જ્ઞાનમાત્ર શરીરવાળા, ઉત્કર્ષ અને અપકર્ષની ઘણી કલ્પનાઓ જેમની ગળી ગઈ હોય છે એવા યોગીઓ હોય છે. (૮) વિશેષાર્થ : મુનિરાજ આત્મશ્લાઘા રહિત હોવા જોઈએ એ વિશે સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ એવા પરમયોગીનાં લક્ષણ અહીં આપે છે. આવા યોગી મહાત્માઓ પોતાના ઉત્કર્ષની કલ્પનાથી એટલે કે એવા વિચાર અને ભાવથી રહિત હોય છે. પોતે જે કંઈ સિદ્ધિઓ મેળવી છે તે તેઓએ પોતાના અંતરમાં ગોપવી દીધી છે. પોતે તો પોતાની વાત કરતા નથી પણ કોઈ એવી પ્રશંસાની વાત કરે તો પણ તેઓ ઉદાસીન રહે છે. વસ્તુતઃ સમગ્ર સંસારમાંથી તેમને કશું જ જોઈતું નથી. તેઓને કશાની અપેક્ષા નથી. સ્વગુણના ઉત્કર્ષના અભાવ ઉપરાંત પરના અપકર્ષમાં પણ તેમને રસ નથી. પોતાની અધિકતા અને બીજાની ન્યૂનતા બતાવવામાં એમને યત્કિંચિત રસ નથી. તેઓ તો સમગ્ર વિશ્વને જ્ઞાતા-દૃષ્ટા ભાવથી નિહાળે છે. તેઓ જ્ઞાનની અને ચારિત્રની આદર્શ મૂર્તિસમાં હોય છે. તેઓ અનાવચ્છિન્ન એટલે કે દેશરૂપ મર્યાદા રહિત અને અનન્ત એટલે કે કાળની મર્યાદા રહિત જ્ઞાનમાત્ર સ્વભાવવાળા હોય છે. તેઓએ પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ નિર્મૂળ કરી હોય છે કે કાયમને માટે શાન્ત કરી દીધી હોય છે. આવા યોગી મહાત્માઓ જ્ઞાનની પરિણતિવાળા હોય છે અને પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ મગ્ન હોય છે. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક ૨ ૫ ૩ ૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક [૧૪૫] રૂપે પવતી દષ્ટિáવા રૂપ વિમુઢાતિ મwત્યાત્મનિ નીરૂપે તરવેણિરૂપિuી | ૨૨ / ૨ / [શબ્દાર્થ : =રૂપમાં; પવતીકરૂપવાળી; દષ્ટિ; હૃથ્વી=જોઈને; રૂપ રૂપને; વિમુક્ષ્યતિ મોહ પામે છે; મતિ=મગ્ન થાય છે; માત્મનિ=આત્મામાં;. નીરૂપે રૂપરહિત; તવૃષ્ટિ:=તત્ત્વદષ્ટિ; તુ=પણ, તો; મfપળી=અરૂપિણી, રૂપરહિત.] અનુવાદ-રૂપવાળી દષ્ટિ રૂપને જોઈને મોહ પામે છે. પરંતુ અરૂપી તત્ત્વદષ્ટિ રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. (૧) વિશેષાર્થ રૂપ એટલે આકાર. એમાં રંગરેખા પણ હોય છે. કેટલાક આકારો જોઈને માણસનું મન પ્રસન્ન થાય છે અને કેટલાક આકારો જોઈને એને અભાવ, ઘણા, અણગમો, તિરસ્કાર થાય છે. ક્યારેક જેની સાથે કશી જ નિસ્બત ન હોય એવું કુદરતી દૃશ્ય, એવી ચીજવસ્તુ કે એવી વ્યક્તિ જોઈને માણસને અકારણ આનંદ થાય છે અને કદરૂપી વ્યક્તિ કે ચીજવસ્તુ જોઈને ક્યારેક ખેદ, અભાવ, દુર્ભાવ, ઉદ્વેગ થાય છે. આ રૂપવતી એટલે બાહ્ય આકારને જોવાવાળી દૃષ્ટિ ધરાવનાર સામાન્ય માણસના અનુભવો લૌકિક હોય છે. સરેરાશ માણસની દષ્ટિ એવી જ હોય છે કારણ કે તે ચર્મચક્ષુથી જુએ છે. એથી ઉપર જતાં એને આવડતું પણ નથી. એમાં મોહ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાંસારિક મોહભરી રૂપવતી દૃષ્ટિમાં પણ એવું નથી કે બધા એકસરખી દૃષ્ટિથી વિચાર કરે. એક ગાય ચાલી જતી હોય તો ગૌભક્તની દૃષ્ટિ, ભરવાડની દૃષ્ટિ, ખેડૂતની દૃષ્ટિ, કસાઈની દૃષ્ટિ, ચમારની દૃષ્ટિ, પાંજરાપોળવાળાની દૃષ્ટિ જુદી For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ જ્ઞાનસાર જુદી હોય છે. એ જ ગાયને કોઈ મુનિ મહારાજ જુએ તો વળી એમની દૃષ્ટિ તે બધાંથી જુદી જ હોય છે. તેઓ તેનામાં રહેલા શુદ્ધાત્માને જુએ છે અને કર્મની ગતિને નિહાળે છે. આનંદઘનજી મહારાજે ગાયું છેઃ સયલ સંસારી, ઇન્દ્રિય રામી, મુનિગણ આત્મરામી રે. તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ. તત્ત્વદૃષ્ટિ એટલે જે દ્રવ્ય જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જોવાની દૃષ્ટિ. એટલે જ જ્ઞાની મહાત્માઓની તત્ત્વદષ્ટિ અરૂપી એટલે કે રૂપરહિત, આકારરહિત હોય છે. તે પદાર્થ કે વ્યક્તિથી પર થઈને એમાં રહેલા તત્ત્વને જુએ છે. આત્મા હોય તો આત્માને જુએ છે અને પોદ્ગલિક પદાર્થ હોય તો તેને તે સ્વરૂપે જુએ છે. તેઓ પોતાના આત્મતત્ત્વમાં જ મગ્ન બને છે અને એમાં જ રમણતા કરવા લાગે છે. અલબત્ત, દીક્ષા લીધી એટલે આવી તત્ત્વદૃષ્ટિ તરત આવી જાય એવું નથી. શાસ્ત્રાભ્યાસ, અનુપ્રેક્ષા, ધ્યાન વગેરે દ્વારા તે ખીલવા લાગે છે. એક વખત આત્મતત્ત્વમાં રસ પડ્યો પછી સમગ્ર જગતનાં ધનવૈભવ વગેરે પૌદ્ગલિક પદાર્થો તુચ્છ લાગવા માંડે છે. [૧૪] શ્રમવાદી વર્જિછિમછીયા તરીક્ષમ્ | अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ।। १९ ।। २ ।। [શબ્દાર્થ માટી ભ્રમની અર્થાત્ ભ્રાન્તિની વાડી; વર્જિદિ:=બાહ્ય દૃષ્ટિ; મચ્છીયા=ભ્રાન્તિની છાયા; તીક્ષામ=તેને જોવું (તે બાહ્ય દૃષ્ટિનો પ્રકાશ); પ્રાત:=ભ્રાન્તિરહિત; તવૃષ્ટિ: તત્ત્વની દૃષ્ટિવાળો; તુ=પરંતુ; ન=નથી; મસ્યાં એમાં, ભ્રમની છાયામાં; રાતે સૂઈ જાય; સુરવીયા=સુખના આશયથી, સુખની ઇચ્છાથી.] અનુવાદ–બાહ્યદષ્ટિ ભ્રાન્તિની વાડી છે. તેનું દર્શન તે ભ્રમણાની છાયા છે. પરંતુ ભ્રાન્તિરહિત તત્ત્વદષ્ટિવાળો એમાં (બ્રાનિની છાયામાં) સુખની ઇચ્છાથી સૂતો નથી. (૨) For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક ૨ ૫ ૫ વિશેષાર્થ : જગતને જોવાની બાહ્યદષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ વચ્ચેનો તફાવત સમજાવવા માટે અહીં વાડીનું રૂપક યોજવામાં આવ્યું છે. વાડી (Farm House)માં આવક માટે જાત જાતનાં વૃક્ષો વાવવામાં આવ્યાં હોય અને કેટલાંક પોતાની મેળે ઊગી નીકળ્યાં હોય. હવાફેર અને આરામ માટે માણસો થોડા દિવસ વાડીમાં રહી આવે છે. કેટલાક માલિકો કાયમ માટે ત્યાં રહેતા હોય છે. એમ મનાય છે કે આરોગ્ય સુધારવું હોય તો અમુક વૃક્ષની નીચે સૂઈ રહેવું. બીજી બાજુ કેટલાંક વૃક્ષોની નીચે સૂવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એથી આરોગ્ય બગડે છે. કેટલાંક વૃક્ષો દેખાય સરસ અને એનું ફળ પણ સરસ દેખાય, પણ એ ફળ ખાવામાં આવે તો મૃત્યુ થાય. કિંપાકનું ફળ એ પ્રકારનું ગણાય છે. કેટલાંક વિષવૃક્ષો નીચે રાત્રે સૂઈ રહેવાથી માણસ મૃત્યુ પામે છે અને દિવસે આરામ લે તો માંદો પડે છે. એવી વાડીઓ ભ્રામક, ભૂલથાપ ખવડાવનાર હોય સંસાર પ્રત્યે જોવાની બાહ્ય દૃષ્ટિ એ આવી ભ્રમવાડી એટલે કે ભ્રમણાના બગીચા જેવી છે. બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ છે. ભ્રમવાડીની બધી વાત જ સારી નથી. એમાં પુગલનાં રૂપરંગ જોઈને લોકો નાચગાન કરે છે. જે હેય છે તેને એ ઉપાદેય તરીકે બતાવે છે અને જે ઉપાદેય છે તેને હેય તરીકે જણાવે છે. તે સંસારના કામભોગોની ભલામણ કરે છે. તે તપશ્ચર્યાનો ઉપહાસ કરે છે. કષાયોને વ્યવહારદક્ષતા તરીકે રજૂ કરે છે. તે અહંકારને અસ્મિતા તરીકે ઓળખાવે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિ મહાત્મા એમની ભ્રમજાળમાં ફસાતા નથી. ભ્રમવાડીનાં વૃક્ષોની દુર્ગધ બહુ દૂરથી તેઓ પારખી લે છે. એથી જ તેઓ એમાં આરામ કરવાનું કે સૂવાનું પસંદ કરતા નથી. [૧૪૭] પ્રામામાદિ મોહાય ય ટૂર્ણ વીઢયા દેશL I તત્ત્વચા વાતÍત વૈરાગ્યસંપ | ૨૧ / રૂ II [શબ્દાર્થ પ્રામારીમવિ=પ્રા+ારીમ+વિ=ગામ, ઉદ્યાન વગેરે; મોહાય=મોહને For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૬ જ્ઞાનસાર માટે; =જે; હૃષ્ટ જોયેલા; વીડીયા દ=બાહ્ય દૃષ્ટિ વડે; તવૃષ્ટ તત્ત્વદૃષ્ટિ વડે; તવ=તે જ; અન્તસ્નતં=આત્મામાં ઉતારેલા; વૈરાગ્યસંપદે વૈરાગ્યની પ્રાપ્તિ માટે.] અનુવાદ–બાહ્ય દૃષ્ટિથી જોયેલાં ગામ, ઉદ્યાન વગેરે જે મોહ માટે થાય છે તે જ તત્ત્વદષ્ટિથી આત્મામાં ઉતારેલાં હોય તો વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે. (૩) વિશેષાર્થ સમગ્ર સંસાર બાહ્ય દૃષ્ટિથી જુએ છે અને બાહ્ય દૃષ્ટિથી જીવે છે, પરંતુ કેટલાય મહાત્માઓ સંસારને તત્ત્વદૃષ્ટિથી પણ જુએ છે. મુનિ મહારાજે દીક્ષા લેતાં પહેલાં પોતાનું ગામ, શેરીઓ, એમાં રહેતા લોકો. કૂવા, વાવ, તલાવડી, વાડી ખેતરો, (વર્તમાન સમયમાં બહુમાળી મકાનો, મોટા સ્ટોર્સ, મોટી મોટી મોટરગાડીઓ, શાળાઓ, હૉસ્પિટલો ઇત્યાદિ, અરે મોટાં શિખરબંધી દેરાસરો અને આલીશાન ઉપાશ્રયો વગેરે) જોયાં હોય છે. દીક્ષા પહેલાં એ બધાં સાથે બહિર્દષ્ટિ જોડાયેલી હતી. એ બધાંને ત્યારે એમના વર્તમાન પર્યાયમાં જોયાં હતાં અને રાજી થઈને બહુ આનંદોલ્લાસ અનુભવ્યો હતો. હવે દીક્ષા પછી જો તત્ત્વદૃષ્ટિ વિકાસ પામે તો એની એ જ વસ્તુઓ પોતાનાં જ્ઞાનચક્ષુથી દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપે દેખાય છે. પંદરવીસ વર્ષ પછી કોઈ એક સ્થળે વિહાર કરવાનું થાય તો કેટલું બધું નવું નવું દેખાય છે ! ગઈ કાલે જે મકાનો સરસ નવાં હતાં તે આજે જૂના જેવાં જોવા મળે છે. તે વખતના નાના છોકરાઓ હવે મૂછવાળા થયા છે અને તે વખતના યુવાનો હવે ધોળા વાળવાળા થયા છે. જગત સતત પરિવર્તનશીલ છે અને જ્ઞાની મુનિ એ બધું તત્ત્વદષ્ટિથી નિહાળે છે. એથી એમને વૈરાગ્યનો બોધ થાય છે. બાહ્ય ચર્મચક્ષુથી અનુરાગસહિત જોયેલા એ બધા પદાર્થોમાં પરિવર્તન થઈ ગયું છે એવું જોઈને તે બધું વૈરાગ્યનું નિમિત્ત થાય છે. આ વૈરાગ્ય જ સ્વ–પરના ભેદની અનુભૂતિ કરાવે છે અને તત્ત્વદૃષ્ટિને વિકસાવે For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક ૨ ૫૭ [૧૪૮] વહિ; સુઘાસીરથરિતા મતિ સુન્દરી તરણેતુ સાક્ષાત્ સા વિમૂત્રપિરોવરી ૨૬ |૪ | [શબ્દાર્થઃ વઢિ =બાહ્ય દૃષ્ટિને; સુપાસીરપટિતા=અમૃતના સારથી ઘડેલી; ભાતિ=ભાસે છે; સુંદરી=સુંદર સ્ત્રી; તત્વ=તત્ત્વદષ્ટિને; તુ=પરંતુ, સાક્ષા=સાક્ષાત્, પ્રત્યક્ષ; સા=0; વિમૂત્ર= વિષ્ટા અને મૂત્રની; fપરોવરી= હાંડલી જેવા પેટવાળી.] અનુવાદ–બાહ્યદષ્ટિને સુંદર સ્ત્રી અમૃતના સાર વડે ઘડેલી ભાસે છે, પરંતુ તત્ત્વદષ્ટિને તે સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રથી ભરેલી હાંડલી જેવા ઉદરવાળી દેખાય છે. (૪) વિશેષાર્થઃ સ્ત્રીના દેહને જોવા માટે અહીં બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ એમ બંને દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. આ વિચારણા મુખ્યત્વે મુનિને ઉદ્દેશીને કરવામાં આવી હોવા છતાં તે સર્વને માટે છે. અહીં મળમૂત્રથી ભરેલા સ્ત્રીના દેહની વાત કરવામાં આવી છે, પરંતુ પુરુષના દેહની વાત કેમ કરવામાં નથી આવતી ? એ પણ મળમૂત્રથી ભરેલો હોય છે. એવો પ્રશ્ન હંમેશાં થતો આવ્યો છે. એનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ છે કે પુરુષની કામવાસના વધુ વેગવાળી અને બળવાન હોય છે. બીજા બાજુ નામકર્મના ઉદયને કારણે રૂપલાવણ્ય મુખ્યત્વે સ્ત્રીને વરેલાં છે. એટલે સુંવાળી ત્વચા, કોમલ સ્પર્શ, મોહક નયનો, આકર્ષક ચહેરો, મધુર કંઠ, માંસલ દેહ ઇત્યાદિને કારણે પુરુષ સ્ત્રી પ્રત્યે મોહ પામે એ સ્વાભાવિક છે. બાહ્યદૃષ્ટિવાળા પુરુષને સ્ત્રી અમૃતના સાર વડે ઘડાયેલી લાગે છે. પ્રત્યેક યુગના કવિઓ સ્ત્રીનાં રૂપલાવણ્યને ઉપમા રૂપક, ઉન્મેક્ષા વગેરે અલંકારો વડે વર્ણવતાં થાકતા નથી. પોતાના મોહક રૂપથી સ્ત્રીએ મહારથીઓને પણ વશ કર્યા હોય, પંડિતોને પાડ્યા હોય, વિદ્વાનોને ચલિત કર્યા હોય, મુનિવરોને લલચાવ્યા હોય, એવી ઘટનાઓ વખતોવખત બનતી જ રહે છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ જ્ઞાન સાથે વિશ્વામિત્ર અને મેનકાની પૌરાણિક ઘટના સુપ્રસિદ્ધ છે. એટલે સંયમ ધારણ કરનાર પુરુષે વિજાતીય આકર્ષણની બાબતમાં વધારે સાવધ રહેવાની જરૂર છે. કામવાસના અસહ્ય બનતાં પુરુષો સ્ત્રી પ્રત્યે આક્રમક બને, બળાત્કાર કરે એવી ઘટનાઓ હંમેશાં બનતી આવી છે. પરસ્ત્રીગમનનું કે વેશ્યાગમનનું પાપરૂપ વ્યસન પુરુષોમાં જોવા મળે છે. કોઈ પણ વાત કે વ્યક્તિથી જીવને વિમુખ બનાવવો હોય તો એમાં રહેલા દોષો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, દોષોને મોટા કરીને બતાવવા જોઈએ. કેવળ બાહ્યદૃષ્ટિવાળાને સ્ત્રીનો દેહ અશુચિમય છે એવી ખબર હોય તો પણ મોહદશાને કારણે તે વાત એને ગૌણ લાગે છે તો બીજી બાજુ અંતર્દષ્ટિવાળાને સ્ત્રીનો દેહ રમણીય હોવાની ખબર હોવા છતાં તે એને ગૌણ ગણે છે અને પોતાની સાધનામાં અને પોતાના ધ્યેયમાં એ એને બાધારૂપ માને છે. એટલે સ્ત્રીના દેહને મળમૂત્રની હાંડલી કહેવામાં શાસ્ત્રકારનો આશય સ્ત્રીની વગોવણી કરવાનો નહિ, પણ વરવું ચિત્ર બતાવીને મુનિઓને એનાથી વિમુખ કરવાનો છે. આ આખી વાત સાપેક્ષ દૃષ્ટિથી વિચારાય તો એની યોગ્યતા સમજાય. [૧૪૯] નવયર્નહરીપુર્થ વપુ: પતિ વહિંદમ્ | तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ।। १९ ।। ५ ।। [શબ્દાર્થ : તાવળ્યત્તહરીપુવૅ=સોન્દર્યના તરંગ વડે પવિત્ર; વધુ =શરીર; પશ્યતિ જુએ છે; વીટ્સ=બાહ્યદષ્ટિ; તત્ત્વ=તત્ત્વદૃષ્ટિ; #ાનાં કૂતરાંઓ અને કાગડાઓને; મર્ચં=ખાવા યોગ્ય, મિતાલુકત=કૃમિના સમૂહથી ભરેલું.] અનુવાદ–બાહ્યદષ્ટિ શરીરને સૌદર્યના તરંગ વડે પવિત્ર જુએ છે. તત્વદષ્ટિ તેને કૂતરાં અને કાગડાઓને ભક્ષણ કરવાને યોગ્ય અને કૃમિઓના સમૂહથી ભરેલું જુએ છે. (૫) વિશેષાર્થ યુવાન સ્ત્રીના દેહની વાત કર્યા પછી ગ્રંથકારશ્રી હવે સ્ત્રી અને For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક ૨૫૯ પુરુષ એમ ઉભયના શરીરની વાત કરે છે. બાહ્યદૃષ્ટિવાળા જીવો જ્યારે જુએ છે ત્યારે તેઓને લાવણ્યની લહરીથી પવિત્ર બનેલો દેહ દેખાય છે. અનાદિ કાળથી લોકો શરીરની બાહ્ય ટાપટીપમાં પડેલા છે. શરીરને કેમ આકર્ષક-મોહક બનાવી શકાય એ માટે પ્રસાધનનાં જાત જાતનાં નવાં નવાં દ્રવ્યો અને સાધનો બજારમાં વેચાય છે. શુભ પ્રસંગોએ અને લગ્નાદિ પ્રસંગોએ દેહશણગારની પ્રવૃત્તિ વધુ સક્રિય બને છે. એ માટે વ્યવસાયો પણ વધ્યા છે. બીજી બાજુ તત્ત્વદૃષ્ટિવાળા મહાત્માઓ ક્યારેય કોઈના રૂપલાવણ્યથી, શરીર-શણગારથી પ્રભાવિત થતા નથી તેઓ જાણે છે કે દિવસે દિવસે આ શરીર વૃદ્ધ થતું જવાનું છે અને એક દિવસ એનો અંત આવવાનો છે. આ શરીર બહારથી સુંદર લાગે છે, પણ અંદર તો એ વરવું છે. એ અશુચિથી ભરેલું છે. એના ઉદરમાં કૃમિઓ સળવળે છે. આ શરીરના મૃત્યુ પછી જો અંતિમ ક્રિયા કરવામાં ન આવી હોય તો અને ક્યાંક વગડામાં પડ્યું રહ્યું હોય તો પશુઓના શબની જેમ કાગડા, કૂતરા, ગીધનું ભક્ષણ એ બને છે. દેહ જ્યાં સુધી ચેતનમય હોય ત્યાં સુધી જ સુંદર લાગે છે અને એને શણગારવામાં આવે છે. મૃતદેહ સડવા લાગે છે. મતૃદેહને કોઈ ઘરેણાં પહેરાવીને શણગારતું નથી. માણસ મૃત્યુ પામે કે તરત એનાં ઘરેણાં, વીંટી, ઘડિયાળ વગેરે પણ કાઢી લેવામાં આવે છે. [૧૫] નાબૂમવન વિસ્મય વર્દિશઃ | ___ तत्राश्वेभवनात् कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ।। १९ ।। ६ ।। [શબ્દાર્થ નાઐ =હાથી-ઘોડાઓ વડે; મૂવમવનં=રાજાનો મહેલ, રાજમંદિર; વિસ્મય વિસ્મયને માટે, આશ્ચર્ય માટે; વદિઈશ:=બાહ્યદૃષ્ટિવાળાને; તત્વ=તેમાં; મમવના–ઘોડા અને હાથી (રૂમ)ના વનથી; વો િકંઈ પણ; મેવા=ભેદ, વિશેષ; તત્ત્વદાસ્તુ=તત્ત્વદષ્ટિવાળાને તો; ન=નથી.] અનુવાદ–બાહ્ય દષ્ટિવાળાને હાથીઘોડા વડે સજ્જ રાજમહેલ માટે આશ્ચર્ય For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ જ્ઞાનસાર થાય છે, પરંતુ તત્ત્વદષ્ટિવાળાને તો રાજમહેલમાં અને હાથીઘોડાના વનમાં કંઈ ભેદ જણાતો નથી. (૬) | વિશેષાર્થ : તત્ત્વદૃષ્ટિવાળા જ્યાં જ્યાં જાય અને જે જે જુએ ત્યાં ત્યાં તે તે વસ્તુને તત્ત્વદૃષ્ટિથી નિહાળે છે. કોઈનો રાજમહેલ જુએ કે કોઈની ઝૂંપડી જુએ, એમની નજરમાં ફરક પડતો નથી, કારણ કે તેઓ પુગલને પુદ્ગલ સ્વરૂપે નિહાળે છે. એમાં તેઓ પુણ્ય-પાપના ઉદયને વિચારે છે. રાજાના ભવનમાં તેઓ જાય કે વર્તમાન સમયના રાષ્ટ્રપતિના ભવનમાં જાય, ત્યાંની ભૌતિક સંપત્તિ જોઈ તેઓ આશ્ચર્યચકિત થતા નથી. રાજાની અશ્વશાળામાં ઘણા બધા ઘોડાઓ હોય અને હસ્તિશાળામાં મોટા મોટા હાથીઓ હોય તો તે જોઈને એમને એમાં વન દેખાય છે. તેઓ આશ્ચર્યચકિત થતા નથી. વર્તમાનમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ઘણી બધી મોટરગાડીઓ પડેલી હોય તો તે કેવી રીતે બનાવાય છે, ક્યાં બનાવાય છે, એની કિંમત કેટલી હશે એ વિશે તેઓને કશી ઉત્સુકતા થતી નથી. પોતાને આવી સંપત્તિ અને સાનુકૂળતા મળે તો પોતે કેટલા બધા ભાગ્યશાળી ગણાય એવો ભાવ પણ તેમના મનમાં થતા નથી. તેઓ આવા ભૌતિક ઐશ્વર્યની અનિત્યતા અને અસારતાને સંભારે છે. ગમે તેવી મોટી, કિંમતી ભૌતિક સંપત્તિ હોય તો પણ તે નશ્વર છે એમ એમને સમજાય છે. આ બધા ઘડીકના ખેલ છે. ઘડીકમાં તે અવળા-ઊંધા પડી જાય છે અથવા આયુષ્ય પૂર્ણ થતાં તે ભોગવવા માટે રોકાવાતું નથી. યમરાજા આગળ સૌ કોઈ લાચાર બની જાય છે. આમ, બાહ્યદષ્ટિવાળા લોકો જ્યાં અહોભાવયુક્ત, આશ્ચર્યયુક્ત દૃષ્ટિથી રાજી રાજી થઈ જાય છે ત્યાં તત્ત્વદૃષ્ટિવાળી વ્યક્તિ અનિત્યાદિ ભાવનાઓના ચિંતન પર ચડી જાય છે. હા, ક્યાંક આંતરિક ગુણસંપત્તિ જોવા મળે તો તેઓ પ્રસન્ન થાય છે. [૧૫૧] મમના શસ્ત્રોવેન વપુર્થતમને વા .. महान्तं बाह्यग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। १९ ।।७।। For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક ૨ ૬ ૧ [શબ્દાર્થ મર્મના=ભસ્મથી, રાખ ચોળવાથી; ફેશનોન=કેશનો લોચ કરવાથી; વધૃતમત્તેન શરીર પર મેલ ધારણ કરવાથી; વા=અથવા; મશીન્ત મહાત્મા રૂપે; વીદિ=બાહ્યદૃષ્ટિ, બાહ્યદૃષ્ટિવાળા; વેરિં=જાણે છે; વિત્સામ્રાજ્યે=જ્ઞાનના સામ્રાજ્યથી, જ્ઞાનની પ્રભુતાથી, તત્ત્વવિ=તત્ત્વજ્ઞાની.] અનુવાદ-ભસ્મ લગાવવાથી, કેશનો લોચ કરવાથી અથવા શરીર પર મેલ ધારણ કરવાથી આ મહાત્મા છે' એમ બાહ્યદષ્ટિવાળા જાણે છે, પરંતુ તત્ત્વજ્ઞાની તો જ્ઞાનની પ્રભુતાથી એ (મહાનતા) જાણે છે. (૭). વિશેષાર્થ સામાજિક વિષયો અને પ્રવૃત્તિઓના અવલોકનમાં જેમ બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ વચ્ચે ફરક હોય છે તેમ ધર્મના ક્ષેત્રે કેટકેટલી બાબતમાં પણ બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદષ્ટિ વચ્ચે ફરક જોઈ શકાય છે. અહીં સાધુ-સંન્યાસીઓના બાહ્ય વેશ અને ક્રિયા વિશે કહેવામાં આવ્યું છે. કેટલાક સંન્યાસી બાવા શરીરે માત્ર લંગોટી ધારણ કરી આખા શરીરે ભસ્મ ચોપડતા હોય છે. કેટલાક માથે મુંડન કરાવે છે, કેટલાક કેશલોચ કરાવે છે. કેટલાક સ્નાન કરે નહિ અને પોતાના શરીર તથા વસ્ત્રને મેલાં રાખે છે. ભસ્મ લગાડનારનો, કેશ લોચ કરનારનો કે શરીરે મેલ ધરાવનારનો આશય તેવો દંભ કરીને લોકોને છેતરવાનો, પોતાની માયાજાળમાં સપડાવવાનો જો હોય તો તે જુદી વાત છે. પરંતુ છેતરપિંડી કરવાનો આશય ન હોય અને પોતાની ધાર્મિક માન્યતાથી જ તેઓ તેમ કરતા હોય તો તત્ત્વદૃષ્ટિએ એમનું એ ધાર્મિક આચરણ કેટલું યોગ્ય છે તે વિચારણીય છે. એટલું તો સ્પષ્ટ છે કે આવા બાહ્ય આચરણમાં કષ્ટ ઘણું પડે છે. તે તેઓ સ્વેચ્છાએ સહન કરે છે અને તેને ધર્મના એક અંગરૂપ માને છે. આ પણ એક પ્રકારનું તપ છે એમ તેઓ સમજે છે. તેઓ ખોટું કરે છે એમ કદાચ ન કહીએ તો પણ એટલા માત્રથી તેઓ ઊંચી આધ્યાત્મિક દશા ધરાવે છે એમ નહિ કહી શકાય. ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની સાધનાની આવશ્યકતા રહે છે. અલબત્ત, એમ ન માની For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર લેવાય કે જેઓ શિરમુંડન કે કેશલોચ કરાવે છે તેઓ ક્યારેય ઊંચી આધ્યાત્મિક દશા ન જ ધરાવતા હોય. પરંતુ ફક્ત બાહ્યદષ્ટિથી અવલોકન કરીને નિર્ણય ન આપી શકાય. શ્રી હરિભદ્રસૂરિજીએ “ષોડશક' ગ્રંથમાં કહ્યું છેઃ बाल: पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ।। [બાળ (અજ્ઞાની) વેષને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો આચાર (વૃત્ત) નો વિચાર કરે છે અને પંડિત સર્વ યત્નથી આગમના તત્ત્વની પરીક્ષા કરે છે.] ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છેઃ न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । નમુખી રાખવાન, સવારે તાવો ! [માથે મુંડન કરવાથી શ્રમણ કહેવાતો નથી. ૩ૐકારનો જાપ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાતો નથી અને કુશ (દર્ભ નામનું ઘાસ)નાં વસ્ત્ર પહેરવાથી તાપસ થવાતું નથી.] તો પછી શું કરવાથી તેમ થવાય એના ઉત્તરમાં ભગવાને કહ્યું છેઃ समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण मुणी होइ, तवसा होइ तावसो ।। [સમભાવથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ કહેવાય છે. જ્ઞાનની પ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપ કરવાથી તાપસ કહેવાય છે.] કેવળ બહિર્દષ્ટિ જીવ સાધુબાવાઓના બાહ્ય વેશ જોઈને ઝૂકી જાય છે. એમનું માપ કાઢવાની કેટલાકમાં શક્તિ જ હોતી નથી. તેમની તેવી કક્ષા નથી હોતી. તેઓ તો અહોભાવ અને આશ્ચર્યથી વંદન કરે છે. વળી લોકમાન્યતા પણ રહે છે કે આવા બાવાઓ પાસે જડીબુટ્ટી હોય છે. કંઈક લબ્ધિસિદ્ધિ હોય છે. તેઓ પ્રસન્ન થાય તો આપણા ઘરમાં ધનનો વરસાદ વરસાવી શકે. કોઈકને માલ-મિલકતના For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯. તત્વદૃષ્ટિ અષ્ટક ૨૬૩ ઝઘડા હોય, કોઈને કોર્ટકચેરીનાં લફરાં હોય, કોઈકને સંતાન ન હોય, કોઈકને અસાધ્ય માંદગી હોય-આવી આવી તકલીફો આવા બાવાઓ મંત્ર ફૂંકીને દૂર કરી નાખે છે એવી અંધશ્રદ્ધા હોય છે. કેવળ બહિર્દષ્ટિ જીવનું ગજું આથી વધારે જોવા-સમજવાનું હોતું નથી. તત્ત્વદષ્ટિ જીવ સાધુ બાવાઓના કષ્ટથી અંજાતા નથી. એવું કષ્ટ તો તિર્યંચ ગતિના જીવો કેટલું ભોગવે છે ! તત્ત્વદૃષ્ટિવાળો જીવ તો સાધકની આત્મદશા-જ્ઞાનદશા કેટલી ઊંચી છે, તેની અંતરંગ પરિણતિ કેવી છે, તેના ક્રોધાદિ કષાયોની મંદતા કેવી છે, તેનું અંતિમ લક્ષ્ય કેવું છે તેનો વિચાર કરીને તે પ્રમાણે તેમની મહત્તા સમજે છે. [૧૫૨] વિIRTય વિશ્વસ્થોપવાRચૈવ નિર્મિતા: ! स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वदृष्टयः ।। १९ ।। ८ ।। [શબ્દાર્થ : ન=નથી; વિIR =વિકારને માટે; વિશ્વચ્છ વિશ્વના; ૩૫RTય= ઉપકારને માટે; =જ; નિર્મિતા =નિર્માણ કરેલાં છે, ઉત્પન્ન કરેલાં છે; રાખ્યપીયૂષવૃષ્ટય:=જેનાથી કારુણ્યરૂપી અમૃતની વૃષ્ટિ સ્કુરાયમાન છે; તત્ત્વદષ્ટય =તત્ત્વદૃષ્ટિવાળા.] અનુવાદ-વિકાસ પામતી (સ્કુરાયમાન) કરુણારૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદષ્ટિવાળા પુરુષોનું નિર્માણ વિકાર માટે નહિ પણ વિશ્વના ઉપકાર માટે છે. (૮) વિશેષાર્થઃ તત્ત્વદષ્ટિવાળા મહાત્માઓનું જીવન કેવું હોય છે ? તેમનું જીવન વિકાર માટે નહિ પણ ઉપકાર માટે હોય છે. તેઓ દરેક પરિસ્થિતિને રાગદ્વેષથી નહિ પણ તટસ્થ તત્ત્વદૃષ્ટિથી એટલે કે આત્મતત્ત્વની દૃષ્ટિથી અથવા આત્મતત્ત્વના સંવેદનરૂપ-દષ્ટિથી નિહાળે છે. એવી દૃષ્ટિવાળા મહાત્માઓ સંસારમાં પુગલના ખેલને સમદષ્ટિથી નિહાળે છે, પરંતુ એ ખેલના ભોગ બનેલા જીવો પ્રત્યે તેઓ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જ્ઞાનસાર અનુકંપાનો ભાવ ધરાવે છે. કોઈ શક્તિમાન, સંપત્તિવાન, ઐશ્વર્યવાન માણસ પોતાનાં શક્તિસામર્થ્ય માટે અતિશય ગર્વ કરતો હોય તો તત્ત્વદૃષ્ટિવાળાઓને એના પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર થતો નથી. તેમના અંતરમાંથી સતત કરુણારૂપી અમૃતની વૃષ્ટિ થયા કરે છે. એવા તત્ત્વદૃષ્ટિ આત્માઓ પોતે તરે છે અને બીજાને તારે છે. “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया ।। [સમુદ્ર સમાન ગંભીર, દુષ્ટ બુદ્ધિથી કોઈ તેમનો પરાભવ ન કરી શકે તેવા, પરિષહથી ત્રાસ ન પામે તેવા, કોઈથી વાદમાં પરાભવ ન પામે એવા, વિશાલ શ્રુતથી પરિપૂર્ણ, દરેકનું રક્ષણ કરનાર, બહુશ્રુત મુનિઓ કર્મનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામ્યા છે.] આવું તત્ત્વદૃષ્ટિપણે માત્ર શાસ્ત્રાભ્યાસથી પ્રાપ્ત નથી થતું, પણ સાથે એમને સિદ્ધાન્તબોધ પરિણમ્યો હોય છે. માટે જ મુમુક્ષુ જીવોને માટે તેઓ એક પૂછવાનું સ્થાન ગણાય છે. કહ્યું છે : भहं बहुसुयाणं बहुजणसंदेह पुच्छजिणाणं । [ઘણા માણસોને સંદેહ પૂછવા યોગ્ય જે છે એવા બહુશ્રુતોનું કલ્યાણ થાઓ !] આમ, સમગ્ર સંસાર ઉપર તત્ત્વદષ્ટિવાળા મહાત્માઓનો ઉપકાર ઘણો મોટો For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨ ૬૫ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક [૧૫૩] વહ્યિદૃષ્ટિપ્રયાપુ મુદ્રિતેષ મહાત્મા સારેવાવમાસને મુદ: સર્વા: સમૃદ્ધયઃ || ૨૦ || ૨ | [શબ્દાર્થ વહિષ્ટિપ્રવારે=બાહ્યદષ્ટિના પ્રચારમાં, બાહ્ય પ્રવૃત્તિમાં; મુદ્રિતેષુ બંધ કરવાથી, રોકવાથી; મહાત્મને: મહાત્માઓને; અન્તરે ત્ર=અંતરમાં જ; નવમાસને=ભાસે છે; ટા:=સ્કુટ, સ્પષ્ટ; સર્વો:=સર્વ; સમૃદય: સમૃદ્ધિઓ.] અનુવાદ–બાહ્ય પ્રવૃત્તિ બંધ કરવાથી મહાત્માને અંતરમાં જ સર્વ સમૃદ્ધિઓ પ્રગટ ભાસે છે. (૧) વિશેષાર્થ : જેઓ દીક્ષા લઈ પંચ મહાવ્રત ધારણ કરે છે. તેઓના જીવનમાં એક નવું પ્રસ્થાન શરૂ થાય છે. જીવનમાં એક નવો વળાંક આવે છે. વસ્તુનું મૂલ્ય કરવાની એમની દૃષ્ટિ બદલાઈ જાય છે. હવે સોના જેવી કિંમતી ધાતુ એમને કથીર જેવી લાગે છે અને હીરામોતી તે માત્ર કાંકરા લાગે છે. હવે એમનો માપદંડ બદલાઈ ગયો છે. હવે ગૃહસ્થોનું એક સામાયિક એમને લાખ રૂપિયાનું કે તેથી પણ વધુ મોંઘું લાગે છે. શ્રેણિક મહારાજાએ પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદવાનો વિચાર કર્યો હતો. જો ગૃહસ્થોની સાધના આટલી મૂલ્યવાન હોય તો મુનિ મહાત્માઓની સાધનાનું મૂલ્ય કેટલું હોય ? આત્મામાં અનંત ગુણો છે અને એક એક ગુણનું મૂલ્ય અપાર છે. બહિર્દષ્ટિ અટકે તો અંદરનો ખજાનો દેખાય છે. બાહ્યદૃષ્ટિના પ્રચારો એટલે કે પોગલિક જડ વસ્તુના આકર્ષણો ઘટી જાય ત્યારે આંતર્ચક્ષુ ખૂલે છે. ત્યારે જ અંદરની સંપત્તિનાં સ્પષ્ટ દર્શન થાય છે. એ સંપત્તિ અનંત, અખંડ અને શાશ્વત હોય છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૬ જ્ઞાનસાર વળી એ આત્મામાં જ રહેલી હોવાથી તે મેળવવા માટે બહારની કોઈ દોડાદોડી હોતી નથી. એ સંપત્તિ સ્વાધીન અને સુરક્ષિત હોય છે. કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી અને કોઈ એ ઉઠાવી જાય કે ચોરી જાય તે શક્ય નથી. અલબત્ત, એવું નથી કે દીક્ષા લીધી એટલે બીજા દિવસે બધી આંતરિક સમૃદ્ધિ ખોળામાં આવીને પડે. જીવ બહિર્મુખ છે અને એને બહિર્મુખ રહેવાનાં નિમિત્તો, પ્રલોભનો, માની લીધેલાં કારણો ઘણાં હોય છે. એમાંથી પોતાની જાતને બહાર કાઢવાની છે. બાહ્યદૃષ્ટિ એક ઝાટકે અને તેમ ન બને તો ક્રમે ક્રમે બંધ કરવામાં આવે તો જ, એકાંત આરાધનામાં એ સંપત્તિનાં દર્શન થશે. એ માટે શ્રદ્ધા, ખંત અને ધીરજ જોઈશે. એક વખત એ સંપત્તિનાં સાચાં દર્શન થયાં તો પછી બહારની દુનિયા પ્રત્યે આસક્તિભરી દૃષ્ટિ નહિ જાય અને કર્તવ્યરૂપે બહિર્મુખ થવું પડે ત્યારે એટલી જ નિર્લેપતા રહ્યા કરશે. [૧૫] સમથર્નન્દને શૈર્ય મોનિઃ સમતા શરી: . જ્ઞાનં મહાવિમાનં વાસવથીરિયં મુને || ૨૦ || ૨ | [શબ્દાર્થ સમાધિ =સમાધિરૂપી; નન્દનં નંદન વન; ધેર્ય=ઘેર્યરૂપી; વોતિ:=વજ; સમતા=સમતારૂપી, સમભાવરૂપી; રવી:=ઇન્દ્રાણી; જ્ઞાનં=જ્ઞાનરૂપી, સ્વરૂપના અવબોધરૂપી; મહાવિમાન=મોટું વિમાન; =અને વાસવશ્રી:=ઇન્દ્રની લક્ષ્મી યં આ; મુને =મુનિને.] અનુવાદ–સમાધિરૂપી નંદનવન, વૈર્યરૂપી વજૂ, સમતારૂપી ઇન્દ્રાણી અને જ્ઞાનરૂપી મોટું વિમાન-ઇન્દ્રની આ લક્ષ્મી મુનિને હોય છે. (૨) વિશેષાર્થ : સામાન્ય માણસો કરતાં શ્રીમંતો વધુ બાહ્ય ભૌતિક સુખ અનુભવે છે. ખાવાપીવું, રહેવું કરવું, હરવું ફરવું વગેરે ઘણી બાબતોમાં સુખસગવડ અને મનોરંજનના સાધનો નીકળ્યાં છે. દુનિયાની થોડીક પંચતારક હોટેલોની મુલાકાતથી આનો ખ્યાલ આવશે. ગરીબ માણસની કલ્પનામાં ન આવે એવું For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨ ૬૭. સુખ શ્રીમંતો ભોગવે છે. પરંતુ શ્રીમંતો કરતાં દેવો ઘણું સુખ માણે છે અને તેમાં પણ દેવોના દેવ ઇન્દ્ર જે સુખ ભેગવે છે તે તો આપણી કલ્પનામાં પણ ન આવે. એવા સુખની સ્પૃહા થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ બધું સુખ ભૌતિક છે, નાશવંત છે. ઉપાધ્યાયજી મહારાજ મુનિરાજને કહે છે કે એક અપેક્ષાએ તમે પણ ઇના જેવું સુખ ભોગવો છો. વસ્તુતઃ ઇન્દ્રના સુખ કરતાં પણ તમારું સુખ ચડિયાતું ઇન્દ્ર મહારાજાના સુખની કેટલીક મહત્વની વાતો આ પ્રમાણે છે: ૧. ઇન્દ્ર મહારાજા નંદનવનમાં હરેફરે છે. નંદનવન ક્યારેય સૂકાતું કે કરમાતું નથી. તેનાં વૃક્ષ વનરાજિ, પુષ્પવાટિકાઓ વગેરે નયનરમ્ય છે. ત્યાંનો સુગંધી વાયુ મનને ભરી દે છે, થાક ઉતારી નાખે છે. ૨. ઇન્દ્ર મહારાજા પાસે મજબૂત શસ્ત્ર છે વજ. એના વડે તેઓ મોટા મોટા પર્વતોને પણ તોડી નાખી શકે છે. વજની તાકાત આગળ કોઈનું કશું ચાલે નહિ. ૩. ઇન્દ્ર મહારાજાને દેવીઓમાં જે શ્રેષ્ઠ હોય એવી દેવી ઇન્દ્રાણી તરીકે પ્રાપ્ત થાય છે. ઇન્દ્ર-ઇન્દ્રાણી-પતિપત્ની અનેક પ્રકારનું સુખ ભોગવે છે. ૪. ઇન્દ્ર મહારાજાને રહેવા માટે મોટા રાજા-મહારાજાના મહેલો કરતાં મોટો આવાસ હોય છે જેને વિમાન કહેવામાં આવે છે. પરંતુ ઇન્દ્ર મહારાજાના આ સુખ કરતાં ચડિયાતું સુખ, હે મુનિ! તમારી પાસે છે. તમારી પાસે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયરૂપ સમાધિ છે. એ તમારું નંદનવન છે. એ સમાધિ દેવોના નંદનવન કરતાં ઘણી શ્રેષ્ઠ છે. તમારી પાસે પરિષદો અને ઉપસર્ગો સહન કરવા માટે જે તાકાત છે એ તાકાત આગળ વજની તાકાત કશી વિસાતમાં નથી. તમારી પાસે સમતારૂપી શચી (ઇન્દ્રાણી) છે. એ ઇન્દ્રાણી ઇન્દ્રની ઇન્દ્રાણી કરતાં શ્રેષ્ઠ છે. ઇન્દ્રને તો ઇન્દ્રાણીને મનાવવી પડે છે. તમારે એવી કોઈ સમસ્યા For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જ્ઞાનસાર નથી. તમારી પાસે જ્ઞાનરૂપી મોટું વિમાન છે. ઇન્દ્રના વિમાન કરતાં એ વધુ આનંદદાયક છે. આમ, મુનિરાજ ! તમે ઇન્દ્રથી પણ અધિક સુખ ભોગવો છો. [૫૫] વિસ્તારિતક્રિયાજ્ઞાનવર્મછત્રો નિવારવન્ ! મોહમ્લેચ્છમહાવૃષ્ટિ વક્રવર્તીિ મુિનિ || ૨૦ | રૂ II [શબ્દાર્થ ઃ વિતરિત વિસ્તારેલા છે જેણે; ક્રિયાજ્ઞાન ક્રિયા અને જ્ઞાનરૂપી; વર્મચ્છત્ર =ચર્મરત્ન અને છત્રરત્ન; નિવાર–નિવારતા; મોહમ્લેચ્છ =મોહરૂપી પ્લેચ્છ; મહાવૃષ્ટિ મહાવૃષ્ટિને; વિશ્વવર્તી ચક્રવર્તી; ન નથી; વિં=શું; મુનિ =સાધુ, મુનિ અનુવાદ-ક્રિયારૂપી ચર્મરત્ન અને જ્ઞાનરૂપી છત્રરત્ન વિસ્તારને મોહરૂપી પ્લેચ્છની મહાવૃષ્ટિને નિવારતા મુનિ શું ચક્રવર્તી નથી ? (૩) વિશેષાર્થ મુનિરાજને અહીં ચક્રવર્તી તરીકે બતાવ્યા છે. પૃથ્વીના છએ ખંડ ઉપર જેમની આણ પ્રવર્તતી હોય એવા ચક્રવર્તીની પાસે તો કોઈ વસ્તુની કમી ન હોય. જગતની શ્રેષ્ઠ વસ્તુઓ તેમને મળતી હોય અથવા તેમને માટે આવતી હોય છે. ચક્રવર્તીની પાસે ચૌદ રત્નો હોય છે. આ ચોદ રત્નોમાં એક ચર્મરત્ન હોય છે અને એક છત્રરત્ન હોય છે. જળનો જ્યારે ઉપદ્રવ થાય એટલે કે મહાવૃષ્ટિ થાય અને ચારે બાજુ પૂર આવે ત્યારે પોતાનું અને પોતાની સેનાનું રક્ષણ કરવા માટે ચક્રવર્તી ચર્મરત્ન અને છત્રરત્નનો ઉપયોગ કરે છે. નીચે પાણી ચાલ્યું જતું હોય તો એના ઉપર ચર્મરત્ન બિછાવવાથી પોતે ડૂબતા કે ભીંજાતા નથી. જહાજની જેમ એ કામ આપે છે. ઉપરથી જે વૃષ્ટિ થતી હોય એનાથી બચવા માટે તેઓ છત્રરત્ન વિસ્તારે છે. આમ ગમે તેવી ભયંકર વૃષ્ટિ થતી હોય તો પણ ચક્રવર્તી અને પ્રજાજનો, સેના વગેરે સલામત રહી શકે For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨૬૯ છે. મુનિરાજ ઉપર વૃષ્ટિ કોણ કરે ? આક્રમણ કોણ કરે ? મોહરૂપી મ્લેચ્છ રાજા, ઉત્તરાખંડના યવનો. એમણે પ્રેરેલા મિથ્યાત્વરૂપી દેત્યો, કુવાસનાની, કષાયોની, રાગદ્વેષની ઝેરી વૃષ્ટિ કરે ત્યારે એમાંથી બચવા, એનું નિવારણ કરવા ચક્રવર્તી મુનિ ક્રિયા રૂપી ચર્મરત્ન અને જ્ઞાનરૂપી છત્રરત્ન વિસ્તારે છે કે જેથી પોતાના ઉપર મોહરૂપી મ્લેચ્છની કશી જ અસર ન થાય. આ રીતે મુનિને અવશ્ય ભાવચક્રવર્તી કહી શકાય. [૧૫] નવાસુઘાકુઇનિષ્ઠાથચ્છાયો મુનિ ! नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः ।। २० ।। ४ ।। [શબ્દાર્થ : નવડ્રીં=નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી; સુધીઠું=સુધાકુંડ, અમૃતના કુંડ; નિષ્ઠા=સ્થિતિ; ધિષ્ઠાય:=અધિષ્ઠાયક, સ્વામી; મુનિ =મુનિ, સાધુ; નાતોશવ=નાગલોકના સ્વામીની જેમ, શેષનાગની જેમ; માતિ=શોભે છે; ક્ષમ=ક્ષમાને; રક્ષ =રક્ષણ કરતા; પ્રયત્નતા=પ્રયત્નથી, પુરુષાર્થથી, સામર્થ્યથી.] અનુવાદ-નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી અમૃતકુંડની સ્થિતિના સ્વામી અને પ્રયત્નથી ક્ષમાને ધારણ કરતા મુનિ નાગલોકના સ્વામી (શેષનાગ)ની જેમ શોભે છે. (૪) વિશેષાર્થ : મુનિ મહારાજની અહીં નાગલોકના સ્વામી શેષનાગની સાથે સરખામણી કરવામાં આવી છે. લોકમાન્યતા પ્રમાણે શેષનાગે સમગ્ર પૃથ્વી પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે. આટલો મોટો ભાર હોવા છતાં તે સ્થિર રહે છે. સ્થિરતા સાથે ઘણો બધો ભાર વહન કરવાની બાબતમાં શેષનાગનો દાખલો અપાય છે. (વળી એવી માન્યતા છે કે તે છીક ખાય, બગાસું ખાય કે ખાંસી ખાય ત્યારે પૃથ્વીમાં ધરતીકંપ થાય છે.) આ શેષનાગ નવ અમૃતકુંડનો સ્વામી મનાય છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૦ જ્ઞાનસાર મુનિ મહારાજ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરે છે. તે બ્રહ્મજ્ઞાનરૂપ અમૃતના નવ કુંડ છે. શીલની નવ વાડ શાસ્ત્રોમાં નીચે પ્રમાણે આપવામાં આવી છે. તે મુનિ મહારાજ માટે અમૃતના કુંડ છે. ૧. સ્ત્રી, પશુ, નપુંસક વગેરે જ્યાં રહેતાં હોય તે સ્થળમાં રહેવું નહિ. ૨. સ્ત્રી-કથા કરવી નહિ, સ્ત્રીના ચિત્રો, દશ્યો વગેરે જોવાં નહિ. ૩. સ્ત્રીઓ જે સ્થાને બેઠી હોય કે સૂતી હોય તે સ્થાને અમુક કાળ સુધી બેસવું નહિ. ૪. ભીંતની બીજી બાજુએ સ્ત્રી-પુરુષો રહેતાં હોય તો તેમનાં વચનો સાંભળવા નહિ. શક્ય હોય તો તે સ્થાનનો ત્યાગ કરવો. ૫. પૂર્વે સંસારી અવસ્થામાં કામ ભોગો ભોગવ્યા હોય તો તેનું સ્મરણ કરવું નહિ. ૬. શરીરમાં વિકાર થાય એવો પૌષ્ટિક આહાર-વિગઈ વગેરે ન લેવાં. ૭. અતિશય આહાર કરવો નહિ. ઉણોદરી વ્રત રાખવું. ૮. શરીરનો શણગાર કરવો નહિ. ૯. સ્ત્રીઓનાં અંગોપાંગ ધારીધારીને નિહાળવા નહિ. (નવ વાડના આ ક્રમમાં ફેરફાર હોઈ શકે છે. શબ્દોમાં ફેરફાર હોય તો પણ ભાવ નિશ્ચિત છે.) જે વ્યક્તિ નવ વાડપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરે છે તે વ્યક્તિમાં બ્રહ્મચર્યની બરાબર સ્થિરતા આવે છે. વળી શેષનાગ જે પૃથ્વીને ધારણ કરે છે તે પૃથ્વીને ક્ષમાના અવતાર તરીકે ઓળખાવવામાં આવે છે. સાધુ મહારાજ ક્ષમાના, સહનશીલતાના અવતાર જેવા હોય છે. એટલે સાધુ મહારાજને પૃથ્વી સાથે અને પૃથ્વીના ધારણ કરનાર નાગેન્દ્ર સાથે સરખાવવામાં આવે છે. શેષનાગ અને પૃથ્વી ધારણ કરવાની વાત એ લોકમાન્યતા છે. જૈન ધર્મની માન્યતા નથી એ લક્ષમાં રાખવું જોઈએ. બ્રહ્મચર્યની સ્થિરતાની મહત્તા બતાવવા For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૧ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક માટે કાવ્યની દૃષ્ટિએ અહીં માત્ર લૌકિક સરખામણી કરવામાં આવી છે. [૧૫] નિરધ્યાત્મનાશે વિવેવૃષભસ્થિત: .. શોભતે વિરતિજ્ઞપ્તિ ફરીયુત શિવ: |૨૦ || ૫ | [શબ્દાર્થ મુનિ =મુનિ; અધ્યાત્મવેત્તા=અધ્યાત્મરૂપી કેલાસ પર્વત પર; વિવેવૃષભસ્થત:=વિવેક રૂપી વૃષભ પર બેઠેલા; શોમ7=શોભે છે; વિરતિજ્ઞપ્તિ Iોરીયુત:=વિરતિરૂપી ગંગા અને જ્ઞાનરૂપી ગોરી (પાર્વતી) સહિત, શિવ=મહાદેવ, શંકર.] અનુવાદ-અધ્યાત્મરૂપી કેલાસ પર્વત પર, વિવેકરૂપી વૃષભ પર બેઠેલા, વિરતિરૂપી ગંગા અને જ્ઞાનરૂપી પાર્વતીની સાથે રહેલા મુનિરૂપી મહાદેવ શોભે છે. (૫). વિશેષાર્થ : ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા અઢાર હજાર શીલાંગના ધારક એવા મુનિવરોમાં કેટલી બધી સમૃદ્ધિ છે તે સરખામણીથી દર્શાવતાં ગ્રંથકારશ્રી અહીં રૂપકશેલીથી કહે છે કે મુનિ મહારાજ મહાદેવ અર્થાત્ શંકર જેવા છે. મહાદેવનો નિવાસ હિમાચ્છાદિત શીતલ કેલાસ પર્વત ઉપર હોય છે. વૃષભ એટલે કે પોઠિયો એમનું વાહન છે. એમની બે પત્ની છે-ગંગા અને ગોરી એટલે કે પાર્વતી. આવી જ રીતે મુનિ ભગવંત અધ્યાત્મરૂપી કૈલાસ પર રહે છે. વિવેક એ એમનો વૃષભ છે. સત્ય-અસતું, હેય-ઉપાદેય, શુભ-અશુભ વગેરેમાં સ્વપરના ભેદજ્ઞાન રૂપી વિવેક તેઓ ધરાવે છે. વિવેકરૂપી વૃષભ તેમને ગતિ કરવામાં સહાયરૂપ બને છે. મહાદેવને ગંગા અને પાર્વતી હોય છે તો મુનિ મહારાજને વિરતિ એટલે કે ચારિત્રની કલારૂપી ગંગા હોય છે અને જ્ઞાતિ એટલે કે જ્ઞાનરૂપી પાર્વતી હોય છે. હેય અને ઉપાદેયના વિવેક વડે, સ્વપરના ભેદજ્ઞાન વડે, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રની સહાયથી મુનિમહારાજ અધ્યાત્મના શીતલ, શાંત શિખરે, કેલાસ પર્વત ઉપર બિરાજમાન થઈ શકે છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭ ૨ જ્ઞાનસાર આમ, અહીં મુનિ ભગવંત આત્મસ્વરૂપની આરાધના વડે ઘાતી કર્મોનો ક્ષય કરતા જઈ અધ્યાત્મનાં સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન થઈ શકે છે. આ બધી સમૃદ્ધિ તેમના અંતરમાં રહેલી છે. [૧૫] જ્ઞાનવર્શનીન્દ્રનેત્ર નરછિ : I યુવતી રમનસ્ય ચૂિર્વ યોનિનો હરેઃ ૨૦ |૬ | [શબ્દાર્થ જ્ઞાનનવન્દ્રનેત્રચ=જ્ઞાન અને દર્શનરૂપી ચન્દ્ર અને સૂર્ય (અર્ક) જેનાં નેત્ર છે એવા; નરચ્છિદં=નરક ગતિનો નાશ કરનાર (નરકાસુરનો છેદ કરનાર); યુવતી રમનસ્યઃસુખરૂપી સાગરમાં મગ્ન થયેલા ત્રિશું; ચૂનં ઓછું; યોનિ:=યોગીને; દો =હરિ (કૃષ્ણ) કરતાં.] અનુવાદ-જ્ઞાન અને દર્શનરૂપી સૂર્ય અને ચન્દ્ર જેવાં નેત્ર છે અને નરકગતિનો નાશ કરનારા તથા સુખરૂપી સાગરમાં મગ્ન થયેલા યોગીને કૃષ્ણ કરતાં શું ઓછું છે ? (૬) વિશેષાર્થ આ શ્લોકમાં મુનિ મહારાજને એમનો આંતરિક વૈભવ રૂપકશૈલીથી બતાવતાં કહેવામાં આવે છે કે “તમે તો સાક્ષાત્ હરિ એટલે શ્રી વિષ્ણુ અથવા એમના અવતાર શ્રીકૃષ્ણ છો. વસ્તુતઃ એમના કરતાં તમારી પાસે કશું જ ઓછું નથી. છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તમે ચડિયાતા છો.' ચન્દ્ર અને સૂર્ય એ બેને શ્રીકૃષ્ણનાં નેત્ર તરીકે ગણાવવામાં આવે છે, તો તમારી પાસે પણ ચન્દ્ર અને સૂર્યરૂપી નેત્રો છે. તમારી પાસે સામાન્ય બોધરૂપી સમ્યગુદર્શન અને વિશેષ બોધરૂપી સમ્યગૂજ્ઞાન છે. એટલે તમારી પાસે સમ્યગુદર્શનરૂપી ચંદ્ર અને સમ્યગુજ્ઞાનરૂપી સૂર્ય છે. શ્રી ભાગવત પુરાણમાં આવે છે કે શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તો તમે પણ નરકાસુરનો વધ કર્યો છે. નરકાસુર એટલે નરક ગતિ રૂપી અસુર. તમે મહાવ્રતો ધારણ કરી, એવું સરસ સંયમિત, પાપરહિત જીવન જીવો છો અને For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક દર્શન અને જ્ઞાન સહિત સમ્યક્રચારિત્રનું પાલન એવું સરસ કરો છો કે તમારે નરક ગતિ હોય જ નહિ. એટલે તમે પણ નરકાસુરનો વધ કર્યો છે તેમ કહેવાય. વૈષ્ણવોમાં માન્યતા છે કે અષાઢી એકાદશી એટલે દેવપોઢી એકાદશીથી શ્રી વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં શેષનાગની શય્યામાં પોઢે છે. તો મુનિરાજ! તમે પણ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્રની એકતારૂપ સમાધિથી ઉત્પન્ન થયેલા આત્મસુખરૂપી સાગરમાં પોઢો છો. તમારું સુખ અક્ષય અને અનંત છે. [૧૫] યા વૃષ્ટિઢો વાહ્ય વહિપેક્ષાવશ્વિની . મુને પરાનપેક્ષાડના િતતોથા પા ૨૦ | ૭ || [શબ્દાર્થ : યા=જે; સૃષ્ટિ =સૃષ્ટિ; બ્રાળ:=બ્રહ્માની; વીટ્સ=બાહ્ય જગતરૂપ; વહ્યાપેક્ષાવન્વિની=બાહ્ય કારણોની અપેક્ષા રાખનાર; મુને =મુનિની; પરનપેક્ષા (૫૨+અનપેક્ષા)=પરની અપેક્ષાથી રહિત; બાળવૃષ્ટિ:=અંતરંગ ગુણની સૃષ્ટિ; તત:=તેથી; અધિવા (મધs:)=અધિક.] અનુવાદ-બ્રહ્માની જે સૃષ્ટિ છે તે બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય અપેક્ષા પર અવલંબેલી છે, પરંતુ મુનિની આંતરિક ગુણસૃષ્ટિ બીજાની અપેક્ષારહિત છે, તેથી અધિક છે. (૭) વિશેષાર્થ : મુનિરાજની સમૃદ્ધિ બ્રહ્મા કરતાં પણ સવિશેષ છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે. હિંદુ માન્યતા પ્રમાણે પરમેશ્વરનાં ત્રણ રૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું યોગક્ષેમ સંભાળે છે અને મહેશ (શંકર) પ્રલયકાળે સૃષ્ટિનું વિસર્જન કરે છે. ફરી પાછું એ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું ચક્ર ચાલ્યા જ કરે છે. બ્રહ્મા પંચ મહાભૂતો વડે સૃષ્ટિનું સર્જન કરે છે. તેમ છતાં સુષ્ટિ આદર્શ સ્વરૂપની થતી નથી. તે સર્વને સર્વકાળે સુખ આપનારી નથી. વળી તે સૃષ્ટિ ગંદકી, ગરીબી, For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જ્ઞાનસાર જરા-વ્યાધિ, મારામારી, યુદ્ધો વગેરેથી ભરેલી છે. એમાં પશુબલિ યજ્ઞો, ખૂન, અસત્ય, ચોરી-લૂંટફાટ, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, બળાત્કાર, ગર્ભપાત તથા આગ, પૂર, ધરતીકંપ ઇત્યાદિથી ભરેલી છે. વળી આટલી ખરાબ સૃષ્ટિના સર્જન માટે પણ બ્રહ્માને બીજાં તત્ત્વો ઉપર આધાર રાખવો પડે છે. બ્રહ્મા સૃષ્ટિના સર્જન માટે સ્વાધીન નથી. આવી સ્કૂલ, પાર્થિવ, ખામી ભરેલી સૃષ્ટિને બદલે સ્વરૂપસાધનામાં મગ્ન થયેલા મુનિરાજ સૂક્ષ્મ ગુણતત્ત્વો પ્રગટાવવારૂપ પોતાના આત્મામાં જે સૃષ્ટિનું સર્જન કરે છે તેમાં બીજા કશાની અપેક્ષા રહેતી નથી. એ સૃષ્ટિ પરાધીન નહિ પણ સ્વાધીન હોય છે. બ્રહ્માની સૃષ્ટિ પ્રલયકાળે નાશ પામે છે. મુનિરાજની આત્મગુણોની સૃષ્ટિ અક્ષય હોય છે. આથી મુનિરાજની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે. અહીં ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. ઉપાધ્યાયજી મહારાજની કવિત્વશક્તિની એ પ્રતીતિ કરાવે છે. [૧૬] નૈત્રિમ પવિત્ર યા સ્ત્રોતોfપરિવગાહનવી ! સિદ્ધયોગાસ્ય સાડત્પલવી નવીયરી | ૨૦ || ૮ || [શબ્દાર્થ : રત્ન =રત્નો વડે; ત્રિમ:=ત્રણ વડે; પવિત્ર=પવિત્ર; =જે; સ્ત્રોતોમ=સ્ત્રોતો-પ્રવાહો વડે; =જેમ; નાનવી ગંગા; સિદ્ધયોકાર્પક સિદ્ધયોગવાળાને; સા તે; પિ=પણ; અપવવી તીર્થંકર પદવી; ન=નથી; વીયરી=અત્યંત દૂર.] અનુવાદ-જેમ ત્રણ પ્રવાહો વડે ગંગા પવિત્ર છે, તેમ ત્રણ રત્નો વડે પવિત્ર એવી અરિહંતની પદવી સિદ્ધયોગવાળાને બહુ દૂર નથી. (૮) વિશેષાર્થ હિંદુ ધર્મ પ્રમાણે જગતમાં નદી, પર્વત વગેરેમાં પવિત્રતાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ હોય તો તે જાહ્નવી નદી એટલે કે ગંગા નદી છે. એ સ્વર્ગમાંથી ઊતરી, For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨ ૭૫ પૃથ્વી ઉપર વહીને, પાતાલમાં જાય છે. એટલે એને ત્રિપથગા કહેવામાં આવે છે. એ જ્યાં જાય ત્યાં લોકોને પવિત્ર કરે છે. એના પવિત્ર જળમાં સ્નાન કરવું, એના સંગમસ્થળે સ્નાન કરવું અત્યંત પવિત્ર મનાય છે. એનું પાણી ઔષધ જેવું ગણાય છે. કહેવાય છે કે મૌષધું નહિવતોડ્યું . જેમ ગંગા ત્રણ પ્રવાહ વડે અત્યંત પવિત્ર મનાય છે તેમ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રરૂપી ત્રણ પ્રવાહ વડે પવિત્ર એવી અધ્યાત્મજગતમાં સર્વોચ્ચ પરમાત્માની પદવી એ અરિહંત પરમાત્માની પદવી છે. મુનિ મહારાજે પોતાની અંતરંગ સમૃદ્ધિનું સર્વોચ્ચ લક્ષ અરિહંત પરમાત્માની પદવીનું રાખવાનું છે. સિદ્ધિયોગવાળા સાધુને માટે તે દૂર નથી, કારણ કે સિદ્ધયોગીને તીર્થંકરપણું દૂર નથી. આમ મુનિ મહારાજ પાસે વિશ્વની સર્વોચ્ચ પ્રકારની સૂક્ષ્મ સંપત્તિ છે. એ સમૃદ્ધિની તોલે જગતની કોઈ પણ ભૌતિક સમૃદ્ધિ આવી શકે નહિ. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ Sાનસાર ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક [૧૬૧] દુર્વ પ્રાપ્ય નલીન: યા સુd પ્રાપ્ય ર વિમિત: 1 मुनिः कर्मविपाकस्य जानन परवशं जगत् ।।२१।।१।। [શબ્દાર્થ દુવં=દુઃખને; પ્રાપ્ય=પામીને; ન=નહિ; વીન:=દીન; =થાય; સુરë સુખને; પ્રાપ્ય પામીને; વ અને; વિમિત:=વિસ્મયયુક્ત, આશ્ચર્યચકિત; મુનિ:=સાધુ; વિપશ્ય કર્મના વિપાકને; નાનન=જાણતાં; પરવશ=પરવશ, પરાધીન; ન*=જગતને.] અનુવાદઃ કર્મના વિપાકને, પરવશ થયેલા જગતને જાણતા મુનિ દુઃખ પામીને દીન ન થાય અને સુખ પામીને વિસ્મયવાળા ન થાય. (૧) વિશેષાર્થ: કર્મસત્તા આગળ કોઈનું કશું ચાલતું નથી. કર્મના વિપાક વખતે, સમગ્ર જગત પરવશ, પરાધીન બની જાય છે. ઘોર નિકાચિત કર્મોનો ઉદય હોય ત્યારે તે કર્મો તીર્થકર ભગવાનના જીવને પણ ભોગવવાં જ પડે છે. કોઈ વ્યક્તિ ભલે તે મોટા રાજા હોય, રાષ્ટ્રપ્રમુખ હોય કે વડાપ્રધાન હોય તો તેથી એને પેટમાં ન દુઃખે એવું નથી, એનું મૃત્યુ ન થાય એવું નથી. સંસારમાં જન્મમરણની ક્રિયા સતત ચાલતી રહે છે. એક ક્ષણ એવી નથી કે જ્યારે કોઈક જીવોનું મૃત્યુ ન થયું હોય અને બીજી બાજુ કોઈ નવા જીવોનો જન્મ ન થયો હોય. એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી આ ઘટના નિરંતર નિહાળવા મળે છે. જન્મનો આનંદોત્સવ થાય છે. અને મૃત્યુ દુઃખદાયક મનાય છે. મુનિ ભગવંતો સંસારનું અવલોકન કરે છે ત્યારે તેમને એમાં કેટલું બધું વૈચિત્ર્ય દેખાય છે. સંસારનું સ્વરૂપ અકળ છે. સંસારમાં કોઈ જન્માંધ હોય છે, For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૭૭ કોઈ બહેરો મૂંગો હોય છે, કોઈ મૂર્ખ તો કોઈ બુદ્ધિશાળી હોય છે, કોઈ દેખાવડો, તેજસ્વી હોય છે, તો કોઈ કદરૂપો, બિહામણો હોય છે. કોઈ ક્રોધી, કોઈ શાંત, કોઈ ચોર, કોઈ પ્રામાણિક, કોઈ ધર્મમાં શ્રદ્ધાવાળો, તો કોઈ નાસ્તિક, કોઈ કૂર, તો કોઈ દયાળુ, કોઈના જીવનમાં સતત વિઘ્નો આવે છે તો કોઈને બધી અનુકૂળતા રહે છે, કોઈ પહેલાં સુખી અને પછી અત્યંત દુઃખી, તો કોઈ પહેલાં દુઃખી અને પછી અત્યંત સુખી થાય છે, કોઈને અજાણ્યા માણસો પણ પ્રેમ આપે છે અને કોઈને સંતાનો દુઃખ આપે છે–આમ સંસાર કેટલી બધી અસમાનતા, વિચિત્રતા, વિષમતા ઇત્યાદિથી ભરેલો છે ! બાંધેલાં કર્મોનો પરિપાક થતાં, ઉદયમાં આવતાં કોઈને હર્ષોલ્લાસ થાય છે, તો કોઈને ત્યાં રોકકળ થાય છે. આમ કર્મોના વિપાકને કારણે જુદા જુદા જીવોની જુદી જુદી દશા જોઈને મુનિ પોતે સમતા, સમભાવ ધારણ કરે છે. જીવો પ્રત્યે એમને અનુકંપા થાય છે. કર્મવિપાક વિશે ચિંતન, અનુપ્રેક્ષા કરતાં કરતાં તેઓ આત્મસ્વરૂપના ચિંતન તરફ વળે છે. કર્મો આઠ પ્રકારનાં કહ્યાં છેઃ (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ આ આઠે કર્મોની ઉત્તર પ્રકૃતિ છે એટલે કે એના પેટા વિભાગ પણ છે. કર્મ કેવી રીતે બંધાય છે, એની કેટલી તીવ્રતા હોય છે, કેટલી વાર સત્તામાં પડ્યું રહે છે, ક્યારે તેનો ઉદય થાય છે વગેરે વિશે કર્મગ્રંથોમાં તાત્ત્વિક અને ગહન વિચારણા થયેલી છે. કર્મો એટલે કાશ્મણ વર્ગણાનાં પુગલ પરમાણુઓ પ્રત્યક્ષ દેખાતાં નથી, પરંતુ સર્વજ્ઞોને તે પ્રત્યક્ષ છે. અનુમાનથી તે સમજી શકાય છે. સંસારમાં સુખદુઃખનું કારણ તે કર્મ છે. એમ છતાં એ કારણે એકને સુખ આપે અને બીજાને દુઃખ આપે એમ બની શકે છે. વિશેષ આવશ્યક ભાષ્ય' (ગાથા ૧૬ ૧૫–૧૬૧૬)માં કહ્યું છે. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર किरियाफल भावाओ दाणाइणं फलं किसिए व्व। तं च दाणाइफलं मणप्पसायाई जइ वुद्धी ॥ [ખેતીમાં (સરખી મહેનત છતાં) દાણા વગેરે જેમ પ્રારબ્ધાનુસાર પાકે છે તેમ ભાવ પ્રમાણે ક્રિયાનું ફળ મળે છે. મનની પ્રસન્નતામાં જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે દાનાદિનું ફળ પ્રાપ્ત થાય છે.] किरिया सामन्नाओ जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं सुहदुक्खफलं जओ भुज्जो ॥ [સમાન ક્રિયા હોવા છતાં કર્મ પ્રમાણે જે ફળ પ્રાપ્ત થાય છે તેનાં (કર્મનાં) પરિણામરૂપે સુખદુઃખરૂપી ફળ ભોગવાય છે.] સંસારમાં કર્મોની આવી પરિસ્થિતિ હોય ત્યાં સાધક મુનિએ કેવી રીતે રહેવું ? મુનિએ સાધક તરીકે સમતામાં, સમસ્વભાવમાં રહેવું જોઈએ. કોઈ ભારે અશાતાવેદનીય કર્મનો ઉદય હોય તો તે વખતે તે કર્મો સમભાવે વેદી લેવાં જોઈએ. મુનિએ ત્યારે દીન બનવું ન જોઇએ. બીજી બાજુ અણધાર્યા કોઈ બહુ આનંદના સમાચાર આવે ત્યારે મુનિએ આશ્ચર્યચકિત ન થવું જોઇએ. સંસારના જીવોનાં કર્મોની ગતિનો વિચાર કરી, ચિંતન-અનુપ્રેક્ષા કરી, મુનિએ સમતામાં રહેવું જોઈએ. આ સમતા-અનુપ્રેક્ષા એમને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જનારી થવી જોઇએ. [૧૬૨] શેષાં પૂમમાઘ મચો પર્વતા પિI तैरहो कर्मवैषम्ये भूपैर्भिक्षाऽपि नाप्यते ।।२१।।२।। [શબ્દાર્થ યેષાં જેઓના; મૂમમાત્રન=ભૂકુટી વાંકી કરવા માત્રથી; મર્ચન્ત=લૂંટી પડે છે; પર્વતા=પર્વતો; પિ=પણ; તૈ=0;અહો આશ્ચર્ય છે કે; વૈષઃકર્મની વિષમ દશા પ્રાપ્ત થતાં; મૂર્વ =રાજાઓથી; મિલાપ=ભિક્ષા પણ; નાણ=મેળવી શકાતી નથી.] For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૭૯ અનુવાદઃ જેઓની ભ્રકુટી ચડાવવા માત્રથી પર્વતો પણ તૂટી પડે છે તેવા રાજાઓથી પણ, કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકાતી નથી, એ આશ્ચર્ય છે. (૨) | વિશેષાર્થ કર્મની ગતિ કેટલી બધી વિષમ છે અને જીવને ક્યાંથી ક્યાં ભમાડે છે તે વિશે અહીં કહ્યું છે. કર્મ જીવને દેવેન્દ્ર કે ચક્રવર્તી બનાવે છે અને કર્મ જીવને નરક-નિગોદમાં પણ લઈ જાય છે. બે પરસ્પર વિરુદ્ધ અંતિમ કોટિની સ્થિતિ સુધી કર્મ જીવને લઈ જાય છે. એટલું જ નહિ, એક જ ભવમાં પણ જીવને ઊંચે ચડાવે છે અને નીચે પછાડે છે અથવા નીચેથી ઉપર લઈ જાય છે. શુભાશુભ કર્મનો વિપાક મહત્ત્વનું કાર્ય કરે છે. કર્મોના વિપાક આગળ કોઈનું કશું ચાલતું નથી. અહીં દૃષ્ટાન્ત રાજાનું આપવામાં આવ્યું છે કારણ કે સત્તા-સામર્થ્યની દૃષ્ટિએ તે ઉચ્ચ સ્થાને છે. રાજા કેવો છે ? એની ભ્રકુટી વાંકી થતાં મોટા પર્વતો પણ તૂટી પડે છે. મતલબ કે રાજા રોષે ભરાય ત્યારે કોણ સલામત રહે ? રાજા ભવાં ચડાવે અને પર્વતો તૂટી જાય એ રૂઢપ્રયોગ તરીકે વ્યંજના કે લક્ષણાથી સમજવાનું છે. એમ તો ભવાં ચડાવવા છતાં બારી પણ બંધ થઈ જતી નથી. પણ રાજાની તાકાત બતાવવા આવો શબ્દપ્રયોગ થાય છે. સિવાય કે રાજા પોતે કોઈ વાર પોતાના સૈન્યને અમુક શિખર તોડી પાડવા માટે હુકમ કરે તો તે જુદી વાત છે. આવા શક્તિશાળી રાજાઓનાં કર્મો જો વાંકાં હોય તો એવો વખત આવે કે યુદ્ધમાં હારી જતાં એમનાં રાજપાટ જાય, પોતે જીવ બચાવવા ક્યાંક ભાગી જાય, છુપાઈ જાય તો ખાવાનું ન મળે. ક્યાંક ભીખ માગે તો ભીખ આપનાર કોઈ ન હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે બત્રીસ પકવાન આરોગનાર રાજાને ક્યારેક રસ્તામાં ભીખ માગીને જે લૂખું સુકું મળે તે ખાવાનો વખત આવે છે. ક્યારેક તો ભીખ પણ ન મળે. એટલે જ કવિ મલબારીએ ગાયું છે કે સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માંગતાં શેરીએ. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮o જ્ઞાનસાર ઇતિહાસ પર નજર ફેરવીએ તો કેટકેટલા રાજ્યાધીશો-સત્તાધીશોનાં અધ:પતન થયાં છે ! વર્તમાન સમયનો વિચાર કરીએ તો કેટલાયે સરમુખત્યારોના બેહાલ થયા છે, ભાગીને સંતાઈ જવું પડ્યું છે, મહેલમાંથી મહૂલીમાં રહેવું પડ્યું છે. ક્યારેક ભાગી જતાં, રસ્તામાં પકડાઈ જતાં ત્યાંજ લોકોના ટોળાએ મારી નાખ્યા છે. માત્ર રાજાઓની બાબતમાં જ નહિ, વેપાર ધંધામાં અને વિવિધ સામાજિક ક્ષેત્રોમાં પણ કર્મના ઉદયે માણસોની ચડતી પડતીની વિચિત્ર ઘટનાઓ બનતી વારંવાર જોવા મળે છે. આવી બધી ઘટનાઓ પરથી કર્મની વિચિત્ર ગતિનો વિચાર આવે છે. [૧૬] નાતિવાતુર્યહીનોડપિ ફર્મવડુયાવરે ! क्षणाद् रङ्कोऽपि राजा स्यात् छत्रच्छन्नदिगन्तरः ।।२१।।३।। [શબ્દાર્થ જ્ઞાતિવાતુર્યહીનોfપ જાતિ અને ચાતુર્યથી હીન હોવા છતાં; fણ કર્મ વિશે; અમ્યુદયાવ=અભ્યદય થવાથી; લગા=ક્ષણમાં; ફ્રોડપિ=રક પણ; રાના=રાજા; ચા=થાય છે; છત્રછન્નEછત્ર વડે ઢાંક્યા છે; વિન્તર:=દિશાઓના ભાગને.. અનુવાદઃ જાતિ અને ચાતુર્યથી હીન હોવા છતાં કર્મનો અભ્યદય થવાથી, રંક માણસ પણ ક્ષણવારમાં છત્ર વડે દિશામંડળને ઢાંકનાર રાજા થઈ જાય છે. (૩) વિશેષાર્થ : આગળના શ્લોકમાં જણાવ્યું તેમ રાજા પણ ભીખ માગતો થઈ જાય છે તેમ બીજી બાજુ સામાન્ય, રંક જેવો માણસ શુભ કર્મના ઉદયે રાજા થઈ જાય છે. જૂના વખતમાં વર્ણાશ્રમની પ્રથા દૃઢ હતી અને જાતિ (મોસાળ, માતૃપક્ષ) કુળ (પિતૃપક્ષ) કેવાં છે એની વિચારણા થતી. તેવે વખતે જાતિ અને કુળનાં ઠેકાણાં ન હોય અને બુદ્ધિચાતુર્યમાં માણસ હીન હોય એવો ઠોઠ, માણસ અચાનક ભાગ્યપલટો થતાં ઠેઠ રાજ્યસિંહાસન પર બિરાજમાન થઈ જતો. જૂના વખતમાં For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૮૧ દંતકથાઓમાં આવે છે તેમ, રાજાને કોઈ પુત્ર ન હોય તો રાજગાદી પર બેસાડવા માટે નગરમાં કળશ સાથે હાથ ફેરવવામાં આવતો અને હાથી જેના ઉપર કળશ ઢોળે તેને રાજગાદી આપવામાં આવતી. તે સિંહાસન પર બેસતો અને તેને માથે છત્ર રહેતું તથા આગળ પાછળ રક્ષકો રહેતા. વર્તમાન સમયમાં લોકશાહીમાં ગામડાનો કોઈ અભણ માણસ ચૂંટણી જીતીને મિનિસ્ટર બને તો એને પણ અંગરક્ષકો મળે. વર્તમાન સમયમાં જાતિકુળના ભેદો દુનિયાભરમાંથી, મુખ્યત્વે મોટા શહેરોમાંથી નીકળવા લાગ્યા છે, તો પણ આનુવંશિક જાતિઓ, પછાત જાતિઓ વગેરેના ભેદ તથા સંસ્કાર અને બુદ્ધિચાતુર્યના ભેદ તો રહેવાના. વળી આર્થિક અસમાનતા પણ રહેવાની. એમાં ઓછી યોગ્યતાવાળો માણસ ઊંચા પદ પર પહોંચી જાય, ખોટા માણસને લાગવગથી ચંદ્રક કે માનપત્ર મળે એવી ઘટનાઓ બનતી રહેવાની. આવું જ બને છે તેમાં એમનો પુણ્યોદય રહ્યો હોય છે. પૂર્વે કરેલાં એમનાં શુભ કર્મો ઉદયમાં આવી એમનો અભ્યદય કરે છે. કેટલાકનો એવો અભ્યદય જીવન પર્યત ચાલે છે અને કેટલાકનો અભ્યદય અલ્પકાલીન હોય છે. નામકર્મ અને ગોત્રકમ એકસરખાં જ હોય એવું નથી. જાતિકુળ ગોત્રકર્મ અનુસાર મળે છે અને શરીરસંપત્તિ, અવાજ, મુખાકૃતિ, યશકીર્તિ ઇત્યાદિ નામકર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. કર્મની લીલા અપાર વૈવિધ્યવાળી અને ક્યારેક તો અકળ હોય છે. [૧૬૪] વિષમ ર્મા: ર્દિષ્ટ રમપૃષ્ઠવત્ ા जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।।२१।।४।। [શબ્દાર્થ વિષમ=વિષમ, સરખી નહિ એવી; કર્મળ =કર્મની સ્મૃષ્ટિ:=સૃષ્ટિ,રચના; દD=દીઠી છે, જોઈ છે, જાણેલી છે; રમ=ઊંટ; પૃષ્ઠવ=પીઠના જેવી; નાત્યાતિ જાતિ આદિની; મૂતિવૈષપાત–ઉત્પત્તિની વિષમતાથી; વા=શી; રતિ=રતિ; તત્ર=તેમાં; યોનિ:=યોગીને.] For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ જ્ઞાનસાર અનુવાદઃ જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મની સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ દીઠી છે. એમાં યોગીને શી પ્રીતિ થાય? (૪) વિશેષાર્થ કર્મની વિચિત્ર, વિષમ ગતિને કારણે સંસારમાં જે વિષમતા જોવા મળે છે તે માટે અહીં ઉદાહરણ ઊંટનું આપવામાં આવ્યું છે. ઊંટની ફક્ત પીઠ જોઇએ તો પણ એ કેટલી વાંકીચૂંકી હોય છે ! કવિ દલપતરાયે એક કાવ્યમાં કલ્પના કરી છે કે ઊંટ ફરિયાદ કરે છે કે પ્રાણીઓમાં કોઈકની પૂંછડી વાંકી છે તો કોઈકનાં શિંગડાં વાંકા છે, ત્યારે શિયાળ એને સંભળાવે છે: અન્યનું તો એક વાંકુ, આપનાં અઢાર છે. ઊંટના અઢારે અંગ વાંકાં હોય છે. ઊંટની જેમ કર્મનું પણ વાંકાપણું સંસારમાં હંમેશાં જોવા મળે છે. કોઈ જાહેર રસ્તા પર એકાદ કલાક ઊભા રહીને પસાર થતા જતા લોકોના ચહેરા, વસ્ત્રાલંકારો, ચાલ વગેરેનું અવલોકન કરીએ તો કર્મની ગતિનો ખ્યાલ આવે છે. દુનિયામાં જાતિ, કુળ, વૈભવ વગેરેમાં એટલી બધી અસમાનતા છે કે તે જોઈને યોગી મહાત્માઓને સંસાર પ્રત્યે પ્રેમ થતો નથી. સંસાર પ્રત્યે ઉદ્વેગ થાય છે. વાચક ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ' ગ્રંથમાં લખ્યું છેઃ जातिकुलदेहविज्ञानायुर्वलभोगभूतिवैषम्यम् । दष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ॥ [જાતિ (માતૃપક્ષ), કુળ (પિતૃપક્ષ), દેહ, વિજ્ઞાન (બુદ્ધિચાતુર્ય), આયુષ્ય, બળ અને ભોગની પ્રાપ્તિનું વૈષમ્ય (વિષમપણું) જોઈને વિદ્વાનોને (જ્ઞાનીઓને) ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થાય ?] શ્રી ઉમાસ્વાતિજીએ સાચું જ કહ્યું છે કે જાતિ, કુળ, બળબુદ્ધિ, વગેરેમાં જો માત્ર શ્રેષ્ઠતા જ જોવા મળતી હોય તો માણસને એમાં રતિ-પ્રીતિ થાય, પરંતુ એમાં ઘણું ચડતાઊતરતાંપણું દેખાતું હોય તો વિચારશીલ માણસને પ્રશ્ન થાય કે આમ કેમ બને છે ? એનાં કારણો જો સમજાઈ જાય તો માણસને એમાં For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૮૩ રાગદ્વેષ કરવાપણું ન રહે. સારી વસ્તુ કે સ્થિતિ જોઈને માણસને આસક્તિ થશે નહિ. આસક્તિ થઈ હશે તે ઓછી થશે. યથાર્થ દર્શન થતાં યોગીઓને તે આસક્તિ સાવ છૂટી જશે. એક વખત આઠ પ્રકારનાં કર્મોની પ્રકૃતિ, ગતિ વગેરે સમજાઈ જાય પછી કર્મો બાંધવાનું માણસને ગમશે નહિ. બંધાયેલાં કર્મો ખપાવવા તે પુરુષાર્થ કરશે. જગતમાં લાભ-અલાભ, જય-પરાજય, સુખ-દુઃખ, હર્ષ-શોક, મૈત્રી અને વૈર ઇત્યાદિ વંદો જોવા મળે છે તે બધા પોતપોતાનાં કર્મોને આધારે છે, પરસ્પર ઋણાનુબંધના આધારે છે એમ સમજાય તો માણસની સમત્વબુદ્ધિ વિકાસ પામે છે. કહ્યું છે કે सुहजोगो रइहेउ, असुहजोगो अरइहेउत्ति । रागो वड्ढइ तेणं अवरो दोसं विवड्ढेइ ॥ [શુભ (કર્મ)નો યોગ રતિનું કારણ છે અને અશુભ (કર્મ)નો યોગ અરતિનું કારણ છે. તેના શુભના) યોગે રાગ વધે છે અને બીજો (અશુભનો યોગ) દ્વેષ વધારે છે.] सिवमग्गविग्घभूया कम्मविवागा चरित्तवाहकरा। धीराणं समया तिहिं चायपरिणामओ हवइ । [કર્મના વિપાકો શિવમાર્ગના વિદ્ગભૂત અને ચારિત્રનો બાધ કરનારા છે. તેથી ધીરપુરુષોને ત્યાગના પરિણામને લીધે સમભાવ થાય છે.] સરેરાશ સામાન્ય માણસોને સંસારમાં કોઈ વિષમતા દેખાતી નથી. એવી એમની દૃષ્ટિ ખીલી નથી હોતી. જે જીવન મળ્યું તે તેઓ જીવી જાય છે. સંસાર પ્રત્યે તેઓની આસક્તિ ગાઢ હોય છે. તેઓને મુક્તિ-મોક્ષ શું એની ખબર નથી હોતી અને કંઈક ખબર હોય તો તેઓ ઉદાસીન હોય છે અને એ દિશામાં એમનો પુરુષાર્થ નથી હોતો. એટલે જ આવા માણસો સાંસારિક સુખ આવે રાજી રાજી થાય છે અને દુઃખ આવે રોદણાં રડે છે, વલોપાત કરે છે. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જ્ઞાનસાર [૧૯૫] કાઢી: પ્રથમ કૃત્તિનોfપ ર ા भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ।।२१।।५।। [શબ્દાર્થ ઃ મારુદ્ધ =ચઢેલા; પ્રશમMિ=ઉપશમ શ્રેણિ ઉપર, કૃતવેતનઃ= શ્રુતકેવલી, ચૌદ પૂર્વધ૨; [=પણ; =અને; ગ્રામ્યન્ત=ભમાડાય છે; મનન્તસંસાર અનંત સંસાર; અહો આશ્ચર્ય છે; કુટેન-દુષ્ટ; ર્મા કર્મ વડે.. અનુવાદઃ ઉપશમ શ્રેણિ પર ચડેલા અને શ્રુતકેવલીને પણ દુષ્ટ કર્મ, અહો, અનંત સંસાર ભાડે છે. (૫) વિશેષાર્થ કર્મની સત્તા કેટલી બળવાન છે તે વિશે ઉપાધ્યાયજી મહારાજ એક સચોટ વિધાન કરે છે. તરત માન્યામાં ન આવે એવી વાત છે. તેઓ કહે છે કે શ્રુત-કેવલી ભગવંતને પણ અનંત સંસારમાં ભમવાનો વખત આવી શકે છે. તેઓ નિગોદમાં પણ જાય એવો સંભવ હોઈ શકે છે. આપણને પ્રશ્ન થાય કે આવું તે કઈ રીતે બની શકે ? ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે શ્રુતકેવલી ભગવંત સાતમ-આઠમે-નવમે અને દસમે ગુણસ્થાનકે પહોંચે, પરંતુ સત્તામાં હજુ જો મોહનીય કર્મ હોય અને તેઓ ઉપશમશ્રેણી માંડે તો અગિયારમે ગુણસ્થાનકે જઈ, ત્યાંથી પડી ઠેઠ પહેલે ગુણસ્થાનકે પણ આવી શકે છે. આવું ક્યારેક જ બને, પણ બની શકે ખરું. શ્રી દેવચંદ્રજી મહારાજે જ્ઞાનમંજરી ટીકામાં “આવશ્યક નિર્યુક્તિ'ની ગાથાઓ (ગાથા ૧૧૮-૧૨૦) નીચે પ્રમાણે ટાંકી છેઃ उवसामं उवणीया गुणमहया जिणचरित्तसरिसं पि। पडिवायंति कसाया किं पुण सेसं सरागत्थे ॥ [ગુણો વડે મહાન એવા ઉપશમ ચારિત્રવાળાએ ઉપશાન્ત ભાવને પમાડેલા કષાયો, જિન સરખા ચારિત્રવાળાને પણ નીચે પાડે છે, તો પછી બાકીના સરાગી જીવો માટે તો શું કહેવું ?]. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૮૫ जइ उवसंत कसाओ लहइ अणंत पुणो वि पडिवायं । न हु मे वीससियव्वं थोवे वि कसायसेसंमि॥ [જેમના બધા કષાયો ઉપશમભાવને પામ્યા છે તે ફરીથી પણ અનંતવાર નીચે પડી જાય છે. તો થોડા પણ કષાય બાકી હોય ત્યાં સુધી તેનો વિશ્વાસ કરવા યોગ્ય નથી.] अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं थोवं पि हु तं वहु होइ॥ [ઋણ થોડું હોય, વ્રણ (ઘા) થોડો હોય, અગ્નિ થોડો હોય અને કષાય પણ થોડો હોય, તો પણ તેનો વિશ્વાસ ન કરવો, કારણ કે થોડો હોય તો પણ ઘણો થાય છે.] दासतं देइ रिणं अइरा मरणं वणो विसप्पंतो। सव्वस्सदाहमग्गी दिति कसाया भवमणंतं ॥ [દેવું (2ઋણ) થોડું હોય તો પણ તે દાસ બનાવે છે, વૃદ્ધિ પામતો ઘા (ત્રણ) થોડા સમયમાં મૃત્યુ પમાડે છે. અગ્નિ સર્વસ્વ બાળી નાખે છે અને કષાયો અનંતા ભવ કરાવે છે.] એટલા માટે કહ્યું છે કે કર્મના ઉદય વખતે પોતાની આત્મચેતનાને કર્મને આધીન કરવાયોગ્ય નથી. કર્મનો ઉદય હોય તે વખતે પોતાની ચેતનાને કર્મને આધીન ન કરતાં પોતાના ક્ષયોપશમ સ્વરૂપને અનુસરનારી કરવી જોઈએ. કર્મનો વિપાક થાય તો તે જીવને નીચે પડવામાં કે નવાં કર્મ બાંધવામાં કારણરૂપ નથી. પરંતુ જીવ પોતે પોતાની ચેતનાને અને પોતાના વીર્યને મોહના ઉદયને અનુકૂળ કરે તો તે કર્મબંધના હેતુરૂપે થતાં પરિણામને અટકાવવા જોઇએ. કર્મનો વિપાક અર્થાત્ ઉદય આત્માના ગુણોને આવરે છે, પણ તે બંધનો હેતુ ન થઈ શકે. જો કર્મનો પ્રત્યેક ઉદય બંધના હેતુરૂપ થાય તો પછી આત્માની શક્તિની પ્રવૃત્તિ ક્યાં રહી ? For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' ટીકામાં કહ્યું છેઃ “કેટલાક મુનિઓ નિશ્ચય રત્નત્રયીના પરિણામથી તીવ્ર ક્ષયોપશમભાવ વડે સાધનને અવલંબી, અપૂર્વ કરણના બળથી ઉપશમચારિત્રના પરિણામરૂપ ઉપશમશ્રેણીને પ્રાપ્ત થઈ, ઉપશાન્તમોહ નામના અગિયારમાં ગુણસ્થાનકે, સર્વથા મોહના ઉદયથી રહિત થયેલા, પણ સત્તામાં રહેલા અને ઉદયાવસ્થાને પ્રાપ્ત થયેલા મોહથી અથવા આયુષ્ય પૂરું થવાથી ત્યાંથી પડીને અહો ચાર ગતિરૂપ અનંત સંસારમાં ભમે છે.” જે મહાત્માઓ ક્ષપકશ્રેણિ માંડે છે તેઓ દસમા ગુણસ્થાનકથી સીધા “ક્ષીણમોહ” નામના બારમા ગુણસ્થાનકે જાય છે. તેઓ અગિયારમા ગુણસ્થાનકે જતા નથી. એટલે તેઓને પાછા નીચે પડવાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ કેવળજ્ઞાન પામી છેવટે મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. જીવ અગિયારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાનકેથી અચૂક નીચે પડે છે. એનો આત્મસ્થિરતાનો પુરુષાર્થ મંદ પડે છે. તે કર્મના ઉદયભાવમાં જોડાય છે. એટલે એને નીચે પાડનાર તે કર્મ છે. એટલે જ એવા કર્મને અહીં ઉપાધ્યાયજી મહારાજે દુષ્ટ તરીકે ઓળખાવ્યું છે. ઉપશમશ્રેણિએ ચડેલા બધા જ જીવો નિગોદમાં જ જાય એવું નથી. ઉપશમશ્રેણિને પ્રાપ્ત થયેલા મુનિઓ વચ્ચે આયુષ્યનો ક્ષય થવાથી ઉપશમશ્રેણિથી પડીને અનુત્તર વિમાનવાસી દેવ થાય છે. તેમનું સાત લવ' જેટલું આયુષ્ય ઓછું હોવાથી તેઓ લવસત્તમ દેવો કહેવાય છે. [૧૬૬] ગર્વસર્વાધિ સામગ્રી શાસ્તવ પરિતિષ્ઠતિ . વિપવિ: વર્મા: વાર્યપર્ધામનુઘાર્વતિ પારાદ્દા [શબ્દાર્થ =બીજી; સર્વ પિ=બધી ય સામગ્રી=સામગ્રી, કાન્તવ થાકેલાની જેમ; પતિષ્ઠતિ=ઊભી રહે છે; વિપવિત્ર:=વિપાક; વન=કર્મનો; #ાર્યપર્યન્ત કાર્યના અંત સુધી; અનુયાવતિ=પાછળ દોડે છે.. અનુવાદઃ બીજી બધી ય સામગ્રી થાકેલાની જેમ ઊભી રહે છે. કર્મનો વિપાક For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૮૭. કાર્યના અંત સુધી પાછળ પાછળ દોડે છે. (૬) વિશેષાર્થ : કોઇપણ ઘટના બને તો જૈન ધર્મ પ્રમાણે એમાં પાંચ સમવાય કારણો રહેલાં હોય છે. જગતમાં કાર્ય-કારણ અથવા કારણ-કાર્ય પરંપરા હંમેશાં ચાલતી રહે છે. કારણ વગર કોઈ કાર્ય થતું નથી. પ્રત્યેક કાર્ય પાછળ કોઈક કારણ હોય જ છે. કારણ કદાચ આપણને પ્રત્યક્ષ દેખાય કે ન દેખાય. આ પાંચ સમવાય કારણો છે : (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ અથવા ભવિતવ્યતા, (૪) કર્મ અને (૫) પુરુષાર્થ. આ પાંચ કારણો સાથે જ હોય. એક પણ કારણ ઓછું હોય તો કાર્ય ન થાય. આ પાંચ કારણોમાં સૌથી બળવાન કારણ હોય તો તે કર્મ છે. તે કાર્ય પૂરું થાય ત્યાં સુધી, છેવટ સુધી સાથે ને સાથે આવે છે. જ્યાં સુધી કર્મ સક્રિય બનતું નથી ત્યાં સુધી બીજી બધી સામગ્રી એમ ને એમ પડી રહે છે, જાણે થાકી ગઈ ન હોય ! પરંતુ કર્મ સક્રિય થાય તો બીજી બધી સામગ્રી પણ સક્રિય થઈ જાય છે. કર્મનો વિપાક અથવા કર્મનો ઉદય એ છેલ્લું કારણ છે. એ કાર્યના અંત સુધી પ્રવર્તે છે. અન્ય કારણો પોતપોતાનું કાર્ય કરે છે, પણ તેમાં એટલું બળ હોતું નથી. આમ કર્મ બળવાન છે, માટે મુનિએ કર્મનો ક્ષય કરવા પ્રવૃત્ત રહેવું જોઇએ. કર્મનો ક્ષય થતાં બીજાં કારણો પોતાની મેળે ચાલ્યાં જાય છે. એમને દૂર કરવા માટે જુદો પુરુષાર્થ કરવાની જરૂર નથી રહેતી. વળી, કર્મોનો ક્ષય કરવા માટે અનુકૂળતા કર્મો જ કરી આપે છે. કર્મનો ક્ષય કરવાની, રત્નત્રયીની, મોક્ષપ્રાપ્તિની સમજ તેવા પ્રકારનાં શુભ કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવ, આર્ય જાતિ, સારું કુળ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, સદ્ગુરુનો યોગ, સુદેવ-સુગુરુ-સુધર્મની સમજ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય છે તે તેવા પ્રકારનાં કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે. એટલા માટે મુનિએ કર્મવિપાકનું અનુચિંતન કરવું જોઇએ. [૧૬] સાવરમાવર્તે થઈ રતિ પત: I चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति ।।२१।।७।। For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જ્ઞાનસાર [શબ્દાર્થ : સૌ=(કર્મવિપાક); ગરમાવર્તે છેલ્લા સિવાયના આવર્તમાં (પુદ્ગલપરાવર્તમાં); ધર્મ=ધર્મને; દરતિ=રે છે; પરત:=દેખતાં છતાં, જાણવા છતાં વમવર્તસોડુ ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા સાધુના પણ; છતંત્રછિદ્રને; વિષ્ય શોધીને; ઢષ્યતિ હર્ષ પામે છે.]. અનુવાદઃ આ (કર્મવિપાક) અચરમાવર્ત કાળમાં (છેલ્લાની પહેલાંના પુદ્ગલ પરાવર્તમાં) દેખતાં છતાં ધર્મને હરે છે, પરંતુ શરમાવર્તી સાધુના છિદ્રને શોધીને હર્ષ પામે છે. (૭) વિશેષાર્થ કર્મનો સ્વભાવ અને કર્મની પ્રવૃત્તિ વિશે, કર્મવિપાક વિશે અહીં એક વિરાટ, મૌલિક કલ્પના કરવામાં આવી છે. એ માટે ચરમાવર્ત કાળ અને અચરમાવર્ત કાળને વિષય કરવામાં આવ્યા છે. મનુષ્ય વર્તમાનમાં જીવે છે. એને પોતાનો ભૂતકાળ યથાશક્ય યાદ રહે છે. એમાં એને કલ્પના ચલાવવી પડતી નથી. પણ પોતાના દાદા, બાપદાદાના વખતને એ કલ્પના, અનુમાન વગેરેથી સમજી શકે છે. બે પાંચ હજાર વર્ષની વાતો પણ કલ્પના ઈત્યાદિ વડે એ નજર સમક્ષ લાવી શકે છે. પરંતુ કાળ અનંત છે. વર્તમાન ક્ષણરૂપ છે, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ અનંત છે. લાખો, કરોડો, અબજો વર્ષ કશા હિસાબમાં નથી. કોઇપણ જીવ જન્મ, જીવે અને મૃત્યુ પામે એ દરમિયાન જે ક્ષેત્રનાં, જે કાળનાં પુદ્ગલ પરમાણુઓને એ સ્પર્શતો જાય તે પુગલપરાવર્ત કહેવાય. એમાં પણ ક્રમથી અને વ્યુત્ક્રમથી એવા ભેદ છે. બીજા પણ કેટલાક ભેદો છે. મતલબ કે એક જીવ ચૌદ રાજલોકમાં બધા પુદ્ગલ પરમાણુઓને સ્પર્શી લે તે એક પુદ્ગલપરાવર્તન કહીએ, તો એમાં અનંતકાલ ચાલ્યો જાય. એવાં અનંત પુદ્ગલ પરાવર્તન કરતો જીવ એકેન્દ્રિયમાંથી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય ભવ સુધી પહોંચે છે. મનુષ્ય ભવની પ્રાપ્તિ પછી કેટલાયે જીવો પાછા દુર્ગતિમાં જાય છે. હવે જે જીવ મોક્ષે જવાનો હોય તે પુદ્ગલ પરાવર્તન એનું છેલ્લું પુગલ પરાવર્તન કહેવાય. એને ચરમ (છેલ્લું) આવર્ત કહે છે. એમાં આવેલા જીવને અપુનબંધક For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૮૯ કહેવામાં આવે છે. જીવને એક વખત સમ્યગુદર્શન થાય, એની દિશા મોક્ષમાર્ગ પ્રતિ ફેરવાય તયારે જીવનો મોક્ષગતિ પામવા માટે વધુમાં વધુ અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલો કાળ રહે છે. ચરમાવર્ત પહેલાંના પુદ્ગલ પરાવર્તનોમાં તો જીવ કર્માનુસાર આમથી તેમ ઘસડાતો, ભટકતો રહે છે. કર્મ આગળ એનું કશું ચાલતું નથી. કર્મવિપાક જીવ, દેખતો છતાં એના ધર્મને હરી લે છે. કર્મ આત્માને એનો ધર્મ સમજવા દેતો નથી. પોતાની જાતને કર્મનાં બંધનોમાંથી છોડાવવાની છે એટલી સમજ પણ ત્યારે જીવમાં હોતી નથી. એટલે કર્મસત્તા જાહેરમાં જીવો સાથે એમની નજર સામે જ બેરોકટોક પોતાનું કાર્ય કરે છે. પરંતુ ચરમાવર્તિમાં આવેલા જીવોમાં હવે ધર્મનો અભ્યદય થવા લાગે છે. ધર્મની કંઈક સમજણ આવવા લાગે છે. પોતાનું શરીર અનિત્ય છે અને આત્મા અમર છે એવો વિશ્વાસ બેસે છે. હવે જીવો માર્ગાનુસારી બને છે. સમકિતી જીવો તો અર્ધપગલપરાવર્તમાં આવી જાય છે. હવે કર્મસત્તા આવા સમકિતી જીવો આગળ બેધડક પોતાનું કાર્ય કરી શકતી નથી. કર્મસત્તા એ જીવોમાં ચૂપચાપ પ્રવેશવા માટે છિદ્રો શોધવા લાગે છે. સાધક મુનિની આસપાસ તે આંટા મારે છે. કોઈ સાધુથી જરા સરખો પ્રમાદ થયો તો એ તક ઝડપીને કોઈક કર્મ દાખલ થઈ જાય છે. એકને દાખલ થવા મળે એટલે એ હર્ષમાં આવી જાય છે. પછી બધા અનર્થો ચાલુ થાય છે. કહ્યું છે કે છિકે મન વીમતિ | છિદ્રોમાં અનર્થો ઘણા થાય છે. એટલા માટે ક્યારેય પ્રમાદ સેવવો ન જોઇએ. એમાં પણ સાધુઓએ તો વિશેષ જાગૃત રહેવાની જરૂર છે. પ્રમાદ પાંચ પ્રકારના કહ્યા છેઃ નિદ્રા, વિષય, કષાય, વિકથા અને મદ્યપાન. ગૃહસ્થ જીવનમાં તો ડગલે ને પગલે પ્રમાદ છે. પરંતુ સાધુએ પોતાનું જીવન પ્રમાદરહિત બનાવવાનું છે. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જ્ઞાનસાર [૧૬] સાળં વિભક્તિ ય: કવિપતિ વિન્ડયન स एव स्याच्चिदानन्दमकरन्दमधुव्रतः ।।२१।।८।। [શબ્દાર્થઃ સાચં સામ્ય, સમભાવ; વિમર્તિ=ધારણ કરે છે; =જે; કર્મવિપાત્ર કર્મના વિપાકને; ઢવિ હૃદયમાં; વિન્ડય=ચિંતવતો; સ અવ=તે જ; સ્થા—થાય છે; વિવાનન્દ ચિદાનંદરૂપ, જ્ઞાનાનંદરૂપ; મરત્વમધુવ્રત:=મકરંદ (પુષ્પરસ)નો ભ્રમર બને છે.] અનુવાદઃ જે હૃદયમાં કર્મના વિપાકનું ચિંતન કરતાં સમતાને ધારણ કરે છે તે જ જ્ઞાનાનંદરૂપ મકરંદનો ભ્રમર (રસશ) થાય છે. (૮) વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે મુનિઓને કર્મવિપાકનું અનુચિંતન વારંવાર કરવાનું કહ્યું છે. એથી ચિત્તમાં સંસાર પ્રત્યે, વ્યક્તિઓ અને પદાર્થ પ્રત્યે સમભાવ રહે છે. કોઈક મહાત્માએ કહ્યું છે કે એક ફક્ત કર્મના સિદ્ધાન્તનું, કર્મના વિષયનું ચિંતન વારંવાર કોઈ વ્યક્તિ કરે તો તેને અવશ્ય સમકિત પ્રાપ્ત થાય અને જો સમકિત હોય તો તે વધુ નિર્મળ થાય. એક વખત કર્મ વિપાકનું યથાર્થ ચિંતન ચાલુ થાય પછી કોઈને દોષ દેવાનું મન નહિ થાય. સંસારમાં જે કંઈ સારીમાઠી ઘટનાઓ બને છે તે એ જીવોના કર્મના ઉદય અનુસાર બને છે એવો ભાવ હૃદયમાં દૃઢ થતો જાય છે. આ સમજણ આવે પછી કોઈનો વાંક જોવાને બદલે જીવો પ્રત્યે સહાનુભૂતિ થાય છે, સમભાવ રહે છે. વળી, પોતાના જીવનમાં અપ્રિય, આઘાતજનક લાગે એવી ઘટના કદાચ જો બની તો તેવે વખતે પણ તેને સમભાવપૂર્વક જીરવવાનું સામર્થ્ય પ્રગટ થાય છે. માણસે ઉદયમાં આવેલાં અશુભ કર્મો સમતાપૂર્વક સહન કરી લેવાં જોઈએ એવી શિખામણ બીજાને આપવી સહેલી છે, પણ પોતાના જીવનમાં ભારે અશાતાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે સમતા રાખવી એ ઘણી અઘરી વાત છે. મોટા For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૯૧ મુનિ મહાત્માઓ આવે વખતે બરાબર સમતા ધારણ કરે છે, આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અશાતા સહન કરી લે છે અને કોઈને દોષ દેતા નથી. સૌથી વધુ કસોટી તો મારણાન્તિક ઉપસર્ગો વખતે થાય છે. એવે વખતે મેતારજ મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેએ, કોઈને અંશ માત્ર દોષ ન દેતાં ઉપસર્ગો કેવી સમતાપૂર્વક સહન કરી લીધા હતા ! જે મુનિઓ કર્મવિપાકના ચિંતન દ્વારા સમભાવમાં રહે છે તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. પરિણામે તેઓ સચ્ચિદાનંદ અનુભવી શકે છે. તેઓ સચ્ચિદાનંદરૂપી મધુના ઉપભોગ કરનાર જ્ઞાની-ભ્રમર બની શકે છે. આમ, કર્મના સ્વરૂપનું સતત ચિંતન-અનુચિંતન વ્યક્તિને કેવી ઊંચી ભૂમિકા સુધી લઈ જઈ શકે છે તે ગ્રંથકારશ્રીએ અહીં દર્શાવ્યું છે. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨ જ્ઞાનસાર ૨૨. ભવોઢેગાષ્ટક [૧૬૯] યસ્થ શ્મીરમધ્યાજ્ઞાનવઝમાં તત્તમ્ | રુદ્ધ વ્યસનનોર્વે: પથાનો યત્ર કુમા: પારાશા [શબ્દાર્થ વચ્ચ=જેનું (સંસારસમુદ્રનું); Tગીર મધ્યસ્થ=જેનો મધ્યભાગ ગંભીર છે; માનવઝમયં અજ્ઞાનરૂપી વજથી બનેલું; તતeતળિયું; રુદ્ધ =રૂંધાયેલા; વ્યસનશૈોધે =વ્યસનરૂપી (સંકટરૂપી) પર્વતના સમૂહ વડે; પથાન: પંથો, માર્ગો; ય જ્યાં ; કુમા:=દુર્ગમ, સંકટ ભરેલા.. અનુવાદઃ જેનો મધ્યભાગ અગાધ છે, જેનું તળિયું અજ્ઞાનરૂપી વજથી બનેલું છે, જ્યાં સંકટરૂપી પર્વતોના સમૂહ વડે રુંધાયેલા દુર્ગમ માર્ગો છે- (૧) વિશેષાર્થ વિશેષાર્થ માટે ૧ થી ૫ શ્લોક સાથે લીધા છે. [૧૭૦] પાતાનનશા યત્ર મૃતાત્કૃMIમહાનિતૈ: ____ कषायाश्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ।।२२।।२।। [શબ્દાર્થ : પાતાવત:કપાતાળ કળશ રૂપ; ચગે=જ્યાં; મૃતા:=ભરેલા; તૃM/મહાનિનૈઋતૃષ્ણારૂપી મહાવાયુથી; પાય:=કષાયો; વિત્તસંન્ય:=ચિત્તના સંકલ્પરૂપી; વેસ્તાવૃદ્ધિ=ભરતીને; વિતત્ત્વતે વિસ્તાર છે.] અનુવાદઃ જ્યાં તૃણારૂપી મહાવાયુથી ભરેલા પાતાળકલશોરૂપી કષાયો મનના સંકલ્પરૂપી ભરતીની વૃદ્ધિ કરે છે(૨) [૧૭૧] સર્વાનિર્વત્રત્યાર્થત્ર હેન: સવા | ___ यो घोररोगशोकादिमत्स्यकच्छपसंकुलः ।।२२।।३।। For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ભવોગાષ્ટક ૨૯૩ [શબ્દાર્થ : અરીવન =કામદેવ (સ્મર) રૂપ વડવાનલ; તતિ બળે છે; અન્તર મધ્યમાં; યત્ર=જ્યાં; તૈદેવન:=સ્નેહ (રાગ)રૂપી ઇંધનવાળો; સ હંમેશાં; :=; ધોરીવાવ ભયંકર રોગ અને શો કાદિ સ્વરૂપ; મસ્થચ્છપસંવૃત:=માછલાં અને કાચબાથી ભરેલો.] અનુવાદઃ જ્યાં મધ્યભાગમાં હંમેશાં સ્નેહ (રાગ)રૂપી ઈંધનવાળો કામદેવરૂપી વડવાનલ બળે છે, (અને) જે ભયંકર રોગ-શોકાદિ માછલાં અને કાચબાથી ભરેલો છે– (૩). [૭૨] ફુદ્ધિમત્સરાર્વિશુલ્કત નિર્ત: यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसंकटे ।।२२।।४।। [શબ્દાર્થ વૃદ્ધિમત્સ દ્રૌ: દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી; વિદ્યુહુર્વાતાર્થતૈઃ= વીજળી, વાવાઝોડાં અને ગર્જના વડે; સાંયાત્રિા:=વહાણવટી; નોn:=લોકો; પતિ=પડે છે; ઉત્પાતસંકેઃઉત્પાતરૂપી, તોફાનરૂપી સંકટમાં.] અનુવાદઃ જ્યાં દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી વીજળી, વાવાઝોડાં અને ગર્જનાઓથી વહાણવટી લોકો ઉત્પાતરૂપી સંકટમાં પડે છે– (૪) [૧૭૩] જ્ઞાની તમન્ મવાક્યોર્જિત્યોદિનોડતિહાપIIન્ ! તસ્ય સંતરોપાયે સર્વયત્વેને વારુક્ષતિ ર૨ાાપા [શબ્દાર્થ : જ્ઞાની જ્ઞાની પુરુષ; તસ્માતે; મવામો:=સંસારરૂપી સમુદ્રથી; નિત્યદિન =હંમેશાં ઉદ્વિગ્ન; તિવારુ=અત્યંત ભયંકર; તeતેને; સંતરોપાયંeતરવાના (પાર ઊતરવાના) ઉપાયને; સર્વયત્નન=સર્વ પ્રયત્નની, બધા ઉદ્યમથી; ક્ષતિ=ઇચ્છે છે.] અનુવાદઃ આવા અતિ ભયંકર સંસાર સમુદ્રથી હંમેશાં ઉદ્વિગ્ન થયેલા જ્ઞાની For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જ્ઞાનસાર સર્વ પ્રકારના ઉદ્યમથી તેને તરી જવાના ઉપાયની આકાંક્ષા સેવે છે. (૫) વિશેષાર્થ અહીં ઉપાધ્યાયજી મહારાજે પાંચ શ્લોકમાં સંસારને માટે સમુદ્રનું રૂપક પ્રયોજ્યું છે. (એમણે “અધ્યાત્મસાર'માં સંસાર માટે જંગલ, કારાગાર, સ્મશાન, કૂપ વગેરે પ્રકારનાં રૂપકો પ્રયોજ્યા છે.) આ રૂપકની વિશિષ્ટતા એ છે કે સંસારરૂપી સમુદ્રના મોટા રૂપકમાં નાની નાની વિગતોનાં યથાર્થ પેટા રૂપકો યોજવામાં આવ્યાં છે. તેઓ વર્ણવે છે કે (૧) આ સમુદ્રનો મધ્યભાગ અગાધ છે. અગાધ એટલે બહુ જ ઊંડો, જેનું તળિયું જલ્દી ન આવે એવો. (૨) છેવટે જે તળિયું આવે છે તે વજનું બનેલું છે. એ સહેલાઈથી ભેદી ન શકાય એવું છે. માનવરૂપી સંસારમાં અજ્ઞાનરૂપી તળિયું છે. સમગ્ર સંસાર અજ્ઞાનના પાયા ઉપર રચાયેલો છે. (૩) એમાં સંકટરૂપી પર્વતોની હારમાળા છે. (૪) એના માર્ગો વિષમ-દુર્ગમ છે. સંસારરૂપી સમુદ્ર સરળતાથી પાર તરી જવાય એવો નથી. એમાં સીધી ગતિએ વહાણ ચાલી શકે એમ નથી. (૫) એમાં તૃષ્ણા, વિષયોની અભિલાષારૂપી વેગવંત મહાવાયુ કુંકાઈ રહ્યો છે. (૬) એમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયરૂપી પાતાળકળશો છે. (૭) એમાં ચિત્તના સંકલ્પ-વિકલ્પ રૂપી ભરતી આવે છે. (૮) એમાં તળિયે કંદર્પ–કામવાસનારૂપી વડવાનલ નિરંતર બળી રહ્યો છે, કારણ કે એમાં સ્નેહ-રાગરૂપી ઇંધનો સતત હોમાતાં રહે છે. (૯) આ સમુદ્રમાં રોગરૂપી ભયંકર માછલા અને શોકરૂપી કાચબા સતાવે છે. (૧૦) એમાં દુર્બુદ્ધિરૂપી વીજળી ત્રાટકે છે, (૧૧) ગુણમત્સરરૂપી વાવાઝોડાં થાય છે અને (૧૨) દ્રોહ-અપકારની વૃત્તિ, છેતરપિંડી રૂપી ભયંકર ગર્જનાઓ સંભળાય છે. (૧૩) એમાં સાંયાત્રિકો એટલે કે વહાણ હંકારનારા અનુભવી વહાણવટીઓ પણ ઉત્પાતરૂપી સંકટોમાં સપડાઈ જાય છે. આમ અજ્ઞાન, તૃષ્ણા, વિષયવાસના, ક્રોધાદિ કષાયો, સંકલ્પ-વિકલ્પો, રાગદ્વેષ, રોગશોક, દુર્બુદ્ધિ, ગુણમત્સર, દ્રોહ વગેરેથી ભરચક આ સંસારરૂપી સાગર પાર ઊતરવાનું, સામે કિનારે પહોંચવાનું અત્યંત મુશ્કેલ છે. આમ છતાં For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ભવોઢેગાષ્ટક ૨ ૯૫ અનુભવી, જ્ઞાની વહાણવટીઓ એમાંથી હિંમતપૂર્વક ઉપાય શોધી કાઢી, આગળ વધી સામે કિનારે પહોંચી જાય છે. જેમને સંસારના સ્વરૂપનું જ્ઞાન ન હોય તે એમાંથી રસ્તો કેમ કાઢી શકે ? પરંતુ સંસારના વિષમ સ્વરૂપથી ઉદ્વેગ પામેલા જ્ઞાની મુનિઓને એમાંથી રસ્તો કાઢવાનું આવડે છે. [૧૪] તૈનપાત્ર યહૂદ્ રાધાવેધોતિ યથા ! क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ।।२२।।६।। [શબ્દાર્થ તૈનપાત્રધર:=તેલના પાત્રને ધારણ કરનાર; =જેમ; રવાયોદ્યત:= રાધાવેધ સાધવામાં તત્પર; યથા=જેમ; ડ્રિયાસુત્રક્રિયામાં, ચારિત્રમાં; અનન્યવત્ત:=અનન્યચિત્તવાળા; =થાય છે, હોય છે; મયમીત:=સંસારથી ભય પામેલા; તથા=તેમ; મુનિ=મુનિ, સાધુ.] અનુવાદઃ જેમ તેલના પાત્રને ધારણ કરનાર અને જેમ રાધાવેધ સાધવામાં તત્પર માણસ ક્રિયામાં અનન્ય ચિત્તવાળો હોય છે, તેમ સંસારથી ભય પામેલા મુનિ (એકાગ્ર ચિત્તવાળા) હોય છે. (૬) વિશેષાર્થ સંસારથી ભય પામેલા મુનિ મહારાજની પોતાની સંયમયાત્રામાં, ચારિત્રપાલનમાં, મોક્ષપ્રાપ્તિ માટેની સાધનામાં એકાગ્રતા હોવી જોઈએ. એમનું ચિત્ત સતત અને સંપૂર્ણપણે એમાં પરોવાયેલું હોવું જોઈએ. આ એકાગ્રતા કેવા પ્રકારની હોય તો ઉત્કૃષ્ટ કહેવાય ? એ માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં બે પ્રાચીન દૃષ્ટાન્ત આપ્યાં છે. એક તે તેલનું પાત્ર ધારણ કરનારનું અને બીજું રાધાવેધનું. પ્રાચીન સમયમાં એક નગરીમાં એક લક્ષણવંતો માણસ હતો. પણ તે માનતો હતો કે મનુષ્યનું ચિત્ત ક્યારેય એકાગ્ર થઈ ન શકે. તે એટલું ચંચળ છે કે એક વિષય પરથી બીજા વિષય પર નિરંતર કૂદાકૂદ કર્યા જ કરે છે. રાજાને આ વાતની For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જ્ઞાનસાર ખબર પડી. એકવાર એ માણસ કંઈક સામાન્ય વાંકમાં આવતાં રાજાએ એને મૃત્યુદંડની સજા ફરમાવી. તે વખતે એ માણસે અને રાજ્યના સભાજનોએ રાજાને વિનંતી કરી કે “મહારાજ ! એનો અપરાધ માફ કરો. એને મૃત્યુ દંડની સજા ન આપો.' તે વખતે રાજાએ કહ્યું, ‘તમારી વિનંતી છે તો ભલે એની સજા માફ કરું છું, પણ એક શરતે. તેલથી છલોછલ ભરેલું એક પાત્ર લઈ તે નગરમાં ચક્કર લગાવીને પાછો મારી પાસે આવે. જો એક પણ ટીપું જો ઢોળાયું હશે તો એને મૃત્યુદંડની સજા થશે.” રાજાએ નગરમાં દરેક ચૌટે અને માર્ગમાં નદીના ખેલ, નાટક, નૃત્યાંગનાઓ, સુશોભનો ઇત્યાદિ એવાં કરાવ્યા કે માણસ તે જોવા લલચાય અને તેલ ઢોળાઈ જાય. પેલો માણસ પાત્રમાં તેલ લઈને નીકળ્યો. પણ એનું ચિત્ત તેલની સામે જ એકાગ્ર હતું. માર્ગમાં વિવિધ આકર્ષક અવાજો, દશ્યો હતાં પણ તે જોવા સાંભળવામાં એણે જરા પણ રસ ન લીધો, કારણ કે મૃત્યુનો ભય હતો. એમ કરતાં તેલના પાત્રમાં જ ચિત્તને સતત એકાગ્ર રાખીને એક પણ ટીપું ઢોળાયા વગર તે રાજા પાસે આવી પહોંચ્યો. રાજાએ એને શાબાશી આપી અને એની સજા માફ કરી અને એની પાસે કબૂલ કરાવ્યું કે મનુષ્યનું ચિત્ત ધારે તો એકાગ્ર થઈ શકે છે. એમાં પણ માથે મોટો ભય ઝઝૂમતો હોય તો ચિત્ત એ ભયથી મુક્ત કરાવનાર વસ્તુમાં અત્યંત એકાગ્ર બની જાય છે. તેવી રીતે માણસને, મુનિ ભગવંતને સંસાર–પરિભ્રમણનો ભય સતાવતો હોય તો તેમનું ચિત્ત સંયમયાત્રામાં, ચારિત્રક્રિયામાં, મોક્ષસાધનામાં એકાગ્ર બની શકે. એ માટે સંસાર ભયરૂપ લાગવો જોઈએ. જો સંસાર ભયરૂપ નહિ પણ ભોગવવા જેવો લાગતો હોય તો મોક્ષના વિષયમાં એને રસ નહિ પડે. એમાં એનું ચિત્ત એકાગ્ર નહિ થઈ શકે. અહીં બીજું દષ્ટાન્ન આપ્યું છે રાધાવેધનું. રાધા એટલે પૂતળી. વેધ એટલે વીંધવું, નિશાન તાકવું. જૂના વખતમાં ધનુષ્યવિદ્યામાં માણસ ત્યાં સુધી પારંગત For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ભવોગાષ્ટક ૨૯૭ થતો કે તે રાધાવેધ સાધી શકતો. ક્યારેક સ્વયંવરમાં કુંવરીના પિતા એટલે કે રાજા એવી શરત રાખતા કે જે રાધાવેધ સાધી શકે તેને જ કન્યા વરશે. અર્જુન આવા રાધાવેધમાં કુશળ હતો. રાધાવેધમાં એક પાણીનો કે તેલનો કુંડ બનાવવામાં આવે કે જેના સ્થિર પાણી કે તેલમાં સ્પષ્ટ પ્રતિબિમ્બ પડે. કુંડમાં વચ્ચે ઊંચો સ્તંભ હોય. બાણાવળી ત્રાજવા જેવા બે પલ્લામાં એક એક પગ રાખીને સમતોલપણું જાળવીને ઊભા હોય. સ્તંભ ઉપર એક આડી પૂતળી (રાધા) ગોઠવેલી હોય. તે ચક્કર ચક્કર ફરતી હોય. તેનું સ્પષ્ટ પ્રતિબિમ્બ નીચે પડતું હોય. એ પ્રતિબિમ્બમાં નીચે જોવાનું અને એમ જોતાજોતામાં બાણ ઉપર તાકવાનું. બાણ ફરતી પૂતળીની આંખને વીંધી નાખે એ રીતે છોડવાનું. એમાં ગણતરીપૂર્વકની પૂરી એકાગ્રતા હોય તો જ પૂતળીની આંખ વીંધાય. આવી એકાગ્રતા સિદ્ધ કરનારા બાણાવળીઓ પ્રાચીન કાળમાં હતા. તેઓ રાધાવેધ સિદ્ધ કરનાર કહેવાતા. સતત અભ્યાસથી એવી એકાગ્રતા પ્રાપ્ત કરી શકાતી. ઊંચી કોટિની ચિત્તની એકાગ્રતાનાં અહીં બે દૃષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. આવી એકાગ્રતા સંયમયાત્રા માટે મુનિએ કેળવવાની રહે છે. મુનિ મહારાજ સંસાર–પરિભ્રમણ અને કર્મોનાં દુઃખોથી ભય પામીને સમિતિ, ગુપ્તિ, ચરણસિત્તરી, કરણસિત્તરીરૂપી ક્રિયાઓમાં એકાગ્ર ચિત્તવાળા થાય છે. કહ્યું છેઃ ___गाइज्जंती सुरसुंदरीहिं वाइज्जंता वि वीणमाईहिं । तह वि हु समसत्ता वा चिटुंति मुणी महाभागा ॥ દેવાંગનાઓ ગાતી હોય, વીણા વગેરે વાર્દેિત્રો વગાડતી હોય, તો પણ મહાભાગ્યવાન એવા મુનિ સમચિત્તવાળા રહે છે. [१७५] विषं विषस्य वह्नश्च वह्निद्रव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ।।२२।।७।। For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જ્ઞાનસાર [શબ્દાર્થ વિષ=વિષ; વિષસ્થ વિષનું; વને વહ્નિવાળાનું, અગ્નિથી દાઝેલાનું; =અને; વદિf=અગ્નિ; પવ=જ; ય=જેમ; મૌષથઋઓષધ; ત—તે; સત્યં=સાચું છે. મવમીતાનાં સંસારથી ભય પામેલાને; ૩૫fપ ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં; ય =કારણકે; ન=નથી; મી:=ભય]. અનુવાદઃ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું (ઓષધ) અગ્નિ જ છે તે સત્ય છે, કારણ કે સંસારથી ભયભીત થયેલા (મુનિઓને) ઉપસર્ગમાં પણ ભય હોતો નથી. (૭). વિશેષાર્થ: રોગના કેટલાક ઇલાજો અપવાદરૂપ અને અકસીર હોય છે. આપણે કહીએ છીએ કે કાંટાથી કાંટો નીકળે. વગડામાં જતાં કાંટો વાગ્યો હોય અને બીજું કંઈ સાધન ન હોય તો બીજા કાંટાની અણી વડે પગમાં ભોંકાઈ ગયેલો કાંટો કાઢી શકાય છે. ઔષધોપચારમાં પણ આવું બને છે, જેમ કે વિષનું એક ઔષધ તે વિષ પોતે છે. અમુક પ્રકારનું વિષ તે વિષનું મારણ છે. એવી રીતે અગ્નિનું (ગરમીનું) ઔષધ અગ્નિ (ગરમી) છે. કોઈની આંગળી દાઝી હોય તો એના ઉપર ગરમાગરમ ઘી લગાડાય છે. જો આ પ્રમાણે બની શકતું હોય તો જેને સંસારનો ભય લાગતો હોય (સંસારમાંથી છૂટવાની ઇચ્છા હોય) તો તેનો ભય દૂર કરવા ઉપસર્ગોના ભયરૂપી એક ઉપાય (કર્મક્ષયનો ઉપાય) કારગત નીવડે છે. ઉપસર્ગોરૂપી ઔષધ સેવવાથી સંસારનો ભય ભાગે. આ કેવી રીતે બને ? આમ જુઓ તો સામાન્ય માણસને સંસારનો ભય નથી. તે ખાઈપીને હરે ફરે છે અને મોજ માણે છે. પરંતુ જે જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણે છે કે જન્મ, જરા અને મૃત્યુ દુઃખમય છે અને એનું ચક્ર સતત ચાલ્યા કરે છે. એ ચક્રમાંથી છૂટવા માટે જો પુરુષાર્થ થાય તો જ મુક્તિનું સુખ અનુભવી શકાય. કેવળજ્ઞાન મેળવવા માટે ઘાતી કર્મોનો ક્ષય અનિવાર્ય છે. કર્મોનો ઝપાટાબંધ અને જથ્થાબંધ ક્ષય કરવા માટેનો એક અમોઘ ઉપાય તે ઉપસર્ગો સ્વેચ્છાએ સહન For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ભવોઢેગાષ્ટક ૨ ૯૯ કરવાનો છે. ભગવાન મહાવીરે અનાર્ય લાઢ પ્રદેશમાં જઈ સ્વેચ્છાએ કષ્ટો સમભાવપૂર્વક સહન કર્યા હતાં. એમને શિકારી કૂતરાઓ કરડ્યા હતા, અનાર્ય લોકોએ એમને ચોર કે જાસૂસ સમજી ધક્કા માર્યા હતા અને પ્રહારો કર્યા હતા. સંગમ દેવે કેટલા બધા ઘોર ઉપસર્ગો કર્યા હતા ! ભગવાને પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે આ બધું કષ્ટ સહન કર્યું હતું. બંધક મુનિ મેતાર્ય મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેનાં દૃષ્ટાન્નો જાણીતાં છે. આમ ઉપસર્ગો સંસારનો ભય દૂર કરવામાં સહાયરૂપ બને છે. [૧૭૬] બૈર્ય મવમયાદેવ વ્યવહાર મુનિને स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ।।२२।।८।। [શબ્દાર્થ ઃ શૈર્ય ધૈર્ય, સ્થિરતા; મવમયા=સંસારના ભયથી; પર્વ જ; વ્યવહારે વ્યવહાર દશામાં, વ્યવહાર નથી; મુનિ =મુનિ, સાધુ; ને પામે; સ્વીત્મારામ=પોતાના આત્મામાં રમણતારૂપ; સમાધૌ=સમાધિમાં; તુ=પરંતુ, તપિત્રુતે (ભય) પણ; મન્તર્નમMતિ=અંદર વિલીન થઈ જાય છે.. અનુવાદઃ વ્યવહાર દશામાં (અથવા વ્યવહાર નથી) મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે, પરંતુ પોતાના આત્મામાં રમણતારૂપી સમાધિમાં હોય છે ત્યારે તે (ભય) પણ અંદર વિલીન થઈ જાય છે. (૮) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે સંસારના ભય વિશે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી એમ બંને રીતે અહીં સરસ સ્પષ્ટતા કરી છે. કોઈને એમ થાય કે ભયને કારણે અમુક કાર્ય કરવું પડે, ડરના માર્યા ન છૂટકે કોઈ કામ કરવાનું આવે તો એ કામમાં શો ભલીવાર ? ડર વગર સ્વેચ્છાએ સહજ રીતે ભાવથી કામ કરે તો કેટલું સરસ થાય ! ડરથી કાર્ય થાય તે શું સારું થઈ શકે ? થાય તો તે કેટલું ટકે ? વાસ્તવિકતાની દૃષ્ટિએ આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એટલે તે અંગે અહીં ભૂમિકાભેદથી ખુલાસો કરવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જ્ઞાનસાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વ્યવહારનયથી જોઈએ તો સંસારના ભયથી મુનિ ચારિત્રની આરાધનામાં સ્થિરતા સાધે છે. શું મુનિએ સંસાર-પરિભ્રમણનો ભય રાખવો જોઈએ ? તેનો ઉત્તર એ છે કે હા, મુનિને મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં રખડવું પડે એનો ભય હોવો જોઈએ. દુર્ગતિનો ભય હોય તો જ અશુભ પ્રવૃત્તિથી અટકાય છે. રાજ્યમાં સજાનો ડર હોય તો માણસ પાપ કરતાં ડરે છે કે અટકે છે. અહીં મુનિને સંસારનો ભય તે હાઉ એટલે કે બીક નથી. સહજ સમજણ છે. આવો ભય તે આર્તધ્યાન નથી, પણ ધર્મધ્યાન છે, આવા વિષમ પરિણામથી બચવાનો ભાવ છે. એમ કરવાથી મુનિમાં ભય વિશે માનસિક રોગ વગેરે Fear Complex, Phobia થતાં નથી, પરંતુ તેઓ ચારિત્રપાલન વધુ દૃઢપણે કરે છે. તેઓ પોતાના મહાવ્રતોનું પાલન નિરતિચારપણે કરવા લાગે છે, વિહાર, કેશલોચ, ગોચરી, પડિલેહણ વગેરેમાં તેઓ અપ્રમત્ત રહે છે. તેમની આવશ્યક ક્રિયાઓમાં શિથિલતા, અનુત્સાહ, અવ્યવસ્થિતપણું, ઉતાવળ ઇત્યાદિ હોતાં નથી. સમિતિ-ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતાનું ઉપયોગપૂર્વક સેવન કરે છે, ક્ષમાદિ ધર્મોમાં તેઓ કુશળ, ઉજ્જવળ બને છે. વસ્તુત: સાધુ ભક્તિ, તાજપ, જ્ઞાનધ્યાન, સ્વરૂપ રમણતામાં ઉત્તરોત્તર વધુ ઊંચી દશા પ્રાપ્ત કરતા રહે છે. જો સંસાર પરિભ્રમણનો સાધુને ભય ન રહે તો પોતે લીધેલા વેશને તેઓ વટાવી ખાશે. તેમનામાં માન-પૂજા-સન્માનનો ભાવ વધશે, જનમનરંજન અને લોકપ્રશંસા પાછળ તેઓ પડી જશે, તેઓ વિવિધ પ્રકારની વિકથાઓમાં રાચશે, આવશ્યક ક્રિયાઓમાં પ્રમાદી બની જશે, સ્વાધ્યાય, ધ્યાન વગેરે માટે સમય નહિ રહે, તાજપ માટે રૂચિ નહિ થાય. અરે, આગળ જતાં તેઓ સ્વબચાવ અર્થે શાસ્ત્રોમાંથી અપવાદરૂપ ઉદાહરણો આગળ ધરશે અને ઉત્સુત્રપ્રરૂપણા કરશે. એટલે જ સાધુ મહાત્માઓ માટે આરંભમાં સંસારના ભયની આવશ્યકતા છે. પરંતુ એ જ મહાત્માઓ આત્મદશામાં ઊંચે ચડતા જાય, આત્મધ્યાનમાં લીન બને, યોગઉપયોગની સ્થિરતા પ્રાપ્ત કરે, જ્ઞાતા-દષ્ટ ભાવનો અભ્યાસ વધતો For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ભવોગાષ્ટક ૩૦૧ જાય, એવી ઉચ્ચ દશાએ સંસાર અને મોક્ષ એ બંને અંગે તેમનામાં નિઃસ્પૃહતા, નિરીહતા વર્તે ત્યારે એમનો સંસારનો ભય સ્વાભાવિક રીતે જ એમની આત્મસમાધિમાં વિલીન થઈ જાય છે, ઓગળી જાય છે. એવી ઉચ્ચ આત્મદશામાં તેઓ હોય ત્યારે તો બધાં દ્વન્દ્રોથી તેઓ પર થઈ જાય છે. તે માટે કહ્યું છે मोक्षे भवे च सर्वत्र, निस्पृहो मुनिसत्तम : For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જ્ઞાનસાર ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક [૧૭૭] પ્રાપ્ત: ઉષ્ઠ ગુણસ્થાને વિદુનિયનમ્ ા लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः ।।२३।।१।। [શબ્દાર્થ: પ્રાપ્ત:=પ્રાપ્ત થયેલા; ષષ્ઠEછઠ્ઠી; ગુણસ્થાનં=ગુણસ્થાનકે (છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે); મવદ્રિ=ભવરૂપી વિષમ પર્વત; તદ્દન—ઉલ્લંઘન કરનાર; ઓળંગી જનાર; નોસંજ્ઞારત=લોકસંજ્ઞામાં પ્રીતિવાળા; ને વા=ન હોય; મુનિ:=મુનિ, સાધુ; તો સ્થિતિ:=લોકોત્તર માર્ગમાં જેમની સ્થિતિ છે એવા] અનુવાદ: સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપી છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા, જેમની લોકોત્તર માર્ગમાં સ્થિતિ છે એવા મુનિ લોકસંજ્ઞામાં પ્રીતિવાળા ન હોય. (૧) વિશેષાર્થ: આપણે “લોક એટલે લોકો અથવા સંસાર એવો સાદો અર્થ કરીએ છીએ. આવશ્યક નિર્યુક્તિ' વગેરેમાં સ્કૂલ અને સૂક્ષ્મ એવા આઠ પ્રકારના લોક બતાવ્યા છે, જેમ કે (૧) લોક” શબ્દ અર્થાત્ નામ બોલવાથી જે લોક સમજાય તે નામલોક, (૨) અક્ષરની રચનારૂપ લોકનાલિકાના યંત્રની સ્થાપના તે સ્થાપના-લોક, (૩) રૂપી અને અરૂપી એવા જીવ અને અજીવરૂપી દ્રવ્ય લોક (૪) ઊર્ધ્વ, અધો અને તિર્યંગ લોકમાં આકાશના પ્રદેશો તે ક્ષેત્રલોક (૫) સમય, આવલિકા ઇત્યાદિ કાળના પરિમાણરૂપ તે કાળલોક, (૬) દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એ ચાર ગતિરૂપ તે ભવલોક, (૭) ઔદયિક, લાયોપથમિક વગેરે ભાવ પરિણામરૂપ ભાવલોક અને (૮) દ્રવ્યાદિનું ગુણ વગેરે રૂપે પરિણમન તે પર્યાવલોક. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૩ આ બધા પ્રકારમાં બે પ્રકાર મુખ્ય છે તે ભવલોક અને ભાવલોક. ચાર ગતિરૂપી સંસાર તે ભવલોક છે. એમાંથી મુક્ત થવાનું છે. ઓદયિક આદિ પરભાવમાં એકરૂપ બનવું તે ભાવલોક. આ ભાવલોક અપ્રશસ્ત છે. આ બંને પ્રકારનાં લોકની સંજ્ઞા સાધુમહાત્માઓએ ત્યજવા યોગ્ય છે. તેઓએ સાતે નયની અપેક્ષાએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. ગૃહજીવનનો ત્યાગ કરી પંચમહાવ્રત ધારણ કરતાંની સાથે મુનિ મહારાજ, જો દીક્ષા સાચા ભાવથી લીધી હોય તો સીધા પ્રમત્ત સંયત એવા છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજે છે. આવું મુનિપણું સ્વીકારવું તે અત્યંત કઠિન છે. સંસારમાં બેપાંચ ટકા લોકો જ આવું ચારિત્ર અંગીકાર કરી શકે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે અહીં કહ્યું છે કે દીક્ષા એ ભવરૂપી વિષમ પર્વતનું ઉલ્લંધન કરવારૂપ મોટું પરાક્રમ છે. પરંતુ જેઓ એ પરાક્રમ કરી શકે છે તેઓ આધ્યાત્મિક વિકાસક્રમમાં સીધા છછું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનક સર્વવિરતિ રૂપ છે. સંયમ ધારણ કરીને મુનિ સર્વ આસવોની વિરતિ કરે છે. સંસારી જીવો વિષયકષાયમાં અનુરક્ત હોય છે. તેઓ પોદ્ગલિક સંપત્તિ અને વૈભવમાં રાચનારા હોય છે–પરંતુ મુનિ મહારાજ સંયમ અને જ્ઞાનધ્યાનરૂપી અધ્યાત્મ-સંપત્તિ ધરાવનાર છે. આવી સંપત્તિ મળ્યા પછી, લોકો જે કરે છે તે કરવા યોગ્ય છે, લોકો રાજી રહે તેમ કરવું, લોકોની પ્રશંસા કરીને રાજી થવું વગેરે પ્રકારની લોકસંજ્ઞારૂપી તુચ્છ સંપત્તિમાં કોણ રાચે ? મુનિ મહાત્માએ સદેવ લક્ષમાં રાખવું જોઈએ કે પોતે સર્વવિરતિધર સાધુ છે, પાંચ ગુણસ્થાનક વટાવી છઠ્ઠા સ્થાનકે પહોંચ્યા છે, નવકાર મંત્રમાં પાંચમું પદ પ્રાપ્ત કરી લીધું છે. હવે ગૃહસ્થ અણુવ્રતી શ્રાવક જેવું વર્તન પોતાને શોભે નહિ. પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના કરનાર છે, એટલે એવા સાધકોની સોબત જ પસંદ કરવાયોગ્ય છે. જિજ્ઞાસાભાવથી પણ ગૃહસ્થની સાથે સાંસારિક વાતોમાં ન પડવું જોઈએ.પોતે હવે રાગદ્વેષ ઓછા કરતા જવાનું છે, માટે રાગદ્વેષ વધારે એવી પ્રવૃત્તિમાં ન રાચવું જોઈએ. પોતે For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જ્ઞાનસાર બહુ સારા અને સમજુ છે એવી પ્રશંસા મેળવવાના ભાવથી કશું ન કરવું જોઇએ. પોતે હવે સાતમા ગુણસ્થાનકને સ્પર્શ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. દ્રવ્યથી કે ભાવથી નીચેના ગુણસ્થાનકે પતિત થવાનું નથી. લોકોના દાખલા લેવાનું, લોકોની સંપત્તિથી અંજાઈ જવાનું કે તેમને અનુસરવાનું હવે કોઈ પ્રયોજન રહેવું ન જોઈએ. [૧૭૮] યથા વિતામ િત્તે વર વરી તૈ: | હા હાંતિ સદ્ધર્મ તથૈવનનાંગનૈ: Jારરૂારા [શબ્દાર્થ યથા=જેમ; વિન્તા=ચિંતામણિ રત્ન; વત્તે=આપે છે; વારો મૂર્ખ માણસ: નવરીનૈ=બદરીના ફળ વડે-બોરડીના ફળ-બોરના બદલામાં; દહા=અરેરે; નહતિ ત્યજે છે; સદ્ધર્મ=સદ્ધર્મને; તથૈવ=તેવી રીતે, તેમ; મનરંગનૈ =જનરંજન કરવા વડે.]. અનુવાદઃ જેમ મૂર્ખ માણસ બોરના બદલામાં ચિંતામણિ રત્ન આપી દે છે, તેવી જ રીતે, અરેરે, મૂઢ માણસ જનરંજન કરવા વડે સધર્મને ત્યજી દે છે. (૨) વિશેષાર્થ ફળોમાં બોર નાનું તુચ્છ ફળ ગણાય છે. ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે ખટમીઠાં બોર નાનાં છોકરાંઓને વિશેષ ભાવે એટલે બોર વેચનારી નાના છોકરાને છેતરી લે છે. બોર આપીને સોનાની કલ્ફી પડાવી લીધી એવી કહેવત પડી ગઈ છે. બીજી બાજુ મૂર્ખ માણસ બોરની લાલચમાં મોંઘી વસ્તુ આપી દે. અજ્ઞાની તો એથી પણ વધુ મૂર્ખતા કરે. આ વિશે એક જૂનું દૃષ્ટાન્ત છે. એક વખત રબારીને બકરી ચરાવતાં ચરાવતાં રસ્તામાંથી એક રત્ન મળ્યું. પણ એણે તો માન્યું કે આ તો કાચનો ચમકતો ટુકડો છે. એણે બકરીના ગળે એ બાંધી દીધો. પાછા ફરતા ગામમાં એક બોર વેચનારી બેઠી હતી. રબારીને બોર ખાવાનું મન થયું, પણ પાસે પૈસા નહોતા, એટલે એણે કાચ (રત્ન) આપીને બદલામાં બોર લીધાં એટલામાં એક ઝવેરી ત્યાંથી પસાર થયો. એણે બોરવાળી For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૫ પાસે રત્ન જોયું. એણે થોડા પૈસા આપીને બોરવાળી પાસેથી રત્ન લઈ લીધું. બોરવાળી એથી રાજી થઈ. રબારીને થયું કે મને મફતમાં બોર ખાવા મળ્યાં. બોર વેચનારીને થયું કે બોરના બદલામાં પોતાને ઘણા બધા પૈસા મળ્યા. ઝવેરીને થયું કે મને સસ્તામાં રત્ન મળી ગયું. પરંતુ રબારીને જો ખબર હોત કે આ મૂલ્યવાન રત્ન છે તો તે આમ બોર માટે આપી ન દેત. બોરવાળીને ખબર હોત તો એણે રત્ન આપ્યું ન હોત. સસ્તી વસ્તુના બદલામાં મોંઘી વસ્તુ આપી દેવી એ નરી મૂર્ખતા છે, અજ્ઞાન છે. ઘર્મ તો ચિંતામણિરત્ન કરતાં પણ વધુ મૂલ્યવાન છે. એ ગુમાવવાની મૂર્ખતા ન કરવી જોઈએ. જે માણસો લોકો વખાણ કરે એ માટે ધર્મારાધના કરે છે, તેઓ પોતાની જાતને છેતરે છે. ઉપાધ્યાયજી મહારાજે જ કહ્યું છે કે “જનમનરંજન ધર્મનું મૂલ્ય ન ફૂટી બદામ'. પોતાની જાતને વખતોવખત પૂછી જોવું જોઈએ કે “હે જીવ ! તું નાનું મોટું તપ કરે છે ત્યારે લોકો એની નોંધ લે, પ્રશંસા કરે એવી તો ઇચ્છા નથી રાખતો ને ? તું દાન આપે તો સમાજમાં તારી વાહ વાહ થાય એવી અપેક્ષા તો નથી રહેતી ને ? તેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો લોકોમાં પંડિત કે જ્ઞાની તરીકે તારી વાહવાહ થાય તો તું રાજી રાજી થાય છે ? સદ્ધર્મના બદલામાં જો તું લોકપ્રશંસાની સ્પૃહ રાખે તો તારો સદ્ધર્મ વ્યર્થ જશે. અથવા લોકપ્રશંસાના પ્રવાહમાં જ્યારે તું તણાઈ જાય છે ત્યારે તારી આવશ્યક ક્રિયાઓને ભૂલી ન જવાય તે જોવું જોઈએ. સાચા આરાધકો, પોતે લોકપ્રશંસાના અધિકારી હોય છતાં લોકપ્રશંસા ન થતી હોય તો તેથી નિરાશ નથી થતા, બીજાની ઇર્ષા કરતા નથી, “સમાજ કદરહીન છે' એમ કહી સમાજને વગોવતા નથી. પોતે સારી રીતે જાણે છે કે તેઓ જે ધર્મારાધના કરે છે તે તો કર્મક્ષય માટે છે. મોક્ષપ્રાપ્તિ માટે છે, આવા For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જ્ઞાનસાર મહાત્માઓ સંસાર પ્રત્યે ઉદાસીન હોય છે, લોકચાહના સાથે એમને નિસ્બત નથી હોતી. તેઓ અંતરથી ઇચ્છા-આકાંક્ષા-અપેક્ષાથી રહિત હોય છે. “રત્નાકર પચ્ચીસી'માં કહ્યું છેઃ वैरागरङ्गः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय। वादाय विद्याध्ययनं च मेऽभूद् कियद् बुवे हास्यकरं स्वमीश ॥ [મારો વૈરાગ્ય રંગ બીજાને છેતરવા માટે થયો, મેં ધર્મોપદેશ લોકોના મનોરંજન માટે કર્યો અને વિદ્યાભ્યાસ વાદવિવાદ કરવા માટે કર્યો. હે પ્રભુ ! મારા આવા હાસ્યાસ્પદ કાર્યોની કેટલી વાત કરું ?]. [૧૯] નો સંગ્રામહીનદી મનુસ્રોતોડનુ ર તે प्रतिस्रोतोऽनुगस्त्वेको राजहंसो महामुनिः ।।२३।।३।। [શબ્દાર્થ તો સંસાનહાન લોકસંજ્ઞારૂપી મોટી નદીમાં અનુસ્રોતોનુ:=વહેતા પ્રવાહને અનુસરનારા; ન નથી; =કોણ; પ્રતિસ્ત્રોતોડનુ =સામા પ્રવાહે તરનારા; તુ=તો, પરંતુ; :=એક; રાજહંસ:=રાજહંસ; મહામુનિ =મહામુનિ.]. અનુવાદઃ લોકસંશારૂપી મોટી નદીના વહેતા પ્રવાહને અનુસરનાર કોણ નથી? પરંતુ સામા પ્રવાહે તરનારા રાજહંસ તો એક મહામુનિ છે. (૩). વિશેષાર્થ : લોક સંજ્ઞાને અનુસરવું એટલે પ્રવાહપતિત થવું. એમ કરવું કઠિન નથી. પ્રવાહ સાથે ગતિ કરવી એમાં ઓછા શ્રમે વધુ અંતર કપાય છે. વહેતી નદીમાં પ્રવાહની દિશામાં તરવા પડેલો માણસ કે તરતી હોડી ઝડપથી અંતર કાપે છે. સામે પ્રવાહે તરવું કે હોડી હંકારી જવી એમાં જ મોટો પુરુષાર્થ રહેલો સામાન્ય પક્ષી કે પ્રાણી જો પ્રવાહમાં પડે તો તે પ્રવાહ સાથે તણાય છે, પરંતુ રાજહંસ સામા પ્રવાહે સરળતાથી તરી શકે છે. વાઘ કે સિંહ માટે પણ કહેવાય છે કે તે વેગવંતી નદીના પાણીમાં પડે તો પણ બરાબર સામે કિનારે જ પહોંચે. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૭ દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં કહ્યું છેઃ अणुसोअसुहो लोओ, पडिसोओ आसवो सुविहियाणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो॥ [લોકો પ્રવાહને અનુસરવામાં સુખ માનનારા છે, પરંતુ સુવિહિત સાધુઓનો સંયમ તે પ્રતિસ્ત્રોત છે. સામે પ્રવાહે તરવારૂપ છે. પ્રવાહને અનુસરવું એ સંસાર છે અને સામા પ્રવાહે તરવું એ સંસારનો પાર પામવારૂપ છે.] સંસારની દિશા એક છે અને મોક્ષપુરુષાર્થની દિશા જુદી છે. સામાન્ય માનવીઓ પોતાની કાચી સમજ પ્રમાણે પુરુષાર્થ કરે છે, પણ એ ઊંધી દિશામાં હોય છે. કેટલીયે વાર સાધુઓ પણ લોકમાન્યતામાં ભૂલથી કે ઇરાદાપૂર્વક ભળી જાય છે. જે સાધુઓને સમાજની બહુ ગરજ હોય તે સાધુઓ વિપરીત વાતમાં પણ નમતું જોખે છે. પરંતુ જે સાચા મહામુનિ છે, જેમને સમાજ પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી તેઓ પોતાના માર્ગમાં, પોતાની માન્યતામાં સુદઢ રહે છે. એમને ગોચરી સિવાય સમાજની કશી ગરજ નથી અને ગોચરી તો ગમે ત્યાંથી મળી રહેશે અને નહિ મળે તો તપશ્ચર્યા થશે એવી દઢ શ્રદ્ધા હોય છે. એટલે ગમે તેવા મોટા શ્રેષ્ઠીની, સંઘપતિની એમને દરકાર હોતી નથી. તેઓ ખુશામતનાં વચન બોલતા નથી. એનો અર્થ એ નથી કે તેઓ હેતુપૂર્વક તેઓની અવજ્ઞા કરે છે, પરંતુ હકીકતમાં તેઓ પોતાની આત્મમસ્તીમાં લીન રહી શકે છે. [૧૮] નવમાત્રજ્ય સર્તવ્યં વૃતં વઘુમરેવ વેત્ તવા મિથ્યાદશાં થર્મોન ત્યષ્ય: થાત્ લેવાન ા૨રૂા.૪ [શબ્દાર્થ ઃ નોર્જ લોકને; મનષ્ય અવલંબીને; »ર્તવ્ય કર્તવ્ય; તં=કરેલું; વહુમિ:=ઘણા માણસો વડે; પર્વ જ; વે=જો; તાકતો; મિથ્યાદશ= મિથ્યાદૃષ્ટિઓનો; ધર્મ =ધર્મ; ન=નથી; ત્યાન્વ=ત્યજવા યોગ્ય; =હોય; વીવન કદી પણ.] For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જ્ઞાનસાર અનુવાદઃ લોકોને અવલંબીને જો ઘણા માણસોએ જે કર્યું હોય તે જ કરવા યોગ્ય હોય તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ ક્યારેય ત્યજવા યોગ્ય ન હોય. (કારણ કે તેઓ હંમેશાં બહુમતીમાં જ હોય.) (૪) | વિશેષાર્થ : લોકસંજ્ઞાથી દોરવાઈ ન જવા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ તર્કયુક્ત દલીલ કરી છે. વ્યવહારમાં આપણે કેટલીક વાર બોલીએ છીએ કે “તો પછી શું આટલા બધા લોકો ખોટા ?' સામાન્ય માણસોનો માપદંડ પણ સામાન્ય હોય છે. ઘણા લોકો કહે છે, અથવા કરે છે માટે એ જ સાચું હોવું જોઈએ એવી માન્યતા અધૂરી છે. મહીનનો વેન તિઃ સ સ્થા: એવી લોકોક્તિ પણ પ્રચલિત છે. પરંતુ બહુમતીને અનુસરવાનું દરેક વખતે યોગ્ય નથી. સ્વપર આત્મહિત થતું હોય એ જ મહત્ત્વની વાત છે. લોકરુચિને અનુસરવામાં લોકોના હિતનું જ ખંડન થતું હોય તો તે વર્ય છે. મોટા ભાગના લોકસમુદાય બાળજીવ જેવો છે, તે શું માંગે છે તે નહિ, તેને શું આપવા યોગ્ય છે તે આપવું જોઈએ. એક કાળે હજારોની મેદનીને પોતાના વક્તવ્યથી ડો લાવનારા સાધુ સંન્યાસીઓએ પછીથી ગૃહસ્થ વેશ અપનાવી લીધો હોય એવાં દૃષ્ટાન્તો છે. જંગી બહુમતીથી ચૂંટાઈ આવનાર રાજનેતા પછીથી જેલની સજા ભોગવતો હોય એવી ઘટના બને છે. એટલે બહુમતી એ હંમેશાં સાચી જ નીવડે એવું નથી. ધર્મના ક્ષેત્રમાં બહુમતીનો નિર્ણય હંમેશાં સાચો જ હોય એવું નથી. આ ક્ષેત્રમાં લોકશાહી ન ચાલે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે દુનિયામાં જેટલા સમ્યગુરુષ્ટિ જીવો છે તેના કરતાં મિથ્યાદૃષ્ટિ જીવો વધુ જ રહેવાના. સંસારમાં હંમેશાં મિથ્યાદૃષ્ટિ જીવોની જ બહુમતી રહેવાની. એટલે બહુમતીનો માપદંડ હંમેશાં સાચો હોતો નથી, અધ્યાત્મના ક્ષેત્રે તો નહિ જ. જગતમાં મિથ્યાદર્શનો કેટલાં બધાં છે ! એ બધાંનો સરવાળો કરીએ તો સદ્ધર્મ અલ્પમતિમાં જ આવે. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૯ સંસારના મોટા ભાગના જીવો પુદ્ગલાનંદી, ભવાભિનંદી છે અને રહેવાના છે, એમની રુચિ ભોગોપભોગ માટે રહે છે. એક અપેક્ષાએ જોઈએ તો માંસાહારી લોકોની હંમેશાં બહુમતી રહે છે. પશુહિંસાનો તેઓને આનંદ હોય છે. આર્ય કરતાં અનાર્ય લોકો વધુ રહેવાના અને આર્યમાં પણ જૈન ધર્મ આચરનારા થોડા અને જૈન ધર્મનું આચરનારાઓમાં પણ જેમનામાં જૈન ધર્મ પરિણમેલો છે એવા મોક્ષાર્થી જીવો થોડા રહેવાના. એટલા માટે જ લોકસંજ્ઞાની વાતને પણ બહુ વિવેકપૂર્વક સમજવાની જરૂર છે. સદ્ધર્મ તરફ, કોઈ મહાત્મા તરફ, તીર્થકર ભગવાન તરફ ઘણા લોકો ખેંચાય એથી લોકસંજ્ઞા થતી નથી કારણ કે એ સહજ છે, પણ લોકોનું ટોળું જમાવવા માટે સિદ્ધાન્તોમાં, ધર્માચરણમાં બાંધછોડ કરવામાં આવે, શિથિલતા પ્રત્યે આંખમીંચામણાં થાય, લોકોને રાજી રાખવાનો, લોકોનું મનોરંજન કરવાનો દેખીતો પ્રયાસ થાય એ લોકસંજ્ઞા છે. [૧૧] શ્રેયોડર્થિનો હિ મૂર્યાસી તો નોકોરે ર ર ા તોહિ રત્નાવળિs: તોલા સ્વાભિસાધl: T૨રૂા [શબ્દાર્થ : શ્રેયોર્થિનો શ્રેયના, મોક્ષના અર્થી; હિં=ખરેખર; મૂયાંસ=ઘણા; નો=લોકમાં, લોકમાર્ગમાં; નોકોત્તરે લોકોત્તર માર્ગમાં; ન=નથી; =અને; સ્તો:=થોડા; હિં=વળી, કારણકે, જેમ કે; રત્નવણન:=રત્નના વેપારી; તો:=થોડા; =અને સ્વાત્મસાધl:=પોતાના આત્માની સાધના કરનારા.] અનુવાદઃ ખરેખર મોક્ષના અર્થીઓ લોકમાર્ગમાં અને લાકોત્તર માર્ગમાં બહુ નથી. જેમ રત્નના વેપારી થોડા હોય છે તેમ પોતાના આત્માની સાધના કરનારા થોડા હોય છે. (૫) વિશેષાર્થ : સંસારમાં મોટા ભાગના લોકો લોકપ્રવાહમાં માલમિલકત, ધનવૈભવ, સ્વજને પરિવાર, બાહ્ય સુખસગવડનાં સાધનો વગેરે પ્રકારનું લોકિક For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જ્ઞાનસાર સુખ ઇચ્છનારા હોય છે. પરંતુ પોતાના આત્માના કલ્યાણના અથ, મોક્ષાર્થી થઈને લોકોત્તર માર્ગમાં પ્રવર્તનારા બહુ ઓછા હોય છે. એટલે જ તેમનું મૂલ્ય વધારે છે. એક ગામમાં એક હીરાના વેપારીની દુકાનની સામે રસ્તા ઉપર શાકભાજી વેચનારા બેસતા. સવાર પડતાં શાકભાજી લેનારાઓની ત્યાં ભીડ જામતી. સાંજ સુધીમાં તો શાક વેચીને શાકભાજીવાળા ચાલ્યા જતાં. એક વખત બહારગામથી એક નવો શાકભાજીવાળો ત્યાં શાક વેચવા આવવા લાગ્યો. એ શાકભાજીવાળાને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે સામેવાળા ઝવેરીકાકાને ત્યાં કોઈ ઘરાક જ દેખાતા નથી. બેપાંચ દિવસે એક ઘરાક આવે તો આવે. મારે તો ઘરાકોની એટલી ભીડ હોય છે કે હું વાત કરવા નવરો નથી થતો. પરંતુ નહિ જેવી ઘરાકીથી પેલા બિચારા કાકાનું પૂરું કેમ થતું હશે ? દુકાનનું ભાડું ભરવા જેટલું યે કમાતા હશે કે કેમ ? એને જિજ્ઞાસા થઈ. કોઇકે એને સમજાવ્યું કે ઝવેરીકાકા તો બેપાંચ ઘરાકમાં આખા વરસ જેટલું કમાઈ લે છે. ગામમાં મોટામાં મોટા શ્રીમંત તેઓ છે. એ બંગલામાં રહે છે. આપણે હજુ ઝૂંપડામાં રહીએ છીએ. એ ગામમાં શાકભાજીવાળા સો કરતાં વધુ હતા અને ઝવેરાતની તો બે દુકાનો હતી. એટલે કિમતી રત્નોના વેપારીઓ હંમેશાં થોડા જ રહેવાના. ખાણમાંથી કોલસા પણ નીકળે અને હીરા પણ નીકળે, પણ હીરા તો થોડાક જ નીકળે. બહુ શ્રમ અને ચીવટપૂર્વક ઘસીને પાસાં પાડવામાં આવે અને ચકચકિત કરવામાં આવે એટલે એનું મૂલ્ય ઘણું હોય. એના ખરીદનારા ઓછા એટલે વેચનારા પણ ઓછા. શાકભાજી વાડી-ખેતરમાંથી ગાડાં ભરીને આવે. એટલે એનું મૂલ્ય ઓછું અને ખરીદનારા ઘણા. આમ કિંમતી મોંઘી વસ્તુ હંમેશાં ઓછી હોય છે અને વેપાર કરનારા પણ ઓછા હોય છે. એવી રીતે સંસારમાં ઇન્દ્રિયાર્થ સુખોની પાછળ દોડનારા હંમેશા ઘણા જ રહેવાના અને આત્મસાધના કરનારા ઘણા ઓછા રહેવાના. મોક્ષના સુખનો ખ્યાલ સામાન્ય લોકોને હોય નહિ. ઊલટું તેઓ પ્રશ્ન કરે કે For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩ ૧૧ મોક્ષમાં કશું કરવાનું ન હોય, ખાવાપીવાનું ન હોય. હરવા ફરવાનું ન હોય તો મઝા શી આવે ? એક જ જગ્યાએ કામધંધા વગર બેસી રહેવામાં કંટાળો ન આવે ? અંગાંગો જકડાઈ ન જાય ? એદી–પ્રમાદી ન થઈ જવાય ? સંસારમાં તો યથેચ્છ ભોગ ભોગવવાનો આનંદ કેટલો બધો છે ! વળી માનપાન મળે, પ્રશંસા થાય, કીર્તિ વધે. સંસારમાં તો બસ આનંદ અને આનંદ. ભવાભિનંદી જીવોનું આવું લક્ષણ હોય છે ! [૧૮૨૩ નો સંજ્ઞાહિત હત નીવૈમનવર્શને | - શંસયક્તિ સત્યદ્વિ-મર્મયાતમહાવ્યિથાર્ ારરૂાાદા [શબ્દાર્થ : નોસંજ્ઞાહિતી:=લોકસંજ્ઞાથી હણાયેલા; હસ્તે અફસોસ છે કે, નીfમનદર્શનૈ =ધીમે ચાલવા અને નીચે જોવા વડે; શંસન્તિ=જણાવે છે; સ્વસત્યા=પોતાના સત્યરૂપી અંગમાં; મર્મધાત=મર્મઘાતની; મહાવ્યથા= મહાવ્યથાને.] અનુવાદઃ અફસોસ છે કે લોકસંજ્ઞાથી હણાયેલાઓ ધીમે ચાલવું, નીચે જોવું ઇત્યાદિ વડે પોતાના સત્યવ્રતરૂપી અંગમાં થયેલા મર્મપ્રહારની મહાવ્યથાને જણાવે છે. (૬) વિશેષાર્થ : જૈન સાધુ ઇર્યાસમિતિપૂર્વક ચાલે. કોઈ જીવની હિંસા, વિરાધના ન થઈ જાય એ માટે તેઓ પોતાની આગળ ચારપાંચ ડગલાં ભૂમિ જોતાં જોતાં જયણાપૂર્વક ચાલે. તેઓ સામે, ઊંચે કે આડુંઅવળું જોતાં ન ચાલે. નીચું જોઈને ચાલવાને કારણે તેઓ થોડા વાંકા વળીને ચાલે. માર્ગમાં જૈન સાધુના આવાગમનનું આ એક આદર્શ ચિત્ર છે. એને ઇર્યાસમિતિપૂર્વક ચાલવું એમ કહે છે. એવા મુનિઓની લોકો પ્રશંસા કરે છે. પરંતુ લોકો પ્રશંસા કરે એ માટે નીચું જોઈને, સહેજ વાંકા વળીને, ધીમે ધીમે ચાલવું અને મનમાં ઇર્યાસમિતિનો, જીવદયાનો, જયણાનો જરા પણ ભાવ ન હોય તો એ માત્ર દંભ જ કહેવાય. For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ જ્ઞાનસાર આવા મુનિઓ, લોકો જ્યારે એમને જોતા હોય ત્યારે નીચું જોઈને ચાલે અને ન જોતા હોય ત્યારે આડુંઅવળું જોતા ચાલે છે. મતલબ કે એમની ઇર્ષા સમિતિ દેખાડો કરવા માટે અને લોકચાહના મેળવવા માટે છે; પોતે કેવી ઊંચી કોટિના સાધુ છે એવી છાપ પાડવા માટે છે. ખેદની વાત છે કે આવા સાધુઓ, લોકસંજ્ઞાથી, લોકપ્રશંસા મેળવવાના ભાવથી હણાયેલા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં કવિત્વશલીથી કટાક્ષમાં કહે છે કે હે મુનિ, તમે વાંકા વળીને ચાલો છો એમાં તમારી ઇર્યાસમિતિ નથી પણ જાણે એવું લાગે છે કે તમારા પોતાના સત્યાગને મર્મઘાત થયો છે. એટલે એની મહાવ્યથા મહાપીડાને કારણે તમે વાંકા વળીને, નીચું જોઈને ધીમે ધીમે ચાલો છો. વસ્તુતઃ લોકરંજનને કારણે તમે તમારા સત્યાગને-તમારા સિદ્ધાન્ત, આચાર અને ધ્યેયને હણો છો. તમારું લક્ષ્ય તો આત્મસાધનાનું છે, પરંતુ લોકનિંદાના ભયે, લોકપ્રશંસા મેળવવા માટે તમે એ ધ્યેય ચૂકી જાવ છો.' સાધુ જીવનમાં પણ લોકસંજ્ઞાથી કેવા કેવા દંભ આવી જાય છે ! [૧૩] માત્મસાક્ષસદ્ધર્મસિદ્ધી જિં નોક્રયાત્રયા ! तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने ।।२३।।७।। [શબ્દાર્થ ઃ માત્મસાક્ષ આત્મા સાક્ષી છે જેમાં સદ્ધર્મસિદ્ધ સત્યધર્મની સિદ્ધિ થતાં; વિં=શું; તોથાત્રયા=લોકયાત્રાથી, લોકવ્યવહારથી; તત્ર=તેમાં; પ્રસન્નચન્દ્ર =પ્રસન્નચંદ્ર; ર=અને; મરત:=ભરત; =અને નિર્ણને દષ્ટાન્તમાં, ઉદાહરણથી.]. અનુવાદઃ આત્મા સાક્ષી છે જેમાં એવા સત્યધર્મની પ્રાપ્તિ થતાં, લોકવ્યવહારનું શું કામ છે? આમાં પ્રસન્નચ રાજર્ષિ અને ભરત મહારાજનાં દષ્ટાન્ન છે. (૭) વિશેષાર્થ : ધર્મ આત્માની સાક્ષીએ કરવાનો છે. અંતરમાં કાંઈ પરિણતિ ન હોય, એ પોતે જાણતા પણ હોય પણ બાહ્ય આચરણથી લોકો પોતાને ધાર્મિક For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૧ ૩ માને એવી ઇચ્છા રાખવી એ માયાચાર છે. આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઈ હોય તો પછી લોકયાત્રાનું લોકોને કહેતા ફરતા રહેવાનું શું કામ છે ? જ્યાં જાવ ત્યાં લોકો આગળ તમારી તપશ્ચર્યા વગેરેની બડાશ મારવાની શી જરૂર છે ? લોકો જાણે કે ન જાણે, પરંતુ પોતાનો અંતરાત્મા જાણે છે કે પોતે સંયમયાત્રામાં, આત્મસાધનામાં કેટલી પ્રગતિ કરી છે, કેટલી સિદ્ધિ મેળવી છે. વળી આટલું ધ્યાનમાં રાખવું અવશ્ય જરૂરી છે કે લોકોનો માપદંડ સાધકોના બાહ્ય આચરણને આધારે હોય છે. માણસના મનમાં અંદર ઊઠતા વિકલ્પો, વિચારો વગેરેની લોકોને ખબર નથી પડતી. બહારથી માણસ પોતાના બ્રહ્મચર્ય વ્રત માટે બહુ સાવધ હોય, લોકો પ્રશંસા કરે એવી રીતે વર્તન કરતા હોય, પણ અંતરમાં સ્ત્રીઓનો સહવાસ ગમતો હોય, કામભોગ ભોગવવાની લાલસા રહેતી હોય, કોઈને ખબર ન પડે એવી રીતે એકાંતમાં તક મળતી હોય તો તે ઝડપી લેવા મન તત્પર હોય તો એ બ્રહ્મચર્યવ્રતનું પાલન લોકસાક્ષીએ થાય છે, આત્મસાક્ષીએ નહિ. માણસના મનના અજાણ્યા ખૂણામાં જે તરંગો ઉદ્ભવે છે એની બીજાને શી ખબર પડે ? ઉપાધ્યાયજી મહારાજે આ વાત સમજાવવા માટે બે પરસ્પર ભિન્ન દૃષ્ટાન્તો આપ્યાં છે-એક પ્રસન્નચંદ્ર રાજર્ષિનું અને બીજું ભરત મહારાજાનું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ દ્રવ્યલિંગી છે, અને ભરત મહારાજા ભાવલિંગી છે. પ્રસન્નચંદ્ર રાજા રાજપાટ ત્યજી દીક્ષિત થયા એટલે રાજર્ષિ કહેવાયા. તેઓ કેવી ઘોર તપશ્ચર્યા કરતા હતા! એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ કરી કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા.શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછયું, “ભગવાન, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ ક્ષણે જ જો દેહ છોડે તો એમની શી ગતિ થાય ?' ભગવાને કહ્યું, સાતમી નરક'. શ્રેણિક મહારાજાને આશ્ચર્ય થયું. પણ ભગવાનની વાત સાચી હતી. શ્રેણિક મહારાજાના સૈનિકો ત્યાંથી પસાર થતા હતા. તેઓ વાત કરતા હતા કે આ રાજર્ષિના પુત્રને મારી નાખીને, એનું રાજ્ય એના કાકાએ પડાવી લેવાનું કાવતરું કર્યું છે.” એ સાંભળી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ભયંકર રોદ્ર ધ્યાન કર્યું. For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જ્ઞાનસાર મનમાં જ યુદ્ધ આરંભાયું. હિંસાનાં ઘોર પરિણામ મનમાં ચાલવા લાગ્યાં. સાતમી નરકમાં જાય એવાં ભારે કર્મ બંધાવા લાગ્યાં. આમ બાહ્ય દૃષ્ટિએ કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે ક્ષણે દેહ છોડે તો સાતમી નરકે જાય. જો કે પછી તત્પણ તેઓ પોતાની આત્મદશાનું ભાન થતાં મનમાં ભારે પશ્ચાત્તાપ કરી શુભ ધ્યાનમાં આવી ગયા અને પછી એવા અંતરંગ પુરુષાર્થપૂર્વક શુકલધ્યાનની શ્રેણીએ ચડ્યા કે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બીજી બાજુ ભરત મહારાજા ચક્રવર્તીનું દૃષ્ટાન્ત જોઈએ. તેઓ શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ ધારણ કરી અરીસા ભવનના અરીસામાં પોતાના રૂપને મુગ્ધતાથી નિહાળતા હતા. એવામાં એક આંગળીમાંથી રત્નજડિત વીંટી નીકળી ગઈ. આંગળીની શોભા ચાલી ગઈ. તેઓ વિચારમાં પડી ગયા. બીજા અલંકારો શરીર પરથી ઉતારતાં જણાયું કે પોતાના દેહની શોભા તો પરવસ્તુથી છે, પૌગલિક અલંકારોથી છે. ચૈતન્યની શોભા માટે પુદ્ગલની જરૂર પડે છે. તેઓ વિચારધારાએ ચડી ગયા. આત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનની શ્રેણીએ ચડતાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાહ્ય વેશે તેઓ ગૃહસ્થ હતા, પણ આત્મસાક્ષીએ સંસારથી વિરક્ત, રાગદ્વેષથી પર થઈ ગયા હતા. મહાનિશીથ' સૂત્રમાં કહ્યું છે કે થપ્પો અપવિમgો -ધર્મ આત્મસાક્ષિક છે. ધર્મદાસગણિએ ‘ઉપદેશમાલા' ગ્રંથમાં લખ્યું છે કે : किं परजन बहु जाणावणाहिं, वरं अप्पसक्खियं सुक्कयं । (બીજાઓને બહુ જણાવવાની શી જરૂર છે ? આત્માની સાક્ષીએ કરેલું સુકૃત એ જ શ્રેષ્ઠ છે.) એટલે પોતાના આત્માને ધર્મકાર્યથી સંતોષ થાય એ ઇષ્ટ છે. લોકો એ વિશે જાણે કે ન જાણે એથી કંઈ ફરક પડતો નથી. માટે લોકવ્યવહારની, લોકકદરની, ક્યારેય ફિકર કરવી ન જોઈએ. લોકોએ જેઓને “દાનવીર', “મહાતપસ્વી' જેવા સન્માનપત્રો આપ્યાં હોય, સરકારી કે સામાજિક ખિતાબો મળ્યા હોય તેવા કેટલાકે પછી પોતાના દુરાચરણ વડે એનું અવમૂલ્યન કર્યું છે. માટે લોકોનું For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩ ૧૫ પ્રમાણપત્ર કેટલીક વાર ભ્રામક નીવડે છે. આત્મસાક્ષીએ જ ધર્મ કરવાને કારણે ક્યારેક સહજ રીતે લોકપ્રશંસા પ્રાપ્ત થાય એ જુદી વાત છે. પણ લક્ષ્ય લોકચાહનાનું નહિ, પણ આત્મસાક્ષીએ ધર્મનું, મોક્ષપ્રાપ્તિનું જ રહેવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે જ કહ્યું છે: જિમ જિમ બહુ મત, બહુ જન સંમત, બહુ શિષ્ય પરવરિયો, તિમ તિમ જિન શાસનનો વેરી, જો નવિ નિશ્ચય દરિયો. [૧૮૪] નોર્સફોષ્ઠિાત: સાધુ: પરબ્રહ્મસમાધિમાર્ ા सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः ।।२३।।८।। [શબ્દાર્થ : સોવíજ્ઞાજ્જિત:=લોકસંજ્ઞાથી રહિત; સાધુ =સાધુ, મુનિ, પરબ્રહમયમા=પરબ્રહ્મમાં સમાધિવાળા; સુવાર્ત=સુવ+માતે સુખમાં હોય છે, રહે છે; તદ્રોહમમતાત્મિરક્વર:=દ્રોહ, મમતા, મત્સરરૂપી જ્વર જેમના ગયા છે એવા.]. અનુવાદઃ લોકસંજ્ઞાથી મુક્ત, પરબ્રહ્મમાં સમાધિવાળા, અને જેમના દ્રોહ, મમતા અને મત્સરરૂપી જ્વર ગયા છે એવા મુનિ સુખે રહે છે. (૮) વિશેષાર્થ : જે મુનિ મહાત્માઓ લોકસંજ્ઞાથી રહિત હોય છે તેઓ સાચું સુખ અનુભવે છે. જેઓની લોકસંજ્ઞા ચાલી જાય છે તેઓને પછી મમતા પીડતી નથી. અહં–હું અને મમ-મારુંનો ભાવ રહેતો નથી. વ્યક્તિ, પદાર્થો વગેરે માટેની આસક્તિ નીકળી જાય છે. તેઓને દ્રોહ કરવાની, સાધુના વેશને વટાવી ખાવાની, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાની, કોઈના વિશ્વાસનો ઘાત કરવાની, કોઈના પર અપકાર કરવાની વૃત્તિ રહેતી નથી. કોઈના ગુણનો દ્વેષ કરવાની, મત્સરની, અસૂયાની વૃત્તિ પણ ચાલી જાય છે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરુણાની ભાવનાથી એમનું જીવન સભર હોય છે. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ રાનસાર આવા મહાત્માઓ પરબ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપી સમાધિવાળા હોય છે. તેઓ તત્ત્વજ્ઞાની અને આત્મજ્ઞાની હોય છે, આત્મામાં સ્થિરતારૂપી રમણ કરનાર હોવાથી તેઓ લોકોત્તર સુખ અનુભવે છે. આવા મહાત્માઓ બ્રહ્મમાં અર્થાત્ સંયમમાં લીન હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ આશ્રવોથી વિરામ પામે છે. તેઓ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ચાર પ્રકારના કષાયો ઉપર વિજય મેળવે છે અને મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકે છે. આમ સત્તર પ્રકારે સંયમમાં તેઓ લીન હોય છે. “પ્રશમરતિ'માં ઉમાસ્વાતિ મહારાજે આ પ્રમાણે સંયમના સત્તર ભેદ બતાવ્યા છે. સંયમના ઉત્તરોત્તર વધુ સૂક્ષ્મ ભેદો ગણતાં શીલના અઢાર હજાર અંગ થાય છે. મુનિ મહાત્માઓને પોતાનાં સંસારી સ્વજનો પ્રત્યે મમતા ન રહેવી જોઈએ, એમના યોગક્ષેમની ચિંતા ન કરવી જોઈએ. પોતાના શિષ્યો, ભક્તો, પોતાની પ્રેરણાથી બંધાયેલાં મંદિર, ઉપાશ્રય વગેરે માટે, ગ્રંથો, ઉપકરણો વગેરે માટે તેઓને મમતા ન રહેવી જોઈએ. અરે, પોતાની નવકારવાળી માટે પણ આગ્રહન રહેવો જોઈએ. પોતાના કરતાં ઓછા ગુણવાળી વ્યક્તિ આગળ વધી જાય, એને માનપાન મળે, એની સમાજમાં કદર થાય તો માણસમાં અસૂયા, મત્સર, ગુણષ જન્મે છે. પછી એ માણસ બીજાના દોષો બતાવી એની નિંદા કરવા લાગે છે. આરાધકોએ, મુનિ મહારાજાઓએ આ મત્સરભાવથી પર રહેવું જોઈએ. સત્તાનાં ગુણાવસ્થા, તોષવા ચ મૌર્વા એ વસ્તુપાળ મંત્રીની શિખામણ સતત લક્ષમાં રહેવી જોઈએ. લોકસંજ્ઞાના ત્યાગી મહાત્માઓ પોતાના આત્મસ્વરૂપમાં મગ્નતાનું સુખ અનુભવે છે. ક્યારેક પૂર્વબદ્ધ શુભકર્મના ઉદયથી પોતાને ઇન્દ્રિયસુખ પ્રાપ્ત થાય તો દેવચંદ્રજી મહારાજ “જ્ઞાનમંજરી' ટીકામાં કહે છે કે આ સુખ કેવું લાગવું જોઈએ ? પોતાનું ઘર બળવાથી પ્રકાશ મળે એના જેવું લાગવું જોઈએ. અંધારામાં પ્રકાશ મેળવવા માટે કોઈ પોતાનું ઘર બાળવાની ઇચ્છા ન કરે. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૨૪. શાસ્ત્રાષ્ટક [૧૮૫] ચર્મચક્ષમૃત: સર્વે વેવાશ્રાવથવક્ષુષ: સર્વતચક્ષુષ: સિદ્ધા: સાધવ શાસ્ત્રાવક્ષs: ૨૪iારા [શબ્દાર્થ: વર્મચક્ષુમૃત =ચર્મચક્ષને ધારણ કરવાવાળા છે; સર્વે-બધા (મનુષ્યો); તેવા:દેવો; અધિક્ષુષ =અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે; સર્વતશકુષ =એટલે સર્વ બાજુથી, સર્વ આત્મપ્રદેશે કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપી ચક્ષુવાળા છે; સિદ્ધી:=સિદ્ધો, સિદ્ધાત્માઓ; સાધ:=સાધુઓ; સાચવશુષ:=શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે.] અનુવાદઃ બધા મનુષ્યો ચર્મચક્ષુ ધારણ કરવાવાળા છે, દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે, સિદ્ધો સર્વતઃ (એટલે સર્વ આત્મપ્રદેશે, કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપી) ચક્ષુવાળા છે અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે. (૧) વિશેષાર્થ : મનુષ્યના જીવનમાં (અને એ રીતે તિર્યંચ ગતિના જીવોમાં પણ) ચક્ષુ ઇન્દ્રિય અત્યંત મહત્ત્વની છે. માણસ બહેરો–બોબડો હોય તો પણ આખી દુનિયામાં હરીફરી શકે છે પણ એ જો અંધ હોય તો, બીજાની મદદ વગર ઘરનો ઉબરો પણ ઓળંગી શકતો નથી. ચક્ષુથી જોવા-જાણવાનો લાભ થાય છે. પરંતુ ફક્ત ચર્મચક્ષુથી જ માણસ જોઈ શકે છે એવું નથી. અન્ય પ્રકારનાં ચક્ષુથી પણ જોઈ શકાય છે. એ માટે ચાર પ્રકારનાં ચક્ષુ અહીં બતાવવામાં આવ્યાં છે. ૧. ચર્મચક્ષુ-સર્વ મનુષ્યોને ચર્મચક્ષુ હોય છે. ૨. અવધિચક્ષુ-દેવોને અવધિચક્ષુ હોય છે. ૩. સર્વ આત્મપ્રદેશચક્ષુ-સિદ્ધ ભગવંતોને હોય છે. ૪. શાસ્ત્રચક્ષુ-સાધુ મહાત્માઓને શાસ્ત્રરૂપી ચક્ષુ હોય છે. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જ્ઞાનસાર સમયસારમાં કહ્યું છેઃ आगमचक्खू साहू चम्मचक्खूणि सव्वभूयाणि। देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू । [આગમ-ચક્ષુવાળા સાધુઓ છે, સર્વ પ્રાણીઓ ચર્મચક્ષુવાળાં છે, દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે અને સિદ્ધો સર્વતઃ ચક્ષુવાળા છે.} દેવોને અવધિજ્ઞાન હોય છે. એટલે દેવોને અવધિ ચક્ષુવાળા કહેવામાં આવે છે. દરેક દેવની અવધિ જુદી જુદી હોય છે. વળી અવધિજ્ઞાન આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે, પણ એ જ્ઞાનની મર્યાદા હોય છે કે તેનાથી ફક્ત રૂપી પદાર્થો જ દેખાય છે. સિદ્ધ ભગવંતો અશરીરી હોય છે. એટલે તેમને ચર્મચક્ષુ હોય જ નહિ. પરંતુ તેઓને પોતાના કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપી ઉપયોગથી સર્વ આત્મપ્રદેશોથી ચૌદ રાજલોકરૂપી વિશ્વના ભૂત, વર્તમાન અને ભાવિ એવા સર્વ પર્યાયો યુગપ અર્થાત્ એકસાથે દેખાય છે. મનુષ્યના ચર્મચક્ષુથી પરિમિત પ્રદેશના બાહ્યરૂપને જોઈ શકાય છે. પરંતુ ચર્મચક્ષુથી જોયેલું ચક્ષુની શક્તિ ઉપર આધાર રાખે છે. નજરે જોયેલું પણ ભ્રામક નીવડે છે. એકના એક પ્રસંગને જોનાર બે જુદી જુદી વ્યક્તિના દૃષ્ટિકોણમાં ફરક પડે છે. સાધુ ભગવંતો પાસે ચર્મચક્ષુ તો હોય જ છે, પરંતુ સાથે શાસ્ત્રચક્ષુ પણ હોય છે. શાસ્ત્રો કેવળ કથિત હોવાથી તે ત્રણે કાળના અને ત્રણે લોકના રૂપી–અરૂપી પદાર્થો અને ભાવોને જણાવનાર હોવાથી એ અપેક્ષાએ અવધિજ્ઞાન કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રી દેવચંદ્રજી મહારાજે આ શ્લોકના સંદર્ભમાં “શાસ્ત્ર' શબ્દની વ્યાખ્યા આપતાં કહ્યું છે. જેમાં એકાન્તિક અને આત્મત્તિક રાગદ્વેષાદિ કલેશરહિત, નિરામય (રોગરહિત) પરમાત્મપદનું સાધન સ્યાદ્વાદ પદ્ધતિએ ઉપદેશ કરવામાં આવેલું હોય તે શાસ્ત્ર.” એટલા માટે સાધુઓ માટે શાસ્ત્ર-સ્વાધ્યાય ઉપર ઘણો ભાર મૂક્યો છે. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩૧૯ ગૌતમસ્વામી દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર સ્વાધ્યાય કરતા. એ જ પરંપરા માટે સાધુઓને હંમેશાં અનુરોધ થાય છે. આવા ગહન સ્વાધ્યાય દ્વારા શાસ્ત્રચક્ષુ ખૂલે છે. વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ રૂપે આપણી શ્રુતપરંપરા ચાલી આવે છે. હવે તો છપાયેલા ગ્રંથોમાં બધું સુલભ હોવા છતાં કેટલાંયે સૂત્રો, સ્તોત્રો તથા અન્ય પ્રકારની ગાથાઓ ઇત્યાદિ ગુરુ મહારાજ શિષ્યોને કંઠસ્થ કરાવે છે. [૧૮] પુર:સ્થિતા વીર્વાદ–તિર્થન્ નો વિવર્તિનઃ | સર્વાન્ ભાવીનવેક્ષને જ્ઞાનિન: શાસ્ત્રચક્ષુષા ૨૪ ા૨ા. [શબ્દાર્થ : પુર:સ્થિતાન રૂ સન્મુખ રહેલા હોય તેમ; ૩ધ્ધતિર્થ નોવિવર્તન:=ઊર્ધ્વ, અધો અને તિચ્છ લોકમાં પરિણામ પામતા; સર્વાન માવીન=સર્વ ભાવોને; મવેક્ષને=જુએ છે; જ્ઞાનિન =જ્ઞાની પુરુષો; શાસ્ત્રક્રુિષા=શાસ્ત્રરૂપી ચક્ષુથી.] અનુવાદ: જ્ઞાનીઓ શાસ્ત્રરૂપી ચક્ષુ વડે ઉર્ધ્વ, અધો અને તિચ્છ લોકમાં પરિણામ પામતા સર્વ ભાવોને સન્મુખ હોય એમ દેખે છે. (૨) વિશેષાર્થ : માણસની આંખો સારી હોય અને ખુલ્લી હોય ત્યારે નજર સામેના માણસો, પદાર્થો, દશ્યો ઇત્યાદિ એને સ્પષ્ટ દેખાય છે. તે વખતે થોડી વાર આંખો બંધ કરીને એનાં એ દશ્યો ઇત્યાદિને તે મનથી જોઈ શકે છે. ચક્ષુ વગરનું આ દર્શન છે, અચક્ષુદર્શન છે. પણ તે ચક્ષુદર્શનની તોલે ન આવે. માણસે કોઈ મિત્રની સાથે વર્ષો પહેલાં પ્રવાસ કર્યો હોય અને બંને મળે અને યાદ કરે ત્યારે એ પ્રવાસનાં સંસ્મરણો તાજા થાય છે, ભલે આંખ ખુલ્લી હોય કે બંધ હોય. માણસ એકલો બેઠો હોય અને આંખ બંધ કરીને પોતે ભારતમાં કે ભારત બહાર કરેલા પ્રવાસના પ્રસંગો નજર સમક્ષ તાજા કરી શકે છે. આવું અચશું દર્શન For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જ્ઞાનસાર સામાન્ય પ્રકારનું છે અને તે પણ દરેકને પોતાનાં કર્મોના તેવા પ્રકારનાં ક્ષયોપશમ અનુસાર થાય છે. જ્ઞાની મહાત્માઓ શાસ્ત્રોનો જ્યારે નિરંતર અભ્યાસ કરતા રહે છે ત્યારે ચોદ રાજલોકમાં સિદ્ધશિલા ક્યાં આવી, અમુક દેવલોક ક્યાં આવ્યો, ત્યાંના દેવો કેવા છે, મનુષ્યલોક કેવો છે, નીચે ભુવનપતિ અને વ્યંતર દેવલોક કેવા છે તથા એની નીચે નરકલોક કેવો છે ઇત્યાદિનો એવો સઘન અને સરસ અભ્યાસ થાય કે પછી એમને કોઈ ગ્રંથમાં જોવું ન પડે. તેમનું ચિત્ત આ બધી વાતોથી એવું સરસ ભાવિત થઈ જાય કે પછી એમને શાસ્ત્રચક્ષુ ખૂલે છે. એમનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ એટલી ઊંચી કોટિનો હોય છે કે માનસ અચક્ષુદર્શનથી તેઓને ચૌદ રાજલોકનું બધું નજર સન્મુખ હોય એમ દેખાય છે. અલબત્ત, એટલું લક્ષમાં રાખવું જોઇએ કે શાસ્ત્રચક્ષુ ખૂલવાથી જ્ઞાની મહાત્માને ચૌદ રાજલોકમાં પદાર્થો જાણે કે નજર સમક્ષ હોય એમ દેખાય છે. પરંતુ એ લગભગ કેવળજ્ઞાન જેવું છે એવું માનવાની ભૂલ ન થવી જોઇએ. કેવળજ્ઞાન આના કરતાં અનંતગણું ચડિયાતું છે. [૧૮૭] શાસના ત્રાપજોશ વધૈ: શાસ્ત્ર નિરુચ્યતે | वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ।।२४।।३।। [શબ્દાર્થ ઃ શાસના=અનુશાસનથી, હિતોપદેશ કરવાથી; ત્રાણશક્તિ=રક્ષણ કરવાની શક્તિથી; પૈ=અને; વધે=પંડિતો વડે; શાસ્થંકશાસ્ત્ર શબ્દની; નિરુચ્યતે વ્યુત્પત્તિ કરાય છે; વવનં=વચન; વીતરી =વીતરાગનું; તત્ત્વ=તે તો; ન=નથી; અચસ્થ=બીજાનું; વચ્ચે =કોઈનું.] અનુવાદઃ હિતનો ઉપદેશ કરે અને રક્ષણ કરવાની શક્તિ ધરાવે તે શાસ્ત્ર એવી ‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ વિદ્વાનો દ્વારા કરાય છે. તે (શાસ્ત્ર) વીતરાગનું જ વચન છે, અન્ય કોઈનું નહિ. (૩) For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨.૧ વિશેષાર્થ : સંસ્કૃત ભાષામાં પ્રત્યેક સ્વર અને વ્યંજનના એક કરતાં વધારે અર્થ થાય છે. ઘણા શબ્દોના પણ એક કરતાં વધુ અર્થ થાય છે, એટલું જ નહિ શબ્દોના પરસ્પર સંયોજનથી નવા શબ્દો બનાવી શકાય છે. શબ્દના અક્ષરોમાંથી નિષ્પન્ન થતો અર્થ એ યોગિક અર્થ કહેવાય છે. એવો અર્થ વ્યુત્પન્ન કરવામાં આવે છે એટલે કે શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. શબ્દના આવા વ્યુત્પન્ન અર્થો ઉપરાંત રૂઢ થયેલા અર્થ હોય છે અને એના લાક્ષણિક અર્થ પણ કરવામાં આવે છે. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં શાસ્ત્ર' શબ્દનો વ્યુત્પત્તિસૂચક અર્થ આપ્યો છે. શાસનાક્ એટલે શાસન-અનુશાસન કરવાથી, હિતોપદેશ કરવાથી એવો અર્થ થાય. ત્રાપા એટલે રક્ષણ. ત્રાણ શક્તિથી એટલે સર્વ જીવોને રક્ષણ આપવાની શક્તિ-સામર્થ્યથી. આમ શાસન + ત્રાપા ઉપરથી, એટલે કે શમ્ + ઉપરથી શાસ્ત્ર શબ્દ બન્યો છે. આમ બે શબ્દ ભેગા મળીને શાસ્ત્ર' શબ્દ બન્યો ત્યારે એ શબ્દ વળી નવો અર્થ ધારણ કર્યો., શાસ્ત્ર એટલે આપ્તવચન, સર્વજ્ઞવચન, વીતરાગવચન એટલે કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં, વાચક ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ” ગ્રંથમાંથી આધાર આપતાં નીચેનો શ્લોક ટાંક્યો છેઃ शासनसामर्थ्येन च संत्राणवलेनानवद्येन। युक्तं यत् तच्छास्रं तच्चैतत् सर्वविद्वचनम् ॥ [હિતશિક્ષા આપવાના સામર્થ્યથી અને નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.] આમ, શાસ્ત્રવચન એટલે સર્વ જીવનું હિત કરે એવું વચન અને સર્વજીવનું રક્ષણ કરે એવું વચન. જીવોના હિતની ભાવના એટલે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવાની ભાવના અને રક્ષણ એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયથી માંડીને સર્વજીવો પ્રત્યે દયા, અહિંસાની ભાવના. ' For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ૨ જ્ઞાનસાર શબ્દ એક જ છે “શાસ્ત્ર', પણ તે ઘણું બધું કહી જાય છે. [૧૮૮] શાસ્તે પુરસ્કૃતે તમદ્િવીતરા: પુરત: | પુરો પુનર્તાશ્મિ નિયમાન્ સર્વસિદ્ધય: રાજા [શબ્દાર્થ રાત્રે શાસ્ત્રને; પુરસ્કૃતે=આગળ કરવાથી; તસ્મત્રિતેથી, એટલે; વીતરી 1:=વીતરાગને; પુરસ્કૃત:=આગળ કર્યા છે; પુરસ્કૃતે=આગળ કરવાથી; પુન:=વળી, તમિનzતેમને; નિયમ =નિયમા, અવશ્ય સર્વસિય:=સર્વ સિદ્ધિ માટે થાય છે.] અનુવાદઃ તેથી શાસ્ત્રને આગળ કર્યું એટલે વીતરાગને આગળ કર્યા. વળી તેમને (વીતરાગને) આગળ કર્યા એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ થાય છે. (૪). | વિશેષાર્થ : કોઈ સરસ ઉત્તમ ગ્રંથ હાથમાં આવે, કોઈ સરસ ચિત્ર આપણા જોવામાં આવે કે હૃદય ડોલાવે એવી કોઈ શ્રેષ્ઠ કાવ્યકૃતિ વાંચવામાં આવે તો તરત એના કર્તા કોણ છે એ જાણવા માટે આપણને ઉત્સુકતા થાય છે અને તેમને જો પ્રત્યક્ષ મળવાનું થાય તો વળી અનહદ આનંદ થાય. સ્થૂલ ભૌતિક વસ્તુઓ માટે પણ જો આવો આનંદ થાય તો પછી જેમણે આપણને મોક્ષમાર્ગ બતાવ્યો છે અને એ માટે આપણને આગમો રૂપી શાસ્ત્રો આપ્યાં છે એ તીર્થંકર પરમાત્મા માટે કેટલો બધો આનંદ થાય! ઉપાધ્યાયજી મહારાજે પોતાના કથનના સમર્થનમાં આ શ્લોકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિના ષોડશક' ગ્રંથમાંથી નીચેનો શ્લોક ટાંક્યો છેઃ अस्मिन हृदयस्थे सति हृदयस्थस्तत्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः ॥ તીર્થંકર પ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાત્મા તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તેઓ તેના સ્વતંત્ર પ્રણેતા છે અને જ્યારે તીર્થકર ભગવાન હૃદયમાં હોય ત્યારે અવશ્ય સર્વ અર્થની સિદ્ધિ થાય છે.] For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨ ૩ આ રીતે અરિહંત પરમાત્માનું સ્મરણ, રટણ અહોરાત્ર હોવું જોઇએ. એમની પૂજા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે થવી જોઇએ. વીતરાગ ભગવાન માટે આદર કેમ ન થાય ? એમને આપણે આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ અને એમની આજ્ઞાનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ રહીએ છીએ. એટલે જ અહીં કહેવાયું છે કે આપણે શાસ્ત્રને આગળ કર્યા એનો અર્થ એ જ એ કે આપણે વીતરાગ ભગવાનને આગળ કર્યા છે. વળી, એક વાર વીતરાગ ભગવાનને આગળ કર્યા તો સર્વ સિદ્ધિ અવશ્ય મળે જ છે, કારણ કે વીતરાગ ભગવાનનાં વચન એ સર્વજ્ઞનાં વચન છે. એમાં ક્ષતિ કે ત્રુટિ હોઈ ન શકે. અહીં સિદ્ધિની જે વાત કરી છે તે સમ્યગ્દર્શનની, કેવળજ્ઞાનની સિદ્ધિની વાત છે, કોઈ ભૌતિક પદાર્થની કે પુગલના સંગની સિદ્ધિની વાત નથી. આ સંદર્ભમાં શ્રી દેવચંદ્રજી મહારાજે આગમની નીચેની ગાથા ટાંકી છેઃ आगमं आयरंतेणं अत्तणो हियकंखिणो। तित्थनाहो सयंवुद्धो सब्वे ते वहुमनिया ॥ [આગમનો આદર કરવાથી આત્માના હિતની ઇચ્છાવાળા, સ્વયંસંબુદ્ધ તીર્થકર વગેરે બધાનું બહુમાન થાય છે.] આમ, આગમનો આદર કરવાથી એટલે કે આપણાં શાસ્ત્રોનો આદર કરવાથી અરિહંત પરમાત્માનું સ્મરણ હૃદયમાં રહે છે. વળી એથી એમણે સ્થાપેલા ચતુર્વિધ સંઘનું અને એમના મુનિઓનું આદર-બહુમાન થાય છે. [૧૮૯] અદBર્થેડનુથાવત્ત: શાસ્ત્રીપ વિના વડા: I प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ।।२४।।५।। [શબ્દાર્થ : મદાર્થે નહિ જોયેલા અર્થમાં, પરોક્ષ અર્થમાં; અનુધવન્ત:=પાછળ દોડતા; શાસ્ત્રી =શાસ્ત્રરૂપી દીવો; વિના=વગર; નડી:=જડ લોકો, અવિવેકી માણસો; પ્રાનુવન્તિઃપ્રાપ્ત કરે છે, પામે છે; પર=અત્યંત; રવેદં=ખેદ, કુલેશ; પ્રસવતન્તઃ=ઠોકરો ખાતા; પર્વે વે=પગલે પગલે.] For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ જ્ઞાનસાર અનુવાદઃ શાસ્ત્રરૂપી દીપક વિના, અદષ્ટ અર્થમાં (પરોક્ષ વિષયમાં) પાછળ પાછળ દોડતા જડ (અવિવેકી) માણસો પગલે પગલે ઠોકર ખાતા અત્યંત ખેદ પામે છે. (૫) વિશેષાર્થ : કેટલીક વાર શાસ્ત્રને ચક્ષુ, દીપક, નૌકા ઇત્યાદિ તરીકે ઓળખાવવામાં આવે છે. જિનેશ્વર ભગવાન-કથિત શાસ્ત્રો એ લક્ષ્ય સુધી પહોંચાડનારું પ્રબળ સાધન છે. ગુરુપરંપરાએ પ્રાપ્ત એવા શાસ્ત્રકથનથી, શાસ્ત્રજ્ઞાનથી કેટલાયે જીવોનો ઉદ્ધાર થતો રહ્યો છે. આખું જગત અજ્ઞાનરૂપી એટલે કે મિથ્યાત્વરૂપી અંધકારથી ભરેલું છે. સૂર્યનો ઝળહળતો પ્રકાશતો હોય તો પણ ઠેર ઠેર મિથ્યાત્વરૂપી અંધકારમાં અટવાતા જીવોને જોઈને જ્ઞાનીને દયા આવે છે. શાસ્ત્ર અંધારામાં દીપકની ગરજ સારે છે. જેઓ શાસ્ત્રનો અનાદર કરે છે, અસ્વીકાર કરે છે તેઓ અંધારામાં દીવા વગર ચાલતા અને પગલે પગલે ઠોકર ખાતા, ખાડા, કાંટામાં અટવાતા મુસાફર જેવા છે. દીવો નાનો હોય તો પણ અંધકારમાં એ શક્તિશાળી બની જાય છે. જૂના વખતમાં એક આદિવાસી કઠિયારો જંગલમાં ભૂલો પડ્યો. ઘોર અંધારું થયું. એક ઝૂંપડીવાળાએ એને દીવો આપ્યો. કઠિયારાએ જિંદગીમાં પહેલી વાર દીવો જોયો. એણે દીવો પાછો આપ્યો ને કહ્યું કે “દીવાથી તો આટલામાં થોડું દેખાય છે. મારે તો ઠેઠ ઘર સુધી જવું છે.” ઝૂંપડીવાળાએ કહ્યું કે આ દીવાથી જ્યાં સુધી તને દેખાય ત્યાં સુધી તે ચાલતો રહે, એમ કરતાં કરતાં તું ઘરે પહોંચી જશે.” અને એ રીતે કઠિયારો અંધારામાં ઘર સુધી પહોંચી ગયો. શાસ્ત્રરૂપી દીપક જીવને મિથ્યાત્વરૂપી અંધકારમાં માર્ગ બતાવી ક્રમે ક્રમે ઠેઠ લક્ષ્યસ્થાન મોક્ષ સુધી પહોંચાડી શકે છે. માટે શાસ્ત્રોની અવગણના કે અવહેલના ન કરવી જોઈએ. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨૫ [૧૯] શુદ્ધચ્છદ શાસ્ત્રીજ્ઞાનિરપેક્ષી નો હિતમ્ | भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ।।२४।।६।। [શબ્દાર્થ : શુદ્ધોછાદv=શુદ્ધ ભિક્ષા વગેરે બાહ્યાચાર પણ; શાસ્ત્રીજ્ઞાનિરપેક્ષ શાસ્ત્રની આજ્ઞાની અપેક્ષા વગરને, સ્વછંદમતિવાળાને; ન=નહિ; હિત—હિત કરનાર; મૌતદન્ત =ભૌતમતિને હણનારને; યથા=જેમ; તસ્ય તેના; પસ્પર્શ=ચરણસ્પર્શનો; નિવારમ=નિવારવો, નિષેધ કરવો. અનુવાદઃ જેમ ભોતમતિને હણનારને તેના (ભોતમતિના) પદસ્પર્શનું નિવારણ હિતકર નથી, તેમ શાસ્ત્રની આજ્ઞાની અપેક્ષારહિત શુદ્ધ ભિક્ષા વગેરે પણ હિતકર નથી. (૬) વિશેષાર્થ : પ્રતિવર્ષ સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા લઈ અનેક નવદીક્ષિતો પોતપોતાના સમુદાયમાં જોડાય છે. તેઓ પોતાના ગુરુભગવંતની કે ગચ્છાધિપતિની આજ્ઞામાં રહે છે. ગચ્છાધિપતિ શાસ્ત્રવિહિત સામાચારી મુજબ પોતાનું જીવન જીવે છે અને સમુદાયને પણ એ પ્રમાણે આચાર પાલન માટે કહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તે આજ્ઞા છે. એટલા માટે કહેવાયું છેઃ સાપIણ થપ્પો આજ્ઞા પ્રમાણે ધર્મનું પાલન કરવું અને આજ્ઞા એ જ ધર્મ. આ આજ્ઞા આવે છે ક્યાંથી ? ગુરુપરંપરાએ જોતાં જોતાં છેવટે તો ભગવાનનાં વચનોમાંથી, આગમગ્રંથોમાંથી, શાસ્ત્રોમાંથી આજ્ઞા આવે છે. આજ્ઞામાં સિદ્ધાન્તની વાત હોય અને આચરણની વાત હોય. કેટલાક આચરણનું પાલન બરાબર કરે પણ સિદ્ધાન્તનું નહિ. તેઓ શાસ્ત્રની આજ્ઞાનું હાર્દ કે રહસ્ય બરાબર ન સમજ્યા હોય એવું બને. આવા સંજોગોમાં આચરણ કરતાં પણ સિદ્ધાન્તના મર્મનું, આજ્ઞાનું મહત્ત્વ વધારે ગણાય. કોઈ સાધુ મહારાજ આચરણ બરાબર પાળે, જેમ કે બેતાલીસ દોષરહિત ગોચરી વહોરી લાવે અને તે પ્રમાણે વાપરે, સંથારો, કેશલોચ, બ્રહ્મચર્યનું પાલન, For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ રિસાનસાર પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે ક્રિયાઓ કરે, આયંબિલ ઉપવાસ વગેરે તપશ્ચર્યા ઇત્યાદિનું પાલન ચુસ્ત રીતે કરે, પણ પોતાના ગુરુ ભગવંતની આજ્ઞા એટલે કે શાસ્ત્રની આજ્ઞા ઉત્થાપે તો એથી એમનું આત્મહિત થતું નથી. મુનિ મહારાજનું જીવન શાસ્ત્ર-સાપેક્ષ હોવું જોઈએ. શાસ્ત્ર-સાપેક્ષ એટલે કે શાસ્ત્રને માન્ય હોય એવું જોઈએ, શાસ્ત્રને અમાન્ય હોય એવું નહિ. શાસ્ત્રાજ્ઞાનું હાર્દ સમજવું એ સૌથી મહત્ત્વનું છે. આ સંદર્ભમાં પ્રાચીન સમયનું એક દૃષ્ટાન્ત આપવામાં આવે છે. એક શબર (ભીલ જાતિ) રાજા હતો. તે જંગલમાં રહેતો હતો અને જંગલમાં એના રાજ્યમાં ભીલ લોકો રહેતા કે જેઓ ધનુષ્યવિદ્યામાં કુશળ હતા. રાજાને લાગ્યું કે પોતાને કોઈક ગુરુ હોવા જોઈએ. તપાસ કરતાં દૂર એક ગામમાં એક સંન્યાસી મહારાજ છે એમ જાણ્યું. એમનું નામ ભૌતમતિ. રાજા પોતાની રાણી, પરિવારના સભ્યો અને સેવકો સાથે ભૌતમતિનાં દર્શને ગયો. ભૌતમતિથી તેઓ પ્રભાવિત થયા. એણે ભૌતમતિને પોતાના ગુરુપદે સ્થાપ્યા. ગુરુનાં ચરણ અત્યંત પવિત્ર ગણાય એટલે તેઓ બધાંએ ચરણસ્પર્શ કર્યા. રાજાએ ગુરુ ભૌતમતિને કહ્યું કે કંઈ જરૂર હોય તો કહેવડાવજો. રાજા પોતાના ગામમાં પાછા ફર્યા. બધાએ ભૌતમતિ ગુરુની પ્રશંસા કરી. રાણીએ કહ્યું કે “ભૌતમતિ પાસે મોરના પીછાંવાળું જે છત્ર છે તે બહુ સુંદર છે. મારે એ છત્ર જોઈએ છે.” રાણીએ હઠ લીધી એટલે રાજા ગયો ભૌતમતિ પાસે. રાણીને છત્ર બહુ ગમી ગયું છે એની વાત કરી. ભૌતમતિ રાજી થયા, રાજાએ કહ્યું, “આ છત્ર તમે રાણી માટે આપો.” ભૌતમતિએ કહ્યું, “છત્ર અમારાથી અપાય નહિ.” રાજાએ આગ્રહ કર્યો તો પણ ભૌતમતિએ સ્પષ્ટ ના કહી, એથી ગુસ્સે થયેલો રાજા પોતાના ગામમાં પાછો આવ્યો. રાણી નિરાશ થઈ અને તે પણ ગુસ્સે ભરાઈ. એટલે રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે ગુરુ પાસેથી છત્ર પડાવી લાવો. જરૂર પડે તો ગુરુનો વધ કરીને એમની પાસેથી છત્ર લઈ આવો. પણ બાણ એવી રીતે મારજો કે જેથી For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨૭ ગુરુના પવિત્ર ચરણને કંઈ થવું ન જોઈએ.” સૈનિકો એ રીતે ભૌતમતિને મારીને છત્ર લઈ આવ્યા ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે “ગુરુનાં ચરણને કશું થયું નથી ને ? કારણ કે ગુરુનાં ચરણ બહુ પવિત્ર વસ્તુ સૈનિકોએ જ્યારે કહ્યું કે ભૌતમતિ મૃત્યુ પામ્યા, પણ એમના ચરણને કશી ઈજા થઈ નથી ત્યારે રાજાએ પ્રસન્ન થઈ સૈનિકોને શાબાશી આપી. ભૌતમતિનું દૃષ્ટાન્ત એ સૂચવે છે કે શાસ્ત્રની આજ્ઞાનું હાર્દ ન સમજો અને બીજી બધી ક્રિયાઓ ચીવટપૂર્વક કરો તો તેથી પોતાનું આત્મહિત સધાતું નથી. [૧૯૧] જ્ઞાનાદિ મહામત્રં સ્વીષ્ઠીરનમ્ ___ धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ।।२४।।७।। [શબ્દાર્થ : અજ્ઞાનાદિ=બજ્ઞાન+હિં=અજ્ઞાનરૂપી સર્પ; મહામન્ત્ર=મહામંત્ર, સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન; સ્વાચ્છન્દ=સ્વાચ્છેદ્ય, સ્વચ્છંદતા; વ=તાવ; નધન—લાંઘણ, ઉપવાસ; ધર્મારામ=ધર્મરૂપી ઉદ્યાન; સુધી જ્યાં=સુધા અર્થાત્ અમૃતની નીક જેવા; શાસ્તં=શાસ્ત્રને; માઠું =કહે છે; મર્ષય:=મહર્ષિઓ.] અનુવાદઃ મહર્ષિઓ શાસ્ત્રને, અજ્ઞાનરૂપી સર્પને વશ કરનાર (સર્પનું ઝેર ઉતારનાર) મહામંત્ર, સ્વચ્છંદતારૂપી જ્વરને ઉતારવામાં લાંધણ, ધર્મરૂપી ઉદ્યાનમાં અમૃતની નીક સમાન કહે છે. (૭) વિશેષાર્થ : શાસ્ત્રોને માટે દીપકનું રૂપક પ્રયોજ્યા પછી બીજાં ત્રણ યથાર્થ રૂપકો અહીં પ્રયોજવામાં આવ્યાં છે. શાસ્ત્ર મહામંત્ર, લાંઘણ અને અમૃતની નીક શાસ્ત્રોના વિભિન્ન ઉપયોગોને જુદી જુદી રીતે ઘટાવીને એની સાર્થકતા અહીં દર્શાવવામાં આવી છે. મિથ્યાત્વરૂપી અજ્ઞાનને સર્પ તરીકે બતાવવામાં આવે છે. સર્પનું ઝેર તત્પણ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૮ જ્ઞાનસાર જીવલેણ હોય છે. માણસ કે ગાય, ઘોડા જેવાં પ્રાણી પણ તરત મૃત્યુ પામે છે. જેમને જાંગુલિ મંત્ર આવડતો હોય તે એ મંત્ર ભણીને ઝેર ઉતારે છે. અજ્ઞાન અથવા મિથ્યાત્વરૂપી સર્પ તો એથી વધુ ભયંકર છે. ભવોભવ તેનું ઝેર ચાલે છે. એ ઝેર ઉતારવા માટે મહામંત્ર જોઈએ-આપણાં શાસ્ત્રો એ મહામંત્રનું કામ કરે છે એમ મહર્ષિઓ કહે છે. સ્વચ્છંદતા એ મોહનો જુવર એટલે કે તાવ છે. જ્યાં સુધી જીવમાં સ્વચ્છંદતા છે ત્યાં સુધી તેને મોક્ષ માટે યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તાવ ઉતારવા માટેનો આયુર્વેદ પ્રમાણે ચાલતો પ્રથમ ઉપાય તે લાંઘણ અથવા ઉપવાસ છે. સ્વચ્છંદતા રૂપી તાવ ઉતારવા માટે શાસ્ત્રો લાંઘણ તુલ્ય છે. તદુપરાંત શાસ્ત્રો અમૃતની નીક સમાન છે. ધર્મરૂપી બગીચો સુકાઈ જતો અટકાવવાનું કામ શાસ્ત્રો કરે છે, એટલું જ નહિ તેને પોષણ આપી સુંદર રીતે જીવાડવાનું અને વિકસાવવાનું કાર્ય પણ શાસ્ત્રો કરે છે. મહર્ષિઓએ આપણાં મૂલ્યવાન શાસ્ત્રોની ઉપયોગિતા સરસ રીતે દર્શાવી છે. [૧૯૫] શાસ્ત્રોક્તાવાર વર્તા વ શાસ્ત્રજ્ઞ: શાસ્ત્રદેશ: I शास्त्रैकग् महायोगी प्राप्नोति परमं पदम् ।।२४।।८।। [શબ્દાર્થ શાસ્ત્રોક્ત=શાસ્ત્રમાં કહેલા; બાવર#ર્તા–આચાર પાળનાર; =અને; શાસ્ત્રજ્ઞ શાસ્ત્રને જાણવાવાળા; શાસ્ત્ર શાસ્ત્રનો ઉપદેશ કરનાર, શાસ્ત્ર અનુસાર ઉપદેશ આપનાર; શાસ્સેદ=શાસ્ત્રમાં એક દૃષ્ટિવાળા, માત્ર શાસ્ત્રાનુસાર દૃષ્ટિવાળા; મહાયોગી=મહાન યોગી; મનોતિ પ્રાપ્ત કરે છે. પામે છે; પરમં=પરમ; પર્વ=પદને (મોક્ષને).] અનુવાદઃ શાસ્ત્રમાં કહેલા આચારોનું પાલન કરનાર, શાસ્ત્રને જાણવાવાળા, શાસ્ત્રનો ઉપદેશ આપનાર અને શાસ્ત્રમાં એક દષ્ટિવાળા મહાયોગી પરમ પદને પામે છે. (૮) For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨૯ વિશેષાર્થ : વર્તમાનકાળમાં મોક્ષમાર્ગની આરાધના માટે મુખ્ય બે આલંબન છે; જિનબિંબ અને જિનાગમ. જિનાગમ એટલે ગણધર ભગવંતોએ ગૂંથી લીધેલી તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી નીકળેલી વાણી. આ જિનાગમો ઉપર પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા ઇત્યાદિ સ્વરૂપે ઘણો પ્રકાશ પાથર્યો છે. જીવન સંકુલ છે, અધ્યાત્મની વાતો ઘણી સૂક્ષ્મ છે તથા મોક્ષમાર્ગ દુર્ગમ છે. એટલે શાસ્ત્રોનો આધાર અનિવાર્ય છે. પરમપદ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રાનુસાર જીવન અનિવાર્ય છે. માસતુસ મુનિએ શાસ્ત્રાભ્યાસ નહોતો કર્યો તો પણ એમને કેવળજ્ઞાન થયું હતું. એટલે શાસ્ત્રોના અભ્યાસની કોઈ આવશ્યકતા નથી એમ કહેવું તેમાં અધૂરી સમજણ છે. મહાયોગીએ શાસ્ત્રની પરિણતિ માટે શું કરવું જોઈએ એ વિશે અહીં ચાર મહત્ત્વની વાત કરી છે. મુનિ મહારાજ કેવળ શાસ્ત્રની જ દષ્ટિ ધરાવનાર, શાસ્ત્રના જ્ઞાતા અને શાસ્ત્રાનુસાર ચારિત્રપાલન કરનાર અને શાસ્ત્રાનુસાર ઉપદેશ આપનાર હોવા જોઈએ. આમાં સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્રની એટલે કે રત્નત્રયીની આરાધનાની વાત ગૂંથી લીધી છે. મુનિ મહારાજ પાસે શાસ્ત્રની દૃષ્ટિ હોવી જોઈએ તે એટલા માટે કે ક્યારેક શાસ્ત્રસિદ્ધાન્ત, લોકાચાર અને પરંપરા વચ્ચે વિસંવાદ કે વિસંગતિ થાય ત્યારે મુનિરાજ શાસ્ત્રના આધારને જ સ્વીકારે. તેઓ શાસ્ત્રનું શરણું લે. મુનિ મહારાજ શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ, પરંતુ શાસ્ત્રમાં કેટલીક વખત સામાન્ય માણસોને ભિન્ન ભિન્ન વચનો જોવા-સાંભળવા મળે ત્યારે એને સ્યાદ્વાદ શૈલીથી સમજાવતાં આવડવું જોઈએ. શાસ્ત્રો તો સમુદ્ર જેવાં અગાધ છે. બધું વાંચી શકાતું નથી. પણ એક વખત તીર્થંકર પરમાત્માનો આશય પોતાના ચિત્તમાં સ્પષ્ટ હોય તો મૂળ માર્ગને વળગી રહેવામાં અડચણ આવતી નથી. મુનિ ભગવંતનું આચરણ શાસ્ત્રાનુસાર, જિનાજ્ઞાનુસાર હોવું જોઈએ. એમ ન થાય તો પરોપદેશે પાંડિત્યમ્ જેવું થાય. આચરણની મહેક જુદી છે. આચરણથી અંદરની પરિણતિ વિશુદ્ધ થાય છે અને વર્ષોલ્લાસ અનુભવાય છે. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જ્ઞાનસાર મુનિરાજે ઉપદેશ પણ શાસ્ત્રાનુસાર જ આપવાનો હોય છે. એ ગંભીર હોય અને રસિક પણ હોય, પરંતુ શ્રોતાઓ માટે શાસ્ત્રના ભોગે અને લોકપ્રિયતાના આશયથી લોકરંજનની શૈલી અપનાવવી તે યોગ્ય નથી. ઉપાધ્યાયજી મહારાજે જ ગાયું છેઃ જનમનરંજન ધર્મનું મૂલ્ય ન ફૂટી બદામ એક વખત શાસ્ત્રપ્રીતિ થાય તો અંદરનો જ્ઞાનપ્રકાશ ઉત્તરોત્તર વધુ પ્રજ્વલિત થાય છે, અંતરનો ઉઘાડ વધતો જાય છે અને કાલાન્તરે તે પરમપદની પ્રાપ્તિ કરાવે છે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક ૩ ૩ ૧ ૨૫. પરિગ્રહાષ્ટક [૧૯૩] પરવર્તત પાર્વતાં ગાતુ નોસ્કૃતિ | परिग्रहग्रहः कोऽयं विडम्बितजगत्त्रयः ।।२५।।१।। [શબ્દાર્થ =નથી; પરીવર્તત=પાછો ફરતો; રાશેઃ=રાશિથી; વતાં વક્રતાને; નાતુ–ક્યારેય પણ ન=નથી; સંસ્કૃતિ તજતો, છોડી દેતો; પરિગ્રહ :=પરિગ્રહરૂપી ગ્રહ; વ:=કોણ છે; યં આ; વિન્વિત વિડંબના પમાડી છે; નત્રય =ત્રણ જગતના લોકોને.] અનુવાદઃ જે રાશિથી પાછો ફરતો નથી, વક્રતાને ક્યારેય છોડતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના પમાડી છે તે પરિગ્રહરૂપી ગ્રહ કયો ગ્રહ છે ? (૧) વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરિગ્રહની સક્ઝાયમાં કહ્યું છેઃ નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદીય ન હોય; પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દીયે દુઃખ સોય, સલૂણા. પરિગ્રહ મમતા પરિહરો. આ શ્લોકમાં “ગ્રહ” અને “રાશિ' એ બે શબ્દો ઉપર શ્લેષ છે, “ગ્રહનો એક અર્થ થાય છે ગ્રહણ કરવું, પકડવું વગેરે. “ગ્રહ'નો બીજો અર્થ થાય છે આકાશના ગ્રહો, જેમ કે મંગળ, શુક્ર, શનિ વગેરે. ભારતીય પરંપરા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર પણ ગ્રહ છે. “રાશિ'નો એક અર્થ થાય છે સમૂહ, ઢગલો ઇત્યાદિ. “રાશિનો બીજો અર્થ થાય છે આકાશની રાશિ, જેમ કે વૃષભ, મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા વગેરે. સમગ્ર આકાશને બાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તે પ્રત્યેકને રાશિ કહે છે. આકાશમાં નક્ષત્રો ૨૭ છે, બાર મહિનાનાં બાર નક્ષત્ર છે, જેમ કે કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય વગેરે. તદુપરાંત વૃશ્ચિક, રોહિણી, આદ્ર, હસ્ત For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩ ૨ જ્ઞાનસાર વગેરે પંદર નક્ષત્રો છે. એમ બધાં મળી ૨૭ નક્ષત્રો છે. આકાશમાં તારા અને નક્ષત્રો ઉપરાંત સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ નવ ગ્રહ છે. આ નવે ગ્રહની પોતપોતાની ગતિ છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સંસારના જીવો ઉપર એની સારી અને માઠી અસર છે. ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે. ક્યારેક તે સીધા ચાલે છે. ક્યારેક એની ગતિ વક્ર-વાંકી હોય છે. આકાશના ગ્રહોની લાક્ષણિકતા એ છે કે તેઓ કોઈપણ એક સમયે જગતના કેટલાક જીવો ઉપર શુભ દૃષ્ટિ ધરાવે છે અને તેઓને ભૌતિક રીતે સુખી કરે છે અને બીજા કેટલાક જીવો ઉપર વક્ર દૃષ્ટિ કરે છે અને તેઓને દુઃખી કરી નાખે છે. અન્ય વખતે તે દૃષ્ટિ બદલાતાં સુખીને દુઃખી કરે છે અને દુઃખીને સુખી કરે છે ગ્રહોમાં આ રીતે ફેરફાર થયા કરે છે. બધા જ ગ્રહો કાયમને માટે શુભ કે કાયમને માટે અશુભ દૃષ્ટિ નથી ધરાવતા. વળી કોઇપણ એકનો એક જ ગ્રહ નિશ્ચિત કાળે અમુક જીવો માટે વક્ર હોય છે અને તે જ સમયે અમુક જીવો માટે શુભ હોય છે. પરિગ્રહ શબ્દ “પરિ' અને “ઢ નો બનેલો છે. પરિ એટલે ચારે બાજુથી.ગ્રહ એટલે ગ્રહણ કરવું, પકડવું. આ ગ્રહે જીવને ચારે બાજુથી પકડેલો છે. માટે એને “પરિગ્રહ” કહેવામાં આવ્યો છે. “પ્રઢ' શબ્દ ઉપર શ્લેષ છે. આ પરિગ્રહરૂપી ગ્રહ કેવો છે ? તે અનાદિ કાળથી જે રાશિમાં છે ત્યાંથી પાછો ફર્યો નથી તથા અનંતકાળ સુધી એમાં જ રહેવાનો છે. એનો અર્થ એ થયો કે જીવને ધનવૈભવ, માલમિલકત ઇત્યાદિના સમૂહરૂપી જે રાશિ સાથે જોડાણ છે તે ક્યારેય મટવાનું નથી, કારણ કે બધા જ જીવોને પરિગ્રહ નામની સંજ્ઞા વળગેલી છે. વળી આકાશના ગ્રહો ક્યારેક પોતાની વક્રતાનો ત્યાગ કરીને સીધી ગતિએ જાય છે, પરંતુ પરિગ્રહરૂપી ગ્રહ ક્યારેય પોતાની વક્ર ગતિ છોડવાનો નથી. એટલે કે એની વક્ર દૃષ્ટિને કારણે ત્રણ જગતના જીવો ક્યારેય સુખી થવાના નથી. પરિગ્રહ હંમેશાં દુઃખનું નિમિત્ત છે અને મોક્ષમાર્ગમાં તે અંતરાયરૂપ છે. પરિગ્રહના બે પ્રકાર છેઃ દ્રવ્યપરિગ્રહ અને ભાવપરિગ્રહ. એમાં દ્રવ્યપરિગ્રહ એ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક ૩૩૩ ભાવપરિગ્રહનું કારણ છે. દ્રવ્યપરિગ્રહ એટલે પોતાના ભોગોપભોગ માટે માલમિલકત, સ્ત્રી–પરિવાર. જમીન, વાહન, દાસદાસી વગેરે રાખવાં તે. ભાવપરિગ્રહ એટલે રાગાદિ ભાવો, કષાયો, દેહબુદ્ધિ ઇત્યાદિ. [૧૯૪] પરિપ્રદકહાવેશાર્દૂ સુપિતર:વિરામ श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।२५।।२।। [શબ્દાર્થઃ પરિગ્રહ ફાવેશ=પરિગ્રહરૂપી ગ્રહના પ્રવેશથી; કુષિત–ઉત્સુત્ર ભાષણ; રન:શિરા=રજ (ધૂળ) ઉડાડનારા; શૂન્ત=સંભળાય; વિવૃતા:=વિકૃતિવાળા; કિશું; ન નથી; પ્રતાપ:=પ્રલાપ, બકવાદ;દ્રિામપ=વેષધારીઓના પણ.] અનુવાદઃ પરિગ્રહરૂપી ગ્રહનો પ્રવેશ થવાથી ઉત્સુત્ર વચન (દુર્ભાષિત) રૂપી ધૂળ ઉડાડનારા વેશધારીઓના પણ વિકૃત પ્રલાપ શું સંભળાતા નથી? (૨) વિશેષાર્થ અહીં કહેવાતા સાધુ-સંન્યાસીઓના પરિગ્રહની વાત કરી છે. ઘરબાર, માલ-મિલકત, કુટુંબ પરિવાર વગેરે છોડીને જેઓ ત્યાગી સાધુ-સંન્યાસી થયા છે તેમના અંતરમાં જો પરિગ્રહની વૃત્તિ પડેલી હશે તો તે રૂપાન્તરિત થઈને પણ પાછી આવે છે. કોઈપણ સ્થૂલ પદાર્થ માટે, છેવટે પોતાની મહત્તા, યશકીર્તિ ઇત્યાદિ સૂક્ષ્મ વસ્તુઓ માટે આસક્તિ રહી તો તે પરિગ્રહમાં પરિણમે છે. માણસ સંન્યાસી થઈને ભગવાં કપડાં ધારણ કરે, પણ પછી તે સારામાં સારા, મોંઘામાં મોંઘા કાપડમાંથી બનાવેલાં, ચમકદાર હોવાં જોઈએ. ગળાની રૂદ્રાક્ષની માળા, હાથની માળા, ચમાની ફ્રેમ, હાથમાં રાખવાની લાકડી, છત્રી, ચાખડી–આ બધું જ સારામાં સારું જ જોઈએ એવો આગ્રહ પરિગ્રહની આસક્તિ દર્શાવે છે. તેઓ માત્ર વેશધારી સાધુ હોય છે. જૈન અને અન્ય ધર્મના સાધુઓને, જો અંતરમાં પરિગ્રહની મમતા-આસક્તિ રહી ગઈ હોય તો તેમને ધર્મક્રિયા માટેનાં ઉપકરણો સારામાં સારાં જોઈશે. આથી આગળ જતાં કેટલાકને ઉપાશ્રય, ગ્રંથાલય, આશ્રમ, ધર્મશાળા, પાઠશાળા જેવાં સ્થાનો ઉપર પોતાનાં કે પોતે નક્કી કરેલાં નામ અને અધિકાર માટે આગ્રહ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જ્ઞાનસાર રહે છે. કેટલાક એના વહીવટમાં પોતાની સત્તા રાખે છે. કેટલાકને ગ્રંથો, પોથીઓ વગેરેની આસક્તિ રહે છે. કેટલાક ધનને સ્પર્શ કરતા નથી, પણ ધન ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેના હિસાબો મનમાં રાખે છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે આવા વેશધારી સાધુ-સંન્યાસીઓની એમના પરિગ્રહ માટે જો ટીકા કરવામાં આવે તો તેઓ તેની પ્રતિક્રિયારૂપે દુષ્ટવચનરૂપી ધૂળ ઉડાડે છે. તેઓ ક્રોધે ભરાઈને પ્રલાપ કરે છે અને પોતાના જેવું કરનારા બીજા સાધુ વગેરેને ઉઘાડા પાડે છે. સાધુ-સંન્યાસી થયા એટલે ત્યાગી થયા અને પરિગ્રહ છોડ્યો, પણ એટલું બસ નથી, પરિગ્રહ માટેની મમતા-આસક્તિ પણ છૂટવી જોઈએ. ‘ઉપમિતિ ભવ પ્રપંચાકથા'માં કહ્યું છે કે મુનિ પોતાના શ્રુતજ્ઞાનની કદરરૂપે લાભથી શ્રાવક વર્ગ તરફથી પૂજા સત્કાર પામે અને મુનિ તે શ્રાવકોએ કરેલા ચંદરવાની રમણીયતા નિહાળી મમત્વ, આસક્તિ અને અહંકારથી જો દૂષિત થાય તો તે તીવ્ર જ્ઞાનાવરણીય વગેરે કર્મ બાંધે છે. મુનિપણામાં સ્કૂલ અને સૂક્ષ્મ પરિગ્રહની કસોટીના ઘણા પ્રસંગો આવે છે. જેઓ સવેળા જાગે છે અને પાછા ફરે છે તેઓ દુર્ગતિમાંથી બચી જાય છે. [૧૯૫] યજ્યવર્ઘા તૃણવત્ વીમાન્તર ઇ પરિપ્રમ્ उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत्त्रयी ।।२५।।३।। [શબ્દાર્થ =જે; ત્યાં ત્યજીને; 7ળવઋતણખલાની જેમ; વી=બાહ્ય; માન્તરે=આંતર, અંતરંગ; =અને; પરપ્રદ=પરિગ્રહને; ૩વાર્ત=ઉદાસીન રહે છે; તત્પવાસ્મોગં–તેના ચરણરૂપી કમળને; પાસ્ત=સેવે છે; નત્રયીeત્રણ જગત.] અનુવાદઃ જે બાહ્ય-આત્યંતર પરિગ્રહને તણખલાની જેમ છોડીને ઉદાસીન રહે છે તેનાં ચરણકમળને ત્રણ જગત સેવે છે. (૩) વિશેષાર્થઃ પરિગ્રહ બે પ્રકારના છે-બાહ્ય અને અત્યંતર. ઘર, ધનધાન્ય, માલ-મિલકત, વસ્ત્રાલંકાર, વાહનો વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ, કષાય For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક ૩૩૫ વગેરે આત્યંતર પરિગ્રહ છે. આખો સંસાર બાહ્ય પરિગ્રહથી ભરપૂર છે અને એ જ આપણી નજર સમક્ષ આવે છે. સંસારનાં નેવું ટકાથી વધુ લોકો આ પરિગ્રહના ભોગવટામાં રચ્યાપચ્યા રહે છે. મકાનો જૂનાં થાય તો નવાં મકાનો થયાં જ છે, દુકાનો જૂની કે કાલગ્રસ્ત થાય કે નવી આધુનિક દુકાનો, સ્ટોર વગેરે ચાલુ થયાં જ છે. નવી નવી ચીજસામગ્રી રોજેરોજ બજારમાં ઠલવાતી જાય છે. સમગ્ર વિશ્વ એના ભોગવટામાં રાચે છે. મનોરંજનનાં પણ એટલાં જ સાધનો વિકાસ પામ્યાં છે. આવી સ્થિતિમાં પોતાનાં ચરણોને ત્યાગવૈરાગ્યમાં સ્થિર રાખવાનું દુષ્કર છે. જે મહાત્માઓ ઘર,સ્વજન પરિવાર, મિલકત, વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરીને પંચ મહાવ્રતધારી સાધુ બને છે તેઓને ધન્ય છે. કંચન અને કામિનીના ત્યાગી એવા સાધુ મહાત્માઓની અને સાધ્વીઓની જેટલી સંખ્યા છે અને તેઓના વિહાર, મુકામ, આહારપાણીની વ્યવસ્થા જૈન ધર્મમાં છે તે અનન્ય છે. આ તો બાહ્ય પરિત્યાગની વાત થઈ. યોગીઓ બાહ્ય પરિગ્રહને તણખલાની જેમ, કચરાની જેમ છોડી દે છે. પણ એ છોડ્યા પછી છોડવાનો અહંકાર જો આવી ગયો અથવા તે માટે મનમાં તૃષ્ણા રહ્યા કરી તો તે બધું વ્યર્થ છે. એટલા માટે જ આત્યંતર પરિગ્રહના ત્યાગ ઉપર એથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બાહ્ય ત્યાગમાં મુનિએ અટકી જવું ન જોઈએ. બાહ્ય ત્યાગ તો બધાને દેખાય છે. હવે જે ત્યાગ કરવાનો છે એ સૂક્ષ્મ છે અને એના સાક્ષી પોતે જ છે. ચિત્તની અંદર મિથ્યાત્વ, અહંકાર, લોભ, ઇર્ષ્યા, અસૂયા, મત્સર, પ્રકોપ, મમત્વ, આસક્તિ-આત્મશ્લાઘા ઇત્યાદિના જે ભાવો પડેલા છે તે પણ છોડવાના છે. દેહ અને આત્મા ભિન્ન છે, દેહ મારો નથી, એવું ભાન અંદરથી રહ્યા કરે અને ચિત્ત અનિત્યાદિ ભાવનામાં, આત્મરમણતામાં રહ્યા કરે તો એવી ઊંચી કોટિના ત્યાગી મહાત્માઓના ચરણકમળની પર્યાપાસના ત્રણે જગત કરે છે. [૧૯] વિડનાસ્થહિને વહિર્નિઈથતા વૃથા ! त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः ।।२५।।४।। For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જ્ઞાનસાર [શબ્દાર્થ વિ=ચિત્તમાં; અન્તસ્થહિને અત્યંતર ગાંઠ અર્થાત્ પરિગ્રહથી ગહન એટલે વ્યાકુળ; વિિર્નવસ્થતા=બાહ્ય નિર્ઝન્થતા, બાહ્ય અપરિગ્રહ; વૃથા=નિરર્થક; ત્યારે ત્યાગ કરવાથી, છોડી દેવાથી; વુમાત્ર=માત્ર કાંચળી; મુન:=સર્પ; ન=નથી; દિ=પરંતુ, કારણ કે, ખરેખર; નિર્વિષ:=વિષરહિત, ઝેર વગરનો.] અનુવાદ: આત્યંતર પરિગ્રહથી ચિત્ત ગહન અર્થાત્ વ્યાકુળ હોય તો બાહ્ય નિર્ગસ્થપણું નિરર્થક છે, કારણ કે કાંચળી માત્રનો ત્યાગ કરવાથી સર્પ નિર્વિષ થતો નથી. (૪). વિશેષાર્થ : માણસ ઘર, કુટુંબ, સગાંસ્નેહીઓ, માલ મિલકત બધું છોડીને દીક્ષા લે છે. દીક્ષિત મુનિનું બાહ્ય રૂપાંતર થાય છે. તેમનું નામ બદલાય છે. હવે એમને પોતાનું, પોતાની માલિકીનું કોઈ ઘર હોતું નથી. જ્યાં રહે ત્યાં તે તેમનું ઘર. તેઓ ગૃહસ્થનાં વસ્ત્રોને બદલે સાધુનાં વસ્ત્રો ધારણ કરે છે. તેઓ કોઈના રસોડે જમતા નથી, પણ ગોચરી વહોરી લાવે છે. તેઓ હજામત કરાવતા નથી પણ કેશલોચ કરે છે. તેમને રાત્રે સૂવા માટે ગાદલું હોતું નથી, પણ સાદો સંથારો હોય છે. એમનું બેંકમાં કોઈ ખાતું નથી કે આવકવેરાની કોઈ ચિંતા નથી. તેમને દીકરા, દીકરી પરણાવવાનાં નથી કે કોઈનાં લગ્નમાં જવાનું નથી. કોઈના મરણ વખતે સ્મશાનમાં આભડવા કે કોઈની ખબર પૂછવા હૉસ્પિટલમાં જવાનું નથી. આમ બધી રીતે મુનિ મહારાજ અપરિગ્રહી થઈ ગયા છે. પરંતુ આ તો બાહ્ય ત્યાગ છે. અલબત્ત એ પણ જરૂરી છે. વસ્તુતઃ મુનિ મહારાજની અંતરંગ પરિણતિ પણ અપરિગ્રહની હોવી જોઈએ. અંતરમાં સ્ત્રી, ધન, મિલકત વગેરેની વાસનાઓ પડેલી હોય, નામ, પ્રતિષ્ઠા, યશકીર્તિ વગેરેની આસક્તિ રહેલી હોય, સ્વાદિષ્ટ ગોચરી અને મોંઘાં આકર્ષક ઉપકરણો ગમતાં હોય, માયાચાર ચાલતો હોય, ઉપદેશ એક પ્રકારનો અને આચરણ બીજા પ્રકારનું હોય, આત્મસ્વરૂપ પ્રગટાવવા માટે કોઈ પુરુષાર્થ ન હોય તો સમજવું કે માત્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિરર્થક છે. અહીં દૃષ્ટાન્ત For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક ૩૩૭ આપવામાં આવ્યું છે કે સાપ કાંચળી ઉતારી નાખે એથી એ કંઈ નિર્વિષ થતો નથી. તેવી રીતે મુનિ મહારાજ માત્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે તેથી તેઓ ઊંચી આત્મદશા પ્રાપ્ત કરી શકતા નથી. એ માટે અંતરંગ પુરુષાર્થ એટલો જ આવશ્યક છે. [૧૯૭] ત્યો પરિપ્રદે સાથો: પ્રયાતિ નં : | ___ पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।।२५।।५।। [શબ્દાર્થ ત્યતે–ત્યાગ કરવાથી; પરિપ્રદે=પરિગ્રહસાયો:=સાધુનું; પ્રયાતિ જાય છે; સનં ના=સઘળું પાપ; પતિત્યારે પાળીનો ત્યાગ અર્થાત્ નાશ થતાં; ક્ષMવેવ ક્ષણમાં જ; સરસ:=સરોવરનું; સતિતં પાણી; યથા=જેમ.] અનુવાદઃ જેમ પાળીનો નાશ થતાં (બંધ તૂટી જતાં) સરોવરનું પાણી ક્ષણવારમાં જ ચાલ્યું જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ થતાં સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે. (૫) વિશેષાર્થ મુનિ મહારાજને પરિગ્રહના ત્યાગની અહીં શિખામણ આપવામાં આવી છે. આપણને આશ્ચર્ય થાય છે કે જે મુનિ ભગવંતોએ દીક્ષા ગ્રહણ કરતી વખતે પંચ મહાવ્રત ધારણ કર્યા હોય તો તેમાં પાંચમા “અપરિગ્રહ વ્રતની પ્રતિજ્ઞા તો આવી જ જાય છે. સાધુઓ અપરિગ્રહી હોય જ છે, તો પછી તેમને પરિગ્રહનો ત્યાગ કરવાની ભલામણ શું વ્યાજબી છે ? હા, તદ્દન વ્યાજબી છે. સાધુઓએ બાહ્ય ત્યાગ કર્યો હોય છે, પણ મમતા, લોભ, માયા, રસગારવ, શાતાગારવ, ઋદ્ધિગારવ એ ત્રણ ગારવ, યશકીર્તિની ખેવના, પોતાના ભક્તો માટેનો અનુરાગ ઇત્યાદિ જો હજુ અંતરમાંથી ખસતાં ન હોય તો આત્યંતર પરિગ્રહનો ત્યાગ કર્યો ન કહેવાય. અને જ્યાં સુધી બાહ્ય કે આત્યંતર પરિગ્રહ હોય ત્યાં સુધી આસવનાં દ્વાર ખુલ્લાં હોય છે. આવા પરિગ્રહનો ત્યાગ કરવાથી અશુભ કર્મો બંધાતાં નથી અને બંધાયા હોય તો તેનો ક્ષય થાય છે. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જ્ઞાનસાર - આ પરિગ્રહ-ત્યાગ માટે અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે જળાશયનું. જેમ પાળીનો ત્યાગ કરવાથી એટલે કે પાળનો નાશ થવાથી જળાશયનું બધું પાણી વહ્યું જાય છે તેમ પરિગ્રહરૂપી પાળનો ત્યાગ કરવાથી બધાં કર્મોનો અનુક્રમે નાશ થાય છે. [૧૯૮] ત્યtપુત્રનેત્ર મૂર્છામુiી યોનિઃ | વિનીત્રપ્રતિબદ્ધી તે પુર્તિનિયંત્રણ રજાદ્દા [શબ્દાર્થ ? ત્યક્તપુત્રરત્નત્રW=જેઓએ પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે; મૂચ્છમુક્તસ્ય મૂચ્છ (મમત્વ)થી મુક્ત છે; યોનિ: યોગીને; વિન્માત્ર=જ્ઞાનમાત્ર; પ્રતિવચ=જે આસક્ત છે; =શું હોય?; પુત્તિનિયંત્રણ પુદ્ગલનું નિયંત્રણ.] અનુવાદઃ જેણે પુત્ર અને સ્ત્રીનો (સર્વ બંધનનો) ત્યાગ કર્યો છે, જે મૂર્છાથી મુક્ત છે, જે જ્ઞાનમાત્રમાં આસક્ત છે એવા યોગીને પુગલનું શું બંધન હોય? (૬) વિશેષાર્થ દીક્ષા અનેક લોકો લે છે. તેઓ બધા એક જ કોટિના હોતા નથી. બધાં એકસરખી યોગ્યતાથી, એકસરખા આશયથી દીક્ષા લેતા નથી. એટલે અહીં બધા દીક્ષિત મુનિઓનો વિચાર કરવામાં આવ્યો નથી, પરંતુ જે કોઈ વ્યક્તિએ સ્વેચ્છાપૂર્વક, સમજણપૂર્વક, યોગ્યતાપૂર્વક, મોક્ષપ્રાપ્તિના એક માત્ર ધ્યેયને લક્ષમાં રાખી, સુયોગ્ય ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી હોય અને એ માટે પત્ની, પુત્ર, કુટુંબ પરિવાર, માલમિલકત ઇત્યાદિનો ત્યાગ કર્યો હોય એવા પંચ મહાવ્રતધારી સાધુ મહાત્માએ યોગવહન કરી લીધા હોય અને હવે તેઓને એક માત્ર જ્ઞાન સાથે જ લગાવ હોય એટલે કે હવે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનાની જ લગની લાગી હોય એવા યોગી મહાત્માઓને હવે કોઈ પદ્ગલિક આકર્ષણ ન હોય અને પૌગલિક બંધન કે નિયંત્રણ પણ ન હોય. હવે તેઓ પુદ્ગલથી રાજી ન થાય કે પુદ્ગલથી દબાય કે For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક - ૩૩૯ દુભાય પણ નહિ. હવે એવું કોઈ ક્ષેત્ર ન હોય કે જ્યાં એમને ફાવે નહિ, એવી કોઈ ઋતુ ન હોય કે જેમાં એમને પ્રતિકૂળતા જણાતી હોય, એવાં કોઈ ધાર્મિક ઉપકરણો ન હોય કે જેના પ્રત્યે તેમને અણગમો હોય, આહારની બાબતમાં ભાવવા-ન ભાવવાની વાત તેમને માટે રહી ન હોય. હવે એવી કોઈ બાબત ન હોય કે જેમાં એમને રંજ હોય કે ફરિયાદ હોય. પ્રત્યેક પરિસ્થિતિનો એમણે સહજ રીતે સ્વીકાર કરી લીધો હોય. હવે એમનો સતત ઉપયોગ આત્માના જ્ઞાયક સ્વરૂપમાં હોય. આવા મહાત્માઓને પૌદ્ગલિક બંધ ન હોય એટલે કે કોઈ તીવ્ર કર્મબંધ ન હોય. મોક્ષના ઉચ્ચત્તમ લક્ષ્ય તરફ ગતિ કરનાર મહાત્માઓની પરિગ્રહ વિશે આવી ઉચ્ચ દશા હોય છે. [૧૯૯] વિન્માત્રીપ છે નિર્વાસસ્થાનíનિ: निष्परिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि ।।२५।।७।। [શબ્દાર્થ વિનાત્રસીપી:=જ્ઞાનમાત્રનો દીપક; ઝે=જાય છે, પામે છે; નિર્વાત=પવનરહિત; સ્થાનનિર્મ=સ્થાનના જેવા; નિષ્પરિગ્રહવાસ્થ–પરિગ્રહના ત્યાગરૂપ સ્થિરતાને; પર=ધર્મનાં ઉપકરણો વડે; f=પણ.] અનુવાદઃ જ્ઞાનમાત્રનો દીપક, પવનરહિત સ્થાન સમાન ધર્મનાં ઉપકરણો વડે પણ નિષ્પરિગ્રહરૂપ સ્થિરતાને પામે છે. (૭) વિશેષાર્થ: પવનમાં દીવાની જ્યોત હાલે છે, ઊંચીનીચી થાય છે અને ક્યારેક જોરદાર પવન હોય તો દીવો ઓલવાઈ જાય છે. પરંતુ જે સ્થાનમાં પવન આવતો નથી ત્યાં દીવો સ્થિર જ્યોત સાથે પ્રકાશ્યા કરે છે સાધુ મહારાજની જ્ઞાનની આરાધના સ્થિર દીવા જેવી હોવી જોઈએ. વળી એમનું જ્ઞાન દીવાની જેમ સ્થિર હોવું જોઈએ. જેમ પવન વિનાનું સ્થાન દીવાને માટે ઉપકારક છે, તેમ ધર્મ માટેનાં ઉપકરણો પણ સાધુ મહારાજની આત્મજ્યોતિ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જ્ઞાનસાર માટે ઉપકારક બનવાં જોઈએ. સાધુ માટે શરીરાર્થે આહારપાણી ઉપરાંત ઉપકરણોની આવશ્યકતા રહે છે. વસ્ત્ર, પાત્ર, સંથારો, મુહપત્તિ, ઓઘો, નવકારવાળી, સ્વાધ્યાય માટે શાસ્ત્રગ્રંથો ઇત્યાદિ સાધુ પાસે હોય છે. દિગંબર મહાત્માઓ પાસે પીંછી અને કમંડલુ હોય છે. ચાતુર્માસમાં સ્વાધ્યાય અર્થે શાસ્ત્રગ્રંથો લીધાં હોય અને કેટલાક ઉપકરણો રાખ્યાં હોય તો સાથે ક્યારેક મારાપણાનો ભાવ જોડાઈ જાય છે. કોઈ તીવ્ર આસક્તિ ન હોય તો પણ કોઈક વાર પોતાપણાનો સંબંધ અંતરમાં સ્થપાઈ જાય છે. કેટલીક વાર શિષ્ય કે ભક્તો એવો સંબંધ સ્થાપી દે છે. ઉપકરણોમાંથી કોઇપણ વસ્તુ બીજાથી તૂટી, ફૂટી, ફાટી કે બગડી જાય ત્યારે અંતરમાં કેવી સંવેદના થાય છે ? ત્યારે શબ્દ ન ઉચ્ચાર્યો હોય તો પણ અંતરમાં “મારું” એવો ભાવ અને અણગમાનો ભાવ ઉભવે છે કે નહિ એ જોવું જોઈએ. ઉપકરણો પ્રત્યે આસક્તિ બિલકુલ ન હોય, પણ શિષ્યો પ્રત્યે આસક્તિ રહે, આ મારા શિષ્યો છે. અમુક શિષ્ય માનતો નથી, વગેરે ભાવો થાય ત્યારે કર્તવ્ય અને મમત્વ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જ્ઞાની મહાત્માઓને દેહ પ્રત્યેની આસક્તિ સામાન્ય રીતે હોતી નથી. પણ રોગ વગેરે વખતે કસોટી થાય છે. દેહ પણ પરિગ્રહ છે એમ ત્યારે લાગે તો સમજવું કે હજુ ઘણું આગળ જવાનું બાકી છે. જો ધાર્મિક ઉપકરણોમાં મમત્વનો ભાવ આવી જાય તો તે ઉપકરણો પરિગ્રહ બને છે અને જો મમત્વ ન હોય, મૂર્છા ન હોય તો તે ઉપકરણો પરિગ્રહ બનતાં નથી. આમાં કેટલાં ઉપકરણો હોવાં જોઈએ અને કેટલાં ન હોવાં જોઈએ એનો નિર્ણય મહત્વનો નથી, પણ અંતરંગ પરિણતિ કેવી છે એ બહુ મહત્ત્વની વાત છે. છસાત ઉપકરણો હોય અને મમત્વનો ભાવ હોય એમ બની શકે. વળી એક વાર મમત્વ હોય તો તે કાયમ રહ્યા કરે અથવા આરંભમાં મમત્વ ન હોય તો તેવી સ્થિતિ નિરંતર રહે એવું પણ કહી શકાય નહિ. આમાં તો પળપળની જાગૃતિ અનિવાર્ય છે અને પોતાનો અંતરાત્મા જ સાચો સાક્ષી છે. આ વિષયમાં સાધુ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પરિગ્રહાષ્ટક ૩૪૧ ભગવંતને બીજા કોઈ પ્રમાણપત્ર આપી શકે નહિ. [૨૦૦] મૂછંછન્નથિયાં સર્વ નવ પરિગ્રહ: .. मूच्छर्या रहितानां तु जगदेवापरिग्रहः ।।२५।।८।। [શબ્દાર્થ મૂછંછન્ન=મૂછથી ઢંકાયેલી ધિયાં=બુદ્ધિવાળાને; સર્વ=સર્વ, બધું; ન વ=જગત જ; પરિઘ =પરિગ્રહ; મૂર્જીયા=મૂર્છાથી; હિતાનાંકરહિતને; તુ=પરંતુ; ના વ=જગત જ; અપરિગ્રહ:=અપરિગ્રહરૂપ છે.] અનુવાદ: જેમની બુદ્ધિ મૂર્છાથી ઢંકાયેલી છે તેઓને માટે સર્વ જગત જ પરિગ્રહરૂપ છે, પરંતુ જેઓ મૂર્છારહિત છે તેઓને માટે જગત જ અપરિગ્રહરૂપ છે. (૮) વિશેષાર્થ : કોઈ પણ જીવને કોઈપણ ચીજવસ્તુ માટે પરિગ્રહનો લગાવ છે કે નહિ એ જાણવા માટે એની એક અત્યંત મહત્વની કસોટી અહીં આપવામાં આવી છે. ૧. મૂર્છા હોય તો આખું જગત પરિગ્રહરૂપ છે. ૨. મૂર્છા ન હોય તો આખું જગત અપરિગ્રહરૂપ છે. પહેલી વાત જગતના સામાન્ય માણસોને વિશેષપણે લાગુ પડે છે. બીજી વાત મુખ્યત્વે જ્ઞાની મહાત્માઓ માટે છે. મૂચ્છ એટલે બેહોશી, ભાન ભૂલવું, આસક્તિ, લુબ્ધતા, રાગ ઇત્યાદિ. શાસ્ત્રકારો પરિગ્રહને મૂચ્છ તરીકે ઓળખાવે છે. ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પરની પોતાની ટીકામાં “વિશેષાવશ્યક ભાષ્ય'માંથી નીચેની ગાથાઓ ટાંકી છે. तम्हा किमस्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए। गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ॥ वत्थाइ तेण जं जं संजम साहणम रागदोसस्स । तं तं परिग्गहो च्चिय परिग्गहो जं तदुवघाई ॥ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ જ્ઞાનસાર [તેથી લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય ? માટે નિશ્ચય-દૃષ્ટિથી મૂચ્છથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો છે. તેથી રાગદ્વેષરહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ છે અને સંયમનો જે ઉપઘાત કરનાર છે તે પરિગ્રહ છે.] અપરિગ્રહમાં બાહ્ય ત્યાગ એ પહેલી આવશ્યકતા છે. કોઈક વિરલ મહાત્માઓ માટે એ બની શકે કે તેઓ ભરપૂર પરિગ્રહની વચ્ચે બેઠા હોય અને છતાં અપરિગ્રહી રહી શકે. મનુષ્યનું મન અત્યંત ચંચળ છે. બાહ્ય ત્યાગ કર્યા પછી ક્યારેક ક્ષણ માટે પણ તેમાં મૂર્છા આવી જવાનો સંભવ રહે છે. રસ્તાનો કોઈ ભિખારી હોય અને એની પાસે કશું જ ન હોય, પણ એને જે કંઈ જૂની, બગડેલી વસ્તુ આપી તો પણ રાજી રાજી થઈ જાય છે. એંઠવાડમાંથી પણ તે વીણી વીણી ખાય છે. પોતાની પાસે કશું જ ન હોવા છતાં પ્રાપ્તિ માટેની એની આકાંક્ષા અપાર હોય છે. એને માટે આખું જગત પરિગ્રહરૂપ છે. બીજી બાજુ ઊંચી દશાના કોઈ મુનિ મહારાજને સંજોગવશાત્ વિહારમાં ક્યાંક આલીશાન મકાનમાં ઉતારો કરવો પડ્યો હોય, ચારે બાજુ ભક્તો મોટરકારમાં દોડાદોડી કરતા હોય, ભાતભાતની વાનગીઓ ભોજન માટે બનાવવામાં આવી હોય, પરંતુ મહાત્મા દેહ નિર્વાહ અર્થે ચતુર્કિંચિત્ લઈ પોતાના સ્વરૂપમાં લીન થઈ જઈ શકે છે. પરિગ્રહરૂપી આકર્ષક વસ્તુઓથી ન તેમને હર્ષ થાય કે ન કોઈ બીજો ભાવ થાય. આ બધામાંથી તેમણે પોતાના ચિત્તને સર્વથા નિવૃત્ત કરી લીધું હોય તો પરિગ્રહથી વીંટળાયેલા હોય છતાં તેઓ મૂર્છારહિત અપરિગ્રહી છે એમ કહી શકાય. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૪૩ ૨૬ અનુભવાષ્ટક [૨૦૧] સÀવ હિનપત્રિચ્યાં વત્તકૃતયો: પૃથવI વુર્ધરનુભવો ડ્રણ વતારુણોદય: Jારધારા [શબ્દાર્થ =સંધ્યા, સાંજ; વં=જેમ; વિનર ત્રિખ્ય=દિવસ અને રાત્રિથી; વેતકૃતો:=કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી; પૃથg=જુદો, ભિન્ન; q=જ્ઞાનીઓએ; મનુમત્ર:અનુભવ; તૃષ્ઠ:=દીઠો છે; વેવતાવળf=કેવળજ્ઞાનરૂપી સૂર્ય; અરુણોદય:=અરુણોદય, પરોઢ.] અનુવાદઃ જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવલજ્ઞાનરૂપી સૂર્યના અરુણોદય સમાન અનુભવ જ્ઞાનીઓએ દીઠો છે. (૧) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકની ટીકામાં કહ્યું છે, “જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવળજ્ઞાનરૂપી સૂર્યના અરુણોદયરૂપ અનુભવ જ્ઞાનીઓએ દીઠો છે. એટલે મતિ-શ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવળજ્ઞાનથી અવ્યવહિત (અન્તરરહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે. એનું બીજું નામ પ્રાતિજજ્ઞાન છે.” અહીં “અનુભવ” અથવા અનુભવજ્ઞાનનાં લક્ષણો કહ્યાં છે. સામાન્ય વ્યવહારમાં આપણે આનંદપ્રમોદના, સુખદુ:ખના, એમ વિવિધ પ્રકારના અનુભવોની વાત કરીએ છીએ. એ અનુભવના જ્ઞાનની વાત અહીં નથી. તપ, જપ, યોગાભ્યાસ, ધ્યાન ઇત્યાદિમાં વિવિધ પ્રકારના અસાધારણ સૂક્ષ્મ અનુભવો થાય છે. એ અનુભવની પણ અહીં વાત નથી. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જ્ઞાનસાર શ્રુતાભ્યાસ પછી કેવળજ્ઞાનના થોડાક કાળ પૂર્વે થનારા અનુભવ વિશે અહીં વાત છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય' અને ષોડશક'માં એનાં લક્ષણો બતાવ્યાં છે. यथार्थ वस्तुस्वरूपोपलब्धि-परभावारमण-तदास्वाद-नैकत्वमनुभवः । | [યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પરભાવમાં રમણતાનો અભાવ, સ્વસ્વરૂપમાં રમણતા અને તેનાં આસ્વાદનમાં તન્મયતા એ “અનુભવ” છે.] સાધક જો સાચી દિશામાં સાધના કરવા ઇચ્છતો હોય તો એણે એકસાથે અથવા ક્રમે ક્રમે પરપદાર્થોની આસક્તિ છોડી દેવી જોઈએ. જયાં સુધી ગૃહસ્થજીવન છે. ત્યાં સુધી એકંદરે પરપદાર્થોની આસક્તિમાંથી છૂટવાનું અઘરું છે. છૂટવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં સંજોગો અને સ્વજનપરિવાર અને ગૃહસ્થ તરીકેની ફરજો એવી રીતે બંધનમાં નાખે છે કે પરભાવમાં પરાણે ઘસડાવું પડે છે. ક્યારેક ગૃહસ્થ સાધક ભ્રમમાં રહે છે કે પોતે તો અલિપ્ત રહીને બધી ક્રિયાઓ કરે છે, પણ એક નહિ તો અન્ય પ્રકારની આસક્તિ સૂક્ષ્મ સ્વરૂપે એના ચિત્તમાં બેઠેલી હોય છે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. રહેઠાણ, વસ્ત્રો, ઉપકરણો, ભોજનની વાનગીઓ, વાહનો ઇત્યાદિમાં બિલકુલ રસ ન લેવો એ ગૃહસ્થ સાધક માટે ઘણી અઘરી વાત છે. સાધક પોતે ભ્રમમાં રહે છે અને અનુયાયીઓ, સેવકો, અંગત સાથીઓ એવા ભ્રમમાં રાખે છે. પદાર્થો પ્રત્યે નહિ, તો પોતાની પ્રવૃત્તિઓ માટે આસક્તિ રહે છે. ક્યારેક સમાન કક્ષાના ગૃહસ્થ સાધકો વચ્ચે સૂક્ષ્મ અસૂયાનો ભાવ રહે છે. પંચમહાવ્રતધારી મુનિમહારાજ માટે પણ પરભાવમાંથી નિવૃત્ત થવાનું કઠિન છે. એમને પણ વસ્ત્રાદિ ઉપકરણો, શિષ્યો, ભક્તજનો, વિશિષ્ટ ક્ષેત્રો ઇત્યાદિ માટે આસક્તિનો સંભવ રહે છે. મુનિઓનો શ્રુતજ્ઞાનનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો જવો જોઈએ. એ દ્વારા આંતરપરિણતિ પણ શુદ્ધ થતી જવી જોઈએ. જ્યાં સુધી શ્રુતાભ્યાસની સાથે સાથે એના વિશે અનુપ્રેક્ષા-ચિંતનમનન, નિદિધ્યાસન થતાં નથી ત્યાં સુધી તે માત્ર • For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૪૫ દ્રવ્યશ્રત રહે છે. અનુપ્રેક્ષા જોડાતાં તે ભાવઠુત બને છે. “અનુયોગદ્વારમાં કહ્યું છે: वायणा-पुच्छणा-परियट्टणा-धम्मकहा सरअक्खरवंजनसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयं, अणुप्पेहा भावसुयं । [વાચના, પૃચ્છના, પરાવર્તના, અને ધર્મકથા સ્વર, અક્ષર અને વ્યંજનથી શુદ્ધ હોય પણ અનુપ્રેક્ષા રહિત હોય તો તે દ્રવ્યશ્રુત છે અને અનુપ્રેક્ષા એ ભાવથુત છે.] આ ભાવશ્રુતમાં મહાત્માઓ ઘણી ઉચ્ચ કોટિએ પહોંચે ત્યારે અનુભવજ્ઞાનનો અવકાશ રહે છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છેઃ शासनसाममतिश्रुतोत्तरभावी, केवलाद् अव्यवहितपूर्वभावी प्रकाशोऽनुभव : । [મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઉત્તરકાળે થનાર અને કેવળજ્ઞાનની અત્યંત નજીક પૂર્વકાળે થનાર પ્રકાશ તે “અનુભવ” છે.] વળી શ્રી હરિભદ્રસૂરિએ ષોડશક'માં કહ્યું છેઃ उदक-पयसोऽमृतकल्पं पुसां सज्ज्ञानमेवाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषय तृष्णापहारि नियमेन ॥ [ગુરુઓએ સમ્યગુજ્ઞાન પાણી સમાન, દૂધ સમાન અને અમતૃ સમાન કહ્યું છે. તે વિધિમાં પ્રયત્નવાળું અને વિષયતૃષ્ણાને અવશ્ય હરનારું છે.] શ્રુતજ્ઞાન નિર્મળ અને મિષ્ટ જલ જેવું, ચિંતનજ્ઞાન દૂધના સ્વાદ જેવું અને અનુભવજ્ઞાન અમૃત જેવું છે. અનુભવજ્ઞાન વિના કોટિ કષ્ટાનુષ્ઠાન કરે તો પણ કુલવાલક મુનિની જેમ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. અનુભવજ્ઞાન હોય તો જ કેવળજ્ઞાન થાય, એટલે કે અનુભવજ્ઞાન મોક્ષનું કારણ બને છે. અનુભવજ્ઞાન મોક્ષના અધિકારી થવા માટે અનિવાર્ય છે. [૨૦૨] વ્યાપાર: સર્વશાસ્ત્રાપાં વિપ્રવર્શન થવ હિ! પરંતુ પ્રાપયેત્યેકોડનુભવો વિવાર: ર દ્દારા For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જ્ઞાનસાર [શબ્દાર્થઃ વ્યાપાર =વ્યાપાર, કાર્ય, ઉદ્યમ; સર્વસ્ત્રાગા=સર્વ શાસ્ત્રોનો; વિકિર્ણન =દિશા બતાવનાર; =જ; હિં=ખરેખર; પાર=પાર; તુ=પરન્ત; પ્રાપથતિ=પ્રાપ્ત કરાવે છે, પમાડે છે; પવA:=એક; અનુભવ:=અનુભવ; વિવારિ=સંસારરૂપી સમુદ્રનો.] અનુવાદઃ સર્વ શાસ્ત્રોનો વ્યાપાર માત્ર દિશા બતાવવાનો જ છે, પરંતુ માત્ર એક અનુભવ જ સંસારસમુદ્રનો પાર પમાડે છે. (૨) વિશેષાર્થ આત્મ તત્ત્વની ખોજ અને આત્મતત્વનો અનુભવ એ એવી ગહન વાત છે કે તે વિશે સમયે સમયે નવા નવા ગ્રંથો લખાય છે, છતાં તે શોધ પૂરી થતી નથી. પ્રત્યેક વિષયને ઘણા જુદા જુદા દૃષ્ટિબિન્દુથી તપાસી શકાય છે. એ માટે પ્રયાસો થયા છે અને શાસ્ત્રો રચાયાં છે. આગમ ગ્રંથો અને એની ઉપરની ટીકાઓ, વૃત્તિઓ તથા પૂર્વાચાર્યોએ રચેલા પ્રકરણ ગ્રંથો છે. આમ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચારે અનુયોગના વિષયમાં પાર વગરનું સાહિત્ય છે. એક જિંદગીમાં એનો પાર પામી ન શકાય. પરંતુ એ બધાંનો અભ્યાસ કરીને અંતે શું પામવું છે ? જીવને કર્મબંધનમાંથી છૂટીને મુક્તિ મેળવવી છે. એ મેળવવા માટે માર્ગ નક્કી કરવો પડશે. શાસ્ત્રો ભોમિયાની ગરજ સારે છે. એ આપણને દિશા બતાવે છે. શાસ્ત્રો આપણને નકશો આપે છે, પણ ચાલવાનું છે આપણે પોતે. નકશો વારંવાર જોયા કરવાથી કામ નહિ થાય. તે પ્રમાણે બરાબર સમજી લીધા પછી તેનો અમલ કરવો પડશે. કોઈ ભોમિયો હશે તો કામ જલદી અને સારી રીતે પાર પડશે. આત્મવિકાસમાં મોટામાં મોટું બળ અનુભવનું છે. એ અનુભવની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની સાધના પદ્ધતિઓ છે. જીવની પાત્રતા જોઈને કોઈ સદ્ગુરુ એમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે. એક વખત અનુભવમાં, સ્વરૂપ રમણતામાં ઊંડા ઊતરીએ તો પછી એમાંથી જલદી બહાર આવવાનું મન નહિ થાય. આવો અનુભવ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૪૭ આપણને પુદ્ગલના રસમાંથી છોડાવે, યશકીર્તિ, પ્રતિષ્ઠા ઇત્યાદિના મોહમાંથી મુક્ત કરાવે, નેતા બનવાની લાલસાથી દૂર રાખે, આપણા રાગદ્વેષને પાતળા પાડે, નવાં કર્મબંધન ઓછાં કરાવે તો સમજવું કે અનુભવ આત્મવિકાસ માટે ઉપયોગી છે. આવો સ્વરૂપાનુભવ એ વચલો મુકામ છે. હજુ ઘાતકર્મનો ક્ષય બાકી છે. [૨૦૩] ગતિયિં પરં બ્રહ્મ વિશુદ્ધાનુભવ વિના શાસ્ત્રયુક્તિશતેનાપર યદ્ વુધા: નપુ: Jર દારૂ II [શબ્દાર્થ : અતીન્દ્રિયંકઅતીન્દ્રિય, ઇન્દ્રિયને અગોચર; પરં બ્રહ્મ=પર બ્રહ્મ; વિશુદ્વાનુમવં=વિશુદ્ધ અનુભવ; વિના=વિના, વગર, સિવાય; શાસ્ત્રયુક્તિશતેન= શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે; f=પણ; ન=નથી; ગં=જાણવા યોગ્ય; =જે, જેથી; વધા=જ્ઞાનીઓએ; ના =કહ્યું છે.] અનુવાદઃ ઇન્દ્રિયોને અગોચર એવો પરમ બ્રહ્મ (શુદ્ધાત્મા) વિશુદ્ધ અનુભવ વિના, શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી. એટલે જ પંડિતોએ કહ્યું છે કે- (૩) નોંધઃ શ્લોક ૩ના અનુસંધાનમાં શ્લોક ૪ આવે છે, પરંતુ સમજવામાં સ્પષ્ટતા રહે માટે બંનેના શબ્દાર્થ, અનુવાદ અને વિશેષાર્થ જુદા આપ્યા છે. વિશેષાર્થઃ સર્વ સંસારી જીવો દેહધારી છે. દેહમાં ચૈતન્ય સ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ આત્મા વિલસી રહ્યો છે. મનુષ્યના દેહમાં પાંચ ઇન્દ્રિયોની પરિપૂર્ણતા હોય, ચિત્ત સ્વસ્થ હોય અને સમજશક્તિ હોય તો એને શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સમજાશે. આત્મા છે તો ઇન્દ્રિયો છે અને આત્મા છે તો મન છે. એક વખત આત્મા શરીરમાંથી નીકળી જાય પછી ઇન્દ્રિયો ગમે તેટલી રૂપાળી હોય અને મન ગમે તેટલું બુદ્ધિશાળી હોય તો પણ એની કશી કિંમત નથી. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જ્ઞાનસાર મન અને ઇન્દ્રિયોને સચેતન રાખનાર જે આત્મતત્ત્વ છે તે નજરે નિહાળી શકાય એવું નથી. નાક, કાન, જીભ કે ત્વચા દ્વારા પણ એને ગ્રહણ કરી શકાય એમ નથી. છતાં એ છે એનો ઇન્કાર થઈ શકે એમ નથી. એના અસ્તિત્વને પુરવાર કરી આપવા માટે તર્ક અને બુદ્ધિ દોડાવી શકાશે. કોઈ આત્મતત્ત્વમાં ન માનતું હોય તો તર્કથી મનાવી શકાશે. પ્રાચીન કાળમાં પ્રદેશી રાજાને આવી શંકાઓ થયેલી. આત્મા છે એવું બુદ્ધિકલ્પનાથી માનીએ છીએ, પરંતુ સેંકડો દલીલો કરવા છતાં એનો અનુભવ નહિ કરાવી શકાય. આત્મા છે એમ માનવું તે એક વાત છે અને ખુદ આત્માનો અનુભવ કરવો એ બીજી વાત છે. એ અનુભવ કરવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે, પણ એ અનુભવ અવશ્ય થઈ શકે છે. આત્માના અસ્તિત્વને તર્કથી માનવામાં વાર નથી લાગતી, પણ આત્માને અનુભવવા માટે દીર્ઘ કાળની સાધનાની અપેક્ષા રહે છે. જીવ સતત બહિર્મુખ રહે છે. ઇન્દ્રિયો એને બહારની દુનિયાનો આસ્વાદ કરાવે છે. માણસને જોવું ગમે છે, સ્વાદિષ્ટ ભોજન ગમે છે, નવી નવી ચીજવસ્તુઓ વસાવવી ગમે છે, સરસ ઘર અને વાહન ગમે છે. મનુષ્યને કામભોગો ભોગવવા ગમે છે. એને કારણે જ માણસ ક્રોધ, અભિમાન, કૂડકપટ, ઇત્યાદિ કરતો થઈ જાય છે. તે હિંસા, ચોરી ઇત્યાદિ આચરતો થઈ જાય છે. પરંતુ જેટલે અંશે મનુષ્ય બહિર્મુખ તેટલે અંશે આત્માના અનુભવનો અવકાશ ઓછો. માણસ શાંત થઈ જાય, જીવનને ત્યાગવૈરાગ્યમય બનાવે, ઇન્દ્રિયોને અંદરવાળે, એકાંતમાં અંતર્મુખ બને. અને હું કોણ છું?' શા માટે મારું આવું જીવન છે? જીવન પૂરું થતાં મારું શું થશે ? મારાં સગાં સંબંધીઓનું શું થશે ?'–આ અને આવા બીજા અનેક પ્રશ્નોના ચિંતનમાં ડૂબકીવારંવાર મારતો રહેશે તો એક દિવસ એને આત્મસ્વરૂપની ઝાંખી થશે. અનેક ગ્રંથો વાંચવાથી અને તર્કયુક્ત દલીલો કરવાથી જે અનુભવ નથી થતો તે અનુભવ અસંગ બનીને એકાંતમાં રહી અંતર્મુખ બનીને ધ્યાન ધરવાથી થશે. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૪૯ [૨૦૪] જ્ઞાર હેતુવાન પવાર્થ વદતક્રિયા: વાનેનૈતાવતા પ્રા ત થાત્ તેવુ નિશ્ચય: રદ્દાઝા [શબ્દાર્થ જ્ઞાન જાણી શકાય; દેતુવાન હેતુવાદથી; પાર્થી=પદાર્થો; યવિં=જો અતીન્દ્રિયા=અતીન્દ્રિય, ઇન્દ્રિયોને અગોચર; &ાનેન=કાળે; પતાવતા=એટલા; પ્રાગૈ =પ્રાજ્ઞ પુરુષો દ્વારા, જ્ઞાનીઓએ; ત: સ્થા–કરી લીધો હોત; તેવું–તે વિશે, અતીન્દ્રિય પદાર્થ વિશે; નિશ્ચય:=નિશ્ચય.] અનુવાદઃ જો અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી (શાસ્ત્રોક્ત યુક્તિઓથી) જાણી શકાતા હોત તો આટલા કાળ સુધીમાં પ્રાણ પુરુષો દ્વારા તે વિશે નિશ્ચય થઈ ગયો હોત. (૪) વિશેષાર્થઃ અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી જે ન જાણી શકાય તે. સ્પર્શ, રસ, ગંધ, દશ્ય અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયોની પોતપોતાની મર્યાદા છે. સો વર્ષની ઉમરે પણ માણસ આ તીખું છે, આ ઠંડું છે કે દુર્ગધમય છે તે પારખી શકે છે. એ ઇન્દ્રિયો એટલી ઘસાતી નથી. પણ આંખ અને કાન એ બે ઇન્દ્રિયોને ઘસારો લાગે છે. એટલે જ વિજ્ઞાને આંખની જોવાની અને કાનની સાંભળવાની શક્તિના ઉપાયો યોજ્યા છે. સારા સાજા માણસની નરી આંખે ન દેખી શકાય એવી કેટલીક વસ્તુ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. આકાશના દૂર દૂરના તારા, નિહારિકા વગેરે ટેલિસ્કોપ દ્વારા નિહાળી શકાય છે. એક્સ રે મશીન દ્વારા, સોનોગ્રાફી દ્વારા શરીરની અંદર રહેલા ભાગોના ફોટા લઈ શકાય છે. આ તો થોડીક વાત થઈ. વિજ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી છે. પાંચસો હજાર વર્ષ પૂર્વેનો કોઈ માણસ અત્યારના જગતને જુએ તો, વિમાન, ટી.વી., ટેલિફોન, મોબાઈલ, કમ્યુટર, રોકેટ ઇત્યાદિ સાધનો જોઈને આશ્ચર્યવિભોર બની જાય. | વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી છે અને હજુ કરતું રહેશે તો પણ વૈજ્ઞાનિકો For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫o જ્ઞાનસાર કહે છે કે Science shall never be complete, because it will not be able to solve two eternal problems, one of origin and the other of destination. વિજ્ઞાન origin એટલે કે જીવ (ચેતનશક્તિ) ક્યાંથી આવે છે. જન્મ કેવી રીતે થાય છે અને destination એટલે કે મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે એ પ્રયોગશાળામાં શોધ કરીને નજર સામે બતાવી નહિ શકે. માણસની જોવાની શક્તિને ગમે તેટલી વિકસાવવામાં આવે તો પણ માણસ અરૂપી એવી હવાને જોઈ નહિ શકે. કેટલાક પદાર્થો અતીન્દ્રિય છે અને અતીન્દ્રિય રહેવાના. ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકનો ભાવાર્થ કરતાં લખ્યું છે કે જો હેતુવાદથી એટલે કે યુક્તિશાસ્ત્રથી ઇન્દ્રિયોને અગોચર એવા ધર્માસ્તિકાય વગેરે પદાર્થો હથેળીમાં આમળાની જેમ બતાવી શકાતા હોય તો પંડિતોએ અત્યાર સુધીમાં અતીન્દ્રિય પદાર્થો વિશે અસંદિગ્ધ અને અભ્રાન્ત નિર્ણય કરી લીધો હોત. આત્મા પણ અતીન્દ્રિય પદાર્થ છે. એના પર્યાય પણ અતીન્દ્રિય છે. માટે મોક્ષના ઉપાયનું જ્ઞાન થવાને માટે સામર્થ્યયોગરૂપ અનુભવ-પ્રમાણ અવશ્ય માનવું જોઈએ. આત્મતત્ત્વ ઇન્દ્રિયોને અગોચર છે. અલબત્ત આત્મા જેવું છે એ તર્ક અને યુક્તિથી સિદ્ધ કરી શકાય એમ છે. સિદ્ધ થયેલું છે. પરંતુ આત્માને બતાવી શકતો નથી કે જોઈ શકતો નથી. પરંતુ સાધકો આત્માનો અનુભવ કરી શકે છે, આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. એટલે અંતે તો “અનુભવ”ની વાત પર આવીને શ્રદ્ધા સાથે સ્થિર થવું જરૂરી છે. આટલું થાય તો મોક્ષપ્રાપ્તિની વાત સમજી શકાય. વિજ્ઞાન અને તર્ક જ્યાં આવીને અટકી જાય છે ત્યાંથી આગળ અધ્યાત્મનું ક્ષેત્ર ચાલુ થાય છે. [૨૦૫] તેષાં ન ઉત્પનાદિર્ઘ શાસ્ત્રક્ષીરાહિની ! ___ विरलास्तद्रसास्वादविदोऽनुभव-जिह्वया ।।२६।।५।। [શબ્દાર્થ : =કોની; ન નથી; anત્પના=કલ્પના; ટુર્થી=કડછી; For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩ ૫ ૧ શાસ્ત્રક્ષીરાનાદિની શાસ્ત્રરૂપી ક્ષીરમાં પ્રવેશ કરનારી; વિરતા =વિરલા, થોડા; તeતેના, શાસ્ત્રના; રસાસ્ત્રી કરસનો આસ્વાદ; વિદ્ર =જાણનારા; અનુમનિવય અનુભવરૂપી જીભ વડે.] અનુવાદ કોની કલ્પનારૂપી કડછી શાસ્ત્રરૂપી શીરામાં પ્રવેશ કરનારી નથી? પરંતુ અનુભવરૂપી જીભ વડે તેનો રસાસ્વાદ જાણનારા વિરલ છે. (૫) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ ઘરગથ્થુ રૂપક પ્રયોજીને શાસ્ત્રમાં નિરૂપાયેલા પદાર્થ વિશે કેવળ તર્ક અને કલ્પનાશક્તિ કરતાં એ દ્વારા થતો અનુભવ કેટલો શ્રેષ્ઠ છે તે દર્શાવ્યું છે. અહીં શાસ્ત્રને માટે ખીરનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. તર્ક અને કલ્પના માટે કડછીનું રૂપક આપ્યું છે અને અનુભવ માટે જીભનું રૂપક છે. ચૂલા ઉપર ખીર બનાવાતી હોય તો તે હલાવવા માટે અને ત્યાર પછી પીરસવા માટે કડછીની જરૂર છે. કડછી ન હોય તો ખીર દાઝી જાય અને બગડી જાય. એટલે કડછીની ઉપયોગિતા પૂરેપૂરી છે. એવી રીતે શાસ્ત્રાભ્યાસમાં તર્ક અને કલ્પનાશક્તિ જોઈએ. એ ન હોય તો શાસ્ત્રના અર્થો સ્પષ્ટ થાય નહિ. અવબોધ પણ બરાબર ન થાય. પરંતુ કડછી ખીરમાં ઘણો વખત રહેવા છતાં ખીરનો સ્વાદ જાણતી નથી. એ પ્રમાણે અધ્યાત્મના ક્ષેત્રે પદાર્થો બરાબર સમજી લીધા એટલું બસ નથી. એ પ્રમાણે અનુભવ પણ થાય તો જ એ ક્ષેત્રમાં પ્રગતિ થાય. માત્ર જાણકારી પૂરતી નથી. તેનો અનુભવ પણ જોઈએ. ખીર તૈયાર થઈ જાય એટલું બસ નથી. જીભ વડે એનો રસાસ્વાદ પણ માણવો જોઈએ. અહીં અનુભવ જીભ છે. શાસ્ત્રજ્ઞાન એ બાહ્ય અંગ છે અને અનુભવ એ અંતરંગ છે. શાસ્ત્રાભ્યાસ કરનારા ઘણા હોય છે. પણ તે પ્રમાણે સાધના કરી અનુભવ લેનારા ઓછા હોય છે. કેટલાક માત્ર આત્માના અનુભવની વાત કરીને શાસ્ત્રોનો, શાસ્ત્રાભ્યાસનો નિષેધ, અવજ્ઞા કે અવહેલના કરે છે. પરંતુ તે યોગ્ય નથી. જીવને અનુભવ વિશે માર્ગદર્શન આપવાનું કાર્ય શાસ્ત્રો કરે છે. For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ જ્ઞાનસાર [૨૦] પશ્યન્ત દ્રા નિનિર્વાનુમવં વિના . कथं लिपिमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।।२६।।६।। [શબ્દાર્થ પશ્યન્તુ જુએ, દેખે; બ્રહ્મ=બ્રહ્મ, આત્મસ્વરૂપ; નિન્દ્ર=દ્વન્દરહિત, પરભાવના ઉપયોગ રહિત, શુદ્ધ, નિર્બન્દાનુભવં નિર્દન્દ્ર અનુભવ, રાગદ્વેષાદિથી રહિત અનુભવ વિના=વિના, વગર, થં=કેમ; નિપિયી લિપિયુક્ત, વૃષ્ટિ=દષ્ટિ; વાથી વાણીરૂપ; વી=અથવા; મનોમયી=મનનરૂપ, અર્થના જ્ઞાનરૂપ.] અનુવાદઃ ફ્લેશરહિત આત્માને ક્લેશરહિત અનુભવ વિના લિપિમથી, વાલ્મથી કે મનોમયી દષ્ટિ શી રીતે જોઈ શકે ? (૬). વિશેષાર્થ : કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે નજરે જોઈ શકાય છે. કેટલીક એવી હોય છે કે નજરે દેખાતી નથી. આખી રાત દૂધ સામે તાકીને બેસી રહીએ તો પણ દૂધમાંથી દહીં ક્યારે, કેવી રીતે થયું તે જોવા મળતું નથી. વ્યવહાર જગતમાં આવી તો બીજી અનેક ઘટનાઓ છે. આધ્યાત્મિક જગતમાં આત્મા (બ્રહ્મ)ના અસ્તિત્વની આપણને ખબર છે. તે વિશે આપણે વાંચ્યું હોય છે. પણ ખરેખર આત્માનું દર્શન આપણને થયું હોતું નથી. આત્માનો અનુભવ કરવા માટે ઊંડી સાધનાની જરૂર પડે. અહીં ત્રણ પ્રકારની દૃષ્ટિની વાત કરી છેઃ (૧) લિપિમયી દૃષ્ટિ (૨) વાલ્મયી દૃષ્ટિ અને (૩) મનોમયી દૃષ્ટિ. આ ત્રણે પ્રકારની દૃષ્ટિથી શુદ્ધ બ્રહ્મનો અનુભવ થતો નથી. 1 લિપિ એટલે અક્ષરના સંકેતરૂપી સંજ્ઞા. લિપિમયી દૃષ્ટિ એટલે અક્ષર, શબ્દ અને વાક્યરૂપી દષ્ટિ. કશુંક વાંચી-સમજી શકાય એવી દૃષ્ટિ. વાલ્મયી દૃષ્ટિ એટલે વાણીરૂપ દૃષ્ટિ, વ્યંજનાક્ષરરૂપી દષ્ટિ. અક્ષરો-શબ્દોના ઉચ્ચારણથી કશુંક સમજાય છે. કંઈક ઉપદેશ મળે છે. તત્ત્વવિચારણા થઈ શકે છે. મનોમયી દષ્ટિ એટલે અર્થના પરિજ્ઞાનરૂપ દષ્ટિ, અર્થનું ચિંતન કરવાની શક્તિ. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૫૩ લિપિમયી, વામણી અને મનોમયી દૃષ્ટિ–આ ત્રણે દૃષ્ટિનો શાસ્ત્રમય દૃષ્ટિમાં સમાવેશ થાય છે. શાસ્ત્રના અભ્યાસથી આત્માના અસ્તિત્વ વિશે, આત્માના સ્વરૂપ વિશે, આત્માના ગુણલક્ષણો વિશે સમજ પડે છે. પરંતુ એથી આત્મસ્વરૂપનો અનુભવ ન થાય. એ માટે તો જરૂર છે અનુભવજ્ઞાનની. આ અનુભવજ્ઞાનથી આત્મદર્શન, (બ્રહ્મદર્શન) થાય છે. લિપિમયી, વાડુમયી અને મનોમયી દૃષ્ટિથી બ્રહ્મદર્શન ન થાય એ તો સ્પષ્ટ છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આ ત્રણે દૃષ્ટિ નિરર્થક છે. વસ્તુતઃ આ ત્રણે દૃષ્ટિ નિર્દ% અર્થાત્ રાગદ્વેષાદિ દ્વન્દ્રથી રહિત બ્રહ્મનું એટલે કે આત્માનું દર્શન કરવામાં આરંભની ભૂમિકાનું કામ કરે છે. [૨૦] સુપુતિમોહત્યાના ૨ સ્થાપના कल्पनाशिल्प विश्रान्तेस्तुर्यैवानुभवो दशा ।।२६।।७।। [શબ્દાર્થ : ન=નથી; સુપુતિ=ગાઢ નિદ્રા; મમોહત્વા=અમોહથી, મોહરહિત હોવાથી; ન નથી; આપ પણ; =અને; વા૫ના રૌ=સ્વપ્નદશા અને જાગ્રત દશા; ના-શિલ્પવિત્રાન્ત =કલ્પનારૂપી શિલ્ય (કારીગરી)ની વિશ્રાન્તિ (અભાવ) હોવાથી; તુર્થી=ચોથી; પવ=જ; અનુમવ:=અનુભવ; શ=દશા, અવસ્થા.] અનુવાદઃ અનુભવ મોહરહિત હોવાથી સુષુપ્તિદશા નથી. વળી તે સ્વપ્નદશા કે જાગ્રત દશા પણ નથી. કલ્પનારૂપી શિલ્પ (કારીગરી)નો અભાવ હોવાથી તે ચોથી દશા છે. (૭) વિશેષાર્થ: આત્મસ્વરૂપમાં રમણતા કરનારા મહાત્માઓની અનુભવદશા કેવી હોય તે વિશે અહીં વિશેષ ખુલાસો કરવામાં આવ્યો છે. આવા ધ્યાનમાં સાધકો જેમ જેમ ઊંચે ચડતાં જાય છે તેમ તેમ એની દશામાં વિકાસ થતો જાય છે. આપણા “નયચક્ર', “યોગવિંશતિકા' વગેરે શાસ્ત્રગ્રંથોમાં ચાર મુખ્ય દશા બતાવવામાં આવી છેઃ (૧) સુષુપ્તિદશા, (૨) સ્વપ્નદશા, (૩) જાગૃતદશા અને For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જ્ઞાનસાર (૪) ઉજાગર દશા. તો અનુભવદશા કેવી છે ? (૧) આ અનુભવદશા એ સુષુપ્તિદશા નથી. સુષુપ્તિ દશા મોહનિદ્રાથી ભ્રમિત ચિત્તવાળા મિથ્યાદૃષ્ટિને હોય છે. (૨) આ અનુભવદશા એ સ્વપ્નદશા નથી, કારણ કે સ્વપ્નદશા સમ્યગ્દષ્ટિને હોય છે તો પણ એ દશા કલ્પનાસહિત હોય છે. (૩) આ અનુભવદશા એ જાગૃત દશા પણ નથી, કારણ કે જાગૃતદશા પણ કલ્પનાસહિત છે. (૪) અનુભવદશા એ ચોથી ઉજાગરદશા છે. એમાં કલ્પનારૂપ શિલ્યનો અભાવ છે. આ દશા સયોગી કેવળીને હોય છે. [૨૦૮] ઉત્યિારિત્ન શત શાસ્ત્રદા મુનિ: વસંવેદ્ય પરં બ્રહનુમવેનાથીતિ ગોર દાદા [શબ્દાર્થ ઃ મધમા=જાણીને; મહાતં=સકળ; શબ્દબ્રહા=શબ્દબ્રહ્મને; શાસ્ત્રદા=શાસ્ત્રરૂપી દષ્ટિ વડે; મુનિ =મુનિ, સ્વસંવેદં=વસંવેદ્ય, સ્વરૂપાનુભવરૂપ, સ્વપ્રકાશરૂપ; પરં દ્રા=પરમ બ્રહ્મ, પરમાત્મા; અનુભવેન અનુભવ વડે; ધચ્છતિ જાણે છે.] અનુવાદ: મુનિ શાસ્ત્રરૂપી દષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવ વડે સ્વપ્રકાશરૂપ એવા પરબ્રહ્મનેપરમાત્માને વિશુદ્ધ આત્માને) જાણે છે. (૮) વિશેષાર્થ આત્માનો અનુભવ મેળવતાં પહેલાં શાસ્ત્રના અભ્યાસની જરૂર છે એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મુનિની વાત કરવામાં આવી છે. મુનિઓએ ગૃહજીવનનો ત્યાગ કરી પંચમહાવ્રત સ્વીકાર્યા છે. એટલે મુનિ પાસે સમયાવકાશ સારો રહે છે. તેઓએ પ્રારંભમાં શાસ્ત્રાભ્યાસ કરવો જોઇએ, કારણ કે શાસ્ત્રો એ તો પૂર્વાચાર્યોએ આપેલું નવનીત છે. આ શાસ્ત્રાભ્યાસ માત્ર પોતાના ધર્મનો જ નહિ, અન્ય ધર્મોનો અને દર્શનોનો પણ કરવો જોઇએ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૬. અનુભવાષ્ટક ૩૫ ૫ કે જેથી સકલ શબ્દબ્રહ્મનું જ્ઞાન થાય, પોતાની દૃષ્ટિ ખૂલે અને ધર્મના શ્રોતાવર્ગની શંકાઓનું સમાધાન પણ કરાવી શકે. એટલા માટે કહ્યું છેઃ ससमयं जाणेइ, परसमयं जाणेइ, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भाविता भवइ। સ્વિસમય એટલે સ્વદર્શનને જાણે છે, પરદર્શનને જાણે છે, સ્વદર્શનને અને પરદર્શનને જાણીને આત્માની ભાવના કરે છે.] આપણને પ્રશ્ન થાય કે અન્ય દર્શનના ગ્રંથો શા માટે વાંચવા જોઈએ ? કારણ કે એ વાંચવાથી જ પોતાના દર્શન અને અન્યના દર્શન વચ્ચેનું તારતમ્ય સમજાય છે, અને તે તે દર્શનમાં જે ફરક છે તે શા માટે છે તથા આપણા દર્શનની શી વિશિષ્ટતા છે તથા પરદર્શનના ગ્રંથોમાં ક્યાં અને શા માટે ત્રુટિઓ છે તેની સમજણ પ્રાપ્ત થાય. એથી પોતાની દૃષ્ટિ વ્યાપક બને છે. અન્ય દર્શનો પ્રત્યે પૂર્વગ્રહ નહિ પણ સમભાવ રહે છે. અહીં પોતાની શાસ્ત્રદષ્ટિ વડે અખિલ શબ્દબ્રહ્મને જાણવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કેટલાકની એવી ભૂલભરેલી માન્યતા હોય છે કે ધ્યાન દ્વારા આત્માનો અનુભવ કરી લઈએ એટલે બસ. શાસ્ત્રાભ્યાસ કરવાની જરૂર શી ? શાસ્ત્રાભ્યાસ કરીને પણ જો આત્માના અનુભવ પર આવવાનું હોય તો પહેલેથી જ આત્માનો અનુભવ કેમ ન કરીએ કે જેથી શાસ્ત્રાભ્યાસનો સમય બચે. પણ યાદ રાખવું જોઈએ કે શાસ્ત્ર-શ્રુત એ પણ એક પ્રકારનાં ચક્ષુ છે. શાસ્ત્રાભ્યાસ વિના જો સીધો અનુભવ કરવા ગયા તો તે અનુભવ સાચો છે કે ભ્રમ છે એની ખબર નહિ પડે. શાસ્ત્રાભ્યાસ તાળો મેળવવા અને માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગી જ નહિ, અનિવાર્ય છે. સરુ શાસ્ત્રાભ્યાસ કરાવીને એમાંથી અનુભવની ચાવી બતાવે છે. એટલા માટે શાસ્ત્રોનું અધ્યયન, મનન ચિંતન, પરિશીલન કરવું જોઇએ. શાસ્ત્રો પ્રત્યે સૂગ નહિ પણ સદ્ભાવ, પ્રેમભાવ, બહુમાન ઇત્યાદિ હોવાં જોઈએ. ગણધર ભગવંતોએ તીર્થંકર પરમાત્માની વાણીને શબ્દમાં ગૂંથી લઈને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. વળી એના ઉપર ટીકા, ભાષ્ય, ચૂર્ણ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જ્ઞાનસાર ઇત્યાદિ રચીને તથા પ્રકરણગ્રંથો રચીને પૂર્વાચાર્યોએ મહાન વારસો આપણને આપ્યો છે. એ પ્રત્યે કૃતજ્ઞતાના અને બહુમાનના ભાવ વિના સીધો સ્વરૂપાનુભવમાં કૂદકો મારવાં જઈએ તો પછડાઈએ એટલું યાદ રાખવું જોઈએ. એક વખત શાસ્ત્રદૃષ્ટિ ખૂલે તો પછી જીવનની પ્રત્યેક ઘટનાને યથાર્થ આધ્યાત્મિક રીતે ધટાવતાં આવડશે. પછી કોઈના દોષ દોષ તરીકે દેખાતા નથી. એમાં પોતાનાં જ અશુભ કર્મનો ઉદય દેખાય છે. શાસ્ત્રદૃષ્ટિ આપણને તત્ત્વદૃષ્ટિ આપે છે જે સ્વરૂપાનુભવમાં બહુ ઉપયોગી છે. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૫૭ ૨૭. યોગાષ્ટક [૨૦] મોક્ષે યોગના યો: સર્વોડણીવાર પુષ્યતે विशिष्य स्थानवर्णालम्बनैकाग्र्यगोचरः ।।२७।।१।। [શબ્દાર્થ: મોક્ષેv=મોક્ષની સાથે; યોગના=યોજવાથી; યોr:=યોગ; સર્વોડપિ=સર્વ, બધા પણ; બાવાર: આચાર; ડ્રષ્યતે કહેવાય છે; વિશિષ્પ=વિશેષ કરીને; થાન=સ્થાન, આસનાદિ; વર્ણ અક્ષર; મર્થ અર્થજ્ઞાન; બનિંગન=આલંબન; p :=એકાગ્રતા; ગોવર:=વિષયક.] અનુવાદ: મોક્ષની સાથે (આત્માને) જોડવાથી સઘળો ય આચાર યોગ કહેવાય છે. વિશેષ અર્થમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા વિષયક યોગ કહેવાય છે. (૧) વિશેષાર્થ: યોગ વિશેના આ અષ્ટકનો પ્રારંભ ગ્રંથકારશ્રી યોગ' શબ્દની વ્યાખ્યા આપીને કરે છે. સંસ્કૃત યુન્ ધાતુ ઉપરથી યોગ શબ્દ આવેલો છે. યુન એટલે જોડવું. “યોગ” અથવા “સંયોગ'નો અર્થ અનુકૂળતા થાય છે. જ્યાં જ્યાં કશાકની સાથે જોડાણ હોય ત્યાં યોગ” કહી શકાય. એટલે “યોગ' શબ્દ આરોગ્યના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે એમ જુદા જુદા સંદર્ભમાં પ્રયોજાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે યોગ” એટલે મોક્ષની સાથે જે આત્માને જોડી આપે તે. યોગનો આ અર્થ બધા આચાર અંગે ઘટતો હોવાથી ધર્મની બધી પ્રવૃત્તિનો માટે યોગ શબ્દ પ્રયોજી શકાય છે. અહીં વિશેષપણે (૧) સ્થાન, (૨) વર્ણ (ઉ), (૩) અર્થ, (૪) આલંબન અને (૫) એકાગ્રતા એ પાંચ પ્રકારના યોગ વિશે For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જ્ઞાનસાર વિચાર કરવામાં આવ્યો છે. ૧. સ્થાન-સ્થાન એટલે આસન અને મુદ્રા. એમાં પદ્માસન, પર્યકાસન વગેરે આસનો, કાયોત્સર્ગ વગેરે મુદ્રાઓ છે. સ્થાન એટલે શરીરની ગોઠવેલી આકૃતિ. ૨. વર્ણ અથવા ઉર્ણ-વર્ણ એટલે અક્ષર. અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. વર્ણ એટલે ધર્મક્રિયા વખતે બોલાતા શબ્દો. ૩. અર્થ-શબ્દોના અર્થ. ધર્મક્રિયામાં બોલાતાં સૂત્રોના અર્થ. ૪. આલંબન-ધ્યાન ધરવા માટે આધાર તરીકે લેવાતી રૂપી વસ્તુ જેમ કે પ્રતિમા ચિત્ર, ફૂલ વગેરે. ૫. એકાગ્રતા (આલંબન રહિત)-રૂપી પદાર્થના આલંબન વગર ચિત્તની સ્થિરતારૂપ સમાધિ. આ પાંચ પ્રકારના યોગમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ પ્રકારની શુદ્ધિ જો ન હોય તો તે ધર્મક્રિયા માત્ર દ્રવ્યક્રિયા બને છે. આ પાંચ પ્રકારના યોગમાં અભ્યાસથી ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. એમાં સર્વ પ્રથમ સ્થાન આસનને આપવામાં આવ્યું છે. આસનની સાથે મુદ્રા તો હોય જ. શરીર અને ચિત્તની શક્તિના વિકાસ માટે ભારતીય પરંપરામાં, યોગવિદ્યામાં ઘણો ઊંડો અભ્યાસ થયો છે. વિવિધ પ્રકારનાં આસનો અને વિવિધ પ્રકારની મુદ્રાઓથી શરીર અને ચિત્તને શો લાભ થાય છે તે યોગવિદ્યાના ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. શરીરમાં અપાર ક્ષમતા રહેલી છે. આસનની સ્થિરતાથી મનની ચંચળતા દૂર થાય છે. નિયમિત પદ્માસન કરવાથી બ્રહ્મચર્યનું પાલન સારી રીતે થાય છે. [૨૧૦] કર્મયોચિં તત્ર જ્ઞાનયોત્રિય વિવું विरतेष्वेव नियमाद् बीजमानं परेष्वपि ।।२७।।२।। શબ્દાર્થ : ફાર્મદ્રયં=બે કર્મયોગ; તત્ર=તેમાં; જ્ઞાનયાત્રયં==ણ જ્ઞાનયોગ; વિવું જાણે છે; વિરતેપુ=વિરતિવાળામાં; પર્વ જ; નિયમ=નિયમથી, અવશ્ય For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૫૯ હોય; વીનમાત્ર=માત્ર બીજરૂપ; પS=બીજામાં; પિકપણ.] અનુવાદઃ એમાં બે કર્મયોગ અને ત્રણ જ્ઞાનયોગ છે એમ (જ્ઞાનીઓ) જાણે છે. એ વિરતિવંતમાં નિયમથી હોય છે અને બીજાઓમાં માત્ર બીજરૂપે હોય છે. (૨) વિશેષાર્થ : મોક્ષની આરાધના માટે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એમ પાંચ પ્રકારના યોગ કહ્યા છે. એમાં પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હોય તો જ મોક્ષ છે. માટે કહ્યું છે. જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ. I ફક્ત જ્ઞાનયોગથી કે ફક્ત ક્રિયાયોગથી મોક્ષ નથી. કર્મયોગ અથવા ક્રિયાયોગના બે પ્રકાર છે: સ્થાન અને વર્ણ. આ બેમાં ક્રિયાની મુખ્યતા હોવાથી તેને ક્રિયાયોગ કહ્યા છે. જ્ઞાનયોગના ત્રણ પ્રકાર કહ્યા છેઃ અર્થ, આલંબન અને એકાગ્રતા. એમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી એને જ્ઞાનયોગ કહેવામાં આવે છે. વસ્તુતઃ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચમાં ગીણભાવે કે મુખ્યભાવે જ્ઞાન અને ક્રિયા રહેલાં છે. સ્થાનમાં આસન અને મુદ્રા આવે છે. આસન એટલે પગની ગોઠવણી અને એની સાથે શરીરની ગોઠવણી. મુદ્રા એટલે મુખ્યત્વે હાથ અને એની આંગળીઓની ગોઠવણી અને સાથે સાથે મસ્તકની પણ ગોઠવણી. આસનમાં પદ્માસન, અર્ધ પદ્માસન, ખગાસન, પર્યકાસન, વીરાસન વગેરે બીજાં કેટલાંયે આસનો આરોગ્ય માટે હોય છે. મુદ્રાઓ વિવિધ પ્રકારની હોય છે જેમકે મુક્તાશુક્તિ મુદ્રા, વરદા મુદ્રા, પ્રવચન મુદ્રા વગેરે. આપણી ધર્મક્રિયાઓ જેવી કે સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન, ચૈત્યવંદન, પડિલેહણ ઇત્યાદિમાં કેટલીક ગૃહસ્થો માટે અને કેટલીક મુનિ મહારાજ માટે હોય છે. એ બધી ક્રિયાઓમાં આસન અને મુદ્રા શાસ્ત્રકારોએ જે પ્રમાણે કહ્યાં હોય તે પ્રમાણે કરવાથી વિશેષ ફળ છે, કારણ કે આસન અને મુદ્રા મનફાવે તેમ કરવાથી ધાર્યું ફળ મળતું નથી. એ દરેકનું પ્રયોજન છે. For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જ્ઞાનસાર ક્રિયાયોગનું બીજું અંગ છે વર્ણ. વર્ણ એટલે અક્ષર, શબ્દ ઇત્યાદિ. સૂત્રો ઇત્યાદિનું શુદ્ધ ઉચ્ચારણ થાય તો ભાવોલ્લાસ વધે છે. જ્ઞાનયોગમાં અર્થ, આલંબન અને એકાગ્રતા એ ત્રણ એના અંગો છે. જે સૂત્રો વગેરે બોલવામાં આવે છે તે અર્થ સહિત સમજવાં જોઇએ. એથી ચિત્તમાં અર્થપ્રકાશ વધે છે. આલંબનમાં પ્રતિમા વગેરેનું આલંબન લઈ શકાય. એથી મનની સ્થિરતા વધે છે. આલંબન પછી ધ્યાનના વિષયમાં ચિત્તની એકાગ્રતા સાધવાની છે. આમ ક્રિયાયોગ અને જ્ઞાનયોગનાં મળીને પાંચ અંગ બતાવવામાં આવ્યાં છે. એ અંગોમાં વખતોવખત શિથિલતા આવવાની કારણ કે મનુષ્યનું મન એવું છે, પરંતુ એ અંગો જેટલાં શુદ્ધ એટલું એનું ફળ સારું મળવાનું. આ પાંચ અંગો વિરતિવંત સાધુઓમાં અવશ્ય હોવાં જોઈએ. એ પ્રકારની તાલીમ ગુરુ ભગવંતો શિષ્યોને આપે છે. એ માટે આગ્રહ રાખવો જોઈએ. કારણ કે કાળ બહુ વિષમ છે. આ અંગો મુનિમહારાજમાં ફરજિયાત નિયમ તરીકે હોવાં જોઈએ. ગૃહસ્થ વગેરેમાં એ બીજરૂપ હોય તો એ ઇષ્ટ છે, કારણ કે એથી તેઓની યોગ્યતા વધે છે. બીજમાંથી વૃક્ષ થાય છે. [૧૧] પનિર્વસંવેશપ્રશમોત્પત્તિરિણ: મેવા: પ્રત્યેમàછીપ્રવૃત્તિસ્થિસિદ્ધયઃ ર૭ારૂપ [શબ્દાર્થ : પ=કૃપા નિર્વ=નિર્વેદ, સંસાર પ્રત્યે અભાવ, સંસારનો ભય; સંવે મોક્ષની અભિલાષા; પ્રશમ=પ્રશમ; ઉત્પત્તિwારિખ:=ઉત્પત્તિ કરનારા; મેવા=ભે દો; પ્રત્યેવ=પ્રત્યેકના; મંત્ર=અહીં, આમાં; રૂછીeઇચ્છા; પ્રવૃત્તિ=પ્રવૃત્તિ, સ્થિરસિદ્ધય:=સ્થિરતા અને સિદ્ધિ.] અનુવાદ: અહીં પ્રત્યેકના (સ્થાનાદિ યોગના) ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૬૧ સિદ્ધિ એ ભેદો છે. તે કુપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે. (૩) વિશેષાર્થ: આ અષ્ટકના આરંભમાં કર્મયોગ અને જ્ઞાનયોગના બધું મળીને પાંચ ભેદો બતાવવામાં આવ્યા છેઃ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત (એકાગ્રતા). આ પાંચ યોગના પ્રત્યેકના ચાર ચાર પ્રકાર છે. એટલે કુલ વીસ પ્રકારો થાય. એ ચાર પેટા પ્રકાર તે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ છે. એટલે સ્થાનના ચાર પ્રકાર છે-ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતા યોગ અને સિદ્ધિયોગ. એવી રીતે વર્ણના ચાર, અર્થના ચાર, આલંબનના ચાર અને આલંબનરહિત (એકાગ્રતા)ના ચાર ભેદ છે.એમ પાંચ યોગના બધું મળીને વીસ ભેદો છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકા'માં કહ્યું છેઃ इक्किक्को चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो। इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए॥ [અહીં સ્થાનાદિયોગમાંનો પ્રત્યેક યોગ પરમાર્થથી યોગશાસ્ત્રમાં કહેલા (સમયનીયા) ક્રમ વડે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિના ભેદના ચાર પ્રકારે જાણવો.] ઇચ્છાદિ ચાર ભેદો અંગે કહેવાયું છે કે આવરણકર્મના ક્ષયોપશમના અસંખ્ય ભેદો હોય છે. એટલે સ્થાનાદિ યોગના અસંખ્ય ભેદો થઈ શકે છે. પરંતુ તફાવત સ્પષ્ટ સમજાય એ માટે અસંખ્ય ભેદોનું ઇચ્છાદિ ભેદોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સ્થાનાદિ પાંચ યોગોમાં ઇચ્છા વગેરે પાંચ અનુક્રમે પ્રાપ્ત થાય છે. ઉ. ત. સ્થાનયોગમાં આસન અને મુદ્રા વિશે ઇચ્છા થાય. અર્થાત્ જિજ્ઞાસા થાય ત્યાર પછી તેમાં પ્રવૃત્તિ થાય, પછી તે પ્રવૃત્તિમાં સ્થિરતા આવે અને એમ કરતાં કાળક્રમે આસન અને મુદ્રા સિદ્ધ થાય. એવી જ રીતે વર્ણ, અર્થ વગેરેમાં પણ અનુક્રમે ઇચ્છાથી સિદ્ધિ સુધી પહોંચાય છે. For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ જ્ઞાનસાર આ યોગોથી આત્મામાં કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રથમ પ્રગટ થાય છે. (૧) કૃપા એટલે અનુકંપા. અનુકંપા એટલે દુઃખી જીવોને જોઈને એમનાં દુઃખ દૂર કરવાનો અથવા દુઃખ દૂર થાય એવો ભાવ જાગે. (૨) નિર્વેદ-ચાર ગતિમય સંસારનાં દુઃખો વિશે જાણીને કે અનુભવીને ત્રાસ થાય અને એમાંથી મુક્ત થવા માટે વૈરાગ્યમય ભાવ થાય. (૩) સંવેગ-મોક્ષ માટેની તીવ્ર અભિલાષા, આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા માટેની પ્રબળ ભાવના. (૪) પ્રશમ-એટલે ઉપશમ, ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયોને શાન્ત કરવાનો પુરુષાર્થ. [૧૨] ફચ્છી તથા પ્રતિક પ્રવૃત્તિ: પાનનં પરમ્ | स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थ साधनम् ।।२७।।४।। [શબ્દાર્થ ઃ રૂØ=ઈચ્છાયોગ; ત=તે પ્રમાણે; કથાપ્રીતિ =કથાપ્રીતિ; પ્રવૃત્તિ:=પ્રવૃત્તિયોગ; પાનન=પાલન, ઉપાયોનું પાલન; પર=વિશેષ; ધૈર્ય=સ્થિરતાયોગ; વીધવામીહાનિ:=બાધક (અતિચાર)ના ભયનો ત્યાગ; સિદ્ધિ =સિદ્ધિયોગ; અન્યાર્થસાધનં=બીજાના અર્થનું સાધન અનુવાદઃ તે પ્રમાણે કથામાં પ્રીતિ તે ઇચ્છાયોગ છે, તેનું યોગનું) સર્વથા પાલન તે પ્રવૃત્તિયોગ છે, બાધકના (અતિચારોના) ભયનો અભાવ તે સ્થિરતાયોગ છે અને પરાર્થનું (બીજાઓના હિતનું) સાધન તે સિદ્ધિયોગ છે. (૪) વિશેષાર્થ: આ શ્લોકમાં ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર યોગની સંક્ષિપ્ત વ્યાખ્યા આપવામાં આવી છે. આ ચારે યોગ અનુક્રમે છે અને ઉત્તરોત્તર વધુ વિકાસવાળા છે. (૧) ઇચ્છા-આ યોગવાળાને સાધક થવાની અભિલાષા જાગે છે તેને સાધુઓને જોઈને આનંદ થાય છે. તેમના વિશેની વાતોમાં રસ પડે છે. પૌરાણિક કે કાલ્પનિક For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૬ ૩ ધાર્મિક કથાઓમાં પણ રસ પડે છે. પોતે ક્યારે મુનિ થશે એવા કોડ થાય છે. બીજા બાજુ એમને સાંસારિક ભોગવિલાસની વાતોમાં રસ નથી પડતો. એવાં નાટક સિનેમા જોવાં નથી ગમતાં. લગ્નાદિ સમારંભોમાં, વિવિધ વાનગીઓ સાથેની મિજબાનીઓમાં જવું નથી ગમતું. (૨) પ્રવૃત્તિયોગ-ક્રિયાયોગ અને જ્ઞાનયોગનું પાલન કરવું ગમે તે પ્રવૃત્તિયોગ. સાધકને શક્તિ અને ઉત્સાહ વધતાં શાસ્ત્રાનુસાર વિધિપૂર્વક સાધના કરવી ગમે છે. તે માટે તે ઉપાયોનો વિચાર કરે છે. એના જીવનમાં પ્રમાદનું નામ ન હોય. (૩) સ્થિરતાયોગ-સતત અભ્યાસથી પ્રવૃત્તિમાં સ્થિરતા આવે છે. દોષો, અતિચારો વગેરે નીકળી જાય છે પછી બાધક અધ્યવસાય કે એવા અતિચારનો ભય રહેતો નથી. સાધક નિર્ભયતા, શાન્તિ અને પ્રસન્નતા અનુભવે છે. (૪) સિદ્ધિયોગ-બીજાના હિતને સાધવું તે સિદ્ધિયોગ છે. સિદ્ધયોગીઓનાં અંતઃકરણમાં જગતના સર્વ જીવોના કલ્યાણનો ભાવ સતત રહેતા હોય છે. એમની સાધના પણ એવી ઉચ્ચ કોટિની હોય છે. હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્તિથી બેસી જાય છે. એમના સાનિધ્યમાં હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ ટકી શકતાં નથી. [૧૩] અર્થત્વસ્વનોદૈત્યવન્દ્રના વિભાવનમ્ | श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।।२७।।५।। [શબ્દાર્થ : અર્થતત્વનયો:=અર્થ અને આલંબનનું; ચૈત્યવંદના=શૈત્યવંદનાદિ ક્રિયામાં; વિમવનં=વારંવાર સ્મરણ કરવું; શ્રેય શ્રેય માટે, કલ્યાણ અર્થે; યોનિ: યોગીના; થાનવયો:=સ્થાન અને વર્ણમાં; યત્ન પવEયત્ન જ, ઉદ્યમ જ; =અને.] અનુવાદઃ ચૈત્યવંદનાદિમાં અર્થ અને આલંબનનું વિભાવન (વારંવાર સ્મરણ) કરવું અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે. (૫) For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જ્ઞાનસાર વિશેષાર્થ : મુનિઓએ જે આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે તે જો માત્ર યાંત્રિક રીતે, વેઠ રૂપે કરે તો દીક્ષા લીધા પછી પણ તેઓ ત્યાંના ત્યાં જ રહે. એ ક્રિયાઓના રહસ્યોને સમજે અને એવા ઉલ્લાસપૂર્વક રૂડી રીતે એ ક્રિયાઓ કરે તો અનુક્રમે આધ્યાત્મિક વિકાસ થતો જાય છે. વખતોવખત એવો પવન ફૂંકાય છે કે “આત્માને ઓળખો, દ્રવ્યક્રિયાઓથી કંઈ વળવાનું નથી ! પરંતુ આ પવનના ચકરાવાથી થોડી વાર ઊંચે તો ચઢાય છે, પણ પછી ધબ કરતાં નીચે પડાય છે, કારણ કે પવન સાથે ઊંચે ચઢી ત્યાં સ્થિર રહેવાની યોગ્યતા હજુ પ્રાપ્ત થઈ નથી. અકાળે આવશ્યક ક્રિયાઓ છોડી દેવાથી ઇષ્ટ પરિણામ આવતું નથી. અહીંયોગીને-મુનિને ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ કરવાનું, સૂત્રના અર્થનું રહસ્ય સમજવાનું, અર્થ અને પ્રતિમાનું આલંબન લઈ ચિંતન કરવાનું તથા સ્થાનમાં તથા વર્ણના ઉચ્ચારમાં ઉદ્યમ કરવાનું કહ્યું છે. શાસ્ત્રકારોએ યોગનાં ચાર અંગોનો-સ્થાન, વર્ણ, અર્થ અને આલંબનનો અભ્યાસ કરવાનું મુનિઓને કહ્યું છે. એથી મુનિજીવનની સાર્થકતા સમજાશે અને ઉલ્લાસ વધશે. સ્થાન એટલે આસન અને મુદ્રાનો અભ્યાસ કરવો. અમુક પ્રકારનાં આસનથી અને મુદ્રાઓથી શરીર અને મનની શક્તિ ખીલે છે. એથી ઉલ્લાસ, પ્રસન્નતા, એકાગ્રતા અનુભવાય છે. વર્ણ એટલે અક્ષર અને અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. મુનિએ ચૈત્યવંદન, પ્રતિક્રમણ, ગુરુવંદના, પડિલેહણ વગેરે ક્રિયાઓ કરતી વખતે બોલવાનાં સૂત્રો સ્પષ્ટ ઉચ્ચાર સાથે દોષરહિત બોલવાં જોઈએ. એથી બોલનાર અને સાંભળનાર બંનેનો ભાવોલ્લાસ વધે છે. અર્થ એટલે શબ્દોમાં રહેલો વિચાર, ભાવ ઇત્યાદિ. જ્યારે સૂત્રો ઉચ્ચારાતાં હોય ત્યારે સાથે સાથે એના અર્થનું ચિંતન ચાલવું જોઈએ કે જેથી ઉચ્ચારણ માત્ર યંત્રવત્ બની ન જાય. આલંબન એટલે ચિત્તને જોડવા માટે આધાર અથવા નિમિત્તરૂપ વિષય. એમાં For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૬૫ પ્રતિમાનું આલંબન વિશેષતઃ ચૈત્યવંદન વખતે ઘણું ઉપયોગી નીવડે છે. એથી ચિત્ત એકાગ્ર રહે છે અને ભાવોલ્લાસ વધે છે. યોગનાં આ અંગો મુનિ માટે અને ગૃહસ્થો માટે હિતકારક છે. [૨૧૪] માત્રમ્પનમિત્ત યં દિવિઘ રૂથરૂfપ ઘા अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः ।।२७।।६।। [શબ્દાર્થ ઃ માત્મવનં=આલંબન; રૂદં=અહીં, સે=જાણવું; દ્વિવિઘં બે પ્રકારે; પ=રૂપી; fપ=અરૂપી; =અને; મfપશુપ=સિદ્ધના સ્વરૂપ સાથે; સાયુજ્યયો:=સાયુજ્યનો, તન્મયતાનો યોગ; નાહ્નવન:=અનાલંબન યોગ; પર:=ઉત્કૃષ્ટ.] અનુવાદઃ અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપી ગુણ (સિદ્ધસ્વરૂપ)ની સાથે તન્મયપણારૂપ યોગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ છે. (૬) વિશેષાર્થ : અગાઉ કહ્યું તેમ કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે યોગનાં પાંચ અંગ કહ્યાં છે. આમાં આલંબન યોગના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે: રૂપી આલંબન અને અરૂપી આલંબન. રૂપી એટલે રૂપવાળું, આકૃતિવાળું. આ આલંબનમાં સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર ભગવાનનું અથવા જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું આલંબન લેવાય છે. આલંબન વિશે શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકા' ગ્રંથમાં કહ્યું છેઃ आलंवणं पि एयं रूविमरूवि य इत्थ परमु त्ति । तग्गुणपरिणइरूवो सुहुमो अणालंवणो नाम । [અહીં (યોગ વિચારમાં) આ આલંબન પણ બે પ્રકારે કહેવાયું છે-રૂપી અને અરૂપી. એમાં પરમાત્માના ગુણની પરિણતિરૂપ સૂક્ષ્મ અનાલંબન નામનો યોગ છે.] For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ધ્યાન માટે નજર સામે કોઈ આકૃતિ હોય, ૩ૐકાર, હોંકાર જેવા મંત્રાક્ષરો હોય અથવા રોજ જેમના દર્શન-પૂજા કરતાં હોઈએ એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય અથવા કોઈ તીર્થસ્થળની પ્રતિમા હોય અથવા સમવસરણમાં બિરાજમાન દેશના આપતા તીર્થંકર પરમાત્મા હોય. આવાં પવિત્ર આલંબનથી હૃદયમાં ઉલ્લાસ પ્રગટે છે, ભગવાન જેવા બનવાના ભાવો જાગે છે. પરમાત્માના આલંબનથી ધ્યાનમાં સ્થિરતા આવે છે. અરૂપી આલંબનમાં સિદ્ધ પરમાત્માના ગુણો સાથે તાદાભ્ય અનુભવાય છે. આ ઉત્કૃષ્ટ યોગ છે. અરૂપી આલંબનને નિરાલંબન યોગ કહી શકાય. આ નિરાલંબન યોગને ધારાવાહી પ્રશાન્તવાહિતા કહેવામાં આવે છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગનો પૂર્વભાવી આ અનાલંબન યોગ છે. [૨૧૫] પ્રતિમવિક્તવવોડૌ: Wાની થતુર્વિઘ __ तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद्भवेत् ।।२७।।७।। [શબ્દાર્થ પ્રતિમવિક્તવવો.=પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન વડે; સ્થાનાપ–સ્થાનાદિ યોગ પણ; ચતુર્વિધર્મ=ચાર પ્રકારના છે; તસ્મત્રએટલે, તેથી; મોયોપ્લેકઅયોગ-યોગના નિરોધરૂપ યોગની પ્રાપ્તિ થવાથી; મોક્ષયો:=મોક્ષરૂપી યોગ; મા=ક્રમથી, અનુક્રમે; ભવે =થાય છે, પ્રાપ્ત થાય છે.] અનુવાદઃ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ યોગ પણ ચાર પ્રકારે છે. તેથી યોગથી અયોગ (શેલેશી યોગ)ની પ્રાપ્તિ થતાં અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. (૭) વિશેષાર્થ યોગાષ્ટક'ના આઠ શ્લોકનું વક્તવ્ય પૂ. શ્રી યશોવિજયજી મહારાજે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના “યોગવિંશિકા” અને “ષોડશક' ગ્રંથના આધારે આપ્યું For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક ૩૬૭ છે. આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે “ષોડશક' ગ્રંથની સાત ગાથાઓ ઉતારી છે અને સૌથી વિસ્તૃત ટીકા આ શ્લોક પર એમણે લખી છે, કારણ કે આ શ્લોકમાં યોગની મહત્ત્વની વાત આવે છે. આ અષ્ટકના ત્રીજા શ્લોકમાં એમણે સ્થાનાદિ યોગના વીસ પ્રકાર બતાવ્યા છે. હવે એ વીસ પ્રકારોના પ્રત્યેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર પેટા પ્રકારો બતાવીએ તો યોગના કુલ એંસી પ્રકારો નીચે પ્રમાણે થાયઃ ૫ યોગ (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, એકાગ્રતા–આલંબનરહિત) ૪ યોગ (ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ) ૫૮૪=૧૦ પ્રકારના યોગ થાય. ૪ (પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ) ૨૦*૪=૮૦ પ્રકાર યોગના થાય. જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષયોપશમના અસંખ્ય ભેદ છે. એટલે યોગના પણ અસંખ્ય ભેદ થાય. પરંતુ યોગો વચ્ચેનો પરસ્પર તફાવત સ્પષ્ટ થાય એ હેતુથી આ સંક્ષિપ્ત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. (૧) પ્રીતિ અનુષ્ઠાન–પ્રીતિ એટલે પ્રેમ, રુચિ અથવા અનુરાગ. પ્રીતિ એટલે મનથી ગમવાનો ભાવ. સાધકને આ ધર્માનુષ્ઠાન એવું ગમે છે કે બીજું છોડીને એ જ કરવાનું મન થાય. એના પ્રત્યે એક પ્રકારની નિષ્ઠા રહે છે. પ્રીતિ અનુષ્ઠાનને પત્ની પ્રત્યેના પ્રેમની સાથે સરખાવવામાં આવે છે. પ્રેમ હોવાને કારણે ચૈત્યવંદન, સામયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાઓમાં ભાવની ભરતી રહે છે. એથી એ ક્રિયાઓ માત્ર દ્રવ્યક્રિયા બની રહેતી નથી. આવાં ધર્માનુષ્ઠાનથી તે કરનારનો હિતકારી ઉદય થાય છે. (૨) ભક્તિ અનુષ્ઠાન–પ્રીતિ અનુઠાનમાં જ્યારે તે અનુષ્ઠાન પ્રત્યે ગૌરવ અને આદર-બહુમાનનો ભાવ ઉમેરાય છે ત્યારે તે ભક્તિ અનુઠાનની જેમ અન્ય પ્રવૃત્તિઓ કે પ્રયોજનોથી ચિત્ત હવે આકર્ષાતું નથી. એવી ઇતર પ્રવૃત્તિઓમાંથી રસ ઊડી જાય છે. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જ્ઞાનસાર પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુઠાન વચ્ચેનો તફાવત સમજાવવા માટે શ્રી હરિભદ્રસૂરિજીએ “ષોડશક' ગ્રંથમાં સચોટ દૃષ્ટાન્ત પત્ની અને માતાનું આપ્યું છે. પ્રીતિ અનુષ્ઠાન કરતાં ભક્તિ અનુષ્ઠાનમાં વધુ આદર સદ્ભાવ પ્રગટ થાય છે. વળી એની સાથે વિશુદ્ધિ પણ વધે છે. પત્ની અને માતા બંને અત્યંત પ્રિય હોવા છતાં અને બંનેના પાલનનું કાર્ય સરખું હોવા છતાં પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે. (૩) વચન અનુષ્ઠાન-વચન એટલે જિનેશ્વર ભગવાનનું વચન, આગમનું વચન. સાધુ ભગવંતો માટે વચન અનુષ્ઠાન વિશેષ મહત્ત્વનું છે. બધા ધર્મવ્યાપારમાં ચારિત્રશીલ સાધુઓ ભગવાનના વચનને યથાર્થ અનુસરે છે. શાસ્ત્રાજ્ઞાનું પાલન તેઓ ઓચિત્યપૂર્વક કરે છે. (૪) અસંગ અનુઠાન–આ અનુષ્ઠાનનો એટલો અભ્યાસ થઈ જાય છે અને શાસ્ત્રવચનો એવા કંઠસ્થ, હૃદયસ્થ થઈ ગયાં હોય છે કે શાસ્ત્રગ્રંથો વિના પણ મુનિઓ યોગ્ય ક્રિયાઓ સહજભાવે કરે છે અથવા તો તે એમના જીવનમાં વણાઈ ગઈ હોય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ઉદાહરણ આપ્યું છે કે જેમ ચંદનમાંથી સુવાસ સહજભાવે આવે છે, તે માટે આયાસ કરવો પડતો નથી. તેવી રીતે બધી જ ધર્મક્રિયાઓ સાધુ મહાત્મા માટે સહજ બની જાય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન વચ્ચેનો તફાવત સમજાવવા માટે હરિભદ્રસૂરિજીએ કુંભારના ચક્રનું દૃષ્ટાન્ત આપ્યું છે. ચક્રને ફેરવવું હોય તો પહેલાં દંડથી એને ફેરવવું પડે છે. પછી જ્યારે એ ગતિ પકડે છે ત્યારે દાંડો લઈ લેવામાં આવે છે. એ પછી પણ ચાકડો સહજ રીતે ફર્યા કરે છે. વચન અનુષ્ઠાન આગમના સંબંધથી પ્રવર્તે છે અને અસંગ અનુષ્ઠાન આગમના સંસ્કાર માત્રથી પ્રવર્તે છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુઠાનમાં પહેલાં બે અનુષ્ઠાન મુખ્યત્વે શ્રાવકો માટે છે અને તે અભ્યદયના-સ્વર્ગના કારણ છે અને છેલ્લાં બે અનુષ્ઠાન મુખ્યત્વે સાધુઓ માટે છે અને તે મોક્ષનાં કારણ છે. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૨૭. યોગાષ્ટક [૧૬] થાનીયોગિનતીર્થોચ્છવાદ્યાનના सूत्रदाने महादोषः इत्याचार्याः प्रचक्षते ।।२७।।८।। [શબ્દાર્થ : થાનાદિ=સ્થાનાદિ; મોનિ=આયોગીને, યોગરહિતને; તીર્થોઝેવિ=તીર્થનો ઉચ્છેદ થાય ઇત્યાદિ કાર્તવનાનિ=આલંબનથી; પિકપણ; સૂત્રવાને સૂત્રો (ચેત્યવંદનાદિ સૂત્રો) શીખવવામાં; મહાવોષ:=મોટો દોષ, તિ એ પ્રમાણે; મારા =આચાર્યો; પ્રવક્ષતે કહે છે.] અનુવાદઃ સ્થાનાદિ યોગથી રહિતને તીર્થનો ઉચ્છેદ થશે એવા કારણે પણ સૂત્રદાન કરવામાં (સૂત્રો ભણાવવામાં મહાદોષ થાય છે એમ આચાર્યો કહે છે. (૮) વિશેષાર્થ ? આપણી ગુરુપરંપરા અઢી હજાર વર્ષની અવિચ્છિન્ન ચાલી આવે છે, કારણ કે ગુરુ ભગવંતો પોતાના શિષ્યોને સારી રીતે શાસ્ત્રાભ્યાસ કરાવે છે અને સાધ્વાચારનું પાલન પણ એટલી જ ચુસ્ત રીતે કરાવે છે. ક્યાંક કોઇક શિથિલતાના કિસ્સા નથી બનતા એવું નથી, પણ એકંદરે તો ગુરુ ભગવંત અત્યંત વાત્સલ્યભાવથી શિષ્યોને સારી રીતે ઘડે છે. એક પ્રશ્ન ઊભો થાય છે કે ગુરુ ભગવંત શિષ્યોને આગમસૂત્રોનો અભ્યાસ કરાવે છે એમાં સ્થાન, વર્ણ, અર્થ વગેરે અંગો જો બરાબર ન સચવાય તો પણ તેવા શિષ્યોને સૂત્રદાન કરવું? કે ન કરવું ? એટલે કે શાસ્ત્રાભ્યાસ કરાવવો ? કે ન કરાવવો ? આમાં સૂત્રદાન આપનારની યોગ્યતા હોવી જોઈએ. અને સૂત્રદાન લેનારની પણ યોગ્યતા હોવી જોઈએ. જો સૂત્રદાન આપનારની યોગ્યતા નહિ હોય તો સૂત્રદાનમાં કચાશ રહી જશે અને એ રીતે ખોટી પરંપરા ઊભી થશે. એવી જ રીતે જો સૂત્રદાન લેનારની યોગ્યતા નહિ હોય તો ખોટા અર્થ થશે અને એ સૂત્રદાન લેનાર જ્યારે આગળ જતાં પોતાના શિષ્યોને સૂત્રદાન આપશે તો એમાં અશુદ્ધિની For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જ્ઞાનસાર વૃદ્ધિ થશે. એટલે આજ સુધી જળવાયેલી જે ચુસ્ત પરંપરા છે તે જ યોગ્ય છે. કેટલાક એવો ભ્રમ સેવે છે કે જો સૂત્રદાનના વિષયમાં બહુ કડક રહીશું તો ક્રમે ક્રમે એવો વખત આવશે કે આગળ જતાં આગમો ભણનાર કોઈ નહિ હોય અને આગમો ભણાવનાર પણ કોઈ નહિ હોય. એમ થશે તો આગમોનો જ વિચ્છેદ થઈ જશે એટલે કે તીર્થનો વિચ્છેદ થશે. બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જો ખોટા અર્થ અને ખોટા ઉચ્ચાર ચલાવી લેવામાં આવશે તો અનુક્રમે એવો વખત આવશે કે જ્યારે કોઈ સૂત્રો સાચી રીતે ભણનાર નહિ હોય કે ભણાવનાર પણ કોઈ નહિ હોય. તો એ રીતે પણ સૂત્રોનો વિચ્છેદ થશે. આ બે સ્થિતિમાં શ્રી હરિભદ્રસૂરિજી વગેરે પૂર્વાચાર્યોએ એવો ઉત્તર આપ્યો છે કે તીર્થનો વિચ્છેદ ભલે થાય, પણ સૂત્રદાન યોગ્ય પાત્રને જ આપવું. પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પરની પોતાની ટીકામાં લખ્યું છેઃ “સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય એ જ તીર્થનો ઉચ્છેદ છે, કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે.” શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુષ્ટાશય નિમિત્તરૂપ નથી અને પોતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પણ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થઉચ્છેદના ભીરુએ (ભયથી) વિચાર કરવા યોગ્ય છે.” For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૧ ૨૮. નિયાગાષ્ટક [૧૭] : લઘુતવી રીતે બ્રહ્માની ધ્યાનધાવ્યા સનિશ્ચિન યાન નિયાપ્રતિપત્તિમાન્ ૨૮ાારા [શબ્દાર્થ : જે, જેણે; વર્મ-કર્મને; દુવાનહોમ્યાં છે; વીતે=પ્રદીપ્ત કરેલા; બ્રહીમની=બ્રહ્મરૂપી અગ્નિમાં; ધ્યાનધાયા–ધ્યાનરૂપી ધાયા અર્થાત્ સમિધિ વડે એટલે વેદની ઋચા વડે; સ=0; નિશિતેન=નિશ્ચિતતાથી, નિર્ધારિત રીતે; યાન યજ્ઞ (ભાવયજ્ઞ) વડે; નિયા=ભાવયજ્ઞ, પ્રતિપત્તિમા =પ્રાપ્ત થયેલા છે.] અનુવાદઃ જેણે પ્રદીપ્ત બ્રહ્મરૂપી અગ્નિમાં ધ્યાનરૂપી વેદની ચા વડે કર્મને હોમ્યાં છે તે મુનિ યજ્ઞ વડે (ભાવયજ્ઞથી) નિશ્ચિતતાથી નિયાગ (યક્ષ)ને પ્રાપ્ત થયેલા છે. (૧) | વિશેષાર્થ : યાગ એટલે યજ્ઞ, હોમ, હવન. નિયાગ એટલે નિશ્ચિત અથવા નિર્ધારિત યજ્ઞ. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હજારો વર્ષથી યજ્ઞની પ્રથા ચાલી આવે છે. કૌટુમ્બિક કક્ષાએ, સામાજિક કક્ષાએ અને રાજકીય કક્ષાએ યજ્ઞો થતા રહ્યા છે. રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરાવતા. વેદોમાં વિવિધ પ્રકારના યજ્ઞોના ઉલ્લેખ છે. કેટલાક યજ્ઞો આજ્ઞાકારી હોય છે. દુકાળ, અતિવૃષ્ટિ, મરકી વગેરે રોગો, કુદરતી આપત્તિઓ, યુદ્ધો વગેરે વખતે યજ્ઞો કરવાની પ્રથા છે. સમાજમાં મોટા ઉત્સવો કે એવા બીજા પ્રસંગે પણ યજ્ઞ કરાય છે. કૌટુંબિક કક્ષાએ ઘનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, વિદ્ગનિવારણ ઇત્યાદિ ઇચ્છાપૂર્તિના પ્રયોજનથી પણ હોમ-હવન થાય છે. અગ્નિને સૂર્યના પ્રતીકરૂપ માનવામાં આવે છે. એને પ્રસન્ન કરવા માટે પોતાની For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩ ૭ ૨ જ્ઞાનસાર પ્રિય વસ્તુઓની આહુતિ અપાય છે. એમાંથી હિંસક યજ્ઞો શરૂ થયા. વેદોમાં યજ્ઞોનું નિરૂપણ છે અને બ્રાહ્મણગ્રંથોમાં એનાં વિધિવિધાન છે. કેટલાક વિધર્મીઓ યજ્ઞમાં જીવતાં પશુઓને હોમે છે. કેટલાક યજ્ઞમાં સમિધ એટલે વિશિષ્ટ પ્રકારનાં અને માપનાં લાકડાના ટુકડા તથા અનાજના દાણા હોમાય છે. યજ્ઞની વિધિ સાથે વેદની ઋચાઓ બોલાય છે. વૈદિક વિધિમાં યજ્ઞો હિંસક પ્રકારના રહ્યા છે. દુશ્મનને મારવા માટે કે વેરનો બદલો લેવા માટે યજ્ઞો થાય છે. ભગવાન મહાવીરે આવા પશુબલિવાળા હિંસક યજ્ઞોનો જબરજસ્ત વિરોધ કર્યો. પરંતુ લોકો જો યજ્ઞો કરતા જ રહેવાના હોય તો સારો રસ્તો એ છે યજ્ઞો રાખવા, પણ એનું સ્વરૂપ બદલી કાઢવું. યજ્ઞોને અહિંસક બનાવવા અને મોક્ષના ધ્યેયવાળા બનાવવા. એટલા માટે એને રૂપકનું સ્વરૂપ આપવામાં આવ્યું. એને ‘ભાવયજ્ઞ' બનાવી દેવામાં આવ્યો. “ઉત્તરાધ્યયનસૂત્ર'ના “યજ્ઞીય અધ્યયનમાં કહ્યું છેઃ सुसंवुडा पंचहिं संवरेहिं इह जीवियं अणवकंखमाण।। वोसटुकाया सुइचत्तदेहा महाजयं जयइ जन्नसेढें ॥ [પાંચ સંવરથી સુસંસ્કૃત, જીવિત પ્રત્યે આકાંક્ષા રહિત, શરીર પ્રત્યે મમતા વિનાના, પવિત્ર, દેહાભ્યાસના ત્યાગી, એવા મુનિવરો જય કરનાર એવો શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.] ભાવયજ્ઞ એટલે કે નિયાગના આ સ્વરૂપને સમજાવવા માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ के ते जोई के व ते जोइठाणा का ते सूया किं व ते कारिसंगं । ___ एहा य ते कयरा सं ति भिक्खु, कयेरण होमेण हुणासि जोइं॥ હિં ભિક્ષુ ! તમારે અગ્નિ કયો છે ? અગ્નિનું સ્થાન કયું છે ? ઘી નાખવાની કડછી કઈ છે ? અગ્નિ પ્રગટાવનારું શું છે ? તમારે લાકડાં ક્યાં છે ? વિઘ્ન દૂર કરનાર શાન્તિપાઠ કયો છે ? અને કેવા પ્રકારના હોમથી તમે યજ્ઞ કરો છો ?]. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૩ આ પ્રશ્નોના ઉત્તરમાં ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે. तवो जोइ जीवो जोइठाणं जोगा सुया शरीरं कारिसंगं । कम्मं एहा संजमजोग संती होमं हुणामि इसिणं पसत्थं ॥ | [તપ એ જ અગ્નિ છે. જીવ એ અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગો એ ઘી નાખવાની કડછી છે. શરીર એ તારૂપ અગ્નિને પ્રગટાવનાર સાધન છે. કર્મરૂપી કાષ્ઠ છે. સંયમ-વ્યાપાર એ શાન્સિપાઠ છે. હું ઋષિઓને પ્રશસ્ત એવો ભાવયજ્ઞ કરું છું.] ભાવયજ્ઞ અથવા નિયાગનો આદર્શ અહીં રૂપકશેલીએ બતાવવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે હિંસક યજ્ઞોનું ઉચ્ચત્તમ અહિંસક યજ્ઞમાં રૂપાંતર કરીને ભારતીય સંસ્કૃતિમાં આમૂલ પરિવર્તન કરીને નવી પરંપરા ચાલુ કરી. [૨૧] પપર્ધ્વનિ નિમે જ્ઞાનય રતો મવા સાવદ્ય વર્મય: કિં ભૂતિલામનયાડડવિનૈઃ In૨૮ાારા [શબ્દાર્થ : પદ્ઘનિ=પાપનો નાશ કરનાર; નામે=કામના રહિત; જ્ઞાનયજ્ઞ=જ્ઞાનયજ્ઞમાં; ૨:=આસક્ત; મ=થા; સીવદ =પાપસહિત; મૈયરે =કર્મયજ્ઞોથી; વિં=શું કામ છે; મૂતિજામનયા:=સુખની કામના વડે; મવિલૈ =મલિન.] અનુવાદઃ (હે ચેતન!) પાપનો નાશ કરનાર, નિષ્કામ જ્ઞાનયજ્ઞમાં આસક્ત થા. ભૌતિક સુખની ઇચ્છા વડે મલિન, પાપયુક્ત કર્મયજ્ઞોનું શું કામ છે? (૨) વિશેષાર્થ : મુનિ મહારાજને પંચ મહાવ્રત હોવાથી તેઓને ભૌતિક સુખ કામનાના આશયથી કોઈ યજ્ઞ કરવાના હોતા નથી. શ્રાવકો અન્ય ધર્મના પ્રભાવથી, આસપાસના લોકો સાથે દેખાદેખીથી, અંધશ્રદ્ધાથી ભૌતિક સુખ માટે યજ્ઞ કરે કે કરાવે તેવા લોકોને માટે તથા મુનિ મહારાજ માટે અહીં ભલામણ કરવામાં આવી છે. ભૌતિક યજ્ઞોમાં કેટલાક અન્ય ધર્મીઓ એવા હિંસક યજ્ઞ કરે છે કે જેમાં ગાય, For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જ્ઞાનસાર ભેંસ, પાડો, બકરી, ઘેટું, કૂકડો, ડુક્કરનો બલિ ચડાવવામાં આવે છે. ક્યાંક તો નાના બાળકનો કે મોટા માણસનો બલિ પણ અપાય છે જે હવે ગુનો ગણાય છે. વેદોમાં જાત જાતના યજ્ઞોની વાત આવે છે. . ત. મૂતિiામો પશુમાનમેત ! स्वर्गकामो अग्निं जुहुयात् । આવા કેટલાક યજ્ઞોમાં પશુ હોમવામાં આવે છે. યજ્ઞ કરનારા માંસાહારી અને મદ્યપાન કરનારા હોય છે. કેટલાકમાં હોમેલા પશુના પછી ટુકડા કરી પ્રસાદરૂપે વહેંચાય છે. આવા યજ્ઞો પાપમય અને સ્વાર્થરૂપ મલિનતાથી ભરેલા હોય છે. વર્તમાન સમયમાં આવા કેટલાક પાપમય યજ્ઞોનું પ્રમાણ ભારતમાં ઘણું ઘટી ગયું છે, તો પણ એવી ઘટનાઓ તો વારંવાર બને છે. કેટલાક પશુબલિ નથી હોમતા, પણ ઘી, અનાજ વગેરે હોમે છે. જેન ધર્મ પ્રમાણે આવા બધા યજ્ઞો પણ સાવદ્ય, એટલે કે પાપ-પ્રવૃત્તિ છે. એટલે સુખની ઇચ્છાથી કરેલા આવા યજ્ઞો હકીકતમાં તો જીવને સુખ આપવાને બદલે ભારે કર્મમાં બાંધે છે, જે ઉદયમાં આવતાં ભારે દુઃખ ભોગવવાં પડે છે. એટલે જ અહીં ઉપાધ્યાયજી મહારાજ વત્સલતાપૂર્વક ભલામણ કરે છે કે “ભાઈ ! તું આવા યજ્ઞો છોડીને એવા જ્ઞાનયજ્ઞોમાં રાગ કર, રસ લે કે જે પાપનો નાશ કરનાર હોય અને ભૌતિક સુખની કામના વગરના હોય.” [૧૯] વેdીમને શુદ્ધ કર્મયજ્ઞોપ યોનિ: ब्रह्मयज्ञ इतीच्छन्त: श्येनयागं त्यजन्ति किम् ।।२८।।३।। [શબ્દાર્થ વેદોસ્તત્વત્રિવેદમાં કહેલો હોવાથી; મન:શુદ્ધ=મનની શુદ્ધિ વડે; #ર્મયજ્ઞ કર્મયજ્ઞ; =પણ; યોનિ યોગીને; વ્રયા:=બ્રહ્મયજ્ઞ; તિ=એમ; રૃચ્છા:=ઇચ્છનારા, માનનારા; યેની શ્યનયજ્ઞને; ત્યગતિ ત્યજે છે; વિં=શા માટે.] અનુવાદઃ વેદોક્ત હોવાથી મનની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગીને કર્મયજ્ઞ પણ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૫ બ્રહ્મયજ્ઞરૂપ છે. એ પ્રમાણે માનનારા શ્યનયજ્ઞનો કેમ ત્યાગ કરે છે ? (૩) વિશેષાર્થ યજ્ઞમાં પશુઓ હોમનાર વેદનો આધાર આપે છે. વેદમાં કહ્યું છે મનશુદ્ધિ વડે કરેલો કર્મયજ્ઞ ( કે જેમાં પશુઓ હોમાય છે) તે યોગીઓ માટે બ્રહ્મયજ્ઞ બને છે. એટલે કર્મયજ્ઞ પાપરૂપ નથી. અજ્ઞાની માણસો સુખની ઇચ્છાથી કર્મયજ્ઞ કરે તો તેમાં તેઓ હેતુપૂર્વક હિંસા કરતા હોવાથી તે પાપરૂપ છે. પરંતુ આત્મજ્ઞાની યોગીઓ પશુવધવાળો કર્મયજ્ઞ કરે તો તે સકામ નથી અને હિંસારૂપ નથી. તેઓ ચિત્તની શુદ્ધિથી, હોમાતાં પશુઓ પ્રત્યે દ્વેષ વગર કર્મયજ્ઞ કરે છે માટે તે બ્રહ્મયજ્ઞ છે. વેદાંતીઓ કહે છે કે દ્વેષપૂર્વક પ્રાણીવધ કરે તો હિંસા છે. મીમાંસામાં કહ્યું છે, 'द्वेषपूर्वकं प्राणिवध एव हिंसा। વેદાંતીઓના આ વિધાનની સામે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વેદમાં “શ્યનયાગ' કરવાનું પણ વિધાન છેઃ-શ્યામવરન્ યા તો તમે શ્યનયાગ કેમ કરતા નથી? શ્યન એટલે બાજપક્ષી. જેઓ શત્રુનો વધ કરવા ઇચ્છતા હોય તેઓએ શ્યનયાગ કરવો જોઈએ. પરંતુ ગમે તે કારણે શ્યનયાગ પછીથી પડતો મૂકવામાં આવ્યો છે. એ કરવા માટે પછીના શાસ્ત્રગ્રંથોએ મનાઈ ફરમાવી છે. વેદાંતીઓ તરફથી એમ દલીલ કરવામાં આવે કે શ્યનયજ્ઞમાં શત્રુને મારવાની દ્વેષબુદ્ધિ છે એટલે ચિત્તશુદ્ધિ રહેતી નથી. પરંતુ તેમના બધા જ યજ્ઞોમાં પશુઓ હોમવામાં આવે છે. એ બધામાં ચિત્ત શુદ્ધિ ક્યાં છે? વળી કોઈ એમ કહે કે અમે શુદ્ધ બુદ્ધિથી શ્યનયાગ કરવા માંગીએ છીએ તો પણ તે માટે આજ્ઞા નથી. વસ્તુતઃ યજ્ઞમાં પશુઓ હોમવાં એ કેવળ હિંસા છે. એટલે એવા યજ્ઞો યોગીઓથી કરી શકાય નહિ. [૨૦] બ્રહાયજ્ઞ: પરં વર્ષ પૃથથરિણ: पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ।।२८।।४।। For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જ્ઞાનસાર [શબ્દાર્થ ઃ વૃયજ્ઞ:=બ્રહ્મયજ્ઞ; પરં ઝર્મ કેવળ ક્રિયા દરસ્થિ=ગૃહસ્થનું; ધારણ:=અધિકારી, પૂજ્ઞાવિ પૂજા વગેરે; વીતરી સ્થ=વીતરાગની; જ્ઞાનમે=જ્ઞાન જ; તુ=અને, પરંતુ; યોનિ:=યોગીને.] અનુવાદક અધિકારી ગૃહસ્થને વીતરાગની પૂજા વગેરે કેવળ ક્રિયા બ્રહ્મયજ્ઞ છે, પરંતુ યોગીને તો જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. (૪) વિશેષાર્થ : અહીં ગૃહસ્થની વાત કરવામાં આવી છે. મુનિઓના અધિકાર કરતાં ગૃહસ્થોનો અધિકાર જુદો છે. દરેક પોતાના અધિકાર પ્રમાણે, યોગ્યતા પ્રમાણે વિવેકપૂર્વક વર્તે તે ઇષ્ટ છે. એમ કહ્યું છે કે થિવિશાત્ શા ઘર્મસાધન સંસ્થિતિ: . શાસ્ત્રમાં અધિકાર પ્રમાણે ધર્મસાધના કરવાની સ્થિતિ કહી છે. શ્રાવકો ગૃહજીવન જીવે છે. તેઓ ધન કમાય છે. એટલે એમને માટે “ન્યાયસંપન્ન વૈભવ” એ માર્ગાનુસારીના ૩૫ ગુણમાંનો પહેલો ગુણ છે. સાચા શ્રાવકમાં આ ૩૫ ગુણો હોવા જોઇએ. એટલે શાસ્ત્ર પ્રમાણે દેશવિરતિધર શ્રાવકનું જીવન જીવનાર જો વીતરાગ ભગવાનની પૂજાભક્તિ કરે તો તે પણ વિવેકપૂર્વક અને જયણાપૂર્વક કરે છે. એની એ પૂજાભક્તિને બ્રહ્મયજ્ઞ કહી શકાય. દેશવિરતિધર શ્રાવકનો બ્રહ્મયજ્ઞ અને સર્વવિરતિધર મુનિનો બ્રહ્મયજ્ઞ એ બંને જુદા જુદા છે. આત્માના જ્ઞાયક સ્વભાવમાં રમણતા એ મુનિને માટે બ્રહ્મયજ્ઞ છે. શ્રાવકને માટે જિનપૂજા આસવરૂપ હોય તો પણ તે પ્રશસ્ત આસવ છે અને અમુક ભૂમિકા સુધી પ્રશસ્ત આસવનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો નથી. “પંચવસ્તુમાં કહ્યું છેઃ अकसिण पवत्तयाणं विरयाविरयाण एस खलुजुतो। संसारपयणुकरणो दव्वत्थए कूवदिटुंतो॥ [દેશવિરતિ સંયમમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને સંસારને અલ્પ કરનાર દ્રવ્યસ્તવ ફૂપના દૃષ્ટાન્ત યુક્ત છે.] અહીં કૂવાનું યોગ્ય દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કુવો ખોદતી વખતે પરિશ્રમ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૭ પડે છે, થાક લાગે છે, તરસ લાગે છે, કૂવાની માટીથી શરીર મેલું થાય છે. કપડાં ધૂપવાળાં થાય છે. પરંતુ પાણી નીકળ્યા પછી તરસ છીપે છે. એ પાણીથી સ્નાન કરી શકાય છે જેથી શરીર સ્વચ્છ થાય છે અને થાક ઊતરી જાય છે. વળી એ પાણીથી કપડાં ધોઈ શકાય છે. આ બધો લાભ કાયમને માટે મળે છે. કૂવો ખોદવાના પરિશ્રમમાં અલ્પકાળ માટે મલિનતા છે, પણ પછી કાયમને માટે ઘણા બધા સારા લાભો થાય છે. ગૃહસ્થો જે દ્રવ્યપૂજા કરે છે તેને આ કૂવાના દષ્ટાન્તની જેમ સમજવાનું છે. વેદાંતીઓ જો એમ કહે કે અમારા યજ્ઞમાં પશુઓની હિંસારૂપી સાવદ્ય વ્યાપાર હોવાથી એને બ્રહ્મયજ્ઞ ન કહેવાય એમ તમે કહો છો, તો પછી તમારા શ્રાવકો જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે જળ, ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરે છે. એમાં હિંસા રહેલી હોવાથી એ પણ સાવદ્ય વ્યાપાર છે. માટે તમે એને બ્રહ્મયજ્ઞ ન કહી શકો. એના ઉત્તરમાં કહેવાયું છે કે ગૃહસ્થો જિનેશ્વર ભગવાનની જે પૂજા કરે છે તે નિયમ પ્રમાણે ભૌતિક સુખો મેળવવા માટે નથી કરતા, પરંતુ ભાવથી જયણાપૂર્વક કરે છે અને તે પરંપરાએ લોકોત્તર ફળ મેળવવા માટે કરે છે. માટે એને બ્રહ્મયજ્ઞ કહી શકાય. (વ્યક્તિગત રીતે કોઈ ખોટી રીતે પૂજા કરતું હોય તો તે વાત જુદી છે.) [૨૨૧] fમોશેન વિહિત કર્મ કર્મક્ષયાનમ્ | क्लुप्तभिन्नाधिकारं च पुढेष्ट्यादिवदिष्यताम् ।।२८।।५।। [શબ્દાર્થ મિત્રોન=ભિન્ન ઉદ્દેશથી; વિદિતંત્રશાસ્ત્રમાં કહેલું, કર્મઅનુષ્ઠાન; ર્મક્ષ =કર્મક્ષય કરવામાં; અક્ષમ અક્ષમ, અસમર્થ; હતૃપ્ત કલ્પેલો; મિત્રાધિ રં=જેનો ભિન્ન અધિકાર છે; =અને; પુત્રેશ્યાતિવ=પુત્રપ્રાપ્તિ માટેના યજ્ઞ વગેરેની જેમ; pષ્યતા=જાણો, માનો.] અનુવાદઃ ભિન્ન ઉદ્દેશથી ઉપદેશેલું કર્મ (અનુષ્ઠાન) કર્મનો ક્ષય કરવામાં For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જ્ઞાનસાર અસમર્થ છે. કલ્પેલો છે ભિન્ન અધિકાર જેનો એવા પુત્રેષ્ટિ (પુત્રપ્રાપ્તિ માટે) યજ્ઞ વગેરેની જેમ જાણવું. (૫) વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે પ્રાચીન કાળમાં થતા યજ્ઞોને લક્ષમાં રાખીને, તત્ત્વની દષ્ટિએ એક મહત્ત્વનો ખુલાસો અહીં કર્યો છે. હિંદુઓમાં ઠેઠ વેદકાળથી યજ્ઞો થતા રહ્યા છે. કેટલાક હિંસક યજ્ઞોમાં તો હરણ, ઘેટાં, બકરાં, પાડા વગેરે પશુને હોમવામાં આવતાં. એની ક્રિયાવિધિમાં જે પ્રમાણે લખવામાં આવ્યું હોય તે પ્રમાણે યજ્ઞ કરાવનાર, જનસમુદાયની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવતા. જેમાં પ્રાણીઓની હિંસા ન હોય એવા યજ્ઞો પણ થતા. આવા કેટલાક યજ્ઞો જેનોમાં પણ આવ્યા. માણસને કામનાઓ અનેક હોય છે. એ માટે તે યજ્ઞ કરાવે છે. ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, લગ્ન, વિજ્ઞહરણ ઇત્યાદિ માટે પણ યજ્ઞો થતા આવ્યા છે. જેમાં પશુઓનો બલિ ચડાવવામાં આવતો નથી. જેનોમાં યજ્ઞની જગ્યાએ અનુષ્ઠાનો, પૂજનો વગેરે આવ્યાં. એમાં માણસ જે યજ્ઞ કે અનુષ્ઠાન જે હેતુ માટે કરે તે ફળ એને મળે. કોઈ વાર ન પણ મળે.) બીજા પ્રકારનું ફળ એને મળે નહિ. માણસ પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કરાવે અને પછી ધનપ્રાપ્તિની ઇચ્છા રાખે તો તે તેને મળે નહિ. આ જ રીતે માણસ પુણ્યના હેતુ માટે ધર્મક્રિયા કરે અને પછી ફળ તરીકે કર્મક્ષયની અપેક્ષા રાખે તો તે પ્રમાણે ફળ મળે નહિ. દયા, દાન , પ્રભુભક્તિ, વગેરે કેટલીક ધર્મક્રિયાઓથી પુણ્યોપાર્જન થાય છે. આવી ધર્મક્રિયાઓ શાસ્ત્રવિહિત હોય છે. અમુક કક્ષાના જીવો તે પ્રમાણે કરે તો તેમાં કશું અયોગ્ય નથી, કારણ કે પુણ્ય એકાત્તે હેય નથી. પણ એવી ક્રિયા કરીને કર્મક્ષયની કે મોક્ષપ્રાપ્તિની અભિલાષા કોઈ રાખે તો તે અયોગ્ય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે બાળજીવોને પુણ્યોપાર્જન અર્થે ધર્મક્રિયા કરતાં અટકાવવા નહિ, કારણ કે આત્માના ત્રણ ઉપયોગ છે, શુદ્ધ, શુભ અને અશુભ, શુદ્ધ ઉપયોગમાં અન્તર્મુહૂર્ત જેટલો કાળ પણ સ્થિર રહી શકાતું નથી.એટલે આત્મા For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૯ શુભ કે અશુભ ઉપયોગમાં ચાલ્યો જાય છે. એમાં જો તેને શુભમાં જતો અટકાવવામાં આવે તો તે વગર કહ્યું અશુભમાં જ ચાલ્યો જવાનો. એટલે એવા બાળજીવોને સમજાવવાની જરૂર છે કે આગળ જતાં સોનાની બંડીરૂપ પુણ્ય પણ છોડીને શુદ્ધોપયોગમાં રહી, કર્મક્ષય કરી મુક્તિ મેળવવાની છે. [૨૨] બ્રહ્માર્પણમપિ બ્રહાયજ્ઞાન્તર્યાવસાધનમ્ | ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।।२८।।६।। શબ્દાર્થ વૃ પિ =બ્રહ્મને અર્પણ કરવું તે પણ; બ્રહાયજ્ઞ=બ્રહ્મયજ્ઞમાં; અન્તર્યાવસાયન અંતર્ભાવનું સાધન; બ્રહ્માની=બ્રહ્મરૂપી અગ્નિમાં; ર્મળ:=કર્મનો; યુવતંત્રયુક્ત છે; સ્વતંત્વ=પોતાના કૃતપણાનું, કર્તાપણાનું; =અભિમાનને; દુતે હોમવાથી.] અનુવાદઃ બ્રહ્મયજ્ઞના અન્તર્ભાવનું સાધન (કારણ), પોતાના કર્તાપણાના અહંકારને બ્રહ્માનિમાં હોમવારૂપ કર્મનું બ્રહ્માર્પણ પણ યુક્ત છે. (૬) વિશેષાર્થ બ્રહ્માર્પણ એટલે બ્રહ્મને અર્પણ કરવું. બ્રહ્મ એટલે પરમાત્મા. પોતાનાં કર્મરૂપીયજ્ઞનો બ્રહ્મયજ્ઞમાં અંતર્ભાવ કરવો એટલે બ્રહ્માર્પણ કરવું કહેવાય. મનુષ્ય કોઈપણ કાર્ય કરે ત્યારે એનામાં “આ મેં કર્યું એવો કર્તાપણાનો અહંકાર આવે છે. પરંતુ એ જો ખરેખર અંતરની શ્રદ્ધાથી એમ માને કે મેં કંઈ જ કર્યું નથી. બધું પરમાત્માએ કર્યું છે. તો એના કર્મયજ્ઞનું બ્રહ્મયજ્ઞમાં અર્પણ થાય છે. માણસની આ શ્રદ્ધા બધાં જ કાર્યો માટે અને હંમેશને માટે રહે તો જ સાચું બ્રહ્માર્પણ કહેવાય. સામાન્ય માણસો પોતે જે કંઈ કાર્ય કરે તેમાં તેમના કર્મના કર્તાપણાનું અભિમાન આવે છે. પરંતુ જે બુદ્ધિમાન છે, જ્ઞાની છે તે તો પોતાનું કર્તુત્વરૂપી અભિમાન છોડીને આત્મજ્ઞાનરૂપી અગ્નિમાં પોતાનાં કર્મોને હોમે છે. આ જ ઉત્તમ બ્રહ્માર્પણ છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક ઉપર પોતે લખેલી ટીકામાં, શ્રીમ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જ્ઞાનસાર ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના બે શ્લોક ટાંક્યા છે. એમાં લખ્યું છેઃ ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्। વૃદ્ઘવ તેના પતિવ્ય બ્રહ્મર્મ સમધના | [અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાએ પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે.] આમ અર્પણ કરવાની ક્રિયા, વસ્તુ, અગ્નિ, હોમેલું સર્વ બ્રહ્મ છે અને પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે. એટલે કે બધું જ બ્રહ્મમય છે. આ જ સાચો બ્રહ્મયજ્ઞ છે. कर्मण्यकर्म यः पश्येदकर्मणिः च कर्म यः । स वुद्धिमान् मनुष्येषु स युक्त्तः कृत्स्नकर्मकृत् ॥ [જે નિષ્કામ કર્મમાં અકર્મને જુએ છે અને અજ્ઞાનપૂર્વકના અકર્મમાં કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મનો કર્તા છે.] આમ નિષ્કામ કર્મ કરનારો મનુષ્યોમાં સાચો બુદ્ધિમાન છે. જૈન દૃષ્ટિએ આત્મજ્ઞાન રૂપી અગ્નિમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને હોમવાં એ જ ઉત્તમ બ્રહ્માર્પણ છે. [૨૨૩] હાથત સર્વસ્વો બ્રહોદ હસાધના ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।२८।।७।। [શબ્દાર્થ બ્રહ્મણિકબ્રહ્મમાં; મર્પત સર્વસ્વ=જેણે સર્વસ્વ અર્પિત કર્યું છે; વૃદિ=બ્રહ્મમાં જેની દૃષ્ટિ છે; બ્રહ્મસાધન =બ્રહ્મજ્ઞાન જેનું સાધન છે; બ્રહ=બ્રહ્મ વડે; ગુહ્ર=હોમતો; અબ્રહ્મને, અજ્ઞાનને; બ્રહાજી=બ્રહ્મમાં; બ્રાતિમા=બ્રહ્મચર્યની ગુપ્તિવાળો.] અનુવાદઃ જેણે બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મમાં જ દષ્ટિ છે, બ્રહ્મરૂપી જ્ઞાન જેનું સાધન છે, બ્રહ્મ (ઉપયોગરૂપી) વડે બ્રહ્મમાં અબ્રહ્મને હોમતો, For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૨૮. નિયાગાષ્ટક ૩૮૧ બ્રહ્મચર્યની ગુપ્તિવાળો-(૭). વિશેષાર્થઃ ૭ અને ૮ શ્લોકનો સાથ આપ્યો છે. [૨૨૪] બ્રહાધ્યયનનિષ્ઠાવાન્ પરબ્રહ્મસમાદિતઃ | ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।२८।।८।। [શબ્દાર્થ ઃ બ્રાધ્યયન=બ્રહ્મ અધ્યયન; નિષ્ઠાવા=નિષ્ઠાવાળો, મર્યાદાવાળો; પરબ્રહ્મ=પર બ્રહ્મમાં; સમાહિત =સમાધિવાળો; બ્રહળ:=બ્રાહ્મણ, નિર્ઝન્થ; તિથd=લેપાય; પૈ=પાપ વડે; નિયા=ભાવયજ્ઞ; પ્રતિપત્તિમાન=પામેલો, સ્વીકારનાર.] અનુવાદઃ બ્રહ્માધ્યયન (આચારાંગસૂત્રમાં આવતાં એ નામનાં અધ્યયનો)ની નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સમાધિવાળો, ભાવયજ્ઞને સ્વીકારનાર નિર્ચન્હ (બ્રાહ્મણ) પાપથી લેપાતો નથી. (૮) વિશેષાર્થ ઃ બ્રહ્મજ્ઞાની મહાત્માનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો આ બે શ્લોકમાં દર્શાવાયાં છે. શુદ્ધ નિયાગ અથવા બ્રહ્મયજ્ઞ કેવો હોય અને તેનું ફળ કેવું હોય તે અહીં જણાવવામાં આવ્યું છે. નિયાગ કરનાર એટલે કે બ્રહ્મયજ્ઞ કરનાર બ્રાહ્મણને શ્રમણ, ભિક્ષુ અને નિર્ઝન્ય નામથી પણ ઓળખી શકાય છે. આવા બ્રહ્મજ્ઞાનીએ બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું હોય છે. બ્રહ્મજ્ઞાની મુનિએ પોતાનાં ઘરબાર, માલમિલકત ઇત્યાદિ તો ક્યારનાં ત્યજી દીધાં-હોમી દીધાં હોય છે. હવે એમને પોતાના શરીર ઉપર પણ મમતા રહી નથી હોતી. વળી તેઓને પોતાનાં કોઈ વિચાર, ભાવ ઇત્યાદિ માટે પણ આગ્રહ નથી હોતો. એમણે પોતાના આત્માની પરિણતિરૂપ પોતાના લાયોપથમિક ભાવો પણ આત્મામાં સ્થાપન કરી દીધા હોય છે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૨ જ્ઞાનસાર એમની દૃષ્ટિ બ્રહ્મમાં એટલે પરમાત્મસ્વરૂપમાં સ્થિર થયેલી હોય છે. તેઓ આત્મજ્ઞાનરૂપ દૃષ્ટિવાળા છે. બ્રહ્મજ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન એ જ એમનું સાધન છે. તેઓ આ બ્રહ્મયજ્ઞમાં અબ્રહ્મરૂપી, અજ્ઞાનરૂપી, બહિરાત્મરૂપી ઈંધણ હોમે છે. તેઓ બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિવાળા છે. તેઓ બ્રહ્મચર્યની નવ વાડનું કડક પાલન કરનાર છે. તેઓ આચારાંગસૂત્રના પ્રથમ બ્રહ્મશ્રુતસ્કંધના નવ અધ્યયનમાં કહેલી મર્યાદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા છે. પરબ્રહ્મમાં એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપમાં તેઓ સમ્યગૂ સમાધિવાળા છે. આવા બ્રહ્મજ્ઞાની મહાત્મા પાપથી લેવાતા નથી. તેઓ બ્રહ્મયજ્ઞમાં પોતાના કર્મોને બાળે છે અને પરમાનંદમય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ૩૮૩ ૨૯. પૂજાષ્ટક [૨૫] રાક્ષસી સ્નાન: સંતોષશુમવસ્ત્રમૃત્ | વિવેક્ષતિતાની ભાવનાપવિનાશય: ૨૧/ [શબ્દાર્થ : વાસા=યા+મમતા=દયારૂપી જળ વડે; તસ્નાન =જેણે સ્નાન કર્યું છે; સંતોષશુમવસ્ત્રમૃત=સંતોષરૂપી ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરનાર; વિવેતિક્ષાની વિવેકરૂપી તિલકથી શોભતો; ભાવનાપવિનાશય =જેનો આશય પવિત્ર છે એવો.] અનુવાદઃ દયારૂપી જળથી સ્નાન કરનાર, સંતોષરૂપી શુભવસ્ત્રોને ધારણ કરનાર, વિવેકરૂપી તિલકથી શોભતો, ભાવનાઓથી પવિત્ર આશયવાળો-(૧) વિશેષાર્થ શ્લોક ૧ અને ૨ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૬] વિતશ્રદ્ધાનથુકૃત્રિપદીરનદ્ર: નવબ્રહો વેવં શુદ્ધમાત્માનમર્વય પાર?iારા [શબ્દાર્થ : ભક્તિશ્રદ્ધાન=ભક્તિ અને શ્રદ્ધારૂપ; ધુળન્મિત્ર કેસર મિશ્રિત; પાટીરનદ્રર્વ =ચંદનરસ વડે; નવબ્રહ્માતો=નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અંગે; રેવં=દેવની; શુદ્ધ=શુદ્ધ; માત્માન=આત્મરૂપ; સર્વ=પૂજા કર.] અનુવાદઃ ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર મિશ્રિત ચંદનરસ વડે, શુદ્ધ આત્મરૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી નવ અંગે પૂજા કર. (૨) વિશેષાર્થ : પૂર્વના અષ્ટકમાં બ્રહ્મરૂપી યજ્ઞમાં અજ્ઞાન અને કર્મોને હોમવાનું રૂપક સમજાવ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ આ ‘ભાવપૂજા” અષ્ટકમાં મુનિ મહારાજે For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કેવી ભાવપૂજા કરવાની હોય છે તેનું યથોચિત રૂપકો દ્વારા પ્રતિપાદન કર્યું છે. જિનમંદિરમાં શ્રાવકો દ્રવ્યપૂજા કરે છે, પણ એ દ્રવ્યપૂજા ભાવપૂજામાં પરિણમવી જોઈએ. એટલે જ દેરાસરમાં જલ, ચંદન, કેસર, પુષ્પ વગેરેથી દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનરૂપી ભાવપૂજા અવશ્ય કરવાની હોય છે. જ્ઞાનસાર દ્રવ્યપૂજામાં જલ, કેસર, પુષ્પ વગેરેની પૂજામાં એકેન્દ્રિય જીવોની હિંસાનો દોષ રહેલો હોવા છતાં તેમાં હિંસાનો આશય નથી હોતો, પૂજા માટે ઘરે સ્નાન ક૨વામાં હિંસા રહેલી હોવા છતાં એમાં પણ હિંસાનો આશય નથી હોતો. પૂજા માટે ધારણ કરેલાં સુશોભિત વસ્ત્રો રાગનું કારણ બનતું હોવા છતાં રાગ ક૨વાનો આશય નથી હોતો. આશય હોય છે જિનેશ્વર ભગવાનની પૂજાભક્તિ કરવાનો. વળી દ્રવ્યપૂજા કરનારની કક્ષા શ્રાવકની હોય છે, જેમાં બાળકો અને બાળજીવો પણ હોય છે. તેમને ધર્મમાર્ગે ચડાવવા માટે દ્રવ્યપૂજાનું વિધાન છે. સાધુ મહારાજે પંચ મહાવ્રત ધારણ કરેલાં હોય છે. તેમને સ્નાન કરવાનું નથી. તેવી જ રીતે એમને જળ, કેસર, ચંદન વગેરેથી દ્રવ્યપૂજા કરવાની નથી હોતી. તેઓ હવે શ્રાવકની કક્ષા કરતાં ઊંચે બિરાજે છે અને અહિંસાદિ પાંચ મહાવ્રતના ધારણ કરનાર છે. એટલે જ શ્રાવકો સ્નાનશુદ્ધિ વગર દેરાસરના ગભારામાં દાખલ થઈ શકતા નથી. પરંતુ સાધુ મહારાજ સ્નાન ન કરતા હોવા છતાં ગભારામાં દાખલ થઈ શકે છે. એ એમની ઉચ્ચ ભાવદશા બતાવે છે. મુનિ મહારાજે દ્રવ્યપૂજા કરવાની નથી હોતી, એમ છતાં કોઈ મુનિ મહારાજને એમ થવું ન જોઈએ અને ન જ થાય કે પોતે કશું ગુમાવ્યું છે. એટલા માટે ઉપાધ્યાયજી મહારાજે સરસ પ્રયુક્તિ બતાવતાં કહ્યું છે કે મુનિમહારાજ પોતાની ભાવપૂજાને જ મનથી દ્રવ્યપૂજામાં રૂપાંતરિત કરે તો એમને બે ય લાભ મળે. એ માટે પોતાની કલ્પનાશક્તિ કામે લગાડવી જોઈએ. શ્રાવકની દ્રવ્યપૂજાની થોડીક ક્રિયા જોઈએઃ ૧. શ્રાવક સ્નાન કરે છે. ૨. ઉજ્જવળ વસ્ત્ર ધારણ કરે છે. ૩. તિલક કરે છે. ૪. કેસરમિશ્રિત ચંદન ઘસે છે. ૫. ભગવાનની પ્રતિમાને નવ અંગે પૂજા કરે છે. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ૩૮૫ આ પાંચ વસ્તુ સાધુ મહારાજની ભાવપૂજામાં કેવી રીતે ઘટાવી શકાય ? તો ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મુનિ મહારાજ સ્વ અને પરના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણની રક્ષા રૂપી જીવદયાના અવતાર જેવા ગણાય. દયામાં આર્કતા રહેલી છે. સાધુએ દયારૂપી જલથી સ્નાન કરવું જોઈએ. સ્થૂલ જલ કરતાં આ કેટલી બધી ઉત્તમ કોટિનું જલ કહેવાય ! એથી જે શુદ્ધિ થાય તે સ્થૂલ જલથી ન થઈ શકે. સ્થૂલ જળ કરતાં દયારૂપી જળ પ્રમાણમાં વધુ છે. વિપુલ અને વિશુદ્ધ છે. ઇચ્છાનો અભાવ, એટલે સંતોષ. સાધુમહારાજને પોદ્ગલિક ભાવોને કારણે થતી તૃષ્ણા અને સંતાપનો અભાવ હોવાથી સંતોષ હોય છે. એટલે સંતોષરૂપી વસ્ત્ર તેઓએ ધારણ કર્યું હોય છે. ગૃહસ્થો ભગવાનની આજ્ઞા મસ્તકે ચડાવવાના પ્રતીકરૂપે તિલક કરે છે. એટલે કે ભગવાનની આજ્ઞાનુસાર પોતાના દોષો નિર્મૂળ કરી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. સાધુઓએ વિવેકરૂપી તિલક કર્યું હોય છે. સ્વ અને પરના એટલે ચેતન અને જડના ભેદજ્ઞાનરૂપી વિવેક તેઓને હોય છે. અન્ય બાહ્ય પદાર્થોથી પોતાની ભિન્નતા ઉપરાંત “આ દેહથી પણ હું ભિન્ન છું, વિશુદ્ધ આત્મસ્વરૂપ છું.” એવા ભેદજ્ઞાનથી તેઓ ભાવિત હોય છે. એટલે જ વિવેકરૂપી તિલકથી તેઓ વધુ શોભે છે. શ્રાવક કેસરને ચંદન વડે ઘસે છે. એટલે કેસરનો કેસરી રંગ અને ચંદનની સુગંધ બંનેનું મિશ્રણ થાય છે. સાધુએ ભક્તિરૂપી કેસરને શ્રદ્ધારૂપી ચંદન વડે ઘસીને તૈયાર કરવાનું હોય છે. શ્રાવક ભગવાનની-જિનપ્રતિમાની પૂજા કરે છે. સાધુએ પોતાના દેહરૂપી મંદિરમાં બિરાજમાન શુદ્ધાત્મારૂપી દેવની પૂજા કરવાની હોય છે. શ્રાવક જિનપ્રતિમાની નવ અંગે પૂજા કરે છે. સાધુ બ્રહ્મચર્યની નવ વાડ વડે પોતાનામાં રહેલા પરમાત્માની નવે અંગે પૂજા કરે છે. બ્રહ્મ એટલે પરમાત્મા. એમની પૂજા અર્ચના કરવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૬મા અધ્યયનમાં કહેલી શીલની નવ વાડનું પાલન અનિવાર્ય છે. એ નવ વાડ આ પ્રમાણે છે: For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જ્ઞાનસાર (૧) બ્રહ્મચર્ય મહાવ્રતધારી સાધુએ સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું, (૨) સ્ત્રીનાં અંગાંગો ન નિહાળવાં, (૩) સ્ત્રીઓની કથાવાર્તા ન કરવી, (૪) પૂર્વે ભોગવેલા ભોગો યાદ ન કરવા, (પ) સ્ત્રી સાથે એક આસને બેસવું નહિ તથા સ્ત્રી બેઠી હોય કે સૂતી હોય એવા આસન, પલંગ પર બે ઘડી બેસવું નહિ, (૬) વિકાર થાય એવું સ્નિગ્ધ ગરિષ્ઠ ભોજન કરવું નહિ, (૭) શૃંગારસયુક્ત ગીત, શૃંગારવર્ધક મંજન, વિલેપન, વેષભૂષા ઇત્યાદિ કરવાં નહિ તથા નૃત્ય, નાટક નિહાળવાં નહિ, (૮) ભૂખ કરતાં ઓછું ખાવું એટલે કે ઉણોદરી વ્રત કરવું, (૯) બાજુમાં ભીંત આડે સ્ત્રીપુરુષ રહેતાં હોય તો તેમના શબ્દો સાંભળવા નહિ. આ નવવિધ વાડ એ શુદ્ધાત્માનાં નવ અંગ છે. એની પૂજા કરવાની હોય છે. જે સાધક મન, વચન અને કાયાથી, સંપૂર્ણ નિષ્ઠા સાથે બ્રહ્મચર્યનું પાલન કરે છે એને અવશ્ય આત્મદર્શન થાય છે. આમ, મુનિએ શુદ્ધાત્માની ભાવપૂજા કરવાની હોય છે. શ્રાવકે જિનપ્રતિમાની પૂજા અમુક જ સ્થળે અને અમુક સમયે જ કરવાની હોય છે. મુનિની ભાવપૂજા નિરંતર હોય છે. એ માટે સ્થળ અને સમયનું કોઈ બંધન નથી. [૨૭] ક્ષમાપુષ્પન્ન થયુમક્ષૌમાર્ય તથા . ધ્યાનમાં ર ત વિનિવેશય પારારૂા. [શબ્દાર્થ : ક્ષમાપુષ્પસન્નકક્ષમારૂપી ફૂલની માળાને; ધર્મયુમક્ષૌમયે ધર્મરૂપી બે (નિશ્ચય અને વ્યવહાર) વસ્ત્રોને; તથા=અને; ધ્યાન મરઘંસાર=ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ (અલંકાર)ને; અને; તે તેના (આત્માના) અંગે; વિનિવેશ =પહેરાવ.] અનુવાદક તેના (આત્મારૂપી દેવના) અંગે ક્ષમારૂપી પુષ્પની માળા, બે પ્રકારના (નિશ્ચય અને વ્યવહાર) ધર્મરૂપી બે વસ્ત્ર તથા ધ્યાનરૂપી ઉત્તમ આભરણ પહેરાવ. (૩) વિશેષાર્થ શ્રાવક જિનમંદિરમાં જિનપ્રતિમાની કેસર-ચંદનથી પૂજા કર્યા For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ૩૮૭. પછી પુષ્પપૂજા કરે છે. ત્યાર પછી પ્રતિમાની અંગરચના-આંગી કરે છે, અલંકારથી તેને સુશોભિત કરે છે. મુનિ મહારાજ પાસે ક્ષમારૂપી પુષ્પો છે. એ પુષ્પોની માળા ગુંથી છે. તે ભગવાન આત્માને પહેરાવે છે. સાધુ ક્ષમાના અવતાર હોવા જોઈએ. એટલે તો વંદન વખતે આપણે બોલીએ છીએ ઇચ્છામિ ખમાસમણો (ક્ષમાશ્રમણ). ક્ષમાનાં પુષ્પોની માળા ગુંથવાની છે એટલે ઘણાં બધાં ક્ષમાપુષ્પો હોવાં જરૂરી છે. સાધુ જેટલી વાર જરૂર પડે એટલી વાર ક્ષમા આપનાર અને ક્ષમા માગનાર હોય છે. ક્ષમા સાધુનો સૌથી પહેલો ગુણ છે. એટલે જ દસ પ્રકારના યતિધર્મમાં સૌથી પહેલો ધર્મ તે ક્ષમા છે. શ્રાવક જિનપ્રતિમાની પુષ્પપૂજા કર્યા પછી ભક્તિભાવનાં વસ્ત્રરૂપી અંગરચના કરે છે. સાધુ માટે પોતાના આત્મારૂપી પરમાત્માની અંગરચના હોય છે. અંગરચનામાં તેઓ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ રૂપી બે વસ્ત્ર પહેરાવે છે. નીચેનું વસ્ત્ર તે વ્યવહાર ધર્મ છે અને ઉપરનું વસ્ત્ર તે નિશ્ચયધર્મ છે. વ્યવહારધર્મ તે આવશ્યકાદિ ક્રિયાઓ છે અને આત્માના પરિણામ રૂપી નિશ્ચયધર્મથી આત્મસ્વરૂપનું ભાવન કરવાનું છે. અંગરચના પછી જિનપ્રતિમાને અલંકારોથી સુશોભિત, મનોહર બનાવવામાં આવે છે. સાધુ પાસે ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી અલંકારો છે. એ વડે તે આત્માની અંગરચના કરે છે. [૨૮] મવસ્થાનમાયાર્નિવા વાણમંત્રિમ્ | ज्ञानाग्नौ शुभसंकल्पकाकतुण्डं च धूपय ।।२९।।४।। [શબ્દાર્થ અવસ્થામાત્યાન =મદસ્થાનોના ભેદોનો ત્યાગ કરવા વડે; તિઉ=આલેખ; =આગળ (આત્માની આગળ); =અને; અષ્ટમંત્રન=આઠ મંગળને; જ્ઞાનીનૌ=જ્ઞાનરૂપી અગ્નિમાં; ગુમસંવેq=શુભ સંકલ્પરૂપી; તુë=કૃષ્ણાગરુ; વ=અને; ધૂપ =ધૂપ કર.] For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ३८८ જ્ઞાનસાર અનુવાદઃ તેની (આત્મારૂપી દેવની) આગળ મદસ્થાનના (આઠ) ભેદોનો ત્યાગ કરવા વડે આઠ મંગળ આલેખ અને જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કૃષ્ણાગરુનો ધૂપ કર. (૪) વિશેષાર્થ : જિનમંદિરમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાની પૂજાવિધિ પૂર્ણ થયા પછી પ્રાચીન સમયમાં પાટલા ઉપર ચોખા વડે કે અન્ય રીતે આઠ મંગલ આકૃતિઓ દોરવામાં આવતી. એ આઠ મંગલનાં નામ આ પ્રમાણે છે: સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક (શરાવસંપુટ), કળશ, સિંહાસન (ભદ્રાસન), મત્સ્યયુગલ અને દર્પણ. જેઓને રોજનો સારો મહાવરો હોય તેઓને પાટલા ઉપર ચોખાથી અષ્ટમંગલ આલેખવામાં વાર નથી લાગતી. પરંતુ કેટલાયને આ આઠ આકૃતિઓ આલેખવામાં વાર લાગતી. એટલે પછીના સમયમાં અષ્ટમંગલ દોરેલા પાટલા આવ્યા. (એવા પાટલા પાટલાપૂજનમાં હજુ પણ વપરાય છે.) પછીના કાળમાં પાટલાને બદલે ધાતુની નાની પાટલી આવી. પછી આવી પાટલીઓ ખોવાઈ કે ઊપડી જવાની બીકે ગભારાની બહારને બદલે અંદર મૂકાવા લાગી છે. એની પૂજા છેલ્લે કરવાની હોય છે–આલેખનના પ્રતીક તરીકે. જો કે હવે તો ગમે ત્યારે એની પૂજા લોકો કરે છે. દ્રવ્યપૂજામાં આ આઠ મંગલનું આલેખન કરવાનું હોય છે, પરંતુ અહીં મુનિને કહેવામાં આવ્યું છે કે આઠ મદનો ત્યાગ એ જ આઠ મંગલરૂપ છે. મદ એટલે ગર્વ અથવા અભિમાન. એના જે આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે : જાતિમદ, કુળમદ, શરીરમદ, બળદ, લાભમદ, બુદ્ધિમદ, તપમદ અને જ્ઞાનમદ. મુનિની ભાવપૂજામાં અષ્ટમંગલની પૂજા એટલે આ આઠ ભાવમંગલના પ્રતીક તરીકે આઠ પ્રકારના મદનો ત્યાગ કરવાનો હોય છે. ચારિત્રના પાલનમાં ઘણા આગળ વધ્યા હોવા છતાં મદનો-માનકષાયનો ત્યાગ ઘણો દુષ્કર છે. અષ્ટમંગલના આલેખન સાથે ધૂપપૂજા થાય છે. ધૂપ તરીકે સુગંધી કૃષ્ણાગુરુનો For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ઉપયોગ થાય છે. મુનિએ આ ધૂપપૂજા એવી રીતે ક૨વાની હોય છે. તે જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કૃષ્ણાગરુ નાખીને ધૂપપૂજા કરે છે. અહીં આત્માની ઊંચી દશાની વાત કરવામાં આવી છે. અહીં શુભ સંકલ્પ-વિકલ્પો, શુભ અધ્યવસાયોનો પણ ત્યાગ કરવાનો છે, કારણ કે તે પુણ્યબંધના કારણભૂત છે. મુનિએ નિર્વિકલ્પ દશામાં જવા માટે પુણ્યબંધનાં નિમત્તોનો પણ ત્યાગ કરવાનો છે. જ્ઞાનયોગીને અશુભ સંકલ્પો એટલે કે પાપબંધનાં કારણો હોતાં જ નથી. પણ હવે નિર્વિકલ્પ સમાધિમાં જવા માટે શુભ અધ્યવસાયોને પણ છોડવાના છે. સાધકે હવે રાગદ્વેષથી રહિત બની આત્મસ્વરૂપમાં રહેવાનું છે. આમ ભાવનાત્મક અષ્ટમંગલ અને ધૂપ-પૂજા સાધક મુનિવરને ઊંચા ગુણસ્થાનકે આરોહણ કરાવે છે. [૨૨૯] પ્રાધર્મનવળોત્તર ધર્મસંન્યાસવનિના । कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ।। २९ । । ५ । । ૩૮૯ [શબ્દાર્થ ઃ પ્રાધર્મ=પૂર્વના ધર્મ (ક્ષાયોપશમિક વગેરે ધર્મ)રૂપ; નવળોત્તાતં=લવણ ઉતારવું; ત્યાગ કરવો; ધર્મસંન્યાસ=ધર્મસંન્યાસરૂપ; વનિના=અગ્નિ વડે; ર્વન=કરીને, કરતો; પૂર=પૂર્ણ ક૨; સામર્થ્ય=સામર્થ્યયોગ; રાન—શોભાયમાન; નીરાનન=આરતી; વિધિ=વિધિ.] અનુવાદઃ ધર્મસંન્યાસરૂપી અગ્નિ વડે પૂર્વના ધર્મરૂપી લવણ ઉતારીને, સામર્થ્યયોગરૂપી શોભતી આરતીની વિધિ પૂર્ણ કર. (૫) વિશેષાર્થ : જિન મંદિરમાં પૂજાવિધિમાં થતી અન્ય બે ધર્મક્રિયાઓ અહીં ઉલ્લેખ છે. એ છે ઃ (૧) લવણ ઉતારવું અને (૨) આરતી ઉતારવી. લવણ ઉતારવું એટલે લૂણ ઉતારવું. જૂના વખતમાં અશુભના નિવારણ માટે દેરાસરમાં લૂણ ઉતારવાની પ્રથા હતી. હજુ પણ ક્યાંક હશે. (લગ્નમાં વરરાજા ઘોડા પર બેસે ત્યારે પાછળ બેસી એની નાની બહેન લૂણ ઉતારે એવો રિવાજ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જ્ઞાનસાર હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. વરરાજાને કોઈની નજર ન લાગે એ માટે, અશુભના નિવારણ માટે લૂણ ઉતારાય છે.) લવણ ઉતારવું એટલે અગ્નિમાં મીઠું નાખવું. અગ્નિમાં લવણ નાખવામાં આવે એટલે એ તડ તડ બળવા લાગે. એટલા માટે નીચેની પંક્તિઓ પ્રચલિત બની હતી: - જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. આ લૂણ ઉતારવાની ક્રિયાને ભાવપૂજામાં ઘટાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ધર્મસંન્યાસ એ અગ્નિ છે. એમાં પૂર્વના ધર્મ એટલે કે ઓદયિક અને લાયોપથમિક ધર્મ પણ બાળી નાખવાના છે. અર્થાત્ એના આલંબનનો પણ ત્યાગ કરવાનો છે. નિશ્ચયનયથી સર્વોચ્ચ પ્રકારની આ ભાવપૂજા છે. આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને હવે પ્રગટાવવાનું છે. સાધક નિર્વિકલ્પ સમાધિમાં આવે છે. ત્યારે સવિકલ્પ ધર્મોનો ત્યાગ થાય છે. આ આઠમા ગુણસ્થાનકની ઉપર જનાર સાધક માટેની વાત છે. “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ वंदिज्जमाणा न समुक्कसंति हेलिज्जमाणा न समुज्जलंति। दंतेण चित्तेण चरंति धीरा मुणी समुग्धाइयरागदोसा ॥ [કોઈ વંદન કરે ત્યારે તેઓ પોતાનો ઉત્કર્ષ માનતા નથી (અભિમાન ધારણ કરતા નથી.) કોઈ નિંદા કરે તો તેઓ ગુસ્સે થતા નથી. વશ કરેલા ચિત્ત વડે રાગ-દ્વેષનો નાશ કરનારા ધીર મુનિઓ વિચરે છે.] છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તતા સાધુએ વિષય-કષાયરૂપ ક્ષાયોપથમિક અને દયિક ભાવોનો ત્યાગ કરવાનો હોય છે. આમ લવણ ઉતારવાની ક્રિયા એટલે ઓદયિક અને ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ. લૂણ ઉતારવાની ક્રિયા પછી આરતી અને મંગળ દીવો થાય છે. આ શ્લોકમાં આરતીની વાત કરી છે. હવે પછીના શ્લોકમાં મંગળદીવાનો નિર્દેશ છે. ભાવપૂજામાં મુનિવર માટે આરતી એટલે શું ? આરતી એટલે સામર્મયોગ. સામર્થ્યયોગના બે પેટાપ્રકાર છેઃ ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. યોગસંન્યાસ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ૩૯૧ એટલે મન, વચન અને કાયાના યોગનો નિરોધ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે, “જ્યાં કર્મબંધનાં કારણોમાં પ્રવર્તતા વીર્યની તેવા પ્રકારની પ્રવૃત્તિ નથી, પણ પોતાના આત્મધર્મમાં સાધનરૂપ અનુભવની એકતામાં વીર્ય સહજભાવે પ્રવર્તે છે તે સામર્થ્યયોગ કહેવાય છે.” સાધકે આ સામર્થ્યયોગરૂપી આરતીની વિધિ પૂરી કરવાની છે. યોગસંન્યાસરૂપી આ સામર્થ્યયોગ કેવળી ભગવંતોને હોય છે. [૩૦] રમવીપ ર સ્થાપવાનુભવં પુર: 1 યોનૃિત્યપરસ્તૌત્રિસંયમવીશ્ મવારપાદા [શબ્દાર્થ : જીર=સ્કુરાયમાન; મન્નવી =મંગળ દીવાને; =અને; થાય= સ્થાપન કર; મનુવં=અનુભવરૂપ; પુર:=આગળ; યોનૃિત્યપર:=યોગરૂપ (સંયમયોગરૂપ) નૃત્યપૂજામાં તત્પર; તૌયંત્રિ==ણ (ગીત, નૃત્ય અને વારિત્ર)નો સમૂહ; સંયમવા=સંયમવાળો; મ=થા.] અનુવાદક અનુભવરૂપી સ્કુરાયમાન (ઝળહળતા) મંગળદીવાની સ્થાપના કર. (સંયમ) યોગરૂપી નૃત્યપૂજામાં તત્પર થઈને ત્રણ (ગીત, નૃત્ય અને વાજિંત્રોની એકતાના જેવા સંયમવાળો થા. (૬). વિશેષાર્થ દેરાસરમાં પૂજાવિધિમાં આરતી પછી મંગળદીવો હોય છે. મુનિવરને ભાવપૂજામાં અનુભવજ્ઞાનરૂપ સ્કુરાયમાન મંગળદીવો સ્થાપન કરવાનું કહેવામાં આવ્યું છે. આ મંગળ દીવો એમણે પોતાના શુદ્ધ પરમાત્મ સ્વરૂપ ભગવાન આગળ સ્થાપવાનો છે. મંગળ દીવો અનુભવજ્ઞાનનું પ્રતીક છે. અનુભવજ્ઞાનમાં ઘણી તરતમતા છે. કેવલી ભગવંતને કેવળજ્ઞાન થાય તે પહેલાંની તરતની દશારૂપ અનુભવજ્ઞાનનો અહીં નિર્દેશ છે. પૂજાવિધિમાં મંગળદીવો પછી ઉત્સાહ અને ઉલ્લાસની અભિવ્યક્તિરૂપે ગીત, નૃત્ય અને વારિત્ર (વાજિંત્ર) એ ત્રણ વડે ઉત્સવ થાય છે. એમાં એ ત્રણે પરસ્પર For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જ્ઞાનસાર સુસંવાદી હોય છે. એ ત્રણેની એકતા એટલે ધારણા, ધ્યાન અને સમાધિની એકતા. આ ત્રણેની એકતારૂપી સંયમમાં જ્ઞાની ભગવંતે લીન થવાનું છે. આ આત્મદેવની પૂજા છે. અહીં યોગની ઉચ્ચત્તમ ભૂમિકા બતાવવામાં આવી છે. આત્મસાધનાનો આ ઉચ્ચત્તમ અનુભવ છે. [૨૩૧] 37સમનસ: સત્યધટાં વાહિયતતવ | ભાવપૂગીરતú aો મહોય: રાછા [શબ્દાર્થ ઃ ૩7 સન્મનસ:=ઉલ્લસિત મનવાળા; સત્યઘંટાં સત્યરૂપી ઘંટ; વાયત વગાડતાં; તવ=તારી; ભાવપૂના=ભાવપૂજા; ઉતર્યા=રત (રક્ત) થયેલા; હ્યું એમ; રોડે હથેળીમાં; મહોય=મોક્ષ.] અનુવાદઃ ઉલ્લસિત મનવાળા, સત્યરૂપી ઘંટ વગાડતા અને ભાવપૂજામાં લીન એવા તને હથેળીમાં મોક્ષ છે. (૭) વિશેષાર્થ દેરાસરમાં વ્યક્તિ જિનેશ્વર ભગવાનની જલ, કેસર (ચંદન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય ઇત્યાદિ આઠ પ્રકારની પૂજા કરી, આરતી મંગળદીવો ઉતારી, ચૈત્યવંદન ઇત્યાદિ કરી–એમ બધી પૂજાવિધિ કર્યા પછી છેલ્લે બહાર નીકળતાં પહેલાં પોતાના ઉલ્લાસના પ્રતીકરૂપે ઘંટ વગાડે છે, મંગલમય ઘંટનાદ કરે છે. ઘંટનાદપૂજા કરનારનો આનંદોલ્લાસ દર્શાવે છે. બીજાને એથી એની જાણ પણ થાય છે. સાધુ મહારાજથી દેરાસરમાં ઘંટ વગાડાય નહિ, છતાં ગૃહસ્થ શ્રાવકો કરતાં એમનો આનંદોલ્લાસ ઘણો બધો ચડિયાતો હોય છે. ભગવાનનાં દર્શન કરીને તેમનું મન ઉલ્લાસિત થાય છે. તેઓ પોતાના અંતરમાં સત્યરૂપી ઘંટ વગાડે છે. જ્યાં સત્ય છે ત્યાં એનો દિવ્ય રણકાર અનોખો છે. સાધુના જીવનમાં આંતર-બાહ્ય એકતારૂપ સત્ય છે. રાગદ્વેષથી રહિતપણાનું સત્ય છે, અભેદ પરિણતિનું સત્ય છે. આ સત્યરૂપી ઘંટ અંતરમાં સ્વયંમેવ વાગે છે. એનાથી ચહેરા પર જે ઉલ્લાસ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજાષ્ટક ૩૯૩ પથરાય છે તે છાનો રહેતો નથી. ઘંટ ઉલ્લાસનું પ્રતીક છે. તેમ જાહેરાતનું, બીજા લોકોને જાણ કરવાનું, ઢંઢેરાનું પણ પ્રતીક છે. અહીં પરમાત્મસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઢંઢેરો છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજ ભાવપૂજાના સાધક મુનિ મહારાજને કહે છે કે ભાવપૂજાની સાચી સજ્જતા હશે તો મહોદય એટલે કે મોક્ષ તમારી હથેળીમાં છે. [૨૩૨] દ્રવ્યપૂગોવિતા મેવોપાસના ગૃહમદનામ્ भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ।।२९।।८।। [શબ્દાર્થ દ્રવ્યપૂH=દ્રવ્યપૂજા; વિતા=યોગ્ય છે; મેવોપાસના=ભેદપૂર્વક (વિવિધ પ્રકારે) ઉપાસનારૂપ; પૃદયનામeગૃહસ્થોને માટે; માવપૂના=ભાવપૂજા; તુ=પરંત; સાધૂના=સાધુઓને માટે; મખેવોપાસનાભિ=અભેદ ઉપાસનારૂપ.] અનુવાદઃ ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસનારૂપી દ્રવ્ય પૂજા યોગ્ય છે અને સાધુઓને માટે અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજા ઉચિત છે. (૮) વિશેષાર્થ પંચ મહાવ્રતધારી સાધુ મહારાજોને જિનેશ્વર ભગવાનની પ્રતિમાની દ્રવ્યપૂજા હોતી નથી, કારણ કે તેમાં આરંભ-સમારંભ હોય છે. તેઓને તો માત્ર ભાવપૂજા હોય છે. ક્રિયારુચિવાળા જીવને દ્રવ્યપૂજા ગમે છે. તે જયણાપૂર્વક કરવાની હોય છે. સાધુઓએ શ્રાવકપણામાં આવી દ્રવ્યપૂજા કરી હોય છે. સાધુઓ પણ પોતાની ભાવપૂજામાં રૂપકશૈલીએ ઉચ્ચ આધ્યાત્મિક અર્થમાં દ્રવ્યપૂજાને કેવી રીતે વણી લઈ શકે છે તેનું સરસ નિરૂપણ આ અષ્ટકમાં કરવામાં આવ્યું છે. કોઈ સાધુ મહારાજને શ્રાવકપણાના સંસ્કારને લીધે દ્રવ્યપૂજાનાં ભાવ કે અભિલાષા થાય તો તેમને માટે અહી ભાવપૂજામાં દ્રવ્યપૂજાનું સરસ અર્થઘટન કરવામાં આવ્યું છે. સાધુઓએ ભાવપૂજા કરવાની હોય છે. પરંતુ શ્રાવકો તો જલ, ચંદન, પુષ્પાદિ વડે દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનાદિ દ્વારા ભાવપૂજા પણ કરે છે. આમ શ્રાવકોને For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જ્ઞાનસાર બંને પ્રકારની પૂજાનો લાભ મળે છે, જ્યારે સાધુઓને ફક્ત ભાવપૂજાનો જ લાભ મળે છે. તો એકંદરે શ્રાવકોને વધુ લાભ મળે છે એમ ન કહેવાય ? ના, કારણ કે શ્રાવકોની ભાવપૂજા અને સાધુઓની ભાવપૂજા વચ્ચે ફરક છે. શ્રાવકોની ભાવપૂજા એ ભેદોપાસના છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધુની ભાવપૂજા તો એથી વધુ ચડિયાતી છે, કારણ કે તે અભેદોપાસના છે. ભેદોપાસનામાં ભક્ત અને ભગવાન વચ્ચે ભેદ છે. તીર્થકર ભગવાન ઉપાસ્ય છે અને પોતે ઉપાસક છે, ભગવાન સેવ્ય છે અને પોતે સેવક છે, એ ધ્યેય છે અને પોતે ધ્યાતા છે-આ ભેદ ભગવાન અને ગૃહસ્થ ભક્ત વચ્ચે રહેલો છે. ગૃહસ્થ શ્રાવકો તીર્થંકર પરમાત્માનું આલંબન લઈ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરે છે. સ્તવન-ચૈત્યવંદનાદિ વડે તીર્થકર ભગવાનના ગુણસંકીર્તન રૂપ અને એમના પ્રત્યે બહુમાનપૂર્વક, ક્યારેક ગીત, ચામર નૃત્ય સાથે શ્રાવક દ્વારા કરાતી ભાવપૂજા સવિકલ્પ છે. આવી ભાવપૂજા તે “ભાવોપનીત માનસ પૂજા કહેવાય છે. એમાં મનના ભાવો બહુ ઉચ્ચ કોટિના હોવા છતાં હું તે ભક્ત અને મારા ઉપાય તે તીર્થંકર પરમાત્મા’ એવો બે વચ્ચે ભેદ રહે છે. જ્ઞાની સાધુભગવંતોની અભેદોપાસના રૂપ ભાવપૂજા તે “કાયિકી' ભાવપૂજા કહેવાય છે. આ ભાવપૂજા નિર્વિકલ્પ ઉપયોગવાળી હોય છે. એમાં અરિહંત પરમાત્માના ગુણો સાથે પોતાના આત્માના ગુણોની એકતા અનુભવાય છે. એમાં આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ અનુભવાય છે. ભેદોપાસના કરતાં આ અભેદોપાસનાનો આનંદ ઘણો ચડિયાતો, અનિવાર્ચનીય હોય છે. જેઓએ ભેદોપાસના કરી નથી હોતી તેઓ સીધા અભેદોપાસનાની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે આરંભમાં ભેદોપાસના આવશ્યક છે. જેમ જેમ ભેદોપાસના ઉચ્ચ સ્વરૂપની બનતી જાય તેમ તેમ સાધક અભેદોપાસનાની નજીક આવે છે. ભેદોપાસના અને અભેદોપાસના પોતપોતાના સ્થાને ઉચિત છે. આત્મવિકાસ માટે બંને ઉપયોગી છે. For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૩૯૫ ૩૦ ધ્યાનાષ્ટક [૨૩૩] ધ્યાતા યં તથા સ્થાનં ત્રયં યāવતાં ગતમ્ | મુનેરનવાર્ય તસ્ય ફુવંન વિદ્યતે રૂપાપા [શબ્દાર્થ ધ્યાતા–ધ્યાન કરનાર; ધ્યેયં=ધ્યાન કરવા યોગ્ય વિષય; તથા=અને; ધ્યાન ધ્યાન; ત્રયંત્રએ ત્રણ; થસ્થ=જેને; પતi=એકતાને, એકપણાને; તિં પ્રાપ્ત થયેલ છે; મુને =મુનિને; અનન્યવા=અનન્ય ચિત્તવાળાને; તસ્ય–તેને; હું:ā=દુઃખ; ન=નથી; વિદ્યતે–હોતું.] અનુવાદઃ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાને પામેલા, અનન્ય ચિત્તવાળા મુનિને દુઃખ હોતું નથી. (૧) વિશેષાર્થ : ધ્યાનનો વિષય અત્યંત વિશાળ છે. જ્યાં ચિત્ત છે ત્યાં ધ્યાન છે; તે શુભ હોય કે અશુભ હોય, તે ક્ષણિક હોય, અલ્પકાલીન હોય કે દીર્ઘકાલીન હોય, તે સામાન્ય માણસથી માંડીને કેવળીભગવંત સુધી હોય. આવી વિશાળતા ધ્યાનના ક્ષેત્રની છે. અષ્ટાંગ યોગમાં ધ્યાન એક અંગ છે અને એની સૂક્ષ્મ વિચારણા થઈ છે. ભગવદ્ગીતા અને અન્ય ધર્મના બીજા કેટલાક ગ્રંથોમાં ધ્યાનની મીમાંસા થઈ છે. સારા આરોગ્ય માટે અને માનસિક શાન્તિ માટે પણ ધ્યાનના પ્રયોગો કરાવાય છે. કેટલાક ધ્યાનના પ્રયોગોમાં ધ્યાન ધરનાર માટે કશી પૂર્વ સજ્જતાની અપેક્ષા હોતી નથી. (બગલાઓ પણ ધ્યાન ધરે છે.) જો કે તેનું પરિણામ પણ એવું જ હોય છે. આધ્યાત્મિક, મોક્ષમાર્ગ ધ્યાન માટે પૂર્વ સજ્જતાની અપેક્ષા રહે છે. જિનભદ્રગણિએ “ધ્યાનશતક'ની રચના કરી છે. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓએ પણ ધ્યાનની વિચારણા કરી છે. ખુદ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જ્ઞાનસાર યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર”માં “ધ્યાન-અધિકાર' અને ધ્યાન-સ્તુતિ અધિકાર' એમ બે અધિકાર લખ્યા છે. એટલે આ અષ્ટકના આઠ શ્લોકમાં તો નિચોડરૂપ થોડીક મહત્ત્વની વાત સર્વોત્કૃષ્ટ ધ્યાન માટે એમણે કહી છે. અહીં પ્રથમ શ્લોકમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાની વાત એમણે કરી છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનાર, ધ્યેય એટલે પ્રવૃત્તિનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય. ધ્યાન એટલે ચિંતનનો વિષય, અથવા ધ્યાતા અને ધ્યેયને જોડનારી ક્રિયા. ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'ના “ધ્યાન અધિકારના પ્રથમ શ્લોકમાં કહ્યું છેઃ स्थिरमध्यवसानं यत् तद्ध्यानं चित्तमस्थिरम् । भावना चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्त्रिधा मतम् ।। [જ સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. અસ્થિર રહે તેવા ચિત્તના ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકાર કહ્યા છે.] ધ્યાનશતક'માં શ્રી જિનભદ્રગણિએ કહ્યું છેઃ अंतो मुहत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुम्मि। छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥ [એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત સુધી ચિત્તની સ્થિતિરૂપ ધ્યાન છદ્મસ્થને હોય છે અને જિનોને (કેવલી ભગવંતોને) યોગનો વિરોધ કરવારૂપ ધ્યાન હોય છે.] કોઈ સાંસારિક વિષયનું, કોઈ વિશિષ્ટ પદાર્થનું, કોઈ તત્ત્વના વિષયનું, કોઈ વિભૂતિનું, કોઈ યાત્રાસ્થળનું–એમ કોઈપણ વિષયનું ધ્યાન ધરી શકાય છે, એમાં એકાગ્ર બની શકાય છે. ઉચ્ચ સ્વરૂપના ધ્યાનમાં કીટ-ભ્રમર ન્યાયે, એટલે કે કીડો ભમરીનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય છે એ પ્રમાણે, જીવાત્મા પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં પરમાત્મામય, ખુદ પરમાત્મસ્વરૂપ બની જાય એક વખત આવા ધ્યાનમાં મુનિઓ લાગી જાય તો પોતાના આત્મજ્ઞાનના For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૩૯૭ આવરણરૂપ પુગલોના સંયોગથી જે દુઃખ થાય છે તે દુઃખનું નિવારણ થઈ જાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી મોહનો ક્ષય થવા લાગે છે. આવી ઊંચી દશાએ પહોંચેલા મુનિને કોઈ વાતે દુઃખ હોતું નથી. સંસાર સ્વપ્નની જેમ અથવા કર્મરાજાએ કરાવેલા નાટકની જેમ અનિત્ય છે એવી અંતરની શ્રદ્ધા થયા પછી કર્મના ખેલથી તેમને સુખદુઃખ થતું નથી. દેહ સાથેનો સંબંધ તો અયોગી કેવળીના ગુણસ્થાનક સુધી રહેવાનો છે. પરંતુ દેહથી પર થઈ, દેહાતીત બની ધ્યાનમાં લીન થનાર મુનિ મહાત્માને કોઈ દુઃખ હોતું નથી. [૩૪] ધ્યાતાડતરાત્મા યતુ પરમાત્મા પ્રક્ષીર્તિતા ધ્યાને વૈધ્યસંવિત્તિ: સમાપત્તિસ્તતા રૂપારા [શબ્દાર્થ : ધ્યાતા–ધ્યાન કરનાર; મન્તર ભા=અંતરાત્મા છે; ધ્યેય ધ્યાન કરવા યોગ્ય વિષય; તુ=પરંતુ, તો; પરમાત્મા–પરમાત્મા પ્રોર્તિત કહી છે; ધ્યાનં ધ્યાન; ર=અને; પથ્ય=એકાગ્રતા; સંવિત્તિ=બુદ્ધિ, સમપત્તિ=સમાપત્તિ; તત=તેની (એ ત્રણેની) એકતા]. અનુવાદઃ ધ્યાતા (ધ્યાન કરનાર) અંતરાત્મા છે, ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય વિષય) પરમાત્મા છે અને ધ્યાન તે એકાગ્ર બુદ્ધિ છે-આ ત્રણેની એકતા તે સમાપત્તિ છે. (૨) વિશેષાર્થ ઃ હવે સમાપત્તિ' શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. ધ્યાનના વિષયમાં “સમાપત્તિ' પારિભાષિક શબ્દ છે. આ શબ્દ જૈન દર્શનમાં વપરાય છે અને યોગદર્શનમાં યોગાચાર્યોએ પણ એ જ શબ્દ પ્રયોજ્યો છે. સંસ્કૃત ભાષામાં સમાપત્તિ એટલે સાથે પરસ્પર મળવું, એકરૂપ થવું. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાને સમાપત્તિ કહેવામાં આવે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેનાં ગુણલક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે. એ હોય તો સમાપત્તિ, અન્યથા નહિ. ધ્યાતા ભૌતિક જીવનમાં રાચનાર હોય, ધ્યેય For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જ્ઞાનસાર પોદ્ગલિક સુખ હોય તો એવા ધ્યાનને સમાપત્તિ કહી શકાય નહિ. આવા ધ્યાન માટે આત્મા મિથ્યાદૃષ્ટિ બહિરાત્મા ન હોવો જોઈએ. તે સમ્યગુદૃષ્ટિ જ હોવો જોઈએ. ધ્યાન કરનાર આત્મા સમ્યગ્દર્શનના પરિણામવાળો એટલે કે અંતરાત્મા હોવો જોઈએ. આવા ધ્યાન માટે એ જ અધિકારી છે. વળી એણે ધ્યાનના ધ્યેય તરીકે અરિહંત પરમાત્મા કે સિદ્ધ ભગવાનનું લક્ષ રાખવું જોઈએ, એટલે કે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન ધરવું જોઈએ. વળી આ ધ્યાન એક જ વિષયનું હોવું જોઈએ એટલે કે સજાતીય જ્ઞાનની ધારા સતત ચાલતી હોવી જોઈએ, એમાં વચ્ચે વિજાતીય, વિપરીત વિષય ન આવવો જોઈએ. અરિહંત પરમાત્માનું ધ્યાન ચાલતું હોય તો એમના દ્રવ્ય, ગુણ અને પર્યાયથી એમને જાણવા જોઈએ. | ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકની ટીકામાં “પ્રવચનસાર'ની ગાથાનો સંદર્ભ આપ્યો છે. “પ્રવચનસાર'માં કહ્યું છેઃ जो जाणदि अरिहंते दव्वत्त, गुणत्त, पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ [જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.] ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં અને હવે પછીના શ્લોકોમાં સર્વોત્કૃષ્ટ ધ્યાન એટલે કે તીર્થંકર પરમાત્માનો જીવ પૂર્વના ભવમાં કેવું ધ્યાન ધરે કે જેથી તીર્થકર નામકર્મ બંધાય એ વિશે સમજાવ્યું છે. [૩૫] મUવિવ પ્રતિરછાયા સમાપત્તિ: પરભિન: . क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ।।३०।।३।। [શબ્દાર્થ મળાવવ=મળી+ફુવ; મણિની જેમ; પ્રતિષ્ઠાવા=પ્રતિબિંબ સમપત્તિ =સમાપત્તિ; TRIભન:=પરમાત્માનું; શીખવૃત્તૌ=ક્ષીણ વૃત્તિવાળા; For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૩૯૯ મવે=હોય; ધ્યાના–ધ્યાનથી; મારાત્મનિ=અંતરાત્મામાં નિર્મલે નિર્મળ, શુદ્ધ.] અનુવાદ ક્ષણ વૃત્તિવાળા નિર્મળ અંતરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું મણિની જેમ પ્રતિબિંબ પડે તે સમાપત્તિ છે. (૩) વિશેષાર્થ: સમાપત્તિને સમજાવવા માટે અહીં મણિ એટલે કે રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ અત્યંત નિર્મળ, સ્ફટિક જેવું હોય તો તેમાં પાસે રહેલા અન્ય પદાર્થનું એવું પ્રતિબિંબ પડે છે કે રત્નને બદલે તે પદાર્થ હોય એવો ભાસ થાય. માણસને ખ્યાલ ન આવે કે આ સ્ફટિક રત્ન છે. તેવી રીતે ધ્યાન દ્વારા અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તો તેને સમાપત્તિ કહેવામાં આવે છે. આવા પ્રતિબિંબ વખતે મણિ અત્યંત નિર્મળ જોઈએ. એ પ્રમાણે અંતરાત્મા પણ અત્યંત નિર્મળ જોઇએ. રાગદ્વેષ, કષાયો, પરાશ્રયરૂપી વૃત્તિઓ તથા વિકલ્પો ઇત્યાદિ રૂપી મળ અથવા કચરો નીકળી ગયો હોય તો અંતરાત્મા સ્ફટિક જેવો નિર્મળ બને છે. સ્ફટિક અત્યંત નિર્મળ હોય છે પણ જે વસ્તુનું પ્રતિબિંબ પડવું જોઈએ તે વસ્તુ પાસે ન હોય તો પણ તેમાં પ્રતિબિંબ ન પડે. એટલે વસ્તુ પાસે હોવી જોઈએ. વસ્તુનો સંસર્ગ થવો જોઈએ. વસ્તુના સંસર્ગથી પ્રતિબિંબ સ્વચ્છ અને આબેહૂબ પડે છે. જોનારને જો એમ લાગે કે આ તે મણિ છે અને એમાં બાજુની વસ્તુનું પ્રતિબિંબ પડ્યું છે, તો સ્થિતિ હજુ અપૂર્ણ છે. જોનારને આ પ્રતિબિંબ પડ્યું છે એવું લાગવું જ ન જોઈએ. પ્રતિબિંબ એવું પડવું જોઈએ કે માણસ ભૂલાવામાં પડી જાય કે આ મણિ નથી પણ તે વસ્તુ છે. પ્રતિબિંબ એવું અસલ હોવું જોઈએ. એટલે કે અભેદ થવો જોઈએ. તેવી રીતે નિર્મળ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ એવું પડવું જોઇએ કે જેથી ધ્યાનાવસ્થામાં અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ સ્થપાય. આમ, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં જ્યારે એકતા હોય ત્યારે તેને સમાપત્તિ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જ્ઞાનસાર આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।। तात्स्थ्यात् तदजनत्वाच्च समापत्तिः प्रकीर्तिता । [અભિજાત એટલે કે ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ કહી છે.] આમ, “સમાપત્તિ'નું અહીં ઉચ્ચ લક્ષણ બતાવવામાં આવ્યું છે. [૩૬] સાપરિચ તતઃ પુણ્યતીર્થર્મવન્યત: | ___ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।३०।।४।। [શબ્દાર્થ સાત્તિ =આપત્તિનો અહીં પારિભાષિક અર્થ છે ફળની પ્રાપ્તિ; વ=અને; તત:=ત્યાર પછી, તેથી (સમાપત્તિથી); પુખ્ય=પુણ્ય પ્રકૃત્તિરૂપ; તીર્થવૃત્ મૈતન્યત:=તીર્થકર નામકર્મના બંધથી; તદ્માવ=તે ભાવના, તીર્થકરપણાના ભાવના; મમુરત્વેન=અભિમુખપણાથી, સંપત્તિ:=આત્મિક સંપત્તિરૂપ ફળ; મા =ક્રમથી, અનુક્રમે; મવેzથાય.] અનુવાદઃ તેથી (સમાપત્તિથી) પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી આપત્તિ અર્થાત્ ફળની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (ઉદય નજીક આવતાં) ક્રમશઃ સંપત્તિરૂપ ફળ થાય છે. (૪). | વિશેષાર્થ : તીર્થકર ભગવાનના પૂર્વ ભવ અને વર્તમાન ભવમાં ધ્યાનના વિષયમાં સમાપત્તિ પછી આપત્તિ અને સંપત્તિ નામની બે ઘટનાઓ અનુક્રમે બને સમાપત્તિ એ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા છે. આપત્તિ અને સંપત્તિ એ બે સમાપત્તિનાં ફળ છે અને તે અનુક્રમે છે. સંપત્તિ શબ્દ સમજાય એવો છે. આપત્તિને ફળ તરીકે કેવી રીતે બતાવી શકાય? For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૧ પણ અહીં “આપત્તિ' શબ્દ પારિભાષિક અર્થમાં વપરાયો છે. સંસ્કૃતમાં આપત્તિ શબ્દનો પ્રચલિત અર્થ છે મુશ્કેલી, કષ્ટ, તકલીફ, આફત, દુઃખ ઇત્યાદિ. પણ આપત્તિ' શબ્દનો બીજો અર્થ થાય છે “પ્રાપ્તિ', “કશુંક મેળવવું'. અહીં એ અર્થમાં શબ્દ પ્રયોજાયો છે. તીર્થકર ભગવાન પૂર્વ ભવમાં જે ધ્યાન ધરે છે તે સમાપત્તિના પ્રકારનું ઉત્કૃષ્ટ હોય છે. એને પરિણામે જ તીર્થકર નામકર્મ બંધાય છે. તે તે સમાપત્તિનું ફળ છે. એને “આપત્તિ' કહેવામાં આવે છે. તીર્થકર નામકર્મ પુણ્યપ્રકૃતિરૂપ છે. જે આત્મા આ પ્રકારનું નામકર્મ બાંધે તે તેના ઉદયે તીર્થકર ભગવાન બને અને ધર્મતીર્થની પ્રવર્તન કરે. તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને વિશ્વને ઉપકારક એવી ધર્મદેશના આપે. આઠ પ્રકારનાં કર્મોમાં નામકર્મ નામનું અઘાતિ કર્મ છે. એની ૧૦૩ ઉત્તર પ્રકૃતિ છે અર્થાત્ પ્રકારો છે. એમાં એક તે તીર્થકર નામકર્મ. જે જીવ એ નામકર્મ બાંધે તે ત્રીજા ભવે અવશ્ય તીર્થકર થાય. સમાપત્તિનું અનુક્રમે બીજું ફળ તે “સંપત્તિ છે. સંપત્તિ એટલે માલ-મિલકત, ઐશ્વર્ય. તીર્થકર નામકર્મ વિપાકોદયની અભિમુખ થાય અર્થાત્ નજીક આવે ત્યારથી તીર્થકર ભગવાનના જીવને પરમ ઐશ્વર્યરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમનો જીવ ઍવીને માતાની કુક્ષિમાં અવતરે ત્યારે ઇન્દ્રાદિ દેવો તેમની સ્તુતિ કરે છે અને તેમનું ચ્યવન કલ્યાણ ઊજવે છે. એ જીવ જ્યારે ગર્ભાવસ્થામાં આવે ત્યારે એમને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ જન્મે ત્યારે એમના ચાર અતિશય હોય છે અને એમનું જન્મકલ્યાણક ઉજવાય છે. દીક્ષા પહેલાં તેઓ વરસીદાન આપે છે. સ્વયંદીક્ષિત થાય ત્યારે પણ કલ્યાણક ઉજવાય છે અને તેમને મન:પર્યવજ્ઞાન થાય છે. આ બધી સંપત્તિ તેઓ કેવળજ્ઞાન પામી તીર્થંકર થાય તે પહેલાં એમને પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વ પ્રકારનાં ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન તે તીર્થંકર પરમાત્માએ પોતાના પૂર્વના ત્રીજા ભવે કરેલું હોય છે. એ ધ્યાનમાં સમાપતિ, આપત્તિ અને સંપત્તિ એ ત્રણ મુખ્ય લક્ષણ હોય છે. For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જ્ઞાનસાર [૨૩૭] રૂલ્ય ધ્યાનહનાન્ યુક્ત વિંશતિસ્થાનવાદ્યપિ ! कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।।३०।।५।। [શબ્દાર્થ ઃ રૂā=એ પ્રમાણે; ધ્યાનના–ધ્યાનના ફળથી; યુક્ત યોગ્ય; વિંશતિસ્થાનાવિ વીશ સ્થાનક આદિ તપ; મ=પણ; 9માä=કષ્ટમાત્રરૂપ; તુ=તો; અમાનામપિ અભવ્યોને પણ; ન=નથી; કુર્તમં=દુર્લભ; મ=સંસારમાં.] અનુવાદઃ આ પ્રમાણે ધ્યાનના ફળથી વિસ સ્થાનક આદિ તપ પણ ઘટે છે. કષ્ટમાત્રરૂ૫ (પ) તો સંસારમાં અભવ્યોને પણ દુર્લભ નથી. (૫) વિશેષાર્થ : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા રૂપ સમાપત્તિ કેટલી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી શકે ? તો કહેવામાં આવ્યું છે કે એનાથી તીર્થકર નામકર્મ બાંધીને તીર્થંકર થઈ શકાય. જે જીવે તીર્થંકરપદની પ્રાપ્તિ કરવી હોય એણે વીસ સ્થાનકની આરાધના કરવી જોઈએ. આ વીસ સ્થાનક નીચે પ્રમાણે છે: (૧) તીર્થકર, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) ગુરુ, (૫) સ્થવિર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી, (૮) દર્શન, (૯) વિનય, (૧૦) આવશ્યક, (૧૧) શીલ, (૧૨) વ્રત, (૧૩) ક્ષણલવ સમાધિ, (૧૪) તપ સમાધિ, (૧૫) ત્યાગ (દ્રવ્યથી), (૧૬) ત્યાગ (ભાવથી), (૧૭) વૈયાવચ્ચ, (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ, (૧૯) શ્રુતભક્તિ અને (૨૦) પ્રવચન પ્રભાવના. (આ ક્રમમાં અને નામમાં ક્યાંક ફરક જોવા મળે છે.) કોઈ તીર્થકરનો જીવ આ વીસે વીસ સ્થાનકની આરાધના કરે અને કોઈ વીસમાંથી બે પાંચ કે વધારે કરે. એમાં સંખ્યાનો જો નિયમ હોય તો તે છે ઓછામાં ઓછા એક પદની આરાધના થવી જોઈએ. ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીએ વીસવીસની આરાધના કરી હતી. બીજા તીર્થકરોએ એથી ઓછા સ્થાનકની આરાધના કરી હતી. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૩ વીસ સ્થાનકની આરાધના ઉપવાસાદિ અમુક તપશ્ચર્યા, અમુક માળા, અમુક કાઉસગ્ગ ઇત્યાદિથી થાય છે. આ દ્રવ્ય ક્રિયા છે. આની સાથે જે પદની આરાધના ચાલતી હોય તે પદનું ધ્યાન ધરાવું જોઈએ. જો ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ તપશ્ચર્યા સાથે ન જોડાયેલી હોય તો તપશ્ચર્યા માત્ર દ્રવ્યક્રિયા બની રહે છે. ધ્યાન વગરની એવી વીસ સ્થાનકની આરાધના મોટું ફળ આપતી નથી. એ માત્ર કષ્ટ બની રહે છે. આવી કષ્ટરૂપ વીસ સ્થાનકની આરાધના તો અભવ્ય જીવોને પણ સુલભ છે. પણ તેવા જીવો અમુક કક્ષાથી ઊંચે ચઢી શકતા નથી અને અભિવ્ય જીવ તીર્થકર તો ક્યારેય બની શકે નહિ. માટે વીસ સ્થાનકની આરાધના ધ્યાન સાથે કરવી જોઈએ અને એમાં પણ તે સમાપત્તિ સુધી પહોંચવું જોઈએ. કોઈ એમ પ્રશ્ન કરે કે વીસ સ્થાનકની તપશ્ચર્યા બરાબર સારી રીતે થાય છે, પણ ધ્યાન ધરવાનું થતું નથી તો શું આરાધના માત્ર કષ્ટરૂપ હોવાથી છોડી દેવી? એનો ઉત્તર એ છે કે એમ ઉતાવળે આરાધના છોડી દેવાનું યોગ્ય નથી. એમ કરવાથી બેય બગડે છે. એટલે આરાધના કરનારે મહાત્માના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે ધ્યાન ધરતા થવું જોઈએ. એમ કરતાં કરતાં દ્રવ્ય આરાધના સાથે ધ્યાનમાં આગળ વધી શકાય છે. [૨૩૮] નિષ્ક્રિય થીરી પ્રશાન્તય સ્થિભિન:. ___ सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ।।३०।।६।। [શબ્દાર્થ : નિતેન્દ્રિયસ્થ=જેણે ઇન્દ્રિયો જીતી છે; ધીરણ્ય=ધર્યવાળા; પ્રશનિતસ્વ=પ્રશાન્ત એવા; રાત્મન =જેનો આત્મા સ્થિર છે, ચંચલતારહિત છે; સુરવાસનસ્થJ=સુખાસને રહેલા; નાસી =નાસિકાના અગ્ર ભાગમાં; ચત= સ્થાપેલાં, નેત્ર=જેણે નેત્ર-લોચન સ્થાપેલાં છે; યોનિ:=યોગી.] અનુવાદઃ જે જિતેન્દ્રિય છે, ઘર છે, પ્રશાન છે, જેનો આત્મા સ્થિર છે, જે For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ४०४ જ્ઞાનસાર સુખાસનમાં રહેલો છે, જેણે નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર સ્થાપ્યાં છે, જે યોગી છે– (૬) વિશેષાર્થ: શ્લોક ૬, ૭ અને ૮ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૩૯] રુદ્ધ વાહિમનોવૃત્તેિ રાધારા યાત્ | प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ।।३०।।७।। [શબ્દાર્થઃ રુદ્ધ વીદ્યમનોવૃત્ત =જેણે બાહ્ય મનોવૃત્તિને રોકી છે; થાર થારયાત્ર ધારણાની ધારા વડે; જયા=વે ગથી; પ્ર =પ્રસન્ન ચિત્તવાળા; અપ્રમત=અપ્રમત, પ્રમાદરહિત; વિવાનન્દ્રસુતિ =જ્ઞાનાનંદરૂપી અમૃતનો આસ્વાદ લેનારા.] અનુવાદઃ ધારણાની ધારા વડે વેગથી જેણે બાહ્ય મનોવૃત્તિને રોકી છે, જે પ્રસન્ન છે, જે અપ્રમત્ત છે, જે ચિદાનંદના અમૃતનો આસ્વાદ લેનારા છે-(૭) [૨૪] સામ્રાજ્યમપ્રતિમાનેવ વિતવંત: ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।।३०।।८।। [શબ્દાર્થ સામાન્યું સામ્રાજ્ય; ગપ્રતિદ્વન્દ્ર=વિપક્ષ રહિત, અન્તરેવં અંતરમાં જ; વિતત્વત:=વિસ્તારતા; ધ્યાનિન:=ધ્યાનીને, ધ્યાનવંતને; ન=નથી; ૩૫મા=ઉપમા; તોવે લોકમાં; સમનુને દેવસહિત મનુષ્યલોકમાં; પિ=પણ; હિં=ખરેખર.] અનુવાદઃ અંતરમાં જ વિપક્ષ (શત્રુ) રહિત સામ્રાજ્યનો વિસ્તાર કરનારા એવા ધ્યાની માટે દેવલોકસહિત મનુષ્યલોકમાં પણ ખરેખર કોઈ ઉપમા નથી. (૮) વિશેષાર્થ આ ત્રણ શ્લોકમાં સર્વશ્રેષ્ઠ ધ્યાનનાં કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે. આવા ધ્યાનવંત યોગીને માટે મનુષ્યલોક અને દેવલોકમાં કોઈ ઉપમા આપી શકાય એવી વસ્તુ નથી. ચતુર્ગતિરૂપ લોકમાં દુર્ગતિરૂપ તિર્યંચ અને નારકીમાં For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૫ પણ ઉપમા આપી શકાય એવી કોઈ શક્યતા નથી. એટલે વાસ્તવમાં તો ત્રણ ભુવનમાં આવા ધ્યાની મહાત્માની સરખામણી કરી શકાય એવી કોઈ ચડિયાતી બીજી વ્યક્તિ કે વસ્તુ નથી. આવા ધ્યાની મહાત્માનાં લક્ષણો નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છેઃ (૧) જિતેન્દ્રિય-ધ્યાની મહાત્મા જિતેન્દ્રિય હોય છે. તેમણે પોતાની પાંચે ઇન્દ્રિયોને એના વિષયોમાં જતી સ્વેચ્છાએ રોકી હોય છે. એમની ઇન્દ્રિયો સંયમમાં રહે છે. તે ઇન્દ્રિયો પીગલિક વિષયોમાં રાચતી નથી. પોતાની ઇન્દ્રિયોને અંદર વાળીને તેઓ સ્વરૂપમાં રમણતા કરે છે. (૨) ધીર–ધ્યાની મહાત્મા શૈર્યવાન હોય છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં અને ઉગ્ર પરીષહ અને ઉપસર્ગ વખતે પણ તેમની સ્થિરતા, ધૈર્ય ચલિત થતાં નથી. તેઓ સત્ત્વશાળી હોય છે. જે ધીર હોય તે જ ધ્યાનમાંથી ચલિત ન થાય. (૩) પ્રશાન્ત-ધ્યાની મહાત્મા ઉપશમ રસથી ભરેલા હોય છે. કષાય અને નોકષાયના આવેગોથી તેઓ ચલિત થતા નથી. તેઓ આત્મસ્વરૂપમાં લીન હોવાથી કોઈ આવેગોને વશ થતા નથી. પણ આવેગો તેમને વશ થાય છે. (૪) સ્થિર-તેઓ સ્વરૂપ-રમણતામાં સ્થિર હોય છે. તેમના મન, વચન અને કાયાના યોગોમાં ચંચળતા હોતી નથી. (૫) સુખાસની-સુખાસન એટલે સુખે, આરામથી બેસી શકાય એવું આસન. થોડી થોડી વારે હાથ પગ જકડાઈ જાય અને ઊંચાનીચા કરવા પડે એવી રીતે બેસે નહિ, પણ એક જ પલાંઠી કે પદ્માસનમાં ઝાઝી વાર આરામથી બેસી શકાય એવી રીતે તેઓ બેસે છે. ખગાસનમાં ઊભા ઊભા તેઓ ધ્યાન ધરે ત્યારે પણ વિક્ષેપ ન પડે એવી યોગ્ય જગ્યાએ ઊભા રહીને તેઓ ધ્યાન ધરે છે. (૬) ન્યાસાગ્રનેત્ર-પરાપૂર્વથી યોગવિદ્યાના આચાર્યોએ અનુભવથી એ શોધી કાઢ્યું છે કે ધ્યાન ધરતી વખતે આંખોને નાકના અગ્ર ભાગ ઉપર, ટેરવા ઉપર સ્થિર રાખવાથી ચિત્ત સંયમમાં રહે છે, વિક્ષેપ પડતો નથી અને એકાગ્રતા વધે છે. અભ્યાસની શરૂઆતમાં આંખો દુઃખે છે, થાકી જવાય છે, પણ પછી ધ્યાનમાં For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ४०६ જ્ઞાનસાર વિશેષ આનંદ આવે છે. (૭) યોગી-ધ્યાની મહાત્મા સમ્યગ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યકુચારિત્ર એ રત્નત્રયીની પરિણતિરૂપ યોગવાળા હોય છે. તેઓ પ્રવૃત્તચક્ર યોગી હોય છે. યોગી ચાર પ્રકારના કહ્યા છેઃ (૧) ગોત્રયોગી-યોગીના કુળમાં માત્ર જન્મેલા, (૨) કુળયોગી-યોગીના કુળમાં જન્મેલા, કુળની મર્યાદા સાચવનાર અને યોગ સાધના માટે યોગ્યતા ધરાવનાર, (૩) પ્રવૃત્તચક્યોગી-યોગસાધનામાં પ્રવૃત્ત થયા હોય તે અને (૪) નિષ્પન્નયોગી–જેમણે યોગસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય છે. આ ચારમાંથી ધ્યાની મહાત્મા પ્રવૃત્તચક્ર યોગી હોય છે. (૮) બાહ્ય મનોવૃત્તિ રોકનાર-મન અને ઇન્દ્રિયોને તેઓ નિવૃત્ત કરી દે છે. પોતાના ધ્યાનમાં ધારણાના સાતત્યથી મનને ઇન્દ્રિયોમાં જતું તેઓ અટકાવી દે (૯) પ્રસન્ન-તેમના જીવનમાંથી સ્પૃહા, ઇચ્છા ચાલી જાય, કશુંક મેળવવા માટેની દોડધામ કે ચિંતા નીકળી જાય, કલુષિત વૃત્તિઓ રહે નહિ ત્યારે અંતરનો જે આનંદ અનુભવાય તે પ્રસન્નતા કહેવાય. માણસના ચહેરા પરથી જ ખબર પડે કે તે પ્રસન્ન છે કે અપ્રસન્ન. ધ્યાની મહાત્મા નિરંતર પ્રસન્ન જ હોય છે. (૧૦) અપ્રમત્ત-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધનાં કારણો છે. સાધુઓએ છઠ્ઠાથી સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે ચડવાનું છે. પ્રમાદ એટલે આળસ, મંદતા, શિથિલતા; અપ્રમાદ એટલે ઉત્સાહ, સ્કૃર્તિ, ચેતન, સક્રિયતા. પ્રમાદ છ પ્રકારનો છે, જેમ કે મદ્યપાન, નિદ્રા, વિષય, કષાય, ધૃત અને પ્રતિલેખના. પ્રમાદ આઠ પ્રકારનો પણ ગણાવાય છે જેમકે અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગદ્વેષ ઇત્યાદિ. ધ્યાનીએ અપ્રમત્ત રહેવાનું હોય. (૧૧) અમૃતના આનંદને અનુભવનાર-ધ્યાની મહાત્માઓ જ્ઞાનાનંદરૂપી અમૃતનો આસ્વાદ લેનાર હોય છે. એક વખત સ્વરૂપમાં રમણતાનો જે આનંદ અનુભવાય છે તે પછી સાંસારિક વિષયોનો આનંદ તેઓને ફિક્કો લાગે છે. For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૭. (૧૨) પોતાના અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરનાર–ધ્યાની મહાત્મા પોતાના આત્મસ્વરૂપમાં જ્યારે મગ્ન બને છે ત્યારે કષાયોરૂપી શત્રુઓ અને પરભાવરૂપી શત્રુઓને તેઓ પરાજિત કરે છે. એટલે તેમના સામ્રાજ્યનો વિસ્તાર થાય છે. ધ્યાની મહાત્માનાં મહત્ત્વનાં કેટલાંક લક્ષણો અહીં એક સાથે સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે. For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ४०८ જ્ઞાનસાર ૩૧. તપાષ્ટક [૨૪] જ્ઞાનમેવ જુથા: પ્રાદુ: કર્મ તાપના તા: તવાગ્યારમેષ્ઠ વહિં તદુપનૃહમ્ રૂારા [શબ્દાર્થ ? જ્ઞાનમેવ=જ્ઞાનને જ; યુથ =પંડિતો, જ્ઞાનીઓ; પ્રાદુ =કહે છે; વળાં કર્મોને; તાપના =તપાવવાથી; તY:=તપ; ત =તે (તપ); આખ્યત્તરમે=આત્યંતર જ, અંતરંગ જ; {ષ્ટ ઇષ્ટ છે; વીડ્યાં બાહ્ય તપ; તકુપવૃદમeતેને (અત્યંતર તપને) વધારનાર. અનુવાદ કર્મોને તપાવનાર હોવાથી જ્ઞાન એ જ તપ છે એમ પંડિતો કહે છે. તે અત્યંતર (આભ્યાંતર) તપ જ ઇષ્ટ છે. બાહ્ય તપ તેને (આત્યંતરને) વધારનાર છે. (૧) વિશેષાર્થ : સામાન્ય વ્યવહારમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ એ “તપ” કહેવાય છે. “તપ” શબ્દ બહુ વ્યાપક અર્થમાં વપરાય છે. ક્યાંક રાહ જોવી પડે તો પણ માણસો બોલે છે, “બહુ તપવું પડ્યું.” સર્વ સસારી જીવોને એક નહિ તો અન્ય પ્રકારનું કષ્ટ વેઠવું પડે છે. આવા કષ્ટને વ્યવહારમાં ભલે “તપ” કહેવાય, સિદ્ધાન્તની દૃષ્ટિએ એ તપ નથી. કોઈ માણસને ખાવું છે પણ ખાવાનું મળ્યું નહિ અને ભૂખ્યા રહેવું પડ્યું અને ઉપવાસ થયો તો તે કષ્ટ જરૂર છે, પણ એને ધાર્મિક પરિભાષામાં તપ તરીકે ઓળખાવી શકાય નહિ. આવું કષ્ટ તે પૂર્વના અંતરાય કર્મના ઉદયરૂપ અને અશાતાવેદનીય કર્મના ફળરૂપ છે. સ્વેચ્છાએ સમજણપૂર્વક જે કષ્ટ સ્વીકારાય તે તપ છે. એ સંવર સ્વરૂપ હોય તો એનાથી કર્મનો બંધ રોકાય છે અને નિર્જરા સ્વરૂપ હોય તો એનાથી કર્મનો ક્ષય For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ४०८ થાય છે. તપ બે પ્રકારનાં છેઃ બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનાં છેઃ (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા. અતિચારની ગાથામાં કહ્યું છેઃ अणसणमणोअरिआ, वित्ती संखेवणं रसच्चाओ; कायकिलेसो संलीणया य बज्झो तवो होई. આત્યંતર તપ પણ છ પ્રકારનું કહ્યું છેઃ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) વ્યુત્સર્ગ. पायच्छित्तं विणओ, वेयावच्च, तहेव सज्झाओ; झाणं उसग्गो वि अ, अन्भिंतर तवो होई. આ બાર પ્રકારનાં તપ તે મુખ્ય તપ છે. એ દરેકના પેટા વિભાગો છે અને આ મુખ્ય તપ ઉપરાંત બીજાં વિવિધ પ્રકારનાં ગૌણ તપ પણ છે. હકીકતમાં જીવને કર્મનાં બંધનમાંથી મુકત કરાવે, કર્મની નિર્જરા કરાવે એ માટે સ્વેચ્છાએ સ્વીકારેલી કોઈ પણ પ્રકારની, બીજાને કષ્ટરૂપ લાગતી પ્રવૃત્તિ તે તપ છે. તપ કર્મોને તપાવે છે. એટલે કહેવાય છે કે તપાવે એ તપ. માં તાપનાત્ તપ: જ્ઞાનીઓ તપને જ્ઞાનસ્વરૂપ કહે છે. એટલે કે જ્ઞાન એ જ તપ છે. જીવ જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ક્રિયા કરે છે તો એના ભાવો, અધ્યવસાયો ઇત્યાદિ અનુસાર કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓ ખેંચાઈને એના આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે એટલે કે કર્મ બંધાય છે. કર્મગ્રંથમાં કર્મો બંધાવાં અને કર્મોમાંથી મુક્તિ મેળવવી એ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધનું સ્વરૂપ તથા સત્તા, ઉદય, ઉદીરણા વગેરેનું સ્વરૂપ કર્મગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. તપ દ્વારા કર્મની ઉદીરણા કરીને એની નિર્જરા કરી શકાય છે. બાહ્ય તપ અને આત્યંતર તપ એ બેય પ્રકારના તપની આવશ્યકતા છે, પરંતુ બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ ચડિયાતું છે. અને બાહ્ય તપ આવ્યંતર તપની પુષ્ટિ માટે જ છે. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જ્ઞાનસાર [૨૪] માનુશ્રોસિલી વૃત્તિર્વાત્માના સુવશીતા I પ્રતિશ્રોતસિક વૃત્તિíનિનાં પરમં તપ: રૂારા [શબ્દાર્થ માનુશ્રોતરિકી=પ્રવાહને અનુસરનાર, ગતાનુગતિક વૃત્તિ:=વૃત્તિ; વીતાના=બાળ જીવોની, અજ્ઞાનીની; સુરશીનતા=સુખશીલપણું; પ્રાતિશ્રોતસિક્કી=સામે પ્રવાહે તરવારૂપ; વૃત્તિ:sવૃત્તિ; જ્ઞાનિનાં=જ્ઞાનીઓની; પરમં=પરમ, શ્રેષ્ઠ; ત૫:=તપ.] અનુવાદઃ પ્રવાહને અનુસરનારી બાળજીવોની વૃત્તિ તે સુખશીલતા છે. સામા પ્રવાહે તરવારૂપ જ્ઞાનીઓની વૃત્તિ તે પરમ તપ છે. (૨) વિશેષાર્થ આહાર સંજ્ઞા સર્વ સંસારી જીવોને વળગેલી છે. સમયે સમયે જીવને આહાર જોઈએ છે. સમગ્ર સંસારમાં સ્વેચ્છાએ ભૂખ્યા રહેવાનું કેટલા પસંદ કરે છે? ઉપવાસ વગેરે તપનો મહિમા કેટલા ઓછા ધર્મોમાં છે ! વસ્તુતઃ દુનિયામાં તપશ્ચર્યાના ઉત્સવો કરતાં ખાવાપીવાના ઉત્સવો જ સવિશેષ છે. સરસ અવસર આવ્યો કે કરો મિષ્ટાન્ન ભોજન. સંસારની અનાદિકાળથી ચાલી આવતી આ પ્રવૃત્તિ છે. (વૃત્તિ શબ્દ અહીં પ્રવૃત્તિના અર્થમાં કર્તાએ પ્રયોજ્યો છે.) આ એક પ્રકારનો લોકપ્રવાહ છે. નદીમાં જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં તરવું કે નાવ ચલાવવી એ સહેલી વાત છે. સંસારના બાળજીવોની પ્રવૃત્તિ આવી રીતે લોકપ્રવાહને અનુસરનારી છે. એમાં જ તેઓને સુખશીલતા, અનુકૂળતા, ગમવાપણું અનુભવાય છે. પરંતુ કેટલાક બળવાન, પરાક્રમી, મહત્ત્વાકાંક્ષી માણસો નદીમાં સામે પ્રવાહ તરવાનો પુરુષાર્થ કરે છે અને એનો આનંદ માણે છે. તેવી રીતે આહારની બાબતમાં કેટલાક જ્ઞાનીઓ સામે પ્રવાહે તરવાવાળા હોય છે એટલે કે સ્વેચ્છાએ ભૂખ્યા રહી ઉપવાસ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરે છે. સામે પ્રવાહે તરવાનો ભાવ થવો એ જ દુર્લભ અને ભાવ થયા પછી એ પ્રમાણે પ્રવૃત્તિ થવી એ તો એથી પણ દુર્લભ For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪ ૧ ૧ એટલે જ એ તપ તરીકે ઓળખાય છે. છતાં એવા જ્ઞાની મહાત્માઓ જોવા મળે છે કે જેઓ સ્વેચ્છાએ સામે પ્રવાહે તરી, ઉપવાસાદિ તપશ્ચર્યા કરી પોતાના જીવનમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કેટલાક સંખના કરે છે. એમાં દેહકષ્ટ રહેલું હોય છે પણ એ દેહકષ્ટ જ અથવા દેહાતીતપણું આત્મધર્મ તરફ જીવને વાળે છે. બાહ્ય તપ આત્યંતર તપની પુષ્ટિ માટે છે. કેટલાક લોકો બાહ્ય તપની અવગણના કરે છે. “આ તો લાંઘણ છે એમ કહીને બાહ્ય તપની નિંદા કરે છે. “મન શુદ્ધ રાખો.” “આત્મભાવમાં રહો, બાહ્ય તપની જરૂર નથી', ઇત્યાદિ તેઓ કહે છે, પરંતુ તેઓ તપનું હાર્દ બરાબર સમજ્યા નથી. એટલા માટે જ ગ્રંથકારશ્રીએ પોતે લખ્યું છે કે તીર્થંકર પરમાત્મા, પોતે કેવળજ્ઞાની થવાના છે, પોતે તદ્ભવ સિદ્ધિગામી એમ જાણવા છતાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણના દિવસે અનશન કરતા હોય છે. અનશન એમનાથી થાય છે [૨૪] ઘનાર્થિનો યથા નાપ્તિ શીતતાપવિદ્યુમ્ તથા મવવિક્તાનાં તત્ત્વજ્ઞાનાર્થનામપિ રૂ શરૂ [શબ્દાર્થઃ ધનાર્થિના ધનના અર્થીઓને, ધન કમાવા માટે મહેનત-મજૂરી કરનારને; યથા=જેમ; નાસ્તિકનથી; શીતતાપવિટાઢતડકો વગેરે કષ્ટો; કુમ=દુસહ, દુઃખે કરીને સહન કરાય તે; તથા=તેમ, મવવિક્તાનાં સંસારથી વિરક્ત થયેલાઓને; તત્વજ્ઞાનાર્થના =તત્ત્વજ્ઞાનના અર્થીઓને; પ=પણ.] અનુવાદઃ જેમ ધનના અર્થને ટાઢ-તડકો વગેરે દુસહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલા તત્ત્વજ્ઞાનના અર્થીઓને પણ તપ દુસહ નથી. (૩) વિશેષાર્થ : જે માણસને જે કાર્ય કરવામાં રસ પડે તે કાર્ય કરવામાં એને કષ્ટ ઓછું લાગે કે કદાચ ન લાગે. વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના આવા માણસો જોવા મળશે. કોઈ ચિત્રકાર પોતાનું ચિત્ર પૂરું કરવા માટે આખી રાતનો ઉજાગરો કરે છે અને છતાં એને એમાં કંઈ તકલીફ લાગતી નથી કવિતા, સંગીત કે ઇતર For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧ ૨ જ્ઞાનસાર પ્રકારની મહેફિલોમાં અડધી રાત સુધી શ્રોતા સમુદાય કંટાળતો નથી. કષ્ટો હોંશથી સહન કરીને માણસો તીર્થયાત્રા કરે છે. ધન કમાવા માટે માણસો ટાઢ તડકો વેઠતાં હોય છે. એમાં એને કષ્ટ લાગતું નથી. આજીવિકા માટે માણસ ખાણમાં કે ગટરમાં કામ કરવા તૈયાર થઈ જાય છે. આખી જિંદગી રાતની પાળી સ્વીકારે છે. જોખમી વ્યવસાયો પણ માણસ સ્વીકારી લે છે. આ બતાવે છે કે શારીરિક કષ્ટ સાપેક્ષ છે. એટલે તપશ્ચર્યા પણ બધાને કષ્ટરૂપ ન લાગે એ સ્પષ્ટ છે. ભવવિરક્તિ અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્ય જેઓને જાગ્યો છે અને પરમ તત્ત્વની પ્રાપ્તિની જેઓને લગની લાગે છે તેઓને માટે ઉપવાસાદિ કષ્ટ નથી. કેટલાક તો એક મહિનાના કે તેથી વધુ સમયના ઉપવાસ હર્ષપૂર્વક, ઉલ્લાસથી કરે છે. કેટલાયે મહાત્માઓ પરીષહ-ઉપસર્ગ હસતાં હસતાં સહન કરી લે છે. ગજસુકુમાલ, ધન્નાજી, શાલિભદ્ર વગેરેએ સ્વેચ્છાએ કેવાં કષ્ટો સ્વીકારી લીધાં હતાં ! જ્યારે કોઈક ઉચ્ચત્તર ધ્યેય પાર પાડવું હોય, કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેના કારણમાં, તેની પૂર્વ તૈયારીમાં માણસ પ્રમાદ નથી કરતો. ઉપવાસાદિ બાહ્ય તપમાં સામાન્ય માણસને કષ્ટ જણાય, કશુંક સહન કરવા જેવું લાગે એ સ્વાભાવિક છે. પરંતુ એક વખત ઘાતિ કર્મોની નિર્જરા અને મોક્ષપ્રાપ્તિની લગની લાગે તો બાહ્ય તપશ્ચર્યામાં અને આત્યંતર તપમાં જીવ મગ્ન બની જાય છે. તપનો આવો મહિમા છે. [૨૪૪] સદુપયપ્રવૃત્તાનામુપેયમથુરસ્વત: | જ્ઞાનિનાં નિત્યમાનન્દવૃદ્ધિવ તપસ્વિનામૂiારૂાજા [શબ્દાર્થ : પાય=સારા ઉપાયમાં પ્રવૃત્તાના=પ્રવૃત્ત થયેલા; ૩૫યમથુરત્વત: =સાધ્યની (મોક્ષરૂપી સાધ્યની) મધુરતાથી; જ્ઞાનિનાં=જ્ઞાનીઓને; નિત્ય હંમેશાં માનન્દવૃદ્ધિદેવ=આનંદની વૃદ્ધિ જ; તપસ્વિના—તપસ્વીઓને.] For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪૧ ૩ અનુવાદઃ સારા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની તપસ્વીઓના આનંદમાં, (મોક્ષરૂપી) સાધ્યની મધુરતાને લીધે હંમેશાં વૃદ્ધિ જ હોય છે. (૪) વિશેષાર્થ : સામાન્ય ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ જેટલી તપશ્ચર્યા અને આહારસંયમની પ્રવૃત્તિ કરે છે તેના કરતાં સાધુ-સાધ્વીઓની તપશ્ચર્યા અને આહારસંયમની પ્રવૃતિ ઘણી વિશેષ હોય છે. તેઓએ પંચ મહાવ્રત ધારણ કરેલાં હોય છે એટલે રાત્રિ ભોજનનો આજીવન સર્વથા ત્યાગ હોય છે. કેટલાયે મહાત્માઓ જીવનભર આયંબિલની કે વરસીતપની કે ઇતર પ્રકારની તપશ્ચર્યા કરતા રહે છે. આહાર-ગોચરી અને દ્રવ્યના વપરાશના કેટલા બધા નિયમો તેઓ પાળે છે ! કેટલાયે મહાત્માઓ દિવસમાં માત્ર એક જ વખત આહાર લેતા હોય છે. શું તેઓને ભાતભાતની વાનગીઓના ચટાકા માણવાનું મન નહિ થતું હોય? ના, કારણ કે હવે તેઓએ એક લક્ષ્ય સ્પષ્ટપણે સ્વીકાર્યું છે અને તે છે મોક્ષપ્રાપ્તિનું. એ માટે કર્મની નિર્જરા થવી જોઈએ અને સંવર દ્વારા નવા કર્મો આવતાં અટકવાં જોઈએ. તપ એ કર્મનિર્જરાનું પ્રબળ સાધન છે. એટલે એમાં મોક્ષાર્થી સાધુસાધ્વીઓને અત્યંત આનંદ અનુભવવા મળે છે. તપશ્ચર્યાના પર્વો આવતાં તેઓ આનંદિત થઈ જાય છે. એમની તપશ્ચર્યા જ્ઞાનયુક્ત હોવાથી તે વધુ ઉલ્લાસમય બને છે. એમાં મધુરતા અનુભવાય છે. ભોજનના આનંદ કરતાં ઉપવાસનો આનંદ કેટલો બધો ચડિયાતો છે તે બાલજીવોને નહિ સમજાય, પરંતુ આવા જ્ઞાની મહાત્માઓને તો એની તરત પ્રતીતિ થાય છે. ભૂખ્યા રહેવાનું કષ્ટ એમને માટે કષ્ટ રહેતું નથી. જેમ જેમ વધુ તપ થાય તેમ તેમ એમના આનંદમાં વૃદ્ધિ થતી જાય છે. શ્રી યશોવિજયજી મહારાજે પોતે આ શ્લોકની ટીકામાં ‘વૈરાગ્યરતિમાંથી નીચેનો શ્લોક ટાંક્યો છેઃ रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाचकोराः ॥ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જ્ઞાનસાર [યોગીઓને સમાધિમાં રતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિ થતી નથી. ચકોર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુળતારહિત હોતા નથી ? [૨૪૫] ú ટુ વ્રરૂપત્ની તપોવ્યર્થમિતિછતીમ્ | વૌદ્ધાનાં નિહતા વૃદ્ધિર્વોદ્ધાનન્ધાપરિક્ષયાત્ Iોરૂ પાપા [શબ્દાર્થ થં એ પ્રમાણે; =અને;૩:૩રૂપત્ની દુઃખરૂપ હોવાથી; ત૫:=ાપ; વ્યર્થ નિષ્ફળ; તિ=એમ; રૃચ્છતા=ઇચ્છનારા; માનનારા; વૌદ્ધાના=બોદ્ધોની; નિહતા=હત થયેલી, હણાયેલી, કુંઠિત થયેલી; વુદ્ધિ =બુદ્ધિ વૌઠાનં=જ્ઞાનાનંદ; અપરિક્ષય-નાશ નહિ થવાથી.]. અનુવાદ: આ પ્રમાણે દુઃખરૂપ હોવાથી તપ વ્યર્થ છેએમ માનનારા બૌદ્ધોની બુદ્ધિ હણાયેલી છે, કારણ કે જ્ઞાનાનંદ ખંડિત થતો નથી. (૫) વિશેષાર્થઃ ભારતીય પરંપરામાં બાહ્ય તપ ઉપર જેટલો ભાર મૂકવામાં આવ્યો છે તેટલો પાશ્ચાત્ય ધર્મોમાં મૂકવામાં નથી આવ્યો. તપ અંગે પણ કેટલાક લોકો એમ માને છે કે અનશનાદિ બાહ્ય તપ આરોગ્ય અને દેહશુદ્ધિ માટે છે, કેટલાક માને છે કે તપ મનની શુદ્ધિ અને ઇન્દ્રિયસંયમ માટે છે. જ્યાં આ માન્યતાઓ છે ત્યાં કુદરતી રીતે શરીર સારું રહેતું હોય અને મન સંયમમાં રહેતું હોય તો તપની આવશ્યકતા નથી એમ પણ કેટલાક માને છે. ભગવાન બુદ્ધ પોતે અતિશય કઠોર બાહ્ય તપશ્ચર્યા કરી હતી અને એથી ક્યારેક તેઓ બેભાન પણ થઈ જતા. પરંતુ પછી એમણે “મધ્યમ માર્ગ સ્વીકાર્યો અને કષ્ટમય તપનો અસ્વીકાર કર્યો. તપથી કર્મનો ક્ષય થાય છે એ વાત બૌદ્ધ ધર્મમાં આવતી નથી. એટલે બળદ વગેરે જે કષ્ટ ભોગવે છે તે તો પોતાનાં કર્મને કારણે ભોગવે છે, પણ માણસે હાથે કરીને, ભૂખ્યા રહીને વ્યર્થ કષ્ટ ભોગવવાની શી જરૂર ? આવો પ્રશ્ન તેઓ કરે છે. For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪૧૫ શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક'માં આ વિશે ખુલાસો નીચેના શ્લોકોમાં કર્યો છે? दुःखात्मकं तपः केचिन्मन्यते तन्न युक्तिमत् । कर्मोदयस्वरूपत्वात् वलीवर्दादि दुःखवत् ॥ [કેટલાક કર્મોદયને કારણે બળદ વગેરે પશુના દુઃખની જેમ, તપ દુઃખાત્મક છે એમ માને છે, પરંતુ તે યુક્તિયુક્ત નથી.] विशिष्टज्ञान-संवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्यावाधसुखात्मकम् ॥ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષાયોપથમિક તથા અવ્યાબાધ સુખરૂપ છે. (એટલે કે તપ કર્મના ઉદયરૂપ નથી પણ ચારિત્રમોહનીના ક્ષયોપશમથી થયેલ પરિણતિરૂપ છે.)]. અનિચ્છાએ અચાનક આવી પડેલું શારીરિક કષ્ટ તે કર્મના ઉદયરૂપ હોય છે, પણ સ્વેચ્છાએ સામેથી સ્વીકારેલું પરૂપી કષ્ટ તે કર્મની ઉદીરણારૂપ હોય છે. વળી તપમાં ભોગવાતું કષ્ટ બધાંને માટે કષ્ટરૂપ હોતું નથી. વળી અમુક પ્રયોજનની સિદ્ધિ અર્થે કષ્ટ ભોગવવામાં આનંદ પણ રહેલો હોય છે. એટલે બહારથી દેખાતું કષ્ટ પણ અંદરથી આનંદની અનુભૂતિ હોય એવી સ્થિતિ પણ સંભવી શકે છે. ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધોને અહીં સરસ યુક્તિસંગત ઉત્તર આપ્યો છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કષ્ટ ભોગવતી હોય તો એનું શરીર જોઈને જોનારને એ દુઃખદાયક કષ્ટ લાગે, પણ કષ્ટ ભોગવનારને તે ભોગવતી વખતે વસ્તુતઃ આનંદનો જ અનુભવ થાય છે. એના અંતરમાં રહેલા જ્ઞાનાનંદની ધારા અખંડિત રહે છે. એટલે બાહ્ય દૃષ્ટિએ કષ્ટ હોય પરંતુ વસ્તુતઃ અંદરથી એ માટે આનંદનો ઝરો વહેતો હોય તો કષ્ટ એ કષ્ટ હોતું નથી. જેવી રીતે મા પોતે ભૂખી રહીને બાળકને ખવડાવવાનો આનંદ માણી શકે છે તેવી રીતે તપસ્વી તપ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપીને અંદરથી કર્મની નિર્જરા અનુભવી શકે છે. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ માણસ બહારથી કષ્ટ ભોગવતો હોય છતાં અંતરમાં આનંદની પરિણતિ હોઈ શકે એટલી સાદી વાત પણ બૌદ્ધો સમજી નથી શક્યા એટલે શ્રી યશોવિજયજી કહે છે કે એમની બુદ્ધિ કુંઠિત (નિહત) થઈ ગઈ લાગે છે. [૨૪૬] યત્ર બ્રહ્મ નિનાર્થી = હ્રષાયાળાં તથા કૃત્તિ:। सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते । । ३१।।६।। જ્ઞાનસાર [શબ્દાર્થ : યત્ર=જ્યાં; બ્રહ્મ=બ્રહ્મચર્ય, નિનાf=જિનની પૂજા; ==અને; ષાયાળાં=કષાયોનો; તથા=તથા; દ્દતિ:=ક્ષય, હાનિ; સાનુબંધા=અનુબંધસહિત; નિનાજ્ઞા=જિનની આજ્ઞા; q=અને; તત્—તે; તપ:=તપ; શુદ્ધ=શુદ્ધ; તે=ઇચ્છાય છે, કહેવાય છે.] અનુવાદઃ જેમાં બ્રહ્મચર્ય હોય, જિનપૂજા હોય તથા કષાયોનો ક્ષય હોય અને અનુબંધસહિત જિનાજ્ઞા પ્રવર્તતી હોય તે તપ શુદ્ધ કહેવાય છે. (૬) વિશેષાર્થ : માણસ બાહ્ય તપ કરે પણ પછી એની દૈનિક ક્રિયાઓ અને ભાવોમાં અશુદ્ધિ રહે તો તે તપ વિશુદ્ધ ન કહેવાય. પોતાના તપને વિશુદ્ધ બનાવવું હોય એટલે કે વિશુદ્ધ પ્રકારનું તપ કરવું હોય તો તે માટે શું શું કરવું અને શું શું ન કરવું તે સમજી લેવું જોઇએ. શ્રી યશોવિજયજી મહારાજે વિશુદ્ધ તપ માટે મુખ્ય અને મહત્ત્વની ચા૨ શરતો મૂકી છે. (૧) બ્રહ્મચર્યનું મન, વચન અને કાયાથી પરિપાલન (૨) જિનેશ્વર ભગવાનની પૂજા-અર્ચના રૂપી ભક્તિ (૩) ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયનો નાશ (૪) સાનુબંધ જિનાજ્ઞા એટલે કે અનુબંધસહિત વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન તપ કરનારે પરલોકમાં ભૌતિક સુખ મળશે એવી આશા કે ભાવના સાથે તપ ન કરવું જોઈએ. બાળજીવોને આવું પ્રલોભન અપાતું હોય અને એમને તપ તરફ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪ ૧૭ વાળવામાં આવતા હોય તો પણ યોગ્ય સમયે એમને તપ વિશે યોગ્ય સમજણ આપવી જોઇએ. વળી તપસ્વીએ નિયાણું ન બાંધવું જોઈએ. તપથી શરીર સુકાય છે. રસો પોષાતા નથી. એટલે કામેચ્છા મંદ પડે છે. એટલે બ્રહ્મચર્યના પાલનમાં તપ અનુકૂળ છે. એમ છતાં ધ્યેયપૂર્વક બ્રહ્મચર્યનું પાલન તપશ્ચર્યા દરમિયાન થવું જોઈએ અને તપશ્ચર્યા ન ચાલતી હોય ત્યારે પણ બ્રહ્મચર્યના સેવનનો ભાવ ઉત્તરોત્તર વધતો રહેવો જોઈએ. જેઓ તપશ્ચર્યા કરે પણ સાથે સાથે અબ્રહ્મનું સેવન કરે તો એથી એમની તપશ્ચર્યા ખંડિત થાય છે. તપ કરનારે જિનભક્તિમાં મન પરોવી દેવું જોઈએ. એથી તપનો ભાર લાગતો નથી. મન ભક્તિમાં રોકાયેલું રહે છે અને જિનભક્તિના ઉલ્લાસથી તપમાં બળ મળે છે. ગૃહસ્થોએ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બંને પ્રકારે જિનભક્તિ કરવાની હોય છે અને સાધુ-સાધ્વીઓએ ભાવપૂજા કરવાની હોય છે. તપસ્વીની જિન ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જવી જોઈએ. તપ કરનારના શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાને કારણે ક્યારેક તે ક્રોધ કરી બેસે છે. એનો મિજાજ ગરમ થઈ જાય છે. તપ કરનારે એ બાબતમાં સાવધ રહેવું જોઈએ. તપ કરનારે અભિમાન ન કરવું જોઈએ અને પોતાના તપ વિશે પણ એવો ભાવ ન આવવો જોઈએ. તપમાં માયા ન પ્રવેશવી જોઈએ. તપ છુપાવવાનો ભાવ અથવા તપ ન કર્યું હોય છતાં પોતે કર્યું છે એવું બતાવવાનો ભાવ ન હોવો જોઈએ. વળી તપ કરવામાં લોભવૃત્તિ ન રાખવી જોઈએ. પ્રભાવનાની અમુક વસ્તુ મેળવવાના લોભથી પણ તપ ન કરવું જોઉએ. ટૂંકમાં તપસ્વીના કષાયો પાતળા પડતા જવા જોઈએ. તપ કર્મક્ષયનું કારણ બને છે. કહ્યું છે : निरणुट्ठाणमयमोहरहियं सुद्धतत्तसंजुत्तं । अज्ज्ञत्थ भावणाए तं तवं कम्मखयऐउं । [લોકસંજ્ઞાને ન અનુસરનાર, મદરહિત, મોહરહિત, શુદ્ધતત્ત્વથી સંયુક્ત, અધ્યાત્મ ભાવના વડે જે તપ કરાય તે કર્મક્ષયનું કારણ છે.] For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૮ જ્ઞાનસાર તપસ્વીઓએ જિનાજ્ઞાનું પરિપાલન કરવું જોઈએ. આ પરિપાલન સાનુબંધ હોવું જોઈએ એટલે કે તે અનુબંધ સહિત હોવું જોઈએ. અર્થાત્ તે સતત હોવું જોઈએ. કેટલાયે અન્યધર્મી લોકો પણ પોતપોતાની રીત પ્રમાણે તપશ્ચર્યા કરે છે. પરંતુ તેમાં જિનાજ્ઞાનું પાલન ન હોવાથી તે મોક્ષનું કારણ ન બની શકે. બાહ્ય અને આત્યંતર તપથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી મોક્ષપ્રાપ્તિ છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. તો જ તપ વિશુદ્ધ રહ્યા કરે. [२४७] तदेव हि तप: कार्यं दुर्ध्यानं यत्र नो भवेत् । યેન યોગ રહીયો ક્ષયને નેન્દ્રિયા િવ ારૂ? પાછા [શબ્દાર્થ : તવ=તે જ; હિં=ખરેખર; ત૫:=તપ; વૈર્ય=કરવા યોગ્ય; સુનં દુર્ગાન; યત્રે=જ્યાં; ન બ=ન થાય; યેન જેથી; યોm:=મન, વચન અને કાયાના યોગો; ન=નથી; રીતે હાનિ પામે; ક્ષીયન્ત-ક્ષય પામે; ન=નથી, નહિ; ન્દ્રિયણિ=ઇન્દ્રિયો.] અનુવાદઃ જ્યાં દુર્થાન ન હોય, જ્યાં યોગો (મન, વચન અને કાયાના) હાનિ ન પામે અને જ્યાં ઇન્દ્રિયોનો ક્ષય ન થાય એ જ તપ ખરેખર કરવા યોગ્ય છે. (૭) વિશેષાર્થ : વિવિધ પ્રકારનાં તપ કરનારાઓની બધાંની શક્તિ એકસરખી નથી હોતી અને બધાંની પાત્રતા પણ એકસરખી નથી હોતી. આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષો તપ કરે છે. ગૃહસ્થો અને સાધુ-સાધ્વીઓ તપ કરે છે. કામકાજમાં વ્યસ્ત માણસો તપ કરે છે અને નિવૃત્ત માણસો પણ તપ કરે છે. પર્વના દિવસોમાં તો તપશ્ચર્યાનો મોટો મહોલ રચાય છે. કેટલાકથી નવકારશી જેવું તપ પણ થતું નથી અને મધુપ્રમેહના દર્દીઓ માટખમણ કરે છે. તપમાં દેખાદેખી ઇષ્ટ નીવડે છે અને અનિષ્ટ પણ નીવડે છે. પોતાના કરતાં ઓછી શક્તિ અને ઓછી અનુકૂળતાવાળા જ્યારે તપ કરતા જોવા મળે છે ત્યારે માણસને તપ કરવાનું પ્રેરક બળ મળે છે. કેટલાકને માટે આવી શરૂઆત પણ બહુ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪ ૧૯ ઉપયોગી નીવડે છે. જૈન ધર્મમાં જેવું અને જેટલું આકરું તપ થાય છે એવું દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી. આમ છતાં તપમાં, ખાસ કરીને બાહ્ય તપમાં સાવધાની રાખવાની બહુ જરૂર છે. ઉપવાસમાં કોઈને ઊલટી થાય, ચક્કર આવે, બેભાન થઈ જવાય, અઠ્ઠાઈમાં કે માસખમણમાં કોઈ મૃત્યુ પામે એવી ઘટનાઓ કોઈક વાર બને છે. વળી તપશ્ચર્યા કરનારના મનમાં ખોટા વિચારો આવ્યા કરે-ક્યારેક હું પારણું કરીશ ? પારણામાં શું શું ખાઈશ ? હવેથી આવું તપ કરવું નથી; સાત ઉપવાસ જ કરવા છે, અઠ્ઠાઈ કરીશ તો લ્હાણી કરવી પડશે;' અઠ્ઠાઈ કરી છે પણ શાતા પૂછવા કોઈ આવ્યા નહિ; મારે પચ્ચખાણ નહોતું લેવું, તો ય પરાણે આપી દેવાયું. ઈત્યાદિ.-આ તો દુર્ગાનના થોડા દાખલા છે. માણસ ઉપવાસ વગેરે કરે અને પછી માથું ભમ્યા કરે એટલે માથે પાટો બાંધીને આખો દિવસ સૂઈ રહે. કષ્ટ પડે માટે તો એને તપ કહે છે. પરંતુ ઇન્દ્રિયોને હાનિ પહોંચે એવું તપ કરવાની અને મન, વચન તથા કાયાના યોગોને હાનિ પહોંચે એવું તપ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. બાહ્ય તપ કરવા સાથે પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ ઇત્યાદિ કર્તવ્યો પણ બરાબર ચાલવાં જોઈએ. શ્રાવક કે સાધુએ દેનિક આવશ્યક કર્તવ્યના ભોગે તપ ન કરવું જોઇએ. તપમાં આનંદોલ્લાસ જળવાઈ રહેવો જોઈએ. તપચિતવણીનો કાઉસગ્ગ એટલા માટે કરાય છે. તપથી ઇન્દ્રિયો સંયમમાં રહેવી જોઈએ. મનમાં સમતા હોવી જોઇએ. ઉપશમના ભાવની વૃદ્ધિ થવી જોઈએ. સ્વરૂપમાં રમણતા થવી જોઈએ. સંક્ષેપમાં, બાહ્ય કે આત્યંતર તપ હોય તો તે વિશુદ્ધ પ્રકારનું થવું જોઈએ. કહ્યું છેઃ सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ। जेण ण इंदियहाणी जेण य जोगा न हायंति ॥ જિને કારણે મન માઠું ચિંતન ન કરે, જેથી ઇન્દ્રિયોની અને યોગીની હાનિ ન થાય તે તપ કરવા યોગ્ય છે.] For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૦ જ્ઞાનસાર [૨૮] મૂનોત્તરગુપ -પ્રાજ્યસમ્રાચીસ बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ।।३१।।८।। [શબ્દાર્થ: મૂત્તોત્તર કુળ=મૂળ ગુણ અને ઉત્તર ગુણ; બિ=શ્રેણિ; પ્રાન્ચ=વિશાળ; સામ્રાજ્ય સામ્રાજ્ય; સિદ્ધ સિદ્ધિ માટે; વીર્ઘબાહ્ય; માખ્યન્તરં=આત્યંતર, અંતરંગ; =અને; € એ પ્રમાણે; ત૫:=તપ; =કરે; મહામુનિ =મહામુનિ, મોટા મુનિ.] અનુવાદ: મહામુનિ મૂળ ગુણ અને ઉત્તર ગુણની શ્રેણીરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે, આ પ્રમાણે, બાહ્ય અને આત્યંતર તપ કરે. (૮) વિશેષાર્થ : કોઈ વ્યક્તિ ગૃહત્યાગ કરીને, પંચ મહાવ્રત અંગીકાર કરીને સર્વવિરતિધર સાધુ બને છે ત્યારે સાધુજીવનનું એમનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ રહે છે. એ માટે મુનિજીવનના મૂળગુણ અને ઉત્તર ગુણને વધુ ખીલવવાના હોય છે. આ મૂળ ગુણ અને ઉત્તર ગુણની સિદ્ધિ માટે મુનિઓએ બાહ્ય તપ અને અત્યંતર તપ કરવું જરૂરી છે. મુનિઓના મૂળગુણ અને ઉત્તરગુણ માટે અહીં સામ્રાજ્યનું રૂપક આપવામાં આવ્યું છે. રાજકીય સમ્રાટોના સામ્રાજ્ય કરતાં મુનિઓનું મૂલોત્તર ગુણરૂપી સામ્રાજ્ય વધુ મોટું છે અને ઉત્કૃષ્ટ છે. પેલા રાજકીય સામ્રાજ્યોમાં ચડતી પડતી આવે છે. મુનિઓનું સામ્રાજ્ય નિર્ભય હોય છે. મૂળ ગુણ એટલે પાયાની મુખ્ય વાત અને ઉત્તર ગુણ એટલે મૂળ ગુણના પોષણ-સંવર્ધન માટેની ગૌણ વાત. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત દશ પ્રકારનો યતિધર્મ, નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ, બાર પ્રકારનું તપ એમ કુલ સિત્તેર પ્રકારે મૂલગુણ છે. આ વ્રતોનું સારી રીતે પાલન થાય એ માટે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા બાર ભાવના For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તપાષ્ટક ૪ ૨૧ વગેરે સિત્તેર પ્રકાર બતાવવામાં આવે છે. એને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. બીજી રીતે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્ર એ રત્નત્રયીની આરાધના તે મૂળ ગુણ છે અને સમિતિગુપ્તિ એ તેનો ઉત્તર ગુણ છે. મૂલોત્તર ગુણરૂપી આ મુનિઓનું સામ્રાજ્ય ક્યારેય ખંડિત ન થાય અથવા એનું સ્તર નીચે ઊતરી ન જાય એવું નથી. પરંતુ એવું ન થવા દેવા માટે અપ્રમત્તતા જોઈએ. પ્રમાદને દૂર કરવાનો ઉત્તમ ઉપાય તે તપશ્ચર્યા છે. સ્નિગ્ધ, સ્વાદિષ્ટ અને વધુ પડતા ભોજનથી જીવનમાં આળસ, મંદતા, અનુત્સાહ ઇત્યાદિ આવે છે. પડ્યા રહેવાનું મન થાય છે. પ્રમાદ પ્રવર્તે છે. ચિત્તને પ્રમાદી બનાવવામાં ભોજન મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ સાધુ જીવનમાં ઉપવાસ વગેરે તપશ્ચર્યા પર વધુ ભાર મૂકાયો છે. સાધુ હૃષ્ટપુષ્ટ, તગડા હોય તો ન શોભે (સિવાય કે જન્મજાત બાંધો કે રોગ હોય), કૃશકાય હોય તો જ શોભે. એટલા માટે ઉણોદરી એ તો સાધુનું રોજનું તપ હોવું જોઈએ. કેટલાક સાધુ મહાત્માઓ દિવસમાં ફક્ત એક જ વખત આહાર લેતા હોય છે. દિગંબર પરંપરામાં એ પ્રમાણે જ હોય છે. એથી અશક્તિ નથી આવતી, બધે બાહ્ય અને આત્યંતર શક્તિનો વિકાસ થાય છે. વિહાર, પરિષહ, ઉપસર્ગ, કાયોત્સર્ગ, ધ્યાન ઇત્યાદિ વડે મુનિ મહારાજની સહનશક્તિ અને સમતા વિકસે છે. અનશન વગેરે છ પ્રકારનાં બાહ્ય તપ અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ એ ધ્યાન એ આત્મિક ગુણોમાં તન્મયતારૂપ આત્યંતર તપ વડે મુનિમહારાજ કર્મક્ષય કરવાનો ઉદ્યમ કરે છે. તપ સંવરરૂપ છે અને નિર્જરારૂપ છે. જે તપમાં આત્માના ગુણોની એકતારૂપ ઉચ્ચ દશા પ્રવર્તે અને નવાં કર્મ ન બંધાય તે તપ સંવરરૂપ છે. જે તપમાં સત્તાગત કર્મોની નિર્જરા થાય તે તપ નિર્જરારૂપ છે. ઉભય પ્રકારનાં તપ મોક્ષસુખનો અનુભવ કરાવનાર છે. For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ૨ જ્ઞાનસાર ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક [૨૪૯] ઘાવતોડપિ નયા: સર્વે યુવે વિશ્રમ: I વારિત્રગુપત્નીન: સ્થાવિતિ સર્વનાશ્રિત: રૂ ૨ાા [શબ્દાર્થ : ધાવત:=દોડતા; પિકપણ; નયા:=નયો; સર્વે બધા; યુ =હોય છે; ભાવે=ભાવમાં, વસ્તુસ્વભાવમાં; વિશ્રમી:=જેણે વિશ્રામ કર્યો છે, સ્થિરતા કરી છે એવા; વારિત્રગુપત્નીન=ચરિત્રના ગુણમાં લીન; =હોય; તિeતેથી, એ પ્રમાણે; સર્વ =સર્વ, બધા; નયાશ્રિત:=નયોનો આશ્રય કરેલો છે એવા (સાધુ).] અનુવાદ (પોતપોતાના પક્ષને સિદ્ધ કરવા માટે) દોડતા હોય પણ વસ્તુસ્વભાવમાં જેણે સ્થિરતા કરી છે એવા બધા નયો છે. એટલે ચારિત્રગુણમાં લીન (સાધુ) સર્વ નયોનો આશ્રય કરનાર હોય છે. (અથવા સર્વ નયનો આશ્રય કરનાર સાધુ ચારિત્રગુણમાં લીન હોય છે.) (૧) વિશેષાર્થઃ પદ્રવ્યરૂપ સંસારમાં અનંતાનંત વસ્તુઓ છે. પ્રત્યેક વસ્તુના અનંત ધર્મ અર્થાત્ ગુણલક્ષણો છે. એટલે કહ્યું છે. મનન્ત થભ વસ્તુ ! આ અનંત ધર્મોમાંથી બધા ધર્મોની આપણને ખબર નથી. કોઈકને અમુક ધર્મોનું જ્ઞાન હોય છે, તો બીજાને બીજા ધર્મોનું જ્ઞાન હોય છે. જે કોઈ એક અથવા અમુક ધર્મનું કથન કરે છે તે નય છે. પણ નય અપૂર્ણ છે. બધા નયો અપૂર્ણ હોય છે. પરંતુ તે ખોટા નથી હોતા. એમાં સત્યનો અંશ હોય છે. કોઈપણ એક નયને પકડીને વાત કરનાર નયવાદી કહેવાય છે. પોતાને ખબર છે અને પોતે સાચા છે એવું કહેવાની ઉતાવળ દરેક નયન-નયવાદીને હોય છે. તે પોતાની માન્યતાને સિદ્ધ કરવા દોડે છે. પરંતુ માત્ર કોઈપણ એક જ નયનો સ્વીકાર કે અસ્વીકાર કરવાથી રાગદ્વેષ થાય છે. ચારિત્ર્યગુણમાં લીન એવા For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪ ૨ ૩ મુનિઓએ સર્વ નિયોનો આશ્રય કરવો જોઈએ. એથી એમનામાં સમતાનો ગુણ વિકસે છે. નય અનેક છે. પરંતુ એનું સંક્ષિપ્ત વર્ગીકરણ કરવું હોય તો સાત નય બતાવવામાં આવે છેઃ નેગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય. આ દરેકનું સ્વરૂપ, તેના પેટાપ્રકારો ઇત્યાદિ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. નયવાદ બહુ મોટો વિષય છે. યથાર્થ જ્ઞાન અને યથાર્થ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે આ નયોનો અભ્યાસ જરૂરી છે. મુનિઓ માટે નયવાદનો અભ્યાસ આવશ્યક મનાયો છે. કોઈપણ નય પોતાનામાં રહેલા સત્યની વાત કરે તો તે યોગ્ય છે; પણ તે બીજા નયોનો અપલાપ કરે અથવા એમને ખોટા ઠરાવે તો તે અયોગ્ય છે. એવું કરવામાં મિથ્યાત્વ રહેલું છે. સર્વ નયોમાં સાપેક્ષ વૃત્તિ એ સમ્યગ્દર્શન છે. નયોમાં મુખ્ય બે નય મહત્ત્વના છે-વ્યવહારનય અને નિશ્ચયનય. કોઈપણ માત્ર એક જ નયને પકડી રાખે અને બીજાને ખોટો ઠરાવે તે અપૂર્ણ દર્શન છે. સામાન્ય જીવનમાં અને મોક્ષમાર્ગમાં બંને નયની આવશ્યકતા અને ઉપયોગિતા છે. ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છેઃ जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं छिज्जइ अन्नेण उ तच्चं ॥ - [જો તું જિનમતનો સ્વીકાર કરે તો વ્યવહાર અને નિશ્ચયને મૂકતો નહિ, કારણ કે એક વ્યવહારનય) વિના તીર્થનો ઉચ્છેદ થશે અને બીજા (નિશ્ચયનય) વિના તત્ત્વનો (સત્યનો) ઉચ્છેદ થશે.] કોઈપણ માત્ર એક નયને જ પકડવો એ એકાન્ત છે અને ભિન્ન ભિન્ન નયથી વિચારણા કરવી એ અનેકાન્ત છે. જેને માર્ગ અને કાન્તનો છે. મુનિઓ પાસે અનેકાન્ત દૃષ્ટિ હોવી જોઈએ. એમ થાય તો એમને રાગદ્વેષનાં પરિણામનો વખત નહિ આવે. એથી એમનું ચારિત્ર સ્થિર થાય છે અને એમનો જ્ઞાનગુણ વિકાસ પામે છે. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જ્ઞાનસાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતે લખેલી ટીકામાં “અનુયોગદ્વાર'ની નીચેની ગાથા આ સંદર્ભમાં ટાંકી છે: सव्वेसिपि नयाणां वहुविहवत्तव्वयं णिसामित्ता। तं सव्वणय विसुद्धं जं चरणगुण ढिओ साहू ॥ [બધાય નયોનું પરસ્પર વિરુદ્ધ બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને સર્વનયને સંમત વિશુદ્ધ તત્ત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, જેથી સાધુ ચારિત્ર અને જ્ઞાનગુણમાં સ્થિર થાય છે.] વસ્તુના પૂર્ણ સ્વરૂપને જાણવા માટે મુનિએ સર્વ નયોનો આશ્રય કરવો જોઈએ. [૨૫૦] પૃથનયા: મિથ: પક્ષપ્રતિપક્ષમર્થતા: I ___ समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः ।।३२।।२।। [શબ્દાર્થ પૃથT=જુદા જુદા; નયા:=નયો; મિથ:=પરસ્પર; પક્ષપ્રતિપક્ષ=પક્ષ અને વિપક્ષ, વાદ અને પ્રતિવાદ; મર્થિતા =વિડંબિત થયા છે; સમવૃત્તિ=સમભાવ; સુરવીર્વાવી=સુખનો આસ્વાદ લેનાર, અનુભવ કરનાર; જ્ઞાની=જ્ઞાની, જ્ઞાનવંત; સર્વનયશ્રિતઃ=સર્વ નયોનો જેમણે આશ્રય કર્યો છે.] અનુવાદઃ જુદા જુદા નયો પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષથી વિડંબિત છે. પરંતુ) માધ્યસ્થપણાના સુખનો અનુભવ કરનાર જ્ઞાની સર્વ નયને આશ્રિત (માન્ય રાખનાર) હોય છે. (૨) વિશેષાર્થ જુદા જુદા નયવાળાઓ એટલે કે ભિન્ન ભિન્ન મતાવલંબીઓ જ્યારે પોતાના નય અથવા વિચારષ્ટિ માટે જ આગ્રહ રાખે છે ત્યારે તેમાંથી વાદવિવાદ થાય છે. પરિણામે કેટલાક કદર્થના પામે છે એટલે કે એમની વિડંબના થાય છે, આમાંથી કલહ અને સંઘર્ષ થાય છે. પરંતુ યથાર્થ જ્ઞાન ધરાવનાર સમવૃત્તિવાળા કોઈ જ્ઞાની મહાત્મા હોય તો તેઓ દરેક મત પ્રત્યે આદર રાખે છે અને એમાં રહેલા સત્યાંશને સ્વીકારે છે અને એ રીતે પૂર્ણ સત્યને પામી શકે છે. તેઓને For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪ ૨૫ કોઈ નય માટે રાગ નથી હોતો તેમ તેષ પણ નથી હોતો. બધા નયોમાંથી તેઓ ગ્રહણ કરવા યોગ્ય હોય તે ગ્રહણ કરે છે. એથી એમની જ્ઞાનદૃષ્ટિ વિશેષ ખૂલે છે. તેઓ સમતાના સુખનો અનુભવ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્યે તીર્થંકર ભગવાનને સંબોધન કરીને કહ્યું છે : अन्योन्य पक्ष प्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ [પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાહો દ્વેષથી ભરેલા છે. પરંતુ સર્વ નયોને સમાનપણે ઇચ્છનાર તમારો સમય (સિદ્ધાન્ત) પક્ષપાતી નથી.] જૈન દર્શને એટલા માટે સ્યાદ્વાદ શૈલી અપનાવી છે. તે નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયનો સમન્વય કરે છે. એટલે જ જેને દર્શન કહે છે કે આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એમાં વેદાંતની માન્યતા કે આત્મા નિત્ય જ છે તે અને બૌદ્ધ દર્શનની માન્યતા કે આત્મા ક્ષણિક છે તે બંનેનો સમન્વય થાય છે. પોતાના જ મતનો આગ્રહ રાખવો અને બીજાને ખોટા કહેવા એ અજ્ઞાન છે. શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્કમાં કહ્યું છેઃ तम्हा सव्वे वि णया मिच्छादिट्टी सपक्खपडिवद्धा। अण्णोण्ण णिस्सिआ उण हवंति सम्मत्तसम्भावा॥ તિથી પેતાના પક્ષમાં પ્રવૃત્ત થયેલા બધા ય નયો મિથ્યાદષ્ટિ છે. પરંતુ તે બધા નયો પરસ્પર જો સાપેક્ષ હોય તો યથાર્થરૂપ બને છે.] [૨૫૧] નાપ્રમi પ્રમાઈ વા સર્વમર્યાવિશેષતમ્ વિશેષિત પ્રમાdi વિતિ સર્વનયજ્ઞતા રૂ ૨ાારૂ I શબ્દાર્થ : નામi ન+મામા=અપ્રમાણ નથી; પ્રમા=પ્રમાણ; વા=અથવા; સર્વમv=બધાંય; વશેષિત =અવિશેષિત હોય, વિશેષરહિત હોય; For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ જ્ઞાનસાર વિશેષિતં=વિશેષ સહિત હોય; પ્રમાઈ=પ્રમાણ; થાત્ =છે; તિ=એ પ્રમાણે; સર્વનયજ્ઞતા=સર્વ નયોનું જ્ઞાન] અનુવાદઃ બધાંય (વચન) અવિશેષિત હોય તો અપ્રમાણ નથી અથવા પ્રમાણ પણ નથી. વિશેષિત હોય તો તે પ્રમાણ છે. આ રીતે સર્વ નયોનું (જ્ઞાનીઓને) જ્ઞાન હોય છે. (૩) વિશેષાર્થ જૈન દર્શનના એક મહત્ત્વના સિદ્ધાન્તની અહીં વાત કરવામાં આવી છે. નયવાદને સમજવા માટે એ ચાવીરૂપ છે. કોઈપણ શાસ્ત્રવચન પ્રમાણભૂત છે કે નહિ તે નિશ્ચિત કરવાની આ પદ્ધતિ છે. અહીં વિશેષિત અને અવિશેષિત વિશે કહેવામાં આવ્યું છે. વિશેષિત એટલે વિષય પરિશોધક નયથી યોજિત. એનાથી વિપરીત તે અવિશેષિત. સંક્ષેપમાં વિશેષિત એટલે વિશેષ સહિત અર્થાત્ સાપેક્ષ. અવિશેષિત એટલે વિશેષ રહિત અર્થાત્ નિરપેક્ષ. સર્વ વચન વિશેષ રહિત હોય તો એકાન્ત પ્રમાણ નથી અને એકાત્તે અપ્રમાણ પણ નથી. જો વચન વિશેષ સહિત હોય તો તે પ્રમાણ છે. અન્ય સિદ્ધાન્તમાં રહેલું સવચન વિશેષ સહિત હોય તો તે પ્રમાણ છે. તેવી જ રીતે સ્વસિદ્ધાન્તનું વચન પણ જો વિશેષરહિત હોય તો તે અપ્રમાણ છે. કોઈ પણ વચનને એની અપેક્ષાથી જોવામાં આવે તો તે પોતાનું રહસ્ય ખોલે છે. કેવળ અક્ષર અને શબ્દ પ્રમાણે અર્થ બેસાડી દેવામાં આવે તો તે માત્ર એનો વાચ્યાર્થ છે. પરંતુ વાર્થ ઉપરાંત લક્ષણાથી એનો શો અર્થ થાય છે અને ધ્વનિથી એનો શો અર્થ થાય છે તે પણ વિચારવું જોઇએ. આ તો સામાન્ય વાત થઈ, પણ નયવાદમાં તો એથી પણ ઘણું વિશેષ છે. એટલે જ “ઉપદેશમાલા'માં ધર્મદાસગણિએ કહ્યું છેઃ अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स। सव्वुज्जमेण वि कयं अन्नाण तवे वहुं पडई ॥ For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪૨ ૭ [જેણે શ્રુતસિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે તેનું સર્વ ઉદ્યમ વડે કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.]. વળી, સ્વ-સિદ્ધાન્તનું વચન પણ અનુયોગથી યોજેલું ન હોય તો તે અપ્રમાણ છે. 'આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છેઃ सुत्तत्थो खलु षढमो वीओ निज्जुत्तिमीसओ भाणिओ। तइओ अणिरवसेसो एस विही होइ अणुओगे। [પ્રથમ સૂત્રનો અર્થ, બીજો નિયુક્તિ સહિત અર્થ અને ત્રીજો પ્રસંગાનુપ્રસંગથી સમગ્ર અર્થ-એ પ્રમાણે અનુયોગ સૂત્રના વ્યાખ્યાનને વિશે વિધિ કહ્યો છે.] આ રીતે કોઈ શાસ્ત્રવચનને જાણવું હોય તો તે કઈ અપેક્ષાથી કહેવાયું છે તે પણ બરાબર જાણવું જોઈએ. આાવાદના જ્ઞાનમાં ઉપયોગી એવું સર્વ નયોનું જ્ઞાન સાધકોએ પ્રાપ્ત કરવું જોઈએ. એથી રાગદ્વેષ ઘટે છે અને સમતા તથા શાન્તિનું સુખ અનુભવાય છે. [૫૨] નો સર્વનયજ્ઞાનાં તટä વાડણનુઘઉં ! स्यात् पृथग्नयमूढानां स्मयार्तिर्वाऽतिविग्रहः ।।३२।।४।। [શબ્દાર્થ ઃ નોવેલ લોકમાં સર્વનયજ્ઞાન=સર્વ નયોને જાણનારને; તાટૐ= તટસ્થતા, મધ્યસ્થપણું; વી=અથવા; પિકપણ; અનુય:=અનુગ્રહ, ઉપકારબુદ્ધિ, કૃપાદૃષ્ટિ; ચા=હોય; પૃથ=જુદા જુદા; નયમૂઠાનાં=નયોમાં મૂઢ થયેલાને; સ્મય અભિમાન; ગર્તિ =પીડા; વા=અથવા; તિવિહિં: અત્યંત કલેશ.] અનુવાદઃ લોકમાં સર્વ નયોના જાણનારને તટસ્થપણું અથવા ઉપકારબુદ્ધિ (અનુગ્રહ) હોય છે. જુદા જુદા નયમાં મૂઢ થયેલાને અહંકારની પીડા અથવા અત્યંત કલેશ હોય છે. (૪) વિશેષાર્થ : એકંદરે સમાજમાં જૈન, બૌદ્ધ, હિંદુ, ઇસ્લામ, શીખ, ઇસાઇ વગેરે ધર્મના માણસો પોતાનો જ્યાં જન્મ અને ઉછેર થયો હોય તે પ્રકારની માન્યતા For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૮ જ્ઞાનસાર ધરાવે છે. આ માન્યતાઓ તેઓના જીવનમાં દઢ રીતે વણાઈ ગઈ હોય છે અને ઘણાને બીજી માન્યતાઓ અંગે વિચાર કરવાનો અવકાશ મળ્યો હોતો નથી. પરિણામે તેમની વિચારધારા એકાંગીણ અને અત્યંત સંકુચિત હોય છે. એથી પોતે સાચા અને બીજા ખોટા એવો ભાવ તેમને રહે છે. કેટલાક લોકો સમાજના સંકુચિત સ્તરથી ઊંચા ઊઠી અન્ય ધર્મનાં વિચારો અને માન્યતાઓને સમજવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે એમની દૃષ્ટિ વિશાળ બને છે, જે મહાત્માઓએ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે જુદા જુદા મત વિશે ઊંડું અધ્યયન અને મનન ચિંતન કર્યું હોય છે એમની દૃષ્ટિ પોતાના જ ધર્મ–મતની આગ્રહી નથી હોતી, પણ ઉદાર અને મધ્યસ્થ હોય છે. આથી તેઓ જ્યાં જાય ત્યાં બધું પોતાનું જ હોય એવું તેમને લાગે છે અને તેઓ બધાના આદરને પાત્ર બને છે. તેઓ સર્વના થઈને રહે છે. તેમનામાં લોકોને રાજી રાખીને કે એમની ખુશામત કરીને મોટા થવાની લાલસા નથી હોતી. આવા ઉદાર દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્મા નિરભિમાની હોય એ સ્વાભાવિક છે. તેઓ સ્વ-પ૨ હિતને સારી રીતે સમજે છે. તેમનામાં અનુગ્રહબુદ્ધિ હોય છે, બીજાને સન્માર્ગે વાળવાની તેમનામાં સહજ ઉપકારબુદ્ધિ હોય છે. તેઓમાં કોઈ લોકેષણા હોતી નથી. પોતાના પક્ષમાં પણ જે કંઈ ક્ષતિ હોય તો તે સ્વીકારવાની તત્પરતા તેઓ બતાવે છે. બીજા પોતાનો મત ન સ્વીકારે તો પણ મધ્યસ્થ ભાવ તેઓ રાખે છે. બીજી બાજુ જેઓ પોતાના મતના જ એકાંત આગ્રહી બને છે તેમનામાં અહંકારબુદ્ધિ કુદરતી રીતે જ આવે છે. બે પક્ષના બે અહંકારી વિવાદે ચડે છે ત્યારે સામસામા અથડાય છે. એમનો વિવાદ કલેશ-કલહમાં પરિણમે છે. ક્યારેક મારામારી પણ થાય છે. સંસારમાં મતાગ્રહી અને વિવાદ કરીને પીડા ઉત્પન્ન કરનારા ઘણા હોય છે. નયસંકુચિતતાનો પરિહાર કરી, સમતાનો સ્વીકાર કરી આનંદ પ્રસરાવનારા ઉદારદિલ જ્ઞાની મહાત્મા અલ્પ સંખ્યામાં રહેવાના. પરંતુ અંતે વિજય એમનો જ હોય છે. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૯ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક [૨૫૩] શ્રેયઃ સર્વનયજ્ઞાન વિષ્ણુનં ઘર્મવાદd: I शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः ।।३२ ।।५।। [શબ્દાર્થ : શ્રેય:=કલ્યાણ; સર્વનયજ્ઞાન=સર્વ નયોને જાણનારાઓનું; વિપુ=વિપુલ, ઘણું; ધર્મવીવત:=ધર્મવાદથી; શુષ્ક વીવી=શુષ્ક વાદથી; વિવાવા=વિવાદથી; =અને; પરેષાં=બીજાઓનું; તુ-તો; વિપર્યયઃ=વિપર્યય, વિપરીત (અકલ્યાણ).] અનુવાદઃ સર્વ નયના જાણનારાઓનું ધર્મવાદથી બહુ કલ્યાણ થાય છે. શુષ્કવાદથી અને વિવાદથી બીજાઓનું (એકાન્તદષ્ટિવાળાઓનું) તો એથી ઊલટું થાય છે (અકલ્યાણ થાય છે.) (૫) વિશેષાર્થ : વાદના પ્રકારો કેવા છે, કેટલા છે અને એથી શું લાભાલાભ થાય છે તેનો સંક્ષેપમાં અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. વાદ શબ્દ સંસ્કૃત વત્ ઉપરથી આવ્યો છે. વ એટલે નાદ અથવા અવાજ. એના ઉપરથી બોલવું, વાતચીત કરવી ઇત્યાદિ અર્થો થાય છે. “વાદશબ્દના પણ ઘણા અર્થ થાય છે જેમ કે વાર્તાલાપ, નિવેદન કરનાર, સમજૂતી, ખુલાસો વગેરે. બે પક્ષ વચ્ચે ચર્ચા થાય ત્યારે એને વિવાદ કહેવામાં આવે છે. ઉગ્ર ચર્ચા માટે વાદવિવાદ' શબ્દ પ્રયોજાય છે. વાદથી તર્કશક્તિ વધે છે, જ્ઞાન વધે છે. વાદથી વિષયની છણાવટ સારી થાય છે અને તથ્ય બહાર આવે છે. એટલે જ કહેવાયું છે કે વાદ્દે વાદ્દે નાતે તત્તવો : I પ્રાચીન સમયથી વાદ-વિવાદ થતા આવ્યા છે. આવા ઘણા બધા વાદ પ્રાચીન સમયમાં હતા. વાદોનું વર્ગીકરણ જુદી જુદી રીતે થયું છે. શ્રી હરિભદ્રસૂરિજીએ વાદાષ્ટક'માં વાદના ત્રણ મુખ્ય પ્રકાર બતાવ્યા છે; ધર્મવાદ, શુષ્કવાદ અને વિવાદ. शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्तितस्त्रिविधावाद इत्येवं तत्त्वदर्शिभिः । For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જ્ઞાનસાર [તત્ત્વદર્શીઓએ શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એમ ત્રણ પ્રકારના વાદ કહ્યા | શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “સર્વ નયને જાણનારાને તત્ત્વજ્ઞાનનો અર્થી પૂછે અને તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદથી ઘણું કલ્યાણ થાય છે.” સર્વ નિયોનો જ્ઞાતા મધ્યસ્થી હોય છે. તે જ્યારે ધર્મચર્ચા કરે ત્યારે સામેવાળો એટલે કે પ્રતિપક્ષી દુશ્મન કે વૈરી કે અજ્ઞાની છે એમ ન માને, પણ જિજ્ઞાસુ છે એમ સમજે અને પોતે જ્યારે વાદ કરે ત્યારે બીજાને હરાવવાના આશયથી ન બોલે, પણ પ્રેમપૂર્વક આનંદથી સમજાવવાના હેતુથી બોલે. એથી પ્રતિપક્ષી હારે તો એને ખટકે નહિ અને વાદી જ્ઞાનીની વાત સમજવા પ્રયત્ન કરે. એમાં વક્તાની કહેવાની રીત રસિક હોય છે અને શ્રોતાની ગ્રહણ કરવાની રીત પણ ભાવવાળી હોય છે. આથી બંનેનું કલ્યાણ હોય છે. શુષ્કવાદ એટલે ખોટી મગજમારી. એથી કશું સારું પરિણામ ન આવે. માત્ર કંઠશોષ થાય. એમાં નરી શુષ્કતા હોય. શાસ્ત્રકારોએ કહ્યું છે કે અભિમાની, ક્રૂર, ધર્મષી અને અજ્ઞાની સાથે વાદ ન કરવો. જ્યાં પોતાના મતનો જ હઠાગ્રહ હોય, ખોટી તર્કબાજી હોય, જ્ઞાનપ્રાપ્તિ નહિ પણ પરાજિત કરવાની વૃત્તિ હોય એવા શુષ્કવાદથી કોઈનું કલ્યાણ થતું નથી. ધનસંપત્તિ, યશકીર્તિ ઇત્યાદિ મેળવવાના આશયથી વાદ કરવો તેને વિવાદ કહે છે. આવા વિવાદોમાં કુતર્ક, પ્રતિપક્ષીને પરાજિત કરવાનો ભાવ હોય છે. અસમાન વ્યક્તિઓ વચ્ચે જ્યારે વિવાદ થાય ત્યારે અન્યાય, માનહાનિ, ગાળાગાળી થાય છે. એથી કોઇનું ભલું થતું નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાજપુરોહિત, અતિથિ, આશ્રિત, બાળક, વૃદ્ધ, રોગી, જમાઈ, સાળો, નોકરચાકર વગેરે સાથે વિવાદ કરવો નહિ. એથી એકબીજાની આમન્યા જળવાતી નથી. ધર્મવાદ, શુષ્કવાદ અને વિવાદમાંથી એ ત્રણમાંથી યથાર્થ અને પરસ્પર હિતકારી વાદ તે ધર્મવાદ છે. For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪૩૧ [૫૪] પ્રાણિત નનાનાં વૈમત સર્વનયશ્રતમ્ ચિત્તે પરિપતં વેતં યેષાં તેગો નમોનમ: રૂ ૨ાાદા [શબ્દાર્થ : પ્રાણિતંત્રપ્રકાશિત કર્યું છે; નનાનાં=લોકોને; =જેઓએ, જેઓ દ્વારા; માઁ=મત, પ્રવચન; સર્વનાશ્રિત=સર્વ નિયોનો આશ્રય કરીને; ચિત્તે ચિત્તમાં; પરિણતંત્રપરિણમેલું; =અને; વં=આ; યેષાં=જેઓના; તેમ્ય =તેઓને; નમોનમ:=વારંવાર નમસ્કાર હો.] અનુવાદઃ જેઓ દ્વારા લોકોને માટે સર્વનયાશ્રિત આ મત (પ્રવચન) પ્રકાશિત કરવામાં આવ્યો છે અને જેમના ચિત્તમાં આ પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો ! (૬). વિશેષાર્થ : આપણને તત્ત્વ-સિદ્ધાન્તનો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપણે એવા જ્ઞાની પાસે જઈને પૂછીએ, કે જે આપણને સંતોષકારક જવાબ આપે અને આપણે નિઃસંશય થઈએ. આવો ઉત્તર તેઓ જ આપી શકે કે જેમની પાસે કંઈક શાસ્ત્રજ્ઞાન હોય. તદુપરાંત અન્ય ધર્મના શાસ્ત્રોનો પણ તેમને સારો પરિચય હોય. દુનિયાદારીનું પણ તેમને જ્ઞાન હોય, વળી એમની પાસે સારી તર્કશક્તિ હોય. મનુષ્યની પ્રકૃતિના તેઓ અભ્યાસી હોય. આવી વ્યક્તિ પણ ચારિત્રશીલ હોવી જોઈએ. પોતાના જ્ઞાનના બદલામાં એમને કશું જોઈતું ન હોવું જોઈએ. નામના કે યશકીર્તિની પણ તેમને દરકાર ન હોય તો એવી વ્યક્તિ પાસે આપણને વારંવાર દોડી જવાનું મન થાય. લોકોને તેમને માટે આદર હોય અને બધા લોકો તેમના નામની જ ભલામણ કરતા હોય. આવી ચારિત્રશીલ વ્યક્તિને “બહુશ્રુત' કહેવામાં આવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીંપૂર્વે થઈ ગયેલા એવા મહાત્માઓને નમસ્કાર કર્યા છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ ગણધર ભગવંતોને આપેલો ઉપદેશ કેટલો જ્ઞાનપૂત અને કરુણાસભર છે ! એમની પાટપરંપરામાં થઈ ગયેલા શ્રી For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જ્ઞાનસાર શäભવસૂરિ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર., શ્રી જિનભદ્રગણિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય અને ખુદ શ્રી યશોવિજયજી મહારાજ. તેવી જ રીતે શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય, શ્રી પુષ્પદંત મહારાજ, શ્રી સમંતભદ્ર, શ્રી નેમિનાથ સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કેટલા બધા મહાત્માઓ થઈ ગયા કે જેઓએ આપણને શ્રુતસાહિત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે! બધાનાં નામ લેવા જઈએ તો પાર ન આવે. તે સર્વને આપણા વારંવાર નમસ્કાર હો ! ભગવાન મહાવીર સ્વામી પછી જૈન શાસનમાં કેટલા બધા મહાત્માઓ થઈ ગયા. આપણે જેમને પૂજ્ય ગણીએ તેઓ એમની પૂર્વેના કોઈકને પૂજ્ય ગણતા હોય અને તે વળી પૂર્વેના બીજાને પૂજ્ય ગણતા હોય. આમ બહુશ્રુત પૂજ્યોની પરંપરા ચાલી આવે છે. “ભવ ભાવના'માં કહ્યું છેઃ ते पुज्जा तिअलोए सव्वत्थ वि जाण निम्मलं नाणं । पुज्जाण वि पुज्जयरा नाणी चरित जुत्ता य॥ જિઓનું જ્ઞાન સર્વત્ર નિર્મળ છે એવા તથા પૂજ્ય પુરુષોને માટે પણ જે પૂજ્ય છે એવા ચારિત્રયુક્ત જ્ઞાની ત્રણ લોકમાં પૂજ્ય છે.] भदं वहुसुयाणं वहुजणसंदेह पुच्छणिज्जाणं। उज्जोइअभुवणाणं झिणमि वि केवलमयंके । [કેવળજ્ઞાન રૂપી ચંદ્ર અસ્ત થયે જેમણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણા માણસોના સંશયો જેમને પૂછી શકાય છે એવા બહુશ્રુતોનું કલ્યાણ થાઓ.] [૨૫૫.]નિશ્ચયે વ્યવહારે ર ત્યવસ્વ જ્ઞાને ર ળ ! एकपाक्षिक विश्लेषमारूढाः शुद्धभूमिकाम् ।।३२।।७।। [શબ્દાર્થ : નિશ=નિશ્ચય નયમાં; વ્યવદારે વ્યવહાર નયમાં; ઘ=અને; ત્યક્વEછોડીને; જ્ઞાને=જ્ઞાન નયમાં; વ=અને; f=ક્રિયાનયમાં; પક્ષ વિજોષ=એક પક્ષમાં રહેલા વિશ્લેષ (ભ્રાન્તિના સ્થાન) ને; મારૂઢાં =ચઢેલા; For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક શુદ્ધભૂમિાં=શુદ્ધ ભૂમિકા ઉપર.] અનુવાદઃ નિશ્ચયનયમાં કે વ્યવહારનયમાં, જ્ઞાનનયમાં કે ક્રિયાનયમાં, કોઈપણ એક પક્ષમાં રહેલા ભ્રાન્તિના સ્થાનને છોડીને શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા-(૭) વિશેષાર્થ : શ્લોક ૭ અને ૮ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૫૬] સમૂદનશ્યા: સર્વત્ર પક્ષપાતવિર્દ્રિતા: 1 નયન્તિ પરમાનન્દ્રમયા: સર્વનયાશ્રયાઃ ।।રૂ૨૫૮૫ [શબ્દાર્થ : અમૂઢતક્ષ્યા:-લક્ષ ન ચૂકે એવા; સર્વત્ર=સર્વત્ર, બધે; પક્ષપાતવિવર્ધિતા:= પક્ષપાતરહિત; નયન્તિ=જય પામે છે, જયવંતા વર્તે છે; પરમાનન્દ્રમયા:= પરમાનંદમય; સર્વનયાશ્રયા:=સર્વ નયના આશ્રયભૂત.] ૪૩૩ અનુવાદઃ લક્ષ ન ચૂકે એવા, સર્વત્ર (સર્વ ભૂમિકામાં) પક્ષપાતરહિત, પરમ આનંદમય, સર્વ નયોનો આશ્રય કરનારા (જ્ઞાનીઓ) જયવંતા વર્તે છે. (૮) વિશેષાર્થ : આ ‘જ્ઞાનસાર’ અષ્ટકમાં છેલ્લા ‘સર્વનયાશ્રય’ નામના અષ્ટકના અંતે ઉપાધ્યાયજી મહારાજ મુનિ મહાત્માને ભલામણ કરતાં કહે છે કે જેઓને સાચા જ્ઞાની થવું હોય તેઓએ સર્વ નયોનો આશ્રય લેવો જોઈએ. સંસારના અવલોકનથી, શાસ્ત્રાભ્યાસથી, આંતર અવલોકનથી અને ધ્યાનાભ્યાસથી એવી દૃષ્ટિ ખીલે છે અને રહસ્યો એવાં ખૂલે છે કે એમને સર્વત્ર સંવાદ દેખાય છે. સંસારમાં પરાપૂર્વથી નિશ્ચય અને વ્યવહાર વચ્ચે, જ્ઞાન અને ક્રિયા વચ્ચે, નિમિત્ત અને ઉપાદાન વચ્ચે વિવાદ ચાલતા આવ્યા છે. પરંતુ આટલું અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ કે કોઈ એક નય જેમ સર્વાંશે ખોટો નથી તેમ સર્વાંશે સાચો નથી. દરેક નય પોતપોતાના સ્થાને યોગ્ય છે. જ્ઞાનીએ અનેકાન્તદૃષ્ટિ કેળવવી જોઈએ. માત્ર નિશ્ચયનય કે માત્ર વ્યવહારનય, માત્ર જ્ઞાન પક્ષ કે માત્ર ક્રિયાપક્ષ એવા એકાન્તના આગ્રહમાં ભ્રમ છે, મિથ્યાત્વ છે, જ્ઞાનીએ એવા મિથ્યાત્વમાં ન અટવાવું જોઈએ. For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જ્ઞાની પૂર્વગ્રહરહિત, પક્ષપાતરહિત મધ્યસ્થ દૃષ્ટિ ધરાવે છે. એટલે જ તેઓ સમતાવાળા હોય છે અને હંમેશા આનંદમાં–પરમાનંદમાં જ હોય છે. તેઓ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા હોય છે. તેમના ચિત્તમાં ક્યારેય કલેશ હોતો નથી. કોઈ વાત માટે તેમનો દુરાગ્રહ હોતો નથી. પોતાનું લક્ષ એટલે કે અંતિમ ધ્યેય હંમેશાં તેમની નજર સમક્ષ હોય છે. એમ કરવાથી એમનું સમ્યગ્દર્શન વધુ નિર્મળ થાય છે. નય અને પ્રમાણથી તેઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે છે, સમજે છે તેમને કોઈની સાથે વાદ કે કલહ વગેરે હોતાં નથી, પણ કોઈ તેમની સાથે તેમ કરવા આવે તો તેઓ તો પૂરી સમતાપૂર્વક વ્યવહાર કરતા હોય છે. આવી રીતે સર્વનયોનો આશ્રય ક૨ના૨, પરમાનંદમય જ્ઞાની મહાત્મા જયવંતા વર્તે છે. ܀܀ જ્ઞાનસાર For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪ ૩૫ ઉપસંહાર [૫૭] પૂ મન સ્થિરોમોહો જ્ઞાની શાન્તો નિક્રિયા त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो नि:स्पृहो मुनिः ।।१।। [શબ્દાર્થ પૂf=પૂર્ણ, જ્ઞાનાદિથી પરિપૂર્ણ; મન =મગ્ન, જ્ઞાનમાં મગ્ન થયેલા; સ્થિર =સ્થિર, યોગની સ્થિરતાવાળા; મમોહ: મોહરહિત; જ્ઞાની જ્ઞાનવંત, તત્ત્વજ્ઞાની; શાન્ત =શાન્ત, ઉપશમવાળા; નિતેન્દ્રિય =જિતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતનાર; ત્યારની ત્યાગવાળા; યિાપ: ક્રિયામાં તત્પર; તૃપ્ત =તૃપ્ત, આત્મસંતુષ્ટ; નિર્લેપ =નિર્લેપ, લેપરહિત, આસક્તિરહિત, નિ:સ્પૃદં: સ્પૃહારહિત; મુનિ =મુનિ, ભાવમૌનવાળા.] અનુવાદ મુનિ (૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતાવાળા, (૪) મોહરહિત, (૫) જ્ઞાની, (૬) ઉપશાન્ત, (૭) જિતેન્દ્રિય, (૮) ત્યાગી, (૯) ક્રિયામાં તત્પર, (૧૦) તૃપ્ત-આત્મસંતુષ્ટ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ અને (૧૩) મુનિ એટલે કે ભાવમૌન ધારણ કરનાર હોય. વિશેષાર્થ બ્લોક નં. ૨૫૭ થી ૨૬૦ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. [૨૫૮] વિદ્યાવિવેવસંપન્નો જથ્થો ભયર્ષિતઃ | નાભશંસસ્તવૃષ્ટિ: સર્વસમૃદ્ધિમાર્ પારા [શબ્દાર્થ વિદ્યાવિવેવસંપન્ન=વિદ્યાસંપન્ન (તત્ત્વબુદ્ધિરૂપી વિદ્યાયુક્ત), વિવેકસંપન્ન (જીવ-અજીવને જુદા સમજવાં–અનુભવવારૂપી વિવેક); મધ્યસ્થ =પક્ષપાતરહિત; અથવર્જિત:=ભયરહિત, નિર્ભય; મનાત્મશંસ:=પોતાની પ્રશંસા ન કરનાર; For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તત્ત્વવૃષ્ટિ:=તત્ત્વદૃષ્ટિવાળા, પારમાર્થિક દૃષ્ટિવાળા; સર્વસમૃદ્ધિમા=સર્વ પ્રકારની આત્મિક સંપત્તિવાળા.] અનુવાદઃ મુનિ (૧૪) વિદ્યાસંપન્ન, (૧૫) વિવેકસંપન્ન, (૧૬) મધ્યસ્થ, (૧૭) ભયરહિત, (૧૮) આત્મપ્રશંસા ન કરનાર, (૧૯) તત્ત્વદૃષ્ટિવાળા, (૨૦) સર્વસમૃદ્ધિવાન હોય. (૨) [૨૫૯] ધ્યાતા નર્મવિપાળાનામુદ્રિનો ભવવાઘે: 1 लोकसंज्ञाविनिर्मुक्त: शास्त्रदृग् निष्परिग्रहः || ३ || જ્ઞાનસાર [શબ્દાર્થ : ધ્યાતા=ધ્યાન ધ૨ના૨, ચિંતન કરનાર; ર્મવિષાાન=કર્મના વિપાકનો, કર્મના ફળનો; ૩દ્વિઘ્ન:=ઉદ્વિગ્ન, ઉદ્વેગ પામનાર; મવવારિè:=સંસારરૂપી સમુદ્રથી; તોસંજ્ઞા=લોકસંજ્ઞા; વિનિનુંત:=૨હિત; શાસ્ત્રદ=શાસ્ત્રમાં જ દૃષ્ટિવાળા, શાસ્ત્રદૃષ્ટિવાળા; નિરિગ્રહ:=પરિગ્રહરહિત.] અનુવાદઃ મુનિ (૨૧) કર્મવિપાકના ધ્યાતા, (૨૨) સંસારસમુદ્રથી ઉદ્વિગ્ન, (૨૩) લોકસંજ્ઞાથી મુક્ત, (૨૪) શાસ્ત્રદૅષ્ટિવાળા અને (૨૫) પરિગ્રહરહિત હોય. (૩) [૨૬૦] શુદ્વાનુભવવાન્ યોળી નિયાપ્રતિપત્તિમાન્ । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः ॥ ४ ॥ : [શબ્દાર્થ : શુદ્ધાનુભવવા=શુદ્ધ અનુભવવાળા; યોñ=યોગી, ભાવયોગવાળા; નિયાાપ્રતિપત્તિમાન=મોક્ષને પ્રાપ્ત કરનાર; માવાf=ભાવપૂજા; ધ્યાન=ધ્યાન; તપસમાં=તપની; ભૂમિ:=આશ્રય; સર્વનયાશ્રિત:=જેમણે સર્વ નયોનો આશ્રય કર્યો છે.] અનુવાદઃ મુનિ (૨૬) શુદ્ધ અનુભવવાળા, (૨૭) યોગી, (૨૮) મોક્ષ (નિયાગ)ને પ્રાપ્ત કરનાર, (૨૯) ભાવપૂજાવાળા, (૩૦) ધ્યાનની ભૂમિકાવાળા, For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૩૭ (૩૧) તપની ભૂમિકાવાળા અને (૩૨) સર્વનયોનો આશ્રય કરનારા હોય. (૪) વિશેષાર્થ ઃ આ ચાર શ્લોકમાં “જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોના વિષયોનાં નામ ક્રમાનુસાર ગોઠવવામાં આવ્યાં છે. આ નામો શ્લોકબદ્ધ છે એટલે કંઠસ્થ કરી લેવાય એવાં છે. આ બત્રીસ અષ્ટકના વિષયો એકબીજા સાથે સંલગ્ન છે અને એમાં સમગ્ર જૈન દર્શનનો નિચોડ આવી જાય છે. આ અષ્ટકો આમ તો મુનિ મહારાજને ઉદ્દેશીને લખાયાં છે, પણ શ્રાવકો પણ તેનો લાભ લઈ શકે છે. આ વિષયોનું ભાવન કરવામાં આવે તો પણ તે લાભકારક છે. એથી આત્મપરિણતિ વિશુદ્ધ થાય છે. મોક્ષાભિલાષી જીવોએ આ અષ્ટકોનો આશ્રય કરવા જેવો છે. આ અષ્ટકોમાં “પૂર્ણતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે આત્મગુણોની પરિપૂર્ણતાથી જમોક્ષ છે. એટલે “પૂર્ણતા' એ મોક્ષાભિલાષી જીવનું અંતિમ ધ્યેય છે. [૨૬૧] પર્ણ નિર્ણદ્વિતં તમષ્ટ પ્રતિપન્નવીન્ા. મુનિર્મહોયં જ્ઞાનસાર સમાચ્છતિ [શબ્દાર્થ સ્પષ્ટ સ્પષ્ટ નિર્ણહૂિર્તા=નિશ્ચિત કરેલા; તત્ત્વ=તત્ત્વને; 9:=અષ્ટકો વડે; પ્રતિપન્નવાન =પ્રાપ્ત થયેલા; મુનિ =મુનિ, સાધુ, જ્ઞાની; મહોયં=જેથી મહાન અભ્યદય થાય છે એવા; જ્ઞાનસારં=જ્ઞાનના સારને; સમધિ છતિ=સારી રીતે પ્રાપ્ત થાય છે.] અનુવાદઃ અષ્ટકો વડે સ્પષ્ટ, નિશ્ચિત કરેલા તત્ત્વને પામેલા મુનિ મહાન અવ્યુદય કરનાર જ્ઞાનસારને (જ્ઞાનના સારભૂત શુદ્ધ ચારિત્રને) સારી રીતે પામે છે. (૫) વિશેષાર્થ: શ્લોક નં. ૨૬૧ થી ૨૬૮ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. [૬૨] નિર્વિવા નિરીવાજં જ્ઞાનસરમુખેયુષીમ્ | विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।।६।। For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૮ જ્ઞાનસાર [શબ્દાર્થ નિર્વિકારં નિર્વિકાર, વિકારરહિત; નિરાવાયં બાધારહિત, પીડારહિત; જ્ઞાનસાર જ્ઞાનસારને; ૩પયુષ =પ્રાપ્ત થયેલા વિનિવૃત્તપીરના=પરની આશા જેઓને નિવૃત્ત થઈ છે એવા; મોક્ષ =મોક્ષ; ત્રેવ=અહીં જ, આ જ ભવમાં; મહાત્મના મહાત્માઓનો.] અનુવાદઃ નિર્વિકાર, નિરાબાધ એવા જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરની આશાથી નિવૃત્ત થયેલા મહાત્માઓને અહીં જ મોક્ષ છે. (૬) [૨૩] વિત્તમાર્ટીમાં જ્ઞાનપીરસારસ્વતોષિ: I नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ।।७।। [શબ્દાર્થ : વિતંત્રચિત્ત; માન્રવૃત્તિ આર્ટ્સ કરેલું, કોમળ થયેલું; જ્ઞાનસાર= જ્ઞાનસારરૂપી; સારસ્વતોffમ: સરસ્વતીના-વાણીના તરંગો થી; નાનોતિ=+જ્ઞાતિ પામતું નથી; તીવ્ર=તીવ્ર, કઠોર, આકરા; મોહાનિ=મોહરૂપી અગ્નિ, પ્લોÉ=દાહ; શોષકશોષ; વર્થના=પીડાને.] અનુવાદ જ્ઞાનસારરૂપી સરસ્વતીના તરંગો વડે આર્ટ બનેલું ચિત્ત તીવ્ર મોહરૂપી અગ્નિના દાહના શોષની પીડા પામતું નથી. (૭) [૨૬૪] વિત્યા hiડપિ સાધૂનાં જ્ઞાનસારરિષ્ઠતા ! गतिर्ययोर्ध्वमेव स्याद् अधःपातः कदाऽपि न ।।८।। [શબ્દાર્થ વિજ્યા=ન ચિંતવી શકાય એવું; f=કોઈક; સાધૂનાં સાધુઓનું જ્ઞાનસરારિષ્ઠતા=જ્ઞાનસારનું ગૌરવ; તિ=ગતિ; થયો.=જે વડે; ઉર્ધ્વમેવ=ઊંચે જ; ચા=હોય; અથ: પાત: અધઃપતન, નીચે પડવું; વાપ=કદીપણ;=નથી, નહિ.] અનુવાદ: સાધુઓના જ્ઞાનસારનું ગૌરવ કંઈક અચિંત્ય છે. એનાથી ઉર્ધ્વ ગતિ જ થાય, નીચે પડવાનું તો ક્યારેય ન થાય. (૮) For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪ ૩૯ [૨૫] વલ્તશયો હિમાલૂપૂર્ધાતુલ્ય: ક્રિયાd: I થતણૂક જ્ઞાનસીરત: પુન: III [શબ્દાર્થ : ફ્લેશલય =ફ્લેશનો ક્ષય, ક્લેશનો નાશ; f=જ, ખરેખર; મહૂ=દેડકો; ચૂર્ણતુલ્ય:=દેડકાના શરીરના ચૂર્ણ સમાન; યિાત:ત્રક્રિયાથી કરેલો; =બળી ગયેલા, શેકાઈ ગયેલા; તણૂઈસશ: તેના (દેડકાના) ચૂર્ણ સમાન; જ્ઞાનસારવૃત =જ્ઞાનસારથી કરાયેલો (ક્લેશનો નાશ); પુન: =વળી, પરંતુ.] અનુવાદઃ ક્રિયાથી કરેલો ક્લેશનો ક્ષય મંડૂકચૂર્ણ (દેડકાના શરીરના ચૂર્ણ) સમાન છે, પરંતુ જ્ઞાનસારથી કરાયેલો તે (ક્લેશનો નાશ) તેના બાળેલા ચૂર્ણ બરાબર છે. (૯) [૨૬] જ્ઞાનપૂતાં પરેડવ્યા: યિાં મધરોપમીમ્ | युक्तं तदपि तद्भावं न यद्भग्नाऽपि सोज्झति ।।१०।। [શબ્દાર્થ જ્ઞાનપૂતાં=જ્ઞાનથી પવિત્ર પરેડાતું:=બીજાઓ પણ કહે છે; યિત્રક્રિયાને; દેવિટોપમા મહેમ (સુવર્ણ)ના ઘડાની જેને ઉપમા અપાય, સુવર્ણના ઘટ બરાબર યુક્ત યોગ્ય; તપિ=ને પણ; તHવંeતેના ભાવને (સુવર્ણના ભાવને); ન નથી; એમનાગv=ભાંગી ગયેલો હોય તો પણ; સા તે; ૩તિ=છોડે.] અનુવાદ: બીજાઓ પણ શાનથી પવિત્ર થયેલી ક્રિયાને સુવર્ણના ઘડા સરખી કહે છે. તે પણ યોગ્ય છે, કારણ કે ભગ્ન થવા છતાં તે તેના ભાવને છોડતી નથી. (૧૦) [૨૬] ક્રિયાશ્ચં ચ યજ્ઞાનું જ્ઞાનશૂન્યા ગયા યિા अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।११।। For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ [શબ્દાર્થ : યિાયં=ક્રિયાથી રહિત; 7=અને; યજ્ઞાનું=જે જ્ઞાન; જ્ઞાનશૂન્યા=જ્ઞાનથી રહિત; ==અને; યા=જે; યિા=ક્રિયા; અનયો:=આ બંનેનું; અન્તર=અન્તર; જ્ઞેયં=જાણવું; માનુ=સૂર્ય; વદ્યોતયો:=ખજુઆના, આગિયાના; =જેવું.] અનુવાદઃ જે જ્ઞાન ક્રિયાશૂન્ય છે અને જે ક્રિયા જ્ઞાનશૂન્ય છે એ બે વચ્ચેનું અંતર સૂર્ય અને આગિયા જેવું જાણવું. (૧૧) [૨૬૮] ચારિત્ર વિરતિ: પૂર્વા જ્ઞાનસ્યોર્ષ વં હૈિં । ज्ञानाद्वैतनये दृष्टिर्देया तद्योगसिद्धये ।। १२ ।। જ્ઞાનસાર [શબ્દાર્થ : ચરિત્રં=ચારિત્ર; વિત્તિ:=વિરતિ, વૈરાગ્ય; પૂ:=પૂર્ણ, સંપૂર્ણ; જ્ઞાનસ્ય=જ્ઞાનનો; ર્ષ:=ઉત્કર્ષ, અતિશય; વ=જ; હિ=ખરેખર જ્ઞાનાદ્વૈતનયે (જ્ઞાન+અદ્વૈત=શાન સિવાય બીજું નહિ) કેવળ જ્ઞાનનયમાં જ; દૃષ્ટિ:=દૃષ્ટિ; તૈયા=આપવા યોગ્ય;તત્=તેથી; યોગસિદ્ઘયે=યોગની સિદ્ધિ માટે.] અનુવાદઃ પૂર્ણ વિરતિમય ચારિત્ર એ ખરેખર જ્ઞાનનો જ ઉત્કર્ષ છે. તેથી યોગની સિદ્ધિને માટે ફક્ત જ્ઞાનનયને વિશે દૃષ્ટિ દેવી. (૧૨) વિશેષાર્થ : હવે શ્લોકો ૨૬૧ થી ૨૬૮ સુધીમાં ઉપાધ્યાયજી મહારાજે ‘જ્ઞાનસાર’ની મુનિજીવનમાં મહત્તા દર્શાવી છે. જ્ઞાનસારને પામેલા મુનિઓની બાહ્ય ભૌતિક ઇચ્છાઓ-એષણાઓ શાંત થઈ જાય છે. લૌકિક કોઈ વસ્તુનો મહિમા હવે એમના અંતરમાં રહેતો નથી. ભગવાનનાં વચનોથી તેમનું અંતર એટલું બધું આર્દ્ર થઈ ગયું હોય છે કે મોહરૂપી તીવ્ર અગ્નિદાહ તેમને કશું કરી શકતો નથી. એક વખત જ્ઞાનસાર અનુસાર તેમના જીવનનો વિકાસ થવા લાગે તો પછી તેમનું ક્યારેય અધઃપતન થતું નથી. જ્ઞાનસારના અભ્યાસથી જ્ઞાન અને ક્રિયા વચ્ચેનો ભેદ સમજાય છે. જ્ઞાન અને For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૪ ૧ ક્રિયા એમ બંને હોય તો જ મોક્ષ છે, તો પણ એ બેમાં પહેલાં જ્ઞાનને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા એ બેમાં ક્રિયા વગરના જ્ઞાનને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. ક્રિયા જ્ઞાનથી પવિત્ર બનેલી હોય તો જ તે ફલદાયી નીવડે છે. નિશ્ચયનયથી જોઈએ તો જ્ઞાનનો ઉત્કર્ષ એ જ ક્રિયા છે એટલે કે વિરતિરૂપ ચારિત્ર છે. ઉચ્ચ દશા પ્રાપ્ત થતાં ચારિત્ર જ્ઞાનથી ભિન્ન હોતું નથી. [૨૬] સિદ્ધિ સિદ્ધપુરે પુરપુરસ્પર્ધા નધ્ધવા श्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि । एतद् भावनभावपावन मनश्चञ्चच्चमत्कारिणां तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।।१३।। [શબ્દાર્થ સિદ્ધિ=સિદ્ધિ, સમાપ્તિ, સિદ્ધપુર =સિદ્ધપુરમાં; પુરપુર:=ઇન્દ્રના નગર; સ્પર્ધાનંદે સ્પર્ધા કરનાર; નશ્વવાં પ્રાપ્ત કરીને; વિદ્દીપ: જ્ઞાનરૂપી દીવો; મયં આ; ફારસીરમહા=અતિશય અને સારભૂત (શ્રેષ્ઠ) તેજ સહિત; વીપોત્સવે=દિવાળીમાં; પર્વ=પર્વમાં; ત=આ; બાવનમાવપાવન=ભાવનાના ભાવથી (રહસ્યથી) પવિત્ર; મનષ્યષ્યમાંરિણાં મનમાં થતા ચમત્કારવાળા જીવોને; તેર્ત =તે તે; વીપ શર્ત =સેંકડો દીવા વડે; સુનિયતૈ: સારા નિશ્ચયમતરૂપ વડે; નિત્ય =હંમેશાં; મસ્તુ હો; વીપોત્સવ:=દીપોત્સવ, દિવાળી.] અનુવાદઃ ઇન્દ્રના નગરની સ્પર્ધા કરનાર સિદ્ધપુર નગરમાં, અતિશય અને સારભૂત તેજસહિત આ જ્ઞાનરૂપી દીપક દિવાળીના પર્વમાં સંપૂર્ણ થયો. આ (ગ્રંથ) ભાવનાના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવોને, તે તે સમ્યફનિશ્ચયમતરૂપ સેંકડો દીવાઓ વડે, હંમેશાં દીપોત્સવરૂપ હો! (૧૩). વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં રચનાસ્થળનો અને રચનાકાળનો નિર્દેશ કર્યો છે. એમણે આ ગ્રંથની રચના ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨ જ્ઞાનસાર નગરમાં કરી હતી. એમણે દિવાળીના ઉત્સવ દરમિયાન આ રચના પૂર્ણ કરી હતી. દિવાળીનો ઉલ્લેખ છે એટલે સ્પષ્ટ છે કે સિદ્ધપુરમાં તેઓ ચાતુર્માસ અર્થે બિરાજમાન હશે ! એમણે સિદ્ધપુરને ઇન્દ્રના નગરની સ્પર્ધા કરનાર તરીકે ઓળખાવ્યું છે એ ઉપરથી જણાય છે કે ત્યારે સિદ્ધપુર અત્યંત સમૃદ્ધ નગર હશે ! [૨૭૦] પરિદિષયવંતુરમદો ચિત્ત રેષાં વિષા वेगोदर्ककुतर्कमूर्च्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि ___ स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।।१४।। [શબ્દાર્થ : વેષાંત્રિકેટલાકનું; વિષયQરાતુર=વિષયરૂપ તાવથી પીડિત; મહો=આશ્ચર્ય છે; વિ=ચિત્ત, મન; પરેષાં બીજાઓનું; વિષાોતમૂચ્છિત= વિષના આવેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂચ્છિત; અથ વળી, હવે પછી; મચેષાં=બીજાઓનું; વૈરાત:=કુવૈરાગ્યથી; સનાતમ=જેને હડકવા થયો હોય તે; અવોઇ=અજ્ઞાન; પતિતં કૂવામાં પડેલું; =અને; આસ્તે=છે; પરેષામપ=બીજાઓનું પણ; સ્તોતાનાં=થોડાઓનું; તુ=વળી, પણ; વિજારમારરહિતંત્રવિકારના ભારથી રહિત; ત=તે; જ્ઞાનસરાશ્રિતમ જ્ઞાનસાર વડે આશ્રિત.] અનુવાદ-અહો! કેટલાકનું મન વિષયરૂપી તાવથી પીડિત છે, બીજાઓનું મન વિષના આવેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂચ્છિત થયેલું છે. અન્ય કેટલાકનું મન કુવૈરાગ્યથી જેને હડકવા થયો હોય એવું છે. બીજા કેટલાકનું મન અજ્ઞાનરૂપી કૂવામાં પડેલું છે. પરંતુ થોડાકનું મન વિકારના ભારથી રહિત, જ્ઞાનસાર વડે આશ્રિત છે. (૧૪) વિશેષાર્થ: શ્લોક નં. ર૭૦ થી ૨૭૨ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ४४३ ઉપસંહાર [२७१] जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्गयाऽभव नेतद्ग्रंथमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।।१५।। [शार्थ : जातोद्रेकविवेकतोरणततौ यो म४ि५९ो विवे४३पी तो२४॥नी माया मधेसीछे; धावल्यं=3%8°४qणत; आतन्वति विस्तारता; हृदगेहे=६६५३५.५२८i; समयोचित्त: समयने योग्य प्रसरति प्रसरे छ; स्फीत: मोटो; चसने; गीतध्वनि:=odनयनि; पूर्णानन्दघनस्य पूनिं १ म२५२ (मेवात्मानl); किंशु; सहजयास४ रीत, स्वाभावि.७५४ो; तद्भाग्यतेन मायनी; भङ्गया 43, २यनाथी; अभव=थयो; ननथी; एतद्=0; ग्रंथमिषात् ग्रंथन। निमित्त, अंथरयनाना पानाथी; करग्रहमहःपनो महोत्सव; चित्र=मर्थ ४२।२; चरित्रश्रियः=यात्रि३५ी लक्ष्मी साथ.] અનુવાદઃ જ્યાં સવિશેષ વિવેકરૂપી તોરણની માળા બાંધી છે, જ્યાં ધવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં સમયોચિત ગીતનો મોટો ધ્વનિ પ્રસરે છે, ત્યાં પૂર્ણાનંદઘન (આત્મા)નો, સ્વભાવસિદ્ધ ભાગ્યની રચના વડે, આ ગ્રંથની રચનાના નિમિત્તે, ચારિત્રરૂપી લક્ષ્મી સાથે પાણિગ્રહણનો આશ્ચર્યકારક મહોત્સવ નથી थयो शुं ? अर्थात् यो छ. (१५) [२७२] भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ।।१६।। [शार्थ : भावस्तोम मानो समूह; पवित्र पवित्र; गोमयरसै:=छन। २४ १3; लिप्तैव-दीपायेदी ४; भू:=भूमि; सर्वतः=यारे पाहू; संसिक्ता= येली; For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ४४४ જ્ઞાનસાર સમતો:=સમતારૂપી પાણી વડે; અથ ત્યાર પછી; પથિ=પથમાં, માર્ગમાં; ચતા:=મૂકી છે; વિવેત્સન:=વિવેકરૂપી ફૂલની માળાઓ; અધ્યાત્મામૃત= અધ્યાત્મરૂપી અમૃત; પૂર્ણ=પૂર્ણ, ભરેલો; મલશ:=કામકળશ, કામકુંભ, ઇચ્છા પૂરી કરનાર કુંભ; વો મૂક્યો છે; મંત્ર=આ, અહીં; à=શાસ્ત્રમાં; પુર:=આગળ; પૂર્વીનન્વયનેકપૂર્ણાનંદથી ભરપૂર; પુર=નગરમાં પ્રવિતિ=પ્રવેશ કરે છે; સ્વયં પોતાનું; d=કર્યું છે; મંતંત્રમંગલ.] અનુવાદઃ આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ, પવિત્ર છાણના રસથી લીંપેલી, સમતારૂપી પાણી વડે ચારેબાજુ છાંટેલી ભૂમિ છે. માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ ગોઠવેલી છે. અધ્યાત્મઅમૃતરૂપી કામકુંભ આગળ મૂક્યો છે. એવા પૂર્ણાનંદઘન નગરમાં આત્મા પ્રવેશ કરે છે ત્યારે જાણે એણે પોતે જ મંગળની રચના કરી હોય એમ લાગે છે. (૧૫) વિશેષાર્થ: આ ત્રણ શ્લોક (૨૭૦, ૨૭૧ અને ૨૭૨) માં ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારની મહત્તા દર્શાવી છે. અહીં જ્ઞાનસાર એટલે પોતાનો ગ્રંથ નહિ, પણ અધ્યાત્મમાર્ગમાં ઉત્કૃષ્ટ જ્ઞાનની અનિવાર્યતા). સંસારમાં મોટા ભાગના લોકોનું જીવન વિષયરૂપી વરથી ઘેરાયેલું છે. કેટલાક લોકો અજ્ઞાનરૂપી કૂવામાં પડેલા છે. કેટલાક બુદ્ધિશાળી છે, પણ તેઓ કુતર્કથી મૂચ્છિત છે. કેટલાકને દંભી વૈરાગ્યરૂપી હડકવા લાગ્યો છે. પરંતુ જ્યાં અધ્યાત્મની રુચિ છે, જ્ઞાનનો પ્રકાશ છે, ચારિત્રરૂપી લક્ષ્મી છે, વિવેકરૂપી પુષ્પની માળાઓ છે ત્યાં જાણે કે મોટો ઉત્સવ થઈ રહ્યો છે. જ્યાં જ્ઞાનની આવી દિવ્યતાનું વાતાવરણ હોય ત્યાં પૂર્ણાનંદઘન એવો આત્મા ચારિત્રરૂપી લક્ષ્મી સાથે પાણિગ્રહણ કરી મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. [૨૭૩] છે શ્રીવિનયવિવેવસુરો સ્વચ્છ ગુનાં જળ: प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः । For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૪૫ तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ।।१६।। [શબ્દાર્થઃ અચ્છેeગચ્છમાં; શ્રી વિનયવિવે-લુપુરો:=સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિ વગેરેના; સ્વચ્છત્રપવિત્ર (ગચ્છમાં); ગુનાનાં :=ગુણોના સમૂહથી; પ્રૌઢિં=પ્રોઢતામાં; પ્રૌઢિમથાનિ=પ્રૌઢતાના ધામમાં; નીવિનયપ્રાજ્ઞી:પંડિત શ્રી જિતવિજયજી; પરામૈયર=મોટી મહત્તાને પામ્યા; તત્યાતીર્થ્યમૃતાં તેઓના ગુરુભાઈ થયા; નાિિવનયપ્રાજ્ઞોત્તમાન=પંડિતોમાં ઉત્તમ એવા શ્રી નયવિજયજીના; શિશો =શિષ્ય; શ્રીમવિશRય શ્રીમદ્ ન્યાયવિશારદ (શ્રી યશોવિજયજી)ની; કૃતિના=પંડિતોને માટે; ષા:=આ; કૃતિ =કૃતિ, ગ્રંથરચના, પ્રીત પ્રીતિ માટે થાઓ.] અનુવાદઃ ગુણોના સમૂહથી નિર્મળ અને પ્રોઢતામાં મોટા ધામ એવા સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિ આદિના ગચ્છમાં પંડિત શ્રી જીતવિજયજી અત્યંત મહત્ત્વશાળી થયા. તેમના ગુરુભાઈ શ્રી નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ (ઉપાધ્યાય શ્રી યશોવિજયજી)ની આ કૃતિ (ગ્રંથરચના) પંડિતોને માટે પ્રીતિને માટે થાઓ! (૧૬) વિશેષાર્થ: સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી વગેરે ભાષાના ગ્રંથોમાં ગ્રંથને અંતે ગુરુપરંપરાનો નિર્દેશ કરવાની પરંપરા હોય છે. જૈન ગ્રંથોમાં એ વિશેષ જોવા મળે છે. કેટલીક કૃતિઓમાં ઠેઠ ગુરુ ગૌતમ સ્વામી અને સુધર્માસ્વામીના નિર્દેશ પછી સંક્ષિપ્ત પાટ પરંપરા દર્શાવાય છે. તપગચ્છના કેટલાક ગ્રંથોમાં શ્રી હીરવિજયસૂરિથી પાટપરંપરા દર્શાવાય છે. ઉપાધ્યાયજી મહારાજ કેટલીક કૃતિમાં પોતાના ગુરુ ભગવંત શ્રી નયવિજયજીનો ઉલ્લેખ કરે છે તો કેટલાકમાં એથી પૂર્વેના ગુરુઓનો પણ ઉલ્લેખ કરે છે. આ “જ્ઞાનસાર'માં એમણે ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિથી સંક્ષેપમાં પોતાની પરંપરા જણાવી છે. For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી યશોવિજય મહારાજ કૃત બાલાવબોધની પ્રશસ્તિ [૨૭૪] વાતાલાલાપાનવત્ વાળવોથો नाऽयं किन्तु न्यायमालासुधौघः । आस्वाद्यैनं मोहहालाहलाय ( लस्य ) ज्वालाशान्तेर्धीविशाला भवन्तु ।। १ ।। [શબ્દાર્થ : વાતા=બાલિકા; જ્ઞાતાપાનવ—લાળ ચાટવા જેવો (એટલે નીરસ); વાતનોધ:=બાળબોધ; બાલાવબોધ; =નથી; અયં=આ; ન્તુિ =પરંતુ; ન્યાયમાલાસુધૌધ:=ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ જેવો; આસ્વાદ્યનં=એનો આસ્વાદ કરીને; મોહાનાનાય (દત્તસ્ય)=મોહરૂપી હાલાહલ ઝે૨ની; જ્વાલા=જ્વાળા; શાન્તÊવિશાલા=શાન્ત થવાથી વિશાળ બુદ્ધિવાળા; ભવન્તુ=થાઓ.] જ્ઞાનસાર અનુવાદ : આ બાલાવબોધ (ગુજરાતી અર્થ) બાલકને મુખની લાળ ચાટવા જેવો નીરસ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ સમાન છે. તેનું આસ્વાદન કરીને મોહરૂપી હલાહલ ઝેરની અગ્નિજ્વાળા શાંત થવાથી (ભવ્ય જીવો) વિશાળ બુદ્ધિવાળા થાઓ ! (૧) વિશેષાર્થ ઃ બ્લોક નં. ૨૭૪ થી ૨૭૬ નો વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૭૫]આતન્નાના મા-રતી ભારતી नस्तुल्यावेशा संस्कृते प्राकृते वा । शुक्तिसूक्तिर्युक्तिमुक्ताफलानां, भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् ।। २ ।। [શબ્દાર્થ : આતત્ત્વાના=વિસ્તારનારી; મા–રતી પ્રતિભા અને પ્રીતિ; મારતી=વાણી ન: =અમારી; તુવેશા=સમાન આદર (આગ્રહીવાળી); સંતે પ્રાતે વા=સંસ્કૃતમાં For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ४४१ તથા પ્રાકૃતમાં; શુટૂિ #િ:=સુંદરવચનરૂપ છીપ; યુત્તિમુર્તા-નાનાં યુક્તિરૂપ મુક્તાફળો (મોતી)ની; ભાષામે=ભાષાનો ભેદ; નૈ=નહિ જ; વેરો—d:=ખેદકારક; ચા=થાય.] અનુવાદઃ ભા–રતિને એટલે પ્રતિભા (ભા) અને પ્રીતિ (રતિ)ને વિસ્તારનારી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સમાન આગ્રહવાળી (આદરવાળી) તથા યુક્તિરૂપ મુક્તાફળો (મોતી)ની જન્મભૂમિ એવી છીપ જેવી સુંદર ઉક્તિવાળી અમારી ભારતી એટલે કે વાણી છે. તેથી આ ભાષાનો ભેદ (ગુર્જર ભાષા) (વિદ્વાનોને) ખેદકારક નહિ થાય ! (૨) [૨૭૬Jસૂરગીતનયશક્તિવાહનોવાર :વિનોદત: : ! आत्मबोधधृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ।।३।। [શબ્દાર્થ પૂરની=સૂરજી નામના શ્રાવક, તન=પુત્ર; શાન્તિવા=શાન્તિદાસ હમ્મોરબત:=હૃદયમાં પ્રમોદ થવાને કારણે; વિનોવત:=વિનોદથી; પ્રસન્નતાથી તઃ કર્યો છે; કાત્મિનોધકૃતવિક્રમ =આત્મબોધ અર્થાત્ આત્મજ્ઞાનની શોભાને ધારણ કરનાર શ્રી યશોવિનયવાવ: શ્રી યશોવિજયે વાચા દ્વારા; યમ–આ.] અનુવાદઃ ઉપાધ્યાય (વાચક) શ્રી યશોવિજયજીએ સૂરજીના પુત્ર શાન્તિદાસના હૃદયમાં પ્રમોદ થવાને માટે આત્મબોધની શોભાને ધારણ કરનાર આ ગ્રંથની પ્રસન્નતા (વિનોદ)થી રચના કરી છે. (૩) વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે પોતાના “જ્ઞાનસાર' ગ્રંથ ઉપર પોતે લખેલા ગુજરાતી “બાલાવબોધ'ની સંસ્કૃતમાં લખેલી પ્રશસ્તિમાં કહ્યું છે કે આ બાલાવબોધ નાનું બાળક લાળ ચાટે એવો નીરસ નથી. સાવ નાનું બાળક મોંઢામાંથી લાળ ટપકે તો તે જીભ ફેરવીને ચાટી લેતું હોય છે. એમાં બાળકને રસ પડતો નથી, પણ તે બાળકની એક ટેવ હોય છે. લાળ મોઢામાં હોય તો રસવાળી હોય છે. બહાર નીકળ્યા પછી એમાં નીરસતા હોય છે. તેવી રીતે પોતાનો આ બાલાવબોધ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ४४८ જ્ઞાનસાર એવો નીરસ નથી. ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ ઉપમા આપી છે. એમાં એમનું સૂક્ષ્મ અવલોકન રહ્યું છે. આવી સરસ ઉપમા બીજે ક્યાંય જોવામાં નહિ આવે. ઉપાધ્યાયજી મહારાજે ગ્રંથની પૂર્ણાહુતિ અને બાલાવબોધની પૂર્ણાહુતિ પ્રસંગે આ ગ્રંથ દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાઓ અને તેઓ ઉપશાન્ત થાઓ એવી ભાવના વ્યક્ત કરી છે. આ બાલાવબોધ ગુજરાતીમાં છે. એમના જમાનામાં ગુજરાતી પણ સંસ્કતથી જુદી હોવાને કારણે પ્રાકૃત જેવી જ ગણાતી. ઉપાધ્યાયજી મહારાજનું સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એ ત્રણે ભાષામાં ગ્રંથરચનામાં, કૃતિઓના સર્જનમાં એક સરખું પ્રભુત્વ જોવા મળે છે. આ બાલાવબોધથી ભાષાભેદને કારણે કોઈને અરતિ નહિ થાય એમ તેઓ માને છે. એમણે ભારતી' શબ્દ પ્રયોજીને એમાં શ્લેષ ર્યો બાલાવબોધના અંતે એમણે લખ્યું છે કે પોતે સિદ્ધપુરના વતની શ્રાવક સૂરજીના પુત્ર શાન્તિદાસને સમજાવવા, એના ચિત્તને આનંદ પમાડવા આ બાલાવબોધ લખ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે જવલ્લેજ પોતાના ગ્રંથોમાં કોઈ શ્રાવકનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે આ ઉલ્લેખ ઐતિહાસિક મહત્ત્વનો બની રહે છે. શ્રી જ્ઞાનસાર-અષ્ટક ગ્રંથ સંપૂર્ણ For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ અષ્ટક શ્લોકસૂચિ ४४८ અષ્ટક શ્લોકસૂચી શ્લોક સંખ્યાક આદ્ય પદો અષ્ટક-શ્લોક સંખ્યાક શ્લોક સંખ્યાક આદ્ય પદો અષ્ટક-શ્લોક સંખ્યાક (૧૯૧) (૨૦૩) (૨૧૩) (૧૮૯) (૨૦૮) (૨૦). (૩૧) (૪૨) (૨૫૬). ૨૪-૭ ૨૬-૩ ૨૭–૨ ૨૪-૫ ૨૬-૮ ૨૭–૪ ૩૧-૫ ૩૦-૫ ૧૫–૫ ૧૮-૪ ૩-૭ ૨૯-૭ ૧૭–૪ છે જ ૪–૭ | ૧-૧ અજ્ઞાના ડ હિમહામત્રં.. अतीन्द्रियं परं. અથડઝલન્ડન.. અષ્ટાર્થનુથાવત... થત્યાગવતં... अन्तर्गत महाशल्यस्थै यं... બનારો સુd... નર્જીન ફર્મવૈષમ્ય. અમૂઢતક્ષ્યા:... પૂર્વ પૂર્ણતાનેતિ... અર્વા સર્વપ... મનિસ્તો નિશ્ચયેનાત્મા... અવાસ્તવી વિ .... વિદ્યાતિમિરધ્વરે... સાવર માવર્ત.... સ્ત રે ચીમ... સ્થિરે .. અજ્ઞાના 5 હિમહામત્રં... મદં મતિ કન્ટ્રોડયું... માત્મચેવાત્મ:.. માવોથો નર્વ:... માત્મસાક્ષ.. માત્માSSત્મજ્જૈવ વચ્છેદ્ર... આત્માને વિષયે.... આશ્રોતસિી... આપત્તિજી ત:... રુહી: પ્રથમ... મારુસુનિr... બાલન્ડનમદ... મોતસ્વિતાદિતાય... ડુંછન ન પમાન... ૧૫–૧ ૨૭-૨ ૮-૩ ૯-૨ ૧૭-૬ ૨૭–૩ ૧-૮ ૨૬-૫ ૨૯-૩ (૨૧૨) ફુચ્છ તથા પ્રીતિ:... (૨૪૫) રૂલ્ય ર ટુ:ઉપવા... (૨૩૭) સ્કીનped. (૧૧૭) રૂછપ દિ સ્વ... (૧૪૦) ૩ષ્યત્વદ્રષ્ટિકોષોલ્ય... (૨૩) उदीरयिष्यसि स्वान्तादस्थैर्य... (૨૩૧) 37સન્મનસ:... (૧૩૨) પ બ્રહ્માસ્ત્રમાવાય... (૧) ऐन्द्रश्रीसुखमग्नेन... (૧૧૩). कर्म जीवं च संश्लिष्ट (૨૧૦) ફર્મયોદ્ર તત્ર,... (૫૯) વાતા ને સમલૈવૈ1... (૬૬) ક્રિયવિરહિત દન્ત... (૧૩૪) તમહીસ્ત્રપ્રેન્ય.. (૨૧૧) ૫ નિર્વેઃ... (૮) કૃષ્ણ પક્ષે પરિક્ષીને... (૨૦૫) તેષાં ન નહિ... (૨૨૭) ક્ષમાપુષ્પગં... (૭૦) ક્ષાયોપશમ ભાવે.. (૧૪૩) ક્ષીપં છે..., (૧૫૦) ગાર્શ્વભૂપમવતં... (૪૮) ર્નિદ્રજ્ઞાનાનોgs. (૧૪૭) ગામSSRીમદ્રિ મોદાય... (૬૯) ગુણવ૬માનારે. (૭૧) ગુણવૃદ્ધ તત:. (૧૩૭) ગુદ્ધિ પૂffસ.. (૫૩) ઉરિમૃત્નાં ઘરે... (૬૧) ગુરુત્વે સ્વસ્થ નીતિ... (૯૪) શૈરવં પૌરવન્ધત્વ... (૧૮૫) વર્મવલુકૃત... (૯૯) ચરિત્રમાત્મવરાત્... (૧૬૬) (૮૬) (૩) (૧૧૨). (૧૬૭). (૩૮) (૧૯) (૧૯૧). (૨૫) (૧૧૯). (૧૧૦) (૧૮૩). (૯૮). (૫૨) (૨૪૨) (૨૩૬) (૧૬૫) (૪૩) (૨૧૪) (૧૩૯) (૧૧૮) | in ૩૨-૮ ૧-૬ ૨૧-૩ ૧૧-૬ ૧-૩ ૧૪-૮ ૨૧-૭ ૫-૬ ૩-૩ ૨૪-૭ ૪-૧ ૧૫-૭ ૧૪-૬ ૨૩–૭ ૧૩–૨ ૭–૪ ૩૦-૨ ૩૦-૪ ૨૧–૫ ૬-૩ ૨૭-૬ ૧૮-૩ ૧૫-૬ ૧૮-૭ ૧૯-૬ ૬-૮ ૧૯-૩ ૯-૫ ૯-૭ ૧૮-૧ ૭-૫ ૮-૫ ૧૨-૬ ૨૪–૧ ૧૩-૩ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જ્ઞાનસાર (૨૪) વરä સ્થિરતામત... (૧૯૬) વિજેતર્થ દિને.. (૧૩૬) વિરે પરિપતં... (૧૯) વિન્માત્રીપ... (૯૧) fછતિ જ્ઞાના... ના ર્તિ જ્ઞાનત... (૧૬૩) ગતિવાતુર્યહીનોf... (૨૩૮) નિનેન્દ્રિય... જ્યોતિર્મયીવ ટ્રીપર્ણ... (૮૭) જ્ઞાનક્રિયા સમાવેશ.... (૧૫૮) જ્ઞાનનવન્દ્રા... (૧૮) જ્ઞાનકુવં વિનયેત... (૪૫) જ્ઞાનધ્ધાનતપ:શીત.. (૧૪) સીનમનસ્ય ઉછર્મ.. (૨૪૧) જ્ઞાનમેવ સુથા:... (૬૨) જ્ઞાનાવરો ખા... (૬૫) , જ્ઞાની ક્રિયાપર.. (૧૭૩) જ્ઞાની તા .. (૨૦૪) જ્ઞાન.. (૧૦૧) તથા થતો ને... (૨૪૭) દેવ દિ તા:.. તપ:કૃતાદ્રિના મ7;... (૧૦૭) તરતરતા તક્ષ્મી... (૧૩૫) તૂર્તવત્સથવો કૂદી... (૧૩). તેનોનેવવૃદ્ધિ... (૧૭૪) તૈનપાત્ર રો... (૧૯૮) ત્યવત પુત્રતંત્રસ્ય... (૧૯૭) ત્યારે પરદે સાથો... (૨૨૫) ટુ ડુ મા... (૧૬૧) ટુ પ્રાપ્ય ને... (૧૭૨) ટુદ્ધિમત્સરદ્રોટે.. (૧૧૪) ટેહાત્માથવિવેડ્યું... (૨૩૨) દ્રવ્યપૂગોવિતા... (૨૪૩) ઘનર્થનાં યથા... (૬૦) ધર્માસ્પિંડ્યા:... (૨૪૯) ધવન્તોપ... (૨૩૪) ધ્યાતાઈનરભા... ૩-૮ (૨૩૩) ધ્યાતા ધ્યેય તથા... ૨૫–૪ (૪૪) નિવૃe - યાન... ૧૭-૮ (૧૩૧) લોપ્ય સ્વપ... ૨૫-૭ (૧૯૩) ન પરવર્તિત... ૧૨-૩ (૧૨૩) નપુ સ્વાર્થસત્યg... ૧-૪ (૧૫૬) નવવ્રસુધpus... ૨૧–૩ (૧૫૨) न विकाराय विश्वस्यो.. ૩૦-૬ (૨૦૭) ને સુષુપ્તિમોદવા.. ૧૩-૮ (૨૫૧) ના પ્રમાણં... ૧૧-૭ (૮૨) નાડ૬ પુત્રિમાવાનાં,.. ૨૦–૬ (૨૫૫) નિશ્ચયે વ્યવહારે... ૩–૨ (૧૦૫) નિત્યાત્મિતારવ્યાતિ... ૬-૫ (૧૪૪) નિરપેક્ષાનવચ્છિનાનન્ત... ૨-૬ (૩૦) નિર્મત દિચ્ચેવ... ૩૧-૧ (૩૪) निर्वाणपदमप्येकं, ૮-૬ (૯૨) નિસનીય... ૯-૧ (૫૫) તમામીનેમ... ૨૨-૫ (૧૨) પર બ્રહ્માંડમાં મનસ્ય... ૨૬-૪ (૯૬) પરસ્પૃહા મહદુ:ઉં... ૧૩–૫ (૭) પરર્વત્વતોનાથા... ૩૧-૭ (૨૦૬) પશ્યનું વ્રપ્ટ... ૧૧-૫ (૨૮). पश्यन्नेव परद्रव्यनाटकं... ૧૪-૩ ' (૧૯૪) परिग्रहग्रहावेशाद्... ૧૭–૭ (૧૭૦) પતીના યa.. ૨-૫ (૨૧૮) TITધ્વનિ નિમે... ૨૨-૬ (૭૩). પીવા જ્ઞાનામૃત... ૨૫-૬ (૪૦). પીયૂષસમુદ્રોત્ય.. ૨૫–૫ . (૭૭) પુર્તિ, પુલિસ્તૃપ્તિ... ૨૯-૧ (૫૪). પુર: પુર:.... ૨૧–૧ (૧૮૬) પુર: સ્થિર તનવર્ધ્વથ ... ૨૨-૪ (૨) પૂર્ણતા યા પરોપજે.. ૧૫-૨ (૫) પૂર્યને યેન... ૨૯-૮ (૨૫૦) પૃથ| નયા... ૩૧-૩ (૨૫૪) પ્રશિત નવીની... ૮-૪ (૯) પ્રત્યાહન્દ્રિયભૂદું.. ૩૨–૧ (૨૨૯) p/Tધર્મવોરાર,. ૩૦-૨ (૧૭૭) પ્રતિ: પર્ણ.. ૩૦-૧ ૬-૪ ૧૭–૩ ૨૫-૧ ૧૬-૩ ૨૦-૪ ૧૯-૮ ૨૬-૭ ૩૨-૩ ૧૧-૨ ૩૨-૭ ૧૪-૧ ૧૮-૮ ૪-૬ ૫-૨ ૧૨-૪ ૭-૭ ૨-૪ ૧૨-૮ ૧-૭ ૨૬-૬ ૪-૪ ૨૫-૨ ૨૨-૨ ૨૮-૨ ૧૦-૧ ૫-૮ ૧૦-૫ ૭-૬ ૨૪-૨ ૧-૨ ૧-૫ ૩૨-૨ ૩૨-૬ ૨-૧ ૨૯-૫ ૨૩-૧ (૮૫) For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ અષ્ટક શ્લોકસૂચિ ૪૫૧ (૨૧૫) પ્રતિમક્સિવેવ... (૧૫૩) વદિષ્ટિપ્રવારેy... (૧૪૮) વાદ્ય સુધાસાયટિતા... (૬૮) વાહ્યભાવ પુરસ્કૃત્ય.. (૪૯) વિષિ યદિ સંસારન... (૨૨૩) હથિતિસર્વસ્વ... (૨૨૦) બ્રહ્મયજ્ઞ પર .. (૨૨૪) વૃક્ષાધ્યયનનિષ્ઠાવાનું... (૨૨૨) બ્રાઉનમfપ... (૨૨૬) મશ્રિદ્ધાન... (૧૩૦) મવસૌરચે કિં મૂરિ... (૧૫૧) भस्मना केशलोचेन... (૨૨૧) fમનેÈર્શન... (૯૫) મૂશવ્યા મૈક્ષમશન... (૧૪૬) “મવાટી વરિષ્ટ... (૩૩) મન્નત્યજ્ઞ: જિcલીસાને.. (૨૩૫). મMવિવ... (૨૨૮). મામીત્યા... મધ્યસ્થય રશી... (૭૮) મધુરાજ્યમાશા ગ્રાહ્ય... (૧૨૫) મન: ચદ્ વ્યાપૃર્ત... (૮૭) મચતે યો નવું.. (૧૨૨) मनोवत्सो युक्तिगवी. (૧૩૩) મયૂરી જ્ઞાનત... (૧૧૧) મિથોયુવતીર્થના... (૩૯) મિથ્થાવશૈલાક્ષછિ... (૧૫૭) નિધ્યાત્મવૈતા... (૨૦૦) મૂછંછન્નથિયાં... (૨૪૮) મૂનોત્તરશુખિ .. (૨૦૯). મોક્ષેખ યોનના... (૧૦૦) યત: પ્રવૃત્તિ મૌ... (૨૪૬) વત્ર હ નિના... (૧૭૮) યથા ચિંતામણ... (૧૧૬) યથા યોૌ... (૧૦૨) યથા શસ્ય પુષ્ટવં.. (૩૨) શખ વિસ્તસમસ્તી... (૧૬૯) વસ્ય અમીરમૃથ્વસ્થા... ૨૭–૭ (૧૬) યસ્થ ડ્રષ્ટ... ૨૦-૧ (૧૨૯) યસ્થ નાપ્તિ પર પક્ષા... ૧૯-૪ (૧૦) યસ્ય જ્ઞાનસુધાસિથ... ૯-૪ (૧૯૫) યસ્યહવા... ૭–૧ (૭૫) વા નૈવરસાસ્વાહા... ૨૮-૭ યા સૃષ્ટિવ્રતાનો... ૨૮-૪ (૫૮) યુષ્મા સોડનાર... ૨૮-૮ (૧૬૨) યેષાં પૂમમા2ણ... ૨૮-૬ (૬૩) યોગા સંચાલતી ... ૨૯-૨ (૨૭) યો ને મુહ્યત તનેy... ૧૭–૨ (૨૧૭) : કર્મ યુવાન... ૧૯-૭ (૧૦૬) : પ ત્તત્વમાત્માન... ૨૮-૫ (૧૦૮) : તત્વિ સમતળું.. ૧૨-૭ (૧૬૦) ર સ્ત્રમ: પવિત્ર યા... ૧૯-૨ (૨૩૯) રુદ્ધવાહિમનોવૃત્ત... પ-૧ (૧૪૫) રુપે પવતી... ૩૦-૩ (૧૪૯) નાવથતારીપુર્વે... '૨૯-૪ (૮૪) તપ્તતા જ્ઞાનસંપતિ... ૧૬-૮ (૮૩) તિસ્થત પુતિન્યો. ૧૦-૬ (૧૮૦) તોમાર્થ... ૧૬-૫ (૧૭૯) તો સંજ્ઞામદાના... ૧૩–૧ (૧૮૨) નોસંજ્ઞાતા... ૧૬-૨ (૧૮૪) તો સંશોતિ :... ૧૭-૫ (૨૫૨) તો સર્વનયજ્ઞાનાં... ૧૪-૭ (૭૨) વવોડનુષ્ઠાનતૌડસT... ૫-૭ (૧૭) વત્સ ! %િ વધ્વંતસ્વાન્તો... ૨૦-૫ (૬૪). વસ્તુતતુ શુ.. ૨૫-૮ (૩૬). વાતાંશ પ્રતિવાંશ... ૩૧-૮ (૨૯) વિત્પવર/ભા.. ૨૭–૧ (૪૧) વિત્નવિષયોf:... ૧૩-૪ (૧૨૬) વમના ૫ પ્રસ્થાન... ૩૧-૬ (૫૬) વિદ્વીપદી હૈ... ૨૩–૨ (૭૯) વિષયવિષોર.. ૧૫-૪ (૧૭૫) વિષે વિષJ... ૧૩-૬ (૧૬૪) વિષમ :... ૪-૮ (૧૫૫) વિસ્તારિતવિજ્ઞાન... ૨૨-૧ (૫૦) વૃદ્ધાતૃMIળતાપૂરતવાર્ત.. ( 11111 11111iiiiiiiiiiiiiiiiiiiiiiiiiala ૨-૮ ૧૭-૧ ૨-૨ ૨૫-૩ ૧૦-૩ ૨૦-૭ ૮-૨ ૨૧-૨ ૮-૭ ૪-૩ ૨૮-૧ ૧૪–૨ ૧૪-૫ ૨૦-૮ ૩૦-૭ ૧૯-૧ ૧૯-૫ ૧૧-૪ ૧૧-૩ ૨૩-૪ ૨૩-૩ ૨૩-૬ ૨૩-૮ ૩૨-૪ ૮-૮ ૫-૪ ૪-૫ ૧૬-૬ ૭-૮ ૧૦-૭ ૨૨-૭ ૨૧-૪ ૨૦-૩ ૭-૨ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ જ્ઞાનસાર با (२१८) (२०२) (१५) (४७) (१४१) (१८७) (१८८) (१८२) (१०८) (२६) (१४२) (११५) (१८०) (२५३) (१3८) (१८१) (८८) (२४४) (२०१) (१५४) (५१) (१६८) (२४०) (२१) (१२१) (८०) (१०3) (१२०) (५७) (८०) (८१) (७६) (१७१) (७४) (3७) (34) वेदोक्तत्वान्मनः.... व्यापार सर्वशास्त्राणां... शमशैत्यपुष्पो यस्य... शमसूक्तसुधासिक्तं... शरीररुपलावण्य... शासनात् त्राणशक्तेश्च... शास्त्रे पुरस्कृते... शास्त्रोक्ताचारकर्ता... शुचिन्यप्यशुचीकर्तु... शुद्धात्मद्रव्यमेवाऽहं... शुद्धा: प्रत्यात्मसाम्येन... शुद्धेऽपि व्योम्नि... शुद्धोझ्छाद्यपि... श्रेय: सर्वनयज्ञानां... श्रेयोद्रुमस्य मूलानि... श्रेयोऽर्थिनो हि... सज्ञानं यदनुष्ठान;... सदुप्रायप्रवृत्तानां... सन्ध्येव दिनरात्रिभ्या... समाधिर्नन्दनं... सरित्सहस्रदुष्पूरसमुद्रादरसोदर... साम्यं बिभर्ति... साम्राज्यमप्रतिद्वन्द्र.... स्थिरता वाङमनः कायै... स्थीयतामनुपालम्म... सुखिनो विषयातृप्ता... सुलभं वागनुच्चारं... संयमास्र विवेकेन... संयतात्मा श्रये... संयोजितकरैः के के... संसारे निवसन्... संसारे स्वप्नवन् मिथ्या... स्मरौवग्निर्बलत्यन्त... स्वगुणैरेव... स्वद्रव्यगुणपर्याय... स्वभावलाभसंस्कारणं. २८-3 (८८) स्वभावलाभात किमपि... ૧૨-૧ २६-२ (११) स्वभावसुखमग्नस्य... २-3 २-७ (१२४) स्वस्वकर्मकृतावेशा... ८-१ ६-७ (४६) स्वयंभूरमणस्पर्द्धिव.. १८-५ (२१६) स्थानाद्ययो गिनस्तीर्थो. २७-८ २४-3 (१२७) स्वागमं रागमात्रेण... १६-७ २४-४ (६७) स्वानकुलां क्रिया... 6-3 २४-८ (२30) स्फुरन्मङलदीपं... २५-६ १४-४ (3) स्पृहावन्तो विलोक्यन्ते... ૧૨-૫ ४-२ (१७६) स्थैर्य भवभयादेव.. २२-८ १८-६ (२२) स्थैर्यरत्नप्रदीपश्चेद्... १५-3 २४-६ ઉપસંહારની શ્લોકસૂચી ૩૨-૫ १८-२ (२६४) अचिन्त्या कापि... १-८ २३-५ (२६७) क्रियाशून्यं च... ૧-૧૧ ११-८ (२६५) क्लेशक्षयो हि... १-८ ३१-४ (२६८) चारित्रं विरति... ૧-૧૨ २६-१ (२६) चित्तमाद्रीकृतं... १-७ २०-२ (२६६) ज्ञानपूतां परेडव्याहु... ૧-૧૦ ७-3 (२५८) ध्याता कर्मविपाका... २१-८ (२.६२) निर्विकारं निराबाधं... १-६ 30-८ (२५७) पूर्णो मग्न... १-१ 3-५ (२५८) विद्याविवेकसंपन्नो... १६-१ (२६१) स्पष्टं निष्टङ्कतं... १०-८ (२६०) शुद्धानुभववान्..... १३-७ १५-८ केषाग्चिद्धिषय... ८-१ (२७3) गच्छे श्रीविजयादिदेवसुगुरा... १२-२ (२७१) जातोद्रेकविवेक... ११-१ (२७२) भावस्तोमवपवित्रगोमय... १०-3 (२६८) सिद्धि सिद्धपुरे... २२-3 १०-२ (२७५) आतन्वाना भा... 3-२ ५-५ (२७४) बालालापानवद्... ५-3 (२७६) सूरजतिनयशा न्तिदा... १-3 १-२ । । । । । م 3-१ ه For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ) ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( ) ( . . . | - . - 5 MAISHADH PAINTERS : For Personal & Private Use Only ن ان . . . 1079) 24. . ت تات و . . ر