________________
૨ ૭૧
૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક માટે કાવ્યની દૃષ્ટિએ અહીં માત્ર લૌકિક સરખામણી કરવામાં આવી છે. [૧૫] નિરધ્યાત્મનાશે વિવેવૃષભસ્થિત: ..
શોભતે વિરતિજ્ઞપ્તિ ફરીયુત શિવ: |૨૦ || ૫ | [શબ્દાર્થ મુનિ =મુનિ; અધ્યાત્મવેત્તા=અધ્યાત્મરૂપી કેલાસ પર્વત પર; વિવેવૃષભસ્થત:=વિવેક રૂપી વૃષભ પર બેઠેલા; શોમ7=શોભે છે; વિરતિજ્ઞપ્તિ Iોરીયુત:=વિરતિરૂપી ગંગા અને જ્ઞાનરૂપી ગોરી (પાર્વતી) સહિત, શિવ=મહાદેવ, શંકર.]
અનુવાદ-અધ્યાત્મરૂપી કેલાસ પર્વત પર, વિવેકરૂપી વૃષભ પર બેઠેલા, વિરતિરૂપી ગંગા અને જ્ઞાનરૂપી પાર્વતીની સાથે રહેલા મુનિરૂપી મહાદેવ શોભે છે. (૫).
વિશેષાર્થ : ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા અઢાર હજાર શીલાંગના ધારક એવા મુનિવરોમાં કેટલી બધી સમૃદ્ધિ છે તે સરખામણીથી દર્શાવતાં ગ્રંથકારશ્રી અહીં રૂપકશેલીથી કહે છે કે મુનિ મહારાજ મહાદેવ અર્થાત્ શંકર જેવા છે. મહાદેવનો નિવાસ હિમાચ્છાદિત શીતલ કેલાસ પર્વત ઉપર હોય છે. વૃષભ એટલે કે પોઠિયો એમનું વાહન છે. એમની બે પત્ની છે-ગંગા અને ગોરી એટલે કે પાર્વતી.
આવી જ રીતે મુનિ ભગવંત અધ્યાત્મરૂપી કૈલાસ પર રહે છે. વિવેક એ એમનો વૃષભ છે. સત્ય-અસતું, હેય-ઉપાદેય, શુભ-અશુભ વગેરેમાં સ્વપરના ભેદજ્ઞાન રૂપી વિવેક તેઓ ધરાવે છે. વિવેકરૂપી વૃષભ તેમને ગતિ કરવામાં સહાયરૂપ બને છે.
મહાદેવને ગંગા અને પાર્વતી હોય છે તો મુનિ મહારાજને વિરતિ એટલે કે ચારિત્રની કલારૂપી ગંગા હોય છે અને જ્ઞાતિ એટલે કે જ્ઞાનરૂપી પાર્વતી હોય છે.
હેય અને ઉપાદેયના વિવેક વડે, સ્વપરના ભેદજ્ઞાન વડે, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રની સહાયથી મુનિમહારાજ અધ્યાત્મના શીતલ, શાંત શિખરે, કેલાસ પર્વત ઉપર બિરાજમાન થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org