SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭ ૨ જ્ઞાનસાર આમ, અહીં મુનિ ભગવંત આત્મસ્વરૂપની આરાધના વડે ઘાતી કર્મોનો ક્ષય કરતા જઈ અધ્યાત્મનાં સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન થઈ શકે છે. આ બધી સમૃદ્ધિ તેમના અંતરમાં રહેલી છે. [૧૫] જ્ઞાનવર્શનીન્દ્રનેત્ર નરછિ : I યુવતી રમનસ્ય ચૂિર્વ યોનિનો હરેઃ ૨૦ |૬ | [શબ્દાર્થ જ્ઞાનનવન્દ્રનેત્રચ=જ્ઞાન અને દર્શનરૂપી ચન્દ્ર અને સૂર્ય (અર્ક) જેનાં નેત્ર છે એવા; નરચ્છિદં=નરક ગતિનો નાશ કરનાર (નરકાસુરનો છેદ કરનાર); યુવતી રમનસ્યઃસુખરૂપી સાગરમાં મગ્ન થયેલા ત્રિશું; ચૂનં ઓછું; યોનિ:=યોગીને; દો =હરિ (કૃષ્ણ) કરતાં.] અનુવાદ-જ્ઞાન અને દર્શનરૂપી સૂર્ય અને ચન્દ્ર જેવાં નેત્ર છે અને નરકગતિનો નાશ કરનારા તથા સુખરૂપી સાગરમાં મગ્ન થયેલા યોગીને કૃષ્ણ કરતાં શું ઓછું છે ? (૬) વિશેષાર્થ આ શ્લોકમાં મુનિ મહારાજને એમનો આંતરિક વૈભવ રૂપકશૈલીથી બતાવતાં કહેવામાં આવે છે કે “તમે તો સાક્ષાત્ હરિ એટલે શ્રી વિષ્ણુ અથવા એમના અવતાર શ્રીકૃષ્ણ છો. વસ્તુતઃ એમના કરતાં તમારી પાસે કશું જ ઓછું નથી. છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તમે ચડિયાતા છો.' ચન્દ્ર અને સૂર્ય એ બેને શ્રીકૃષ્ણનાં નેત્ર તરીકે ગણાવવામાં આવે છે, તો તમારી પાસે પણ ચન્દ્ર અને સૂર્યરૂપી નેત્રો છે. તમારી પાસે સામાન્ય બોધરૂપી સમ્યગુદર્શન અને વિશેષ બોધરૂપી સમ્યગૂજ્ઞાન છે. એટલે તમારી પાસે સમ્યગુદર્શનરૂપી ચંદ્ર અને સમ્યગુજ્ઞાનરૂપી સૂર્ય છે. શ્રી ભાગવત પુરાણમાં આવે છે કે શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તો તમે પણ નરકાસુરનો વધ કર્યો છે. નરકાસુર એટલે નરક ગતિ રૂપી અસુર. તમે મહાવ્રતો ધારણ કરી, એવું સરસ સંયમિત, પાપરહિત જીવન જીવો છો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy