________________
૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક
દર્શન અને જ્ઞાન સહિત સમ્યક્રચારિત્રનું પાલન એવું સરસ કરો છો કે તમારે નરક ગતિ હોય જ નહિ. એટલે તમે પણ નરકાસુરનો વધ કર્યો છે તેમ કહેવાય.
વૈષ્ણવોમાં માન્યતા છે કે અષાઢી એકાદશી એટલે દેવપોઢી એકાદશીથી શ્રી વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં શેષનાગની શય્યામાં પોઢે છે. તો મુનિરાજ! તમે પણ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્રની એકતારૂપ સમાધિથી ઉત્પન્ન થયેલા આત્મસુખરૂપી સાગરમાં પોઢો છો. તમારું સુખ અક્ષય અને અનંત છે. [૧૫] યા વૃષ્ટિઢો વાહ્ય વહિપેક્ષાવશ્વિની .
મુને પરાનપેક્ષાડના િતતોથા પા ૨૦ | ૭ || [શબ્દાર્થ : યા=જે; સૃષ્ટિ =સૃષ્ટિ; બ્રાળ:=બ્રહ્માની; વીટ્સ=બાહ્ય જગતરૂપ; વહ્યાપેક્ષાવન્વિની=બાહ્ય કારણોની અપેક્ષા રાખનાર; મુને =મુનિની; પરનપેક્ષા (૫૨+અનપેક્ષા)=પરની અપેક્ષાથી રહિત; બાળવૃષ્ટિ:=અંતરંગ ગુણની સૃષ્ટિ; તત:=તેથી; અધિવા (મધs:)=અધિક.]
અનુવાદ-બ્રહ્માની જે સૃષ્ટિ છે તે બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય અપેક્ષા પર અવલંબેલી છે, પરંતુ મુનિની આંતરિક ગુણસૃષ્ટિ બીજાની અપેક્ષારહિત છે, તેથી અધિક છે. (૭)
વિશેષાર્થ : મુનિરાજની સમૃદ્ધિ બ્રહ્મા કરતાં પણ સવિશેષ છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે.
હિંદુ માન્યતા પ્રમાણે પરમેશ્વરનાં ત્રણ રૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું યોગક્ષેમ સંભાળે છે અને મહેશ (શંકર) પ્રલયકાળે સૃષ્ટિનું વિસર્જન કરે છે. ફરી પાછું એ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું ચક્ર ચાલ્યા જ કરે છે.
બ્રહ્મા પંચ મહાભૂતો વડે સૃષ્ટિનું સર્જન કરે છે. તેમ છતાં સુષ્ટિ આદર્શ સ્વરૂપની થતી નથી. તે સર્વને સર્વકાળે સુખ આપનારી નથી. વળી તે સૃષ્ટિ ગંદકી, ગરીબી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org