________________
૨ ૭૦
જ્ઞાનસાર
મુનિ મહારાજ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરે છે. તે બ્રહ્મજ્ઞાનરૂપ અમૃતના નવ કુંડ છે. શીલની નવ વાડ શાસ્ત્રોમાં નીચે પ્રમાણે આપવામાં આવી છે. તે મુનિ મહારાજ માટે અમૃતના કુંડ છે. ૧. સ્ત્રી, પશુ, નપુંસક વગેરે જ્યાં રહેતાં હોય તે સ્થળમાં રહેવું નહિ. ૨. સ્ત્રી-કથા કરવી નહિ, સ્ત્રીના ચિત્રો, દશ્યો વગેરે જોવાં નહિ.
૩. સ્ત્રીઓ જે સ્થાને બેઠી હોય કે સૂતી હોય તે સ્થાને અમુક કાળ સુધી બેસવું નહિ.
૪. ભીંતની બીજી બાજુએ સ્ત્રી-પુરુષો રહેતાં હોય તો તેમનાં વચનો સાંભળવા નહિ. શક્ય હોય તો તે સ્થાનનો ત્યાગ કરવો.
૫. પૂર્વે સંસારી અવસ્થામાં કામ ભોગો ભોગવ્યા હોય તો તેનું સ્મરણ કરવું નહિ. ૬. શરીરમાં વિકાર થાય એવો પૌષ્ટિક આહાર-વિગઈ વગેરે ન લેવાં. ૭. અતિશય આહાર કરવો નહિ. ઉણોદરી વ્રત રાખવું. ૮. શરીરનો શણગાર કરવો નહિ. ૯. સ્ત્રીઓનાં અંગોપાંગ ધારીધારીને નિહાળવા નહિ. (નવ વાડના આ ક્રમમાં ફેરફાર હોઈ શકે છે. શબ્દોમાં ફેરફાર હોય તો પણ ભાવ નિશ્ચિત છે.)
જે વ્યક્તિ નવ વાડપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરે છે તે વ્યક્તિમાં બ્રહ્મચર્યની બરાબર સ્થિરતા આવે છે.
વળી શેષનાગ જે પૃથ્વીને ધારણ કરે છે તે પૃથ્વીને ક્ષમાના અવતાર તરીકે ઓળખાવવામાં આવે છે. સાધુ મહારાજ ક્ષમાના, સહનશીલતાના અવતાર જેવા હોય છે. એટલે સાધુ મહારાજને પૃથ્વી સાથે અને પૃથ્વીના ધારણ કરનાર નાગેન્દ્ર સાથે સરખાવવામાં આવે છે.
શેષનાગ અને પૃથ્વી ધારણ કરવાની વાત એ લોકમાન્યતા છે. જૈન ધર્મની માન્યતા નથી એ લક્ષમાં રાખવું જોઈએ. બ્રહ્મચર્યની સ્થિરતાની મહત્તા બતાવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org