SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨૬૯ છે. મુનિરાજ ઉપર વૃષ્ટિ કોણ કરે ? આક્રમણ કોણ કરે ? મોહરૂપી મ્લેચ્છ રાજા, ઉત્તરાખંડના યવનો. એમણે પ્રેરેલા મિથ્યાત્વરૂપી દેત્યો, કુવાસનાની, કષાયોની, રાગદ્વેષની ઝેરી વૃષ્ટિ કરે ત્યારે એમાંથી બચવા, એનું નિવારણ કરવા ચક્રવર્તી મુનિ ક્રિયા રૂપી ચર્મરત્ન અને જ્ઞાનરૂપી છત્રરત્ન વિસ્તારે છે કે જેથી પોતાના ઉપર મોહરૂપી મ્લેચ્છની કશી જ અસર ન થાય. આ રીતે મુનિને અવશ્ય ભાવચક્રવર્તી કહી શકાય. [૧૫] નવાસુઘાકુઇનિષ્ઠાથચ્છાયો મુનિ ! नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः ।। २० ।। ४ ।। [શબ્દાર્થ : નવડ્રીં=નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી; સુધીઠું=સુધાકુંડ, અમૃતના કુંડ; નિષ્ઠા=સ્થિતિ; ધિષ્ઠાય:=અધિષ્ઠાયક, સ્વામી; મુનિ =મુનિ, સાધુ; નાતોશવ=નાગલોકના સ્વામીની જેમ, શેષનાગની જેમ; માતિ=શોભે છે; ક્ષમ=ક્ષમાને; રક્ષ =રક્ષણ કરતા; પ્રયત્નતા=પ્રયત્નથી, પુરુષાર્થથી, સામર્થ્યથી.] અનુવાદ-નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપી અમૃતકુંડની સ્થિતિના સ્વામી અને પ્રયત્નથી ક્ષમાને ધારણ કરતા મુનિ નાગલોકના સ્વામી (શેષનાગ)ની જેમ શોભે છે. (૪) વિશેષાર્થ : મુનિ મહારાજની અહીં નાગલોકના સ્વામી શેષનાગની સાથે સરખામણી કરવામાં આવી છે. લોકમાન્યતા પ્રમાણે શેષનાગે સમગ્ર પૃથ્વી પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે. આટલો મોટો ભાર હોવા છતાં તે સ્થિર રહે છે. સ્થિરતા સાથે ઘણો બધો ભાર વહન કરવાની બાબતમાં શેષનાગનો દાખલો અપાય છે. (વળી એવી માન્યતા છે કે તે છીક ખાય, બગાસું ખાય કે ખાંસી ખાય ત્યારે પૃથ્વીમાં ધરતીકંપ થાય છે.) આ શેષનાગ નવ અમૃતકુંડનો સ્વામી મનાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy