________________
૨૬૮
જ્ઞાનસાર
નથી.
તમારી પાસે જ્ઞાનરૂપી મોટું વિમાન છે. ઇન્દ્રના વિમાન કરતાં એ વધુ આનંદદાયક છે.
આમ, મુનિરાજ ! તમે ઇન્દ્રથી પણ અધિક સુખ ભોગવો છો. [૫૫] વિસ્તારિતક્રિયાજ્ઞાનવર્મછત્રો નિવારવન્ !
મોહમ્લેચ્છમહાવૃષ્ટિ વક્રવર્તીિ મુિનિ || ૨૦ | રૂ II [શબ્દાર્થ ઃ વિતરિત વિસ્તારેલા છે જેણે; ક્રિયાજ્ઞાન ક્રિયા અને જ્ઞાનરૂપી; વર્મચ્છત્ર =ચર્મરત્ન અને છત્રરત્ન; નિવાર–નિવારતા; મોહમ્લેચ્છ =મોહરૂપી પ્લેચ્છ; મહાવૃષ્ટિ મહાવૃષ્ટિને; વિશ્વવર્તી ચક્રવર્તી; ન નથી; વિં=શું; મુનિ =સાધુ, મુનિ
અનુવાદ-ક્રિયારૂપી ચર્મરત્ન અને જ્ઞાનરૂપી છત્રરત્ન વિસ્તારને મોહરૂપી પ્લેચ્છની મહાવૃષ્ટિને નિવારતા મુનિ શું ચક્રવર્તી નથી ? (૩) વિશેષાર્થ મુનિરાજને અહીં ચક્રવર્તી તરીકે બતાવ્યા છે. પૃથ્વીના છએ ખંડ ઉપર જેમની આણ પ્રવર્તતી હોય એવા ચક્રવર્તીની પાસે તો કોઈ વસ્તુની કમી ન હોય. જગતની શ્રેષ્ઠ વસ્તુઓ તેમને મળતી હોય અથવા તેમને માટે આવતી હોય છે. ચક્રવર્તીની પાસે ચૌદ રત્નો હોય છે. આ ચોદ રત્નોમાં એક ચર્મરત્ન હોય છે અને એક છત્રરત્ન હોય છે. જળનો જ્યારે ઉપદ્રવ થાય એટલે કે મહાવૃષ્ટિ થાય અને ચારે બાજુ પૂર આવે ત્યારે પોતાનું અને પોતાની સેનાનું રક્ષણ કરવા માટે ચક્રવર્તી ચર્મરત્ન અને છત્રરત્નનો ઉપયોગ કરે છે. નીચે પાણી ચાલ્યું જતું હોય તો એના ઉપર ચર્મરત્ન બિછાવવાથી પોતે ડૂબતા કે ભીંજાતા નથી. જહાજની જેમ એ કામ આપે છે. ઉપરથી જે વૃષ્ટિ થતી હોય એનાથી બચવા માટે તેઓ છત્રરત્ન વિસ્તારે છે. આમ ગમે તેવી ભયંકર વૃષ્ટિ થતી હોય તો પણ ચક્રવર્તી અને પ્રજાજનો, સેના વગેરે સલામત રહી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org