SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક ૨ ૬૭. સુખ શ્રીમંતો ભોગવે છે. પરંતુ શ્રીમંતો કરતાં દેવો ઘણું સુખ માણે છે અને તેમાં પણ દેવોના દેવ ઇન્દ્ર જે સુખ ભેગવે છે તે તો આપણી કલ્પનામાં પણ ન આવે. એવા સુખની સ્પૃહા થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ બધું સુખ ભૌતિક છે, નાશવંત છે. ઉપાધ્યાયજી મહારાજ મુનિરાજને કહે છે કે એક અપેક્ષાએ તમે પણ ઇના જેવું સુખ ભોગવો છો. વસ્તુતઃ ઇન્દ્રના સુખ કરતાં પણ તમારું સુખ ચડિયાતું ઇન્દ્ર મહારાજાના સુખની કેટલીક મહત્વની વાતો આ પ્રમાણે છે: ૧. ઇન્દ્ર મહારાજા નંદનવનમાં હરેફરે છે. નંદનવન ક્યારેય સૂકાતું કે કરમાતું નથી. તેનાં વૃક્ષ વનરાજિ, પુષ્પવાટિકાઓ વગેરે નયનરમ્ય છે. ત્યાંનો સુગંધી વાયુ મનને ભરી દે છે, થાક ઉતારી નાખે છે. ૨. ઇન્દ્ર મહારાજા પાસે મજબૂત શસ્ત્ર છે વજ. એના વડે તેઓ મોટા મોટા પર્વતોને પણ તોડી નાખી શકે છે. વજની તાકાત આગળ કોઈનું કશું ચાલે નહિ. ૩. ઇન્દ્ર મહારાજાને દેવીઓમાં જે શ્રેષ્ઠ હોય એવી દેવી ઇન્દ્રાણી તરીકે પ્રાપ્ત થાય છે. ઇન્દ્ર-ઇન્દ્રાણી-પતિપત્ની અનેક પ્રકારનું સુખ ભોગવે છે. ૪. ઇન્દ્ર મહારાજાને રહેવા માટે મોટા રાજા-મહારાજાના મહેલો કરતાં મોટો આવાસ હોય છે જેને વિમાન કહેવામાં આવે છે. પરંતુ ઇન્દ્ર મહારાજાના આ સુખ કરતાં ચડિયાતું સુખ, હે મુનિ! તમારી પાસે છે. તમારી પાસે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયરૂપ સમાધિ છે. એ તમારું નંદનવન છે. એ સમાધિ દેવોના નંદનવન કરતાં ઘણી શ્રેષ્ઠ છે. તમારી પાસે પરિષદો અને ઉપસર્ગો સહન કરવા માટે જે તાકાત છે એ તાકાત આગળ વજની તાકાત કશી વિસાતમાં નથી. તમારી પાસે સમતારૂપી શચી (ઇન્દ્રાણી) છે. એ ઇન્દ્રાણી ઇન્દ્રની ઇન્દ્રાણી કરતાં શ્રેષ્ઠ છે. ઇન્દ્રને તો ઇન્દ્રાણીને મનાવવી પડે છે. તમારે એવી કોઈ સમસ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy