________________
૨ ૬ ૬
જ્ઞાનસાર
વળી એ આત્મામાં જ રહેલી હોવાથી તે મેળવવા માટે બહારની કોઈ દોડાદોડી હોતી નથી. એ સંપત્તિ સ્વાધીન અને સુરક્ષિત હોય છે. કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી અને કોઈ એ ઉઠાવી જાય કે ચોરી જાય તે શક્ય નથી.
અલબત્ત, એવું નથી કે દીક્ષા લીધી એટલે બીજા દિવસે બધી આંતરિક સમૃદ્ધિ ખોળામાં આવીને પડે. જીવ બહિર્મુખ છે અને એને બહિર્મુખ રહેવાનાં નિમિત્તો, પ્રલોભનો, માની લીધેલાં કારણો ઘણાં હોય છે. એમાંથી પોતાની જાતને બહાર કાઢવાની છે. બાહ્યદૃષ્ટિ એક ઝાટકે અને તેમ ન બને તો ક્રમે ક્રમે બંધ કરવામાં આવે તો જ, એકાંત આરાધનામાં એ સંપત્તિનાં દર્શન થશે. એ માટે શ્રદ્ધા, ખંત અને ધીરજ જોઈશે. એક વખત એ સંપત્તિનાં સાચાં દર્શન થયાં તો પછી બહારની દુનિયા પ્રત્યે આસક્તિભરી દૃષ્ટિ નહિ જાય અને કર્તવ્યરૂપે બહિર્મુખ થવું પડે ત્યારે એટલી જ નિર્લેપતા રહ્યા કરશે. [૧૫] સમથર્નન્દને શૈર્ય મોનિઃ સમતા શરી: .
જ્ઞાનં મહાવિમાનં વાસવથીરિયં મુને || ૨૦ || ૨ | [શબ્દાર્થ સમાધિ =સમાધિરૂપી; નન્દનં નંદન વન; ધેર્ય=ઘેર્યરૂપી; વોતિ:=વજ; સમતા=સમતારૂપી, સમભાવરૂપી; રવી:=ઇન્દ્રાણી; જ્ઞાનં=જ્ઞાનરૂપી, સ્વરૂપના અવબોધરૂપી; મહાવિમાન=મોટું વિમાન; =અને વાસવશ્રી:=ઇન્દ્રની લક્ષ્મી યં આ; મુને =મુનિને.]
અનુવાદ–સમાધિરૂપી નંદનવન, વૈર્યરૂપી વજૂ, સમતારૂપી ઇન્દ્રાણી અને જ્ઞાનરૂપી મોટું વિમાન-ઇન્દ્રની આ લક્ષ્મી મુનિને હોય છે. (૨) વિશેષાર્થ : સામાન્ય માણસો કરતાં શ્રીમંતો વધુ બાહ્ય ભૌતિક સુખ અનુભવે છે. ખાવાપીવું, રહેવું કરવું, હરવું ફરવું વગેરે ઘણી બાબતોમાં સુખસગવડ અને મનોરંજનના સાધનો નીકળ્યાં છે. દુનિયાની થોડીક પંચતારક હોટેલોની મુલાકાતથી આનો ખ્યાલ આવશે. ગરીબ માણસની કલ્પનામાં ન આવે એવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org