________________
૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક
૨ ૬૫
૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક [૧૫૩] વહ્યિદૃષ્ટિપ્રયાપુ મુદ્રિતેષ મહાત્મા
સારેવાવમાસને મુદ: સર્વા: સમૃદ્ધયઃ || ૨૦ || ૨ | [શબ્દાર્થ વહિષ્ટિપ્રવારે=બાહ્યદષ્ટિના પ્રચારમાં, બાહ્ય પ્રવૃત્તિમાં; મુદ્રિતેષુ બંધ કરવાથી, રોકવાથી; મહાત્મને: મહાત્માઓને; અન્તરે ત્ર=અંતરમાં જ; નવમાસને=ભાસે છે; ટા:=સ્કુટ, સ્પષ્ટ; સર્વો:=સર્વ; સમૃદય: સમૃદ્ધિઓ.]
અનુવાદ–બાહ્ય પ્રવૃત્તિ બંધ કરવાથી મહાત્માને અંતરમાં જ સર્વ સમૃદ્ધિઓ પ્રગટ ભાસે છે. (૧)
વિશેષાર્થ : જેઓ દીક્ષા લઈ પંચ મહાવ્રત ધારણ કરે છે. તેઓના જીવનમાં એક નવું પ્રસ્થાન શરૂ થાય છે. જીવનમાં એક નવો વળાંક આવે છે. વસ્તુનું મૂલ્ય કરવાની એમની દૃષ્ટિ બદલાઈ જાય છે. હવે સોના જેવી કિંમતી ધાતુ એમને કથીર જેવી લાગે છે અને હીરામોતી તે માત્ર કાંકરા લાગે છે. હવે એમનો માપદંડ બદલાઈ ગયો છે. હવે ગૃહસ્થોનું એક સામાયિક એમને લાખ રૂપિયાનું કે તેથી પણ વધુ મોંઘું લાગે છે. શ્રેણિક મહારાજાએ પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદવાનો વિચાર કર્યો હતો. જો ગૃહસ્થોની સાધના આટલી મૂલ્યવાન હોય તો મુનિ મહાત્માઓની સાધનાનું મૂલ્ય કેટલું હોય ?
આત્મામાં અનંત ગુણો છે અને એક એક ગુણનું મૂલ્ય અપાર છે. બહિર્દષ્ટિ અટકે તો અંદરનો ખજાનો દેખાય છે. બાહ્યદૃષ્ટિના પ્રચારો એટલે કે પોગલિક જડ વસ્તુના આકર્ષણો ઘટી જાય ત્યારે આંતર્ચક્ષુ ખૂલે છે. ત્યારે જ અંદરની સંપત્તિનાં સ્પષ્ટ દર્શન થાય છે. એ સંપત્તિ અનંત, અખંડ અને શાશ્વત હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org