________________
૨૬૪
જ્ઞાનસાર
અનુકંપાનો ભાવ ધરાવે છે. કોઈ શક્તિમાન, સંપત્તિવાન, ઐશ્વર્યવાન માણસ પોતાનાં શક્તિસામર્થ્ય માટે અતિશય ગર્વ કરતો હોય તો તત્ત્વદૃષ્ટિવાળાઓને એના પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર થતો નથી. તેમના અંતરમાંથી સતત કરુણારૂપી અમૃતની વૃષ્ટિ થયા કરે છે. એવા તત્ત્વદૃષ્ટિ આત્માઓ પોતે તરે છે અને બીજાને તારે છે. “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ
समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया ।
सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया ।। [સમુદ્ર સમાન ગંભીર, દુષ્ટ બુદ્ધિથી કોઈ તેમનો પરાભવ ન કરી શકે તેવા, પરિષહથી ત્રાસ ન પામે તેવા, કોઈથી વાદમાં પરાભવ ન પામે એવા, વિશાલ શ્રુતથી પરિપૂર્ણ, દરેકનું રક્ષણ કરનાર, બહુશ્રુત મુનિઓ કર્મનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામ્યા છે.]
આવું તત્ત્વદૃષ્ટિપણે માત્ર શાસ્ત્રાભ્યાસથી પ્રાપ્ત નથી થતું, પણ સાથે એમને સિદ્ધાન્તબોધ પરિણમ્યો હોય છે. માટે જ મુમુક્ષુ જીવોને માટે તેઓ એક પૂછવાનું સ્થાન ગણાય છે. કહ્યું છે :
भहं बहुसुयाणं बहुजणसंदेह पुच्छजिणाणं । [ઘણા માણસોને સંદેહ પૂછવા યોગ્ય જે છે એવા બહુશ્રુતોનું કલ્યાણ થાઓ !] આમ, સમગ્ર સંસાર ઉપર તત્ત્વદષ્ટિવાળા મહાત્માઓનો ઉપકાર ઘણો મોટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org