________________
૧૬૮
વાર માણસના મનના ભાવો એક પ્રકારના હોય છે અને એના ઉચ્ચારાતા શબ્દો બીજા પ્રકારના હોય છે. એમાં વિસંગતિ અને માયાચાર પણ હોય છે. અંતરમાં ધિક્કા૨ અને ‘મુખે તો જી જી કરેજી' એવી સ્થિતિ પણ હોય છે. આ બધું કોને કરવું પડે છે ? જેના હૃદયમાં સ્પૃહા પડેલી હોય છે, જેને કશુંક મેળવવું છે તેઓને આવાં નાટકો કરવાં પડે છે. પોતાનાથી વધુ શ્રીમંત, વધુ લાગવગવાળી, વધુ સત્તાધારી, વ્યક્તિ આગળ માણસ નમતો રહે છે અને કંઈક મહેરબાની મેળવવાની આશામાં ભટકતો રહે છે.
જ્ઞાનસાર
જેઓ નિઃસ્પૃહ છે તેઓ ક્યારેય દીનતાપૂર્વકનાં કે ખુશામતનાં અતિશયતાયુક્ત વચનો ઉચ્ચારતા નથી. જેઓને કોઈની પાસેથી કશુંય જોઈતું નથી તેઓને એવાં વચનો ઉચ્ચારવાની જરૂર પણ શી ? જેઓ જ્ઞાની છે, જગતના સ્વરૂપને સમજે છે અને જેમણે આત્મરમણતાનો અનુભવ લીધો છે તેઓને આખું વિશ્વ તણખલા જેવું ભાસે છે. ૫૨-પદાર્થ એટલે પુદ્ગલની દુનિયા. જેઓએ અવિનશ્વર આત્મવૈભવ જોયો છે અને એ વિશે જાણે છે તેઓ વિનશ્વર એવા પુદ્ગલ પદાર્થોને તુચ્છ, નિરર્થક, નિરુપયોગી અને આત્મ સાધનામાં અંતરાયરૂપ લાગે તેમાં નવાઈ શી ?
મુનિઓ ત્યાગી, સ્પૃહારહિત હોવા જોઈએ. ક્યારેક મુનિને બીજી કોઈ વસ્તુ ન જોઈતી હોય તો પણ પોતાના જીવનનિર્વાહ માટેનાં ઉપકરણોની જરૂર પડે છે. તે સારામાં સારાં હોવા જોઈએ એવો ભાવ પણ મુનિને ન થવો જોઈએ. અને એ માટે ગૃહસ્થોને રાજી કરવાના પ્રયાસો પણ ન થવા જોઈએ. મુનિએ સહજ રીતે જ પોતાનો વ્યવહાર રાખવો જોઈએ. કહ્યું છેઃ
आयसहावविलासी आयविसुद्धो वि जो निए धम्मे । नरसुरविसयविलासं तुच्छं निःसार मन्नंति ।।
[આત્મસ્વભાવના વિલાસી એવા જે વિશુદ્ધ આત્મા પોતાના ધર્મમાં રહેલા છે તેઓ મનુષ્યના અને દેવોના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org