________________
૧૨. નિઃસ્પૃહાષ્ટક
[૧]છિતિ જ્ઞાનાત્રે પૃહવિષ«તાં વુધા: |
मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ।। १२ ।। ३ ।। [શબ્દાર્થ છ—=છેદે છે; જ્ઞાનવાગે=જ્ઞાનરૂપી દાતરડા વડે; પૃવિષ«તાં સ્પૃહારૂપી વિષલતાને; વુધા:=જ્ઞાનીઓ; મુલશોષ=મુખનું સુકાવું, મોઢે શોષ પડવો; =અને; મૂચ્છ =મૂચ્છ =અને; વૈર્ચ=દેન્ય, દીનતા શ્રેષ્ઠન્તિ=આપે છે યજ્ઞ=જે ફળ]
અનુવાદ-જે મુખશોષ, મૂચ્છ અને દીનતા જેવાં ફળ આપે છે એ સ્પૃહારૂપી વિષલતાને જ્ઞાનીઓ જ્ઞાનરૂપી દાતરડા વડે છેદી નાખે છે. (૩)
વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સ્પૃહાને માટે વિષલતાનું રૂપક પ્રયોજ્યું છે. પ્રથમ દૃષ્ટિએ કોઈને લાગે કે મનની ઇચ્છા માટે ઝેરની વેલડીનું રૂપક કેમ પ્રયોજી શકાય ? પણ સૂક્ષ્મતાથી વિચારતાં આ રૂપકની યથાર્થતા સમજાશે.
જેઓ ગૃહજીવનનો ત્યાગ કરીને મુનિ થયા છે અને જેઓ હવે અધ્યાત્મના માર્ગે ઉત્કર્ષ સાધવા ઇચ્છે છે તેઓએ પ્રશસ્ત સ્પૃહા અને અપ્રશસ્ત સ્પૃહા વચ્ચેનો ભેદ સમજીને લક્ષમાં રાખવો જોઈએ. અપ્રશસ્ત સ્પૃહાઓ સાધકજીવન માટે વિષમય છે તે સમજવું જોઇએ.
સ્પૃહારૂપી વિષવેલડીનાં ફળ તરીકે મુખશોખ, મૂચ્છ અને દીનતાને અહીં બતાવ્યાં છે. આ ત્રણનો તો અહીં માત્ર નિર્દેશ છે, પણ બીજાં પણ કટુ ફળ હોય છે. માણસ જ્યારે માગવાનો વિચાર કરે છે ત્યારે જો તે કંઈક સમજુ અને સભાન હોય તો એને સંકોચ થાય છે. “માગવું અને મરવું બરાબર’ એવી કહેવત અમસ્તી નથી પડી. માગનાર માગતી વખતે જ્યારે અસ્વસ્થ (નર્વસ) થઈ જાય છે ત્યારે કુદરતી રીતે એનું મોટું સુકાય છે. વળી એના ચહેરા પર અને એની વાણીમાં દીનતાનો ભાવ છવાઈ જાય છે. તે ગરીબડાં વચન ઉચ્ચારે છે. ક્યારેક પોતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org