________________
૧૭૦
જ્ઞાનસાર
ઇચ્છા ન સંતોષાય તો માણસને એટલું બધું માઠું લાગી જાય છે કે તે આપઘાત કરવા પ્રેરાય છે. ચોરી કે વ્યભિચાર કરતાં પકડાયા હોય, પોતાના ઉપર બળાત્કાર થયો હોય અથવા પ્રેમમાં કે પરીક્ષામાં નિષ્ફળ થયા હોય એવાઓએ આપઘાત કર્યો હોય એવા કિસ્સા વારંવાર બને છે. આમ સ્પૃહાને વિષવેલડી તરીકે ઓળખાવવામાં પૂરેપૂરું ઔચિત્ય રહેલું છે. આવી વિષવેલ જ્યાં ઊગતી હોય ત્યાં તેને મૂળમાંથી કાપી નાખવી જોઇએ. મુનિ ભગવંતો પોતાના જ્ઞાનરૂપી દાતરડા વડે આવી વેલને એક ઝાટકે કાપી નાખે છે. [૨] નિષ્ઠાનીયા વિતુષા સ્પૃહા વિરગૃહાત્ વહિં ___अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या ।। १२ ।। ४ ।। [શબ્દાર્થ નિષ્ણાનીયા=બહાર કાઢી મૂકવા યોગ્ય, વિપુષા=વિદ્વાને; મૃદ્દ=સ્પૃહા, ઇચ્છા, લાલસા, વિરકૃત્રિચિત્તરૂપી ઘરમાંથી; દિ=બહાર; મનાત્મ=આત્માથી ભિન્ન, આત્મા નહિ તે અર્થાતુ પુદગલ; રતિવાષ્ફીની રતિરૂપ ચાંડાલી, ચંડાલણી; સં=સંગ; મીરોતિ અંગીકાર કરે છે; યા=જે.]
અનુવાદ-જે અનાત્મ (પુદ્ગલ)ની રતિરૂપ ચાંડાલણીનો સંગ સ્વીકારે છે તે સ્પૃહાને જ્ઞાનીએ ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવા યોગ્ય છે. (૪) વિશેષાર્થ સ્પૃહા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં ઘરની સ્ત્રીનું રૂપક પ્રયોજ્યું છે. ઘરની સ્ત્રી ખોટી ખરાબ સોબતે ચડી ગઈ હોય અને સુધરવાનું નામ ન લેતી હોય તો એવી સ્ત્રીથી ઘરનું વાતાવરણ બગડે છે અને વખત જતાં ઘરના બીજા સભ્યો પણ બગડે છે. એવી સ્ત્રીને તો ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ કે જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે.
સ્પૃહા કોની સંગતિ કરે છે ? અનાત્મરતિરૂપી ચાંડાલિનીની. અનાત્મ એટલે જે આત્મા અર્થાત્ ચેતન નહિ તે. અનાત્મ એટલે જડ અથવા પુદ્ગલ. અનાત્મરતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org