SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૭૧ એટલે પુદગલમાં જ રસ લેવાની પ્રવૃત્તિ, અનાત્મરતિ એટલે પરપદાર્થમાં, પરભાવમાં, વિભાવમાં આનંદ લેવાની ક્રિયા. અનાત્મરતિ આત્મરતિની વૈરિણી અનાત્મરતિ ચાંડાલિની છે. ચાંડાલિની એટલે હલકામાં હલકી જાતિની સ્ત્રી. એની સોબતથી બીજા લોકો બગડે છે. સ્પૃહાએ આ ચાંડાલિનીનો સંગ કરવા માંડ્યો છે. બંનેને એકબીજા વગર ચાલતું નથી. માટે સાધકે ચેતી જવા જેવું છે. ઘરનું વાતાવરણ વધુ ન બગડે માટે સાધકે સ્પૃહાને ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ. આત્મરતિ તે ઘરની મુખ્ય સ્ત્રી છે, તે ઘરની શોભારૂપ છે. જો અનાત્મરતિ ઘરમાં વારંવાર આવવા લાગી તો આત્મરતિની અવદશા બેસે. માટે અનાત્મરતિને ઘરમાં આવતી અટકાવવી જોઇએ. એમ કરવું હોય તો એને ઘરમાં બોલાવનાર સ્પૃહાને દાબમાં રાખવી જોઇશે. જો સ્પૃહા દાબમાં રહેતી જ ન હોય તો છેવટના ઉપાય તરીકે એને ઘરની બહાર મૂકી આવવી જોઇએ, કારણ કે ચારગતિરૂપ સંસારમાં રખડાવનાર સ્પૃહા છે. કહ્યું છેઃ जे परभावे रत्ता मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा भमंति चउगइमहारने ।। જિઓ પરભાવમાં અનુરક્ત છે અને બહુ પાપવાળા વિષયોમાં મત્ત છે તથા આશારૂપી પાસ (જાળ)માં સારી પેઠે બંધાયેલા છે તેઓ ચારગતિરૂપ મોટા અરણ્યમાં ભમે છે.] જીવને અનાદિ કાળથી જડ પદાર્થોનું આકર્ષણ રહ્યા કર્યું છે. એથી જ સંસારમાં એ રખડ્યા કરે છે. એણે મુક્તિ તરફ પ્રયાણ કર્યું નથી. એ કરવું હોય તો જીવને અનાત્મરતિ સાથેની સ્પૃહાની સોબત છોડાવીને આત્મરતિ સાથે સોબત કરાવવી જોઈએ. એક વખત આત્મરતિ સાથે સ્પૃહાની સંગત થાય તો તે ઉપકારક બને છે. પછી એવી સ્પૃહા હેય નહિ પણ ઉપાદેય બને છે. આત્મરતિ માટે તપ, જપ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy