SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૨ જ્ઞાનસાર જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ, પ્રભુભક્તિ ઇત્યાદિની સ્પૃહા ઉપાદેય છે. અલબત્ત જેમ જેમ આત્મવિકાસ સધાતો જાય છે તેમ તેમ આ ઉપાદેય સ્પૃહા પણ છૂટતી જાય છે. ઊંચી અધ્યાત્મદશામાં તો કોઇ પણ પ્રકારની ઇચ્છા રહેતી નથી. માત્ર સાક્ષીભાવ જ રહ્યા કરે છે. [3] स्पृहावन्तो विलोक्यन्ते लधवस्तृणतूलवत् । __महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ ।। १२ ।। ५ ।। [શબ્દાર્થઃ મૃદાવત:=સ્પૃહાવાળા; વિવેચત્તે દેખાય છે; નવ:=લઘુ, હલકા; તૃM=તણખલું; તૂતવ=આકડાના રૂ જેવા; મા=મોટું; માશર્ય=આશ્ચર્ય છે; તથાઇfv=Zથાપ=તો પણ; તે તેઓ; મm=ડૂબી જાય છે; નવવરિથી સંસારરૂપી સમુદ્રમાં.]. અનુવાદ–સ્પૃહાવાળા જીવો તણખલું અને (આકડાના) રૂની જેમ હલકા દેખાય છે, તો પણ તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે એ મોટું આશ્ચર્ય છે. (૫) વિશેષાર્થ : ઉપાધ્યાજી મહારાજે આ શ્લોકમાં વિરોધાભાસ અલંકારનો સરસ ઉપયોગ કર્યો છે. સમાજમાં કેટલાક માણસો હલકા ગણાય છે. એમની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી. બધેથી એમને જાકારો મળે છે. જે યાચક છે, માગનાર છે, ભિખારી છે તે હલકો ગણાય છે. જરૂરિયાતમંદ માણસ માગે તો તે હજુ સહ્ય લેખાય છે, પરંતુ જરૂર હોય કે ન હોય, કેટલાકનો સ્વભાવ જ માગવાનો હોય છે. એવા હીનસત્ત્વ વાચકો સમાજમાં તુચ્છ ગણાય છે. તેઓને તણખલાની તોલે અથવા આકડાના રૂની તોલે ગણવામાં આવે છે. તણખલાની કે આકડાના રૂની કશી કિંમત નથી. કચરા તરીકે તે ગણાય છે. પરંતુ આવી હલકી વસ્તુઓમાં એક ગુણ છે. પાણીમાં એ ઉપર તરે છે. તે ડૂબી નથી જતી. યાચક તો એના કરતાં પણ હલકો છે. તેમ છતાં તે ભવરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, કારણ કે માગેલી વસ્તુઓથી તે ભારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy