________________
૧૨. નિઃસ્પૃહાષ્ટક
૧ ૭૩
થઈ જાય છે. એક સુભાષિતમાં આવા યાચકની મજાક કરતાં કહ્યું છેઃ
तूलं तृणादपि लघु तूलादपि हि याचकः ।
वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयिष्यति ।। [તણખલાથી આકડાનું રૂ હલકું છે, પરંતુ યાચક તો આકડાના રૂથી પણ હલકો છે. આમ છતાં વાયુ (તણખલા કે રૂની જેમ) એને ઊંચકી જતો નથી, કારણ કે વાયુને ભય છે કે યાચક એની પાસે પણ કશુંક માગશે.]
પવનનો ઝપાટો આવે ત્યારે તણખલાં ઊંચે ઊડે છે, પરંતુ એથી પણ હલકાં એવાં આકડાના રૂને તો વાયુ વધુ ઊંચે લઈ જાય છે. આમ વાયુ હલકાને ઊંચે ખેંચી જાય છે. પરંતુ યાચક તો આકડાના રૂ કરતાં પણ હલકો છે. છતાં વાયુ એને ઊંચે નથી લઈ જતો, કારણ કે એને બીક રહે છે કે રખે ને યાચક એની પાસે કંઈક માગશે.
મહાત્માઓનું લઘુપણું એમને ભવસાગરમાંથી તારવાનું કામ કરે છે, પરંતુ યાચકનું લઘુપણું એને સંસારસાગરમાં ડૂબાડવાનું કામ કરે છે. મહાત્માઓ પણ જો પોતાનું સૂક્ષ્મ ગૌરવવંતું લઘુપણું છોડીને સ્પૃહાકાંક્ષી બનીને પૂલ, તુચ્છ યાચક બની જાય તો તેઓનું ગૌરવ ખંડિત થઈ જાય છે. તેઓ સાંસારિક પ્રલોભનોની લપસણી ભૂમિમાં લપસી પડે છે. આષાઢાભૂતિ, સિંહગુફાવાસી મુનિ વગેરેના પતનનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં જાણીતાં છે. [४] गौरवं पौरवन्द्यत्वात् प्रकृष्टत्वंप्रतिष्ठया । - કાતિ નાતિગુપI સ્વસ્થ પ્રાકુડુનનિ:સ્પૃહ પારાદ્દા [શબ્દાર્થ ગૌરવંકગૌરવને, મોટાઈને; પૌરવચૈત્વ=નગરવાસી લોકોને વંદન કરવા યોગ્ય હોવાથી, પ્રષ્ટવં=પ્રકૃષ્ટપણાને, ઉત્તમપણાને; પ્રતિષ્ઠા=પ્રતિષ્ઠા વડે; રડ્યાતિં=ખ્યાતિને, પ્રસિદ્ધિને, નાતિકુળા=જાતિગુણથી; સ્વસ્થ=પોતાના;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org