SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૬૭ પોતાના સાધનના પરિણામથી પ્રાપ્ત ભેદજ્ઞાન, સવિકલ્પ ચારિત્ર, શુકલધ્યાન અને શેલેશીકરણ વગેરેમાં નિઃસ્પૃહ કહેવાય છેપ્રથમના ચાર નય નિસ્પૃહતાના સાધન માટે છે અને છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ નિઃસ્પૃહતા સિદ્ધ છે. પરભાવમાં રમનાર જીવોની સુખ માટેની તૃષ્ણા અનાદિ કાળથી ચાલી આવે છે. એ પરદ્રવ્યની સ્પૃહા શાન્ત થવાની નથી. પરંતુ પારદ્રવ્ય વિશે ઇચ્છારહિત થઈને આસવોનો ત્યાગ કરીને, સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ઐશ્વર્ય વડે મુનિ સર્વકર્મનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાના અવ્યાબાધ, અક્ષય, અનંત સુખને પામી શકે છે. [eo] સંયોગિતરે તે પ્રાર્થને પૃહાવહૈ. માત્રાનપાત્રસ્થ નિ:સ્પૃહસ્થ તૃપ નન્ II ૨૨ / ૨ . [શબ્દાર્થ સંયોનિત =જેના હાથ જોડેલા છે એના વડે; તે =કોણ કોણ; પ્રાથ્યૉ=પ્રાર્થના કરાય છે; ન=નથી; પૃદાવહૈ =સ્પૃહાવાળા માણસો દ્વારા; માત્ર અમર્યાદિત; જ્ઞાનપત્રણ્ય જ્ઞાનના પાત્ર; નિ:સ્પૃહ નિસ્પૃહ (મુનિ)ને; તૃબં–તૃણવત્, તણખલા જેવું; ના=જગત, દુનિયા.] અનુવાદસ્પૃહાવાળા માણસો બે હાથ જોડીને કોની કોની પાસે યાચના કરતા નથી ? અસીમ જ્ઞાનના સ્વામી એવા નિ:સ્પૃહ મુનિને તો જગત તણખલા જેવું લાગે છે. (૨) વિશેષાર્થ : માણસ બીજાની પાસે જ્યારે કંઈક માગે છે, તે માટે કરગરે છે ત્યારે કુદરતી રીતે એના બે હાથ જોડાઈ જાય છે. “તમારી આગળ હું તુચ્છ છું, દીન છું. લાચાર છું.” એવો ભાવ માગણી કરનાર મનુષ્યમાં રહેલો હોય છે. કૂતરાને પણ કંઈ ખાવું હોય છે તો પૂંછડી પટપટાવે છે. દીનતાની સાથે સામી વ્યક્તિની પ્રશંસાનો, વધુ પડતી ખુશામતનો ભાવ આવે છે. આવે વખતે કેટલીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy