________________
જ્ઞાનસાર
જ એ કારણ છે. મોહનીય કર્મનો જ એ પ્રબળ પ્રભાવ છે.
જ્યારે માણસને સમજાય છે કે દેહથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે અને એની સાધના એ જ સાચી સાધના છે ત્યારે એ પુરુષાર્થ કરવા પ્રેરાય છે. બધાનો પુરુષાર્થ એકસરખો હોતો નથી અને એકસરખો સફળ થતો નથી, કારણ કે અનાદિ કાળથી વળગેલી સંજ્ઞાઓ જુદી જુદી રીતે કામ કરે છે.
જીવને સમજાવું જોઈએ કે ભૌતિક ઐશ્વર્ય, લૌકિક સિદ્ધિઓ, યશકીર્તિની કામનાઓ ઇત્યાદિ બધું વિનશ્વર છે, નાશવંત છે. આ જીવે પોતે ભવ-ભવાન્તરમાં અનંત વાર આ બધું ભોગવ્યું છે અને છતાં ક્યારેય પોતે ધરાયો નથી. આ ઐશ્વર્ય સનાતન નથી, ક્ષણિક છે. એનો કાળ આવતાં એ નષ્ટ થઈ જશે. એની પ્રાપ્તિનો આનંદ અલ્પકાલીન છે. સાચું સનાતન સુખ તે આત્મ સ્વભાવની પ્રાપ્તિનું
અહીં મુનિની વાત કરવામાં આવી છે. જેમણે ગૃહત્યાગ કરી મુનિપણું સ્વીકાર્યું છે તેઓને હવે ભૌતિક ઐશ્વર્યની કોઈ સ્પૃહા ન રહેવી જોઈએ. એટલું જ નહિ એનો મહિમા પણ મનમાં ન હોવો જોઈએ. અમારા કરતાં ગૃહસ્થો લાડી, વાડી, ગાડીનું કેવું સરસ સુખ ભોગવે છે' –એવો વિચાર મનમાં ઊગે કે તરત મુનિનું ભાવમુનિપણું ચાલ્યું જાય છે. પુદ્ગલાનંદી સ્વભાવ એ મુનિનું લક્ષણ નથી. સાચું મુનિપણું સ્વીકારનાર ભવાભિનંદી બની ન શકે. એનું લક્ષ્ય તો મુક્તિનું, સિદ્ધાવસ્થાનું જ હોય. એમાં જ લોકોત્તર સુખ રહેલું છે. એટલે સાચા મુનિઓ સદા નિઃસ્પૃહ હોવા જોઈએ.
શ્રી દેવચંદ્રજી મહારાજે આ અષ્ટકનું વિવેચન કરતાં જુદા જુદા નયથી નિઃસ્પૃહતાને ઘટાવી છે. તેઓ લખે છે, નગમ નયથી જીવ અને અજીવમાં નિઃસ્પૃહ, સંગ્રહનયથી અને વ્યવહારનયથી અજીવમાં નિઃસ્પૃહ, ઋજુસૂત્રનયથી પોતાને ભોગવવા યોગ્ય પદાર્થોમાં નિઃસ્પૃહ, શબ્દનયથી અને સમભિરૂઢનયથી શુભ નિમિત્તોને પરાધીન એવા સાધનના પરિણામોમાં નિઃસ્પૃહ અને એવંભૂતનયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org