SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. નિઃસ્પૃહાષ્ટક ૧૬ ૫ ૧૨. નિઃસ્પૃહાષ્ટક [८८] स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । રૂત્યાઐશ્વર્યસંપન્નો નિ:સ્પૃહો નાતે મુનઃ | ૨ | ૨ || [શબ્દાર્થ સ્વભાવનામાઆત્મસ્વભાવની પ્રાપ્તિથી, વિપકબીજું કંઈ પણ; પ્રાપ્તચૅ=પ્રાપ્ત કરવા યોગ્ય; ન=નથી; મશષ્યતે–બાકી રહેતું; તિ=એમ; મામૈશ્વર્યસંપન્ન:=આત્માના ઐશ્વર્યથી યુક્ત; નિસ્પૃદુઃ=નિઃસ્પૃહ; સ્પૃહા રહિત; ઇચ્છા વિનાનો; નાતે= થાય છે; મુનિ:=મુનિ, સાધુ અનુવાદ-આત્માના સ્વભાવ સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એ રીતે આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ નિ:સ્પૃહ થાય છે. (૧) વિશેષાર્થ : નિઃસ્પૃહતા વિશેના અષ્ટકના આ પ્રથમ શ્લોકમાં જ ઉપાધ્યાયજી મહારાજે સમગ્ર આધ્યાત્મિક સાધનાનો નિચોડ આપી દીધો છે. તેઓ કહે છે કે મોક્ષમાર્ગના યાત્રીઓ માટે “સ્વભાવ'ના લાભ સિવાય બીજું કશું જ પ્રાપ્ત કરવા જેવું નથી. મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને જ્યાં સુધી જીવ પોતાના શરીરને શણગારવા અને સશક્ત રાખવા માટે પ્રયત્નો કરે છે, સ્વજનો અને પરિવારનો આનંદ મેળવવા ઝંખે છે, ઘર, મિલકત, વાડી ગાડી ઇત્યાદિનો વૈભવ માણવા ઝંખે છે, સ્વાદિષ્ટ ભોજનની મિજબાનીઓમાં મહાલવા ઇચ્છે છે, મોટાઈ, માનસન્માન અને યશકીર્તિની અભિલાષા સેવે છે ત્યાં સુધી આ બધાંથી ભિન્ન એવા આત્મતત્ત્વ તરફ, સ્વરૂપ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં એને રસ નથી પડવાનો. અરે, એ વિશે એને કશી જાણકારી પણ નથી હોતી. અનાદિ મિથ્યાત્વના ગાઢ અંધકારનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy