________________
૧ ૬૪
જ્ઞાનસાર
નથી એવા શુદ્ધ જ્ઞાનમય સ્વભાવવાળા તે ભગવંતને નમસ્કાર હો! (૮)
વિશેષાર્થ : અનુષ્ઠાન એટલે વિધિપૂર્વક કરાતી ક્રિયા. આ ક્રિયા જ્ઞાન સહિત હોવી જોઇએ. જો તે જ્ઞાન સહિત ન હોય તો તેમાં દોષો પ્રવેશવાનો સંભવ રહે છે. વળી તેનું તેટલું ફળ મળે નહિ.
સાધક જે અનુષ્ઠાન કરે છે તેનું પ્રયોજન તેના મનમાં સ્પષ્ટ હોવું જોઇએ. તેના ફળ વિશે પણ તેને સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. ક્રિયાનું સ્વરૂપ તેનું વિધિવિધાન ઇત્યાદિની યોગ્ય માહિતી તેની પાસે હોવી જોઈએ. આ તો અનુષ્ઠાન વિશેના જ્ઞાનની વાત થઈ. પણ તે ઉપરાંત સદનુષ્ઠાન, સમ્યગુજ્ઞાન અર્થાત્ મોક્ષમાર્ગનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. સામાન્ય અનુષ્ઠાનમાં રાગદ્વેષ, અહંકાર, માયામમતાના દોષો જાણતા-અજાણતાં સાધકના ચિત્તમાં પ્રવેશી જવાનો સંભવ છે. એટલે સદનુષ્ઠાન પણ સમ્યગુજ્ઞાનપૂર્વકનું હોય તો જ તે દોષોથી લેપાય નહિ. એ અનુષ્ઠાન કરતી વખતના ભાવો કષાયરહિત હોવા જોઈએ કે જેથી તે કર્મબંધનું કારણ બને નહિ.
શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બેનો જેમના જીવનમાં સમન્વય થયો છે એવા શુદ્ધબુદ્ધ યોગી મહાત્માઓને અહીં નમસ્કાર કરવામાં આવ્યો છે. તેઓ સંસારમાં રહેલા હોવા છતાં, દેહાદિના ધર્મો બજાવતા હોવા છતાં રાગદ્વેષથી પર, નિર્લેપ રહે છે અને અખંડ જ્ઞાનમય, આનંદમય, અવિનાશી એવા આત્મસ્વરૂપની તેઓ સાધના કરે છે. એવા આત્મજ્ઞાની ભગવંતોને નમસ્કાર થાઓ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org