________________
૧૧. નિર્લેપાષ્ટક
૧ ૬ ૩
જાય છે. સાતમાં અને ઉપરના ગુણસ્થાનકે ધ્યાનની દશામાં જ્ઞાનની મુખ્યતા હોય છે. જ્ઞાનદૃષ્ટિ અને ક્રિયાદૃષ્ટિ બંને સાથે ઊઘડતાં, જ્ઞાન અને ક્રિયા બંનેનો સમાવેશ અર્થાત્ એકીભાવ હોય છે. ભગવતી સૂત્રની ટીકા'માં કહ્યું છેઃ
जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह ।
इक्केण विणा तित्थं छिज्जइ अनेण उ तच्चं ।। [જો તું જિનમતનો સ્વીકાર કરે, તો વ્યવહાર અને નિશ્ચય એ બંનેને છોડતો નહિ, કારણ કે એક વિના વ્યવહાર વિના) તીર્થનો ઉચ્છેદ થાય અને અન્ય વિના (નિશ્ચય વિના) તત્ત્વનો (સત્યનો) નાશ થાય.] આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ
नाणं पगासगं, सोहगो तवो, संजमो उ गुत्तिकरो।
तिण्हं पि समाओगे मुक्खो जिणसासणे भणिओ ।। [જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ ગુપ્તિકર (રક્ષણ કરનાર) છે. આ ત્રણેના સમાયોગથી મોક્ષ છે એમ જિનશાસનમાં કહ્યું છે.]
શ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું છે, એકાન્ત જ્ઞાનની રુચિવાળો સમ્યગ્દષ્ટિ નથી. પરંતુ સાપેક્ષ સમાવેશ એટલે બંનેનો સંયોગ સાધનરૂપે નિર્ધારવા યોગ્ય છે. [૮] જ્ઞાન યવનુષ્ઠાનં ર લિપ્ત રોષપદ્વત: |
शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः ११ ।। ८ ।। [શબ્દાર્થઃ સજ્ઞાનં=જ્ઞાન સહિત; યવનુષ્ઠાનં=જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન હોય; ત્તિતં=ન લેપાયેલું; ટોપd:=દો જરૂપ કાદવથી, કચરાથી; શુદ્ધબુદ્ધસ્વભાવાય શુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવવાળા; તમૈ=0; માવતે=ભગવંતને; નમ:=નમસ્કાર હો !]
અનુવાદ-જ્ઞાનસહિત જેનું (ક્રિયારૂપ) અનુષ્ઠાન દોષરૂપ કાદવથી લેપાયેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org