________________
૧ ૬ ૨
રસાનસાર
વિભાવદશાથી મુક્ત બનવાનો પુરુષાર્થ આદરે છે. તે સ્વભાવદશામાં રમવા લાગે છે. હવે તે જ્ઞાનયોગી બને છે.
આમ ક્રિયાયોગી અને જ્ઞાનયોગી બંને પોતપોતાની ભૂમિકા પ્રમાણે યોગ્ય છે. પરંતુ આરંભદશાનો કોઈ સાધક ક્રિયાનો અનાદર કરે તો તે ઉપરના ગુણસ્થાનકે પહોંચી શકતો નથી. [૮૭] જ્ઞાનક્રિયસમાવેશઃ સવોનીને દૂયો: ..
ભૂમિકામે તર્વત્ર મુક્યતા II ૨૨ ૭ . [શબ્દાર્થ જ્ઞાનક્રિયસમાવેશ =જ્ઞાન અને ક્રિયાનો સમાવેશ છે. અર્થાત્ બને એકરૂપ છે. સત્ર=સાથે; ૩ી ને=ઊઘડતાં; દ્રયો:=બંને દૃષ્ટિ; ભૂમિમેવત:=ભૂમિકાના ભેદથી, ગુણસ્થાનકરૂપ અવસ્થાના ભેદથી; તુ=પણ, અને મંત્ર=અહીંજ્ઞાનક્રિયામાં; મહોય; મુક્યતા=એક એકનું મુખ્યપણું.]
અનુવાદ–બંને દૃષ્ટિ સાથે ઊઘડતાં જ્ઞાન અને ક્રિયાની એકતા છે અને (જ્ઞાનક્રિયામાં) ભૂમિકાના (ગુણસ્થાનરૂપ અવસ્થાના) ભેદથી એક એકનું મુખ્યપણું હોય છે. (૭)
વિશેષાર્થ ? જ્ઞાન અને ક્રિયા એ બંને મોક્ષમાર્ગરૂપી રથનાં બે ચક્ર છે. વ્યવહારજીવન લઈએ અથવા ધર્મજીવન લઈએ–બંનેમાં જ્ઞાન અને ક્રિયા સાથે રહેવાં જોઈએ. સાંસારિક જીવનવિકાસમાં અને આત્મશુદ્ધિમાં જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. આરંભના કાળમાં ક્રિયાનું પ્રાધાન્ય હોય છે ત્યારે યકિંચિત જ્ઞાન તો હોય જ છે. આમ ભૂમિકા ભેદ પ્રમાણે એક અથવા બીજાની મુખ્યતા રહે છે.
ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી ક્રિયાની મુખ્યતા હોય છે, પરંતુ તેમાં પણ જ્ઞાનની સાપેક્ષતા ન હોય તો સાધક ક્રિયાજડ બની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org