SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧ ૬ ૧ નયથી; માત્મા=જીવ; નિત =કર્મથી બંધાયેલો છે; =અને; વ્યવહારત:= વ્યવહાર નયથી; શુદ્ધતિ–શુદ્ધ થાય છે; નિત=અલિપ્ત (દષ્ટિ) વડે; જ્ઞાની=જ્ઞાની, જ્ઞાનવાળો; યિાવા=ક્રિયાવાળો; સિદ્ધયાશા=લિપ્ત દૃષ્ટિથી.] અનુવાદ-નિશ્ચયનયથી આત્મા કર્મથી લેપાયેલો નથી; વ્યવહારનયથી લેપાયેલો છે. જ્ઞાની (જ્ઞાનયોગી) અલિપ્ત દષ્ટિએ શુદ્ધ થાય છે. દિયાવાન લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે. (૬) વિશેષાર્થ: આધ્યાત્મિક વિકાસમાં બધા જીવો એકસરખી કક્ષાના કે એકસરખી દશાના નથી હોતા. વળી આત્માની શુદ્ધિ માટે નિશ્ચયનય અને વ્યવહારનય બંનેનો મત જુદો જુદો છે, તેમ છતાં બંને કે બેમાંથી કોઈ એક ખોટો છે એમ નહિ કહી શકાય. શુદ્ધ નિશ્ચયનયના મતે આત્મા અલિપ્ત છે એટલે કે કર્મથી લેપાયેલો અથવા બંધાયેલો નથી. વળી આ નય માને છે કે આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોકતા પણ નથી. વ્યવહારનય કહે છે કે આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોકતા છે. આત્મા લિપ્ત કર્મથી લેપાયેલો એટલે કે કર્મથી બંધાયેલો છે અને કર્મક્ષય કરતાં કરતાં તે વિશુદ્ધ થાય છે. અહીં જ્ઞાનયોગી અને કર્મયોગી એ બંને પ્રકારના સાધકો આત્મશુદ્ધિ કેવી રીતે કરે છે તે બતાવ્યું છે. પ્રારંભ દશાના સાધકને પોતાનાં શુભાશુભ કર્મોનો ખ્યાલ હોય છે. તે પોતાના આત્માને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ કરે છે. તે વિનય-વૈયાવચ્ચ, તપશ્ચર્યા, સ્વાધ્યાય ઇત્યાદિ ક્રિયા વડે કર્મો ખપાવી વિશુદ્ધ બનવા પ્રયત્ન કરે છે. આવી ક્રિયા કરનાર સાધક ક્રિયાયોગી છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે ચડતાં સાધકની નિશ્ચય દૃષ્ટિ ઊઘડે છે. તેને લાગે છે કે પોતાનો આત્મા અલિપ્ત છે એટલે કર્મથી બંધાયેલો નથી. તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન છે. તે કર્મનો કર્તા નથી અને ભોકતા પણ નથી. હવે તે પોતાના જ્ઞાનના બળથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy