SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જ્ઞાનસાર ચાલવા લાગે છે અને ક્યારેક તપશ્ચર્યા ન કરનારની અવહેલના કરનારાં વચન બોલાય છે. આવું જ શ્રુતાભ્યાસની બાબતમાં પણ થાય છે. શ્રુતજ્ઞાનીના માન-સન્માન થાય છે અને એ એમને ગમવા લાગે છે. વસ્તુતઃ તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ દ્વારા આત્મવિકાસ અને મોક્ષપ્રાપ્તિ માટેની અભિરુચિ વધવી જોઈએ. તેવી ભાવના દઢ થવી જોઈએ. જેઓ તપ વગરે બાહ્ય ક્રિયાઓ કરીને અટકી જાય છે તેમના જીવનમાં અંતરંગ પરિણતિ થતી નથી. પછી તેઓ આત્મશ્લાઘાદિમાં પડી જાય છે. પરિણામે તેઓ કર્મથી લેવાય છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે એના કરતાં તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ ન કરવાં એ સારું. વસ્તુતઃ એમ માનનાર પણ કર્મથી લેપાય છે. સાધકે શ્રુતજ્ઞાનના યથાર્થ બોધથી ભાવનાજ્ઞાન સુધી પહોંચવાનું છે. એ માટે પોતાના ચિત્તને ભાવિત કરવાનું છે. આવા ભાવનાજ્ઞાનવાળા સાધકથી તપશ્ચર્યા વગેરે બાહ્ય ક્રિયાઓ ન થતી હોય તો પણ તે લપાતો નથી, એટલે કે તેને તેવાં કર્મબંધ થતાં નથી. આવશ્યકાદિ ક્રિયાઓ કર્મબંધ અટકાવવા માટે છે. એટલે જે સાધક કષાયરહિતપણે એ ક્રિયાઓ કરતો હોય તે તો લપાતો નથી, પણ જે જ્ઞાની મહાત્મા હોય પણ ક્રિયારહિત હોય તે પણ લેખાતા નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે ભાવનાજ્ઞાન ધરાવનારને ક્રિયા માટે આદર નથી કે તે કરવા માટે તેમને પ્રમાદ હોય છે. પરંતુ તેઓ હવે એવી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા છે કે શરીરની અશક્તિ કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે બાહ્ય ક્રિયાઓ તેમનાથી ન થાય તો પણ તેમની અંતરંગ પરિણતિ એવી ઊંચી હોય છે કે તેમને કર્મબંધ થતો નથી. નિષ્ક્રિય હોવા છતાં તેઓ લપાતા નથી. [८६] अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुद्ध्यत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तयाशा ।। ११ ।। ६ ।। [શબ્દાર્થ અનિ:=કર્મથી નહિ લેપાયેલો, નહિ બંધાયેલો; નિશયેન=નિશ્ચય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy