SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. નિર્લેપાષ્ટક ૧૫૯ આવશ્યક ક્રિયાઓ એવી છે કે એમાં ચિત્ત પરોવાયેલું રહે છે એટલે વિષયકષાય તરફ તે દોડી જતું નથી. વળી તે પ્રમાદી બની જતું નથી. ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો જ્યાં સુધી ચિત્ત પ્રમાદમાં જોડાયેલું હોય ત્યાં સુધી ધર્મધ્યાનમાં સ્થિર થઈ શકાતું નથી. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી પ્રમાદોનું જોર હોય છે ત્યાં સુધી નિર્લેપતામાં સ્થિર થઈ શકાતું નથી. એવી નિર્લેપ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી ધ્યાનનું આલંબન લેવામાં આવે તો તે ફળ આપતું નથી. પહેલાં આવશ્યકાદિ ક્રિયાઓથી વિષયકષાયના દોષોને દૂર કરવા જોઈએ. નિર્લેપત્તાનમાં મગ્નતા એ સામાન્ય મુનિઓ માટે શક્ય નથી. સાતમા ગુણસ્થાનકનો જેઓ સ્પર્શ કરે છે એમને માટે એ છે. [૮૫] તપશુતાતિના મત્ત: ક્રિયાવાન નિતે . भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।। ११ ।। ५ ।। [શબ્દાર્થ તપશ્રુતાવિના–તપ અને શ્રુતજ્ઞાન વગેરેથી; મ =મર, મદવાળો, અભિમાનવાળો; યિાવાનપિ=ક્રિયાવાન હોય તો પણ; તિષ્યતે લેપાય છે; ભાવનાજ્ઞાન=ભાવનાજ્ઞાન, તત્ત્વજ્ઞાન સંપન્ન પરિપૂર્ણ; નિષ્ક્રિય =ક્રિયારહિત હોય; પતો પણ; ન=નથી; સિંધ્યતે–પાતો.] અનુવાદ–તપ અને શ્રુતજ્ઞાનના અભિમાનવાળો દિયાવાન હોય તો પણ લેપાય છે. ભાવનાજ્ઞાન વડે પરિપૂર્ણ હોય તે ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી. (૫) વિશેષાર્થ: તપશ્ચર્યા અને શ્રુતાભ્યાસ એ સાધક મુનિ ભગવંતના જીવનના આવશ્યક કાર્યો મનાય છે. અધ્યાત્મવિકાસનાં એ મહત્ત્વનાં સોપાન છે. પરંતુ તપશ્ચર્યા અને શ્રુતાભ્યાસ એ બંનેનું એક મોટું ભયસ્થાન તે એમાંથી ઉદ્ભવતો અહંકાર છે, મદ છે. જેમ તપશ્ચર્યા વધતી જાય તેમ સાધકને એમ લાગે કે પોતે જેવી તપશ્ચર્યા કરે છે એવી કોઈ કરતું નથી, કરી શકતું નથી. પછી આત્મશ્લાઘા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy