________________
૧૫૮
જ્ઞાનસાર
વિશેષાર્થ લિપ્તતા એટલે લેપાવું, ચોંટવું. લિપ્તતાજ્ઞાન એટલે આત્મા કર્મથી લેપાય છે, કર્મથી બંધાય છે એવું જ્ઞાન. કર્મથી બંધાવું એટલે આત્માની વિભાવદશા. સંપાત એટલે આવી પડવું, આગમન થવું. પ્રતિઘાત એટલે નાશ થવો અથવા અટકાવવું. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વિનના નિવારણ માટે ક્રિયાઓ આવશ્યક છે, ઉપકારક છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા કદાપિ પુગલોના સંસર્ગથી લપાતો નથી. આત્મા સ્ફટિક જેવો નિર્મળ છે અને પુદ્ગલોથી અલિપ્ત છે.
કોઈ યોગી મહાત્મા નિર્લેપ જ્ઞાનમાં મગ્ન હોય, એટલે કે “હું નિર્લેપ છું” એવી જ્ઞાનધારામાં આરૂઢ થયા હોય ત્યારે એમની વંદન, પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, ઇત્યાદિ પ્રકારની આવશ્યક ક્રિયાઓ સ્વાભાવિક રીતે છૂટી જાય છે. વળી આવી ઉચ્ચ દશામાં આવશ્યક ક્રિયાઓનું પ્રયોજન રહેતું નથી. પરંતુ આવા ધ્યાનયોગીઓની જ્યારે ધ્યાન દશા પૂરી થાય છે એટલે કે ધ્યાનદશાથી તેઓ નિવૃત્ત થાય છે અને વ્યુત્થાનદશા પ્રાપ્ત થાય છે ત્યારે તેઓએ આવશ્યકાદિ ક્રિયાઓ કરવી જોઈએ. એ કરવામાં આવે તો નિર્લેપજ્ઞાનથી વિપરીત એવું લિપ્તતાજ્ઞાન આવતું અટકી જાય છે.
જે મુનિઓ નિર્લેપજ્ઞાનમાં મગ્ન નથી એટલે કે એવી ધ્યાનધારા પર આરૂઢ થયા નથી તેઓ તો સમજે છે કે પોતે કર્મોથી લેવાયેલા છે. એ લિપ્તતાને દૂર કરવા માટે તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ કરે છે. જેઓ નિર્લેપજ્ઞાનથી ધ્યાનધારામાં વધુ સમય ટકી શકે છે તેમને તેટલો સમય આવશ્યકાદિ ક્રિયાઓ કરવાની હોતી નથી. પરંતુ વ્યુત્થાન પછી જો તેઓ આવશ્યક ક્રિયાઓ ન કરે તો તે ફાજલ સમયમાં વાતોમાં કે તેવી પ્રવૃત્તિઓમાં પડી જવાનો સંભવ રહે છે, એટલે કે તેમનાથી વિભાવદશામાં આવી જવાય છે. એમ ન થાય એટલા માટે પણ આવશ્યકાદિ ક્રિયાઓ વ્યુત્થાનકાળમાં ઉપયોગી છે. જિનભક્તિ, વંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ નિર્લેપભાવનું પોષણ કરનારી નીવડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org