________________
૧૧. નિર્લેપાષ્ટક
૧૫૭
અહીં સાધકને ભલામણ કરવામાં આવી છે કે પુદ્ગલોથી હું લપાતો નથી, હું તો શુદ્ધ આત્મા છું' એવું ધ્યાન ધરવાથી આત્મા લપાતો નથી એટલે કે કર્મોથી બંધાતો નથી. અલબત્ત, આ ભલામણથી એમ ન માની લેવું કે થોડીક વાર ધ્યાનમાં બેસી ગયા અને “હું પુદ્ગલથી લપાતો નથી.” એવું મનમાં રટણ કરવા લાગી ગયા એટલે તરત કર્મો બંધાતાં બંધ થઈ જશે. એ માટે દીર્ધકાળના ધ્યાનાભ્યાસની જરૂર છે અને ધ્યાન માટેની પૂર્વ તૈયારીની પણ આવશ્યકતા છે, કારણ કે “આ મારું ઘર છે', “આ મારો પુત્ર છે”, “આ મારી દુકાન છે', આજે રસોઈ સરસ બની છે”, “ક્યાંકથી દુર્ગધ આવે છે,” “આ મારો શિષ્ય છે', “આ મારો ગ્રંથ છે' ઇત્યાદિ પ્રકારનાં વાક્યો સર્વ સ્થળે સર્વ કાળે સાંભળવા મળે છે. એ બતાવે છે કે જીવને પુદ્ગલ સાથેનો સંબંધ સતત રહ્યા કરે છે અને હૃદયમાં તેવા પ્રકારના ભાવો પણ થયા કરે છે. એટલે દીર્ઘકાળના તેવા પુદ્ગલાભ્યાસને તોડીને ધ્યાન વડે પોતાની જાતને પુદ્ગલથી અલિપ્ત અનુભવી શકાય છે. [८४] लिप्तताज्ञानसंपातप्रतिघाताय केवलम् ।
निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ।। ११ ।। ४ ।। [શબ્દાર્થ નિતતાજ્ઞાન=લિપ્તપણાનું (આત્મા કર્મથી લેપાય છે, આત્મા કર્મબદ્ધ છે એવું) જ્ઞાન; સંપાત આગમન; પ્રતિપાતી =રોકવા માટે વેત—કેવળ, નિર્નપજ્ઞાન=નિર્લેપપણાનું જ્ઞાન, આત્મા નિર્લેપ છે એવું જ્ઞાન; મનસ્ય=એમાં મગ્ન થયેલાને; યિા=ક્રિયા, આવશ્યકાદિ ક્રિયાઓ; સર્વા=સર્વ બધી; ૩પયુજ્યતે–ઉપયોગી થાય છે.]
અનુવાદ-“આત્મા નિર્લેપ છે'—એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ “આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તજ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે. (૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org