________________
૧૫૬
જ્ઞાનસાર
નથી. “જેમ અંજન વડે વિચિત્ર આકાશ' (લેપાતું નથી, તેમ ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. (૩)
વિશેષાર્થ ? જીવ (આત્મા), પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલનો સંયોગ-સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. ચૌદ રાજલોકમાં–લોકાકાશમાં–કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ ભરેલાં છે. જીવ જ્યારે વિભાવ દશામાં આવીને જે રાગાદિ ભાવો કરે છે એટલે કે શુભાશુભ કર્મો બાંધે છે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ તેના આત્મપ્રદેશોને વળગે છે. આ રીતે પ્રત્યેક સંસારી જીવનું કાર્મણ નામનું અત્યંતર શરીર હોય છે. એમાં જૂનાં કેટલાંક કર્મો ખરી પડે છે અને નવાં કર્મ બંધાય છે. એમાં પુદ્ગલની પુદ્ગલ સાથેની ક્રિયા હોય છે. પૂર્વનાં કાર્મિક પુગલસ્કંધો સાથે બીજાં નવાં પુગલો મળવાથી એટલે કે સંક્રમાદિ ઉપચયની ક્રિયા થવાથી પુદ્ગલસ્કંધો લેપાય છે. આત્મા લપાતો નથી. વસ્તુતઃ જીવનું કાર્પણ શરીર પુદ્ગલરૂપ જ છે. એ સાથે આત્મા સંલગ્ન થાય છે, પરંતુ આત્મા અને પુગલનો સંબંધ સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ, એકરૂપ થઈ જવાનો સંબંધ નથી. પુગલ પરમાણુઓ આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાડે નીરક્ષીરની જેમ રહેલા હોવા છતાં આત્મા પુગલરૂપ બનતો નથી. કે પુગલો આત્મારૂપ બનતાં નથી. શરીરમાં આત્મા અને પુગલોનો સંબંધ ઔપચારિક છે, તાત્ત્વિક નથી.
અહીં આકાશ અને રંગોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આકાશ સ્વચ્છ, નિર્મલ છે. તે ક્યારેય રંગાતું નથી. કોઈ આકાશને ક્યારેય રંગ ચોપડી શકે નહિ. આમ છતાં આકાશમાં વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે, વાદળાંઓ હોય ત્યારે કે ઇન્દ્રધનુષ્ય હોય ત્યારે આકાશ વિવિધ રંગો ધારણ કરે છે, પણ એ રંગો આકાશના પોતાના નથી. આકાશ ક્યારેય રંગાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org