________________
અમદાવાદના શ્રેષ્ઠી ધનજી સૂરાએ અને શ્રી સંઘે વિનંતી કરી હતી કે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે. પરંતુ વિજયદેવસૂરિ થોડા સમયમાં કાળધર્મ પામ્યા અને ગચ્છનો ભાર શ્રી વિજયપ્રભસૂરિને માથે આવ્યો હતો. ત્યાર પછી સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં લઈ તથા શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જોઈ વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું જાહેર કર્યું. તે પ્રમાણે વિ. સં. ૧૭૧૮માં શ્રી યશોવિજયજીને મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ દિવસોમાં આચાર્યની પદવી ઘણુંખરું ગચ્છાધિપતિની રહેતી. બીજાઓને વલ્લેજ અપાતી. ઉપાધ્યાયની પદવી અપાય તે પણ ઘણી મોટી વાત હતી. પરંતુ આચાર્યના પદને પાત્ર, ભાવાચાર્ય એવા શ્રી યશોવિજયજીએ પોતાને મળેલી ઉપાધ્યાયની પદવીને એવી દીપાવી કે ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ એવી લોકોક્તિ થઈ ગઈ. ત્યારથી વર્તમાન સમય સુધી “ઉપાધ્યાય' શબ્દ એમને માટે માત્ર પદવીરૂપ ન રહેતાં નામના પર્યાયરૂપ બની ગયો છે. આજે પણ “ઉપાધ્યાયજી મહારાજ' એમ કહીએ તો તે શ્રી યશોવિજયજીને માટે જ છે એમ પ્રચલિત બની ગયું છે. ખંભાતમાં પંડિતોનો પરાજય
એક દંતકથા પ્રમાણે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી અપાઈ તે પછી તેઓ પોતાના ગુરુમહારાજ અને શિષ્યો સાથે ખંભાત પધાર્યા હતા. એ વખતે ખંભાતમાં કેટલાક હિન્દુ પંડિતોનું જોર બહુ હતું. ખંભાત આવીને થોડો વખત શ્રી યશોવિજયજી પોતાના લેખનમાં અને સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા હતા. એટલે વ્યાખ્યાન આપવાનું કામ બીજા એક યુવાન સાધુમહારાજને સોંપવામાં આવ્યું હતું. પેલા પંડિતો વ્યાખ્યાનમાં આવી વચ્ચે વચ્ચે ભાષા, વ્યાકરણ, સિદ્ધાંત વગેરે વિશે વિવાદ ઊભો કરી જોરશોરથી સાધુમહારાજને પ્રશ્નો કરતા અને વ્યાખ્યાનને ડહોળી નાખતા. આ વાત ઉપાધ્યાય મહારાજ પાસે આવી. એટલે બીજે દિવસે શ્રી યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘના એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહીસિંદુર તૈયાર કરીને મંગાવ્યું
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org