________________
હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું. એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એક શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા ૫. ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઇપણ વ્યક્તિ બોલતી વખતે ઓસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.'
શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ; ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ.” શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઇશે. તમે બધા એમાંથી મુક્ત છો.' એ સાંભળી પંડિતોએ પોતાને માટે નિરાંત અનુભવી, પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે તેઓ શંકાશીલ હતા. ત્યારપછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા. પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અખ્ખલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ ગયા.
(31
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org