SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાહરણ તરીકે વાક્યના આડાઅવળા શબ્દો કહ્યા હોય તે યાદ રાખી તે શબ્દો બરાબર ગોઠવીને વાક્ય કહેવાનું હોય છે; પાદપૂર્તિઓ કરી આપવાની હોય છે અને આપેલા વિષય ઉપર તરત જ સંસ્કૃતમાં શ્લોકરચના પણ કરી આપવાની હોય છે. એટલે આવા અવધાનના પ્રયોગો કરનાર પાસે માત્ર સ્મૃતિશક્તિ જ નહિ, કવિત્વશક્તિ હોવી પણ જરૂરી છે. શ્રી યશોવિજયજીએ એવી સજ્જતા મેળવી લીધી હતી. આવા અવધાનના પ્રયોગો સોની સંખ્યા કે હજારની સંખ્યા સુધી થયાના ઉલ્લેખો મળે છે. એ પ્રયોગો કરનાર શતાવધાની કે સહસ્ત્રાવધાની કહેવાય છે. પરંતુ વધુ સંખ્યા એટલે વધુ ચડિયાતા પ્રયોગો એવું હંમેશાં નથી હોતું. પ્રયોગો કેટલાં અઘરા છે, સમાંતર કેટલા વિષયો ચાલે છે અને એના ઉત્તરોનો ક્રમ કેવા પ્રકારનો છે એના ઉપર એ પ્રયોગની મૂલ્યવત્તાનો આધાર છે. શ્રી યશોવિજયજીએ પહેલા આઠ મહા અવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમાં ૬૪ વસ્તુઓ યાદ રાખવાની હતી. એટલે ત્યારપછી કરેલો આ અઢાર અવધાનનો પ્રયોગ સંભવ છે કે એથી પણ વધુ કઠિન હોય. કદાચ શતાવધાનના ચાલુ પ્રયોગો કરતાં પણ તે વધુ કઠિન હોય. શ્રી યશોવિજયજીની સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિદ્વતાથી મહોબતખાન બહુ જ પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. પોતાના રાજ્યમાં જૈન મહાજનમાં રત્ન જેવા મહાન તેજસ્વી વિદ્વાન મુનિઓ છે એની તેને ખાતરી થઈ. ઉપાધ્યાયની ખાતરી કાશી અને આગ્રામાં કરેલા વિદ્યાભ્યાસથી, વાદમાં વિજય મેળવવાથી અને અઢાર અવધાનના પ્રયોગથી શ્રી યશોવિજયજીની ખ્યાતિ ચોમેર ઘણી વધી ગઈ હતી. તેમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર ખીલતી જતી હતી. એમનો શાસ્ત્રાભ્યાસ પણ વધતો જતો હતો. એમણે વીસ સ્થાનક તપની આરાધના પણ ચાલુ કરી હતી. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિને 29. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy