________________
શ્રી યશોવિજયજીએ કહ્યું, “ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?' શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ
આગ્રાથી વિહાર કરી શ્રી નયવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર (અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ કર્યો. એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર (અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સુબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જેન શ્રેષ્ઠીઓ તેના સંપર્કમાં હતા.
એક વખત મહોબતખાનની રાજસભામાં શ્રી યશોવિજયજીના અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદ્ભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિ મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ, તેણે ધનજી સૂરા વગેરે જૈન સંઘના અગ્રણીઓને વાત કરી અને તેમના દ્વારા શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી.
ગુરુમહારાજ શ્રી નવિજયજીની આજ્ઞા મળતાં શ્રી યશોવિજયજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો. એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિ મહારાજ માટે બેસવાની અલગ અલગ યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ, અન્ય સાધુઓ તથા અગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં પધાર્યા. ત્યાં વિશાળ સભા સમક્ષ એમણે અઢાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો.
અઢાર અવધાનના આવા પ્રયોગમાં અઢાર જુદી જુદી વ્યક્તિઓ જે કહે તે પછીથી ક્રમાનુસાર કહેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારની ઘણી બાબતો આવે.
28
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org