________________
સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજયજીએ ત્યારપછી એ વિવાદને અનુસરીને અધ્યાત્મમત ખંડન અથવા “અધ્યાત્મમત પરીક્ષા' નામનો ગ્રંથ લખ્યો હતો એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગુર્જર સાહિત્ય-રચના વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિઠ્ઠલ્મોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સક્ઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું, “મને કોઈ સક્ઝાય કંઠસ્થ નથી.” એ સાંnળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, “ત્યારે શું ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું ?' શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા, માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે. તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમક્તિના ૬૭ બોલની સક્ઝાયની રચના કરી અને તે માટે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સક્ઝાય બોલવી તેમણે શરૂ કરી. સક્ઝાય ઘણી લાંબી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, “હવે કેટલી બાકી રહી ?' એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે
27
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org