________________
૨૬. અનુભવાષ્ટક
૩૪૯
[૨૦૪] જ્ઞાર હેતુવાન પવાર્થ વદતક્રિયા:
વાનેનૈતાવતા પ્રા ત થાત્ તેવુ નિશ્ચય: રદ્દાઝા [શબ્દાર્થ જ્ઞાન જાણી શકાય; દેતુવાન હેતુવાદથી; પાર્થી=પદાર્થો; યવિં=જો અતીન્દ્રિયા=અતીન્દ્રિય, ઇન્દ્રિયોને અગોચર; &ાનેન=કાળે; પતાવતા=એટલા; પ્રાગૈ =પ્રાજ્ઞ પુરુષો દ્વારા, જ્ઞાનીઓએ; ત: સ્થા–કરી લીધો હોત; તેવું–તે વિશે, અતીન્દ્રિય પદાર્થ વિશે; નિશ્ચય:=નિશ્ચય.]
અનુવાદઃ જો અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી (શાસ્ત્રોક્ત યુક્તિઓથી) જાણી શકાતા હોત તો આટલા કાળ સુધીમાં પ્રાણ પુરુષો દ્વારા તે વિશે નિશ્ચય થઈ ગયો હોત. (૪)
વિશેષાર્થઃ અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી જે ન જાણી શકાય તે. સ્પર્શ, રસ, ગંધ, દશ્ય અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયોની પોતપોતાની મર્યાદા છે. સો વર્ષની ઉમરે પણ માણસ આ તીખું છે, આ ઠંડું છે કે દુર્ગધમય છે તે પારખી શકે છે. એ ઇન્દ્રિયો એટલી ઘસાતી નથી. પણ આંખ અને કાન એ બે ઇન્દ્રિયોને ઘસારો લાગે છે. એટલે જ વિજ્ઞાને આંખની જોવાની અને કાનની સાંભળવાની શક્તિના ઉપાયો યોજ્યા છે.
સારા સાજા માણસની નરી આંખે ન દેખી શકાય એવી કેટલીક વસ્તુ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. આકાશના દૂર દૂરના તારા, નિહારિકા વગેરે ટેલિસ્કોપ દ્વારા નિહાળી શકાય છે. એક્સ રે મશીન દ્વારા, સોનોગ્રાફી દ્વારા શરીરની અંદર રહેલા ભાગોના ફોટા લઈ શકાય છે. આ તો થોડીક વાત થઈ. વિજ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી છે. પાંચસો હજાર વર્ષ પૂર્વેનો કોઈ માણસ અત્યારના જગતને જુએ તો, વિમાન, ટી.વી., ટેલિફોન, મોબાઈલ, કમ્યુટર, રોકેટ ઇત્યાદિ સાધનો જોઈને આશ્ચર્યવિભોર બની જાય. | વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી છે અને હજુ કરતું રહેશે તો પણ વૈજ્ઞાનિકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org