________________
૩૪૮
જ્ઞાનસાર
મન અને ઇન્દ્રિયોને સચેતન રાખનાર જે આત્મતત્ત્વ છે તે નજરે નિહાળી શકાય એવું નથી. નાક, કાન, જીભ કે ત્વચા દ્વારા પણ એને ગ્રહણ કરી શકાય એમ નથી. છતાં એ છે એનો ઇન્કાર થઈ શકે એમ નથી. એના અસ્તિત્વને પુરવાર કરી આપવા માટે તર્ક અને બુદ્ધિ દોડાવી શકાશે. કોઈ આત્મતત્ત્વમાં ન માનતું હોય તો તર્કથી મનાવી શકાશે. પ્રાચીન કાળમાં પ્રદેશી રાજાને આવી શંકાઓ થયેલી.
આત્મા છે એવું બુદ્ધિકલ્પનાથી માનીએ છીએ, પરંતુ સેંકડો દલીલો કરવા છતાં એનો અનુભવ નહિ કરાવી શકાય. આત્મા છે એમ માનવું તે એક વાત છે અને ખુદ આત્માનો અનુભવ કરવો એ બીજી વાત છે. એ અનુભવ કરવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે, પણ એ અનુભવ અવશ્ય થઈ શકે છે. આત્માના અસ્તિત્વને તર્કથી માનવામાં વાર નથી લાગતી, પણ આત્માને અનુભવવા માટે દીર્ઘ કાળની સાધનાની અપેક્ષા રહે છે.
જીવ સતત બહિર્મુખ રહે છે. ઇન્દ્રિયો એને બહારની દુનિયાનો આસ્વાદ કરાવે છે. માણસને જોવું ગમે છે, સ્વાદિષ્ટ ભોજન ગમે છે, નવી નવી ચીજવસ્તુઓ વસાવવી ગમે છે, સરસ ઘર અને વાહન ગમે છે. મનુષ્યને કામભોગો ભોગવવા ગમે છે. એને કારણે જ માણસ ક્રોધ, અભિમાન, કૂડકપટ, ઇત્યાદિ કરતો થઈ જાય છે. તે હિંસા, ચોરી ઇત્યાદિ આચરતો થઈ જાય છે. પરંતુ જેટલે અંશે મનુષ્ય બહિર્મુખ તેટલે અંશે આત્માના અનુભવનો અવકાશ ઓછો. માણસ શાંત થઈ જાય, જીવનને ત્યાગવૈરાગ્યમય બનાવે, ઇન્દ્રિયોને અંદરવાળે, એકાંતમાં અંતર્મુખ બને. અને હું કોણ છું?' શા માટે મારું આવું જીવન છે? જીવન પૂરું થતાં મારું શું થશે ? મારાં સગાં સંબંધીઓનું શું થશે ?'–આ અને આવા બીજા અનેક પ્રશ્નોના ચિંતનમાં ડૂબકીવારંવાર મારતો રહેશે તો એક દિવસ એને આત્મસ્વરૂપની ઝાંખી થશે. અનેક ગ્રંથો વાંચવાથી અને તર્કયુક્ત દલીલો કરવાથી જે અનુભવ નથી થતો તે અનુભવ અસંગ બનીને એકાંતમાં રહી અંતર્મુખ બનીને ધ્યાન ધરવાથી થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org