________________
૨૬. અનુભવાષ્ટક
૩૪૭
આપણને પુદ્ગલના રસમાંથી છોડાવે, યશકીર્તિ, પ્રતિષ્ઠા ઇત્યાદિના મોહમાંથી મુક્ત કરાવે, નેતા બનવાની લાલસાથી દૂર રાખે, આપણા રાગદ્વેષને પાતળા પાડે, નવાં કર્મબંધન ઓછાં કરાવે તો સમજવું કે અનુભવ આત્મવિકાસ માટે ઉપયોગી છે. આવો સ્વરૂપાનુભવ એ વચલો મુકામ છે. હજુ ઘાતકર્મનો ક્ષય બાકી છે. [૨૦૩] ગતિયિં પરં બ્રહ્મ વિશુદ્ધાનુભવ વિના
શાસ્ત્રયુક્તિશતેનાપર યદ્ વુધા: નપુ: Jર દારૂ II [શબ્દાર્થ : અતીન્દ્રિયંકઅતીન્દ્રિય, ઇન્દ્રિયને અગોચર; પરં બ્રહ્મ=પર બ્રહ્મ; વિશુદ્વાનુમવં=વિશુદ્ધ અનુભવ; વિના=વિના, વગર, સિવાય; શાસ્ત્રયુક્તિશતેન= શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે; f=પણ; ન=નથી; ગં=જાણવા યોગ્ય;
=જે, જેથી; વધા=જ્ઞાનીઓએ; ના =કહ્યું છે.]
અનુવાદઃ ઇન્દ્રિયોને અગોચર એવો પરમ બ્રહ્મ (શુદ્ધાત્મા) વિશુદ્ધ અનુભવ વિના, શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી. એટલે જ પંડિતોએ કહ્યું છે કે- (૩)
નોંધઃ શ્લોક ૩ના અનુસંધાનમાં શ્લોક ૪ આવે છે, પરંતુ સમજવામાં સ્પષ્ટતા રહે માટે બંનેના શબ્દાર્થ, અનુવાદ અને વિશેષાર્થ જુદા આપ્યા છે.
વિશેષાર્થઃ સર્વ સંસારી જીવો દેહધારી છે. દેહમાં ચૈતન્ય સ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ આત્મા વિલસી રહ્યો છે. મનુષ્યના દેહમાં પાંચ ઇન્દ્રિયોની પરિપૂર્ણતા હોય, ચિત્ત સ્વસ્થ હોય અને સમજશક્તિ હોય તો એને શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સમજાશે. આત્મા છે તો ઇન્દ્રિયો છે અને આત્મા છે તો મન છે. એક વખત આત્મા શરીરમાંથી નીકળી જાય પછી ઇન્દ્રિયો ગમે તેટલી રૂપાળી હોય અને મન ગમે તેટલું બુદ્ધિશાળી હોય તો પણ એની કશી કિંમત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org