________________
૩૪૬
જ્ઞાનસાર
[શબ્દાર્થઃ વ્યાપાર =વ્યાપાર, કાર્ય, ઉદ્યમ; સર્વસ્ત્રાગા=સર્વ શાસ્ત્રોનો; વિકિર્ણન =દિશા બતાવનાર; =જ; હિં=ખરેખર; પાર=પાર; તુ=પરન્ત; પ્રાપથતિ=પ્રાપ્ત કરાવે છે, પમાડે છે; પવA:=એક; અનુભવ:=અનુભવ; વિવારિ=સંસારરૂપી સમુદ્રનો.]
અનુવાદઃ સર્વ શાસ્ત્રોનો વ્યાપાર માત્ર દિશા બતાવવાનો જ છે, પરંતુ માત્ર એક અનુભવ જ સંસારસમુદ્રનો પાર પમાડે છે. (૨)
વિશેષાર્થ આત્મ તત્ત્વની ખોજ અને આત્મતત્વનો અનુભવ એ એવી ગહન વાત છે કે તે વિશે સમયે સમયે નવા નવા ગ્રંથો લખાય છે, છતાં તે શોધ પૂરી થતી નથી.
પ્રત્યેક વિષયને ઘણા જુદા જુદા દૃષ્ટિબિન્દુથી તપાસી શકાય છે. એ માટે પ્રયાસો થયા છે અને શાસ્ત્રો રચાયાં છે. આગમ ગ્રંથો અને એની ઉપરની ટીકાઓ, વૃત્તિઓ તથા પૂર્વાચાર્યોએ રચેલા પ્રકરણ ગ્રંથો છે. આમ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચારે અનુયોગના વિષયમાં પાર વગરનું સાહિત્ય છે. એક જિંદગીમાં એનો પાર પામી ન શકાય. પરંતુ એ બધાંનો અભ્યાસ કરીને અંતે શું પામવું છે ? જીવને કર્મબંધનમાંથી છૂટીને મુક્તિ મેળવવી છે. એ મેળવવા માટે માર્ગ નક્કી કરવો પડશે. શાસ્ત્રો ભોમિયાની ગરજ સારે છે. એ આપણને દિશા બતાવે છે. શાસ્ત્રો આપણને નકશો આપે છે, પણ ચાલવાનું છે આપણે પોતે. નકશો વારંવાર જોયા કરવાથી કામ નહિ થાય. તે પ્રમાણે બરાબર સમજી લીધા પછી તેનો અમલ કરવો પડશે. કોઈ ભોમિયો હશે તો કામ જલદી અને સારી રીતે પાર પડશે.
આત્મવિકાસમાં મોટામાં મોટું બળ અનુભવનું છે. એ અનુભવની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની સાધના પદ્ધતિઓ છે. જીવની પાત્રતા જોઈને કોઈ સદ્ગુરુ એમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે. એક વખત અનુભવમાં, સ્વરૂપ રમણતામાં ઊંડા ઊતરીએ તો પછી એમાંથી જલદી બહાર આવવાનું મન નહિ થાય. આવો અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org