________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૨ ૧
ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ રૂપક પ્રયોજ્યું છે. મન વાછરડું છે અને મન વાંદરું પણ છે. મધ્યસ્થ દૃષ્ટિવાળા પુરુષનું મન વાછરડા જેવું છે અને કદાગ્રહનું મન વાંદરા જેવું છે. યુક્તિ અથવા તર્કયુક્ત દલીલ એ ગાય જેવી છે. મધ્યસ્થ દૃષ્ટિવાળા પુરુષનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ પાછળ જાય છે. એટલે કે યુક્તિને તે અનુસરે છે. કદાગ્રહી પુરુષના મનરૂપી વાંદરો યુક્તિરૂપી ગાયના પૂંછડાને પોતાના તરફ ખેંચે છે. એટલે કે યુક્તિને મારી મચડીને પોતાના પક્ષ તરફ વાળી પોતાના મતનું સમર્થન કરવાનો પ્રયાસ કરે છે.
તર્કનું ક્ષેત્ર એવું વિશાળ છે કે માણસ ખોટી વાતને પણ સાચી તરીકે બતાવી શકે છે. પણ જેઓ તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા હોય એમની આગળ ખોટી દલીલ ચાલતી નથી. તેઓ કુતર્કને તરત પકડી પાડે છે, પરંતુ સુતર્ક અને કુતર્કમાં ભોળા લોકો વિવેક કરી શકતા નથી. એટલે તેઓ એમાં ભોળવાઈ જાય છે. પછી જે પક્ષમાં સમુદાય મોટો હોય તેની વાત સાચી એવું વાતાવરણ નિર્માય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છેઃ
आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा ।
पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ।। [આગ્રહી માણસ જ્યાં એની મતિ રહેલી હોય છે ત્યાં યુક્તિને દોરી જાય છે. જે માણસ પક્ષપાતરહિત હોય છે તે જ્યાં યુક્તિ હોય છે ત્યાં મતિને લઈ જાય
છે.]
સમ્યક યુક્તિથી વસ્તુ-પદાર્થનો યથાર્થ બોધ થાય છે. જ્યાં કદાગ્રહ છે ત્યાં મિથ્યાત્વ હોય છે. જ્યાં મધ્યસ્થ દૃષ્ટિ હોય છે ત્યાં સમ્યગદર્શન હોય છે. [૧૨૩] નવું સ્વાર્થ પુ મોઘેણુ પરવર્તિને .
સમાનં મનો ય સ મધ્યસ્થ મહામુનિ ! ૨૬ રૂ II [શબ્દાર્થ નg=નયોમાં સ્વાર્થસત્યેનુ=પોતાના અર્થમાં-પોતપોતાના અભિપ્રાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org