________________
૨ ૨ ૨
જ્ઞાનસાર
સાચા; મોષ=નિષ્ફળ એવા; પરવાતને=બીજા (નયો)ના વક્તવ્યનું નિરાકરણ કરવામાં; સમશીનં=સમાન ભાવવાળું; સમાન સ્વભાવને ધારણ કરનાર; મન:=મન, =જેનું; :=; મધ્યસ્થ =મધ્યસ્થ પુરુષ; મામુનિ =મહાન મુનિ.]
અનુવાદ-પોતપોતાના અભિપ્રાયે સાચા અને બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ એવા નયોમાં જેનું મન સમાન ભાવ ધારણ કરનારું છે તે મહામુનિ મધ્યસ્થ છે.
વિશેષાર્થ: નયની અપેક્ષાએ મહામુનિની મધ્યસ્થતા કેવી હોય છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. નય એટલે એક દૃષ્ટિકોણ, એક પક્ષ, એક અપેક્ષા.
કોઈ એમ કહે કે “હું જ સાચો છું.” તો એક દૃષ્ટિથી તેઓ અવશ્ય સાચા જ હોઈ શકે અને છતાં તેઓ જ એકમાત્ર સાચા છે એમ ન કહી શકાય. બીજી દૃષ્ટિથી બીજા પણ સાચા હોઈ શકે છે. સાચા નયવાદી એ કહેવાય કે બીજાના નયમાં રહેલા સત્યના અંશનો પણ સ્વીકાર કરે.
નય વિવિધ પ્રકારના છે, પરંતુ તેમાં મુખ્ય અને મહત્ત્વના સાત નય છે: નગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્ર નય, શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂતનય. દરેક નય કોઈ અપેક્ષા અથવા દૃષ્ટિકોણ રજૂ કરે છે.
જ્યગુસ્વાર્થસત્યેષુ-એમાં સ્વાર્થ એટલે સ્વ+અર્થ. એટલે બધા નયો પોતપોતાના અર્થમાં એટલે કે અભિપ્રાયથી જોવામાં આવે તો સાચા હોય છે, પણ મોષ પરવતિને એટલે કે બીજાના નયની યુક્તિથી એને તપાસવામાં આવે તો તે નિષ્ફળ અથવા ખોટા જણાય છે. બધા નયો સપ્રતિપક્ષ હોય છે એટલે કે એને પ્રતિપક્ષ અથવા સામો વિરોધી પક્ષ હોય છે. જો પોતાનું એક દૃષ્ટિબિન્દુ હોય તો બીજાનું એનાથી ભિન્ન એવું દૃષ્ટિબિન્દુ પણ હોય છે. જેઓ કેવળ નય-પક્ષપાતી છે તેઓ તો પોતાની વાત જ સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેઓ સિદ્ધાન્તના અજ્ઞાની કહેવાય છે, મિથ્યાદૃષ્ટિ મનાય છે.
શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિતર્કમાં નીચેની બે ગાથામાં કહ્યું છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org