________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૨ ૩
नियनियवयणिज्ज सच्चा सव्वनया परवियालणे मोहा।
ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। [સર્વે નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પણ બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખોટા છે, પણ અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નયોનો “આ સાચા છે અને આ ખોટા છે એવા વિભાગ કરતા નથી.]
तम्हा सव्वे वि नया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा ।
अन्नोन्ननिस्सिया उण हवंति समत्तसब्भावा ।। [તેથી માત્ર પોતપોતાના પક્ષમાં લાગેલા બધા નયો મિથ્યાદૃષ્ટિ છે, પરંતુ એ જ બધા નયો પરસ્પર સાપેક્ષ હોય તો સમ્યગૂરૂપ થાય છે.]
જેઓ મધ્યસ્થ મહામુનિ છે તેઓ પોતાના અંતરમાં કોઇપણ નય અથવા વાદ પ્રત્યે પક્ષપાત રાખતા નથી. તેઓ દરેકમાં જે સત્ય હોય તે સ્વીકારે છે. (૩) [૧૨૪] સ્વવર્મવૃતવેશ: સ્વર્ગમુકો નરી: I
न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।। १६ ।। ४ ।। [શબ્દાર્થ સ્વસ્થતા વેશ:=પોતપોતાના કર્મમાં જેમણે આગ્રહ કર્યો છે; પોતપોતાના કર્મને વશ થયેલા;સ્વસ્વમુન:=પોતપોતાનાં કર્મને ભોગવનારા; નરT:=મનુષ્યો; ન=નથી; રા=રાગને; ન=નથી; અપિ =અને; પં=શ્વેષને; મધ્યસ્થ =મધ્યસ્થ પુરુષ; તેવું તેમાં; અચ્છતિ=જાય છે.]
અનુવાદ-પોતપોતાના કર્મને વશ થયેલા અને પોતપોતાના કર્મના ફળને ભોગવનારા એવા જીવોમાં મધ્યસ્થ પુરુષ રાગને અને વેષને પ્રાપ્ત થતો નથી.
વિશેષાર્થ દિવસરાત સંસારનું અવલોકન કરતા રહીએ તો આપણી આસપાસ બનતી જાત જાતની ઘટનાઓ નજરે જોઇએ છીએ. જેમ કે કોઇકને અચાનક લોટરી લાગી, કોઇને લાંબી માંદગી આવી, કોઇની દુકાન બળી ગઈ, કોઇની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org