________________
૨ ૨ ૪
જ્ઞાનસાર
દીકરી ભાગી ગઈ અને કોઇકને પરણી ગઈ, કોઇને ઘરે સાધુ મહાત્મા પધાર્યા, કોઇક વર્ષોથી એકધારી નોકરી કર્યા કરે છે. રોજ છાપું વાંચીએ તો ચોરી, ખૂન, બળાત્કાર, ધરપકડ, અકસ્માત વગેરેના કેટલા બધા કિસ્સાઓ વાંચવા મળે છે. આપણી આસપાસનાં સગાંસંબંધીઓ અને પડોશીઓના પરિચિત વર્તુળમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે ! આવી બધી ઘટના વખતે કોઇક સામાન્ય માણસ અત્યંત હરખાઈ જાય, કોઈક રડે, કોઈક વિચારમાં પડી જાય. પરંતુ એવે વખતે આત્મભાવ વિશે વિવેક દૃષ્ટિવાળા જીવોને કોઈ હરખ કે શોક હોતાં નથી. તેઓ ચિંતવતા હોય છે કે દરેક જીવ પોતપોતાના કર્મને વશ થયેલો હોય છે. તે પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખદુઃખ ભોગવે છે. એમાં જ્ઞાની મહાત્મા રાગ કે દ્વેષ કરતા નથી. તેઓ મધ્યસ્થ દૃષ્ટિ રાખે છે. પોતાની સાવ નજીક જ કોઈ દુઃખદ ઘટના બની હોય તો પણ તેઓ વિહવળ થતા નથી. તેઓ પોતાની સ્વસ્થતા કે સમતા ગુમાવતા નથી. એથી આગળ વધી ખુદ આત્મજ્ઞાનીનો વિચાર કરીએ તો કોઈ ઇન્દ્ર એમને વંદન કરવા આવે અથવા તો કોઈ કસાઈ વધ કરવા આવે–બંને પ્રસંગે તેઓ સમચિત્તવાળા જ રહે છે.
કેટલાક લોકો બીજાને તકલીફ પડે ત્યારે ડાહી ડાહી શિખામણ આપે છે, પરંતુ પોતાના માથે તકલીફ આવે તો મૂંઝાઈ જાય છે. પરંતુ જ્ઞાની મહાત્મા તેને પ્રસંગે જરા પણ અસ્વસ્થ બનતા નથી. આ બધો કર્મનો ખેલ છે એમ સમજે છે. આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ
वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति ।
दंतेण चित्तेण चरंतिधीरा मुणी समुग्धाइयरागदोसा ।। [કોઈ વંદન કરે તો તેઓ પોતાનો ઉત્કર્ષ માનતા નથી અને કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી, પરંતુ વશ કરેલા ચિત્ત વડે રાગદ્વેષનો નાશ કરનાર ધીર મુનિઓ વિચરે છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org