________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૨૫
[૧૨૫] મન: ચર્િચામૃતં વાવ પરોષTUBદે.
कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ।। १६ ।। ५ ।। [શબ્દાર્થ : મન:=મન; ચા=હોય; વ્યાકૃતં પ્રવર્તેલું; થવ=જ્યાં સુધી; પરોષમુળદે પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં કાર્ય=કાર્ય; કરવું;
=રોકાયેલું, આસક્ત; વાં=શ્રેષ્ઠ; તાવ=ત્યાં સુધી મધ્યસ્થન=મધ્યસ્થ પુરુષે; માભિમાવને આત્મભાવનમાં, આત્મધ્યાનમાં.].
અનુવાદ-જ્યાં સુધી મન પારકાના દોષ અને ગુણ ગ્રહણ કરવામાં પ્રવર્તેલું હોય ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં (મનને) મગ્ન રાખવું એ સારું છે. (૫)
વિશેષાર્થ સંસારમાં સર્વત્ર અપૂર્ણતા છે એટલે કોઇપણ વ્યક્તિ કે પદાર્થનું મૂલ્યાંકન કરતી વખતે એનામાં રહેલી ત્રુટિઓ, દોષો, અવગુણો નજરે આવ્યા વગર રહે નહિ. મૂલ્યાંકન ન હોય તો પણ મનુષ્યની પ્રકૃતિ એવી છે કે ઇર્ષ્યા, દ્વેષ, અસૂયા વગેરેને કારણે તે બીજાની નિંદા કરે છે. મન પહેલાં પારકાનાં દોષ અને પછી ગુણની વાત કરવામાં રોકાઈ જાય છે. પરંતુ વિચારવાન માણસે પારકાના પહેલાં ગુણ જોવા જોઈએ અને પોતાનો વિચાર આવે ત્યારે પહેલાં પોતાના દોષ જોવા જોઈએ અને પછી ગુણનો વિચાર કરવો જોઈએ. પારકાના દોષ જોવામાં નિંદાનો ભાવ ન આવવો જોઈએ અને પોતાના ગુણ જોવામાં આત્મશ્લાઘા કે અહંકારનો ભાવ ન આવવો જોઈએ.
પરંતુ જેઓ મધ્યસ્થતાના ગુણને કેળવવા ઇચ્છે છે તેઓએ તો આત્મસ્વરૂપના ચિંતનમાં પોતાના મનને રોકવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે પરને વિશે મન તે ચિંતાસ્વરૂપ હોય છે અને આત્માને વિશે સમાધિસ્વરૂપ હોય છે એટલો વિશેષ છે.” આત્મસ્વરૂપના ચિંતન પછી સાંસારિક ગુણદોષ તરફ લક્ષ જ જતું નથી.
ચિત્તને પારકાના ગુણદોષના વિચારોમાંથી નિવૃત્ત કરીને સ્વસ્વરૂપમાં સ્થિર કરવા માટે નીચેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org