________________
૨ ૨૬
જ્ઞાનસાર
(૧) અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષા (૨) શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન. (૩) પદ્રવ્ય અને નવતત્ત્વનું ચિંતન (૪) કર્મના પ્રકારો, કર્મબંધ, વિપાકોદય ઇત્યાદિ વિશે વિચારવું. (૫) નય, નિક્ષેપ અને સ્વાવાદના સ્વરૂપનો અભ્યાસ કરવો. (૬) જ્ઞાની મહાત્માઓનો સત્સમાગમ. (૭) આત્મચિંતન કરવું.
આ તો અહીં થોડાક ઉપાય બતાવ્યા છે. પોતાની રુચિ અનુસાર જીવ તત્ત્વચિંતનમાં, ધ્યાનમાં પરોવાઈ જાય તો પારકાની વાતો કરવાનો અને અવકાશ રહેતો નથી. પછી સમતા, મધ્યસ્થતાના ગુણો ખીલવા લાગે છે. [૧૨૬] વિધિન્ના કપિ સ્થાન: સમુદ્ર સરિતામિવા
મધ્યસ્થાનાં પર બ્રહ્મ પ્રાનુવર્ત્યમક્ષયમ્ II ૨૬ | ૬ | [શબ્દાર્થ : વિમ=ભિન્ન ભિન્ન, જુદા જુદા વિ=પણ; પથાન =માર્ગો; સમુદ્ર=સમુદ્રને; સરિતાન=નદીઓના; રુવ=જેમ; મધ્યસ્થાન=મધ્યસ્થોને; પરં=ઉત્કૃષ્ટ; બ્રહ્મ=બ્રહ્મને, પરમાત્મસ્વરૂપને; માનુન્ન=પ્રાપ્ત કરે છે; =એક; અક્ષયે અક્ષય, ક્ષય રહિત.]
અનુવાદ-જેમ નદીઓના પ્રવાહો જુદા જુદા હોવા છતાં પણ સમુદ્રને મળે છે તેમ મધ્યસ્થોના (જુદા જુદા માર્ગો) ક્ષયરહિત એક પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. (૬)
વિશેષાર્થ: મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવોના સાધનાપથ અને અંતિમ લક્ષ્ય માટે અહીં નદીઓ અને સાગરની ઉપમા આપવામાં આવી છે. નદીઓ સામાન્ય રીતે પહાડમાંથી નીકળે છે અને સમુદ્રમાં જઇને એની સાથે ભળી જાય છે. એક વખત નદી–સમુદ્રમાં ભળી ગઈ પછી એનું જુદું અસ્તિત્વ રહેતું નથી. તે સમુદ્રમય બની જાય છે. નદીઓમાં કોઈ નાની અને કોઈ મોટી, કોઈ લાંબી અને કોઈ ટૂંકી હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org