________________
૨ ૨૦
જ્ઞાનસાર
કાંકરા મારવાની કુચેષ્ટા તો બાળકો કરતા હોય છે, કારણ કે બાળકોમાં પુખ્તતા હોતી નથી. પુખ્તતા મધ્યવયમાં આવે છે. એટલે આરાધક જીવે નિષ્ઠાપૂર્વક મધ્યસ્થતા તરફ વળવું જોઈએ. [૧૨] મનોવો વિતાવ મધ્યસ્થીનુવાવતિ .
તામાર્ષતિ પુછે તુછી પ્રેમન:પ: 1 ૨૬ / ૨ ll [શબ્દાર્થ ઃ મનોવ7:=મનરૂપી વાછરડો; યુક્તિકાવી યુક્તિરૂપી ગાયની; મધ્યસ્થ=મધ્યસ્થ પુરુષનો; મનુવતિ=પાછળ દોડે છે; તા–તેને (યુક્તિરૂપી ગાયને); માર્ષતિ=ખેંચે છે; પુચ્છન=પૂંછડા વડે; તુચ્છી મન: પિ =તુચ્છ આગ્રહવાળાનો (કદાગ્રહીનો) મનરૂપી વાંદરો]
અનુવાદ-મધ્યસ્થ પુરુષનો મનરૂપી વાછરડો યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. કદાગ્રહી પુરુષનો મનરૂપી વાંદરો તેને (યુક્તિરૂપી ગાયને) પૂંછડેથી ખેંચે છે. (૨)
વિશેષાર્થ : કેટલાયે વિષયોમાં મતમતાન્તર થતાં રહેવાનાં. જ્યારે પક્ષ પડી જાય ત્યારે પોતાના પક્ષ પ્રત્યેનો દઢ અનુરાગ અન્ય પક્ષની વાતને સમજવા દેતો નથી અથવા સમજાય છતાં તે સ્વીકારવામાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે.
જ્યારે કોઈ તત્ત્વની વિચારણા થતી હોય ત્યારે અને પક્ષ પડી ગયા હોય ત્યારે પ્રત્યેક પક્ષ પોતાની યુક્તિઓ-દલીલો રજૂ કરે છે. આમાં જ્યાં સુધી પ્રામાણિકપણે, નિઃસ્વાર્થભાવે, રાગરહિત થઈને દલીલો રજૂ થાય છે ત્યાં સુધી એ વિવાદનું ગૌરવ સચવાય છે. કહેવાયું છે કે વારે વારે ગાયતે તવો: I જેમ જેમ સારા અર્થમાં વાદ-વિવાદ થાય તેમ તેમ તત્ત્વ કે પદાર્થ ઉપર સારો પ્રકાશ પડે છે. બધા માણસોની તર્કશક્તિ, સમજશક્તિ, શાસ્ત્રજ્ઞાન અને અનુભવ એકસરખાં નથી હોતાં. એટલે વાદવિવાદથી લાભ થાય છે. આમ છતાં કેટલાયે વાદ-વિવાદ ઝઘડામાં કે મારામારીમાં પરિણમે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org