________________
૧૬. માધ્યસ્થાષ્ટક
૨ ૧૯
એનાથી વિપરીત પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યે એને અભાવ, અણગમો, દ્વેષ થાય છે. એને સુગંધ ગમે છે-દુર્ગધ ગમતી નથી. યોવન ગમે છે, વૃદ્ધાવસ્થા ગમતી નથી. મિત્રો ગમે છે, દુશ્મનો ગમતા નથી. એને જીવન ગમે છે, મૃત્યુ ગમતું નથી.
આ બધું જીવની ભોગબુદ્ધિ અને આસક્તિનું પરિણામ છે. જીવનું ભવાભિનંદીપણું એને રાગદ્વેષથી પર થવા દેતું નથી.
જેઓએ મધ્યસ્થતા કેળવવી હોય તેઓએ પહેલાં અંતર્મુખ બનવું પડશે, પોતાના અંતરાત્મામાં ઊતરવું પડશે. એમ થાય ત્યારે માણસને જન્મ અને મૃત્યુ, આત્મા અને પરમાત્મા, સંસારચક્ર અને મોક્ષ ઇત્યાદિ વિશે વિચારો સ્ફરશે. એમ કરતાં ક્રમે ક્રમે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એ સમજાશે અને આગળ જતાં રાગ અને દ્વેષની પરિણતિ ઓછી થતાં મધ્યસ્થતા આવશે. પછી તો દુષ્ટ માણસો પ્રત્યે પણ મધ્યસ્થતા આવશે. મૈત્રી, પ્રમોદ અને કરુણા એ ત્રણ ભાવનાનો વિકાસ થાય તો માધ્યસ્થ ભાવના આવ્યા વગર રહે નહિ. | હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર'માં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાનાં જે લક્ષણો આપ્યાં છે એમાં માધ્યસ્થ ભાવના વિશે કહ્યું છે:
क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु ।
आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् ।। નિઃશંકપણે દૂર કાર્ય કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા પ્રત્યે ઉપેક્ષાભાવની વૃત્તિ તે માધ્યસ્થભાવના કહેવાય છે.]
જેમ જેમ જીવની બુદ્ધિશક્તિ ખીલે છે તેમ તેમ તર્કશક્તિ પણ ખીલે છે. એને પરિણામે કેટલીક ખોટી વાતને સાચી ઠેરવતાં પણ આવડે છે. આને કુતર્ક કહેવામાં આવે છે. હોંશિયાર વ્યક્તિ જે પક્ષનું સમર્થન કરવું હોય તે પ્રમાણે દલીલો શોધી કાઢે છે. અદાલતોમાં વકીલો કેટલીક વાર આવા કુતર્કનો આશ્રય લે છે. પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કુતર્કથી પોતાનો પક્ષ અથવા પોતે મધ્યસ્થ છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. કુતર્ક તો કાંકરા બરાબર છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org