________________
૨ ૧૮
જ્ઞાનસાર
૧૬. માધ્યસ્થાષ્ટક [૧૨૧]થીયતામનુપાત્રમં મધ્યસ્થનાના રાત્મના !
કુતર્વર્વરક્ષેપૈર્યથતાં વનવા પત્રમ્ II ૨૬ / ૨ | [શબ્દાર્થ ઃ થીયતામરહો; અનુપાનH=ઉપાલંભ ન આવે એવી રીતે; મધ્યસ્થન=મધ્યસ્થતાપૂર્વક, રાગદ્વેષ રહિત થઈને; અંતરત્મિના=શુદ્ધ અંતરંગ પરિણામે (અંતરાત્મા થઇને); jતક્ષેપૈ=કુતર્ક (કુયુક્તિ, ખોટી દલીલો) રૂપી કાંકરા નાખવાથી; ત્યmતાં–ત્યાગ કરો; વાતવાતમૂ=બાળપણની ચપળતાનો. ચાંપલાપણાનો, છોકરડાનો.].
અનુવાદ–શુદ્ધ અંતરંગ પરિણામે, માધ્યસ્થ થઇને, ઉપાલંભ ન આવે એવી રીતે, કુતર્કરૂપી કાંકરા નાખવાની બાલ્યાવસ્થાની ચપળતાનો ત્યાગ કરો. (૧).
વિશેષાર્થ: “મધ્યશબ્દનો સાદો અર્થ છે વચ્ચે. “સ્થ' એટલે સ્થિત, રહેલું. માધ્યસ્થ એટલે વચ્ચે રહેલું. કોઇપણ વાત કે વિષયમાં પરસ્પર વિરુદ્ધ બે અંતિમ છેડા હોય ત્યારે કોઇપણ એક બાજુ ન ઢળતાં વચ્ચે રહેવું તે મધ્યસ્થતા. બે કે વધુ વ્યક્તિના ઝઘડામાં ન્યાયપૂર્વક નિર્ણય આપવો તે મધ્યસ્થપણું કહેવાય છે. અદાલતના ન્યાયાધીશો જો ન્યાયપૂર્વક સાચો ચુકાદો આપે તો તેમાં મધ્યસ્થતા હોય છે.
આધ્યાત્મિક ક્ષેત્રનો વિચાર કરીએ તો પરસ્પર વિરુદ્ધ બે મોટાં તત્ત્વો તે રાગ અને દ્વેષ છે. ન રાગ બાજુ ઢળવું કે દ્વેષ બાજુ જવું તે મધ્યસ્થતા છે. પણ આવી મધ્યસ્થતાનો વિચાર કરવો જેટલો સહેલો છે તેટલો તેનો અમલ સહેલો નથી. એનું કારણ એ છે કે અનાદિ કાળથી જીવ મિથ્યાત્વને કારણે, મોહનીય કર્મને કારણે રાગદ્વેષ કરતો આવ્યો છે. જીવ પુગલની સંગે જીવતો આવ્યો છે. પુગલ પ્રત્યે એને આસક્તિ રહે છે અને જ્યાં આસક્તિ હોય, અનુરાગ હોય તો ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org