________________
૧૫. વિવેકાષ્ટક
૨ ૧૭
શત્રુનો ઉચ્છેદ કરવા માટે સરસ રૂપકની રચના આ શ્લોકમાં કરી છે.
શત્રુનો સંહાર કરવા માટે શસ્ત્ર જોઈએ. એ શસ્ત્ર તીક્ષ્ણ ધારવાળું હોવું જોઈએ. વપરાશથી બુઠ્ઠા થઈ જતાં ચપ્પ, છરી, કાતર તથા અન્ય શસ્ત્રની ધાર કાઢવા માટે ખાસ પ્રકારનો પથ્થર તૈયાર કરવામાં આવે છે. એને સરાણ કહેવામાં આવે છે. જે માણસો ધાર કાઢવામાં કુશળ હોય છે તેઓ સરાણ લઈને ફરતા હોય છે અથવા તેની દુકાન રાખે છે. એ દ્વારા તેઓ આજીવિકા મેળવતા હોય છે. તેઓ સરાણિયા કહેવાય છે.
અહીં સંયમને શસ્ત્ર તરીકે અને વિવેકને શાણ (સરાણી તરીકે બતાવવામાં આવ્યાં છે. વિવેક એટલે સ્વપરનો વિવેક, અથવા જડ-ચેતનનું ભેદજ્ઞાન અને પરભાવથી નિવૃત્ત થવારૂપી વિવેક. આ સરાણ ઉપર સંયમરૂપી શસ્ત્રની ધાર કાઢવાની છે. એ તીક્ષ્ણ ધાર એટલે સંતોષરૂપી ધાર. સંયમી મુનિએ સંતોષ ધારણ કરવો જોઈએ એટલે કે કોઈ પ્રકારની ઇચ્છા-વાસનાઓથી રહિત થવું જોઈએ. નિરીહતા એ મુનિજીવનનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. જેઓએ ઘરબાર, સ્વજન પરિવાર, માલ મિલકત વગેરે બધું છોડી દીધું છે તેઓને હવે કર્મક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ લૌકિક એષણાઓ હોવી ન જોઈએ. આવા સંયમ, સંતોષ અને વિવેક વડે તેઓ દેહથી પર થઈને આત્મરમણતા અનુભવે છે. આમ, સંયમ, સંતોષ અને વિવેક વડે તે મોહનીય વગેરે કર્મશત્રુનો ઉચ્છેદ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org