________________
૨ ૧૬
જ્ઞાનસાર
૩. કરણ – જાણવાનું સાધન એટલે કરણ જે જ્ઞાનોપયોગ તે આત્મા પોતે જ છે. એટલે આત્મા પોતે કરણ છે.
૪. સંપ્રદાન – સંપ્રદાન એટલે જેને માટે ક્રિયા કરાય છે. આત્માને જાણવાની ક્રિયા આત્માને માટે જ કરવાની છે. આત્મા માટે ઉત્પાદરૂપ ગુણ પર્યાયોનું પાત્ર હોવાથી સંપ્રદાન છે.
૫. અપાદાન – નાશ પામેલા પર્યાયોનું વિશ્લેષ-વિયોગનું સ્થાન આત્મા હોવાથી આત્મા પોતે જ અપાદાન છે, એટલે પર્યાયોનું છૂટવાપણું છે.
૬. અધિકરણ – આત્મા અનંત ગુણપર્યાયોનો આધાર હોવાથી આત્મા અધિકરણ છે.
આ છે કારકને એક જ વાક્યમાં ગોઠવવાનાં હોય તો આ રીતે ગોઠવી શકાય: આત્મા (કર્તા), આત્માને (કર્મ), આત્મા વડે (કરણ), આત્મા માટે (સંપ્રદાન), આત્માથી (અપાદાન), આત્મામાં જ (અધિકરણ) જાણે છે. આ ષકારક સંગતિ છે. આ સંગતિ બુદ્ધિ અને તર્કથી સમજવી એટલું બસ નથી. તેની દિવ્ય અનુભૂતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. [૧૨] સંયમીસ્ત્ર વિવેવેન શાળનોત્તેજિત મુને !
धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।। १५ ।। ८ ।। [શબ્દાર્થ સંયમીā=સંયમરૂપ શસ્ત્ર; વિવેન=વિવેકરૂપી; શાન=સરાણ વડે;
નિતંsઉત્તેજિત (અત્યંત તીણ) કરેલું, મુને =મુનિનુંધૃતિવારોત્વલં=સંતોષરૂપી ધારવડે ઉગ્ર; ર્મશત્રુશ્કેક્ષમં કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ; ભ=થાય.]
અનુવાદ-વિવેકરૂપી સરાણ વડે અત્યંત તીણ કરેલું, સંતોષરૂપી ધાર વડે ઉગ્ર (ઉત્કૃષ્ટ) એવું મુનિનું સંયમરૂપી શસ્ત્ર કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય. (૮) વિશેષાર્થ : વિવેક વિશેના આ અષ્ટકનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ કર્મરૂપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org